શ્રીમદ્ ભગવદ્ ગીતા
શ્રીમદ્ ભગવદ્ ગીતા
- 1.પ્રથમોધ્યાય: અર્જુનવિષાદયોગ
- 2.દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ
- 3.તૃતીયોધ્યાય: કર્મયોગ
- 4.ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ
- 5.પંચમોધ્યાય: કર્મસંન્યાસયોગ
- 6.ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ
- 7.સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ
- 8.અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ
- 9.નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ
- 10.દશમોધ્યાય: વિભૂતિયોગ
- 11.એકાદશોધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ
- 12.દ્વાદશોધ્યાય: ભક્તિયોગ
- 13.ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ
- 14.ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ
- 15.પંચદશોધ્યાય: પુરુષોત્તમયોગ
- 16.ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ
- 17.સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ
- 18.અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ
- 19
- 20
- 21
- નામ
📖📖📖📖📖
શ્રીમદ ભગવત ગીતા
બુક ઉપર ક્લિક કરો
ketan joshi
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧
ॐ
श्रीपरमात्मने नमः
अथ श्रीमद्भगवद्गीता
प्रथमोऽध्यायः
धृतराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥१-१॥
ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે=
હે સંજય ! ધર્મના ક્ષેત્રભૂત કુરૂક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો તેમજ પાંડવોએ શું કર્યું ? ।।૧-૧।।
संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥१-२॥
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥१-३॥
સંજય કહે છે = તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહ રચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઇને જ આચાર્ય દ્રોણ ગુરૂની પાસે જઇને વચન બોલવા લાગ્યો. હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચનાથી ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ ! નીહાળો ! ।।૧- ૨-૩ ।।
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥१-४॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥१-५॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥१-६॥
આ સેનામાં મોટાં મોટાં ધનુષ ધારનારા અને રણ સંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહારથી યુયુધાન-સાત્યકિ, વિરાટ અને દ્રુપદરાજા અને મહાસામર્થ્યવાન ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશિરાજ, તેમજ નરશ્રેષ્ઠ એવો પુરૂજીત્, કુન્તિભોજ અને શૈબ્ય નામે પ્રસિદ્ધ રાજા, વળી શૂરવીર યુધામન્યુ, પરાક્રમી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પ્રતિ વિન્ધ્યાદિક પાંચ, તેમજ બીજા પણ પાંડય રાજા વિગેરે ઘણાક છે. અને આ બધાય મહારથીઓજ છે. ।।૧- ૪-૬ ।।
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥१-७॥
હે દ્વિજોત્તમ-આચાર્ય ! હવે આપણા સૈન્યમાં જે મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે, તેઓને આપ જાણી લ્યો. અને તે મારી સેનાના નાયકો તમારી જાણને માટે તમોને કહી બતાવું છું. ।।૭।।
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥१-८॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥१-९॥
એક તો આપ-દ્રોણગુરૂ, બીજા ભીષ્મપિતા, તથા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય, તથા અશ્વત્થામા, વિકર્ણ, તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ. અને આ સિવાયના બીજા પણ શલ્ય અને કૃતવર્માદિક શૂરવીરો છે, કે જેઓ મારે માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે. અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાનાં સાધનોવાળા છે, તેમજ તે સઘળા યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે. ।।૧- ૮-૯।।
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१-१०॥
ભીષ્મપિતાથી રક્ષા કરાયેલું આપણું સૈન્ય તો અપર્યાપ્ત ઘણુંજ ઓછું લાગેછે. અને ભીમથી રક્ષા કરાયેલું આ એમનું શત્રુઓનું સૈન્ય તો જય મેળવવામાં સમ્પૂર્ણ સમર્થ જણાય છે. ।।૧- ૧૦।।
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥१-११॥
માટે તમે બધાય સર્વ વ્યૂહરચનાઓના પ્રવેશમાર્ગમાં યથાયોગ્ય વિભાગ પ્રમાણે સાવધાન ઉભા રહીને ચોતરફથી એક ભીષ્મ-પિતાનુંજ સર્વ પ્રકારે રક્ષણ કરો. ।।૧- ૧૧।।
तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥१-१२॥
તે સમયમાં મહાપ્રતાપી કુરૂવૃદ્ધ ભીષ્મ-પિતામહે તે દુર્યોધનને હર્ષ ઉપજાવતાં સિંહનાદ જેવી ઉચ્ચ સ્વરથી ભયંકર ગર્જના કરીને પછી પોતાનો શંખ વજાડ્યો. ।।૧- ૧૨।।
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥१-१३॥
તે પછી તુરતજ બીજા યોદ્ધાઓએ પોતપોતાના શંખ, ભેરીઓ, મૃદંગ, નગારાં તેમજ રણશીંગાં વિગેરે એકદમ વજાડ્યાં અને તે શબ્દ અતિશય મહાન્ ભયંકર થયો. ।।૧- ૧૩।।
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥१-१४॥
તે પછી શ્વેત અશ્વોથી જોડેલા પોતાના મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણે અને પાંડુપુત્ર અર્જુને પોતાના દિવ્ય શંખો વજાડ્યા. ।।૧- ૧૪।।
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१-१५॥
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१-१६॥
તેમાં હૃષીકેશ-ભગવાને પાંચજન્ય શંખ વજાડ્યો, ધનંજય-અર્જુન દેવદત્ત શંખ વજાડ્યો, ભયંકર કર્મ કરનારા વૃકોદરે પોતાનો પૌંડ્ર નામનો મહાશંખ વજાડ્યો, કુન્તી પુત્ર યુધિષ્ઠિર રાજાએ અનન્તવિજય નામનો શંખ વજાડ્યો અને નકુલ અને સહદેવે પણ સુઘોષ અને મણિપુષ્પક નામના પોતપોતાના શંખ વજાડ્યા. ।।૧- ૧૫-૧૬।।
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥१-१७॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥१-१८॥
મોટા ધનુષને ધારનારો કાશીરાજા, મહારથી શિખંડી રાજા, દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ-રાજા, કોઇથી પરાજય ન કરાય એવો સાત્યકિ, હે પૃથિવીપતિ ધૃતરાષ્ટ્ર રાજન્ ! દ્રુપદ-રાજા, દ્રૌપદીના પુત્રો પ્રતિવિન્ધ્યાદિક પાંચ અને સુભદ્રાનો પુત્ર મહાબાહુ અભિમન્યું, એ સર્વે ચોતરફથી પોત-પોતાના જુદા જુદા શંખોને વજાડવા લાગ્યા. ।।૧- ૧૭-૧૮।।
स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥१-१९॥
એ સર્વ શંખોનો તે મહા ભયંકર શબ્દ ગર્જના આકાશ અને પૃથ્વીને અતિશય ગજાવી મુક્તો ધૃતરાષ્ટ્રના પુત્રોનાં હ્રદયને વિદારી નાખવા લાગ્યો. ।।૧- ૧૯।।
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥१-२०॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।
તે પછી યુદ્ધ કરવા માટે વ્યવસ્થાથી ગોઠવાઇને સજ્જ થયેલા ધૃતરાષ્ટ્રના તમારા પુત્રોને જોઇને પરસ્પર શસ્ત્રસમ્પાત થવા લાગ્યો તે સમયમાં કપિ-હનુમાનજી તેના ધ્વજમાં બેઠેલા છે એવા પાંડુપુત્ર અર્જુન પોતાનું ધનુષ ઉગામીને હે મહીપતિ ધૃતરાષ્ટ્ર ! તે સમયમાં હૃષીકેશ ભગવાનના પ્રત્યે આ પ્રમાણે વાક્ય કહેવા લાગ્યો. ।।૧- ૨૦।।
अर्जुन उवाच
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥१-२१॥
यावदेतान्निरिक्षेऽहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥१-२२॥
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥१-२३॥
અર્જુન કહે છે
હે અચ્યુત ! બન્ને સેનાઓના મધ્યે મારો રથ લઇ જઇને ઉભો રાખો ! કે જ્યાંથી યુદ્ધ કરવાની ઇચ્છાથી સજ્જ થઇને ઉભા રહેલા એ દુર્યોધનાદિકને હું જોઉં-જોઇ શકું. । અને વળી આ રણસંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, તેવા સઘળા યુદ્ધ કરવા ઇચ્છનારાઓને પણ હું જોઉં, કે જેઓ દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનનું યુદ્ધમાંજ પ્રિય કરવાને ઇચ્છતા થકા અહીં આ રણભૂમિમાં આવેલા છે. ।।૧- ૨૧-૨૩।।
संजय उवाच
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥१-२४॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥१-२५॥
સંજય કહે છે
હે ભારત ! ભારતકુલોત્પન્ન ધૃતરાષ્ટ્ર ! ગુડાકેશ નિદ્રાને જીતનારા અર્જુને આ પ્રમાણે કહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અર્જુનના ઉત્તમ રથને બન્ને સેનાઓના મધ્યે ભીષ્મ-દ્રોણાદિક તેમજ સર્વ રાજાઓની સમક્ષમાં ઉભો રાખીને હે પાર્થ ! યુદ્ધ કરવા ભેગા થયેલા આ કૌરવોને તેમજ તેના પક્ષનાઓને પણ જો ! એમ કહ્યું. ।।૧- ૨૪-૨૫।।
तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥१-२६॥
श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ॥१-२७॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।
પૃથાના પુત્ર અર્જુને તે રણભૂમિમાં આવીને બન્ને સેનાઓમાં ઉભા રહેલા પિતાઓને કાકાઓને, પિતામહોને=દાદાઓને, આચાર્યોને, મામાઓને, ભાઇઓને, પૌત્રોને, સખાઓને, તેમજ શ્વશુરોને તથા સર્વ સુહ્રદોને પણ જોયા. કુન્તીનો પુત્ર અર્જુન યુદ્ધ માટે તૈયાર થઇને ઉભા રહેલા તે સઘળા સગા સમ્બન્ધીઓને ચોતરફથી જોઇને અતિશય કૃપાથી આવિષ્ટ થઇને ખેદ પામતો પામતો આ પ્રમાણે કહેવા લાગ્યો. ।।૧- ૨૬-૨૭।।
अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥१-२८॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ॥१-२९॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥१-३०॥
અર્જુન કહે છે
હે કૃષ્ણ ! યુદ્ધ કરવા ઇચ્છતા આ સમીપમાં ઉભા રહેલા મારા સ્વજનોને જોઇને મારાં ગાત્ર અવયવો શિથિલ થઇ જાય છે. અને મારૂં મુખ પણ સુકાઇ જાય છે. મારા શરીરમાં કમ્પારો થઇ આવે છે. અને રોમહર્ષ-રૂંવાડાં ઉભાં થઇ આવે છે. આ મારૂં ગાંડીવ ધનુષ હાથમાંથી પડી જાય છે અને મારી ચામડી પણ બળું બળું થાય છે. અને હું ઉભો રહેવાને પણ શક્તિમાન નથી અને મારૂં મન તો જાણે ભમતું હોયને શું ? એમ જણાય છે.।।૧- ૨૮-૩૦।।
निमित्तानि च पश्यामि विपरीतानि केशव ।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥१-३१॥
હે કેશવ ! શકુનો પણ હું વિપરીત જ દેખું છું અને આ મારા સમ્બન્ધી જનોને યુદ્ધમાં મારી નાખીને પછીથી પણ હું મારૂં શ્રેય નથી જોતો. ।।૧- ૩૧।।
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च ।
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥१-३२॥
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥१-३३॥
હે કૃષ્ણ ! હું આ યુદ્ધ કરીને વિજય નથી ઇચ્છતો, તેમજ રાજ્ય કે રાજ્યનાં સુખોને પણ નથીજ ઇચ્છતો. હે ગોવિંદ ! અમને રાજ્ય મળે તોય શું ? અથવા ભોગ-વિલાસોથી કે જીવનથી પણ શું ? કારણ કે જેમને માટે અમારે રાજ્ય, રાજ્યના ભોગો તથા રાજ્યનાં સુખો ઇચ્છિત છે, તે આ સઘળા તો પોતાના પ્રાણ અને ધન સર્વસ્વનો ત્યાગ કરીને યુદ્ધમાં સામા આવીને ઉભા છે. ।।૧- ૩૨-૩૩।।
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥१-३४॥
આચાર્યો, પિતાઓ, કાકાઓ, પુત્રો, તથા દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શ્યાલકો તથા બીજા પણ સઘળા સમ્બન્ધીઓ, એ સઘળા ઉભેલા છે. ।।૧- ૩૪।।
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ॥१-३५॥
હે મધુસૂદન ! તેઓ મને મારે તો પણ હું એમને મારવા નથી ઇચ્છતો, ત્રિલોકીના રાજ્ય માટેય નહિ, તો પછી પૃથ્વી માટે તો હું મારૂં જ કેમ ? ।।૧- ૩૫।।
निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ।
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ॥१-३६॥
વળી- ધૃતરાષ્ટ્રના છોકરાઓને મારી નાખીને અમને શું પ્રીતિ થવાની હતી ? માટે હે જનાર્દન ! આતતાયી એવા પણ એ કૌરવોને મારીને અમને કેવળ પાપજ લાગે. ।।૧- ૩૬।।
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥१-३७॥
માટે અમારા બાન્ધવો એવા ધૃતરાષ્ટ્રના છોકરાઓને કે પક્ષનાઓને પણ મારવાને માટે અમે યોગ્ય નથી, કેમ કે હે માધવ ! સ્વજનોને મારીને અમે કેમ સુખીયા થઇએ ? (ન જ થઇએ.) ।।૧- ૩૭।।
यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः ।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ॥१-३८॥
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् ।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥१-३९॥
જો કે લોભથી ભ્રષ્ટચિત્ત થઇ ગયેલા એ કૌરવો કુળના ક્ષયથી થતો દોષ-પાપ, તેમજ મિત્રદ્રોહમાં રહેલું પાપ નથી દેખતા, તો પણ હે જનાર્દન ! કુળક્ષયકૃત દોષને જોનારા અમોએ આ પાપથી નિવૃત્તિ પામવા માટે કેમ ન સમઝવું જોઇએ ? સમઝવું જ જોઇએ. ।।૧- ૩૮-૩૯।।
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥१-४०॥
કુળનો ક્ષય થવાથી સનાતન પરમ્પરાગત શાશ્વત ધર્મો નાશ પામી જાય છે. અને ધર્મ નષ્ટ થવાથી સમગ્ર કુળ નાશ પામી જાય છે. અને વળી અધર્મ સર્વ પ્રકારે પરાભવ પમાડે છે. ।।૧- ૪૦।।
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः ॥१-४१॥
હે કૃષ્ણ ! અધર્મથી પરાભવ થવાથી કુળવતી સ્ત્રીઓ દૂષિત બની જાય છે. અને હે વૃષ્ણિ કુળનન્દન સ્ત્રીઓ દૂષિત-ભ્રષ્ટ થવાથી પ્રજા વર્ણસંકર થાય છે.।।૧- ૪૧।।
संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥१-४२॥
વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરનારાઓને તેમજ બાકીના સમગ્ર કુળને પણ નરકમાંજ નાખનારી થાય છે. અને એમના મરીને ગયેલા પિતૃઓ પણ પાછળથી પિંડદાન અને તર્પણાદિક ક્રિયાઓ લુપ્ત થવાથી અધોગતિનેજ પામે છે. ।।૧- ૪૨।।
दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः ।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥१-४३॥
વર્ણસંકરતાને પમાડનારા કુળધાતી પુરૂષોના એ મહાદોષથી શાશ્વત સનાતન જાતિધર્મો અને પરમ્પરાગત-કુળધર્મો પણ સઘળા નાશ કરી નખાય છે. ।।૧- ૪૩।।
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ॥१-४४॥
હે જનાર્દન ! ઉત્સન્ન થઇ ગયા છે કુળધર્મ જેમના એવા મનુષ્યોનો નરકમાં નિયત-અખંડ વાસ થાય છે એમ અમે આચાર્યોના મુખથી સાંભળ્યું છે. ।।૧- ૪૪।।
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥१-४५॥
અહો- ખેદની વાત છે, કે- અરેરે અમે આવું મોટું પાપ કરવાના નિશ્ચય ઉપર આવી ગયા, કે જે- રાજ્યસુખના લોભે કરીને સ્વજનોને હણવાને માટે તૈયાર થઇ ગયા. ।।૧- ૪૫।।
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥१-४६॥
માટે શસ્ત્ર હાથમાં લઇને તૈયાર થયેલા ધૃતરાષ્ટ્રના છોકરાઓ શસ્ત્રરહિત અને પોતાનો બચાવ પણ નહિ કરતો એવો મને રણમાં જો મારી નાખે, તો તો મારૂં અતિશય કલ્યાણ થાય. ।।૧- ૪૬।।
संजय उवाच
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥१-४७॥
સંજય કહે છે =
શોકથી અતિ ઉદ્વિગ્ન ચિત્તવાળો અર્જુન યુદ્ધ સમયમાંજ આ પ્રમાણે કહીને બાણ સહિત ધનુષ છોડી દઇને રથના એક ભાગમાં બેસી ગયો. ।।૧- ૪૭।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेऽर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॥ १ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અર્જુનવિષાદયોગો નામ પ્રથમોઅધ્યાયઃ ।।૧।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય – ૨
ॐ
श्रीपरमात्मने नमः
अथ द्वितीयोऽध्यायः
संजय उवाच
तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥२- १॥
સંજય કહે છે = પૂર્વે કહેવા પ્રમાણે પરમ કૃપાથી આવિષ્ટ થયેલા, અશ્રુઓથી પૂર્ણ આકુળ-વ્યાકુળ નેત્રોવાળા અને અતિશય ખેદ કરતા તે અર્જુન પ્રત્યે મધુસૂદન ભગવાન આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ।।૨- ૧।।
श्रीभगवानुवाच
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२- २॥
શ્રી ભગવાન કહે છે = હે અર્જુન ! આર્ય પુરૂષોએ કદી નહિજ સેવેલું, સ્વર્ગ પ્રાપ્તિમાં પણ વિરોધી અને આ લોકમાં પણ અપકીર્તિ કરનારૂં, એવું આ કશ્મળ મનનો મોહ આવા વિષમ સમયમાં તને કયાંથી પ્રાપ્ત થયું ? થઇ આવ્યું ? ।।૨- ૨।।
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥२- ३॥
હે પાર્થ ! પૃથાના પુત્ર અર્જુન ! તું આમ નપુંસકભાવને ન પામી જા. આ તારે વિષે નથી ઘટતું, માટે હે શત્રુતાપન ! ક્ષુદ્ર હ્રદયદૌર્બલ્યને છોડી દઇને તું યુદ્ધ માટે ઉભો થા ? સાવધાન થા ? ।।૨- ૩।।
अर्जुन उवाच
कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन ।
इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥२- ४॥
અર્જુન કહે છે =
હે મધુસૂદન ! ભીષ્મપિતામહને અને દ્રોણગુરૂને યુદ્ધમાં બાણોથી કેવી રીતે હું પ્રહાર કરી શકું ? કેમ કે તેઓ તો મારે પરમ પૂજ્ય છે. ।।૨- ૪।।
गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥२- ५॥
માટે મહાનુભાવ ગુરૂઓને નહિ હણતાં આ લોકમાં ભિક્ષાથી મેળવેલું અન્ન ખાવું એજ અતિ શ્રેયસ્કર છે, કેમ કે અર્થલુબ્ધ ગુરૂઓને મારી નાખીને તો તેમનાજ રૂધિરથી ખરડાયેલા ભોગો આ લોકમાં અમારે ભોગવવાના. ।।૨- ૫।।
न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषाम- स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२- ६॥
વળી એ પણ અમે જાણતા નથી કે આ બેમાંથી (ભિક્ષા માગી ખાવી ? કે યુદ્ધ કરવું ?) અમારે માટે કહ્યું શ્રેષ્ઠ છે ? અથવા તો અમે એમને જીતીએ, કે તેઓ અમને જીતે, વળી તેમ છતાં જેમનેજ મારીને અમે જીવવાની પણ ઇચ્છા નથી રાખતા, તે ધૃતરાષ્ટ્રના છોકરાઓ તો યુદ્ધમાં સમા આવીને ઉભા છે. ।।૨- ૬।।
कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥२- ७॥
દીનતાને લીધે મારો સ્વભાવ પલટાઇ ગયો છે, તેથી ધર્મનિર્ણયની બાબતમાં સર્વથા મૂઢચિત્ત બની ગયેલો હું તમને પૂછું છું કે મારૂં જે નિશ્ચિત શ્રેય હોય તે મને સમઝાવો ! હું તમારો શિષ્ય છું, માટે તમારે શરણે આવેલા મને મને બોધ કરો. ।।૨- ૭।।
न हि प्रपश्यामि ममापनुद्याद् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥२- ८॥
પૃથ્વી ઉપરનું શત્રુરહિત અને સમૃદ્ધિવાળું સમગ્ર રાજ્ય પામીને, અગર તો દેવોનું સ્વામિત્વ પામીને પણ ઇન્દ્રિયોને સર્વથા શોષણ કરનારો મારો શોક નાશ કરે એવું કોઇપણ વસ્તુ અગર સાધન મારા જોવામાં નથીજ આવતું. ।।૨- ૮।।
संजय उवाच
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२- ९॥
સંજય કહે છે =
આ પ્રમાણે ગુડાકેશ-અર્જુન હૃષીકેશ-ભગવાનને કહીને હે પરન્તપ ! ‘‘હું યુદ્ધ નહિ જ કરૂં’’ એમ છેવટમાં ગોવિંદ- ભગવાનને કહી દઇને પછી મૌનજ બની ગયો. ।।૨- ૯।।
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२- १०॥
હે ભારત ! ધૃતરાષ્ટ્ર ! બન્ને સેનાઓના મધ્યેજ આ પ્રમાણે ખેદ પામતા તે અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણ ભગવાન હસતા હસતા જ એમ કહેવા લાગ્યા. ।।૨- ૧૦।।
श्रीभगवानुवाच
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥२- ११॥
ભગવાન કહે છે =
નહિ શોક કરવા લાયકનો તું અનુશોક કરે છે. અને વળી બુદ્ધિવાદની વાતો બોલે છે. કેમ કે પંડિતો-જ્ઞાનીજનો મરેલાઓનો તેમજ જીવતાઓનો પણ, અથવા દેહનો કે આત્માનો પણ અનુશોક કરતાજ નથી. ।।૨- ૧૧।।
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥२- १२॥
હું કયારેય ન હતો એમ નહિ, તું પણ ક્યારેય ન હતો એમ નહિ, તેમજ આ બધા રાજાઓ પણ ન હતા એમ નહિ. અર્થાત્ હું, તું અને આ સઘળા પણ પૂર્વે હતા જ. વળી આપણે બધાય હવે પછીના સમયમાં પણ નહિ હોઇએ એમ તો નહિ જ, અર્થાત્ હોઇશું જ. ।।૨- ૧૨।।
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥२- १३॥
દેહી-જીવાત્માને આ દેહમાંજ જેમ કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અનુક્રમે બદલાયા કરે છે, તેજ પ્રમાણે આગળ બીજાબીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે. માટે એમ જાણીને ધીર પુરૂષ તેમાં મોહ નથી પામતો. ।।૨- ૧૩।।
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥२- १४॥
હે કુન્તીપુત્ર-અર્જુન ! શબ્દાદિક વિષયોના સ્પર્શો તો શીત-ઉષ્ણ, સારા-નરસા હોઇને સુખ દુ:ખને આપનારા છે. અને તેય આગમન-ગમન સ્વભાવના હોવાથી અસ્થિર નાશવંત છે, માટે હે ભારત ! તેને તું સહન કર. ।।૨- ૧૪।।
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२- १५॥
હે પુરૂષશ્રેષ્ઠ-અર્જુન ! સુખ દુ:ખ જેને સમાન થઇ ગયાં છે, એવા જે ધીર આત્મદર્શી પુરૂષને એ વિષયો વ્યથા-ઉદ્વેગ નથી પમાડતા તે પુરૂષ અમૃતત્વ મુક્તિને માટે કલ્પાય છે - યોગ્ય થાય છે. ।।૨- ૧૫।।
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥२- १६॥
અસત્ પદાર્થનો સદભાવ નથી અને સત્-વસ્તુનો અસદભાવ નથી. આ સત્-અસત્ એ બન્નેનો પણ ખરો સાર-નિર્ણય તો તત્ત્વદર્શી મહાત્માઓએ જાણેલો છે. ।।૨- ૧૬।।
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥२- १७॥
તે સત્-વસ્તુ આત્મતત્ત્વ તો અવિનાશી છે એમ તું જાણ. કે જેનાથી આ સઘળું વિશ્વ અથવા આ આખું શરીર વ્યાપ્ત છે. અને એ વિકારશૂન્ય આત્મતત્ત્વનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી. ।।૨- ૧૭।।
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥२- १८॥
નિત્ય-નિરન્તર સદભાવવાળો, નાશ નહિ પામનારો અને અપ્રમેય-સર્વ પ્રમાણોથી પણ નિર્ણય ન કરી શકાય એવા શરીરધારી આત્માના આ ભૂત ભવિષ્યમાં થનારા દેહો અન્તવાળા-નાશવન્ત છે, માટે હે ભારત !-અર્જુન ! એ બધાનો શોક મુકીને તું યુદ્ધ કર. ।।૨- ૧૮।।
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥२- १९॥
જે આ આત્માને હણનારો એમ જાણે છે, તેમજ જે એને બીજાથી હણાયેલો માને છે. તે બન્ને કાંઇ સમઝતાજ નથી. કેમ કે આ આત્મા કોઇને હણતોય નથી, તેમ બીજા કોઇથી પોતે હણાતો પણ નથી. ।।૨- ૧૯।।
न जायते म्रियते वा कदाचि- न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२- २०॥
આ-જીવાત્મા કદી ઉત્પન્ન થતો નથી, તેમજ-તે કયારેય મરતો પણ નથી. તેમ સૃષ્ટિ-સમયમાં ઉત્પન્ન થઇને પાછો પ્રલય સમયમાં નહિ હોય એમ પણ નહિ. કેમ કે આ આત્મા અજ, નિત્ય, સદાય એક રૂપ અને પુરાતન છે. અને તેથીજ તો શરીર હણાતાં પણ-એ હણાતો નથી. ।।૨- ૨૦।।
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२- २१॥
હે પાર્થ ! એ આત્માને જે પુરૂષ અજ, અવ્યય, નિત્ય-સિદ્ધ અને અવિનાશી જાણે છે, તો તે પુરૂષ કોને કેવી રીતે હણે છે ? અથવા તો હણાવે છે ? ।।૨- ૨૧।।
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥२- २२॥
જેમ માણસ પોતે જુનાં વસ્ત્રોને ત્યાગ કરી દઇને બીજાં નવાં ધારણ કરે છે, તેજ પ્રમાણે દેહી-જીવાત્મા જીર્ણ થયેલાં ચાલુ શરીરોનો ત્યાગ કરી બીજાં નવાં નવાં શરીરોમાં પ્રવેશ કરે છે. ।।૨- ૨૨।।
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२- २३॥
એ આત્માને શસ્ત્રો છેદતાં નથી, એ આત્માને અગ્નિ બાળતો નથી, એને જળ પણ કહોવરાવતાં નથી, તેમ વાયુ પણ એને સુકવતો નથી. ।।૨- ૨૩।।
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२- २४॥
આ આત્મા છેદી શકાય નહિ,બાળી શકાય નહિ, કહોવરાવી શકાય નહિ, તેમ સુકાવી શકાય નહિ એવો છે. વળી-એ આત્મા નિત્ય, સર્વ શરીરમાં પ્રવેશ કરનારો, સ્થિર સ્વભાવનો, અચળ અને સદાય એકરૂપે રહેવાવાળો છે. ।।૨- ૨૪।।
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२- २५॥
એ આત્મા ઇન્દ્રિયોથી ન જણાય એવો, અન્તઃકરણથી ન વિચારાય એવો અને શસ્ત્રાદિકથી વિકાર ન પમાડાય એવો કહેવાય છે, માટે એ આત્માને એવો જાણી સમઝીને તારે એનો અનુશોક કરવો યોગ્ય નથી. ।।૨- ૨૫।।
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥२- २६॥
હવે એ આત્માને તું શરીરના જન્મ સાથે સદાય જન્મ પામનારો એવો માનતો હોય, અથવા તો શરીરના મરણ સાથે સદાય મરણ પામનારો એવો માનતો હોય, તો પણ હે મહાબાહુ-અર્જુન ! તારે એનો શોક કરવો યોગ્ય નથી. ।।૨- ૨૬।।
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥२- २७॥
કારણ કે - જન્મ પામેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે, માટે અપરિહાર્ય-અવશ્ય બનવાના અર્થમાં તું શોક કરવાને યોગ્ય નથી. ।।૨- ૨૭।।
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२- २८॥
હે ભારત ! અર્જુન ! સર્વભૂત-પ્રાણીમાત્ર આદિભાગમાં અવ્યક્તરૂપેજ હોય છે, ફક્ત વચલી અવસ્થામાં વ્યક્ત થઇને આખરે પાછાં અવ્યકતમાંજ લય પામનારાં છે, તો પછી તેમાં શો શોક કરવો ? ।।૨- ૨૮।।
आश्चर्यवत्पश्यति कश्चिदेन- माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२- २९॥
એ આત્માને કોઇક આશ્ચર્ય જેવો જ જુએ છે, તેમજ વળી બીજો કોઇક તો એને આશ્ચર્ય જેવો જ કહી બતાવે છે. વળી બીજો સાંભળનારો પણ એને આશ્ચર્યની પેઠેજ શ્રવણ કરે છે. આ પ્રમાણે શ્રવણાદિક કરીને પણ એને ખરી રીતે તો કોઇજ જાણતો નથી. ।।૨- ૨૯।।
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥२- ३०॥
વળી હે ભારત ! અર્જુન ! સર્વના દેહમાં પહેલો આ દેહી-જીવાત્મા સદાય અવધ્યજ છે, માટે સર્વ ભૂત-પ્રાણીમાત્ર તારે શોક કરવા યોગ્ય નથી. ।।૨- ૩૦।।
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥२- ३१॥
વળી- તારે સ્વધર્મનો પણ વિચાર કરીને આ યુદ્ધમાંથી ચલાયમાન થવું યોગ્ય નથી, કારણ કે ધર્મપ્રાપ્ત ક્ષત્રિયધર્માનુરૂપ યુદ્ધકરતાં બીજું કોઇ પણ શ્રેય-શ્રેષ્ઠ કર્મ ક્ષત્રિયોને માટે છેજ નહિ. ।।૨- ૩૧।।
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२- ३२॥
દૈવ ઇચ્છાથી અનાયાસેજ પ્રાપ્ત થયેલું, ખુલ્લા બારણાના સ્વર્ગદ્વાર જેવું, આવું ધર્મયુદ્ધ તો હે પૃથાના પુત્ર અર્જુન ! તારા જેવા સુખી-ભાગ્યશાળી ક્ષત્રિયોજ પામે છે. ।।૩૨।।
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥२- ३३॥
માટે હવે જો તું આ ધર્મયુદ્ધ નહિ કરે તો તેથી સ્વધર્મનો અને કીર્તિનો નાશ કરીને કેવળ પાપનેજ પામીશ. ।।૨- ૩૩।।
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२- ३४॥
વળી મનુષ્યો તારી ઘણા લાંબા કાળ સુધી અપકીર્તિ ગાયા કરશે. અને સર્વ સન્માનનીય પ્રતિષ્ઠિત પુરૂષને અપકીર્તિ એ તો મરણ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ।।૨- ૩૪।।
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२- ३५॥
અને આ બધા મહારથીઓ તને ભયથીજ યુદ્ધમાંથી પાછો હઠી ગયો એમ માનશે. અને એમ થવાથી જેમની આગળ તારૂં બહુ માન છે તેમની આગળ તારી બહુજ હલકાઇ થઇ જશે. ।।૨- ૩૫।।
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२- ३६॥
તેમજ-તારા શત્રુઓ તારા સામર્થ્યને નિન્દતાં તારે માટે ન બોલાય તેવા બહુજ ખરાબ શબ્દો બોલશે, તો તેથી બીજું કયું મોટું દુ:ખ છે ? ।।૨- ૩૬।।
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२- ३७॥
તેમ છતાં આ યુદ્ધમાં જો તું હણાયો તો સ્વર્ગ-સુખ પામીશ અને જીતીને તો પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવવાનું છે જ. માટે હે કુન્તીપુત્ર અર્જુન ! તું યુદ્ધ માટે કૃતનિશ્ચય થઇ ઉઠ ! સાવધાન થઇ જા. ।।૨- ૩૭।।
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२- ३८॥
અને સુખ દુ:ખ સમાન કરીને-માનીને, તેમજ લાભ-અલાભ, જય-પરાજય, એ બધામાં સમતા રાખીને તે પછીજ યુદ્ધ માટે જોડાઇ જા ! એમ કરવાથી તને પાપ નહિ લાગે. ।।૨- ૩૮।।
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२- ३९॥
હે પાર્થ ! આ તને સાંખ્ય-યોગમાં વર્તવાની બુદ્ધિ કહી, હવે યોગમાં કર્મ-યોગમાં તો આ કહું છું તે બુદ્ધિ સાંભળ ? જે બુદ્ધિએ યુક્ત વર્તવાથી કર્મથી થતા બન્ધને તું સર્વ પ્રકારથી ટાળી શકીશ. ।।૨- ૩૯।।
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२- ४०॥
આ બુદ્ધિયુક્ત કર્મયોગમાં આરંભેલાનો નાશ નથી થતો, તેમ અપૂર્ણ રહેવામાં પ્રત્યવાય પણ નથી લાગતો. આ ધર્મનું સ્વલ્પ આચરણ પણ મોટા ભયથી રક્ષા કરે છે. ।।૨- ૪૦।।
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२- ४१॥
હે કુરૂનન્દન ! કર્મયોગરૂપ શ્રેયોમાર્ગમાં નિશ્ચયાત્મક એકજએક પ્રકારનીજ બુદ્ધિ છે. અને વિવિધ કર્મના ફળભેદને લીધે અનન્ત પ્રકારે વહેંચાયેલી બહુ શાખાવાળી બુદ્ધિઓ તો અનિશ્ચિત શ્રેયોમાર્ગવાળાઓનીજ છે. ।।૪૧।।
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२- ४२॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२- ४३॥
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥२- ४४॥
વેદમાં કહેલા ફળવાદમાંજ સર્વસ્વ માનનારા અને તે સિવાયનું બીજું કોઇ અધિક સુખ છેજ નહિ એમ બોલનારા, વિષયોમાંજ આસક્ત ચિત્તવાળા અને તેથીજ સ્વર્ગનેજ પરમ સાધ્ય માનનારા, એવા અવિદ્વાન્-મૂર્ખજનો જન્મ-કર્મની પરમ્પરા રૂપ ફળનેજ આપનારી અને ભોગ-ઐશ્વર્યને ઉદેશીને પ્રવર્તેલી એવી કર્મકલાપના બહોળા વિસ્તારવાળી જે આ પુષ્પિતા- ફળ વિનાનાં કેવળ પુષ્પમાત્રનીજ શોભાની માફક આપાતરમ્ય જણાતી મોહક વાણી બોલે છે. એવા ભોગ ઐશ્વર્યમાં અત્યન્ત આસક્ત થયેલા અને તે વિષયાસક્તિને લીધેજ જેમની બુદ્ધિ વિષયો તરફ હરાઇ ખેંચાઇ ગઇ છે. તે પુરૂષોની બુદ્ધિ સમાધિમાં એક નિશ્ચયવાળી થઇને સ્થિરતા પામતી નથી. ।।૨- ૪૨-૪૪।।
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२- ४५॥
હે અર્જુન ! વેદો સઘળા ત્રિગુણમય સંસારને ઉદેશીને પ્રવર્તેલા છે, માટે તું તો ત્રિગુણ મિશ્રિત ભાવથી રહિત થઇ જા ! અને અખંડપણે સદાય સત્ત્વ-ગુણમાં રહેનારો જ્ઞાની થઇને સુખ દુ:ખ, શોક-મોહ, વિગેરે રાજસ-તામસ ભાવોથી રહિત થા ! અને યોગ-ક્ષેમની પણ ચિન્તાથી રહિત થઇ જા ! ।।૨- ૪૫।।
यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२- ४६॥
ચોતરફ ઉછળતા ખૂબ જળથી છલો-છલ ભરેલા મોટા જળાશયમાં પણ સ્નાન-પાનાદિક કરવામાં જેટલું પ્રયોજન મનાય છે, તેટલું જ પ્રયોજન કે ફળ બ્રહ્મ જાણનાર વિજ્ઞાનસમ્પન્ન મનુષ્યને સર્વ વેદોમાં રહેલું છે. ।।૨- ૪૬।।
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२- ४७॥
તારે કર્મમાંજ-કર્મ કરવામાંજ અધિકાર છે, પરન્તુ-ફળોમાં કયારેય પણ અધિકાર નથી. માટે અભિમાનને લીધે કર્મના ફળમાં તું કારણભૂત ન થા ! તેમ કર્મ ન કરવામાં છોડી દેવામાં પણ તને ઇચ્છા અગર આસક્તિ ન થાઓ ! ।।૨- ૪૭।।
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२- ४८॥
હે ધનંજય ! સિદ્ધિ-અસિદ્ધિ રૂપ લાભ-અલાભમાં સમાન ભાવ રાખીને, સંગ ઇચ્છા કે આસક્તિ છોડી દઇને યોગમાં વર્તવાપૂર્વક દરેક કર્મ કરો ! અહીંઆં સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા રાખવી-માનવી એજ યોગ કહેલો છે. ।।૨- ૪૮।।
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२- ४९॥
હે ધનંજય ! બુદ્ધિયોગ કરતાં કેવળ કર્મ ઘણુંજ હલકું-તિચ્છ છે. માટે તું બુદ્ધિમાં સમતારૂપ બુદ્ધિયોગમાં સ્થિરતા પામવાની ઇચ્છા રાખ ! કેમ કે ફળમાં હેતુભૂત થઇને કર્મ કરનારા મનુષ્યો તો કૃપણ-કંગાલ જેવાજ છે. ।।૨- ૪૯।।
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२- ५०॥
બુદ્ધિયોગમાં સ્થિરતા પામેલો પુરૂષ આ લોકમાંજ સુકૃત અને દુષ્કૃત એ બન્નેનો ત્યાગ કરી દે છે, માટે તું પણ યોગને માટે બુદ્ધિયોગમાં સ્થિરતા પામવાને માટે પ્રયત્ન કર ! કારણ કે બુદ્ધિયોગ એજ કર્મ કરવામાં ચતુરાઇ-ડહાપણ છે. ।।૨- ૫૦।।
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥२- ५१॥
સમત્વરૂપ બુદ્ધિયોગ પામેલા મહાજ્ઞાની પુરૂષો કર્મથી થતા ફળનો ત્યાગ કરીને ત્યાગ કરવાથી જન્મ વિગેરે વિકારોથી વિનિર્મુક્ત થઇને સર્વ ઉપદ્રવથી રહિત પરમ પદને-ભગવદ્ધામને પામે છે. ।।૨- ૫૧।।
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥२- ५२॥
જ્યારે તારી બુદ્ધિ આત્મા-અનાત્માના અવિવેકરૂપ મોહથી અજ્ઞાનથી થતી કલુષતાને સર્વથા તરી જશે ત્યારેજ સાંભળવા લાયક અને સાંભળેલાં એ સર્વનો તને વૈરાગ્ય ઉદાસીનતા આવશે. ।।૨- ૫૨।।
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२- ५३॥
વિવિધ અભિપ્રાયનાં શાસ્ત્રવાકયોના શ્રવણથી વિવિધ પ્રકારે ભેદાઇ ગયેલી તારી અસ્થિર બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઇને સમાધિમાં સ્થિરતા પામશે ત્યારેજ તું સમત્વરૂપ બુદ્ધિયોગને પામીશ. ।।૨- ૫૩।।
अर्जुन उवाच
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥२- ५४॥
અર્જુન પૂછે છે =
હે કેશવ ! સમાધિનિષ્ઠ સ્થિતપ્રજ્ઞ પુરૂષની ભાષા- બોલી કેવી હોય છે ? અથવા એને કેવા શબ્દોથી કહેવામાં બોલાવવામાં આવે છે ? સ્થિતપ્રજ્ઞ પુરૂષ શું બોલે છે ? એ કેમ બેસે છે ? અને કેમ હરે-ફરે છે ? એ મને કહો ! ।।૨- ૫૪।।
श्रीभगवानुवाच
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२- ५५॥
શ્રી ભગવાન કહે છે =
હે પાર્થ ! સાધક જ્યારે મનમાં રહેલા સર્વ કામ વિષયેચ્છાઓનો ત્યાગ કરે છે અને પરમેશ્વરમાંજ અથવા આત્મસ્વરૂપમાંજ શુદ્ધ ભાવથી જોડેલા મનથી સન્તુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।।૨- ૫૫।।
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२- ५६॥
દુ:ખોના પ્રસંગોમાં જેનું ચિત્ત ઉદ્વેગ નથી પામતું અને સુખોમાં પણ જેને સ્પૃહા ટળી ગઇ છે. અને તેથીજ રાગ, ભય અને ક્રોધ વિગેરે માનસિક વિકારોથી જે રહિત થયોલો છે. એવો મનનશીલ પુરૂષ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।।૨- ૫૬।।
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५७॥
જે સર્વત્ર સર્વથા નિઃસ્નેહ થયેલો છે. અને તે તે શુભ-અશુભ વસ્તુ પ્રાપ્ત થતાં નથી અભિનંદન કરતો, કે નથી દ્વેષ કરતો, તે પુરૂષની પણ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત સ્થિર થઇ એમ જાણવું. ।।૨- ૫૭।।
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५८॥
આ સાધક યોગી જ્યારે પોતાનાં ઇન્દ્રિયોને કૂર્મ-કાચબો જેમ પોતાના અવયવોને સર્વથા સંકેલી લે છે, એજ પ્રમાણે તે તે ઇન્દ્રિયોના વિષયોથી પાછાં ખેંચીને સ્વવશમાં રાખે છે, ત્યારે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર જાણવી. ।।૨- ૫૮।।
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२- ५९॥
જો કે નિરાહાર મનુષ્યના વિષયો ઘણું કરીને નિવૃત્ત થાય છે, પણ તેમાં રસ-આસક્તિ તો રહે છેજ. અને તે આસક્તિ-વાસના તો પરં-પરમાત્મસ્વરૂપનો અથવા આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયેજ નિવૃત્તિ પામે છે. ।।૨- ૫૯।।
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२- ६०॥
હે કૌન્તેય ! વારંવાર પ્રયત્ન કરતા એવાય પણ વિદ્વાન્વિવેકશીલ પુરૂષના મનને અતિ બળવાન ઇન્દ્રિયો વિષયો તરફ બળાત્કારે ખેંચી જાયછે. ।।૨- ૬૦।।
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६१॥
માટે તે સર્વ ઇન્દ્રિયોને સમ્યક્ પ્રકારે નિયમમાં રાખીને બુદ્ધિયોગયુક્ત થઇને મદેકપર વર્તે છે અને તેમ થવાથી જેનાં ઇન્દ્રિયો સ્વવશમાં રહે છે, તે પુરૂષની પ્રજ્ઞા મારા સ્વરૂપમાં સ્થિરતા પામેલી જાણવી. ।।૨- ૬૧।।
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥२- ६२॥
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२- ६३॥
(હવે- તેમ નહિ કરનારને અનર્થાપત્તિ જણાવે છે) પુરૂષને વિષયોનું ચિન્તવન-સ્મરણ કરતાં તેમાં સંગ-આસક્તિ થઇ આવેછે, આસક્તિમાંથી કામ-આતુરતા થાયછે અને તેમાંથી તે વિષયમાં આડે આવનાર ઉપર ક્રોધ થાયછે. ક્રોધમાંથી સંમોહકાર્યાકાર્ય ના અવિવેકરૂપ ગાઢ અજ્ઞાન પ્રસરેછે. અને સંમોહથી પછી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિભ્રંશથી પછી બુદ્ધિનાશ અને બુદ્ધિનો નાશ થવાથી પુરૂષાર્થથી ભ્રષ્ટ થઇને આખરે મોક્ષમાર્ગથી પણ ભ્રષ્ટ થઇ જાયછે. ।।૨- ૬૨-૬૩।।
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२- ६४॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२- ६५॥
(હવે-બુદ્ધિ સ્થિર કરવાનો ઉપાય કહેછે) વશ વર્તેછે મન જેનું એવો સાધક પુરૂષ પ્રિય-અપ્રિય વસ્તુમાં રાગ-દ્વેષથી રહિત માટેજ સ્વવશમાં વર્તનારાં એવાં ઇન્દ્રિયોથી વિષયોનું સેવન કરતાં મનની પ્રસન્નતા-નિર્મળતા પામેછે. અને મનની પ્રસન્નતા-નિર્મળતા પ્રાપ્ત થતાં સર્વ દુ:ખની હાનિ એને આપો-આપ થઇ જાયછે અને પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તુરતજ પરમાત્મસ્વરૂપમાં સર્વથા સ્થિરતા પામે છે. ।।૨- ૬૪-૬૫।।
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२- ६६॥
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२- ६७॥
એજ વાત વ્યતિરેક-ભાવથી કહી બતાવે છેઅયુક્ત ને-અન્તઃકરણ વશ નહિ કરનારને, બુદ્ધિ-સ્થિર બુદ્ધિ થતી નથી, તેમ અયુક્ત પુરૂષને પરમાત્મસ્વરૂપમાં ભાવના-સ્નેહપૂર્વક મનની સ્થિરતા પણ થતી નથી. માટે ભાવનાશૂન્ય પુરૂષને શાન્તિ પણ મળતી નથી અને એવા અશાન્તને સુખ તો મળેજ કયાંથી ? કેમકે-વિષયોમાં સ્વછન્દથી ફરનારાં ઇન્દ્રિયોની પાછળ જે પોતાના મનને જવા દે છે, તો તે મન એ પુરૂષની બુદ્ધિને વિપરીત વાયુ જળમાં ફરતા વહાણનેજ જેમ, એમ અવળે માર્ગે ખેંચી જાય છે. ।।૨- ૬૬-૬૭।।
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६८॥
માટે હે મહાબાહો ! જેનાં ઇન્દ્રિયો ઇન્દ્રિયોના અર્થરૂપ વિષયો થકી સર્વ પ્રકારે નિગ્રહ કરીને સ્વવશમાં રાખેલાં હોયછે, તે પુરૂષનીજ પ્રજ્ઞા પરમાત્મસ્વરૂપમાં સ્થિરતા પામેલી જાણવી. ।।૨- ૬૮।।
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२- ६९॥
હવે- જ્ઞાની-અજ્ઞાનીનો સ્થિતિભેદ કહી બતાવે છે. સર્વ ભૂત-પ્રાણીમાત્રની જે રાત્રિ અજ્ઞાનરૂપ અન્ધકારમય છે, તેમાં સંયમી-જ્ઞાની પુરૂષ જાગેછે-જાણપણે યુક્ત વર્તે છે. અને જેમાં ભૂત-પ્રણીમાત્ર જાગેછે-સાવધાન વર્તે છે, તે આત્મદર્શી મનનશીલ સંયમી પુરૂષની રાત્રિ છે. ।।૨- ૬૯।।
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥२- ७०॥
ચોતરફથી ઘણું પાણી ભરાવા છતાં પણ અતૂટ મર્યાદાવાળા સમુદ્રમાં અનેક નદી-નાળાંનું જળ જેમ આપો-આપ ભરાયછે, તેજ પ્રમાણે સર્વ કામનાઓ-વિષયો આપો-આપ જેમાં પ્રવેશ કરેછે, તે પુરૂષજ શાન્તિ પામેછે, પણ વિષયોને જે પોતે ઇચ્છે છે તેને તો શાન્તિ મળતીજ નથી. ।।૨- ૭૦।।
विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥२- ७१॥
માટે જે પુરૂષ સર્વ વિષયોને દૂરથીજ ત્યાગ કરીને નિઃસ્પૃહ થકો વિચરેછે અને નિમત્વ થઇને દેહમાંથી પણ જેને અહંભાવ ટળી જાયછે, તેજ પુરૂષ ખરી શાન્તિને અનુભવેછે. ।।૨- ૭૧।।
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२- ७२॥
હે પાર્થ ! આ મેં કહી એ બ્રાહ્મી સ્થિતિ જાણ ! આ સ્થિતિ પામીને- પામ્યા પછી કોઇ મોહમાં ફસાતો નથી. વળી આ સ્થિતિમાં અન્તકાળે પણ રહેવાય તોય બ્રહ્મનિર્વાણ-જન્મમૃત્યુથી રહિત સ્થિતિરૂપ કૈવલ્ય મુક્તિ મળે છે. (એવો આ બ્રાહ્મી સ્થિતિનો મહિમા છે.) ।।૨- ૭૨।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોઅધ્યાયઃ ।।૨।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોઅધ્યાયઃ ।।૨।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૩
ॐ
श्रीपरमात्मने नमः
अथ तृतीयोऽध्यायः
अर्जुन उवाच
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥३- १॥
અર્જુન પૂછે છે =
હે જનાર્દન-પ્રભુ ! જો તમોએ કર્મ કરતાં બુદ્ધિ એજ શ્રેષ્ઠ માની હોય, તો હે કેશવ ! આવા ઘોર યુદ્ધરૂપ કર્મને વિષે મને શા માટે પ્રેરો છો ? ।।૩- ૧।।
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥३- २॥
આવા વ્યામિશ્ર-પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા વાક્યથી આપ મારી બુદ્ધિને મોહિત કરતા હો ને શું ? એમ મને લાગે છે, માટે આપ નિશ્ચય કરીને મને એકજ વાત કહો ! કે જેથી હું મારૂં શ્રેય સાધી શકું. ।।૩- ૨।।
श्रीभगवानुवाच
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३- ३॥
શ્રી ભગવાન કહે છે = હે નિષ્પાપ- અર્જુન ! આ લોકમાં બે પ્રકારનીજ નિષ્ઠાઓ-જ્ઞાનયોગથી સાંખ્યોની-જ્ઞાનીઓની અને કર્મયોગથી યોગીઓની-કર્મયોગીઓની. એમ મેં પ્રથમથીજ કહી છે. ।।૩- ૩।।
न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥३- ४॥
વળી કર્મનો આદરજ ન કરે તેથી કાંઇ પુરૂષ નૈષ્કર્મ્યને-જ્ઞાનયોગની સિદ્ધિને પામતો નથી, તેમ કર્મ સમૂળગાં છોડી દેવાથી પણ સિદ્ધિને-મોક્ષમાર્ગની સિદ્ધિને નથીજ પામતો. ।।૩- ૪।।
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥३- ५॥
કારણ કે કોઇ પણ મનુષ્ય-પ્રાણી ક્યારેય એક ક્ષણ વાર પણ કર્મ કર્યા સિવાયનો રહેતો નથી. પ્રકૃતિના ગુણો સર્વ પ્રાણીઓ પાસે પરવશતામાં રાખીને અવિરતપણે કર્મ કરાવે છેજ. ।।૩- ૫।।
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥३- ६॥
અને જે કર્મેન્દ્રિયોનો ઉપરથી સંયમ કરીને મનથી જો વિષયોનુંજ સ્મરણ કરતો વર્તે છે, તો તે મૂઢ બુદ્ધિવાળો માણસ મિથ્યાચાર-દાંભિકજ કહેવાય છે. ।।૩- ૬।।
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥३- ७॥
પણ જે ઇન્દ્રિયોને મનથી નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મયોગનો આરંભ કરે છે. અને ફળમાં અનાસક્ત રહે છે, તો હે અર્જુન ! તે સર્વથી શ્રેષ્ઠ મનાય છે. ।।૩- ૭।।
नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥३- ८॥
માટે તારૂં જાતિ- ગુણ પ્રમાણે નિયત થયેલું અવશ્ય વિહિત કર્મ કર. કારણ કે કર્મ નહિ કરવા કરતાં કર્મ કરવું એ ઘણે દરજ્જે સારૂં છે. અને એમ જો તું કર્મ છોડી દઇશ, તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ નહિજ થઇ શકે. ।।૩- ૮।।
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥३- ९॥
યજ્ઞને માટે કરાતાં કર્મ સિવાયનાં બાકીનાં કર્મ કરવામાંજ આ સઘળો લોક કર્મથી બન્ધન પામનારો થાય છે. માટે હે કૌન્તેય ! તું ફળમાં આસક્તિ છોડી દઇને કેવળ યજ્ઞને માટેજ કર્મ કરનારો થા. ।।૩- ૯।।
सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥३- १०॥
પૂર્વે સૃષ્ટિ- સમયમાંજ બ્રહ્માએ યજ્ઞોએ સહિત પ્રજાઓને સર્જીને કહ્યું કે આ યજ્ઞ કરવાથી તમે વૃદ્ધિ પામો ! આ યજ્ઞજ તમારા ઇષ્ટ મનોરથો સિદ્ધ કરશે. ।।૩- ૧૦।।
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥३- ११॥
આ યજ્ઞથી તમે દેવોની સંભાવના કરો ! અને તે દેવો તમને સંભાવના કરીને વૃદ્ધિ પમાડે ! એમ પરસ્પર સંભાવના કરતાં તમે સર્વ પ્રજાઓ ઉત્તરોત્તર પરમ શ્રેય પામશો. ।।૩- ૧૧।।
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥३- १२॥
યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. પરંતુ તે દેવોએ આપેલા ભોગોને તેમને આપ્યા સિવાય જે ભોગવે છે તે તો ચોરજ છે. ।।૩- ૧૨।।
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥३- १३॥
યજ્ઞ કરતાં અવશેષ રહેલું અન્ન જમનારા સત્પુરૂષો સર્વ પાપથી મુકાઇ જાય છે. અને જે પાપી જનો કેવળ પોતાનેજ માટે રાંધે છે - રાંધીને ખાય છે, તે તો કેવળ પાપનુંજ ભક્ષણ કરે છે. ।।૩- ૧૩।।
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥३- १४॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥३- १५॥
ભૂત-પ્રાણીમાત્ર અન્નથીજ ઉત્પન્ન થાય છે. અન્નની ઊત્પત્તિ પર્જન્યથી થાય છે. પર્જન્ય-મેઘ યજ્ઞથી થાયછે. અને તે યજ્ઞ ક્રિયાસાધ્ય હોવાથી કર્મથીજ તેનો સર્મુંઈ્ભવ સિદ્ધિ છે. કર્મ બ્રહ્મથી- કર્તાનું શરીર અને પ્રેરક વેદ એ બન્નેથી સિદ્ધ થાય છે. અને તે બ્રહ્મ અક્ષરસ્વરૂપ પરબ્રહ્મથીજ ઉદભવેલું છે. માટે સર્વવ્યાપી પરંબ્રહ્મ નિત્ય નિરન્તર યજ્ઞમાં પ્રતિષ્ઠા પામેલુંજ છે. ।।૩- ૧૪-૧૫।।
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥३- १६॥
આમ અનાદિ કાળથી આ લોકમાં ભગવાને પ્રવર્તાવેલા ચક્રને જે માણસ નથી અનુસરતો તે પુરૂષ પાપરૂપ આયુષ્યવાળો અને ઇન્દ્રિયારામ હોવાથી હે પાર્થ ! આ લોકમાં નિષ્ફળ જીવે છે. ।।૩- ૧૬।।
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३- १७॥
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥३- १८॥
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥३- १९॥
અને જે માણસ તો આત્મસ્વરૂપમાંજ પ્રીતિવાળો હોય અને આત્માનન્દમાંજ સદાય તૃપ્ત હોય અને આત્માનન્દના લાભથીજ સદાય સન્તુષ્ટ રહેતો હોય તે પુરૂષને કાંઇ કરવાનું હોતું નથી. કેમ કે - આ લોકમાં તેને કર્મ કરવાથી કાંઇ અર્થ-પ્રયોજન નથી હોતું, તેમ - ન કરવાથી કાંઇ અનર્થ જેવું પણ નથી હોતું, તેમ તેને તો સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં કોઇ જાતનો અર્થસમ્બન્ધ પણ હોતો નથી. માટે તું પણ ફળાસક્તિથી રહિત થઇને તારે કરવા યોગ્ય કર્મ કર્યા કર ! અને એમ આસક્તિએ રહિત થકો કર્મ કરતાં કરતાં પુરૂષ પોતે પરને-આત્મસ્વરૂપને અથવા-પરમાત્મસ્વરૂપને પામે છે. ।।૩- ૧૭-૧૯।।
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३- २०॥
પૂર્વે થયેલા જનકાદિક જ્ઞાનીઓ પણ કર્મથીજ સમ્પૂર્ણપણે સિદ્ધિને પામી ગયા છે. માટે લોકસંગ્રહને પણ જોતાં-વિચારતાં તારે કર્મ કરવું એજ યોગ્ય-સારૂં છે. ।।૩- ૨૦।।
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥३- २१॥
શ્રેષ્ઠ માણસ જે જે જેવું જેવું આચરણ કરે છે, તે જોઇને બીજા સામાન્ય માણસ પણ તેજ તેવુંજ આચરણ કરે છે. અને તે શ્રેષ્ઠ માણસ જેને પ્રમાણ કરે છે, તેનેજ લોકો પણ અનુસરે છે. ।।૩- ૨૧।।
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥३- २२॥
હે પૃથાપુત્ર-અર્જુન ! મારે આ સમગ્ર ત્રિલોકીમાં કાંઇ કરવા યોગ્ય કર્મ છેજ નહિ, તેમ કાંઇ નહિ પામેલું પણ નથી, તેમ કાંઇ પામવા જેવું પણ નથી, તો પણ હું કર્મમાં વર્તુ છું જ. ।।૩- ૨૨।।
यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥३- २३॥
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥३- २४॥
જો કદાચ હું કર્મ કરવામાં સાવધાન થકો ન વર્તું, તો હે પાર્થ ? સર્વ મનુષ્યો મારા માર્ગનેજ અનુસરે. અને જો હું કર્મ ન કરૂં, તો આ સઘળા લોકો કર્મ- માર્ગથી ભ્રષ્ટ થઇ જાય અને વર્ણસંકરનો કર્તા પણ હુંજ થાઉં અને એમ થવાથી આ સર્વ પ્રજાઓને અવળે માર્ગે પ્રવર્તાવીને નાશ કરનારો હું જ થાઉં ।।૩- ૨૩-૨૪।।
सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥३- २५॥
માટે હે ભારત ! અજ્ઞાની માણસો જેમ કર્મમાં આસક્ત થઇને કર્મ કરે છે, તેમ વિદ્વાન્ જ્ઞાની જન લોકોને સનમાર્ગે દોરવાને ઇચ્છતો થકો અનાસક્ત રહીને વિહિત કર્મ કર્યા કરે. ।।૩- ૨૫।।
न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥३- २६॥
અને કર્મમાં જોડાયેલા અજ્ઞાની જનોને કર્મથી પડી જાય એવો બુદ્ધિભેદ ન ઉપજાવે, પરન્તુ પોતે સમઝુ હોઇને બુદ્ધિયોગયુક્ત થઇને સર્વ કર્મનું સમ્યક્ રીતે આચરણ કરતો થકો સર્વ લોકોને તે કર્મમાર્ગમાં પ્રીતિ ઉપજાવે. ।।૩- ૨૬।।
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥३- २७॥
तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥३- २८॥
પ્રકૃતિના સત્ત્વાદિક ગુણોને લીધેજ સર્વ કર્મો પ્રવર્તે છે એમ નહિ સમઝનારો અહંકારને લીધેજ વિમૂઢ બુદ્ધિવાળો પુરૂષ એ સર્વ કર્મનો કર્તા હુંજ છું એમ માને છે- માનીને બન્ધાય છે. । અને હે મહાબાહો ! ગુણ-કર્મના વિભાગના તત્ત્વને જાણનારો જ્ઞાની જન તો પ્રકૃતિના ગુણો સત્ત્વાદિક, ગુણોમાં-ગુણનાં પરિણામરૂપ કર્મોમાં પ્રવર્તે છે, એમ માનીને તેમાં અભિમાનથી બન્ધાતો નથી. ।।૩- ૨૭-૨૮।।
प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥३- २९॥
પ્રકૃતિના ગુણોથી સર્વથા મૂઢ બની ગયેલા માણસો ગુણથી પ્રવર્તતાં કર્મોને વિષે આસક્તિપૂર્વક જોડાય છે, તેવા કર્મનું રહસ્ય નહિ સમઝનારા, મન્દ-બુદ્ધિના માણસોને, કર્મના તત્ત્વને યથાર્થ જાણનાર જ્ઞાની જન કર્મથી ચળાયમાન ન કરે. ।।૩- ૨૯।।
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३- ३०॥
માટે તું પણ સર્વ કર્મ સર્વેશ્વર એવા મારે વિષે અર્પણ કરીને આત્મસ્વરૂપમાં સ્થિરતા પામેલા ચિત્ત વડે નિરાશી અને નિર્મમત્વ થઇને, તેમજ શોક- સન્તાપથી પણ રહિત થઇને યુદ્ધ કર ! ।।૩- ૩૦।।
ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३- ३१॥
જે મનુષ્યો આ મારા મતને નિરન્તર અનુસરીને વર્તે છે, તેમજ આ મતમાં જે શ્રદ્ધાવાળા છે અને અસૂયા નથી કરતા, તે પણ શુભ- અશુભ કર્મ-બન્ધનથી મુકાય છે. ।।૩- ૩૧।।
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३- ३२॥
અને જે મનુષ્યો તો અભ્યસૂયા કરતા થકા આ મારા મતને નથી અનુસરતા, તેમને તો સર્વ જ્ઞાનમાં વિમૂઢ ભાવને પામેલા અને વિવેકશૂન્ય હોવાથી મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થયેલા જાણવા. ।।૩- ૩૨।।
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥३- ३३॥
આત્મા-અનાત્માના વિવેકને પામેલો જ્ઞાની જન પણ પોતાની પ્રકૃતિને અનુરૂપજ આચરણ કરે છે, માટે ભૂત-પ્રાણીમાત્ર પોત-પોતાની પ્રકૃતિનેજ અનુસરે છે, માટે શાસ્ત્રકૃત નિગ્રહ શું કરશે ? ।।૩- ૩૩।।
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३- ३४॥
વિષયોમાં રાગ અને દ્વેષ વિભાગપૂર્વક વ્યવસ્થાથી રહેલાજ છે, માટે તે રાગદ્વેષના વશમાં ન સપડાવું, કારણકે - તે રાગ અને દ્વેષ એ બેજ આ પુરૂષના કટ્ટા વિરોધી છે. ।।૩- ૩૪।।
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३- ३५॥
સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં ન્યૂન ગુણવાળોય સ્વધર્મ શ્રેયને આપનારો છે. માટે સ્વધર્મમાં રહીને મરવું એ સારૂં છે, પણ પર ધર્મ તો આખરે ભય ઉપજાવનારોજ થાય છે. ।।૩- ૩૫।।
अर्जुन उवाच
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३- ३६॥
અર્જુન પૂછે છે =
હે વૃષ્ણિકુળનન્દન ! જ્ઞાનયોગમાં પ્રવર્તેલો આ પુરૂષ કોણે પ્રેર્યો થકો ઇચ્છા ન હોય તો પણ જેમ બળત્કારે પ્રેરાયેલો હોય તેમ પાપ-કર્મનું આચરણ કરે છે ? ।।૩- ૩૬।।
श्रीभगवानुवाच
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३- ३७॥
શ્રીભગવાન કહે છે =
રજોગુણમાંથી સમુદ્ભવ જેનો છે એવો એ કામ અને એજ ક્રોધ મહાભૂખાળવો અને મહાપાપરૂપ છે, માટે એનેજ આ મોક્ષમાર્ગમાં મોટો શત્રુ જાણ ! ।।૩- ૩૭।।
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥३- ३८॥
ધૂમાડાથી જેમ અગ્નિ આવરણ પામે છે, દર્પણ જેમ મેલથી મલિનતા પામેછે. અને વળી જેમ ઉલ્બથી ગર્ભ આવરણ પામેલો હોય છે, તેજ પ્રમાણે તે કામથી આ પ્રાણીમાત્ર આવરણ પામેલા છે. ।।૩- ૩૮।।
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३- ३९॥
હે કુન્તીપુત્ર-અર્જુન ! પૂરી ન શકાય એવા અને અગ્નિ જેવા અપારભક્ષી આ કામરૂપી નિરન્તરના શત્રુએ જ્ઞાનયોગમાં પ્રવર્તેલા જ્ઞાનીનું જ્ઞાન આવરી લીધેલું છે. ।।૩- ૩૯।।
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥३- ४०॥
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, એ આ કામનું અધિષ્ઠાન-આશ્રયસ્થાન છે. અને એ સાધનોથી એ કામ દેહી-જીવાત્માને જ્ઞાન આવરી લઇને મોહ પમાડે છે. ।।૩- ૪૦।।
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥३- ४१॥
માટે હે ભરતર્ષભ ! તું પ્રથમ એ ઇન્દ્રિયોને નિયમમાં-વશમાં કરીને જ્ઞાન-વિજ્ઞાનને નાશ કરનારા એ મહાપાપરૂપ કામને સમૂળગો નાશ કરી નાખ ! ।।૩- ૪૧।।
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥३- ४२॥
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥३- ४३॥
(જ્ઞાનમાં વિરોધીઓમાં પણ એજ પ્રધાન છે એમ કહી બતાવે છે-) શરીરની અપેક્ષાએ ઇન્દ્રિયો પ્રધાન છે, ઇન્દ્રિયો કરતાં મન પ્રધાન છે. અને મન કરતાં તો બુદ્ધિ પ્રધાન છે. અને જે કામ છે તે તો સર્વથી પર જે બુદ્ધિ તે કરતાંય પર-પ્રધાન છે. માટે હે મહાબાહો ! એ પ્રમાણે એ કામને બુદ્ધિથી પણ પરબળવાન જાણીને પોતાના મનને બુદ્ધિરૂપી અંકુશથી દબાવીને એ કામરૂપી દુરાસદ શત્રુને સમૂળગોજ નાશ કરી નાખ ! ।।૪૨-૪૩।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः ॥ ३ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ ।।૩।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ ।।૩।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૪
ॐ
श्रीपरमात्मने नमः
अथ चतुर्थोऽध्यायः
श्रीभगवानुवाच
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥४-१॥
શ્રી ભગવાન કહે છે =
કયારેય પણ ક્ષય નહિ પામનારો આ અવિનાશી કર્મયોગનો માર્ગ મેં પૂર્વે સૂર્યદેવને કહ્યો હતો, તે પછી સૂર્યદેવે પોતાના પુત્ર મનુને કહ્યો હતો. અને એ મનુએ સ્વપુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો. ।।૪- ૧।।
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥४-२॥
આમ પરમ્પરાથી પ્રાપ્ત થતા આ કર્મયોગને પૂર્વેના સઘળા રાજર્ષિઓ જાણતા હતા, પરન્તુ ઘણા લાંબા કાળે કરીને તે કર્મયોગનો માર્ગ હે શત્રુતાપન ? અર્જુન આ લોકમાં નષ્ટપ્રાય થઇ ગયો છે. ।।૪- ૨।।
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥४-३॥
તે જ આ પુરાતન કર્મયોગનો માર્ગ મેં તને આજ હમણાં કહી બતાવ્યો, કારણ કે તું મારો પરમ ભક્ત અને વળી મારો પ્રિય સખા છે, માટે આ અતિ ઉત્તમ રહસ્યરૂપ કર્મયોગ મેં તને કહ્યો છે એમ જાણ ।।૪- ૩।।
अर्जुन उवाच
अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४-४॥
અર્જુન પૂછે છે =
આપનો જન્મ હમણાં વર્તમાન કાળમાં છે અને વિવસ્વાનનો-સૂર્યદેવનો જન્મ તો પૂર્વે થયો હતો. તો એ હું કેમ સમઝી શકું કે આપેજ પૂર્વે એ કર્મયોગ કહ્યો હતો ?. ।।૪- ૪।।
श्रीभगवानुवाच
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥४-५॥
શ્રી ભગવાન કહે છે =
હે અર્જુન ! મારાં અને તારાં ઘણાંક જન્મ વીતી ગયાં છે, તે સઘળાં જન્મને હું જાણું છું, પણ હે પરન્તપ ! તું નથી જાણતો. ।।૪- ૫।।
अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥४-६॥
કમે કે - હું તો કર્માર્ધધીન જન્મથી રહિત, સ્વરૂપ અને સ્વભાવથી પણ વ્યયરહિત- અવિનાશીસ્વરૂપ ભૂત-પ્રાણીમાત્રનો નિયામક હોવા છતાં પણ મારા પરમ વાત્સલ્યાદિક અસાધારણ સ્વભાવને અનુસરીને મારી પોતાની ઇચ્છાથીજ પ્રગટ થાઉં છું. ।।૪- ૬।।
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
અને એ રીતે જ્યારે જ્યારે મેં પ્રવર્તાવેલા એકાન્તિક ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની ચઢતી-પ્રબળતા થાય છે, ત્યારે હું મારા સ્વરૂપને સર્જુ છું--આવિર્ભાવ પામું છું. ।।૪- ૭।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
અને મારા ભક્ત એવા સાધુજનોના પરિત્રાણ-રક્ષણ માટે અને તેમના દ્રોહી દુષ્કર્મી અસુરોના વિનાશ માટે તથા એકાન્તિક ધર્મના સમ્યક્-સ્થાપન માટે હું યુગો યુગ અવતાર લઉં છું. ।।૪- ૮।।
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥४-९॥
આ મારાં જન્મ અને કર્મ તેને દિવ્ય છે એમ જે તાત્ત્વિક ભાવથી જાણેછે. તો તે પણ પોતાના શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ નથી પામતો, પણ હે અર્જુન ! મનેજ પામે છે. ।।૪- ૯।।
वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥४-१०॥
રાગ, ભય અને ક્રોધ વિગેરે વિકારોથી રહિત થયેલા, મારામાં અનન્ય ભાવથી એકચિત્ત થયેલા અને મનેજ આશરેલા એવા ઘણાક પુરૂષો મારા સ્વરૂપના પરમજ્ઞાનરૂપ તપથી પવિત્ર થઇને મારા સ્વરૂપને પામેલા છે. ।।૪- ૧૦।।
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥४-११॥
હે પાર્થ ! જે મનુષ્યો મને જેવા જેવા ભાવથી ભજે છે, તેઓને હું પણ તેમજ ભજું છું--ફળદાનદ્વારા અનુકૂળ થાઉં છું, અને આખરે એ સર્વ મનુષ્યો મારા માર્ગનેજ અનુસરે છે-મુક્તિમાર્ગમાં આવે છે. ।।૪- ૧૧।।
काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥४-१२॥
કરેલાં કર્મની ફળસિદ્ધિને ઇચ્છતા થકા આ લોકમાં જે મનુષ્યો દેવતાઓનું યજન-પૂજન કરે છે, તો તેમને આ માનુષ લોકમાં કર્મથી થનારી ફળસિદ્ધિ વહેલી પ્રાપ્ત થાય છે. ।।૪- ૧૨।।
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥४-१३॥
ગુણ-કર્મના વિભાગ પ્રમાણે બ્રાહ્મણાદિક ચારેય વર્ણો મેં રચ્યા છે. માટે તેનો કર્તા પણ મને જાણ ! અને કર્તા છતાં અકર્તા અવિકારી પણ મનેજ જાણ ! ।।૪- ૧૩।।
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥४-१४॥
કેમ કે મને કર્મો લેપ-આવરણ કરી શક્તાં નથી, તેમ મને કર્મના ફળમાં સ્પૃહા પણ નથી. વળી-આમ મને જે જાણે છે તે પણ કર્મથી બન્ધાતો નથી. ।।૪- ૧૪।।
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥४-१५॥
પૂર્વે થયેલા મુમુક્ષુઓએ પણ એમ જાણી-સમઝીને કર્મ કરેલાં છે, માટે તું પણ પૂર્વ કાળના પુરૂષોએ પરા-પૂર્વથી કરેલાં કર્મજ કર્યા કર ! ।।૪- ૧૫।।
किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥४-१६॥
કર્મ શું ? અને અકર્મ શું ? એ બાબતમાં મોટા મોટા કવિ-જ્ઞાનીઓ પણ મોહ પામી જાય છે. તો તે કર્મ હું તને કહી સમઝાવીશ, કે જે જાણ્યા-સમઝયા પછી કર્મના અશુભ બન્ધનથી તું મુકાઇ જઇશ. ।।૪- ૧૬।।
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥४-१७॥
કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. અને વિકર્મની એટલે વેદોક્ત વિવિધ કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. તેમજ અકર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. કેમ કે કર્મની બાબત અતિ ગહન-વિચિત્ર ગુંચવણોથી ભરેલી છે. ।।૪- ૧૭।।
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥४-१८॥
માટે કર્મમાં અકર્મ જે જુએ છે, અને અકર્મમાં કર્મ જે જુએ છે, તો તે જોનારો પુરૂષ સર્વ મનુષ્યોમાં બહુ બુદ્ધિમાન છે. અને તેજ યુક્ત-કર્મયોગયુક્ત છે. અને એજ સમગ્ર સત્કર્મ કરનારો છે. ।।૪- ૧૮।।
यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥४-१९॥
જે પુરૂષના સર્વ સમારંભો કામ-ઇચ્છા અને સંકલ્પે રહિત હોય છે. અને જેણે જ્ઞાનરૂપ અગ્નિથી સર્વ કર્મ ભસ્મસાત્ કરેલાં છે, તેવા જ્ઞાનસિદ્ધિ પામેલા કર્મયોગીને જ્ઞાનીજનો પંડિત એમ કહે છે. ।।૪- ૧૯।।
त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥४-२०॥
વળી કર્મફળમાં આસક્તિ છોડી દઇને સદાય સન્તુષ્ટ રહેનારો. અને સર્વાધાર પ્રભુ સિવાય બીજા કોઇમાં આશ્રય બુદ્ધિ નહિ રાખનારો એવો જ્ઞાની જન કર્મમાં પૂરે પૂરો પ્રવર્તેલો હોય તો પણ તે કાંઇ કરતોજ નથી એમ જાણવું. ।।૪- ૨૦।।
निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४-२१॥
ફળની ઇચ્છા વિનાનો, જેનું ચિત્ત આત્મસ્વરૂપમાંજ નિયત-સ્થિર કરેલું છે, અને સર્વ પરિગ્રહ-સંગ્રહની ઉપાધિ જેણે છોડી દીધી છે, એવો પુરૂષ કેવળ શરીરથીજ થતું કર્મ કરતો સતો પણ કોઇ પ્રકારના દોષને નથી પામતો. ।।૪- ૨૧।।
यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥४-२२॥
દૈવ ઇચ્છાથી પ્રાપ્ત થતા લાભથી સદાય સન્તુષ્ટ રહેનારો, શોક-મોહાદિક દ્વન્દ્વને દબાવીને વર્તનારો, મત્સરે રહિત અને સિદ્ધિઅસિદ્ધિમાં પણ સમ ભાવ રાખનારો, આવો પુરૂષ કર્મ કરીને પણ બન્ધાતો નથી. ।।૪- ૨૨।।
गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥४-२३॥
આસક્તિએ રહિત, ફળેચ્છામાં મુક્ત ભાવે વર્તનારો, જ્ઞાનથી સ્થિરચિત્ત બનેલો અને યજ્ઞને-ભગવદારાધનને માટે કર્મ કરનારો, એવા પુરૂષનું સમગ્ર કર્મ વિલીન ભાવને પામી જાય છે. ।।૪- ૨૩।।
ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥४-२४॥
અર્પણ કરવાનું સાધન તે પણ બ્રહ્મ, હોમવાનું દ્રવ્ય તે પણ બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્માત્મક જ્ઞાનીએ હોમ્યું, એ રીતે સર્વમાં બ્રહ્મદૃષ્ટિ રાખવાથી સર્વ કર્મ બ્રહ્મમાંજ અર્પણ કરનાર પુરૂષે બ્રહ્મ-પરબ્રહ્મજ પામવા યોગ્ય છે. ।।૪- ૨૪।।
दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥४-२५॥
બીજા કેટલાક કર્મયોગીઓ દેવસમ્બન્ધીજ યજ્ઞનું પર્યુપાસન કરે છે. બીજા કેટલાક બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞસ્વરૂપ ભગવાનનું યજ્ઞથીજ હોમાર્ચનરૂપ ઊપાસન કરે છે. ।।૪- ૨૫।।
श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥४-२६॥
બીજા વળી શ્રોત્રાદિક ઇન્દ્રિયોને સંયમરૂપ અગ્નિમાં હોમે છે, બીજા કેટલાક શબ્દાદિક વિષયોને ઇન્દ્રિયોરૂપ અગ્નિમાં હોમે છે. ।।૪- ૨૬।।
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥४- २७॥
વળી બીજા કેટલાક જ્ઞાનથી સુપ્રકાશિત મનઃસંયમરૂપ યોગાગ્નિમાં સર્વ ઇન્દ્રિયકર્મો અને પ્રાણકર્મો પણ હોમે છે-મનઃસંયમદ્વારા સ્વવશમાં રાખે છે. ।।૪- ૨૭।।
द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे ।
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥४-२८॥
તીક્ષ્ણ વ્રતધારી સંયમશીલ યતિ-પુરૂષો કોઇક દ્રવ્યયજ્ઞ, કોઇક તપોયજ્ઞ, તથા કોઇક યોગયજ્ઞ, કોઇક સ્વાધ્યાયયજ્ઞ અને કોઇક જ્ઞાનયજ્ઞ કરનારા હોય છે. ।।૪- ૨૮।।
अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥४-२९॥
કેટલાક પ્રાણને અપાનમાં હોમે છે, તથા બીજા કેટલાક અપાનને પ્રાણમાં હોમે છે. અને કેટલાક પ્રાણઅપાનની ગતિ રોકીને પ્રાણાયામપરાયણ વર્તનારા હોય છે. ।।૪- ૨૯।।
अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥४-३०॥
વળી-બીજા કેટલાક નિયત-મિત આહારવાળા હોઇને પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ ઉપર કહ્યા એ સર્વે પણ યજ્ઞસ્વરૂપને જાણનારા સમઝનારા છે. અને યજ્ઞથીજ ક્ષીણ થઇ ગયાં છે પાપ જેમનાં એવા છે. ।।૪- ૩૦।।
यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥४-३१॥
યજ્ઞનું શેષભૂત અમૃત જમનારા સનાતન બ્રહ્મને-સાક્ષાત્ પરબ્રહ્મને પામે છે. અને યજ્ઞ નહિ કરનારાને હે કુરૂસત્તમ ! આ લોકનુંજ સુખ નથી તો પરલોકનું-જન્માન્તરનું સુખ તો હોયજ કયાંથી ? ।।૪- ૩૧।।
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥४-३२॥
આવા બહુપ્રકારના યજ્ઞો વેદના મુખમાં-વેદદ્વારા વિસ્તાર પામેલા છે. તે સર્વ યજ્ઞો કર્મથીજ સિદ્ધ થાય છે એમ તું જાણ ! અને એમ જાણીને-જાણવાથી તું સંસારના કર્મબન્ધનથી મુકાઇ જઇશ. ।।૪- ૩૨।।
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥४-३३॥
અને હે પરન્તપ ! દ્રવ્યથી સિદ્ધ થતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ અતિ શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ ! સઘળું કર્મ સર્વ પ્રકારે જ્ઞામમાંજ પરિસમાપ્ત થઇ જાય છે. ।।૪- ૩૩।।
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥४-३४॥
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥
તત્ત્વદર્શી જ્ઞાની જનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. અને તે તું પ્રણિપાત કરીને અનુક્રમે યથાસમય પ્રશ્ન પૂછવાથી અને તે મહાપુરૂષોની સેવા-શુશ્રૂષા કરવાથી જાણજે. કે જે જ્ઞાનને જાણી સમઝીને હે પાંડુપુત્ર-અર્જુન ! તું ફરીથી આવો મોહ નહિ પામે. અને વળી-જે જ્ઞાનના પ્રભાવથી સર્વ ભૂતોને સમગ્રપણે આત્મસ્વરૂપમાં જોઇશ અને તે પછી તે બધુંય તું મારામાં જોઇશ. ।।૪- ૩૪-૩૫।।
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥४-३६॥
સર્વ પાપ કરનારાઓ કરતાં પણ જો તું અધિક પાપ કરનારો હોઇશ, તો પણ તે સર્વ પાપરૂપ સમુદ્રને જ્ઞાનરૂપ નૌકાથી તું સુખેથી તરી જઇશ. ।।૪- ૩૬।।
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥४-३७॥
હે અર્જુન ! સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ જેમ કાષ્ટોને બાળીને ભસ્મ રૂપ કરી દેછે, તેજ પ્રમાણે સુદૃઢ થયેલો જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મજાળને બાળીને ભસ્મસાત્ કરી દે છે. ।।૪- ૩૭।।
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥४-३८॥
આ લોકમાં જ્ઞાનને તુલ્ય બીજું કોઇ પદાર્થ પવિત્ર છેજ નહિ, અને તે વાત કાળે કરીને યોગથી સંસિદ્ધ થયેલો પુરૂષ આત્મસ્વરૂપમાં પોતાની મેળેજ જાણે છે. ।।૪- ૩૮।।
श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥
સારી પેઠે નિયમમાં રાખ્યાં છે ઇન્દ્રિયો જેણે અને શ્રદ્ધાવાન્ થઇને તત્પર થકો વર્તનારોજ પુરૂષ આ જ્ઞાનને પામે છે. અને એવા જ્ઞાનને પામીને થોડાજ સમયમાં પરમ-સર્વોત્કૃષ્ટ શાન્તિને પામે છે. ।।૪- ૩૯।।
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥
આવા જ્ઞાન સિવાયનો, ગુરૂ અને શાસ્ત્રવાક્યમાં શ્રદ્ધા વિનાનો અને તેથીજ સંશયે યુક્ત મનવાળો પુરૂષ નાશ પામે છે. અને સંશયે યુક્ત મનવાળા પુરૂષને આ લોકેય નથી અને પરલોકેય નથી, તેમ તેને કયાંઇ સુખ પણ નથીજ. ।।૪- ૪૦।।
योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥
યોગથી-કર્મયોગથી પરમેશ્વરમાં જેણે પોતાનાં સઘળાં કર્મ અર્પણ કરેલાં છે અને તત્ત્વજ્ઞાનથી સમૂળ છેદાઇ ગયેલા છે સંશયો જેના એવા આત્મજ્ઞાનીને હે ધનંજ્ય? કર્મ બન્ધન કરતાં નથી. ।।૪- ૪૧।।
तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥
માટે હે ભારત ! અજ્ઞાનથીજ સમુદ્ભવ પામેલા મનમાં રહેલા એ સંશયને જ્ઞાનરૂપ તલવારથી તું તારી પોતાની મેળેજ છેદી નાખીને કર્મયોગનો આશ્રય કર ! અને યુદ્ધ માટે ઉઠ-તૈયાર થઇ જા ! ।।૪- ૪૨।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મસંન્યાસયોગો નામ ચતુર્થોઽધ્યાયઃ ।।૪।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૫
ॐ
श्रीपरमात्मने नमः
अथ पञ्चमोऽध्यायः
अर्जुन उवाच
संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥५- १॥
અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! એક વાર કર્મનો સમૂળગો ત્યાગ કરવાનું કહો છો, વળી-ફરીથી પાછા કર્મ કરવાંજ એમ કર્મયોગ પણ કહો છો. તો એ બેમાંથી જે શ્રેષ્ઠ માર્ગ હોય તે મને સુનિશ્ચિતપણે કહો ! ।।૫- ૧।।
श्रीभगवानुवाच
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥५- २॥
શ્રી ભગવાન કહે છે =
કર્મસંન્યાસ અને કર્મયોગ એ બન્નેય નિશ્ચિતપણે શ્રેયનેજ કરનારા છે, તો પણ તે બેમાંથી કર્મસંન્યાસ કરતાંય કર્મયોગ વિશેષપણે ચઢીયાતો છે. ।।૫- ૨।।
ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥५- ३॥
જે કશાયનો દ્વેષ નથી કરતો તેમ કશાયની ઇચ્છા પણ નથી કરતો, તે પુરૂષજ નિત્યસંન્યાસી છે એમ તેને જાણવો. અને હે મહાબાહો ! અર્જુન ! શોક-મોહદિક દ્વન્દ્વોથી રહિત થયેલોજ આ સંસારના બન્ધનથી સુખેથી-સહેલાઇથી મુકાઇ જાય છે. ।।૫- ૩।।
सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥५- ४॥
વળી સાંખ્ય-માર્ગ અને યોગ-માર્ગ એ બન્ને જૂદા છે એમ તો મૂર્ખાઓજ કહે છે, પણ કાંઇ પંડિતો એમ કહેતા નથી, કેમ કે – એ બેમાંથી એકને પણ સારી રીતે આશરેલો માણસ બન્નેના ફળને પામે છે. ।।૫- ૪।।
यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स: पश्यति ॥५- ५॥
જે સ્થાન સાંખ્ય - માર્ગીઓ સાંખ્યથી પામે છે, તેજ સ્થાન કર્મયોગીઓ યોગથી પણ પામે છે. માટે એ રીતે સાખ્ય અને યોગ એ બન્નેને જે એકરૂપેજ જુએ છે તેણેજ ખરૂં તત્ત્વ જોયું એમ કહેવાય. અર્થાત્ તેનુંજ સમઝવું ખરૂં છે. ।।૫- ૫।।
संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥५- ६॥
હે મહાબાહો ! સંન્યાસ તો કર્મયોગ સિવાય ઘણા કલેશથી પણ પામવો અશક્ય છે. અને કર્મયોગ કરનારો મનનશીલ ઉપાસક પુરૂષ બ્રહ્મને બહુજ ઝડપથી અલ્પ સમયમાં પામે છે-પહોંચી જાય છે. ।।૫- ૬।।
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥५- ७॥
જે કર્મયોગમાં જોડાયેલો છે, પોતાનું મન અને ઇન્દ્રિયો પણ જેણે સર્વથા જીતેલાં છે અને સર્વ ભૂત-પ્રાણીમાત્રના આત્મા-અન્તર્યામી પરમાત્મા તેજ પોતાના આત્મા-અન્તર્યામી છે એમ જે અનુભવે છે. તે પુરૂષ કર્મ કરવા છતાં પણ લેપાતો-બન્ધાતો નથી. ।।૫- ૭।।
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन् ॥५- ८॥
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥५- ९॥
કર્મયોગી તત્ત્વવેત્તા પુરૂષે ‘હું કાંઇ કરતોજ નથી,’ એમ માનવુંસમ ઝવું. અને પોતે જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂંઘતાં, ખાતાં, ચાલતાં, ઉંધતાં, શ્વાસ લેતાં અને મુકતાં, બોલતાં, મળમૂત્રાદિકનો ઉત્સર્ગ કરતાં, ગ્રહણ કરતાં, નેત્ર ઉઘાડતાં અને મીંચતાં પણ, ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોમાં આપો-આપજ પ્રવર્તે છે એમ ધારીને સદાય અસંગપણે રહેવું. ।।૫- ૮-૯।।
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥५- १०॥
જે પુરૂષ સર્વ કર્મો બ્રહ્મમાં અર્પણ કરીને ફળાસક્તિ છોડી દઇને કર્યા કરે છે, તો તે પુરૂષ જેમ જળથી કમળપત્ર અલગ રહે છે, તેમ પાપ-પુણ્યરૂપ કર્મથી પોતે લેપાતો નથી. ।।૫- ૧૦।।
कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।
योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥५- ११॥
માટેજ કર્મયોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અને એકલી ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિને માટે ફળાસક્તિ તથા અભિમાન છોડી દઇને કર્મ કર્યા કરે છે. ।।૫- ૧૧।।
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥५- १२॥
કર્મયોગી જ્ઞાની પુરૂષ કર્મફળને છોડી દઇને નૈષ્ઠિકી-શાશ્વત શાન્તિને પામે છે. અને અયુક્ત-અણસમઝુ છે તે તો વાસનાયોગે કરીને પ્રેરાયો થકો ફળમાં આસક્ત થઇને બંધાઇ જાય છે. ।।૫- ૧૨।।
सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥५- १३॥
વશેન્દ્રિય પુરૂષ સર્વ કર્મનો મનથી સંન્યાસ-ત્યાગ કરીને નાકકાન વિગેરે નવ દ્વારવાળા આ કાયાનગરમાં કાંઇ પણ નહિ કરતો, કે નહિ કાંઇ કરાવતો-પ્રેરતો થકો આનન્દથી વર્તે છે. ।।૫- ૧૩।।
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५- १४॥
જીતેન્દ્રિય સમર્થ યોગી પુરૂષ લોકનું દેવમનુષ્યાદિકરૂપે ઉત્પન્ન થનારા જીવલોકનું કર્તૃત્વ અને કર્મ તેને નથી સર્જતો, તેમજ કર્મફળના સંયોગને પણ નથી સર્જતો, પણ સ્વભાવ-જે પ્રકૃતિ તેનાથીજ આ બધું પ્રવર્તે છે. ।।૫- ૧૪।।
नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥५- १५॥
અને આત્મા તો વિભુ છે, માટે દેવ-મનુષ્યાદિક કોઇ પણ શરીરકૃત પાપ કે પુણ્યને ગ્રહણ કરતોજ નથી. અને પરમાત્મ-સ્વરૂપને નહિ જાણવું એ રૂપ અજ્ઞાનથી આત્માનું ધર્મભૂત જ્ઞાન આવરઇ ગયેલું હોવાથીજ પ્રાણીઓ આ સંસૃતિમાં મોહથી ફસાયા કરે છે. ।।૫- ૧૫।।
ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥५- १६॥
જ્યારે એ પરમાત્મસ્વરૂપના જ્ઞાને કરીને જેમનું તે અનાદિ અજ્ઞાન નાશ કરી નાખ્યું છે, તેમનેજ તે આત્મસ્વરૂપનું જ્ઞાન અને પરમાત્મસ્વરૂપનું પરમ જ્ઞાન સૂર્યની માફક પ્રકાશે છે. ।।૫- ૧૬।।
तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥५- १७॥
તે પરમાત્મસ્વરૂપમાં જેમની બુદ્ધિ અને મન સ્થિર થયેલાં છે, તેમાંજ જે દૃઢ નિષ્ઠાવાળા છે અને તત્પરાયણ-તદેકપર વર્તનારા છે. તો તેવા ઉપાસનરૂપ જ્ઞાનથી જેમનાં કલ્મષ સમૂળ નાશ પામી ગયાં છે તે પુરૂષોજ પુનરાવૃત્તિવર્જીત પરમ ધામને પામે છે. ।।૫- ૧૭।।
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥५- १८॥
અને તેવા પંડિતો-જ્ઞાની ભકતો વિદ્યા અને વિનયાદિકથી સમ્પન્ન, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વપાક જાતિના માણસમાં પણ સમદૃષ્ટિવાળાજ હોય છે. ।।૫- ૧૮।।
इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः ।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥५- १९॥
જેમનું મન આવા સમ-ભાવમાં સ્થિર થયેલું છે તેઓએ તો આ જન્મમાંજ માયાનો સર્ગ જીતી લાધો છે. કારણ કે બ્રહ્મ-પરબ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તે સમદૃષ્ટિવાળા બ્રહ્મમાંજ સ્થિત વર્તે છે. ।।૫- ૧૯।।
न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् ।
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥५- २०॥
મનગમતી પ્રિય વસ્તુ પામીને નથી હર્ષ પામતો, કે અપ્રિયઅણગમતી વસ્તુ પામીને નથી ઉદ્વેગ પામતો, આવો સ્થિર બુદ્ધિવાળો અસમ્મૂઢ બ્રહ્મવિદ પુરૂષ પરબ્રહ્મમાં સ્થિર છે. એમ જાણવું. ।।૫- ૨૦।।
बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥५- २१॥
બાહ્ય વિષયોના સ્પર્શમાં-સુખાસ્વાદમાં આસક્તિએ રહિત મનવાળો જે પુરૂષ આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મસ્વરૂપના સુખનો અનુભવ કરે છે, તે પુરૂષજ બ્રહ્મસ્વરૂપમાં યોગયુક્ત-સ્થિર મન કરવાથી અક્ષય સુખને પામે છે. ।।૫- ૨૧।।
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥५- २२॥
વિષયોના સંસર્ગજન્ય જે ભોગવિલાસ છે, તે ખરેખર દુ:ખનાજ કારણભૂત છે. અને તે પણ આદિ-અન્તવાળા હોવાથી હે કૌન્તેય ! ડાહ્યા-બુદ્ધિમાન મનુષ્યો તેમાં રમતા નથી. ।।૫- ૨૨।।
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥५- २३॥
જે પુરૂષ આ જન્મમાંજ શરીર છૂટતા પહેલાં કામ-ક્રોધાદિકના વેગને સહન કરવા શક્તિમાન થાય છે, તે પુરૂષજ મોક્ષને લાયક છે. અને એજ પરમ સુખી છે. ।।૫- ૨૩।।
योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥५- २४॥
જે અન્તરાત્મામાંજ સુખી છે, અન્તરાત્મામાંજ આરામ કરનારો છે તથા જેને અન્તરમાં સ્વ-પરસ્વરૂપનો પ્રકાશ થયેલો છે, તે બ્રહ્મરૂપ થયેલો યોગી બ્રહ્મનિર્વાણને પામે છે. ।।૫- ૨૪।।
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥५- २५॥
જેઓનાં પાપ સર્વથા ક્ષીણ-નષ્ટપ્રાય થઇ ગયાં છે. શોક-મોહાદિક તથા સ્વ-પરનો ભેદભાવ જેમને છેદાઇ ગયો છે, જેમનું મન સર્વથા નિયમમાં રહેલું છે. અને જેઓ સર્વ ભૂત-પ્રાણીમાત્રના હિતમાંજ તત્પર થઇને જોડાયેલા છે, તેવા આત્મદર્શી પુરૂષોજ બ્રહ્મનિર્વાણબ્રહ્મસાક્ષાત્કારજન્ય પરમ શાન્તિને પામે છે. ।।૫- ૨૫।।
कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥५- २६॥
તેમજ કામ ક્રોધાદિકથી રહિત થયેલા, જેમનું ચિત્ત પણ સુસંયત છે અને આત્મતત્ત્વ પણ જેમણે જાણી લીધું છે. એવા પ્રયત્નશીલ પુરૂષોનેજ બ્રહ્મનિર્વાણ સર્વ પ્રકારે સદાય સમીપમાંજ વર્તે છે. ।।૫- ૨૬।।
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥५- २७॥
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः ।
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥५- २८॥
બહારના વિષયોને બહાર-દૂર કરીને, દૃષ્ટિ ભ્રકુટિના મધ્ય-ભાગમાંજ રાખીને, નાસિકામાર્ગે ગમન કરતા પ્રાણ-અપાન વાયુને સમાન ગતિવાળા કરીને, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયમમાં રાખીને જે ઇચ્છા, ભય અને ક્રોધાદિક વિકારથી રહિત થઇને મોક્ષપરાયણ વર્તનારો મુનિ છે, તે સદાય દેહદશામાં પણ મુક્તજ-મુક્તપ્રાયજ છે. ।।૫- ૨૭-૨૮।।
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥५- २९॥
યજ્ઞ અને તપ વિગેરેનાં ફળને ભોગવનાર, સર્વ લોકનો મહેશ્વર-પરમ નિયામક અને સર્વભૂત-પ્રાણીમાત્રનો પરમ સુહ્રદ એવો જે હું તે મને જાણીને ઉપાસીને પરમ શાશ્વત શાન્તિને પામે છે. ।।૫- ૨૯।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मसंन्यासयोगो नाम पञ्चमोऽध्यायः ॥ ५ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સંન્યાસયોગો નામ પંચમોઽધ્યાયઃ ।।૫।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૬
ॐ
श्रीपरमात्मने नमः
अथ षष्ठोऽध्यायः
श्रीभगवानुवाच
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६- १॥
શ્રી ભગવાન કહે છે =
કર્મફળનો આશ્રય-ઉદેશ નહિ રાખતાં શાસ્ત્રવિહિત કરવા યોગ્ય કર્મને જે કર્યા કરે છે, તેજ ખરો સંન્યાસી અને તેજ ખરો યોગી છે. પણ અગ્નિહોત્રાદિક કર્મ છોડી દેનાર, અગર ક્રિયામાત્ર છોડી દેનાર, સંન્યાસી કે યોગી કહેવાતોજ નથી ।।૬- ૧।।
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६- २॥
હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે, તેને જ યોગ એમ જાણ ! અને સંકલ્પમાત્રનો સમૂળગો ત્યાગ કર્યા સિવાય કોઇ પણ યોગી એટલે કર્મયોગી થઇ શકતો નથી. ।।૬- ૨।।
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥६- ३॥
યોગમાર્ગમાં વધવાને માટે ઇચ્છતા મુનિને કર્મયોગ એજ કારણ છે. અને યોગારૂઢ-યોગસિદ્ધ થયેલા તેજ યોગીને તેમાં શમ એ કારણ છે. ।।૬- ૩।।
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६- ४॥
જ્યારે ઇન્દ્રિયોના અર્થોમાં-વિષયોમાં તેમજ તે વિષયોનાં સાધનભૂત કર્મોમાં, નથી જોડાતો, અને સર્વ સંકલ્પોનો સમૂળગો ત્યાગ કરી દેછે. ત્યારે તે યોગારૂઢ એમ કહેવાય છે. ।।૬- ૪।।
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६- ५॥
મનુષ્ય વિવેકે યુક્ત જીતેલા મનથી આત્માનો ઉદ્ધાર કરે, પણ આત્માનો અધઃપાત ન થવા દે. કારણ કે જીતેલું મન જ આત્માનો બન્ધુ-હિતકારક છે, અને નહિ વશ કરેલું મન જ આત્માનો-પોતાનો શત્રુ છે. ।।૬- ૫।।
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६- ६॥
જેણે પોતાની વિવેકવાળી બુદ્ધિથી પોતાનું મન જીત્યું છે તે આત્માનો બન્ધુ તે જીતેલું મન જ છે. અને જેને પોતાનું મન વશમાં નથી તેને તો તે મન જ અધઃપાત કરનારૂં શત્રુની માફક વર્તે છે. ।।૬- ૬।।
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६- ७॥
જેણે પોતાનું મન જીત્યું છે અને જે સર્વથા શાન્ત થયેલો છે. તે પુરૂષને શીત-ઉષ્ણ, સુખ દુ:ખ, તથા માન-અપમાન, એ સર્વ સમયમાં પોતાનો શ્રેષ્ઠ-શુદ્ધ આત્મા સમાધાન પામેલો સ્થિરભાવે વર્તે છે. ।।૬- ૭।।
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६- ८॥
જ્ઞાન-વિજ્ઞાનથી સદાય તૃપ્ત-સંતુષ્ટ આત્મા જેનો છે. અને તેથીજ કૂટસ્થ-નિર્વિકાર અને સર્વથા જીત્યાં છે ઇન્દ્રિયો જેણે અને તેથીજ કચરો, પાષાણ અને કનકમાં પણ જેને સમભાવ વર્તે છે, તેજ ખરો યોગ્યતાવાળો યોગી કહેવાય છે.।।૬- ૮।।
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६- ९॥
સુહ્રદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ કરવા યોગ્ય જનોમાં, બન્ધુ જનોમાં, અને સાધુ જનોમાં, તેમજ પાપી જનોમાં પણ, સમાન બુદ્ધિ રાખનારોજ વિશેષ-શ્રેષ્ઠ મનાય છે. ।।૬- ૯।।
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६- १०॥
યોગ સાધનાર યોગીજન એકાન્ત સ્થાનમાં એકલા રહીને, ચિત્ત અને આત્મા-અન્તઃકરણને નિયમમાં રાખીને, સઘળી ઇચ્છાઓ છોડી દઇને અપરિગ્રહ રહીને આત્માને પરમાત્મસ્વરૂપમાં અખંડ જોડે-સંલગ્ન કરે. ।।૬- ૧૦।।
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६- ११॥
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥६- १२॥
બહુ ઉંચું નહિ તેમ બહુ નીચું પણ નહિ એવું દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર, તે એક બીજાની ઉપર રાખીને, તેવું પોતાનું સ્થિર આસન પવિત્ર જગ્યામાં સ્થાપન કરીને. તે આસન ઉપર બેસીને મનને પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારને કાબુમાં કરીને આત્મસ્વરૂપની વિશુદ્ધિ માટે યોગાભ્યાસ કરે. ।।૬- ૧૧-૧૨।।
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥६- १३॥
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥६- १४॥
શરીરનો મધ્ય ભાગ, મસ્તક અને ગ્રીવા એ અંગોને સીધાં, સરખાં અને નિશ્ચળ રાખીને, પોતે સ્થિર થઇને, આસ-પાસ દિશાઓ પણ નહિ જોતાં પોતાની નાસિકાના અગ્ર-સામુંજ જોઇ રહીને. ।
અને પોતાના મનને સર્વથા શાન્ત રાખીને, ટળી ગયો છે ભય જેને, બ્રહ્મચારી ધર્મમાં દૃઢ રહીને, મનનો સંયમ કરીને, મારામાંજ ચિત્ત રાખીને, મત્પરાયણ થઇને, સાવધાન થકો યોગાભ્યાસ કરવા બેસે-વર્તે. ।।૬- ૧૩-૧૪।।
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥६- १५॥
આ પ્રમાણે પોતાનો યોગાભ્યાસ સદાય કર્યા કરનારો યોગી પોતાના મનને વશમાં કરીને નિર્વાણપ્રધાન એવી મારા સ્વરૂપમાં રહેલી પરમ શાન્તિ પામે છે. ।।૬- ૧૫।।
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६- १६॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६- १७॥
આ યોગ બહુ ખાનારને સિદ્ધ થતો નથી, તેમજ મુદૃલ નહિ ખાનારને પણ નથી થતો. હે અર્જુન અતિ ઉંઘવાના સ્વભાવાળાને પણ નહિ, તેમ સર્વથા જાગનારને પણ નહિજ. ।
પણ આહાર-વિહાર યોગ્ય-પ્રમાણસર કરનારને, તથા ક્રિયાઓ પણ યોગ્ય પ્રમાણમાંજ કરનારને, તેમજ ઉંઘવું અને જાગવું તે પણ જેનું યોગ્ય નિયમસરજ છે, તેવા નિયમિત સંયમી પુરૂષનેજ આ દુ:ખને હણનારો યોગ સિદ્ધ થાય છે. ।।૬- ૧૬-૧૭।।
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥६- १८॥
વિશેષપણે નિયમમાં કરેલું મન જ્યારે આત્મસ્વરૂપમાંજ સ્થિર થઇને રહે છે. અને સર્વ કામનાઓથી રહિત થઇ જાય છે, ત્યારેજ તે યોગી પરમાત્મોપાસનમાં યુક્ત-યોગ્યતાવાળો કહેવાય છે. ।।૬- ૧૮।।
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६- १९॥
વાયુ વિનાના પ્રદેશમાં રહેલો દીપક જેમ નહિ કંપતા- સ્થિર રહેછે, તે દીપની ઉપમા, ચિત્તને નિયમમાં કરીને યોગાભ્યાસ કરનાર યોગીના મનને કહેલી છે. ।।૬- ૧૯।।
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६- २०॥
सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥६- २१॥
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥६- २२॥
तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥६- २३॥
યોગાભ્યાસથી રોકાયેલું ચિત્ત જે યોગાભ્યાસમાં રમમાણ રહે છે. અને વળી જે યોગમાં વશ કરેલા શુદ્ધ મનથી આત્મસ્વરૂપમાંજ પરમાત્સ્વરૂપને જોતાં સન્તુષ્ટ વર્તે છે. ।
અને જ્યાં કેવળ બુદ્ધિગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગોચર એવું જે આત્યન્તિક સુખ તેને જાણે છે-અનુભવે છે. અને જેમાં સ્થિર થયેલો યોગી તત્ત્વ-પરમાત્મસ્વરૂપથી ચળાયમાન થતો નથી. ।
અને જે પરમાત્મલાભને પામીને તે સિવાયના બીજા લાભને તેથી અધિક નથી માનતો. અને જેમાં સ્થિત થઇને ગમે તેવા મોટા દુ:ખથી પણ તેને ચળાયમાન કરી શકતો નથી. ।
તેને સાંસારિક કલેશમાત્રના સંયોગને દૂર કરનાર યોગ નામે જાણે. અને તે યોગને કંટાળા સિવાયના સતત ઉત્સાહી ચિત્તથી અભ્યાસ કરવો જોઇએ. ।।૬- ૨૦-૨૩।।
संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥६- २४॥
शनैः शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥६- २५॥
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥६- २६॥
સંકલ્પથી ઉપજતા સર્વ કામ-વાસનાઓનો સર્વ પ્રકારે ત્યાગ કરીને અને ઇન્દ્રિયોના સમૂહને મનથી ચોતરફથી વિશેષપણે નિયમમાં કરીને. ।
અને ધૈર્યથી સ્થિર કરેલી બુદ્ધિથી ધીરે ધીરે વિષયોથી ઉપરામ પામે. અને મનને આત્મસ્વરૂપમાં સમ્યક્ પ્રકારે સ્થિર કરીને તે સિવાય બીજું કાંઇ પણ ન સંભારે. ।
આમ કરવા છતાં પણ અસ્થિર અને અતિ ચંચળ મન જે જે ઇન્દ્રિયદ્વારા બહાર પ્રસરે, ત્યાંથી ત્યાંથી તેને નિયમમાં કરીને આત્મસ્વરૂપમાં અથવા પરમાત્મસ્વરૂપમાં વશ-સ્થિર કરે. ।।૬- ૨૪-૨૬।।
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥६- २७॥
આવા પ્રશાન્ત મનવાળા, મલીન ભાવથી રહિત થયેલા, કામાદિક વિકારરૂપ કલ્મષથી રહિત અને બ્રહ્મરૂપ થયેલા એ યોગીને સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ।।૬- ૨૭।।
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६- २८॥
આ પ્રમાણે સદાય પરમાત્મસ્વરૂપમાં જોડનાર યોગી સઘળાં કલ્મષથી રહિત શુદ્ધ બનીને પરમાત્મસાક્ષાત્કારથી પ્રાપ્ત થતા આત્યન્તિક-નિરવધિક સુખનો અનુભવ સુખેથી-અનાયાસે કરે છે. ।।૬- ૨૮।।
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥६- २९॥
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥६- ३०॥
યોગયુક્ત આત્મા જેનો થયેલો છે એવો સિદ્ધ યોગી સર્વત્ર સમદર્શનવાળો થઇને સર્વ ભૂત પ્રાણીમાત્રમાં સમ ભાવે રહેલા પોતાના આત્માને જુએ છે અને સર્વ ભૂતોને પોતાના આત્મામાં સમ ભાવે જુએ છે. ।
અને જે મને સર્વમાં જુએ છે. અને સર્વ મારામાં છે એમ જુએ છે. તો તેવા સમ્યક્ દર્શનવાળા પરમ જ્ઞાની ભક્તને હું કયારેય અગોચર રહેતો નથી. અને તે જ્ઞાની ભક્ત કયારેય મને અગોચર રહેતો નથી. ।।૬- ૨૯-૩૦।।
सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥६- ३१॥
અને આવું એકત્વ-સમદર્શન પામેલો જે જ્ઞાની ભક્ત સર્વ ભૂતમાં વાસ કરી રહેલા મને સર્વ પ્રકારે ભજે છે, તો તે યોગી આ લોકમાં વર્તતો હોવા છતાં સદાય મારામાંજ વર્તે છે. ।।૬- ૩૧।।
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥६- ३२॥
માટે હે અર્જુન ! સર્વ પ્રણીમાત્રમાં જે પોતાની ઉપમાથીજ સુખ અથવા તો દુ:ખને સમાનપણે જુએ છે-માને છે. તો તેજ પરમ- સર્વોત્કૃષ્ટ યોગી માનેલો છે. ।।૬- ૩૨।।
अर्जुन उवाच
योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥६- ३३॥
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥६- ३४॥
અર્જુન પૂછે છે =
હે મધુસૂદન ? જે આ સમ ભાવથી રાખવાનો સામ્ય યોગ તમે મને કહ્યો, એ સામ્ય યોગની સ્થિર સ્થિતિ હું મનની ચંચળતાને લીધે જોઇ શકતો નથી. ।
કારણ કે હે કૃષ્ણ ! મન ખરેખર ચંચળ, તોફાની, અતિ બળવાન અને અતિ દૃઢ છે, માટે તે મનનો નિગ્રહ કરવો તેતો સર્વતોગામી વાયુનો નિગ્રહ કરવા જેવું અતિ દુષ્કર કાર્ય છે એમ હું માનું છું. ।।૬- ૩૩-૩૪।।
श्रीभगवानुवाच
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥६- ३५॥
શ્રી ભગવાન કહે છે =
હે મહાબાહો ! અર્જુન ! મનનો નિગ્રહ કરવો તે અતિ દુષ્કર છે. અને તે અતિ ચંચળ છે. એ વાત નિઃસંશય એમ જ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરી શકાય છે. ।।૬- ૩૫।।
असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥६- ३६॥
જેનું મન વશમાં નથી એવા પુરૂષે તો એ પરમાત્મયોગ દુષ્પ્રાપ છે, એમ મારો મત-નિશ્ચય છે. પણ વશ્ય મનવાળાએ તો અભ્યાસ અને વૈરાગ્યરૂપ ઉપાયથી પ્રયત્ન કરતાં પામવાને શક્યજ છે. ।।૬- ૩૬।।
अर्जुन उवाच
अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥६- ३७॥
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥६- ३८॥
एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥६- ३९॥
અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! શ્રદ્ધાએ યુક્ત થકો યોગમાં પ્રવર્તે, પણ પ્રયત્ન નહિ કરતાં અધવચ યોગથી મન ચળી જાય, તો તે યોગની પૂર્ણ સિદ્ધિને નહિ પામતાં શી ગતિને પામે છે ? ।
હે મહાબાહો ! શ્રી કૃષ્ણ ! યોગમાં પ્રતિષ્ઠા નહિ પામેલો અને બ્રહ્મપ્રાપ્તિના માર્ગમાં વિમૂઢ બનીને પડેલો એમ બન્ને તરફથી ભ્રષ્ટ થયેલો તે સાધક શું છૂટા પડેલા વાદળના ટુકડાની પેઠે નાશ પામી જાય છે ? ।
હે કૃષ્ણ ! આ મારો સંશય તમે સમગ્રપણે છેદવાને યોગ્ય છો. કારણ કે તમારા સિવાય બીજો કોઇ આ મારા સંશયનો છેદનાર મને જણાતો નથી. ।।૬- ૩૭-૩૯।।
श्रीभगवानुवाच
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ॥६- ४०॥
શ્રી ભગવાન કહે છે -
તેનો આ લોકમાં અને પરલોકમાં પણ વિનાશ-માર્ગથી ભ્રષ્ટ થતોજ નથી. કારણકે હે તાત ! કલ્યાણના સાધનમાં પ્રવર્તેલો કોઇ દુર્ગતિને પામતોજ નથી. ।।૬- ૪૦।।
प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥६- ४१॥
अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥६- ४२॥
પણ તે તો પુણ્યશાળીના લોકોને પામીને ત્યાં ઘણા કાળ વસીને અને પછી એ યોગભ્રષ્ટ પુરૂષ શ્રીમન્તને ઘરે અવતરે છે. ।
અથવા તો મહાબુદ્ધિમન્ત યોગીજનોના કુળમાંજ પ્રગટ થાય છે. અને આવું જે જન્મ મળવું તે આ લોકમાં અતિ દુર્લભમાં દુર્લભ મનાય છે. ।।૬- ૪૧-૪૨।।
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥६- ४३॥
અને તે પ્રાપ્ત થયેલા જન્મમાં પૂર્વ દેહના સંસ્કારસિદ્ધ તે બુદ્ધિસંયોગને પામે છે. હે કુરૂનન્દન ! આવો જન્મ પામીને પછી યોગસિદ્ધિ મેળવવા માટે ફરીથી પ્રયત્ન કરે છે. ।।૬- ૪૩।।
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६- ४४॥
અને પૂર્વ જન્મના અભ્યાસબળથીજ તેને ઇચ્છા ન હોય તો પણ પરવશપણેજ તે તરફ આકર્ષણ થાય છે. આમ પરમાત્મયોગનો જીજ્ઞાસુ જન પણ શબ્દ બ્રહ્મને અતિક્રમણ કરી જાય છે. (એવો યોગનો મહિમા છે.) ।।૬- ૪૪।।
प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥६- ४५॥
આ રીતે પ્રયત્નપૂર્વક નિરંતર મંડ્યો રહેનાર યોગી પાપથી સર્વથા શુદ્ધ થઇને અનેક જન્મે સંસિદ્ધ થઇને આખરે પરમ ગતિનેજ પામે છે. ।।૬- ૪૫।।
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥६- ४६॥
માટે તપસ્વીઓ કરતાંય યોગી અધિક છે, જ્ઞાનીઓ કરતાં પણ અધિક જ માનેલો છે. તો પછી કેવળ કર્મ કરનારાઓ કરતાં તો અધિક છેજ. માટે હે અર્જુન ! તું પણ કર્મયોગી-પરમાત્મોપાસકજ થા. ।।૬- ૪૬।।
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥६- ४७॥
કારણ કે- બધા પ્રકારના યોગીઓના મધ્યે જે મારામાં અન્તઃકરણ પરોવીને શ્રદ્ધાવાન્ થઇને મનેજ ભજે છે, તેજ યુક્તતમ-સર્વશ્રેષ્ઠ યોગી મેં માનેલો છે. ।।૬- ૪૭।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः ॥ ६ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અભ્યાસયોગોનામ ષષ્ઠોઽધ્યાયઃ ।।૬।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૭
ॐ
श्रीपरमात्मने नमः
अथ सप्तमोऽध्यायः
श्रीभगवानुवाच
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥७- १॥
શ્રી ભગવાન કહે છે =
હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરૂં મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણે તેમ હું કહું છું તે સાંભળ ! ।।૭- ૧।।
ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥७- २॥
હું તને વિજ્ઞાને સહિત આ જ્ઞાન બાકી ન રહે એમ સમ્પૂર્ણ ખૂલાસાવાર કહેવાનો છું. કે જે જાણ્યા-સમઝયા પછી ફરીથી આ લોકમાં બીજું કાંઇ જાણવા જેવું બાકી રહેતું જ નથી. ।।૭- ૨।।
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥७- ३॥
હજારો-હજાર મનુષ્યોમાં સિદ્ધિને માટે કોઇકજ પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરનારા સિદ્ધોમાંથી પણ મને ખરી રીતે તો કોઇકજ જાણે છે. ।।૭- ૩।।
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥७- ४॥
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥७- ५॥
ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, એમ આઠ પ્રકારે વહેંચાયેલી આ મારી પ્રકૃતિ-માયા છે. આ મારી અપરા-બીજા વર્ગની પ્રકૃતિ છે અને આનાથી ચઢીયાતી શ્રેષ્ઠ જીવરૂપ મારી બીજી પ્રકૃતિ છે તેને તું જાણ ! કે જેનાથી આ જગત્ ધારણ કરાય છે. ।।૭- ૪-૫।।
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥७- ६॥
સર્વ ભૂત-પ્રાણીમાત્ર આ બેમાંથી જ ઉત્પન્ન થાય છે એમ તું ધ્યાનમાં રાખ ! અને તે બન્ને પ્રકૃતિ મારી હોવાથી હું જ સમગ્ર જગત્નો કારણ છું અને પ્રલય-નાશ કરનાર પણ હુંજ છું. ।।૭- ૬।।
मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय ।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥७- ७॥
હે ધનંજય ! મારાથી પર તત્ત્વ બીજું કોઇ છેજ નહિ. અને આ સઘળું વિશ્વ મારામાં દોરામાં મણિકાઓની પેઠે પરોવેલું છે. (પણ મારાથી પૃથક્ નથી.) ।।૭- ૭।।
रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७- ८॥
હે કૌન્તેય ! જળમાં રસ તે હું છું. ચંદ્રમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું આકાશમાં શબ્દ હું છું. અને પુરૂષોમાં પુરૂષાર્થ તે હું છું. ।।૭- ૮।।
पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥७- ९॥
પૃથ્વીમાં પવિત્ર ગન્ધ તે હું છું. અને અગ્નિમાં તેજ-પ્રભા તે હું છું. સર્વ ભૂતોમાં જીવન-શક્તિ તે હું છું. અને તપસ્વીઓમાં તપ તે હું છું. ।।૭- ૯।।
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७- १०॥
હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ-કારણ તે હું છું, એમ તું સમઝ ! બુદ્ધિમાન પુરૂષની બુદ્ધિ તે હું છું. અને તેજસ્વીઓનું તેજ- પરાક્રમ તે હું છું. ।।૭- ૧૦।।
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥७- ११॥
બળવાન મનુષ્યોનું કામ અને રાગ વર્જીત એવું શુદ્ધ બળ તે હું છું. અને હે ભરતર્ષભ ! ભૂત-પ્રાણીમાત્રમાં ધર્મથી અવિરૂદ્ધ એવો જે કામ તે હું છું. ।।૭- ૧૧।।
ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥७- १२॥
અને વળી જે કોઇ સાત્ત્વિક ભાવ-પદાર્થો છે. તેમજ રાજસ અને તામસ પદાર્થો છે, તે સઘળા મારામાંથીજ ઉપજેલા છે, એમ જાણ ! પરન્તુ તે સઘળા ભાવોમાં હું નથી, પણ તેઓ મારામાં-મારે આધારે છે. (એમ સમઝ !) ।।૭- ૧૨।।
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥७- १३॥
આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશીસ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૭- ૧૩।।
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥७- १४॥
કારણ કે દેવ-સર્વસૃષ્ટા એવો જે હું તે મારી આ ગુણમયી માયા તે દુરત્યય છે. માટે જેઓ મને જ અનન્ય ભાવથી આશરે છે. તે જ એ માયાને તરી શકે છે. ।।૭- ૧૪।।
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥७- १५॥
માયાના બળથી જેઓનું જ્ઞાન હરાઇ ગયેલું છે અને તેથીજ અસુર ભાવને આશરેલા દુષ્કર્મી મૂઢ નરાધમો મારો આશ્રય-શરણ લઇ શકતા જ નથી. ।।૭- ૧૫।।
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥७- १६॥
ભરતવંશમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન ! મને આર્ત, જીજ્ઞાસુ, અર્થની ઇચ્છાવાળો અને ચોથો જ્ઞાની, એમ ચાર પ્રકારના સુકૃતશાલી જનો ભજે છે. ।।૭- ૧૬।।
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥७- १७॥
તે ચારમાંથી જ્ઞાની ભક્ત નિરંતર મારામાં જ જોડાઇ રહેનારો અને એક મારામાંજ અનન્ય ભક્તિમાન હોવાથી સર્વથી શ્રેષ્ઠ છે. અને જ્ઞાની ભક્તને હું અત્યન્ત વ્હાલો છું. અને તે મને અત્યન્ત વ્હાલો છે. ।।૭- ૧૭।।
उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥७- १८॥
એ બધા મારા ભક્તો ઉદાર છે, પણ તેમાં જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એમ મારૂં માનવું છે. કારણ કે તે મારામાં મન રાખીને સર્વોત્તમ અત્યન્તિક ગતિપ્રાપ્યસ્વરૂપ એવા મનેજ અનન્ય ભાવથી આશરેલો છે. ।।૭- ૧૮।।
बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥७- १९॥
બહુ જન્મને અન્તે પણ ‘‘મારે સર્વ વાસુદેવ જ છે.’’ એવા જ્ઞાનવાળો થઇને અનન્ય ભાવથી મને જ આશરે છે. તેવો મહાત્મા આ લોકમાં અતિ દુર્લભ છે. ।।૭- ૧૯।।
कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥७- २०॥
અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઇ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોતે પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઇને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઇન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૭- ૨૦।।
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥७- २१॥
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।
लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥७- २२॥
જે જે ભક્ત મારી તનુને (બધુંજ તેનું શરીર હોવાથી.) શ્રદ્ધાવિશ્વાસથી પૂજવાને આરાધવાને ઇચ્છે છે તે તે ભક્તને તેમાં તેમાં તે તે અચળ શ્રદ્ધા હું જ કરી આપું છું. અને તે ભક્ત તે અચળ શ્રદ્ધાએ યુક્ત થઇને તે તે દેવોનું આરાધન કરે છે. અને તે પછી (ફળપ્રદાતા હું હોવાથી જ) મેં જ રચી આપેલાં સ્વર્ગાદિક કામ-ફળને પામે છે. ।।૭- ૨૧-૨૨।।
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥७- २३॥
પણ તે અલ્પબુદ્ધિના માણસોએ મેળવેલું તે તે આરાધનરૂપ કર્મનું ફળ નાશવંત હોય છે. કેમકે દેવતાઓને ભજનાર દેવોને પામે છે. અને મારા ભક્તો તો મનેજ પામે છે. ।।૭- ૨૩।।
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥७- २४॥
મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલોકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૭- ૨૪।।
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥७- २५॥
કેમ કે મારી યોગમાયાથી સમાવૃત થયેલો હું સર્વને નથી ઓળખાતો, માટે જ અજન્મા અને અવિનાશી એવા મને આ મૂઢઅજ્ઞાની લોક નથી જાણી-ઓળખી શક્તા. ।।૭- ૨૫।।
वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥७- २६॥
હે અર્જુન ! ભૂતકાળમાં થઇ ગયેલાં, વર્તમાનસમયમાં રહેલાં અને ભવિષ્યકાળમાં થનારાં, એ સર્વ ભૂત-પ્રાણીમાત્રને હું જાણું છું. પણ મને તો કોઇ જાણતો જ નથી. ।।૭- ૨૬।।
इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।
सर्वभूतानि संमोहं सर्गे यान्ति परन्तप ॥७- २७॥
કારણ કે હે ભારત ! આ સૃષ્ટિમાં રહેલાં સર્વભૂત-પ્રાણીમાત્ર ઇચ્છાઓ અને દ્વેષથી ઉદ્ભવતાં શોક-મોહાદિક દ્વન્દ્વમાં ફસાવાથી હે પરન્તપ ! અત્યન્ત મોહ-સંભ્રમ પામે છે. (તેથીજ મને નથી જાણી શકતાં.) ।।૭- ૨૭।।
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ।
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥७- २८॥
પરન્તુ- જે પુણ્યશાળી જનોનાં તો પાપ લગભગ નષ્ટપ્રાય થઇ ગયાં છે, તે પુરૂષોજ દૃઢવ્રત થઇને સુખ દુ:ખાદિક દ્વન્દ્વભાવ રૂપ મોહમાં નહિ ફસાતાં મનેજ ભજેછે ।।૭ -૨૮।।
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥७- २९॥
આ પ્રમાણે જરા-મરણાદિક સંસૃતિના કલેશોથી મુકાવાને માટે મને આશરીને જેઓ પ્રયત્ન કરે છે, તેઓ જ તે બ્રહ્મને જાણે છે. અને સમગ્ર અધ્યાત્મ તત્ત્વને તેમજ કર્મના સઘળા તત્ત્વને પણ જાણે છે. ।।૭- ૨૯।।
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥७- ३०॥
અને આ રીતે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞે સહિત મને જેઓ જાણે છે. તો તેઓ મારામાં ચિત્ત જોડાયલું હોવાથી, પ્રયાણ કાળમાં પણ મનેજ જાણે છે-મને જાણીને મનેજ પામે છે. ।।૭- ૩૦।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॥ ७ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ ।।૭।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૮
ॐ
श्रीपरमात्मने नमः
अथाष्टमोऽध्यायः
अर्जुन उवाच
किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥८- १॥
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥
અર્જુન પૂછે છે =
હે પુરૂષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું ? અને કર્મ શું ? અધિભૂત શું કહેવાય ? અને અધિદૈવ શું કહેવાય છે ? હે મધુસૂદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ ? અને તે કેવો જાણવો ? અને મનને જીતનારાઓએ અન્તકાળે તમને કેવી રીતે જાણવા ? એ બધુંય મને કહી સમઝાવો ! ।।૮- ૧-૨।।
श्रीभगवानुवाच
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥
શ્રી ભગવાન કહે છે =
પરમ-સર્વોત્કૃષ્ટ એવું જે અક્ષર એજ બ્રહ્મ છે. અને ક્ષેત્રજ્ઞોનો સ્વભાવ એ અધ્યાત્મ કહેવાય છે. ભૂત પ્રાણીમાત્રના દેવમનુષ્યાદિક જુદા જુદા ભાવ અને તેની ઉત્પત્તિ કરનારો વિસર્ગ એ કર્મ નામે કહેવાય છે. ।।૮- ૩।।
अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥८- ४॥
પ્રાણિઓનો ક્ષર ભાવ એ અધિભૂત છે. અને પુરૂષ એ અધિદૈવત છે. અને દેહધારીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન ! આ દેહમાં-મારા શરીરભૂત બ્રહ્માદિક દેવોમાં, અધિયજ્ઞ-યજ્ઞોમાં અગ્રપૂજ્ય તો હું જ-સર્વાત્મા છું. ।।૮- ૪।।
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥८- ५॥
અને અન્તકાળે સર્વાત્મા વાસુદેવ એવા મને જ સંભારતાં સંભારતાં શરીરનો ત્યાગ કરીને જાયછે. તે મારાજ સ્વરૂપને પામે છે આમાં કાંઇ સંશય નથી જ. ।।૮- ૫।।
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥८- ६॥
વધારે શું ? અન્તકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે, તો તે માણસ હે કૌન્તેય ! સદાય તે ભાવથીવાસનાથી વાસિત થયેલો હોવાથી તે તે ભાવનેજ પામે છે. ।।૮- ૬।।
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥८- ७॥
માટે તું પણ સર્વ કાળમાં મારૂંજ સ્મરણ કરતો રહે અને સ્વધર્મરૂપ યુદ્ધ પણ કર ! અને મારામાં જ મન અને બુદ્ધિને સર્વથા અર્પણ કરવાથી મને જ પામીશ. આમાં કાંઇ સંશય નથી. ।।૮- ૭।।
अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥८- ८॥
હે પાર્થ ! અભ્યાસ-યોગયુક્ત અને અનન્યગામિ એવા ચિત્તથી દિવ્યાકાર પરમ પુરૂષનું ચિન્તવન કરતાં કરતાં તેને જ પામે છે. ।।૮- ૮।।
कविं पुराणमनुशासितार-
मणोरणीयांसमनुस्मरेद्यः ।
सर्वस्य धातारमचिन्त्यरूप
मादित्यवर्णं तमसः परस्तात् ॥८- ९॥
प्रयाणकाले मनसाचलेन
भक्त्या युक्तो योगबलेन चैव ।
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्
स तं परं पुरुषमुपैति दिव्यम् ॥८- १०॥
यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥८- ११॥
તે પરમ પુરૂષ, કવિ-ત્રિકાળદર્શી, પુરાતન, સર્વનું નિયમન કરનારા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, સર્વને રચનારા, મન-વાણીને પણ અગોચર એવું અચિન્ત્ય-અલૌકિક રૂપ-આકૃતિ જેની છે, આદિત્યના જેવો સમુજ્જવળ વર્ણજેનો છે. અને માયાના તમથી પર રહેલા, એવા પરમ પુરૂષને જે સતત સંભાર્યા કરે છે. અને મરણ સમયમાં પણ નિશ્ચળ મન રાખીને, ભક્તિયુક્ત થઇને, અને યોગસામર્થ્યથી પ્રાણને ભૃકુટિના મધ્યમાં બરોબર સ્થિર રાખીને જે સ્મરણ કરે, તે પુરૂષજ તે દિવ્યાકાર પરમ પુરૂષને પામે છે.। જેને વેદવિત્ પુરૂષો અક્ષર એમ કહે છે, દુનીયાંના રાગ સિવાયના વશેન્દ્રિય ઉપાસક પુરૂષો જેમાં પ્રવેશ કરે છે. જેને ઇચ્છાનારા બ્રહ્મચર્ય વ્રત પાળે છે. તે પદ હું તને સંક્ષેપથી કહીશ કહેવાનો છું. ।।૮- ૯-૧૧।।
सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।
मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥८- १२॥
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥८- १३॥
સર્વ ઇન્દ્રિયદ્વારને સ્વવશમાં કરીને, મનને હ્રદયમાં એકાગ્ર કરીને, પોતાના પ્રાણને મસ્તકમાં સ્થિર કરીને, યોગથી પરમાત્મસ્વરૂપમાં ધારણા પામેલો. ।
અને પરબ્રહ્મના વાચક ઓંકારરૂપ એકાક્ષરને જપતો અને મને અખંડ સંભારતો થકો દેહનો ત્યાગ કરીને જે જાયછે, તે પુરૂષ પરમ ગતિ પામે છે. ।।૮- ૧૨-૧૩।।
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः ।
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥८- १४॥
હે પાર્થ ! અખંડ અનન્યચિત્ત થઇને જે મને નિરન્તર અવિચ્છિન્ન સંભારે છે, તો તેવા અખંડ મારામાં જોડાયેલા યોગીને હું સર્વથા સુલભજ છું. ।।૮- ૧૪।।
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥८- १५॥
મારી પ્રાપ્તિરૂપ પરમ સમ્યક્ સિદ્ધિને પામેલા મહાત્માઓ મારા ધામમાં મને પામીને ફરીને દુ:ખની પરમ્પરાથી ભરેલું અશાશ્વત જન્મ (વિગેરે વિકારોને) નથી પામતા. ।।૮- ૧૫।।
आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥८- १६॥
હે અર્જુન ! બ્રહ્માના ભુવન સુધીના લોકો બધાય પુનરાવૃત્તિવાળા છે, પણ હે કૌન્તેય ! મને પામ્યા પછી તો ફરીને જન્મ પામવાનું રહેતુંજ નથી. ।।૮- ૧૬।।
सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥८- १७॥
(હવે-પ્રસંગાત્ બ્રહ્માના આયુષ્યનું પ્રમાણ કહે છે-) ચાર યુગ મળીને એક મહાયુગ કહેવાય છે, અને એવા એક હજાર મહાયુગ સુધીના મહાકાળને બ્રહ્માનો એક દિવસ અને એક હજાર મહાયુગની એક રાત્રિ, એમ બ્રહ્માના અહોરાત્રને જાણનારા કહેછે. ।।૮- ૧૭।।
अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे ।
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥८- १८॥
બ્રહ્માના દિવસની શરૂઆત થતાં અવ્યકતમાંથી સર્વ વ્યક્તિઓ ઉત્પન્ન થઇ આવે છે. અને પાછી રાત્રિ આવતાં તેજ અવ્યકતમાં સર્વથા લીન થઇ જાય છે. ।।૮- ૧૮।।
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥८- १९॥
તેજ આ પ્રાણીમાત્રનો સમૂહ પરવશ થકો વારંવાર ઉત્પન્ન થઇને હે પાર્થ ! રાત્રિ આવતાં લય પામે છે. અને પાછો દિવસ આવતાં ઉત્પન્ન થઇ આવે છે. ।।૮- ૧૯।।
परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥८- २०॥
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥८- २१॥
પણ આ અવ્યક્ત થકી પર બીજો સનાતન અવ્યક્ત ભાવ-પદાર્થ છે. કે જે સર્વ ભૂતો નાશ પામતાં પણ એ પોતે નાશ નથી પામતો. જે અવ્યક્ત ભાવને અક્ષર એમ કહે છે. અને તેને પરમ ગતિ-પ્રાપ્ય સ્થાન કહે છે. કે જેને પામીને પાછા નથી ફરતા તે મારૂં પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૮- ૨૦-૨૧।।
पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।
यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥८- २२॥
હે પાર્થ ! જેની અન્દર આ ભૂત-પ્રાણીમાત્ર રહેલાં છે. અને જેણે આ સઘળું વિશ્વ સંકલ્પ માત્રથી વિસ્તાર્યું છે. અથવા જેનાથી વ્યાપ્ત છે. તે પર પુરૂષ પરમાત્મા અનન્ય ભક્તિથીજ મળે છે. (બીજો માર્ગજ નથી.) ।।૮- ૨૨।।
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥८- २३॥
હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતાં અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે, તે કાળને હે ભરતવર્ષભ ! હું તને કહું છું ।।૮- ૨૩।।
अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥८- २४॥
અગ્નિ, જ્યોતિ; દિવસ, શુકલ પક્ષ, ઉત્તરાયનના છ માસ, આ કાળમાં જનારા બ્રહ્મવિત્ પુરૂષો બ્રહ્મને પામે છે. ।।૮- ૨૪।।
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥८- २५॥
ધૂમ, રાત્રિ, તથા કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના છ માસ, તે કાળમાં જનારો યોગી ચંદ્રના લોકને પામીને પુણ્ય ખૂટતાં પાછો ફરે છે. ।।૮- ૨૫।।
शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥८- २६॥
આ શુક્લ અને કૃષ્ણ એ બન્ને માર્ગો જગતના અનાદિ જ માનેલા છે. તેમાંથી એકથી જનાર અનાવૃત્તિ-મુક્તિ પામે છે. અને બીજાથી જનાર પાછો આવે છે. ।।૮- ૨૬।।
नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥८- २७॥
હે પાર્થ ! આ બન્ને માર્ગ સમઝનારો કોઇ પણ યોગી કયારેય મોહ પામતો નથી. માટે હે અર્જુન ! તું સર્વ કાળમાં યોગયુક્ત થા ! ।।૮- ૨૭।।
वेदेषु यज्ञेषु तपःसु चैव
दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् ।
अत्येति तत्सर्वमिदं विदित्वा
योगी परं स्थानमुपैति चाद्यम् ॥८- २८॥
વેદોમાં, યજ્ઞોમાં, તપમાં અને સર્વ દાનોમાં જે પુણ્યફળ કહેલું છે. તે સર્વ ફળ ઉલ્લંધી જઇને બન્ને માર્ગના તત્ત્વને જાણનારો યોગી આદ્ય સનાતન પરમ સ્થાનને પામે છે. ।।૮- ૨૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नामाष्टमोऽध्यायः ॥८॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અક્ષર પર-બ્રહ્મયોગો નામ અષ્ટમોઽધ્યાયઃ।।૮।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૯
ॐ
श्रीपरमात्मने नमः
अथ नवमोऽध्यायः
श्रीभगवानुवाच
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥९- १॥
શ્રી ભગવાન કહે છે =
તું અસૂયા દોષથી રહિત છે માટે અતિ રહસ્યરૂપ એવું આ વિજ્ઞાને સહિત જ્ઞાન તે હું તને કહીશ. કે જે જ્ઞાન સમઝવાથી મોક્ષમાં વિરોધી અશુભ-પાપમાત્રથી તું મુક્ત થઇ જઇશ. ।।૯- ૧।।
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥९- २॥
આ જ્ઞાન સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. સર્વ રહસ્યોમાં પરમ રહસ્યરૂપ છે. પવિત્ર, ઉત્તમ, પ્રત્યક્ષપણે સમઝાય એવું, સુખેથી સાધી શકાય, નાશ ન પામે એવું અને ધર્મે યુક્ત છે. ।।૯- ૨।।
अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥९- ३॥
હે પરન્તપ ! આ જ્ઞાનરૂપ ધર્મમાં શ્રદ્ધા નહિ રાખનારા પુરૂષો, મને નહિ પામતાં મૃત્યુની પરંપરાથી ભરેલા સંસાર-માર્ગમાં પાછા ફરે છે. ।।૯- ૩।।
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥९- ४॥
અવ્યક્ત-ઇન્દ્રિયોને અગોચર દિવ્યમૂર્તિ એવા મેં જ આ સઘળું જગત્ વિસ્તારેલું છે, અથવા વ્યાપેલું છે. માટેજ સર્વ ભૂતો મારામાં-મારે આધારે રહેલાં છે. પણ હું તેમાં-તેમને આધારે રહેલો નથી. ।।૯- ૪।।
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥९- ५॥
વળી એ સર્વ ભૂતો મારામાં નથી રહેલાં એવું પણ મારૂં ઇશ્વર ભાવને સૂચવનારૂં યોગ-સામર્થ્ય છે, તેને તું જો-સમઝ અને સર્વ ભૂતની વૃદ્ધિ-પોષણ કરનારો મારો આત્મા-સ્વરૂપ સર્વ ભૂતનું ભરણ-પોષણ કરે છે, તો પણ તે તેમાં રહેલો નથી. ન્યારો જ છે. ।।૯- ૫।।
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥९- ६॥
સર્વત્ર અસ્ખલિત ગતિ કરનારો મહાન્ વાયુ જેમ નિરન્તર આકાશમાં જ રહેલો છે. છતાં ન્યારો છે. તે જ પ્રમાણે સર્વ ભૂતો મારામાં રહેલાં છે. એમ સમઝ ! ।।૯- ૬।।
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥९- ७॥
હૈ કૌન્તેય ! કલ્પને અન્તે સર્વ ભૂત-પ્રાણીમાત્ર મારી માયા પ્રત્યે પ્રવેશી જાય છે. તેજ સર્વ ભૂતોને કલ્પના આરંભમાં પાછો હું જ સર્જું છું. ।।૯- ૭।।
प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥९- ८॥
પ્રકૃતિ-માયાના વશપણાથી પરવશ-કર્માધીન વર્તતા આ સમગ્ર ભૂતસમૂહને હું મારી માયા-શક્તિને અવલંબીને વખતો-વખત વારંવાર સર્જું છું. ।।૯- ૮।।
न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय ।
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥९- ९॥
પણ હે ધનંજય !તે સૃષ્ટિ આદિક કર્મમાં ઉદાસીનની પેઠે વર્તનારા અને આસક્તિ વિનાના મને, તે સૃષ્ટિ આદિક કર્મ બન્ધન કરી શકતાં નથી. ।।૯- ૯।।
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ॥९- १०॥
અને હું અધ્યક્ષ-તટસ્થ રહીનેજ પ્રકૃતિદ્વારા આ ચરાચર વિશ્વને સર્જાવું છું. અને હે કૌન્તેય ! આ કારણથીજ આ સઘળું જગત્ સંસૃતિમાં વિવિધ ભાવે પરિવર્તન પામ્યા જ કરે છે. ।।૯- ૧૦।।
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥९- ११॥
સર્વ ભૂત-પ્રાણીમાત્રનો હું સર્વોપરિ નિયન્તા છું. એ મારૂં મોટું ઐશ્વર્ય નહિ જાણનારા મૂઢાત્માઓ મનુષ્ય શરીરને આશરીને પ્રત્યક્ષ વર્તતા મારી અવજ્ઞા કરે છે. ।।૯- ૧૧।।
मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥९- १२॥
આવા મનુષ્યો નિષ્ફળ આશાઓ સેવનારા, નિષ્ફળ કર્મ કરનારા, મિથ્યા જ્ઞાન સમઝનારા, ભ્રષ્ટ ચિત્તવાળા અને તેઓ રાક્ષસી અને આસુરી માયાને આશરેલા હોય છે. ।।૯- ૧૨।।
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥९- १३॥
અને હે પાર્થ ! દૈવી પ્રકૃતિને આશરેલા મહાત્માઓ-મારા જ્ઞાની ભક્તો તો, મને સર્વ ભૂતનો આદિ-કારણ અને અવિનાશી સ્વરૂપ જાણી-સમઝીને અનન્ય મનવાળા થઇને મને જ ભજે છે. ।।૯- ૧૩।।
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥९- १४॥
મારૂં જ સતત-અખંડકીર્તન કરતા, અને દૃઢસંકલ્પ થઇને મને પ્રસન્ન કરવાજ દરેક પ્રયત્ન કરતા, નિરન્તર મનેજ નમસ્કાર કરતા અને મારામાં અખંડ યુક્ત થઇને પ્રેમપૂર્વક મારીજ ઉપાસના કરે છે. ।।૯- ૧૪।।
ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥९- १५॥
બીજા જ્ઞાનયોગી ભક્તો, મારી કથા-કીર્તનાદિક કરવારૂપ જ્ઞાનયજ્ઞથી મારૂં પૂજન કરતા થકા મારી ઉપાસના કરે છે. વળી બીજાઓ પણ અનેકરૂપે રહેલા મારી ઉપાસના એકત્વથી તેમજ પૃથગ્ભાવથી પોતપોતાની રૂચિ પ્રમાણે બહુ પ્રકારે કરે છે. ।।૯- ૧૫।।
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥९- १६॥
पिताहमस्य जगतो माता धाता पितामहः ।
वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च ॥९- १७॥
ક્રતુ-શ્રૌત યજ્ઞ હું છું. યજ્ઞ-સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા- આહુતિ આપવાનો મંત્ર હું છું. ઔષધિ હું છું મંત્ર હું છું. ઘી પણ હું જ છું. હોમવાનું દ્વાર અગ્નિ હું છું. અને હોમેલું દ્રવ્ય પણ હું જ છું. આ સઘળા જગત નો પિતા-જનક, માતા-જનની, ધાતા-પોષક, પિતામહ-દાદો, જાણવા જેવું તત્ત્વ, પવિત્ર વસ્તુ, ૐકાર, ઋગવેદ, સામવેદ અને અથર્વવેદ પણ, આ સઘળારૂપે હુંજ છું. ।।૯- ૧૬-૧૭।।
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥९- १८॥
પામવા યોગ્ય પરમ પ્રાપ્તિસ્થાન, ભરણ પોષણ કરનારો, સર્વનો સ્વામી, સર્વના કર્મનો સાક્ષી, સર્વનો નિવાસ-આધાર, શરણ-રક્ષણ કરનાર, સુહૃત્-અપ્રેરિત હિત કરનાર, પ્રભવ-ઉત્પત્તિનું કારણ, પ્રલય-લયનું કારણ, સર્વની સ્થિતિ રાખનાર, નિધાન, અને અવિનાશી બીજ-કારણ હું જ છું ।।૯- ૧૮।।
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च ।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥९- १९॥
સૂર્યરૂપે હું જ તપું છું. વરસાદને રોકી પણ હું જ રાખું છું. અને વખત આવ્યે હું જ વરસાવું છું. અમૃત-મુક્તિ અથવા જીવન, અને મૃત્યુ તે પણ હું જ છું. અને હે અર્જુન ! સત્-કાર્યરૂપ આ જગત્, અને અસત્ કાર્યથી ભિન્ન કારણરૂપ તત્ત્વ તે પણ હું જ છું ।।૯- ૧૯।।
त्रैविद्या मां सोमपाः पूतपापा
यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक-
मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥९- २०॥
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना
गतागतं कामकामा लभन्ते ॥९- २१॥
વેદત્રયીમાં કહેલાં કર્મ કરનારા, સોમ-રસનું પાન કરનારા અને તેથી જ પાપ રહિત થયેલા પુરૂષો વેદ વિહિત યજ્ઞોથી મારૂં પૂજન કરીને સ્વર્ગ લોકની પ્રાપ્તિની માગણી કરે છે. તેઓ પુણ્યપ્રાપ્ય સુરેન્દ્રલોકને પામીને સ્વર્ગમાં રહેલા દેવભોગોને ભોગવે છે. તે લોકો તે વિશાળ-વૈભવશાળી સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય થઇ રહે છે ત્યારે પાછા મર્ત્ય લોકમાં આવે છે. આ પ્રમાણે વેદત્રયીમાં કહેલા ધર્મને અનુસરનારા વિષયોપભોગની અભિલાષા રાખનારા મનુષ્યો આવાગમને પામ્યા કરે છે. ।।૯- ૨૦-૨૧।।
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥९- २२॥
અને જે જનો અનન્ય ભાવથી ભાવિત થઇને મારૂંજ ચિન્તવન કરતાં મારી ઉપાસના કરે છે. એવા તે મારામાં અખંડ જોડાયેલા પુરૂષનું યોગ અને ક્ષેમ તેને હુંજ ઉપાડી લઉં છું. ।।૯- ૨૨।।
येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥९- २३॥
અને જેઓ પણ બીજા દેવતાઓમાં ભક્તિ રાખે છે. અને શ્રદ્ધાયુક્ત થઇને પૂજન કરે છે, તે પણ હે કૌન્તેય ! જો કે-પૂજા તો મારીજ કરે છે. પણ અવિધિપૂર્વક-મને સર્વાત્મા નહિ જાણીને પરોક્ષ રીતે પૂજે છે. ।।૯- ૨૩।।
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥९- २४॥
કારણ કે સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ-ફળપ્રદાતા તો હું જ છું. પણ એ રીતે મને તેઓ ખરી રીતે યથાર્થ જાણતા નથી. તેથી તેઓ અવિનાશી મહાફળથી પડી જાય છે. અર્થાત્-અતિ અલ્પ ફળને મેળવે છે. ।।૯- ૨૪।।
यान्ति देवव्रता देवान्पितॄन्यान्ति पितृव्रताः ।
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥९- २५॥
દેવોમાં શ્રદ્ધા રાખીને વ્રતકરનારા દેવોને પામે છે. પિતૃઓમાં શ્રદ્ધા રાખીને વ્રત કરનારા પિતૃઓને પામેછે. ભૂત ભૈરવાદિકને પૂજનારા ભૂત ભૈરવાદિકને પામે છે. અને એતો ખુલ્લુંજ છે કે મારૂં યજન-પૂજન કરનારા તો મને જ પામે છે. ।।૯- ૨૫।।
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥९- २६॥
(હું કેટલો સરલ અને સુલભ છું તે તો જો !) પત્ર, પુષ્પ, ફળ કે જળ, જે મને પ્રેમથી અર્પણ કરે છે. તે હું પવિત્ર-એકાગ્ર મનવાળા મારા ભક્તનું ભક્તિથી આપેલુ ગ્રહણ કરૂં છું. ।।૯- ૨૬।।
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥९- २७॥
માટે તું પણ જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, અને જે તપ કરે છે. તે સઘળું હે કૌન્તેય ? મને અર્પણ બુદ્ધિથી જ કર ! ।।૯- ૨૭।।
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥९- २८॥
અને આમ મને અર્પણ કરવાથી સારાં-નરસાં ફળ આપનારાં શુભ-અશુભ સર્વ કર્મબંધનોથી તું મુકાઇ જઇશ. અને આ ફળત્યાગરૂપ સંન્યાસયોગથી યુક્ત મનવાળો તું સર્વ કર્મથી મુક્ત થઇને મનેજ પામીશ. ।।૯- ૨૮।।
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥९- २९॥
સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવથી હું રહેલો છું, માટે મારે આ દ્વેષ કરવા યોગ્ય, કે આ પ્રેમ કરવા યોગ્ય એવો વિભાગ નથી. પણ જે કોઇ મને પરમ પ્રેમથી ભજે છે. તો તેઓ મારામાં છે. અને તેઓમાં હું પણ છું. (અર્થાત્- ભજે તેના ભગવાન છે.) ।।૯- ૨૯।।
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥९- ३०॥
અને વળી મર કોઇ ગમે તેવો અતિ દુરાચારી હોય, તો પણ મને અનન્ય ભાવથી જો ભજે છે, તો તે ખરો સાધુજ છે એમ માનવો, કારણ કે હવે તે ઘણા સારા નિશ્ચય ઉપર આવી ગયેલો છે માટે. ।।૯- ૩૦।।
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रति जानीहि न मे भक्तः प्रणश्यति ॥९- ३१॥
આવો માણસ ટુંકી મુદતમાંજ ધર્માત્મા થઇ જાય છે. અને અખંડ શાન્તિને પણ પામે છે. હે કૌન્તેય ! તું પ્રતિજ્ઞા કરીને કહે જે કે મારો ભક્ત કયારેય મોક્ષમાર્ગથી પડશે નહિ. ।।૯- ૩૧।।
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥९- ३२॥
હે પાર્થ ! મારો મહિમા તો જો ! મારો આશ્રય કરીને તો, જે કોઇ પાપ યોનિમાં જન્મેલા હોય, તેમજ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શૂદ્રો, તે સઘળાય પણ પરમ સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મારા ધામને પામે છે. ।।૯- ૩૨।।
किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥९- ३३॥
તો પછી પુણ્યવાન બ્રાહ્મણો તથા રાજર્ષિ-ક્ષત્રિયો, તે મારા ભક્તો હોય તો તે પરમગતિ પામેજ. એમાં વળી કહેવાનું જ શું હોય ? માટે તું આ અનિત્ય અને વાસ્તવિક સુખ વિનાના માનવ લોકને જન્મને પામીને મારૂંજ ભજન કરી લે ! ।।૯- ૩૩।।
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥९- ३४॥
તું મારામાં જ મન રાખનારો થા ! મારામાં જ સ્નેહ રાખ ! મારૂં જ પૂજન કર ! અને મને જ નમસ્કાર કર ! આ પ્રમાણે તું મત્પરાયણ થઇને મારામાં જ મન જોડીશ, તો નક્કી તું મને જ પામીશ. ।।૯- ૩૪।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ॥९॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે રાજવિદ્યા-રાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ ।।૯।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૦
ॐ
श्रीपरमात्मने नमः
अथ दशमोऽध्यायः
श्रीभगवानुवाच
भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१०- १॥
શ્રી ભગવાન કહે છે =
હે મહાબાહો ! મારૂં વચન સાંભળીને પ્રસન્ન થતા તને તારૂં હિત કરવાની ઇચ્છાથી પ્રેરાઇને જે હું બીજું ઉત્તમ વચન કહુંછું તે તું ધ્યાન દઇને સાંભળ ! ।।૧૦- ૧।।
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥१०- २॥
મારો ઉત્પત્તિ પ્રકાર સર્વ દેવગણો તેમજ મહર્ષિઓ પણ જાણતા નથી. કારણ કે એ દેવોનો અને મહર્ષિઓનો પણ સર્વ પ્રકારે હું જ આદિ કારણ છું. ।।૧૦- ૨।।
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।
असंमूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥१०- ३॥
જે મને અજન્મા-જન્માદિક વિકારે રહિત, અને અનાદિ સર્વ લોકનો મહેશ્વર સર્વ-નિયન્તા એમ જાણે છે, તે મનુષ્યોમાં ઉત્તમ જ્ઞાની સર્વ પાપથી સર્વથા મુકાઇ જાયછે. ।।૧૦- ૩।।
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥१०- ४॥
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥१०- ५॥
બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ-સાવધાનતા,ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુ:ખ, ભવ-ઉત્પત્તિ, અભાવ-નાશ, ભય અને અભય પણ. અહિંસા, સમતા-સમદૃષ્ટિ, તુષ્ટિ-સંતોષ, તપ, દાન, યશ, અપયશ, આ સઘળા જુદા-જુદા પ્રકારના ભૂતમાત્રના ભાવો-ગુણો, મારા થકીજ પ્રવર્તે છે. ।।૧૦- ૪-૫।।
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥१०- ६॥
સાત મહર્ષિઓ, તે પહેલાંના ચાર-સનકાદિકો, તથા ચૌદમનુઓ, આ સઘળા, કે જેમનાથી લોકમાં આ સઘળી પ્રજાઓ થઇ છે, તે બધા બ્રહ્માના મનથી થયેલા મારા ભાવો છે. ।।૧૦-૬।।
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥१०- ७॥
મારી આ વિભૂતિ અને મારૂં આ સામર્થ્ય તેને જે તત્ત્વથી જાણે છે, તો તે પુરૂષ અવિચળ ભક્તિયોગથી જોડાય છે-નિષ્પન્ન થાય છે, એમાં કાંઇ સંશય નથી. ।।૧૦- ૭।।
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥१०- ८॥
હું જ સર્વ જગત્નો આદિ કારણભૂત છું. અને મારાથીજ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમઝીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઇને મનેજ ભજે છે. ।।૧૦- ૮।।
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥१०- ९॥
મારા ભક્તો મારામાંજ ચિત્ત રાખીને, મારામાંજ પ્રાણવૃત્તિ જોડીને, પરસ્પર એકબીજાને મારો મહિમા સમજાવતાં, અને નિરન્તર મારીજ કથા-વાર્તાઓ કરતાં સન્તુષ્ટ વર્તે છે. અને આનન્દાનુભવ માણે છે. ।।૧૦- ૯।।
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥१०- १०॥
આ પ્રમાણે મારામાં અખંડ જોડાઇ રહેલા અને મને જ પ્રીતિપૂર્વક ભજનારા તે મારા ભક્તોને હું તેવો બુદ્ધિયોગ આપું છું કે જેનાથી તેઓ મને સાક્ષાત્ પામે છે-ઠેઠ મારા ધામમાં જ જાય છે. ।।૧૦- ૧૦।।
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥१०- ११॥
અને તેઓના ઉપર અનુગ્રહ કરવા માટેજ, તેમના હ્રદયારવિંદમાં અખંડ વિરાજમાન રહેલો હું પ્રકાશિત જ્ઞાનદીપથી તેમના અજ્ઞાનથી પ્રસરતા અંધકારને-આવરણને નાશ કરૂં છું. ।।૧૦- ૧૧।।
अर्जुन उवाच
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१०- १२॥
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥१०- १३॥
અર્જુન પૂછે છે =
આપજ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર-પતિતપાવન છો. અને આપનેજ શાશ્વત પુરૂષ, દિવ્યમૂર્તિ, આદિદેવ, અજન્મા અને વિભુ સર્વવ્યાપક છો. એમ બધા મહર્ષિઓ કહે છે. તેમજ દેવર્ષિ નારદમુનિ. અસિત, દેવળ અને વ્યાસમુનિ, એ સર્વે તથા આપ પોતે પણ મને એમજ કહી સમઝાવો છો. ।।૧૦- ૧૨-૧૩।।
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१०- १४॥
હે કેશવ ! આપ મને જે કહો છો, તે સઘળું હું સત્યજ માનું છું. ખરેખર હે ભગવાન્ ! આપના વ્યક્તિ ભાવને તો નથી દેવો જાણતા, કે નથી દૈત્યો જાણતા. ।।૧૦- ૧૪।।
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥१०- १५॥
હે ભૂતભાવન !-ભૂત-પ્રાણીમાત્રને વૃદ્ધિ પમાડનારા ! હે ભૂતેશ ! ભૂતમાત્રના નિયંતા, હે દેવદેવ ! જગત્પતે ! અને હે પુરૂષોત્તમ ! તમેજ એક તમારા સ્વરૂપને તથા મહિમા સામર્થ્યને તમારી મેળેજ સ્વયં પોતેજ જાણો છો. ।।૧૦- ૧૫।।
वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः ।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥१०- १६॥
માટે આપની દિવ્ય-સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ મને સમગ્રપણે કહેવાને યોગ્ય છો. કે જે વિભૂતિઓથી આ સર્વ લોકમાં આપ વ્યાપીને રહેલા છો. ।।૧૦- ૧૬।।
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥१०- १७॥
હે યોગેશ્વર ! તમારૂં સદાય પરિચિન્તવન કરતાં તમને હું કેવી રીતે જાણી શકું ? હે ભગવન્ ! કયા કયા પદાર્થોમાં મારે આપનું ચિન્તવન કરવું ? ।।૧૦- ૧૭।।
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥१०- १८॥
હે જનાર્દન ! આપનો મહિમા અને આપની વિભૂતિઓ ફરીથી વિસ્તારપૂર્વક મને કહો ? આપનો મહિમા સમજાવનારૂં અમૃત તુલ્ય આપનું ભાષણ સાંભળતાં મને તૃપ્તિ જ થતી નથી. ।।૧૦- ૧૮।।
श्रीभगवानुवाच
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः ।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥१०- १९॥
શ્રી ભગવાન કહે છે =
ભલે ત્યારે હે કુરૂશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણ કે - મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત તો નથી જ. ।।૧૦- ૧૯।।
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥१०- २०॥
હે ગુડાકેશ ! સર્વ ભૂત-પ્રાણીમાત્રના હ્રદયમાં રહેલો આત્મા-જીવાત્મા તે હું છું-મારી વિભૂતિ છે. અને સર્વ ભૂતોનો આદિ કારણ, મધ્ય-સ્થિતિ-રક્ષણ કરનારો, અને અન્ત-સંહાર કરનારો પણ હું જ છું. ।।૧૦- ૨૦।।
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥१०- २१॥
બાર આદિત્યોમાં વિષ્ણુનામે આદિત્ય હું છું. પ્રકાશવાળા પદાર્થોમાં અંશુમાન્-સૂર્યદેવ હું છું. ઓગણપચાશ વાયુઓમાં મરીચિનામે વાયુ હું છું. અને નક્ષત્રોમાં ચન્દ્રમા તે હું છું. ।।૧૦- ૨૧।।
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥१०- २२॥
વેદોમાં સામ વેદ હું છું દેવોમાં ઇન્દ્ર દેવ હું છું. ઇન્દ્રિયોમાં મન હું છું. અને ભૂતોમાં ચેતના-બુદ્ધિતત્ત્વ હું છું. ।।૧૦- ૨૨।।
रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥१०- २३॥
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥१०- २४॥
અગીયાર રૂદ્રોમાં શંકર હું છું. યક્ષોમાં અને રાક્ષસોમાં કુબેર હું છું. આઠ વસુઓમાં પાવક નામે વસુ હું છું. શિખરોવાળા પર્વતોમાં મેરૂ નામે પર્વત હું છું. હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય જે દેવગુરુ બૃહસ્પતિ તે મને જાણ ! સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું. અને જળાશયોમાં સાગર હું છું. ।।૧૦- ૨૩-૨૪।।
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥१०- २५॥
મહર્ષિઓમાં ભૃગુઋષિ હું છું. સર્વ વાણીમાં એકાક્ષર - ૐ કાર હું છું. યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. અને સ્થાવર એટલે સ્થિર પદાર્થોમાં હિમાચળ હું છું. ।।૧૦- ૨૫।।
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥१०- २६॥
સર્વ વૃક્ષોમાં અશ્વત્થ-પીપળો હું છું. દેવર્ષિઓમાં નારદ મુનિ હું છું. સર્વ ગંધર્વોમાં ચિત્રરથ હું છું. અને સર્વ સિદ્ધપુરૂષોમાં કપીલમુનિ હું છું. ।।૧૦- ૨૬।।
उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥१०- २७॥
ઘોડાઓમાં અમૃતની સાથે સમુદ્રમાંથી નીકળેલો ઉચ્ચૈઃશ્રવા નામે ઘોડો મને જાણ ! ગજેન્દ્રોમાં ઐરાવત મને જાણ ! અને મનુષ્યોમાં રાજા મને જાણ ! ।।૧૦- ૨૭।।
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥१०- २८॥
આયુધોમાં વજ્ર આયુધ હું છું. ધેનુઓમાં કામદુઘા ધેનું હું છું. પ્રજા પેદા કરનારા કંદર્પ-કામ તે પણ હું છું. અને સર્પોમાં વાસુકી સર્પ હું છું. ।।૧૦- ૨૮।।
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥१०- २९॥
નાગોમાં અનંત નામે નાગ હું છું. જળવાસીઓમાં વરૂણદેવ હું છું. પિત્રુઓમાં અર્યમા હું છું. અને નિયમન કરનારાઓમાં જમરાજા હું છું. ।।૧૦- ૨૯।।
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥१०- ३०॥
દૈત્યોમાં ભક્તરાજ પ્રહ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ-સિંહ હું છું. અને પક્ષીઓમાં પક્ષીરાજ ગરૂડ હું જ છું. ।।૧૦- ૩૦।।
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥१०- ३१॥
વહેતા વેગવાળા પદાર્થોમાં પવન હું છું. શસ્ત્રધારીઓમાં દશરથ પુત્ર શ્રીરામ હું છું. માછલાઓમાં મઘર હું છું. અને વહેતા પ્રવાહ-નદીઓમાં જહ્નુકન્યા ગંગા હું છું. ।।૧૦- ૩૧।।
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥१०- ३२॥
હે અર્જુન ! દરેક સર્ગોનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. અને વાદ કરનારાઓના વાદનો વિષય હું છું. ।।૧૦- ૩૨।।
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥१०- ३३॥
અક્ષરોમાં અ અક્ષર હું છું. સમાસોમાં ઉભયપદ પ્રદાન દ્વન્દ્વ સમાસ હું છું. સર્વકાળના વિભાગોમાં અક્ષયકાળ હું છું. અને ચોતરફ મુખવાળો બ્રહ્મા તે પણ હું જ છું. ।।૧૦- ૩૩।।
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥१०- ३४॥
સર્વને હરનારો મૃત્યુ-કાળ હું છું. અને ઉત્પન્ન થનારાઓનો ઉદભવ-ઉત્પત્તિનું સ્થાન હું છું. અને સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ સર્વ હું જ છું. ।।૧૦- ૩૪।।
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥१०- ३५॥
તેમજ સામવેદના મંત્રોમાં બૃહત્સામ તે હું છું. અને સર્વ છંદોમાં ગાયત્રીછંદ તે હું છું. બાર મહિનાઓમાં માર્ગશીર્ષ (માગસર) માસ તે હું છું. અને છ ઋતુઓમાં વસંત હું છું. ।।૧૦- ૩૫।।
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥१०- ३६॥
છેતનારાઓનું દ્યૂત-છળસામર્થ્ય હું છું. તેજસ્વીઓનું તેજ-પ્રભાવ હું છું. વિજય અને વ્યવસાય તે પણ હું છું. અને સાત્વિક-સમર્થ પુરૂષોનું સામર્થ્ય હું છું. ।।૧૦- ૩૬।।
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥१०- ३७॥
સર્વ યાદવોમાં વાસુદેવ તે હું છું. અને પાંડવોમાં ધનંજય-અર્જુન તે હું છું. મુનિઓના મધ્યે પણ વ્યાસ મુનિ તે હું છું. અને કવિઓમાં-જ્ઞાનીજનોમાં ઉશના-શુક્રાચાર્ય કવિ હું છું. ।।૧૦- ૩૭।।
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥१०- ३८॥
નિયમન કરનારાઓનો દંડ હું છું. અને જયની અભિલાષા સેવનારાઓની નીતિ-ગુહ્યવિચારણા હું છું. રહસ્યોમાં મૌન અને જ્ઞાનવાળાઓનું પરમ જ્ઞાન તે પણ હું જ છું. ।।૧૦- ૩૮।।
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥१०- ३९॥
અને વળી હે અર્જુન ! સર્વ ભૂત-પ્રાણી માત્રનું જે સનાતન બીજકારણ તે પણ હું જ છું. કારણ કે એવું એક પણ ચરાચર-ભૂતપ્રાણી નથી, કે જે મારા સિવાય થયું હોય કે રહેતું હોય. ।।૧૦- ૩૯।।
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥१०- ४०॥
હે પરન્તપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પાર જ નથી. અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગદર્શન જેવો કહ્યો છે. ।।૧૦- ૪૦।।
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ॥१०- ४१॥
આ જગતમાં જે જે વિભૂતિવાળું પ્રાણી-શોભાયમાન કે પ્રભાવશાળી હોય તે તે બધુંય મારા તેજ-સામર્થ્યના એક અંશમાંથી જ થયેલું છે, એમ તું જાણ ! ।।૧૦- ૪૧।।
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥१०- ४२॥
અથવા તો હે અર્જુન ! તારે આ બધુ જાણવાથી શો વિશેષ છે ? આ સઘડા જગતને હું મારા ઐશ્વર્યના એક અંશથી ઐશ્વર્ય લેશથી ધારી રહ્યો છું. ।।૧૦- ૪૨।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः ॥ १० ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિભૂતિયોગો નામ દશમોઽધ્યાયઃ ।।૧૦।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૧
ॐ
श्रीपरमात्मने नमः
अथैकादशोऽध्यायः
अर्जुन उवाच
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥११- १॥
અર્જુન કહે છે =
મારા ઉપર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ રહસ્યરૂપ અધ્યાત્મ-જ્ઞાન સંબંધી વચન કહ્યું, તેનાથી મારો આ મોહ ટળી ગયો. ।।૧૧- ૧।।
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥११- २॥
કેમ કે - હે કમળનયન પ્રભો ! મેં આપના થકી ભૂત-પ્રાણીમાત્રની ઉત્ત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે, તથા આપનો અખંડ અવિનાશી મહિમા પણ સાંભળ્યો છે. ।।૧૧- ૨।।
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥११- ३॥
હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો, એ બરોબર એમ જ છે. પરંતુ હે પુરૂષોત્તમ ! આપનું એ સકળ ઐશ્વર્ય સંપન્ન ઐશ્વર્યરૂપ હું સાક્ષાત્ નેત્રોથી જોવા ઇચ્છુ છું. ।।૧૧- ૩।।
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥११- ४॥
હે પ્રભો ! જો મારાથી તે આપનું રૂપ દેખવાને શક્ય છે, એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર ! મને આપ આપના એ અવિનાશી સ્વરૂપનાં દર્શન કરાવો. ।।૧૧- ૪।।
श्रीभगवानुवाच
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥११- ५॥
શ્રી ભગવાન કહે છે =
હે પાર્થ ! મારાં સોએ સો અને હજારો હજાર નાના પ્રકારનાં અનેક વર્ણનવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિકરૂપોને તું જો ! ।।૧૧- ૫।।
पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥११- ६॥
હે ભરતકુળોત્પન્ન- અર્જુન ! મારામાં રહેલા બાર આદિત્યો, આઠ વસુઓ, અગીયાર રૂદ્રો, બે અશ્વિનીકુમારો, તથા ઓગણપચાસ મરૂતોને જો ! તેમ જ પૂર્વે કદી નહિ જોએલાં એવાં ઘણાંક આશ્ચર્યકારી રૂપોને પણ જો ! ।।૧૧- ૬।।
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥११- ७॥
હે ગુડાકેશ ! હમણાં આ મારાં શરીરમાં એકભાગમાં રહેલું સચરાચર સઘળું વિશ્વ જો ! તેમજ-તું જે કાંઇ બીજું જોવા ઇચ્છતો હોય તે પણ જો ! ।।૧૧- ૭।।
न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११- ८॥
પણ મને તું આ તારા પ્રાકૃત-માયિક ચક્ષુથી તો જોવા સમર્થ નહિ જ થાય. માટે હું તને દિવ્ય ચક્ષુ આપુછું. એનાંથી તું મારૂં ઇશ્વરભાવને જણાવનારૂં યોગ સામર્થ્ય જો ! ।।૧૧- ૮।।
संजय उवाच
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥११- ९॥
સંજય કહે છે =
હે રાજન્ ! મહાયોગેશ્વર અને સ્મરણ માત્રથી પાપને હણનારા ભગવાન શ્રીહરિએ આપ્રમાણે કહીને તુરતજ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૧૧- ૯।।
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥११- १०॥
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११- ११॥
અનેક મુખ અને અનેક નેત્રોએ યુક્ત, અનેક અદ્ભુત- આશ્ચર્યકારી દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોએ યુક્ત, અને અનેક ઉગામેલાં દિવ્ય આયુધો ધારી રહેલું. દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રો ધારણ કરી રહેલું, દિવ્ય ગંધનું બધે શરીરે જેને લેપન કરેલું છે. સર્વ આશ્ચર્યોથી પૂર્ણ, ચોતરફ સીમાએ રહિત, સર્વ બાજુએ મુખવાળું એવું વિરાટરૂપ ભગવાને અર્જુનને બતાવ્યું. ।।૧૧- ૧૦-૧૧।।
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥११- १२॥
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥११- १३॥
આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઉદય પામ્યા હોય અને તેનો જેવો પ્રકાશ થાય, તે પ્રકાશ પણ મહાત્મા-વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશને તુલ્ય કદાચિત્ થાય કે ન પણ થાય. પાંડુપુત્ર અર્જુનને તે સમયમાં અનેક પ્રકારે ભિન્નભિન્ન રહેલું સઘળું જગત્ દેવોના પણ દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એકભાગમાં રહેલું દીઠું. ।।૧૧- ૧૨-૧૩।।
ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥११- १४॥
અને તે પછી આવાં ઐશ્વર્યથી ચકીત અને રોમાંચ શરીરવાળો અર્જુન પ્રકાશમય વિશ્વરૂપ શ્રીકૃષ્ણ પરમાત્માને શ્રધ્ધા-ભક્તિ પૂર્વક મસ્તકથી નમસ્કાર કરી હાથ જોડીને કહેવા લાગ્યો. ।।૧૧- ૧૪।।
अर्जुन उवाच
पश्यामि देवांस्तव देव देहे
सर्वांस्तथा भूतविशेषसंघान् ।
ब्रह्माणमीशं कमलासनस्थ-
मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥११- १५॥
અર્જુન કહે છે =
હે પ્રકાશ મૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને, તથા અનેક ભૂતોના સમુદાયોને, તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને, તથા શંકરને, તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું દેખું છું. ।।૧૧- ૧૫।।
अनेकबाहूदरवक्त्रनेत्रं
पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं
पश्यामि विश्वेश्वर विश्वरूप ॥११- १६॥
હે વિશ્વના સ્વામી સમર્થદેવ ! હું આપને અનેક ભુજા, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા સર્વબાજુએ અનંતરૂપે દેખાતા જોઉં છું. હે વિશ્વરૂપ ! હું આપનો નથી અંત છેડો દેખતો, કે નથી મધ્ય દેખતો, તેમજ આપનો આદિ ભાગ પણ હું નથી દેખતો. ।।૧૧- ૧૬।।
किरीटिनं गदिनं चक्रिणं च
तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ता-
द्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥११- १७॥
હું આપને મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા તથા સર્વથા તેજના સમૂહરૂપ અને સર્વ બાજુએથી મહા કાન્તિમાન, તથા બળતો અગ્નિ અને સૂર્યને સમાન પ્રકાશમય અને સર્વ બાજુએથી અમાપ સ્વરૂપ અને સામું પણ ન જોઇ શકાય એવા દુર્નિરીક્ષ્યરૂપ આપને દેખું છું. ।।૧૧- ૧૭।।
त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ॥११- १८॥
આપજ જાણવા યોગ્ય- જ્ઞેયસ્વરૂપ પરમ અક્ષર છો. આપજ આ સકળ વિશ્વના પરમ નિધાન-આશ્રય છો. શાશ્વત-સનાતન ધર્મના રક્ષક આપ જ છો. તથા અવ્યય સ્વરૂપ સનાતન પુરૂષ-પરમાત્મા આપ જ છો. એમ મારો મત-અભિપ્રાય છે. ।।૧૧- ૧૮।।
अनादिमध्यान्तमनन्तवीर्य-
मनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं
स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥११- १९॥
આપને આદિ, મધ્ય અને અન્તે વર્જીત, અનન્ત વીર્ય-પરાક્રમવાળા, અનન્ત ભુજાઓવાળા, ચન્દ્ર-સૂર્યરૂપ નેત્રોવાળા, પ્રજવલિત જવાળાઓવાળો અગ્નિ જેના મુખમાં રહેલો છે. અને પોતાના તેજથી આ સઘળા વિશ્વને તપાવતા એવા હું જોઉં છું. ।।૧૧- ૧૯।।
द्यावापृथिव्योरिदमन्तरं हि
व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं
लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥११- २०॥
હે મહાત્મન્ ! સ્વર્ગ લોક અને આ પૃથ્વી લોક એ બેનો વચલો લઘળો આકાશનો ભાગ તથા સર્વ દિશાઓ તમો એકલાથી જ વ્યાપ્ત-પૂર્ણ છે. અને આ આપનું આશ્ચર્યકારી અને ઉગ્ર-ભયંકર રૂપ જોઇને સઘળી ત્રિલોકી અતિશય વ્યથા પામી ગઇ છે. ।।૧૧- ૨૦।।
अमी हि त्वां सुरसंघा विशन्ति
केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥११- २१॥
આ સઘળા દેવતાઓના સમૂહો આપના પ્રત્યે જ પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક ભયભીત થઇને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. તેમજ મહર્ષિઓ અને સિદ્ધોના સમૂહો ‘‘કલ્યાણ હો’’ એમ કહીને ઘણાં ઉત્તમ સ્તુતિવચનરૂપ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. ।।૧૧- ૨૧।।
रुद्रादित्या वसवो ये च साध्या
विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिद्धसंघा
वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥११- २२॥
અગીયાર રૂદ્રો, બાર આદિત્યો, આઠ વસુઓ, સાધ્ય દેવો, વિશ્વ દેવો, અશ્વિની કુમારો, મરૂત્-વાયુગણો તથા પિતૃગણો, તેમજ ગન્ધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોના સમૂહો, આ સર્વે વિસ્મિત-ચકિત થઇને ભયપૂર્વક આપને જોઇ રહ્યા છે. ।।૧૧- ૨૨।।
रूपं महत्ते बहुवक्त्रनेत्रं
महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं
दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥११- २३॥
હે મહાબાહો ! આપનું બહુ મુખ અને બહુ નેત્રોવાળું,ઘણાક બાહુઓ, સાથળો અને પગોવાળું, બહુ ઉદરવાળું, બહુ દાઢોથી ભયંકર લાગતું, એવું આ મોટું રૂપ- આકૃતિ જોઇને સઘળા લોકો વ્યાકુળ થઇ ગયા છે. અને હું પણ વ્યાકુળ થઇ ગયો છું. ।।૧૧- ૨૩।।
नभःस्पृशं दीप्तमनेकवर्णं
व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा
धृतिं न विन्दामि शमं च विष्णो ॥११- २४॥
કારણ કે-હે વિષ્ણો ! આકાશને અડી રહેલા, દેદીપ્યમાન-પ્રકાશમય, અનેક વર્ણ-રંગવાળા, ફાટું મુખ અને પ્રજ્વલિત વિશાળ નેત્રોવાળા એવા આપને જોઇને અતિ વ્યથા પામેલો ભયભીત અન્તઃકરણવાળો હું ધીરજ નથી પામતો, તેમ મને શાન્તિ પણ નથી થતી. ।।૧૧- ૨૪।।
दंष्ट्राकरालानि च ते मुखानि
दृष्ट्वैव कालानलसन्निभानि ।
दिशो न जाने न लभे च शर्म
प्रसीद देवेश जगन्निवास ॥११- २५॥
આપનાં દાઢોને લીધે ભયંકર લાગતાં અને પ્રલય કાળના અગ્નિ સમાન પ્રજવલિત મુખો જોઇને હું દિશાઓ પણ જાણતો નથી, તેમ મને સુખ પણ થતું નથી. માટે હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૧૧- ૨૫।।
अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपालसंघैः ।
भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ
सहास्मदीयैरपि योधमुख्यैः ॥११- २६॥
वक्त्राणि ते त्वरमाणा विशन्ति
दंष्ट्राकरालानि भयानकानि ।
केचिद्विलग्ना दशनान्तरेषु
संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥११- २७॥
આ સઘળા ધૃતરાષ્ટ્રના છોકરાઓ સર્વ અવનિપાળોએ સહિત આપનામાં પ્રવેશ કરી રહ્યા છે, આ ભીષ્મ-પિતામહ, દ્રોણાચાર્ય, અને આ સૂતપુત્ર-કર્ણ, તથા અમારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓએ સહિત બહુ કોઇ અતિ ત્વરાપૂર્વક વિકરાળ દાઢોને લીધે અતિ ભયાનક આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક તો ભાંગી ગયેલાં મસ્તકોએ સહિત આપના દાંતોના અન્તરાળ ભાગમાં વળગી રહેલા દેખાય છે. ।।૧૧- ૨૬-૨૭।।
यथा नदीनां बहवोऽम्बुवेगाः
समुद्रमेवाभिमुखा द्रवन्ति ।
तथा तवामी नरलोकवीरा
विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥११- २८॥
જેમ નદીઓના ઘણાક જળના પ્રવાહો સ્વાભાવિકપણે સમુદ્ર તરફજ વેગપૂર્વક દોડે છે. એટલે કે સમુદ્રમાંજ જેમ પ્રવેશ કરે છે. તેમ જ આ સઘળા નર લોકના વીરો પણ આપનાં અતિ પ્રજવલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. ।।૧૧- ૨૮।।
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा
विशन्ति नाशाय समृद्धवेगाः ।
तथैव नाशाय विशन्ति लोका-
स्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥११- २९॥
જેમ બળતા અગ્નિ પ્રત્યે પતંગીઆઓ આંધળા થઇને પોતાના નાશ માટે અતિ વેગથી દોડતા થકા પ્રવેશ કરે છે. તે જ પ્રમાણે આ સઘળા લોક પણ પોતાના નાશને માટેજ આપના મુખોમાં અતિ વેગપૂર્વક દોડતા પ્રવેશ કરી રહ્યા છે. ।।૧૧- ૨૯।।
लेलिह्यसे ग्रसमानः समन्ता-
ल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
तेजोभिरापूर्य जगत्समग्रं
भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥११- ३०॥
આપ આ સઘળા લોકોને પ્રજ્વલિત મુખોથી ગળી લેતા થકા ચોતરફથી ચાટી રહ્યા છો. હે વિષ્ણો ! આપની ઉગ્રકાન્તિઓ સમગ્ર જગત્ને પોતાના તેજથી ભરી કાઢીને અતિ તપાયમાન જણાય છે - તપી રહે છે. ।।૧૧- ૩૦।।
आख्याहि मे को भवानुग्ररूपो
नमोऽस्तु ते देववर प्रसीद ।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं
न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥११- ३१॥
મને કહો ! કે આવા ઉગ્ર-ભયાનક રૂપવાળા આપ કોણ છો ? હે દેવવર ! આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ ! આદિપુરુષ આપને હું વિશેષપણે જાણવા ઇચ્છું છું. કેમ કે-આપની આ પ્રવૃતિ મારા સમઝાવામાં નથી આવતી. ।।૧૧- ૩૧।।
श्रीभगवानुवाच
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥११- ३२॥
શ્રી ભગવાન કહે છે-
હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું. અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે સામા પક્ષની સેનાઓમાં રહેલા યોદ્ધાઓ છે. તે સઘળાય પણ એક તારા સિવાય નહી રહે. અર્થાત્ તું યુદ્ધ નહિ કરે તોય તે સર્વે જીવવાના નથી. મરવાના જ છે.।।૧૧- ૩૨।।
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व
जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।
मयैवैते निहताः पूर्वमेव
निमित्तमात्रं भव सव्यसाचिन् ॥११- ३३॥
માટે તું ઉઠ ! યશ પ્રાપ્તિ કરી લે ! અને શત્રુઓને જીતીને ધન ધાન્યાદિક સમૃદ્ધિથી સમૃદ્ધ રાજ્ય ભોગવ ! આ સર્વ શૂરવીર યોદ્ધાઓને મેં પ્રથમથીજ મારી દૃષ્ટિમાત્રથી મારી મૂકેલા છે. અને હે સવ્યસાચિન્ ! તું તો આ યુદ્ધમાં જય પામવામાં નિમિત્તમાત્રજ થા ! ।।૧૧- ૩૩।।
द्रोणं च भीष्मं च जयद्रथं च
कर्णं तथान्यानपि योधवीरान् ।
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा
युध्यस्व जेतासि रणे सपत्नान् ॥११- ३४॥
દ્રોણાચાર્ય અને ભિષ્મપિતામહ, તથા જયદ્રથ અને કર્ણ, તથા બીજા પણ ઘણાક મારા દ્વારા હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું માર ! તું વ્યથા ન પામીશ, નિઃસંદેહ તું યુદ્ધ કર ! રથ સંગ્રામમાં શત્રુઓને તું જ જીતનારો છે. ।।૧૧- ૩૪।।
संजय उवाच
एतच्छ्रुत्वा वचनं केशवस्य
कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं
सगद्गदं भीतभीतः प्रणम्य ॥११- ३५॥
સંજય કહે છે-
કેશવ ભગવાનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઇ જઇને પ્રણામ કરીને ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યે ગદગદ વાણીથી કહેવા લાગ્યો ।।૧૧- ૩૫।।
अर्जुन उवाच
स्थाने हृषीकेश तव प्रकीर्त्या
जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति
सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥११- ३६॥
અર્જુન કહે છે =
હે અન્તર્યામિન્ ! આપનાં નામ અને ગુણ તથા પ્રભાવનું કીર્તન કરવાથી સઘણું જગત્ અતિ હર્ષિત થઇ રહ્યું છે. અને આપનામાં અતિ સ્નેહાતુર બની જાય છે. તેમજ ભયભીત થયેલા રાક્ષસગણો ચોતરફ દિશાઓમાં દોડી જાય છે. અને સર્વ સિદ્ધગણો નમસ્કાર કરી રહ્યા છે. ।।૧૧- ૩૬।।
कस्माच्च ते न नमेरन्महात्मन्
गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास
त्वमक्षरं सदसत्तत्परं यत् ॥११- ३७॥
હે મહાત્મન્ સર્વથી મહાન્ અને બ્રહ્માના પણ આદિકર્તા એવા આપને કેમ તેઓ નમસ્કાર ન કરે ? કેમકે હે અનન્ત ! હે દેવેશ ! હે જગન્નિવાસ ! સત્-કાર્ય અને અસત્-કારણ એ બન્નેરૂપ આ સઘળું વિશ્વ અને તે સર્વથી પણ પર એવું જે અક્ષર તે પણ આપ જ છો. ।।૧૧- ૩૭।।
त्वमादिदेवः पुरुषः पुराण-
स्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्तासि वेद्यं च परं च धाम
त्वया ततं विश्वमनन्तरूप ॥११- ३८॥
આપ આદિદેવ અને પુરાણ-સનાતન પુરૂષ-પરમાત્મા છો. આપ જ આ વિશ્વના પરમ આધાર છો. જાણનારા છો. અને જાણવા યોગ્ય પરમધામ પણ આપ જ છો. હે અન્નતરૂપ ! આપે જ આ સઘળું વિશ્વ વ્યાપેલું છે. અર્થાત્ આપજ સર્વત્ર પરિપૂર્ણ છો. ।।૧૧- ૩૮।।
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः
प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥११- ३९॥
આપજ વાયુ, યમ, અગ્નિ, વરૂણ, ચન્દ્રમા, પ્રજાઓના સ્વામી બ્રહ્મા અને તેના પણ પિતા વૈરાજ છો. આપને હજારો વાર નમસ્કાર છે. નમસ્કાર છે. વળી આપને ફરીથી પણ વારંવાર નમસ્કાર કરૂં છું, નમસ્કાર કરૂં છું ।।૧૧- ૩૯।।
नमः पुरस्तादथ पृष्ठतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥११- ४०॥
હે અનન્ત-અપાર સામર્થ્યવાળા પ્રભો ! આપને આગળથી પણ નમસ્કાર છે. અને પાછળથી પણ નમસ્કાર છે. હે સર્વાત્મન્ ! આપને સર્વ બાજુઓથી નમસ્કાર છે. કારણ કે આપ તો અનન્ત-અમાપ પરાક્રમવાળા છો. અને સર્વમાં વ્યાપીને રહેલા છો. માટે આપ જ સર્વરૂપ છો. ।।૧૧- ૪૦।।
सखेति मत्वा प्रसभं यदुक्तं
हे कृष्ण हे यादव हे सखेति ।
अजानता महिमानं तवेदं
मया प्रमादात्प्रणयेन वापि ॥११- ४१॥
यच्चावहासार्थमसत्कृतोऽसि
विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं
तत्क्षामये त्वामहमप्रमेयम् ॥११- ४२॥
આવો તમારો મહિમા નહિ જાણતાં મેં આપ મારા સખા છો એમ માનીને પ્રેમથી અથવા તો કયારેક પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખે ! એવા શબ્દો કહ્યા હોય, તેમજ હે અચ્યુત ! આપને મેં હાસ્ય-વિનોદ પ્રસંગે વિહાર, શય્યા, આસન અને ભોજન વિગેરેના પ્રસંગે, આપ એકલા હો ત્યારે અથવા આપના સખા વિગેરેના સમક્ષમાં પણ અપમાનિત કર્યા હોય, તે સઘળા અપરાધની અપાર મહિમાવાળા અપ્રમેયસ્વરૂપ આપની પાસે હું ક્ષમા માગું છું।। ૧૧- ૪૧-૪૨।।
पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो
लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥११- ४३॥
तस्मात्प्रणम्य प्रणिधाय कायं
प्रसादये त्वामहमीशमीड्यम् ।
पितेव पुत्रस्य सखेव सख्युः
प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥११- ४४॥
આપ આ સ્થાવર-જંગમાત્મક સકળ લોકના પિતા અને આસર્વ વિશ્વના પૂજ્ય ગુરૂ અને સર્વ તુલ્ય બીજો કોઇ નથી, તો પછી આપનાથી અધિક તો હોઇ જ કેમ શકે ? ।। તેથી હે પ્રભો ! આપના ચરણોમાં આ શરીરને અર્પણ કરીને પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય સકળ વિશ્વના સ્વામી આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરૂં છું - હે દેવ ! પિતા જેમ પુત્રનો, સખા જેમ સખાનો અને પ્રિય-પતિ જેમ પ્રિયા-પત્નીનો અપરાધ સહન કરે છે. એજ પ્રમાણે આપ મારો અપરાધ સહન કરવા યોગ્ય છો. ।।૧૧- ૪૩-૪૪।।
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा
भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रूपं
प्रसीद देवेश जगन्निवास ॥११- ४५॥
મેં પહેલાં નહિ દેખેલું આપનું આવું આશ્ચર્યમય રૂપ જોઇને હર્ષિત થયો છું. તેમજ વળી મારૂં મન ભયથી પણ વ્યાકુળ બની ગયું છે, માટે હે દેવ ! મને જે પ્રથમ હતું તે જ રૂપ બતાવો ! અને હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૧૧- ૪૫।।
किरीटिनं गदिनं चक्रहस्त-
मिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमूर्ते ॥११- ४६॥
હું આપને મુકુટધારી, ગદાધારી અને ચક્ર હસ્તમાં જેમને છે, એવા દેખવા ઇચ્છું છું, માટે હે વિશ્વસ્વરૂપ ! હે સહસ્રબાહો ! આપ તે પ્રમાણેજ-તે ચર્તુભુજરૂપે જ થાઓ ! દર્શન આપો ! ।।૧૧- ૪૬।।
श्रीभगवानुवाच
मया प्रसन्नेन तवार्जुनेदं
रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥११- ४७॥
શ્રીભગવાન કહે =
છે હે અર્જુન અનુગ્રહપૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારૂં પરમ તેજોમય સર્વનું આદિભૂત અને સીમાએ રહિત વિરાટરૂપ તને બતાવ્યું છે. કે જે તારા સિવાય બીજા કોઇએ આથી પૂર્વે દેખ્યું નહોતું. ।।૧૧- ૪૭।।
न वेदयज्ञाध्ययनैर्न दानै-
र्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।
एवंरूपः शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥११- ४८॥
કુરૂકુળમાં શ્રેષ્ઠ હે અર્જુન ! મનુષ્ય લોકમાં આવા પ્રકારે વિશ્વરૂપે હું નહિ તો વેદોથી, કે નહિ યજ્ઞોથી, કે નહિ અધ્યયનો કરવાથી, તેમજ નહિ દાનોથી, કે નહિ ક્રિયાઓથી, અગર તો નહિ ઉગ્ર તપોથી પણ, તારા સિવાય બીજા કોઇએ દેખવામાં આવી શક્તો હોઉં. ।।૧૧- ૪૮।।
मा ते व्यथा मा च विमूढभावो
दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।
व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमिदं प्रपश्य ॥११- ४९॥
મારૂં આ આવું ઘોર-ભયાનક રૂપ જોઇને તને વ્યથા મા થાઓ ! અને વિમૂઢ ભાવ પણ મા થાઓ ! તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઇને ફરીથી મારૂં શંખ, ચક્ર, ગદા અને પદમ. તેણે યુક્ત ચતુર્ભુજ રૂપ સારી રીતે જો ! ।।૧૧- ૪૯।।
संजय उवाच
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रूपं दर्शयामास भूयः ।
आश्वासयामास च भीतमेनं
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥११- ५०॥
સંજય કહે છે =
વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે કહીને ફરીથી પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું. અને ફરીથી મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સૌમ્ય-અક્રોધ સુન્દરમૂર્તિ થઇને ભય પામેલા અર્જુનને આશ્વાસન કરીને ધીરજ આપી. ।।૧૧- ૫૦।।
अर्जुन उवाच
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥११- ५१॥
અર્જુન કહે છે-
હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાન્તિકર માનુષ રૂપ જોઇને હમણાં હું સ્થિરચિત્ત થયોછું. અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૧૧- ૫૧।।
श्रीभगवानुवाच
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥११- ५२॥
શ્રી ભગવાન કહે છે =
આ મારૂં જે વિશ્વ-વિરાટ્ રૂપ તેં દીઠું, તે રૂપનું દર્શન તો અતિશય દુર્લભ છે. બ્રહ્માદિક દેવો પણ આ રૂપનાં દર્શન નિરન્તર ઇચ્છયાજ કરે છે. ।।૧૧- ૫૨।।
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥११- ५३॥
જેવા પ્રકારથી તેં મને દેખ્યો. તેવી રીતે તો હું વેદોથી પણ નથી દેખવામાં આવતો. કે નથી તપથી દેખાતો, કે નથી દાનથી, કે નથી યજ્ઞથી પણ દેખવામાં શક્ય થતો. ।।૧૧- ૫૩।।
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥११- ५४॥
પરન્તુ હે પરન્તપ અર્જુન ! મારામાં અનન્ય ભક્તિથી તો આવા પ્રકારે જાણવાને, દેખવાને સાક્ષાત્ કરવાને અને તત્ત્વે કરીને પ્વેશ કરવા મારી સાથે પરમ સામ્ય પામવા માટે પણ હું શક્ય થાઉં છું ।।૧૧- ૫૪।।
मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥११- ५५॥ હે પાંડવ ! જે પુરૂષ કેવળ મારે માટે જ સઘળાં કર્મ કરનારો
થાય છે. મારા પરાયણ વર્તે છે. મારામાં ભક્તિવાળો હોય છે. સંગ- આસક્તિ વિનાનો હોય છે. અને સર્વભૂત-પ્રાણીમાં વૈર ભાવે રહિત હોય છે. તે પુરૂષ મને પામે છે. ।।૧૧- ૫૫।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नामैकादशोऽध्यायः ॥ ११ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિશ્વરૂપદર્શનયોગો નામૈકાદશોઽધ્યાયઃ ।।૧૧।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૨
ॐ
श्रीपरमात्मने नमः
अथ द्वादशोऽध्यायः
अर्जुन उवाच
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१२- १॥
અર્જુન કહે છે =
જે અનન્ય ભક્તજન આ પૂર્વે કહ્યું એ પ્રકારે નિરન્તર આપના ભજન- નમાં સંલગ્ન રહીને આપની ઉપાસના કરે છે. અને જે બીજાઓ અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે. આ બે પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે ? ।।૧૨- ૧।।
श्रीभगवानुवाच
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥१२- २॥
શ્રીભગવાન કહે છે =
મારામાંજ મનને એકાગ્ર કરીને જે ભક્તજનો મારામાં જ નિત્યયુક્ત થઇને મારી ઉપાસના કરે છે. અને મારામાંજ જેઓ પરમ દૃઢ શ્રદ્ધાએ યુક્ત છે. તે જ મારા ભક્તોમાં અતિ યુક્ત-યોગ્યતાવાળા શ્રેષ્ઠ માનેલા છે. ।।૧૨- ૨।।
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।
सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥१२- ३॥
संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥१२- ४॥
અને જે જનો તો ઇન્દ્રિયોના સમૂહને રૂડે પ્રકારે વશમાં કરીને, નિર્દેશ ન કરી શકાય એવું અને તેથીજ અવ્યક્ત, એવા કૂટસ્થ, અચળ, અવિનાશી, અક્ષર-બ્રહ્મને ઉપાસે છે. અને સર્વત્ર સમ બુદ્ધિ રાખનારા છે. અને ભૂત-પ્રાણીમાત્રનું હિત કરવામાંજ રાચનારા છે. તો તેઓ પણ મનેજ પામે છે. ।।૧૨- ૩-૪।।
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥१२- ५॥
પરન્તુ-અવ્યક્ત અક્ષર-બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે અક્ષરના ઉપાસકોને અતિ અધિક કલેશ સહેવો પડે છે. અને દેહધારીઓએ આખરે દુ:ખપૂર્વકજ તે અવ્યક્ત ગતિ પ્રાપ્ત કરાય છે. ।।૧૨- ૫।।
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥१२- ६॥
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥१२- ७॥
પણ જે જનો તો મત્પરાયણ થઇને સર્વ કર્મ મારામાં જ સમર્પણ કરીને અનન્ય-એકાન્તિક ભક્તિયોગથી મારૂં જ ધ્યાન કરતાં મારી જ ઉપાસના કરે છે. તો હે પાર્થ ! એ મારામાંજ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોનો હું થોડાજ સમયમાં મૃત્યુરૂપ સંસાર-સાગરથી ઉદ્ધાર કરનારો થાઉં છું. ।।૧૨- ૬-૭।।
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥१२- ८॥
માટે તું મારામાંજ મન લગાવી દે ! મારામાં જ બુદ્ધિ પરોવી દે ! હવે પછી તું મારામાં જ નિવાસ પામીશ. આ વાતમાં કાંઇ સંશય ન કરીશ. ।।૧૨- ૮।।
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥१२- ९॥
અને જો તું મારામાં સ્થિર ચિત્ત રાખીને ઘણો સમય ધ્યાન કરવા સમર્થ ન થતો હોય, તો હે ધનંજય ! અભ્યાસ-યોગથી તું મને પામવાની ઇચ્છા રાખ ! ।।૧૨- ૯।।
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥१२- १०॥
એવો અભ્યાસ કરવામાં પણ તું અસમર્થ હોય તો કેવળ મારે માટેજ કર્મ કરવામાં પરાયણ થઇ જા ! મારે માટેજ કર્મ કરતાં કરતાં પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને પામીશ. ।।૧૨- ૧૦।।
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥१२- ११॥
હવે- મારી પ્રાપ્તિ માટે એ પણ કરવા તું અસમર્થ હોય તો મારા ભક્તિ-યોગને આશરીને મન-બુદ્ધિને કાબુમાં રાખીને પછી સર્વ કર્મના ફળનો ત્યાગ કર ! ।।૧૨- ૧૧।।
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२- १२॥
અભ્યાસ કરતાં જ્ઞાન ઘણું સારૂં છે. જ્ઞાન કરતાં ધ્યાન વિશેષ સારૂં છે. ધ્યાન કરતાંય કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમકે ત્યાગથી તુરતજ પછી શાન્તિ પ્રાપ્ત થાય છે. ।।૧૨- ૧૨।।
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१२- १३॥
संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१२- १४॥
સર્વ ભૂત-પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરૂણા રાખનારો, મમતાએ સહિત અને અહંકારે પણ રહિત, સુખ દુ:ખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય આપવારૂપ ક્ષમા રાખનારો, અને જે ભક્ત-યોગી સદાય સન્તોષી રહેતો હોય, મન ઇન્દ્રિયોને કાબુમા રાખનારો અને મારા સ્વરૂપના દૃઢ નિશ્ચયવાળો હોય, મારામાં મન આદિક ઇન્દ્રિયો અને બુદ્ધિને અર્પણ કરીને મારીજ ભક્તિ કરનારો જે મારો ભક્ત તેજ મને પ્રિય છે. ।।૧૨- ૧૩-૧૪।।
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः ।
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥१२- १५॥
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१२- १६॥
જેનાથી કોઇ પણ પ્રાણી ઉદ્વેગ ન પામે અને જે પોતે કોઇ પણ પ્રાણીથી ઉદ્વેગ ન પામે અને જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગાદિક વિકારોથી રહિત થઇને વર્તે તે ભક્ત મને પ્રિય છે. જે કોઇની અપેક્ષા નથી રાખતો, અંદર-બહાર શુદ્ધ રહે છે. ચતુર, પક્ષપાતે રહિત વર્તનારો અને દુ:ખાદિકની વ્યથા નહિ પામનારો, તેમજ સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે મારો ભક્ત તે જ મને પ્રિય-વ્હાલો છે. ।।૧૨- ૧૫-૧૬।।
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥१२- १७॥
જે કયારેય હર્ખાઇ જતો નથી અને કોઇનો દ્વેષ પણ કરતો નથી, જે કયારેય શોક નથી કરતો તેમ કશાની આકાંક્ષા નથી રાખતો, અને સારા-નરસાનો સર્વનો પરિત્યાગ કરીને મારામાં ભક્તિવાળો જે ભક્તજન તે મને બહુજ પ્રિય-વ્હાલો છે. ।।૧૨- ૧૭।।
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥१२- १८॥
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥१२- १९॥
જે શત્રુમાં અને મિત્રમાં તથા માન-અપમાનમાં પણ સમ વર્તે છે. શીત-ઉષ્ણાદિક તથા સુખ દુ:ખમાં પણ જે સમ વર્તે છે. તેમજ સર્વમાં સંગ-આસક્તિએ રહિત છે. જે નિંદા અને સ્તુતિને સમાન સમઝે છે. મનન કરવાના સ્વભાવવાળો છે, શરીરના નિર્વાહમાં જે કોઇ પદાર્થ મળી આવે તેનાથી જે સદાય સન્તોષી રહેનાર છે. એક જ સ્થાનમાં નિયત વાસ નહિ રાખનારો અને મારામાં સદાય સ્થિર બુદ્ધિ રાખનારો મારામાં ભક્તિમાન પુરૂષ મને બહુજ વ્હાલો છે. ।।૧૨- ૧૮-૧૯।।
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥१२- २०॥
હે અર્જુન ! જે પુરૂષો આ મારા ભક્તિ-યોગરૂપ ધર્મમય અમૃતનું મારા કહેવા પ્રમાણે વર્તીને પર્યુપાસન કરે છે. અને તેમાં શ્રદ્ધાયુક્ત થઇને મત્પરાયણજ વર્તે છે. તે મારા ભક્તો મને અતિશયજ પ્રિયવ્હાલામાં વ્હાલા છે. ।।૧૨- ૨૦।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ॥ १२ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામદ્વાદશોઽધ્યાયઃ ।।૧૨।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૩
ॐ
श्रीपरमात्मने नमः
अथ त्रयोदशोऽध्यायः
श्रीभगवानुवाच
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥१३- १॥
શ્રી ભગવાન કહે છે =
હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે. અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાની જનો કહે છે. ।।૧૩- ૧।।
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥१३- २॥
હે ભારત ! સર્વક્ષેત્ર-શરીરોમાં રહેલા ક્ષેત્રજ્ઞ-જીવાત્માને પણ ક્ષેત્રની પેઠેજ મને જ જાણ ! અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, એ બન્નેના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તેજ જ્ઞાન છે. એમ મેં માનેલું છે. ।।૧૩- ૨।।
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥१३- ३॥
તે ક્ષેત્ર-શરીર, જે છે. જેવું છે. જેવા વિકારવાળું છે. તથા જેના થકી જે થયેલું છે. તથા ક્ષેત્રજ્ઞ-જીવાત્મા જે છે. અને જેવા પ્રભાવવાળો છે. તે સઘળું સંક્ષેપથી મારા થકી સાંભળ ! ।।૧૩- ૩।।
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥१३- ४॥
આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ સ્વભાવ વિગેરે ઋષિઓએ બહુ પ્રકારે નાના પ્રકારના વેદમંત્રોથી જુદુ જુદુ કહેવામાં આવ્યું છે. તેમજહેતુવાદ પૂર્વકનાં નિશ્ચિત અર્થવાળાં બ્રહ્મસૂત્રોનાં વાક્યોથી પણ કહેવામાં આવ્યું છે. ।।૧૩- ૪।।
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥१३- ५॥
इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः ।
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥१३- ६॥
પંચ મહાભૂત, અહંકાર, અને અવ્યક્ત-પ્રકૃતિ, મહત્તત્ત્વ, તથા દશ ઇન્દ્રિયો, એક મન અને શબ્દાદિક પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો. તેમજ ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પંચભૂતના સમૂહરૂપ સ્થૂળ પિંડ, ચેતન જીવાત્માને ધારણ કરવું, અથવા ચેતના-બુદ્ધિ અને ધારણ અથવા ધૈર્ય, આ સંક્ષેપથી વિકારોએ યુક્ત ક્ષેત્રનું સ્વરૂપ કહેલું છે. ।।૧૩- ૫-૬।।
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥१३- ७॥
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च ।
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥१३- ८॥
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥१३- ९॥
હવે-પાંચ શ્લોકથી જ્ઞાનનું લક્ષણ કહે છે - નિર્માન ભાવે વર્તવું, દંભે રહિત વર્તન રાખવું, અહિંસા, ક્ષમા રાખવી, મન અને વાણીથી સરલ વર્તવું, શ્રદ્ધા પૂર્વક ગુરૂની સેવા કરવી, અંદર અને બહારની શુદ્ધિ રાખવી, સ્વધર્માદિક આચરવામાં મનની સ્થિરતા રાખવી, અને મન-ઇન્દ્રિયોનો વિશેષપણે નિગ્રહ કરવો. ।।
ઇન્દ્રિયોથી ભોગવાતા શબ્દાદિક વિષયોમાં રાગે રહિત વર્તવું, કોઇ પ્રકારનો અહંકાર ન રાખવો, આ સંસારમાં અનુભવાતા જન્મ, મૃત્યું, જરા, વ્યાધિ, વિગેરે વિકારોમાં રહેલાં દુ:ખ અને દોષોનું વારંવાર આલોચન રાખવું. ।।
પુત્ર, દારા અને દેહ-ગેહાદિક વસ્તુઓમાં આસક્તિ ન રાખવી, તેમજ તેમાં અતિ મમતાથી બંધાઇ જવું નહિ, સારા-નરસા સંજોગો પ્રાપ્ત થાય ત્યારે તેમાં સદાય સમચિત્તપણું રાખવું ।।૧૩- ૭-૯।।
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥१३- १०॥
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥१३- ११॥
મારામાં અનન્ય યોગથી આવ્યભિચારિણી નિશ્ચળ ભક્તિ રાખવી. તથા એકાન્ત અને શુદ્ધ શાન્ત પ્રદેશમાં રહેવાની રૂચિ અનેવિષયી જનસમુદાયમાં પ્રીતિ ન રાખવી. ।।
આત્મસ્વરૂપના અનુસન્ધાનપૂર્વક પરમાત્મસ્વરૂપમાં નિત્યિ નરન્તર સ્થિતિ રાખવી અને તત્ત્વજ્ઞાનરૂપ અર્થનું દર્શન-સાક્ષાત્કાર કરવો. આ સઘળું જ્ઞાન એમ કહેલું છે. અને આનાથી જે વિપરીત તે અજ્ઞાન જાણવું. ।।૧૩- ૧૦-૧૧।।
ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।
अनादि मत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥१३- १२॥
જે જાણવા યોગ્ય છે. અને જેને જાણીને અમૃતરૂપ-મુક્તિને પામે છે. તે હું તને સારી રીતે કહું છું. તે અનાદિ-આદિરહિત છે. હુંજ જેને પર-પ્રધાન છું એવું બ્રહ્મ છે. અને તે બ્રહ્મ સત્ એમ પણ નથી કહેવાતું, તેમ અસત્ એમ પણ નથી કહેવાતું. ।।૧૩- ૧૨।।
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१३- १३॥
તે બ્રહ્મ સર્વ બાજુએ હાથ-પગવાળું છે. સર્વ બાજુએ નેત્ર, મસ્તક અને મુખવાળું છે. સર્વ બાજુએ કાનવાળું છે. કેમકે લોકમાં સર્વને આવરીને-વ્યાપીને રહેછે. ।।૧૩- ૧૩।।
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥१३- १४॥
સર્વની ઇન્દ્રિયોના વિષયોનો પ્રકાશ કરનારૂં છે. અને પોતે સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. પોતે અસક્ત-નિર્લેપ છે. અને સર્વનું ધારણ- પોષણ કરનારૂં છે. પોતે માયિક ગુણોથી રહિત માટે નિર્ગુણ છે. અને નિયન્તાપણે ગુણનું ભોગવનારૂં પણ છે. ।।૧૩- ૧૪।।
बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥१३- १५॥
ભૂત-પ્રાણીમાત્રની બહાર અને અંદર પણ પૂર્ણરૂપે છે. ચરઅચરરૂપે પણ એજ છે. અતિ સૂક્ષ્મ હોવાથી તે દુર્વિજ્ઞેય છે. અને દૂર રહેલું પણ એ છે. અને સમીપમાં પણ એજ છે. ।।૧૩- ૧૫।।
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥१३- १६॥
સ્વયં અવિભક્ત-વિભાગશૂન્ય હોવા છતાં પણ સર્વ ભૂતોમાં વિભક્ત જેવું જ રહેલું છે. પ્રાણીઓનું ભરણ-પોષણ કરનારૂં, ઉત્પન્ન કરીને વૃદ્ધિ પમાડનારૂં અને વળી પ્રલય વખતે સર્વને ગળી લેનારૂં છે. અર્થાત્ સંહાર કરનારૂં છે. એવું તે જાણવું. ।।૧૩- ૧૬।।
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥१३- १७॥
સર્વ પ્રકાશ કરનારાં તેજોને પણ તે પ્રકાશ આપનારૂં છે. માયાના તમ-અંધકારથી પર કહેલું છે. જ્ઞાનરૂપ છે. જાણવા યોગ્ય છે. જ્ઞાનથીજ ગમ્ય-પ્રાપ્ય છે. અને સર્વના હ્રદયમાં વસી રહ્યું છે. ।।૧૩- ૧૭।।
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥१३- १८॥
આ પ્રમાણે ક્ષેત્ર, તથા જ્ઞાન શુદ્ધ આત્મતત્ત્વરૂપ સંક્ષેપથી કહી બતાવ્યું, મારો બક્ત આ બરોબર સમઝીને મારા ભાવને-સાધર્મ્યરૂપ પરમ પદને પામે છે. ।।૧૩- ૧૮।।
प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥१३- १९॥
પ્રકૃતિ-માયા અને પુરૂષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમઝ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૩- ૧૯।।
कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥१३- २०॥
કાર્ય અને કારણના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ કહેવાય છે. અને સુખ દુ:ખના ભોક્તા પણામાં હેતુ પુરૂષ-જીવાત્મા કહેવાય છે. ।।૧૩- ૨૦।।
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥१३- २१॥
પુરૂષ-જીવાત્મા પ્રકૃતિમાં રહીનેજ પ્રકૃતિના ગુણો-વિષયોને ભોગવે છે. અને આ જીવાત્માને સારી-નરસી યોનિઓમાં જન્મ પ્રાપ્ત થવામાં પ્રકૃતિના ગુણનો સંગ જ કારણ છે. ।।૧૩- ૨૧।।
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥१३- २२॥
વળી - આ દેહમાં એક બીજો પુરૂષ પણ રહેલો છે. અને તે ઉપદ્રષ્ટા-સાક્ષીરૂપે છે. અનુમન્તા-અનુમતિ આપનારો-બુદ્ધિનો પ્રેરક સર્વજ્ઞ છે. ભર્તા-ભરણ પોષણ કરનારો છે. ભોક્તા-શરીરભૂત જીવદ્વારા એ પણ ભોક્તા છે. અને મહેશ્વર-સૌનો મોટો ઉપરિનિયામક છે. અને એને પરમાત્મા એમ પણ કહેવામાં આવે છે. ।।૧૩- ૨૨।।
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥१३- २३॥
આ પ્રમાણે પુરૂષને-પરમાત્માને અથવા જીવાત્માને તથા પ્રકૃતિ જે માયા તેને તેના ગુણોએ સહિત જે મનુષ્ય યથાર્થ જાણે છે. તે સર્વથા-હરકોઇ પ્રકારે વર્તતો હોય કે રહેતો હોય તો પણ તે ફરી જન્મ નથી પામતો. ।।૧૩- ૨૩।।
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे ॥१३- २४॥
કેટલાક ઉપાસકો એ પરમાત્માને શુદ્ધ મનથી સ્વસ્વરૂપમાંજ ધ્યાનદ્વારા દેખે છે. સાક્ષાત્ અનુભવે છે. બીજા સાંખ્ય યોગથી અને કેટલાક તો કર્મયોગથી પણ એને દેખે છે. ।।૧૩- ૨૪।।
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥१३- २५॥
બીજા કેટલાક આમ પૂરૂં નહિ સમજનારા તે તો બીજાઓ- તત્ત્વવેત્તા સત્પુરૂષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણપરાયણ વર્તનારા જનો પણ મૃત્યુપરમ્પરાથી ભરેલા આ સંસાર-સાગરને સર્વથા તરી જ જાય છે. ।।૧૩- ૨૫।।
यावत्संजायते किंचित्सत्त्वं स्थावरजङ्गमम् ।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥१३- २६॥
હે ભરતર્ષભ ! જેટલાં સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે. એ સઘળાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલાં તું જાણ ! ।।૧૩- ૨૬।।
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥१३- २७॥
સર્વ ભૂતોમાં-પ્રાણીમાત્રમાં અન્તર્યામીભાવે સમાનપણે રહેલા પરમેશ્વરને જે જુએ છે. તેમજ-નાશ પામવાના સ્વભાવવાળાં આ શરીરોમાં રહેલા અવિનાશી આત્માને, જેમજ મને જે જુએ છે. તે જ ખરૂં જુએ છે. ।।૧૩- ૨૭।।
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥१३- २८॥
અને સર્વત્ર સમપણે વસી રહેલા પરમેશ્વરને જોતો જે પુરૂષ કોઇ પણ આત્માને પોતે પોતાદ્વારા નાશ નથી કરતો તો તેવા વર્તનથી તે પરમ ગતિને પામે છે. ।।૧૩- ૨૮।।
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥१३- २९॥
અને વળી જે પુરૂષ સઘળાં કર્મ પ્રકૃતિથીજ-પ્રકૃતિદ્વારાજ કરાય છે એમ જુએ છે. અને તેથી આત્માને સાક્ષાત્ અકર્તા જે જુએ છે તે પુરૂષ બરોબર જુએ છે-સમઝે છે. ।।૧૩- ૨૯।।
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥१३- ३०॥
જ્યારે આ ભૂતોનો પૃથગ્ભાવ એકજ પરમાત્માને આધારે એ પરમાત્મામાંજ જુએ છે. અને તે પરમાત્મા થકી જ એ ભૂતોનો વિસ્તાર-સર્ગાદિક થતા જુએ છે. અથવા પ્રકૃતિમાંજ પૃથગ્ભાગ અને પ્રકૃતિથીજ સર્ગાદિક જુએ છે. ત્યારે એ બ્રહ્મ-આત્મસ્વરૂપને અથવા પરબ્રહ્મને પામે છે. ।।૧૩- ૩૦।।
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥१३- ३१॥
હે કૌન્તેય ! આ અન્તર્યામી પરમાત્મા અનાદિ અને માયિક ગુણોથી રહિત-નિર્ગુણ હોવાથી અવિનાશી અને અક્ષર સ્વરૂપ છે. માટે શરીરમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે કરતાય નથી અને લેપાતાય નથી. ।।૧૩- ૩૧।।
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥१३- ३२॥
જેમ આકાશ સૂક્ષ્મતાને લીધે સર્વત્ર રહેવા છતાં લેપાતો નથી. તે જ પ્રમાણે પરમાત્મા સર્વત્ર દેહમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે તે આત્માઓનાં કર્મથી લેપાતા નથી. ।।૧૩- ૩૨।।
यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥१३- ३३॥
હે ભારત ! જેમ એકજ સૂર્ય આ સઘળા લોકને પ્રકાશિત કરે છે. તેજ પ્રમાણે ક્ષેત્રી-ક્ષેત્રજ્ઞ પરમાત્મા આ સઘળા ક્ષેત્રભૂત આત્મવર્ગને પ્રકાશિત કરે છે. ।।૧૩- ૩૩।।
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥१३- ३४॥
આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બન્નેના વાસ્તવિક ભેદને જ્ઞાનરૂપ નેત્રોથી જુએ છે. તેમજ ભૂત-પ્રાણીમાત્રનો પ્રકૃતિ થકી જ્ઞાનદ્વારા થતો મોક્ષ-મોક્ષનો ઉપાય તેને જે જાણે છે. તે પરમજ્ઞાની ભક્તજન પર-પરમાત્માને અથવા પરમ ધામને પામે છે. ।।૧૩- ૩૪।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः ॥ १३ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગો નામ ત્રયોદશોઽધ્યાયઃ।।૧૩।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૪
ॐ
श्रीपरमात्मने नमः
अथ चतुर्दशोऽध्यायः
श्रीभगवानुवाच
परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।
यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१४- १॥
શ્રી ભગવાન કહે છે =
સઘળાં જ્ઞાનોના મધ્યે અતિ ઉત્તમ મારૂં પરમ જ્ઞાન હું તને ફરીથી કહું છું. જે જ્ઞાનને જાણીને-સમઝીને સર્વ મુનિઓ આ સંસારમાંથી મુક્ત ભાવને પામીને પરમ સિદ્ધિ પામી ગયા છે. ।।૧૪- ૧।।
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥१४- २॥
આ જ્ઞાનને આશરીને મારા સાધર્મ્યરૂપ પરમ મુક્તિને પામેલા મુકતાત્માઓ સર્ગના આરંભમાં ઉત્પન્નેય થતા નથી અને પ્રલય વખતે કોઇ વ્યથા-વિકારને પણ પામતા નથી. ।।૧૪- ૨।।
मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
संभवः सर्वभूतानां ततो भवति भारत ॥१४- ३॥
सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥१४- ४॥
હે ભારત ! જગત્ના કારણભૂત મારી મહત્-બ્રહ્મરૂપ માયા તેમાં હું ચેતનસમુદાયરૂપ ગર્ભ ધારણ કરૂં છું-સ્થાપન કરૂં છું. અને તેમાંથી સર્વ ભૂત-પ્રાણીમાત્રની ઉત્પત્તિ થાય છે. હે કૌન્તેય ! નાના પ્રકારની સઘળી યોનિઓમાં જે જે શરીરધારી પ્રાણીઓની આકૃતિઓ ઉત્પન્ન થાય છે. તે સર્વની ગર્ભ ધારણ કરનારી માતાને સ્થાને મહત્ બ્રહ્મ માયા છે. અને તેમાં બીજ સ્થાપનારો પિતા હું છું. ।।૧૪- ૪।।
सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥१४- ५॥
હે મહાબાહો ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણ પ્રકૃતિ- માયામાંથી ઉત્પન્ન થયેલા છે. તે અવ્યય-વિકારશૂન્ય અક્ષરઅવિ નાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. ।।૧૪- ૫।।
तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥१४- ६॥
હે નિર્દોષ અર્જુન ! તે ત્રણ ગુણોમાં સત્ત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને નિર્વિકાર છે. તે આ જીવાત્માને સુખાસક્તિથી અને જ્ઞાનસક્તિથી બંધનમાં નાખે છે. ।।૧૪- ૬।।
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥१४- ७॥
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥१४- ८॥
હે કૌન્તેય ! રજોગુણ રાગરૂપ છે. અને તે તૃષ્ણા અને આસક્તિનું ઉત્પત્તિસ્થાન છે. એમ જાણ ! માટે તે દેહધારી જીવાત્માને કર્મમાં અને તેના ફળમાં આસક્તિથી દેહમાં બાંધે છે. સર્વ દેહધારીઓને મોહ ઉપજાવનારો તમોગુણ અજ્ઞાનથી થયેલો જાણ ! અને હે ભારત ! તેથી તે તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ્ય અને નિદ્રા-ખૂબ ઉંઘવું, એવા એવા દુર્ગુણોથી દેહમાં બાંધે છે. ।।૧૪- ૭-૮।।
सत्त्वं सुखे संजयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत ॥१४- ९॥
હે ભારત ! સત્ત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે. અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઇને પ્રમાદમાં પૂરેપૂરો નાખી દે છે. ।।૧૪- ૯।।
रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१४- १०॥
હે ભારત ! કયારેક રજોગુણ અને તમોગુણને દબાવીને સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે. તેમજ કયારેક સત્ત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધી જાય છે. અને કયારેક સત્ત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધી જાય છે. ।।૧૪- ૧૦।।
सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥१४- ११॥
જ્યારે આ દેહમાં ઇન્દ્રિયોરૂપ સર્વ દ્વારમાં અને અન્તઃકરણમાં પ્રકાશ-ચેતનતા અને જ્ઞાન ઉત્પન્ન થયેલું હોય ત્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ જાણવું જોઇએ. ।।૧૪- ૧૧।।
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥१४- १२॥
હે ભરતર્ષભ ! જ્યારે રજોગુણ વૃદ્ધિ પામે છે. ત્યારે લોભ, પ્રવૃત્તિ અને કર્મોનો સકામ ભાવે આરંભ કરવો, અશાન્તિ અને વિષયભોગની લાલસા એ સઘળાં વધે છે. ।।૧૪- ૧૨।।
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥१४- १३॥
હે કુરૂનન્દન ! તમોગુણ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે અન્તઃકરણમાં અને ઇન્દ્રિયોમાં અપ્રકાશ, કરવા યોગ્ય કર્મોમાં પણ અપ્રવૃત્તિ, તેમજ પ્રમાદ-અસાવધાનતા અને મોહ-નિદ્રા વિગેરે મોહિની વૃત્તિઓ, આ સઘળું ઉત્પન્ન થઇ આવે છે. ।।૧૪- ૧૩।।
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।
तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४- १४॥
જ્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો હોય અને જો તે સમયમાં દેહધારી પ્રાણી પ્રલય-મૃત્યુ પામે છે. ત્યારે તો ઉત્તમ કર્મ કરનારા પુણ્યશાળી લોકોને પ્રાપ્યભૂત એવા નિર્મળ સ્વર્ગાદિક લોકોને પામે છે. ।।૧૪- ૧૪।।
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥१४- १५॥
રજોગુણ વૃદ્ધિ પામેલા સમયમાં મરણ પામીને મનુષ્ય કર્મમાં આસક્તિવાળા મનુષ્યોમાં જન્મ પામે છે. અને તમોગુણ વધેલા વખતમાં મરણ પામીને પશુપક્ષી આદિક મૂઢ યોનિમાં જન્મે છે. ।।૧૪- ૧૫।।
कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१४- १६॥
સુકૃત- સાત્ત્વિક કર્મનું ફળ તો જ્ઞાન-સુખ આદિક સાત્ત્વિકજ નિર્મળ ફળ કહેલું છે. રાજસ કર્મનું ફળ દુ:ખ દુ:ખમય છે. અને તામસ કર્મનું ફળ અજ્ઞાન-મોહ વિગેરે છે. ।।૧૪- ૧૬।।
सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१४- १७॥
સત્ત્વગુણ થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને રજોગુણ થકી તો નિશ્ચે લોભજ ઉત્પન્ન થાય છે. અને તમોગુણ થકી પ્રમાદ અને મોહ ઉપજે છે. તેમજ અજ્ઞાન પણ ઉપજે છે જ. ।।૧૪- ૧૭।।
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१४- १८॥
સત્ત્વગુણમાં રહેનારા પુરૂષો સ્વર્ગાદિક ઊંચા લોકોમાં જાય છે. રજોગુણમાં રહેનારા રાજસ પુરૂષો મધ્ય-માનવ લોકમાં રહે છે. અને તમોગુણના કાર્યરૂપ નિદ્રા પ્રમાદ અને આલસ્યાદિક હલકા દોષોમાં રહેનારા તામસ પુરૂષો પશુ આદિક નીચ યોનિઓમાં જાય છે. ।।૧૪- ૧૮।।
नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१४- १९॥
જ્યારે દ્રષ્ટા-જીવાત્મા ત્રણ ગુણો સિવાય બીજા કોઇને કર્તા નથી દેખતો-સમઝતો. અને ત્રણેય દુણોથી પર રહેલા પોતાના સ્વરૂપને તેમજ પરમાત્મસ્વરૂપને યથાર્થ સમઝે છે. ત્યારે તે પુરૂષ મારા સ્વરૂપને પામે છે. ।।૧૪- ૧૯।।
गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।
जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥१४- २०॥
દેહી-જીવાત્મા દેહના કારણભૂત એ ત્રણેય ગુણોને ઉલ્લંઘન કરીને ગુણાતીત થઇને જન્મ, મૃત્યું, જરા એ આદિક દુ:ખોથી વિમુક્ત થઇને અમૃતને-મોક્ષને પામે છે. ।।૧૪- ૨૦।।
अर्जुन उवाच
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥१४- २१॥
અર્જુન પૂછે છે =
આ ત્રણ ગુણોને અતિક્રમણ કરીને રહેલો પુરૂષ કયાં કયાં લક્ષણોથી ઓળખાય છે ? અને તે કેવા આચારવાળો હોય છે ? તેમજ હે પ્રભો ! એ ત્રણ ગુણોને એ કેવી રીતે અતિક્રમણ કરીને વર્તે છે ? ।।૧૪- ૨૧।।
श्रीभगवानुवाच
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥१४- २२॥
શ્રી ભગવાન કહે છે =
હે પાંડવ ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ એ સઘળાં ત્રણ ગુણનાં કર્મો પ્રવર્તેલાંને નથી દ્વેષ કરતો, કે નિવૃત્તિ પામેલાંને નથી આકાંક્ષા કરતો. ।।૧૪- ૨૨।।
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते ॥१४- २३॥
જે ઉદાસીનની માફક વર્તતો રહીને ગુણો જેને ચળાયમાન કરી શકતા નથી અને સઘળું ગુણો જ કરી રહ્યા છે એમ માનીને જે સ્વસ્વરૂપાનુસન્ધાન રાખીને પરમાત્મસ્વરૂપમાં સ્થિર વર્તે છે. તો તે પોતાની બ્રહ્મસ્થિતિ થકી કયારેય ચળાયમાન થતો નથી. ।।૧૪- ૨૩।।
समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥१४- २४॥
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।
सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥१४- २५॥
જે સુખ દુ:ખમાં સમ વર્તે છે. અખંડ સ્વસ્વરૂપમાં જ રહે છે. કચરો, પત્થર અને કાંચન એ સઘળું જેને સરખું જ છે. પ્રિયઅિપ્રયનો સંયોગ પણ જેને તુલ્ય જ ભાસે છે. સદાય ધીરજ રાખનારો છે. અને પોતાની નિંદા અને શ્લાઘા પણ જેને સરખીજ લાગે છે. જે માન-અપમાનમાં પણ સમાન રહે છે. મિત્રપક્ષમાં અને શત્રુપક્ષમાં પણ જે સમાન વર્તે છે અને સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે છે. તે પુરૂષ ગુણાતીત એવા નામે કહેવાય છે. ।।૧૪- ૨૪-૨૫।।
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥१४- २६॥
હવે-ગુણાતીત થવાનો ઉપાય-પ્રકાર કહે છે વળી-જે મને અવ્યભિચારી-નિશ્ચળ ભક્તિયોગથી નિરન્તર સેવે છે-ભજે છે. તે પુરૂષ આ ત્રણેય ગુણોને ઉલ્લંઘન કરીને બ્રહ્મરૂપ થવાને માટે યોગ્ય બને છે. ।।૧૪- ૨૬।।
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥१४- २७॥
કારણ કે- અવિકારી અને અવિનાશી અમૃતસ્વરૂપ બ્રહ્મની પ્રતિષ્ઠા આશ્રય-આધાર હુંજ છું. તેમજ શાશ્વત-સનાતન એકાન્તિક ધર્મનો અને એકાન્તિક-આત્યન્તિક સુખ-આનન્દનો આશ્રય પણ હું જ છું. ।।૧૪- ૨૭।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ॥१४॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ગુણત્રયવિભાગયોગો નામ ચતુર્દશોઽધ્યાયઃ ।।૧૪।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૫
ॐ
श्रीपरमात्मने नमः
अथ पञ्चदशोऽध्यायः
श्रीभगवानुवाच
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥
શ્રી ભગવાન કહે છે =
આદિ-પુરૂષ પરમાત્મારૂપ ઉંચે મૂળ જેનું છે. નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે. એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવ્યય-અવિનાશી-નિત્ય કહેછે. અને વેદો જેનાં પાંદડાં છે. આવા સમૂળ સંસાર વૃક્ષને જે યથાર્થ સમઝે છે. તેજ વેદના તાત્પર્યને જાણનારો છે. ।।૧૫- ૧।।
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥
સત્ત્વાદિક ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપ સુન્દર પલ્લવ-કુંપળોવાળી એવી તે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાઇ રહેલી છે. અને વળી મનુષ્ય લોકમાં કર્માનુસારે બન્ધાયેલાં અનેક વાસનાઓરૂપ મૂળો નીચે-ઉપર બધેય ફેલાઇ રહેલાં છે. ।।૧૫- ૨।।
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥
ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥
આ સંસાર-વૃક્ષનું વર્ણન કર્યું તેવું રૂપ આ લોકમાં તો ઉપલબ્ધ થતુંજ નથી. તેમજ આનો અન્ત અને આદિ પણ ઉપલબ્ધ થતો નથી અને એની સમ્પ્રતિષ્ઠા-ખરે ખરી રીતે એ શેમાં રહ્યો છે. એ પણ સમઝાતું નથી. આવા અતિ જામી ગયેલાં ઊંડાં મૂળવાળા આ સંસારવૃક્ષને અનાસક્તિરૂપ દૃઢ શસ્ત્રથી છેદી નાખીને. તે પછી કે પદ-અવિચળ સ્થાન ખોળી કાઢવું જોઇએ. કે જે સ્થાનમાં ગયેલા મુક્તાત્માઓ ફરીથી સંસાર-મંડળમાં પાછા ફરતા નથી અને તે સર્વના આદિ પુરૂષ પરમાત્માનેજ હું શરણ પામું છું. કે જે પુરૂષ-પરમાત્મા થકી આ પુરાતન સંસારપ્રવૃત્તિ ચાલેલી છે. ।।૧૫- ૩-૪।।
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५- ५॥
તે અવિચળ પદ પામનારાઓનાં લક્ષણ કહે છે જેમ ના માન-મોહાદિક નષ્ટ થઇ ગયા હોય છે. જેમણે આસક્તિરૂપ દોષને સર્વથા જીતી લીધેલો હોય છે. આત્મજ્ઞાનમાં જે નિરન્તર દઢ સ્થિતિ પામેલા હોય છે. જેમની કામનાઓ સર્વાંશે નિવૃત્ત થયેલી હોય છે. અને સુખ દુ:ખાદિક નામનાં દ્વન્દ્વો થકી સર્વથા રહિત થયેલા હોય છે. આવા અમૂઢ-જ્ઞાની જનોજ તે અવ્યય-અક્ષર પદને પામે છે. ।।૧૫- ૫।।
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५- ६॥
તે ધામને સૂર્ય પ્રકાશ કરી શકતો નથી, તેમજ ચન્દ્રમા કે અગ્નિ પણ પ્રકાશ કરી શક્તો નથી. અને જે સ્વયંપ્રકાશ ધામને પામીને પામનારા મુક્તાત્માઓ પાછા ફરતા નથી તે મારૂં પરમ-સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૧૫- ૬।।
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५- ७॥
આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલાં અને મન જેમાં છઠ્ઠું છે. એવાં પાંચેય ઇન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે-વશમાં રાખે છે. ।।૧૫- ૭।।
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५- ८॥
આ દેહનો સ્વામી-જીવાત્મા જે શરીરમાંથી નીકળે છે. તેમાંથી વાયુ પુષ્પાદિક સ્થાનમાંથી ગન્ધનેજ જેમ એમ આ મને સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને જે શરીરને પામે છે તેમાં તે મન-ઇન્દ્રિયોએ સહિત જાય છે. ।।૧૫- ૮।।
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५- ९॥
અને તે શરીરમાં આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ અને ત્વચા તથા રસના અને ઘ્રાણ, તેમજ મન, આટલાંનો આશ્રય લઇને શબ્દાદિક વિષયોનું સેવન-ઉપભોગ કરે છે. ।।૧૫- ૯।।
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५- १०॥
આ પ્રમાણે શરીરમાંથી નીકળતો, શરીરમાં રહેતો, વિષયોને ભોગવતો અને સત્ત્વાદિક ગુણોએ યુક્ત જણાતો આ જીવાત્મા તેને સર્વથા મૂઢ-અજ્ઞાની જનો નથી દેખતા, પણ જ્ઞાનરૂપ ચક્ષુ જેમનાં ખૂલી ગયેલાં છે તેવા જ્ઞાની જનો તો દેખે છે- અનુભવે છે. ।।૧૫- ૧૦।।
यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५- ११॥
યત્ન કરનારા યોગીજનો જ આ શરીરમાં રહેલા આત્માને જોઇ શકેછે, પણ જેમનાં અન્તઃકરણ અશુદ્ધ-મલીન છે તેવા અજ્ઞાની જનો તો યત્ન કરવા છતાં પણ એ આત્માને નથી દેખતા. ।।૧૫- ૧૧।।
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५- १२॥
સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે. તેમજ જે ચન્દ્રમંડળમાં તેજ છે, તથા અગ્નિમાં જે તેજ છે. તે તેજ મારૂં જ-મેં જ આપેલું છે એમ જાણ ! ।।૧૫- ૧૨।।
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५- १३॥
અને હુંજ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરૂ છું. તથા રસમય સ્વરૂપવાળા ચન્દ્રમારૂપે થઇને સર્વ ઔષધિઓનું હું જ પોષણ કરૂં છું અર્થાત્ પૃથ્વીમાં ધારણ શક્તિ અને ચન્દ્રમાં પોષક શક્તિ એ મારીજ છે. એમ તું સમઝ ! ।।૧૫- ૧૩।।
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५- १४॥
હું જ વૈશ્વાનર આગ્નિરૂપે થઇને પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણઅપાન વાયુએ યુક્ત થકો ભક્ષ્ય-ભોજ્યાદિક ચારેય પ્રકારના અન્નને પચવું છું. ।।૧૫- ૧૪।।
सर्वस्य चाहं हृदि संनिविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५- १५॥
હું જ સર્વ પ્રાણીઓના હ્રદયમાં અન્તર્યામી-અંદર રહીને નિયમન કરનારારૂપે રહેલો છું. સર્વ પ્રાણી-માત્રને સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ, એ બધુંય કર્મફળપ્રદાતા એવા મારા થકીજ પ્રવર્તે છે. સર્વ વેદાદિક સચ્છાસ્ત્રોથી જાણવા-સમઝવા યોગ્ય હુંજ છું. અને વેદાન્તનો કરનારો અને વેદના રહસ્યને જાણનારો પણ હું જ છું. ।।૧૫- ૧૫।।
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१५- १६॥
(માટેજ વેદના રહસ્થાર્થ રૂપ તત્ત્વત્રયને નિરૂપણ કરતાં પોતેજ કહે છે-) આ લોકમાં બે પુરૂષ છે. એક ક્ષર અને બીજો અક્ષર. સર્વ ભૂત-પ્રાણીમાત્ર ક્ષર-બદ્ધ પુરૂષ જીવાત્મા છે. અને બીજો કૂટસ્થ શુદ્ધ નિર્વિકાર અક્ષર-મુક્ત પુરૂષ છે. એમ કહેવાય છે. ।।૧૫- ૧૬।।
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५- १७॥
અને ઉત્તમ પુરૂષ ભગવાન તો એ બન્નેથી જુદાજ છે. અને પરમાત્મા એવા નામે કહેલા છે. કે જે-ત્રણેય લોકમાં અન્તર્યામિભાવે પ્રવેશ કરીને તેને ધારણ કરે છે. અને સ્વરૂપથી જે નિર્વિકાર છે. અને તે સર્વના ઇશ્વર-સ્વામી એવા શ્રીનારાયણ છે. ।।૧૫- ૧૭।।
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५- १८॥
હે અર્જુન ! જે કારણથી હું ક્ષરથી-સર્વ પ્રાણીવર્ગથી સ્વભાવથી અતીત-ન્યારો છું અને શુદ્ધ બ્રહ્મ અક્ષર-મુક્ત કરતાંય હું સ્વરૂપ- સ્વભાવથી પણ અતિશય ઉત્તમ-સર્વોપરિ છું. માટે સકળ લોકમાં અને વેદોમાં પણ હું પુરૂષોત્તમ એવા મારા અસાધારણ નામથી પ્રસિદ્ધ છું. ।।૧૫- ૧૮।।
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५- १९॥
હે ભારત ! જે જ્ઞાની ભક્ત મને આ પ્રમાણે ચોખ્ખી રીતે સાક્ષાત્ પુરૂષોત્તમ જાણે છે. તે સર્વ વાતને તત્ત્વથી સમઝનારો છે. અને તે સર્વભાવથી-પ્રકારથી મનેજ ભજે છે-મારીજ ઉપાસના કરે છે. ।।૧૫- ૧૯।।
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५- २०॥
હે નિર્દોષ અર્જુન ! આ પ્રમાણે આ રહસ્ય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે. આ શાસ્ત્રને આ કહ્યું એમ સમઝીને માણસ બુદ્ધિમાન્-તત્ત્વવેત્તા થાય છે. અને કૃતાર્થ થઇ જાય છે. ।।૧૫- ૨૦।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે પુરૂષોત્તમયોગો નામ પંચદશોઽધ્યાયઃ ।।૧૫।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૬
ॐ
श्रीपरमात्मने नमः
अथ षोडशोऽध्यायः
श्रीभगवानुवाच
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१६- १॥
શ્રી ભગવાન કહે છે =
સર્વથા નિર્ભય વર્તવું, અન્તઃકરણની સમ્પૂર્ણ વિશુદ્ધિ, જ્ઞાનપૂર્વક ભક્તિ-યોગમાં દૃઢ સ્થિતિ, સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય પઠન-પાઠન, તથા ભગવન્નામ-કીર્તન વિગેરેનો અભ્યાસ, નિર્મળ તપ અને ઇન્દ્રિયો તથા અન્તઃકરણની સરલતા રાખવી. ।।૧૬- ૧।।
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥१६- २॥
મન, વાણી અને શરીરથી હિંસાએ રહિત વર્તવું, યથાર્થ પણ પ્રિય બોલવું, ક્રોધના નિમિત્તમાં પણ ક્રોધ ન કરવો, કર્મના ફળનો અને કર્તાપણાના અભિમાનનો ત્યાગ, શાન્તિ, ચાડીયાપણું ન કરવું, ભૂત-પ્રાણીમાત્ર ઉપર અકારણ દયા રાખવી, વિષયોમાં લોલુપતા ન રાખવી, કોમળતા રાખવી, નિન્દિત કામ કરવામાં લજ્જા રાખવી અને વ્યર્થ-નિષ્ફળ ચેષ્ટા ન કરવી. ।।૧૬- ૨।।
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥१६- ३॥
તેજ, ક્ષમા-પરાપરાધ સહન કરવાની શક્તિ, ધૈર્ય, શૌચ-પવિત્રતા, કોઇનો પણ દ્રોહ ન કરવાની વૃત્તિ, પોતાને વિષે પૂજ્યપણાના અભાવરૂપ નિરભિમાનિતા, હે ભારત ! આ સઘળા ગુણો દૈવી સમ્પદ્વાળાને હોય છે. ।।૧૬- ૩।।
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम् ॥१६- ४॥
હવે-આસુરી સંમ્પદ કહે છે-હે પાર્થ ! દંભ, મિથ્યા આડમ્બર, અભિમાન, તેમજ ક્રોધ અને કઠોરતા અને અજ્ઞાન પણ, આ બધા દુર્ગુણો આસુરી સમ્પદ્વાળા મનુષ્યોમાં હોય છે. ।।૧૬- ૪।।
दैवी संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः संपदं दैवीमभिजातोऽसि पाण्डव ॥१६- ५॥
દૈવી સંમ્પદ મુક્તિને માટે અને આસુરી સંમ્પદ બન્ધનને માટે માનેલી છે. માટે હે પાંડવ ! તું શોક ન કર ! કેમકે તું તો દૈવી સંમ્પદાએ યુક્ત ઉત્પન્ન થયેલો છે. ।।૧૬- ૫।।
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥१६- ६॥
હે પાર્થ ! આ લોકમાં દૈવી-સમ્પદ્વાળો અને આસુરી-સમ્પદ્વાળો એવો બે પ્રકારનો ભૂતસર્ગ જોવામાં આવે છે. તેમાં દૈવી સર્ગ વિસ્તારપૂર્વક કહ્યો અને હવે આસુરી સર્ગ મારા થકી તું સાંભળ ! ।।૧૬- ૬।।
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥१६- ७॥
આસુર-સ્વભાવવાળા માણસો પ્રવૃત્તિ શું ? અને નિવૃત્તિ શું ? એ બન્નેને કાંઇ સમઝતાજ નથી. અને તેમનામાં શૌચ-પવિત્રતા નથી હોતી, તેમજ આચાર-ધર્મ પણ હોતો નથી. અને સત્ય પણ હોતું નથી. ।।૧૬- ૭।।
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥१६- ८॥
તે આસુર જનો તો આ જગત્ને પણ અસત્ય, આશ્રયરહિત અને અનીશ્વર નિયન્તા વિનાનું ન ધણીયતુ કહે છે. અને કેવળ ભોગ-વિલાસને માટેજ છે. અને પરસ્પર સ્ત્રી-પુરૂષના સંસર્ગથી ઉત્પન્ન થયા સિવાયનું બીજું શું છે ? એમ કહે છે. ।।૧૬- ૮।।
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥१६- ९॥
આવી નાસ્તિક તુચ્છ દૃષ્ટિને અવલંબીને નષ્ટપ્રાય આત્મા-મન અથવા સ્વભાવવાળા અને અતિ અલ્પ તુચ્છ બુદ્ધિવાળા, આવા સઘળા જગત્નું અહિત કરનારા ક્રૂરકર્મ મનુષ્યો જગતના વિનાશને માટે ઉગ્ર-ભયંકર કર્મ કરનારા થાય છે. ।।૧૬- ૯।।
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१६- १०॥ દંભ, અભિમાન અને મદે યુક્ત તે મનુષ્યો દુષ્પૂર કામનો આશ્રય કરીને અજ્ઞાનથી ખોટા દુરાગ્રહોને પકડીને અપવિત્ર આચરણ કરતા થકા સંસારમાં પ્રવર્તે છે. ।।૧૬- ૧૦।।
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः ।
कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥१६- ११॥
ઠેઠ મરણ સુધીની અતિ અપાર ચિન્તામાં ગરકાવ થયેલા અને કામ-વિષયોપભોગ કરવો એજ પ્રધાન જેમને છે. અને આટલુંજ એ ખરૂં છે એમ દૃઢ ઠરાવ કરી બેઠેલા હોય છે. ।।૧૬- ૧૧।।
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥१६- १२॥
સો એ સો આશાપાશોથી બન્ધાયેલા એ મનુષ્યો કામ ક્રોધ પરાયણ વર્તનારા હોવાથી વિષય-સુખ સંમ્પાદન કરવા માટે જ અન્યાયથી પણ દ્રવ્યનો સંચય કરવા માટે ઉદ્યમ કરે છે. ।।૧૬- ૧૨।।
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥१६- १३॥
આ આટલું આજ મેં મેળવ્યું. આટલો મનોરથ પૂરો થઇ જશે. આટલું દ્રવ્યાદિક સાધન તો છે. અને આટલું પણ ફરીથી પ્રાપ્ત થઇ જશે. ।।૧૬- ૧૩।।
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥१६- १४॥
આ શત્રુ મેં મારી નાખ્યો અને હવે બીજા શત્રુઓને પણ મારી નાખીશ. હું સમર્થ છું. હું ભોગ-વિલાસ ભોગવવાવાળો છું. સઘળી સિદ્ધિઓ મારા આધીનમાં છે. તેથી હું બળવાન અને સઘળી રીતે સુખી છું. ।।૧૬- ૧૪।।
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥१६- १५॥
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६- १६॥
મારે ધનસમ્પત્તિ પણ ખૂબ છે. અને ઘણા મોટા કુટુમ્બવાળો હું છું. મારા જેવો બીજો કોણ છે. ? હું યજ્ઞ કરીશ. દાન કરીશ. અને ખૂબ આનન્દ-મઝા કરીશ. આવા અજ્ઞાનથી મોહ પામી ગયેલા. ચિત્તમાં રહેલી અનેક ભ્રમણાઓથી ભ્રમિત થઇ ગયેલા. મોહજાળથી સમાવૃત-પૂર્ણ બન્ધન પામી ગયેલા. અને વિષય-ભોગમાં અત્યન્ત આસક્ત એવા આસુર જનો અતિ અપવિત્ર નરકમાં પડે છે. ।।૧૬- ૧૫-૧૬।।
आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१६- १७॥
તે પોતે પોતાનેજ શ્રેષ્ઠ માનનારા ઘમંડી લોક ધન, મન અને મદથી યુક્ત થઇને કેવળ નામ-માત્રના યજ્ઞોથી પાખંડ કરીને શાસ્ત્રવિધિ વિનાનું યજન-પૂજન કરે છે. ।।૧૬- ૧૭।।
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१६- १८॥
તે મનુષ્યો અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધાદિક વિકારોને વશ થઇને બીજાઓની નિંદા કરનારા અને પોતાના અને બીજાઓના દેહમાં રહેલા અન્તર્યામી મને-મારોજ દ્વેષ કરનારા થાય છે. ।।૧૬- ૧૮।।
तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ॥१६- १९॥
આ પ્રમાણે દ્વેષ કરનારા પાપી નઠારા નિર્દય નરાધમોને આ સંસારમાં આસુરી યોનિઓમાંજ વારંવાર હું નાખું છું. ।।૧૬- ૧૯।।
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥१६- २०॥
હે કૌન્તેય ! જન્મો-જન્મ આસુરી યોનિને પામેલા તે મૂઢ માણસો મને નહિ પામીનેજ પછી અધમ-અતિ નીચ ગતિને પામે છે. અર્થાત્ ઘોર નરકમાંજ પડે છે. ।।૧૬- ૨૦।।
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥१६- २१॥
કામ, ક્રોધ અને લોભ, એ આત્માનો વિનાશ-અધોગતિ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વારભૂત છે. માટેજ એ ત્રણેયનો ત્યાગ કરવો જોઇએ. ।।૧૬- ૨૧।।
एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥१६- २२॥
હે કૌન્તેય ! નરકના દ્વારરૂપ એ કામાદિક ત્રણેય વિકારોથી રહિત થયેલો પુરૂષ પોતાના કલ્યાણનો ઉપાય કરે છે. અને તે પછી પરમ-સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મનેજ પામે છે. ।।૧૬- ૨૨।।
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः ।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥१६- २३॥
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥१६- २४॥
જે મનુષ્ય શાસ્ત્રપ્રતિપાદિત વિધિનો ત્યાગ કરીને પોતાની ઇચ્છા મુજબ આચરણ કરે છે તે નથી સિદ્ધિને પામી શકતો, કે નથી સુખને પામતો કે નથી જ પર ગતિને પણ પામતો. તે માટે તારે કાર્ય-અકાર્યની વ્યવસ્થાના નિર્ણયમાં શાસ્ત્રજ પ્રમાણ રૂપ છે. એમ જાણી-સમજીને આ લોકમાં શાસ્ત્રવિધાનથી કહેલું કર્મજ કરવાને તું યોગ્ય છે. ।।૧૬- ૨૩-૨૪।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसंपद्विभागयोगो नाम षोडशोऽध्यायः ॥१६॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ ।।૧૬।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૭
ॐ
श्रीपरमात्मने नमः
अथ सप्तदशोऽध्यायः
अर्जुन उवाच
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१७- १॥
અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજન-પૂજન કરે છે. તેમની નિષ્ઠા-સ્થિતિ, તે કેવા પ્રકારની છે ? સાત્ત્વિકી છે ? કે રાજસી છે ? કિંવા તામસી છે ? ।।૧૭- ૧।।
श्रीभगवानुवाच
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥१७- २॥
શ્રીભગવાન કહે છે-
દેહધારીઓને સાત્ત્વિકી, રાજસી અને તામસી એવી ત્રણ પ્રકારની શ્રદ્ધા સ્વાભાવિકીજ હોય છે. તે ત્રણ પ્રકારની શ્રદ્ધાને તું મારા થકી સાંભળ ! ।।૧૭- ૨।।
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥१७- ३॥
હે ભારત ! સર્વ મનુષ્યોને પોત-પોતાના અન્તઃકરણને અનુરૂપજ શ્રદ્ધા હોય છે. અને આ પુરૂષ-જીવાત્મા શ્રદ્ધામય-શ્રદ્ધાપ્રધાન છે. માટે જે પુરૂષ જેમાં-જેવી શ્રદ્ધાવાળો હોય છે. તો તે પોતે પણ તે રૂપજ છે. ।।૧૭- ૩।।
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥१७- ४॥
સાત્ત્વિક મનુષ્યો ઇન્દ્રાદિક દેવોને પૂજે છે. રાજસ મનુષ્યો યક્ષ અને રાક્ષસોને પૂજે છે. અને બીજા તામસી જનો તો પ્રેત અને ભૂતગણોને પૂજે છે. ।।૧૭- ૪।।
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः ॥१७- ५॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥१७- ६॥
જે મનુષ્ય શાસ્ત્રવિધિએ રહિત એવું મનઃકલ્પિત ઘોર તપ તપે છે. અને દંભ તથા અહંકારે યુક્ત તેમજ કામનાઓ, રાગ-આસક્તિ અને શારીર બળના પણ અભિમાનવાળા હોઇને. શરીરમાં-શરીરરૂપે રહેલા ભૂમિ આદિક ભૂતસમુદાયને કૃશ કરતા દમન કરતા. અને મારા શરીરભૂત જીવાત્મામાં અન્તર્યામીરૂપે રહેલા એવા મને પણ દુભવતા થકા વર્તે છે. તેવા અજ્ઞાનીઓને તું આસુર નિશ્ચયવાળા જાણ ! ।।૧૭- ૫-૬।।
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः ।
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ॥१७- ७॥
આહાર પણ સર્વને પોત-પોતાની રૂચિ પ્રમાણે ત્રણ પ્રકારનો પ્રિય હોયછે. તેમજ યજ્ઞ, તપ અને દાન, તેના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેના ભેદ તું મારા થકી સાંભળ ! ।।૧૭- ૭।।
आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥१७- ८॥
આયુષ્ય, બુદ્ધિ, બળ,આરોગ્ય, સુખ અને પ્રીતિ, એ સર્વને વધારનારા, રસવાળા, ઘી વગેરે ચીકાશવાળા, બગડે નહિ એવા અને ખાંતાં પણ પ્રિય લાગે એવા આહાર-ભોજનના પદાર્થો સાત્ત્વિક પુરૂષોને પ્રિય છે. ।।૧૭- ૮।।
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः ।
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥१७- ९॥
કડવા, ખાટા, ખરા, બહુજ ગરમા-ગરમ, તીખા, લૂખા, દાહ કરનારા તેમજ દુ:ખ, શોક અને રોગને ઉત્પન્ન કરનારા આવા આહાર- ખાવાના પદાર્થો રાજસ માણસોને પ્રિય હોય છે. ।।૧૭- ૯।।
यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥१७- १०॥
રાંધ્યા પછી જેના ઉપર ઘણો વખત વીતી ગયો હોય. રસ વિનાનું, દુર્ગન્ધવાળું, વાસી અને ઉચ્છિષ્ટ તથા અપવિત્ર એવું જે ભોજન તે તામસ જનોને પ્રિય હોય છે. ।।૧૭- ૧૦।।
अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥१७- ११॥
શાસ્ત્રવિધિ પ્રમાણે કરવામાં આવતો અને કરવો જ જોઇએ એ આપણી ફરજ કર્તવ્ય છે, એમ મનમાં સમાધાન-નિશ્ચય કરીને ફળાનુસન્ધાન નહિ રાખનારા નિષ્કામ માણસોએ કરેલા યજ્ઞ તે સાત્ત્વિક યજ્ઞ છે. ।।૧૭- ૧૧।।
अभिसंधाय तु फलं दम्भार्थमपि चैव यत् ।
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ॥१७- १२॥
હે ભરતશ્રેષ્ઠ ! ફળનું અનુસન્ધાન રાખીને તો, તેમજ દંભને ખાલી મોટાઇને પોષવાને માટેજ જે યજ્ઞ કરવામાં આવે છે. તેને તું રાજસ યજ્ઞ જાણ ! ।।૧૭- ૧૨।।
विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥१७- १३॥
શાસ્ત્રવિધિ સિવાયનો, અન્નનું પણ દાન જેમાં ન હોય, મન્ત્રનું ઉચ્ચારણ કર્યા સિવાયનો, દક્ષિણાઓ પણ જેમાં ન અપાય અને જેમાં શ્રદ્ધા પણ ન હોય એવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. ।।૧૭- ૧૩।।
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१७- १४॥
દેવતા, બ્રાહ્મણ, ગુરૂ અને પ્રાજ્ઞ-સાધુજનો વિગેરેનું પૂજન કરવું, પવિત્રતા રાખવી, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા, આ શરીરસંબંધી-શરીરસાધ્ય તપ કહેવાય છે. ।।૧૭- ૧૪।।
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१७- १५॥
કોઇને પણ ઉદ્વેગ નહિ કરનારૂં, સાંભળતાં પ્રિય લાગે અને હિત કરે, એવું જે સત્ય-યથાર્થ ભાષણ, સચ્છાસ્ત્રનું પઠન-પાઠન, તેમજ ભગવન્નામ-મંત્રાદિકના જપનો અભ્યાસ કરવો, એ વાંગ્મય-વાણીથી સિદ્ધ થતું તપ કહેવાય છે. ।।૧૭- ૧૫।।
मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१७- १६॥
મનની પ્રસન્નતા, સૌમ્યતા-શાન્તસ્વભાવતા, મૌન-ભગવત્સ્વરૂપમાં એકાગ્રતા, મનનો સર્વથા નિગ્રહ અને અન્તઃકરણની સમ્યક્શુદ્ધિ, આ સઘળું માનસ-મનઃસાધ્ય તપ કહેવામાં આવે છે. ।।૧૭- ૧૬।।
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः ।
अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ॥१७- १७॥
ફળની આકાંક્ષા નહિ રાખનારા અને ભગવત્સ્વરૂપમાં જોડાયેલા મનુષ્યોએ પરમ શ્રદ્ધાથી કરવામાં આવતું ઉપર બતાવેલું એ ત્રણેય પ્રકારનું તપ સાત્ત્વિક તપ કહેવાય છે. ।।૧૭ -૧૭।।
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् ।
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥१७- १८॥
સત્કાર માટે, મન-મરતબા માટે અને લોકમાં પૂજા થાય તે માટે અને તે પણ દંભથી જ કરવામાં આવતું આવું જે તપ આ લોકમાં કરવામાં આવે છે તે રાજસ તપ કહેવાય છે. અને તે ચળ-ક્ષણિક અને અસ્થિર બહુ લાંબો સમય ન નભે એવું હોય છે. ।।૧૭- ૧૮।।
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥१७- १९॥
મૂઢપણે દુરાગ્રહથી અને શરીરને તેમજ મનને પણ કલેશ પડે તેવું જે તપ કરાય છે તથા પરનો વિનાશ-ભુંડું કરવા માટે કરવામાં આવતું તપ તે તામસ તપ કહેવાય છે. ।।૧૭- ૧૯।।
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥१७- २०॥
દાન આપવું જ જોઇએ એમ ધારીને જે દાન દેશ, કાળ અને પાત્ર-સુપાત્ર જોઇને તેમાં જેના તરફથી ઉપકારૂપ બદલાની આશા પણ ન હોય એવાને આપવામાં આવતું જે દાન તે સાત્ત્વિક દાન કહેવાય છે. ।।૧૭- ૨૦।।
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥१७- २१॥
જે દાન તો પ્રત્યુપકાર થવાને માટે અથવા ફળનો ઉદેશ કલ્પીને કલેશપૂર્વક આપવામાં આવે છે. તે રાજસ દાન કહેવાય છે. ।।૧૭- ૨૧।।
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥१७- २२॥
સારા-નરસા દેશ કાળનો વિચાર કર્યા વિનાજ, અપાત્રોને, સત્કાર સિવાય, અથવા તિરસ્કાર કરીને જે દાન આપવામાં આવે છે. તે તામસ દાન કહેવાય છે. ।।૧૭- ૨૨।।
ॐतत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॥१७- २३॥
ॐ, तत् અને त् એમ ત્રણ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કહેલો છે. અને તેનાથીજ પૂર્વે-સૃષ્ટિના આરંભમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો રચેલા છે. ।।૧૭- ૨૩।।
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥१७- २४॥
માટે જ બ્રહ્મવાદી સત્પુરૂષોની વેદના વિધાનથી કહેલી યજ્ઞ, દાન અને તપ વિગેરે ક્રિયાઓ ‘‘ॐ’’ એવા ઉચ્ચારણ પૂર્વક જ પ્રવર્તે છે. ।।૧૭- ૨૪।।
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः ।
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥१७- २५॥
‘‘तत्’’ તે પરમેશ્વરજ આ સઘળું છે. એમ ધારીને ફળનું અનુસન્ધાન નહિ રાખતાં મોક્ષાર્થી જનોએ યજ્ઞ અને તપ વિગેરે ક્રિયાઓ તથા વિવિધ પ્રકારની દાન-ક્રિયાઓ કરવામાં આવે છે. ।।૧૭- ૨૫।।
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥१७- २६॥
‘‘सत्’’ એ શબ્દનો સારા સત્યભાવમાં તેમજ સાધુ-શ્રેષ્ઠભાવમાં પ્રયોગ કરાય છે. તેમજ હે પાર્થ ! પ્રશસ્ત-શ્રેષ્ઠ કર્મમાં પણ ‘‘सत्’’ શબ્દનો પ્રયોગ કરાય છે. ।।૧૭- ૨૬।।
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ॥१७- २७॥
તથા યજ્ઞમાં, તપમાં અને દાનમાં જે સ્થિતિ-સ્થિરતાપૂર્વક વર્તવું તે ‘‘सत्’’ એવા શબ્દથી કહેવાય છે. તેમજ તે યજ્ઞાદિક માટે કરવામાં આવતું કર્મ તે પણ ‘‘सत्’’ એવા શબ્દથીજ કહેવાય છે. ।।૧૭- ૨૭।।
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् ।
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥१७- २८॥
હે પાર્થ !શ્રદ્ધા વિનાનું હોમેલું, દાન આપેલું, તપ તપેલું અને બાકીનું પણ જે કાંઇ કરેલું કર્મ તે અસત્ એમ કહેવાય છે. અને તે કર્મનું ફળ મર્યા પછી તેમજ મર્યા પહેલાં આ લોકમાં પણ નથીજ મળતું. ।।૧૭- ૨૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः ॥१७॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે શ્રદ્ધાત્રય-વિભાગયોગો નામ સપ્તદશોઽધ્યાયઃ ।।૧૭।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૮
ॐ
श्रीपरमात्मने नमः
अथाष्टादशोऽध्यायः
अर्जुन उवाच
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥१८- १॥
અર્જુન પૂછે છે =
હે મહાબાહો ! હું સંન્યાસનું તત્ત્વ-યથાર્થ સ્વરૂપ જાણવા ઇચ્છું છું. અને હે હૃષીકેશ ! હે કેશિનિસૂદન ! ત્યાગનું તત્ત્વપણ સંન્યાસથી ભિન્નપણે જાણવા ઇચ્છું છું. ।।૧૮- ૧।।
श्रीभगवानुवाच
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥१८- २॥
શ્રીભગવાન કહે છે =
કેટલાક કવિ-પંડિતો કામ્ય કર્મના ત્યાગનેજ સંન્યાસ જાણેછે. અને કેટલાક વિચક્ષણ જ્ઞાનીજનો સર્વ કર્મના ફળત્યાગને ત્યાગ એ પ્રમાણે કહે છે. ।।૧૮- ૨।।
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥१८- ३॥
કેટલાક સૂક્ષ્મ બુદ્ધિવાળા ડાહ્યા માણસો દોષવાળાં કર્મ ત્યાગ કરવાં એમ કહે છે. ત્યારે બીજાઓ કેટલાક એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપ એવાં એવાં કર્મ તો ન જ તજવાં. ।।૧૮- ૩।।
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः ॥१८- ४॥
હે ભરતસત્તમ ! તે ત્યાગના સમ્બન્ધમાં મારો નિશ્ચય સાંભળ હે પુરૂષવ્યાઘ્ર ! તે ત્યાગ તો ત્રણ પ્રકારનો વિગતવાર કહેલો છે. ।।૧૮- ૪।।
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥१८- ५॥
યજ્ઞ, દાન અને તપ, એવાં કર્મ તો તજવા લાયક નથી, માટે એ તો કરવાંજ. કેમકે યજ્ઞ, દાન અને તપ, એ તો બધાં સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યોને પણ પાવન કરનારાં જ છે. ।।૧૮- ૫।।
एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥१८- ६॥
અને આ સઘળાંય કર્મ પણ હે પાર્થ ! સંગ-આસક્તિ અને ફળની આશા પણ છોડી દઇને જ કરવાં. એમ મારો ઉત્તમ નિશ્ચિત મત-અભિપ્રાય છે.।।૧૮- ૬।।
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥१८- ७॥
નિયત -અવશ્ય પ્રાપ્ત કર્મનો તો ત્યાગ કરવો ઘટતો જ નથી. અને જો મોહથી-વિપરીત સમઝણથી તેનો પરિત્યાગ કરે છે. તો તે તામસ-અધોગતિ આપનારો ત્યાગ કહેલો છે. ।।૧૮- ૭।।
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥१८- ८॥
કર્મ તો દુ:ખરૂપ જ છે. એમ જાણીને શરીરકલેશના ભયથી જે કર્મનો ત્યાગ કરે છે. તે પુરૂષ એવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને નથી પામતો. એ ત્યાગનો કાંઇ અર્થ જ નથી. ।।૧૮- ૮।।
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥१८- ९॥
કર્મ કરવુંજ જોઇએ એમ સમઝીને હે અર્જુન ! જે નિયત કર્મ કર્યા કરે છે. અને તેમાં સંગ-આસક્તિ અને ફળ પણ છોડી દઇને કરે છે. તો તે સાત્ત્વિક ત્યાગ માનેલો છે. ।।૧૮- ૯।।
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१८- १०॥
સત્ત્વગુણે સમ્પન્ન, યથાર્થ સમઝણવાળો અને સંદેહ વિનાનો - નિઃસંશય, કર્મફળ ત્યાગ કરનારો પુરૂષ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો તેમ કુશળ કર્મમાં આસક્ત પણ થતો નથી. ।।૧૮- ૧૦।।
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥१८- ११॥
કારણ કે દેહધારીઓએ સર્વથા તો કર્મ છોડી શકાતાં જ નથી. માટે જે કર્મના ફળનો ત્યાગ કરે છે. એ જ ખરો ત્યાગી એમ કહેવાય છે. ।।૧૮- ૧૧।।
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥१८- १२॥
કર્મફળનો ત્યાગ નહિ કરનારાઓને અપ્રિય, પ્રિય, અને પ્રિયઅિપ્રય-મિશ્ર, એવાં ત્રણ પ્રકારનાં ફળ મરીને ભોગવવાં પડે છે. પરન્તું જે કર્મફળનો ત્યાગ કરનારા છે. તેમને તો કયારેય એવું ફળ ભોગવવાનું હોતું જ નથી. ।।૧૮- ૧૨।।
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१८- १३॥
હે મહાબાહો ! હવે સધળા કર્મની સિદ્ધિને માટે આ પાંચ કારણો કર્મનો અન્ત લાવવાની યુક્તિ શીખવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેને મારા થકી તું સમઝ. ।।૧૮- ૧૩।।
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१८- १४॥
અધિષ્ઠાન-શરીરરૂપ સ્થાન, કર્તા-જીવાત્મા, જુદા જુદા પ્રકારનાં કરણ-મન અને ઇન્દ્રિયો, અનેક પ્રકારની ચેષ્ટા-વ્યાપાર અને એમાં પાંચમુ દૈવ-ફળદાતા ભગવાન. ।।૧૮- ૧૪।।
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥१८- १५॥
માણસ શરીર, વાણી અને મનથી જે કંઇ સારૂં કે ખોટું કર્મ આરંભે છે. તેમાં આ અધિષ્ઠાનાદિક પાંચ હેતુઓ-કારણો છે. ।।૧૮- ૧૫।।
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥१८- १६॥
તેમાં આમ સ્પષ્ટ હોવા છતાં જે અશિક્ષિત બુદ્ધિવાળો હોવાથી દુર્મતિ માણસ કેવળ એકલા જીવાત્માનેજ કર્તા જુએ છે-માને છે. તો તે ખરૂં જોતો-જાણતો નથી. ।।૧૮- ૧૬।।
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥१८- १७॥ જે પુરૂષને અહંકૃત ભાવ નથી અને જેની બુદ્ધિ સારા-નરસાથી લેપાતી નથી. તે પુરૂષ આ સઘળા લોકને મારીને-મારેછે. તો પણ તે મારતોય નથી અને બંધાતોય નથી. ।।૧૮- ૧૭।।
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।
करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः ॥१८- १८॥
જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા-જાણનારો, એમ ત્રણ પ્રકારે કર્મની નોદના-વિધિ છે. અને કરણ-સાધન, કર્મ અને કર્તા, એમ ત્રણ પ્રકારનો કર્મનો સંગ્રહ-નિરૂપણ છે. ।।૧૮- ૧૮।।
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि ॥१८- १९॥
હવે સત્ત્વાદિક ગુણભેદને લીધે જ્ઞાન, કર્મ અને કર્તા તે પણ ત્રણ-ત્રણ પ્રકારનાં છે. એમ ગુણકાર્યના ભેદને નિરૂપણ કરનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેને પણ મારા થકીજ તું યથાર્થપણે સાંભળ ! ।।૧૮- ૧૯।।
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥१८- २०॥
બ્રાહ્મણાદિક વિભાગથી રહેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં અવિભક્ત-બ્રાહ્મણાદિક વિભાગવ્યવસ્થા જેમાં નથી. એવા એક અવિષમ અવ્યય-અવિનાશી આત્માને જે જ્ઞાને કરીને જુએ છે જાણે છે. તે જ્ઞાનને સાત્ત્વિક જ્ઞાન જાણ ! ।।૧૮- ૨૦।।
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥१८- २१॥
બ્રાહ્મણાદિક સર્વ ભૂતોમાં ભિન્ન ભિન્ન પ્રકારના જુદા જુદા ભાવોને પૃથક્ પૃથક્ પણે જે જ્ઞાનથી જાણે છે. તે જ્ઞાનને રાજસ જ્ઞાન જાણ ! ।।૧૮- ૨૧।।
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥१८- २२॥
અને જે જ્ઞાન તો એકજ કાર્યમાં સમગ્ર ફળવાળામાંજ જેમ, એમ આસક્ત થાય, ઇચ્છિત ફળનું અનુસન્ધાન પણ જેમાં ન હોય, તત્ત્વાર્થ સિવાયનું અને જે તુચ્છ ફળ પમાડનારૂં હોય, તે તામસ જ્ઞાન કહેલું છે. ।।૧૮- ૨૨।।
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥१८- २३॥
નિયત-અવશ્ય પ્રાપ્ત, સંગ-આસક્તિએ રહિત અને ફળની ઇચ્છા નહિ રાખનારા નિષ્કામ પુરૂષે રાગ-દ્વેષ સિવાય કરેલું જે કર્મ તે સાત્ત્વિક કર્મ કહેવાય છે. ।।૧૮- ૨૩।।
यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥१८- २४॥ જે કર્મ તો ફળની ઇચ્છાથી પ્રેરાઇને કરેલું હોય અને અહંકારઅિભનિવેશ પણ જેમાં પૂરો હોય, તેમ બહુ પ્રયાસવાળું જે કર્મ હોય, આવું કર્મ તે રાજસ કર્મ કહેલું છે. ।।૧૮- ૨૪।।
अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥१८- २५॥
પરિણામે થનારૂં ફળ, અર્થાદિકનો થતો વિનાશ, પ્રાણીઓની થતી હિંસા, તેમજ પોતાનું સામર્થ્ય, આ સઘળાનો વિચાર-વિવેક કર્યા સિવાયજ કેવળ મોહ-મમતાથી જે કર્મ આરંભાય છે. તે તામસ કર્મ કહેવાય છે. ।।૧૮- ૨૫।।
मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥१८- २६॥
ફળમાં આસક્તિ જેણે છોડી દીધી છે, અહંકાર ભર્યું વચન પણ નહિ બોલનારો, ધૈર્ય અને સતત ઉત્સાહ રાખનારો, કાર્યની સિદ્ધિઅસિદ્ધિમાં પણ શોક-મોહાદિક વિકાર નહિ પામનારો, આવો કર્તા સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે. ।।૧૮- ૨૬।।
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।
हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥१८- २७॥
આસક્તિવાળો, કર્મના ફળને ઇચ્છનારો, ઉચિત દ્રવ્ય પણ નહિ ખર્ચનારો, હિંસામાં રૂચિવાળો, અપવિત્રપણે વર્તનારો અને વારંવાર હર્ષ-શોક પામનારો, આવો કર્તા રાજસ કર્તા કહેલો છે. ।।૧૮- ૨૭।।
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥१८- २८॥
શાસ્ત્રીય કર્મ આચરવામાં ગાફલ વર્તનારો, પ્રાકૃત-વિવેકશૂન્ય પામર, ગુરૂદેવાદિકની આગળ પણ અનમ્ર વર્તનારો, શઠ, ઠગારો, આળસ્ય રાખનારો પ્રમાદી, સદાય અસંતુષ્ટ રહીને ખેદ પામનારો અને દીર્ઘ સૂત્રી, આવો કર્તા તામસ કર્તા કહેવાય છે. ।।૧૮- ૨૮।।
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय ॥१८- २९॥
હવે-બુદ્ધિના અને ધૃતિના પણ ગુણે કરીને થતા ત્રણ પ્રકારના ભેદ હે ધનંજય ! હું જુદા-જુદા વિક્તિપૂર્વક કહીશ તેને સમગ્રપણે તું સાવધાન થઇને સાંભળ ! ।।૧૮- ૨૯।।
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥१८- ३०॥
હે પાર્થ ! જે બુદ્ધિથી મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. તેમજ કાર્ય-અકાર્યને, ભય-અભયને, તથા બંધ-મોક્ષને પણ જાણે છે. તે સાત્ત્વિકી ઉત્તમ બુદ્ધિ છે. ।।૧૮- ૩૦।।
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।
अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥१८- ३१॥
હે પાર્થ ! જે બુદ્ધિથી ધર્મ-અધર્મને, તથા કાર્ય-અકાર્યને પણ અયથાર્થ પણે જાણે છે. અર્થાત્-ખરી રીતે વાસ્તવિક પણે નથી સમઝતો તે રાજસી મધ્યમ બુદ્ધિ છે. ।।૧૮- ૩૧।।
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।
सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥१८- ३२॥
અને હે પાર્થ ! તમોગુણથી આવરણ પામેલી જે બુદ્ધિથી અધર્મને ધર્મ એમ માને છે. તેમજ સઘળા અર્થોને-શાસ્ત્રમાં કહેલા સદર્થોને પણ વિપરીતજ માને છે. તે બુદ્ધિ તો તામસી અધમ બુદ્ધિ જાણવી. ।।૧૮- ૩૨।।
धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।
योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥१८- ३३॥
બીજા વિષયોમાં વ્યભિચાર નહિ પામનારી એવી જે ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ભક્તિયોગની સિદ્ધિ માટે વશ કરાય છે. હે પાર્થ ! તે સાત્ત્વિકી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૩।।
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।
प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥१८- ३४॥
હે અર્જુન ! જે ધૃતિથી તો ફળની આકાંક્ષાવાળો પુરૂષ ધર્મ, અર્થ અને કામ, તેને અતિ આસક્તિપૂર્વક ધારે છે- મુકી શક્તો નથી, હે પાર્થ ! તે રાજસી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૪।।
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।
न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥१८- ३५॥
કુબુદ્ધિવાળો મનુષ્ય જે ધૃતિથી સ્વપ્ન-નિદ્રા, ભય, શોક, વિષાદ-ખેદ અને મદ-ગર્વ, આ સર્વને છોડી શક્તો નથી, હે પાર્થ ! તે તામસી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૫।।
सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥१८- ३६॥
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥१८- ३७॥
હે ભરતર્ષભ ! હવે-હમણાં મારા થકી ત્રણ પ્રકારનું સુખ તું સાંભળ ! જે સુખમાં સહજ અભ્યાસથી જ રમે છે-સ્થિતિ પામે છે, અને સાંસારિક કલેશના અન્તને પણ પામે છે. વળી જે અભ્યાસ વખતે વિષ સમાન લાગે છે. અને પરિણામે અમૃતને તુલ્ય નીવડે છે. આવું પોતાની આત્મનિશ્ચયક બુદ્ધિની પ્રસન્નતાથી થયેલું સુખ તે સાત્ત્વિક સુખ કહેલું છે. ।।૧૮- ૩૬-૩૭।।
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥१८- ३८॥
વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે અનુભવ વખતે અમૃતને તુલ્ય મીઠું લાગે છે. પણ પરિણામે વિષની માફક દુ:ખદાયી નીવડે છે. તે રાજસ સુખ કહેલું છે. ।।૧૮- ૩૮।।
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥१८- ३९॥
જે સુખ ભોગવતી વખતે અને પરિણામે પણ જીવાત્માને કેવળ મોહને જ કરનારૂં થાય છે. તેમજ નિદ્રા, આલસ્ય અને પ્રમાદ, તેનાથી પ્રાપ્ત થતું સુખ તે તામસ સુખ કહેલું છે. ।।૧૮- ૩૯।।
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥१८- ४०॥
હે અર્જુન ! પૃથ્વી ઉપર મનુષ્યોમાં અથવા તો સ્વર્ગમાં દેવતાઓમાં એવું કોઇ પ્રાણી નથી કે જે આ પ્રકૃતિથી ઉપજેલા ત્રણ ગુણોથી રહિત હોય. ।।૪૦।।
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥१८- ४१॥
હે પરન્તપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોનાં તેમજ શૂદ્રોનાં પણ કર્મ સ્વભાવથી થયેલા ગુણોને લીધે-ગુણો પ્રમાણેજ જુદાં જુદાં વિભાગથી કહેલાં છે. ।।૧૮- ૪૧।।
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥१८- ४२॥
શમ, દમ, તપ, બે પ્રાકારનું શૌચ, ક્ષમા, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકતા, આ સઘળાં બ્રાહ્મણને સ્વભાવપ્રાપ્ત કર્મ કહેલાં છે. ।।૧૮- ૪૨।।
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥१८- ४३॥
શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પણ પલાયન ન કરી જવું, દાન અને ઇશ્વરભાવ, આ બધાં ક્ષત્રિયોને સ્વભાવથીજ પ્રાપ્ત થયેલાં સહજ કર્મ છે. ।।૧૮- ૪૩।।
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥१८- ४४॥
ખેડ કરવી, ગાયો વિગેરે પશુઓનું રક્ષણ કરવું અને વાણિજ્યવેપાર કરવો. આ વૈશ્યોનાં સ્વભાવપ્રાપ્ત કર્મ છે. અને ત્રણ વર્ણની પરિચર્યા કરવી એ રૂપ શૂદ્રોનું પમ સ્વભાવપ્રાપ્ત કર્મ છે. ।।૧૮- ૪૪।।
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८- ४५॥
સર્વ મનુષ્યો પોત-પોતાના કર્મમાંજ આભરત-રચ્યા-પચ્યા રહીને સંસિદ્ધિને પામે છે. હવે તે પોતાનાજ કર્મમાંનિરત રહીને જેમ સિદ્ધિને પામે છે. તે તું સાંભળ ! ।।૧૮- ૪૫।।
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥१८- ४६॥
જેના થકી આ ભૂત-પ્રાણીમાત્રની પ્રવૃત્તિ-આરંભ થાય છે, અને જેણે આ સઘળું જગત્ વ્યાપેલું છે. તે પરમાત્માને પોતાના કર્મથી પૂજીને-પ્રસન્ન કરીને માણસો સિદ્ધિને પામે છે. ।।૧૮- ૪૬।।
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥१८- ४७॥
સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં પમ ન્યૂન ગુણવાળો હોય તોય પોતાનો ધર્મ સારો-શ્રેય આપનારો છે, કેમકે સ્વભાવથીજ નિયત કરેલું કર્મ કરતાં માણસ કયારેય કિલ્વિષ દુ:ખ અગર તો પાપ નથી પામતો. ।।૧૮- ૪૭।।
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥१८- ४८॥
હે કૌન્તેય ! દોશવાળું-ન્યૂન ગુણવાળું હોય તોય પોતાનું સહજ કર્મ માણસોએ તજવું જોઇએ નહિ, કેમકે-સર્વ કર્મના આરંભોજ ધૂમાડાથી અગ્નિ જ જેમ એમ દોષથીજ આવરેલા ભરેલા છે. ।।૧૮- ૪૮।।
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥१८- ४९॥
સર્વત્ર વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરૂષ કર્મફળના સંન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૧૮- ૪૯।।
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥१८- ५०॥
નૈષ્કર્મ્યસિદ્ધિના ફળરૂપ ધ્યાનયોગને પામેલો પુરૂષ જેવી રીતે બ્રહ્મને-પરબ્રહ્મને પામે છે, તે સંક્ષેપથી કહેલો પ્રકાર મારા થકી તું જાણ !-સમઝ ! કે જે પરમાત્મપ્રાપ્તિરૂપ જ્ઞાનની પરા કાષ્ઠા-ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. ।।૧૮- ૫૦।।
बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८- ५१॥
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥१८- ५२॥
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥१८- ५३॥
સર્વથા વિશુદ્ધ બુદ્ધિએ યુક્ત થઇને, ધૈર્યથી મનને નિયમમાં રાખીને, શબ્દાદિક વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષનો પણ સર્વથા પરિત્યાગ કરીને, એકાન્ત સેવન કરવાના સ્વભાવવાળો થઇને, લઘુ આહાર કરીને, વાણી, શરીર અને મનને નિયમમાં રાખીને, પરમ વૈરાગ્યને સર્વથા આશર્યો થકો નિરન્તર ધ્યાનયોગપરાયણ વર્તતો. તેમજ અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહનો પરિત્યાગ કરીને નિર્મમત્વ થઇને શાન્ત થયેલો પુરૂષ બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે. ।।૧૮- ૫૧-૫૩।।
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥१८- ५४॥
આવો બ્રહ્મભૂત થયેલો, પ્રસન્ન ચિત્તવાળો પુરૂષ પ્રિય વસ્તુના નાશથી નથી શોક કરતો, કે નથી પ્રિય વસ્તુની આકાંક્ષા કરતો, સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવ પામેલો પુરૂષ મારી પરા-પ્રેમલક્ષણા ભક્તિને પામે છે. ।।૧૮- ૫૪।।
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥१८- ५५॥
હું જેવડો છું અને જે છું તેવો તો મને તત્ત્વથી ભક્તિથીજ જાણે છે. અને એમ તત્ત્વથી મને જાણી-સમઝીને તે પછી મારા પ્રત્યે પ્રવેશ કરે છે-મનેજ પામે છે. ।।૧૮- ૫૫।।
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥१८- ५६॥
વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરૂષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને- બ્રહ્મધામને પામે છે. ।।૧૮- ૫૬।।
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥१८- ५७॥
જ્ઞાને કરીને સર્વ કર્મો મારામાં સમપર્ણ કરીને મત્પરાયણ થઇને બુદ્ધિયોગનો સમાશ્રય કરીને અખંડ મારામાંજ ચિત્તવૃત્તિ રાખનારો થઇ જા ! ।।૧૮- ૫૭।।
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥१८- ५८॥
મારામાં ચિત્ત રાખવાથી સર્વ દુસ્તર દુ:ખોને પણ મારી પ્રસન્નતાથી તરી જઇશ. અને જો તું અહંકાર રાખીને મારૂં વચન નહિ સાંભળે તો તું વિનાશને માર્ગે જઇને ભ્રષ્ટ થઇ જઇશ. ।।૧૮- ૫૮।।
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥१८- ५९॥
અહંકારને આશરીને ‘‘હું યુદ્ધ નહિ કરૂં’’ એમ જો તું માનતો હોય તો તે તારો મનનો ઠરાવ મિથ્યા-નકામો છે. તારી પ્રકૃતિજ-સ્વભાવજ તને યુદ્ધ કરવામાં પ્રેરશે. ।।૧૮- ૫૯।।
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥१८- ६०॥
હે કૌન્તેય ! પૂર્વ સંસ્કારરૂપ સ્વભાવથીજ પ્રાપ્ત સ્વકર્મથી બંધાયેલો તું મોહને વશ થઇને જે કાર્ય કરવા નથી ઇચ્છતો તેજ કાર્ય તું પરવશ થકો પણ જરૂર કરીશ. ।।૧૮- ૬૦।।
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥१८- ६१॥
હે અર્જુન ! સર્વના સ્વામી ભગવાન સર્વ ભૂતોના હ્રદય-પ્રદેશમાં પોતાની માયા-શક્તિથી સંસૃતિ-ચક્રરૂપ યંત્ર ઉપર આરૂઢ થયેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રને તેના તેના કર્મ પ્રમાણે સંસારમાં ભમાવતા થકા રહે છે. ।।૧૮- ૬૧।।
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥१८- ६२॥
હે ભારત ! તેથી તું સમગ્ર ભાવથી-પ્રકારથી તે પરમેશ્વરનેજ શરણે જા-રહે, તે પરમાત્માની પ્રસન્નતાથીજ તું પરમ શાન્તિને અને અવિચળ પદને પામીશ. ।।૧૮- ૬૨।।
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥१८- ६३॥
આ પ્રમાણે મેં તને ગુહ્યમાં અતિ ગુહ્ય પરમ રહસ્યરૂ જ્ઞાન કહી બતાવિયું. માટે એ સગળું સમગ્રપણે વિચારીને જેમ તારી ઇચ્છા હોય તેમ કર ! ।।૧૮- ૬૩।।
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥१८- ६४॥
વળી-ફરીથી પણ સર્વ રહસ્યમાં પણ પરમ રહસ્યરૂપ મારૂં સર્વોત્કૃષ્ટ હિત કરનારૂં વચન સાંબળ ! તું મને અત્યંત વ્હોલો છું અને અતિ દૃઢ મતિવાળો છું માટે તારા હિતનું વચન હું તને કહીશ કહું છું. ।।૧૮- ૬૪।।
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥१८- ६५॥
મારામાં જ મન રાખમનારો થા ! મારોજ ભક્ત થા ! મારૂં જ પૂજન કરનારો થા ! અને મનેજ નમસ્કાર કર ! આમ કરવાથી તું મનેજ પામીશ. તું મને અતિ પ્રિય છું. માટે તારી આગળ હું સ્તય પ્રતિજ્ઞા-વચન કહું છું ।।૧૮- ૬૫।।
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥१८- ६६॥
તું સર્વ ધર્મને-ધર્મના બળને છોડી દઇને મને એકનેજ શરણ પામ હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઇ શોક કરીશ માં. ।।૧૮- ૬૬।।
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥१८- ६७॥
આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઇચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો હોય તેને પણ ન કહેવું. અને જે મારા તરફ અભ્યસૂયા કરતો હોય તેને કયારેય નજ કહેવું. ।।૧૮- ૬૭।।
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥१८- ६८॥
જે પુરૂષ આ પરમ રહસ્યરૂપ જ્ઞાન મારા ભક્તોમાં કહીને પ્રવર્તાવશે તો તે મારે વિષે પરા-પ્રેમલક્ષણા ભક્તિ કરીને મનેજ પામશે. એમાં લવ-લેશ શંકાજ નથી. ।।૧૮- ૬૮।।
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥१८- ६९॥
એવા મારૂં જ્ઞાન ફેલાવનારા ભક્ત પુરૂષ કરતાં મારૂં અત્યન્ત પ્રિય કરનાર મનુષ્યોમાં બીજો કોઇ છેજ નહિ. અને આ પૃથ્વી ઉપર તેના કરતાં બીજો કોઇ મને અતિશય વ્હાલો પણ થનાર નથીજ. ।।૧૮- ૬૯।।
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥१८- ७०॥
આપણા બેના આ મોક્ષ આપનારા ધર્મ સંબંધી સંવાદનો જે પાઠ કરશે, તો તે પુરૂષે હું સર્વોત્કૃષ્ટ જ્ઞાનયજ્ઞથી પૂજેલો થઇશ એમ મારો નિશ્ચય છે. ।।૧૮- ૭૦।।
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।
सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥१८- ७१॥
આ જ્ઞાન-શાસ્ત્રમાં જે શ્રદ્ધાવાન્ થઇને સાંભળે, અને વળી જે આમાં અભ્યસૂયા ન કરે, તો તે પુરૂષ પણ પુણ્ય કર્મ કરનારા પવિત્ર ભક્ત પ્રૃષોના લોકને પામે છે. ।।૧૮- ૭૧।।
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनंजय ॥१८- ७२॥
હે પાર્થ ! આ મેં કહ્યું તે તેં એકાગ્ર-સાવધાન ચિત્તથી સાંભળ્યું ? અને હે ધનંજ્ય ! તારો અજ્ઞાનથી થયેલો મોહ સર્વથા નષ્ટ થયો ? ॥૧૮- ૭૨॥
अर्जुन उवाच
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥१८- ७३॥
અર્જુન કહે છે =
હે અચ્યુત ! તમારી પ્રસન્નતાથી મારો મોહ નષ્ટ થઇ ગયો છે. અને હું પૂરે-પૂરી સ્મૃતિમાં-સાવધાનીમાં આવ્યો છું. હું સંદેહ વિનાનો થઇને ઉભો છું અને તમારૂં વચન પાળીશ. ।।૧૮- ૭૩।।
संजय उवाच
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥१८- ७४॥
સંજય કહે છે =
આ પ્રમાણે મહાત્મા વાસુદેવ અને પાર્થ એ બન્નેનો રોમાંચ કરે એવો આ અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. ।।૧૮- ૭૪।।
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥१८- ७५॥
સકળ યોગના સ્વામી સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતેજ અર્જુનને કહેતા હતા તેમના થકી આ પરમરહસ્યરૂપ સંવાદ મેં વ્યાસમુનિની પ્રસન્નતાને લીધે સાંભળ્યો. ।।૧૮- ૭૫।।
राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥१८- ७६॥
હે રાજન્ ! કેશવ ભગવાન અને અર્જુનના આ અતિ પવિત્ર અદ્ભુત સંવાદને સંભારીને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૧૮- ૭૬।।
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥१८- ७७॥
હે રાજન્ ! શ્રીહરિ-કૃષ્ણનું તે અતિ અદ્ભુત રૂપ સંભારીને મને બહુજ મોટો વિસ્મય થાય છે. અને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૧૮- ૭૭।।
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥१८- ७८॥
હે રાજન્ ! જ્યાં-જે પક્ષમાં સાક્ષાત્ યોગેશ્વર કૃષ્ણ છે. અને ધનુધારી પૃથાપુત્ર અર્જુન છે. ત્યાંજ શ્રી-લક્ષ્મી, વિજય અને ભૂતિ ઐશ્વર્ય છે. અને અચળ નીતિ પણ ત્યાંજ છે. એમ મારી મતિ-નિશ્ચય છે. ।।૧૮- ૭૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशोऽध्यायः ॥१८॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સંન્યાસયોગો નામાષ્ટાદશોઽધ્યાયઃ ।।૧૮।।
- 1.પ્રથમોધ્યાય: અર્જુનવિષાદયોગ
- 2.દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ
- 3.તૃતીયોધ્યાય: કર્મયોગ
- 4.ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ
- 5.પંચમોધ્યાય: કર્મસંન્યાસયોગ
- 6.ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ
- 7.સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ
- 8.અષ્ટમોધ્યાય: અક્ષરબ્રહ્મયોગ
- 9.નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ
- 10.દશમોધ્યાય: વિભૂતિયોગ
- 11.એકાદશોધ્યાય: વિશ્વરૂપદર્શનયોગ
- 12.દ્વાદશોધ્યાય: ભક્તિયોગ
- 13.ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ
- 14.ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ
- 15.પંચદશોધ્યાય: પુરુષોત્તમયોગ
- 16.ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ
- 17.સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ
- 18.અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ
- 19
- 20
- 21
- નામ
શ્રીમદ ભગવત ગીતા
બુક ઉપર ક્લિક કરો
ketan joshi
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧
ॐ
श्रीपरमात्मने नमः
अथ श्रीमद्भगवद्गीता
प्रथमोऽध्यायः
धृतराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥१-१॥
ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે=
હે સંજય ! ધર્મના ક્ષેત્રભૂત કુરૂક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો તેમજ પાંડવોએ શું કર્યું ? ।।૧-૧।।
संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥१-२॥
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥१-३॥
સંજય કહે છે = તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહ રચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઇને જ આચાર્ય દ્રોણ ગુરૂની પાસે જઇને વચન બોલવા લાગ્યો. હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચનાથી ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ ! નીહાળો ! ।।૧- ૨-૩ ।।
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥१-४॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥१-५॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥१-६॥
આ સેનામાં મોટાં મોટાં ધનુષ ધારનારા અને રણ સંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહારથી યુયુધાન-સાત્યકિ, વિરાટ અને દ્રુપદરાજા અને મહાસામર્થ્યવાન ધૃષ્ટકેતુ, ચેકિતાન અને કાશિરાજ, તેમજ નરશ્રેષ્ઠ એવો પુરૂજીત્, કુન્તિભોજ અને શૈબ્ય નામે પ્રસિદ્ધ રાજા, વળી શૂરવીર યુધામન્યુ, પરાક્રમી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પ્રતિ વિન્ધ્યાદિક પાંચ, તેમજ બીજા પણ પાંડય રાજા વિગેરે ઘણાક છે. અને આ બધાય મહારથીઓજ છે. ।।૧- ૪-૬ ।।
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम ।
नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥१-७॥
હે દ્વિજોત્તમ-આચાર્ય ! હવે આપણા સૈન્યમાં જે મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે, તેઓને આપ જાણી લ્યો. અને તે મારી સેનાના નાયકો તમારી જાણને માટે તમોને કહી બતાવું છું. ।।૭।।
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिंजयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥१-८॥
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥१-९॥
એક તો આપ-દ્રોણગુરૂ, બીજા ભીષ્મપિતા, તથા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય, તથા અશ્વત્થામા, વિકર્ણ, તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ. અને આ સિવાયના બીજા પણ શલ્ય અને કૃતવર્માદિક શૂરવીરો છે, કે જેઓ મારે માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે. અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાનાં સાધનોવાળા છે, તેમજ તે સઘળા યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે. ।।૧- ૮-૯।।
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१-१०॥
ભીષ્મપિતાથી રક્ષા કરાયેલું આપણું સૈન્ય તો અપર્યાપ્ત ઘણુંજ ઓછું લાગેછે. અને ભીમથી રક્ષા કરાયેલું આ એમનું શત્રુઓનું સૈન્ય તો જય મેળવવામાં સમ્પૂર્ણ સમર્થ જણાય છે. ।।૧- ૧૦।।
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥१-११॥
માટે તમે બધાય સર્વ વ્યૂહરચનાઓના પ્રવેશમાર્ગમાં યથાયોગ્ય વિભાગ પ્રમાણે સાવધાન ઉભા રહીને ચોતરફથી એક ભીષ્મ-પિતાનુંજ સર્વ પ્રકારે રક્ષણ કરો. ।।૧- ૧૧।।
तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥१-१२॥
તે સમયમાં મહાપ્રતાપી કુરૂવૃદ્ધ ભીષ્મ-પિતામહે તે દુર્યોધનને હર્ષ ઉપજાવતાં સિંહનાદ જેવી ઉચ્ચ સ્વરથી ભયંકર ગર્જના કરીને પછી પોતાનો શંખ વજાડ્યો. ।।૧- ૧૨।।
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥१-१३॥
તે પછી તુરતજ બીજા યોદ્ધાઓએ પોતપોતાના શંખ, ભેરીઓ, મૃદંગ, નગારાં તેમજ રણશીંગાં વિગેરે એકદમ વજાડ્યાં અને તે શબ્દ અતિશય મહાન્ ભયંકર થયો. ।।૧- ૧૩।।
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥१-१४॥
તે પછી શ્વેત અશ્વોથી જોડેલા પોતાના મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણે અને પાંડુપુત્ર અર્જુને પોતાના દિવ્ય શંખો વજાડ્યા. ।।૧- ૧૪।।
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१-१५॥
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१-१६॥
તેમાં હૃષીકેશ-ભગવાને પાંચજન્ય શંખ વજાડ્યો, ધનંજય-અર્જુન દેવદત્ત શંખ વજાડ્યો, ભયંકર કર્મ કરનારા વૃકોદરે પોતાનો પૌંડ્ર નામનો મહાશંખ વજાડ્યો, કુન્તી પુત્ર યુધિષ્ઠિર રાજાએ અનન્તવિજય નામનો શંખ વજાડ્યો અને નકુલ અને સહદેવે પણ સુઘોષ અને મણિપુષ્પક નામના પોતપોતાના શંખ વજાડ્યા. ।।૧- ૧૫-૧૬।।
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥१-१७॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्मुः पृथक्पृथक् ॥१-१८॥
મોટા ધનુષને ધારનારો કાશીરાજા, મહારથી શિખંડી રાજા, દ્રુપદનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ-રાજા, કોઇથી પરાજય ન કરાય એવો સાત્યકિ, હે પૃથિવીપતિ ધૃતરાષ્ટ્ર રાજન્ ! દ્રુપદ-રાજા, દ્રૌપદીના પુત્રો પ્રતિવિન્ધ્યાદિક પાંચ અને સુભદ્રાનો પુત્ર મહાબાહુ અભિમન્યું, એ સર્વે ચોતરફથી પોત-પોતાના જુદા જુદા શંખોને વજાડવા લાગ્યા. ।।૧- ૧૭-૧૮।।
स घोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ॥१-१९॥
એ સર્વ શંખોનો તે મહા ભયંકર શબ્દ ગર્જના આકાશ અને પૃથ્વીને અતિશય ગજાવી મુક્તો ધૃતરાષ્ટ્રના પુત્રોનાં હ્રદયને વિદારી નાખવા લાગ્યો. ।।૧- ૧૯।।
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥१-२०॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।
તે પછી યુદ્ધ કરવા માટે વ્યવસ્થાથી ગોઠવાઇને સજ્જ થયેલા ધૃતરાષ્ટ્રના તમારા પુત્રોને જોઇને પરસ્પર શસ્ત્રસમ્પાત થવા લાગ્યો તે સમયમાં કપિ-હનુમાનજી તેના ધ્વજમાં બેઠેલા છે એવા પાંડુપુત્ર અર્જુન પોતાનું ધનુષ ઉગામીને હે મહીપતિ ધૃતરાષ્ટ્ર ! તે સમયમાં હૃષીકેશ ભગવાનના પ્રત્યે આ પ્રમાણે વાક્ય કહેવા લાગ્યો. ।।૧- ૨૦।।
अर्जुन उवाच
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥१-२१॥
यावदेतान्निरिक्षेऽहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥१-२२॥
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥१-२३॥
અર્જુન કહે છે
હે અચ્યુત ! બન્ને સેનાઓના મધ્યે મારો રથ લઇ જઇને ઉભો રાખો ! કે જ્યાંથી યુદ્ધ કરવાની ઇચ્છાથી સજ્જ થઇને ઉભા રહેલા એ દુર્યોધનાદિકને હું જોઉં-જોઇ શકું. । અને વળી આ રણસંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, તેવા સઘળા યુદ્ધ કરવા ઇચ્છનારાઓને પણ હું જોઉં, કે જેઓ દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનનું યુદ્ધમાંજ પ્રિય કરવાને ઇચ્છતા થકા અહીં આ રણભૂમિમાં આવેલા છે. ।।૧- ૨૧-૨૩।।
संजय उवाच
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥१-२४॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥१-२५॥
સંજય કહે છે
હે ભારત ! ભારતકુલોત્પન્ન ધૃતરાષ્ટ્ર ! ગુડાકેશ નિદ્રાને જીતનારા અર્જુને આ પ્રમાણે કહેલા શ્રીકૃષ્ણ ભગવાનને અર્જુનના ઉત્તમ રથને બન્ને સેનાઓના મધ્યે ભીષ્મ-દ્રોણાદિક તેમજ સર્વ રાજાઓની સમક્ષમાં ઉભો રાખીને હે પાર્થ ! યુદ્ધ કરવા ભેગા થયેલા આ કૌરવોને તેમજ તેના પક્ષનાઓને પણ જો ! એમ કહ્યું. ।।૧- ૨૪-૨૫।।
तत्रापश्यत्स्थितान्पार्थः पितॄनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥१-२६॥
श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान् ॥१-२७॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।
પૃથાના પુત્ર અર્જુને તે રણભૂમિમાં આવીને બન્ને સેનાઓમાં ઉભા રહેલા પિતાઓને કાકાઓને, પિતામહોને=દાદાઓને, આચાર્યોને, મામાઓને, ભાઇઓને, પૌત્રોને, સખાઓને, તેમજ શ્વશુરોને તથા સર્વ સુહ્રદોને પણ જોયા. કુન્તીનો પુત્ર અર્જુન યુદ્ધ માટે તૈયાર થઇને ઉભા રહેલા તે સઘળા સગા સમ્બન્ધીઓને ચોતરફથી જોઇને અતિશય કૃપાથી આવિષ્ટ થઇને ખેદ પામતો પામતો આ પ્રમાણે કહેવા લાગ્યો. ।।૧- ૨૬-૨૭।।
अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥१-२८॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ॥१-२९॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ॥१-३०॥
અર્જુન કહે છે
હે કૃષ્ણ ! યુદ્ધ કરવા ઇચ્છતા આ સમીપમાં ઉભા રહેલા મારા સ્વજનોને જોઇને મારાં ગાત્ર અવયવો શિથિલ થઇ જાય છે. અને મારૂં મુખ પણ સુકાઇ જાય છે. મારા શરીરમાં કમ્પારો થઇ આવે છે. અને રોમહર્ષ-રૂંવાડાં ઉભાં થઇ આવે છે. આ મારૂં ગાંડીવ ધનુષ હાથમાંથી પડી જાય છે અને મારી ચામડી પણ બળું બળું થાય છે. અને હું ઉભો રહેવાને પણ શક્તિમાન નથી અને મારૂં મન તો જાણે ભમતું હોયને શું ? એમ જણાય છે.।।૧- ૨૮-૩૦।।
निमित्तानि च पश्यामि विपरीतानि केशव ।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥१-३१॥
હે કેશવ ! શકુનો પણ હું વિપરીત જ દેખું છું અને આ મારા સમ્બન્ધી જનોને યુદ્ધમાં મારી નાખીને પછીથી પણ હું મારૂં શ્રેય નથી જોતો. ।।૧- ૩૧।।
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च ।
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥१-३२॥
येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥१-३३॥
હે કૃષ્ણ ! હું આ યુદ્ધ કરીને વિજય નથી ઇચ્છતો, તેમજ રાજ્ય કે રાજ્યનાં સુખોને પણ નથીજ ઇચ્છતો. હે ગોવિંદ ! અમને રાજ્ય મળે તોય શું ? અથવા ભોગ-વિલાસોથી કે જીવનથી પણ શું ? કારણ કે જેમને માટે અમારે રાજ્ય, રાજ્યના ભોગો તથા રાજ્યનાં સુખો ઇચ્છિત છે, તે આ સઘળા તો પોતાના પ્રાણ અને ધન સર્વસ્વનો ત્યાગ કરીને યુદ્ધમાં સામા આવીને ઉભા છે. ।।૧- ૩૨-૩૩।।
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः ।
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबन्धिनस्तथा ॥१-३४॥
આચાર્યો, પિતાઓ, કાકાઓ, પુત્રો, તથા દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શ્યાલકો તથા બીજા પણ સઘળા સમ્બન્ધીઓ, એ સઘળા ઉભેલા છે. ।।૧- ૩૪।।
एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन ।
अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते ॥१-३५॥
હે મધુસૂદન ! તેઓ મને મારે તો પણ હું એમને મારવા નથી ઇચ્છતો, ત્રિલોકીના રાજ્ય માટેય નહિ, તો પછી પૃથ્વી માટે તો હું મારૂં જ કેમ ? ।।૧- ૩૫।।
निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन ।
पापमेवाश्रयेदस्मान्हत्वैतानाततायिनः ॥१-३६॥
વળી- ધૃતરાષ્ટ્રના છોકરાઓને મારી નાખીને અમને શું પ્રીતિ થવાની હતી ? માટે હે જનાર્દન ! આતતાયી એવા પણ એ કૌરવોને મારીને અમને કેવળ પાપજ લાગે. ।।૧- ૩૬।।
तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान्स्वबान्धवान् ।
स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव ॥१-३७॥
માટે અમારા બાન્ધવો એવા ધૃતરાષ્ટ્રના છોકરાઓને કે પક્ષનાઓને પણ મારવાને માટે અમે યોગ્ય નથી, કેમ કે હે માધવ ! સ્વજનોને મારીને અમે કેમ સુખીયા થઇએ ? (ન જ થઇએ.) ।।૧- ૩૭।।
यद्यप्येते न पश्यन्ति लोभोपहतचेतसः ।
कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् ॥१-३८॥
कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् ।
कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन ॥१-३९॥
જો કે લોભથી ભ્રષ્ટચિત્ત થઇ ગયેલા એ કૌરવો કુળના ક્ષયથી થતો દોષ-પાપ, તેમજ મિત્રદ્રોહમાં રહેલું પાપ નથી દેખતા, તો પણ હે જનાર્દન ! કુળક્ષયકૃત દોષને જોનારા અમોએ આ પાપથી નિવૃત્તિ પામવા માટે કેમ ન સમઝવું જોઇએ ? સમઝવું જ જોઇએ. ।।૧- ૩૮-૩૯।।
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत ॥१-४०॥
કુળનો ક્ષય થવાથી સનાતન પરમ્પરાગત શાશ્વત ધર્મો નાશ પામી જાય છે. અને ધર્મ નષ્ટ થવાથી સમગ્ર કુળ નાશ પામી જાય છે. અને વળી અધર્મ સર્વ પ્રકારે પરાભવ પમાડે છે. ।।૧- ૪૦।।
अधर्माभिभवात्कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः ।
स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः ॥१-४१॥
હે કૃષ્ણ ! અધર્મથી પરાભવ થવાથી કુળવતી સ્ત્રીઓ દૂષિત બની જાય છે. અને હે વૃષ્ણિ કુળનન્દન સ્ત્રીઓ દૂષિત-ભ્રષ્ટ થવાથી પ્રજા વર્ણસંકર થાય છે.।।૧- ૪૧।।
संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः ॥१-४२॥
વર્ણસંકર પ્રજા કુળનો નાશ કરનારાઓને તેમજ બાકીના સમગ્ર કુળને પણ નરકમાંજ નાખનારી થાય છે. અને એમના મરીને ગયેલા પિતૃઓ પણ પાછળથી પિંડદાન અને તર્પણાદિક ક્રિયાઓ લુપ્ત થવાથી અધોગતિનેજ પામે છે. ।।૧- ૪૨।।
दोषैरेतैः कुलघ्नानां वर्णसंकरकारकैः ।
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ॥१-४३॥
વર્ણસંકરતાને પમાડનારા કુળધાતી પુરૂષોના એ મહાદોષથી શાશ્વત સનાતન જાતિધર્મો અને પરમ્પરાગત-કુળધર્મો પણ સઘળા નાશ કરી નખાય છે. ।।૧- ૪૩।।
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ।
नरकेऽनियतं वासो भवतीत्यनुशुश्रुम ॥१-४४॥
હે જનાર્દન ! ઉત્સન્ન થઇ ગયા છે કુળધર્મ જેમના એવા મનુષ્યોનો નરકમાં નિયત-અખંડ વાસ થાય છે એમ અમે આચાર્યોના મુખથી સાંભળ્યું છે. ।।૧- ૪૪।।
अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् ।
यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः ॥१-४५॥
અહો- ખેદની વાત છે, કે- અરેરે અમે આવું મોટું પાપ કરવાના નિશ્ચય ઉપર આવી ગયા, કે જે- રાજ્યસુખના લોભે કરીને સ્વજનોને હણવાને માટે તૈયાર થઇ ગયા. ।।૧- ૪૫।।
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः ।
धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥१-४६॥
માટે શસ્ત્ર હાથમાં લઇને તૈયાર થયેલા ધૃતરાષ્ટ્રના છોકરાઓ શસ્ત્રરહિત અને પોતાનો બચાવ પણ નહિ કરતો એવો મને રણમાં જો મારી નાખે, તો તો મારૂં અતિશય કલ્યાણ થાય. ।।૧- ૪૬।।
संजय उवाच
एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः ॥१-४७॥
સંજય કહે છે =
શોકથી અતિ ઉદ્વિગ્ન ચિત્તવાળો અર્જુન યુદ્ધ સમયમાંજ આ પ્રમાણે કહીને બાણ સહિત ધનુષ છોડી દઇને રથના એક ભાગમાં બેસી ગયો. ।।૧- ૪૭।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादेऽर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः ॥ १ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અર્જુનવિષાદયોગો નામ પ્રથમોઅધ્યાયઃ ।।૧।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય – ૨
ॐ
श्रीपरमात्मने नमः
अथ द्वितीयोऽध्यायः
संजय उवाच
तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥२- १॥
સંજય કહે છે = પૂર્વે કહેવા પ્રમાણે પરમ કૃપાથી આવિષ્ટ થયેલા, અશ્રુઓથી પૂર્ણ આકુળ-વ્યાકુળ નેત્રોવાળા અને અતિશય ખેદ કરતા તે અર્જુન પ્રત્યે મધુસૂદન ભગવાન આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ।।૨- ૧।।
श्रीभगवानुवाच
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२- २॥
શ્રી ભગવાન કહે છે = હે અર્જુન ! આર્ય પુરૂષોએ કદી નહિજ સેવેલું, સ્વર્ગ પ્રાપ્તિમાં પણ વિરોધી અને આ લોકમાં પણ અપકીર્તિ કરનારૂં, એવું આ કશ્મળ મનનો મોહ આવા વિષમ સમયમાં તને કયાંથી પ્રાપ્ત થયું ? થઇ આવ્યું ? ।।૨- ૨।।
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥२- ३॥
હે પાર્થ ! પૃથાના પુત્ર અર્જુન ! તું આમ નપુંસકભાવને ન પામી જા. આ તારે વિષે નથી ઘટતું, માટે હે શત્રુતાપન ! ક્ષુદ્ર હ્રદયદૌર્બલ્યને છોડી દઇને તું યુદ્ધ માટે ઉભો થા ? સાવધાન થા ? ।।૨- ૩।।
अर्जुन उवाच
कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन ।
इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥२- ४॥
અર્જુન કહે છે =
હે મધુસૂદન ! ભીષ્મપિતામહને અને દ્રોણગુરૂને યુદ્ધમાં બાણોથી કેવી રીતે હું પ્રહાર કરી શકું ? કેમ કે તેઓ તો મારે પરમ પૂજ્ય છે. ।।૨- ૪।।
गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥२- ५॥
માટે મહાનુભાવ ગુરૂઓને નહિ હણતાં આ લોકમાં ભિક્ષાથી મેળવેલું અન્ન ખાવું એજ અતિ શ્રેયસ્કર છે, કેમ કે અર્થલુબ્ધ ગુરૂઓને મારી નાખીને તો તેમનાજ રૂધિરથી ખરડાયેલા ભોગો આ લોકમાં અમારે ભોગવવાના. ।।૨- ૫।।
न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषाम- स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२- ६॥
વળી એ પણ અમે જાણતા નથી કે આ બેમાંથી (ભિક્ષા માગી ખાવી ? કે યુદ્ધ કરવું ?) અમારે માટે કહ્યું શ્રેષ્ઠ છે ? અથવા તો અમે એમને જીતીએ, કે તેઓ અમને જીતે, વળી તેમ છતાં જેમનેજ મારીને અમે જીવવાની પણ ઇચ્છા નથી રાખતા, તે ધૃતરાષ્ટ્રના છોકરાઓ તો યુદ્ધમાં સમા આવીને ઉભા છે. ।।૨- ૬।।
कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥२- ७॥
દીનતાને લીધે મારો સ્વભાવ પલટાઇ ગયો છે, તેથી ધર્મનિર્ણયની બાબતમાં સર્વથા મૂઢચિત્ત બની ગયેલો હું તમને પૂછું છું કે મારૂં જે નિશ્ચિત શ્રેય હોય તે મને સમઝાવો ! હું તમારો શિષ્ય છું, માટે તમારે શરણે આવેલા મને મને બોધ કરો. ।।૨- ૭।।
न हि प्रपश्यामि ममापनुद्याद् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥२- ८॥
પૃથ્વી ઉપરનું શત્રુરહિત અને સમૃદ્ધિવાળું સમગ્ર રાજ્ય પામીને, અગર તો દેવોનું સ્વામિત્વ પામીને પણ ઇન્દ્રિયોને સર્વથા શોષણ કરનારો મારો શોક નાશ કરે એવું કોઇપણ વસ્તુ અગર સાધન મારા જોવામાં નથીજ આવતું. ।।૨- ૮।।
संजय उवाच
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२- ९॥
સંજય કહે છે =
આ પ્રમાણે ગુડાકેશ-અર્જુન હૃષીકેશ-ભગવાનને કહીને હે પરન્તપ ! ‘‘હું યુદ્ધ નહિ જ કરૂં’’ એમ છેવટમાં ગોવિંદ- ભગવાનને કહી દઇને પછી મૌનજ બની ગયો. ।।૨- ૯।।
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२- १०॥
હે ભારત ! ધૃતરાષ્ટ્ર ! બન્ને સેનાઓના મધ્યેજ આ પ્રમાણે ખેદ પામતા તે અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણ ભગવાન હસતા હસતા જ એમ કહેવા લાગ્યા. ।।૨- ૧૦।।
श्रीभगवानुवाच
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥२- ११॥
ભગવાન કહે છે =
નહિ શોક કરવા લાયકનો તું અનુશોક કરે છે. અને વળી બુદ્ધિવાદની વાતો બોલે છે. કેમ કે પંડિતો-જ્ઞાનીજનો મરેલાઓનો તેમજ જીવતાઓનો પણ, અથવા દેહનો કે આત્માનો પણ અનુશોક કરતાજ નથી. ।।૨- ૧૧।।
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥२- १२॥
હું કયારેય ન હતો એમ નહિ, તું પણ ક્યારેય ન હતો એમ નહિ, તેમજ આ બધા રાજાઓ પણ ન હતા એમ નહિ. અર્થાત્ હું, તું અને આ સઘળા પણ પૂર્વે હતા જ. વળી આપણે બધાય હવે પછીના સમયમાં પણ નહિ હોઇએ એમ તો નહિ જ, અર્થાત્ હોઇશું જ. ।।૨- ૧૨।।
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥२- १३॥
દેહી-જીવાત્માને આ દેહમાંજ જેમ કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અનુક્રમે બદલાયા કરે છે, તેજ પ્રમાણે આગળ બીજાબીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે. માટે એમ જાણીને ધીર પુરૂષ તેમાં મોહ નથી પામતો. ।।૨- ૧૩।।
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥२- १४॥
હે કુન્તીપુત્ર-અર્જુન ! શબ્દાદિક વિષયોના સ્પર્શો તો શીત-ઉષ્ણ, સારા-નરસા હોઇને સુખ દુ:ખને આપનારા છે. અને તેય આગમન-ગમન સ્વભાવના હોવાથી અસ્થિર નાશવંત છે, માટે હે ભારત ! તેને તું સહન કર. ।।૨- ૧૪।।
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२- १५॥
હે પુરૂષશ્રેષ્ઠ-અર્જુન ! સુખ દુ:ખ જેને સમાન થઇ ગયાં છે, એવા જે ધીર આત્મદર્શી પુરૂષને એ વિષયો વ્યથા-ઉદ્વેગ નથી પમાડતા તે પુરૂષ અમૃતત્વ મુક્તિને માટે કલ્પાય છે - યોગ્ય થાય છે. ।।૨- ૧૫।।
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥२- १६॥
અસત્ પદાર્થનો સદભાવ નથી અને સત્-વસ્તુનો અસદભાવ નથી. આ સત્-અસત્ એ બન્નેનો પણ ખરો સાર-નિર્ણય તો તત્ત્વદર્શી મહાત્માઓએ જાણેલો છે. ।।૨- ૧૬।।
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥२- १७॥
તે સત્-વસ્તુ આત્મતત્ત્વ તો અવિનાશી છે એમ તું જાણ. કે જેનાથી આ સઘળું વિશ્વ અથવા આ આખું શરીર વ્યાપ્ત છે. અને એ વિકારશૂન્ય આત્મતત્ત્વનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી. ।।૨- ૧૭।।
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥२- १८॥
નિત્ય-નિરન્તર સદભાવવાળો, નાશ નહિ પામનારો અને અપ્રમેય-સર્વ પ્રમાણોથી પણ નિર્ણય ન કરી શકાય એવા શરીરધારી આત્માના આ ભૂત ભવિષ્યમાં થનારા દેહો અન્તવાળા-નાશવન્ત છે, માટે હે ભારત !-અર્જુન ! એ બધાનો શોક મુકીને તું યુદ્ધ કર. ।।૨- ૧૮।।
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥२- १९॥
જે આ આત્માને હણનારો એમ જાણે છે, તેમજ જે એને બીજાથી હણાયેલો માને છે. તે બન્ને કાંઇ સમઝતાજ નથી. કેમ કે આ આત્મા કોઇને હણતોય નથી, તેમ બીજા કોઇથી પોતે હણાતો પણ નથી. ।।૨- ૧૯।।
न जायते म्रियते वा कदाचि- न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२- २०॥
આ-જીવાત્મા કદી ઉત્પન્ન થતો નથી, તેમજ-તે કયારેય મરતો પણ નથી. તેમ સૃષ્ટિ-સમયમાં ઉત્પન્ન થઇને પાછો પ્રલય સમયમાં નહિ હોય એમ પણ નહિ. કેમ કે આ આત્મા અજ, નિત્ય, સદાય એક રૂપ અને પુરાતન છે. અને તેથીજ તો શરીર હણાતાં પણ-એ હણાતો નથી. ।।૨- ૨૦।।
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२- २१॥
હે પાર્થ ! એ આત્માને જે પુરૂષ અજ, અવ્યય, નિત્ય-સિદ્ધ અને અવિનાશી જાણે છે, તો તે પુરૂષ કોને કેવી રીતે હણે છે ? અથવા તો હણાવે છે ? ।।૨- ૨૧।।
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥२- २२॥
જેમ માણસ પોતે જુનાં વસ્ત્રોને ત્યાગ કરી દઇને બીજાં નવાં ધારણ કરે છે, તેજ પ્રમાણે દેહી-જીવાત્મા જીર્ણ થયેલાં ચાલુ શરીરોનો ત્યાગ કરી બીજાં નવાં નવાં શરીરોમાં પ્રવેશ કરે છે. ।।૨- ૨૨।।
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२- २३॥
એ આત્માને શસ્ત્રો છેદતાં નથી, એ આત્માને અગ્નિ બાળતો નથી, એને જળ પણ કહોવરાવતાં નથી, તેમ વાયુ પણ એને સુકવતો નથી. ।।૨- ૨૩।।
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२- २४॥
આ આત્મા છેદી શકાય નહિ,બાળી શકાય નહિ, કહોવરાવી શકાય નહિ, તેમ સુકાવી શકાય નહિ એવો છે. વળી-એ આત્મા નિત્ય, સર્વ શરીરમાં પ્રવેશ કરનારો, સ્થિર સ્વભાવનો, અચળ અને સદાય એકરૂપે રહેવાવાળો છે. ।।૨- ૨૪।।
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२- २५॥
એ આત્મા ઇન્દ્રિયોથી ન જણાય એવો, અન્તઃકરણથી ન વિચારાય એવો અને શસ્ત્રાદિકથી વિકાર ન પમાડાય એવો કહેવાય છે, માટે એ આત્માને એવો જાણી સમઝીને તારે એનો અનુશોક કરવો યોગ્ય નથી. ।।૨- ૨૫।।
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥२- २६॥
હવે એ આત્માને તું શરીરના જન્મ સાથે સદાય જન્મ પામનારો એવો માનતો હોય, અથવા તો શરીરના મરણ સાથે સદાય મરણ પામનારો એવો માનતો હોય, તો પણ હે મહાબાહુ-અર્જુન ! તારે એનો શોક કરવો યોગ્ય નથી. ।।૨- ૨૬।।
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥२- २७॥
કારણ કે - જન્મ પામેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે, માટે અપરિહાર્ય-અવશ્ય બનવાના અર્થમાં તું શોક કરવાને યોગ્ય નથી. ।।૨- ૨૭।।
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२- २८॥
હે ભારત ! અર્જુન ! સર્વભૂત-પ્રાણીમાત્ર આદિભાગમાં અવ્યક્તરૂપેજ હોય છે, ફક્ત વચલી અવસ્થામાં વ્યક્ત થઇને આખરે પાછાં અવ્યકતમાંજ લય પામનારાં છે, તો પછી તેમાં શો શોક કરવો ? ।।૨- ૨૮।।
आश्चर्यवत्पश्यति कश्चिदेन- माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२- २९॥
એ આત્માને કોઇક આશ્ચર્ય જેવો જ જુએ છે, તેમજ વળી બીજો કોઇક તો એને આશ્ચર્ય જેવો જ કહી બતાવે છે. વળી બીજો સાંભળનારો પણ એને આશ્ચર્યની પેઠેજ શ્રવણ કરે છે. આ પ્રમાણે શ્રવણાદિક કરીને પણ એને ખરી રીતે તો કોઇજ જાણતો નથી. ।।૨- ૨૯।।
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥२- ३०॥
વળી હે ભારત ! અર્જુન ! સર્વના દેહમાં પહેલો આ દેહી-જીવાત્મા સદાય અવધ્યજ છે, માટે સર્વ ભૂત-પ્રાણીમાત્ર તારે શોક કરવા યોગ્ય નથી. ।।૨- ૩૦।।
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥२- ३१॥
વળી- તારે સ્વધર્મનો પણ વિચાર કરીને આ યુદ્ધમાંથી ચલાયમાન થવું યોગ્ય નથી, કારણ કે ધર્મપ્રાપ્ત ક્ષત્રિયધર્માનુરૂપ યુદ્ધકરતાં બીજું કોઇ પણ શ્રેય-શ્રેષ્ઠ કર્મ ક્ષત્રિયોને માટે છેજ નહિ. ।।૨- ૩૧।।
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२- ३२॥
દૈવ ઇચ્છાથી અનાયાસેજ પ્રાપ્ત થયેલું, ખુલ્લા બારણાના સ્વર્ગદ્વાર જેવું, આવું ધર્મયુદ્ધ તો હે પૃથાના પુત્ર અર્જુન ! તારા જેવા સુખી-ભાગ્યશાળી ક્ષત્રિયોજ પામે છે. ।।૩૨।।
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥२- ३३॥
માટે હવે જો તું આ ધર્મયુદ્ધ નહિ કરે તો તેથી સ્વધર્મનો અને કીર્તિનો નાશ કરીને કેવળ પાપનેજ પામીશ. ।।૨- ૩૩।।
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२- ३४॥
વળી મનુષ્યો તારી ઘણા લાંબા કાળ સુધી અપકીર્તિ ગાયા કરશે. અને સર્વ સન્માનનીય પ્રતિષ્ઠિત પુરૂષને અપકીર્તિ એ તો મરણ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ।।૨- ૩૪।।
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२- ३५॥
અને આ બધા મહારથીઓ તને ભયથીજ યુદ્ધમાંથી પાછો હઠી ગયો એમ માનશે. અને એમ થવાથી જેમની આગળ તારૂં બહુ માન છે તેમની આગળ તારી બહુજ હલકાઇ થઇ જશે. ।।૨- ૩૫।।
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२- ३६॥
તેમજ-તારા શત્રુઓ તારા સામર્થ્યને નિન્દતાં તારે માટે ન બોલાય તેવા બહુજ ખરાબ શબ્દો બોલશે, તો તેથી બીજું કયું મોટું દુ:ખ છે ? ।।૨- ૩૬।।
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२- ३७॥
તેમ છતાં આ યુદ્ધમાં જો તું હણાયો તો સ્વર્ગ-સુખ પામીશ અને જીતીને તો પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવવાનું છે જ. માટે હે કુન્તીપુત્ર અર્જુન ! તું યુદ્ધ માટે કૃતનિશ્ચય થઇ ઉઠ ! સાવધાન થઇ જા. ।।૨- ૩૭।।
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२- ३८॥
અને સુખ દુ:ખ સમાન કરીને-માનીને, તેમજ લાભ-અલાભ, જય-પરાજય, એ બધામાં સમતા રાખીને તે પછીજ યુદ્ધ માટે જોડાઇ જા ! એમ કરવાથી તને પાપ નહિ લાગે. ।।૨- ૩૮।।
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२- ३९॥
હે પાર્થ ! આ તને સાંખ્ય-યોગમાં વર્તવાની બુદ્ધિ કહી, હવે યોગમાં કર્મ-યોગમાં તો આ કહું છું તે બુદ્ધિ સાંભળ ? જે બુદ્ધિએ યુક્ત વર્તવાથી કર્મથી થતા બન્ધને તું સર્વ પ્રકારથી ટાળી શકીશ. ।।૨- ૩૯।।
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२- ४०॥
આ બુદ્ધિયુક્ત કર્મયોગમાં આરંભેલાનો નાશ નથી થતો, તેમ અપૂર્ણ રહેવામાં પ્રત્યવાય પણ નથી લાગતો. આ ધર્મનું સ્વલ્પ આચરણ પણ મોટા ભયથી રક્ષા કરે છે. ।।૨- ૪૦।।
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२- ४१॥
હે કુરૂનન્દન ! કર્મયોગરૂપ શ્રેયોમાર્ગમાં નિશ્ચયાત્મક એકજએક પ્રકારનીજ બુદ્ધિ છે. અને વિવિધ કર્મના ફળભેદને લીધે અનન્ત પ્રકારે વહેંચાયેલી બહુ શાખાવાળી બુદ્ધિઓ તો અનિશ્ચિત શ્રેયોમાર્ગવાળાઓનીજ છે. ।।૪૧।।
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२- ४२॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२- ४३॥
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥२- ४४॥
વેદમાં કહેલા ફળવાદમાંજ સર્વસ્વ માનનારા અને તે સિવાયનું બીજું કોઇ અધિક સુખ છેજ નહિ એમ બોલનારા, વિષયોમાંજ આસક્ત ચિત્તવાળા અને તેથીજ સ્વર્ગનેજ પરમ સાધ્ય માનનારા, એવા અવિદ્વાન્-મૂર્ખજનો જન્મ-કર્મની પરમ્પરા રૂપ ફળનેજ આપનારી અને ભોગ-ઐશ્વર્યને ઉદેશીને પ્રવર્તેલી એવી કર્મકલાપના બહોળા વિસ્તારવાળી જે આ પુષ્પિતા- ફળ વિનાનાં કેવળ પુષ્પમાત્રનીજ શોભાની માફક આપાતરમ્ય જણાતી મોહક વાણી બોલે છે. એવા ભોગ ઐશ્વર્યમાં અત્યન્ત આસક્ત થયેલા અને તે વિષયાસક્તિને લીધેજ જેમની બુદ્ધિ વિષયો તરફ હરાઇ ખેંચાઇ ગઇ છે. તે પુરૂષોની બુદ્ધિ સમાધિમાં એક નિશ્ચયવાળી થઇને સ્થિરતા પામતી નથી. ।।૨- ૪૨-૪૪।।
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२- ४५॥
હે અર્જુન ! વેદો સઘળા ત્રિગુણમય સંસારને ઉદેશીને પ્રવર્તેલા છે, માટે તું તો ત્રિગુણ મિશ્રિત ભાવથી રહિત થઇ જા ! અને અખંડપણે સદાય સત્ત્વ-ગુણમાં રહેનારો જ્ઞાની થઇને સુખ દુ:ખ, શોક-મોહ, વિગેરે રાજસ-તામસ ભાવોથી રહિત થા ! અને યોગ-ક્ષેમની પણ ચિન્તાથી રહિત થઇ જા ! ।।૨- ૪૫।।
यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२- ४६॥
ચોતરફ ઉછળતા ખૂબ જળથી છલો-છલ ભરેલા મોટા જળાશયમાં પણ સ્નાન-પાનાદિક કરવામાં જેટલું પ્રયોજન મનાય છે, તેટલું જ પ્રયોજન કે ફળ બ્રહ્મ જાણનાર વિજ્ઞાનસમ્પન્ન મનુષ્યને સર્વ વેદોમાં રહેલું છે. ।।૨- ૪૬।।
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२- ४७॥
તારે કર્મમાંજ-કર્મ કરવામાંજ અધિકાર છે, પરન્તુ-ફળોમાં કયારેય પણ અધિકાર નથી. માટે અભિમાનને લીધે કર્મના ફળમાં તું કારણભૂત ન થા ! તેમ કર્મ ન કરવામાં છોડી દેવામાં પણ તને ઇચ્છા અગર આસક્તિ ન થાઓ ! ।।૨- ૪૭।।
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२- ४८॥
હે ધનંજય ! સિદ્ધિ-અસિદ્ધિ રૂપ લાભ-અલાભમાં સમાન ભાવ રાખીને, સંગ ઇચ્છા કે આસક્તિ છોડી દઇને યોગમાં વર્તવાપૂર્વક દરેક કર્મ કરો ! અહીંઆં સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા રાખવી-માનવી એજ યોગ કહેલો છે. ।।૨- ૪૮।।
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२- ४९॥
હે ધનંજય ! બુદ્ધિયોગ કરતાં કેવળ કર્મ ઘણુંજ હલકું-તિચ્છ છે. માટે તું બુદ્ધિમાં સમતારૂપ બુદ્ધિયોગમાં સ્થિરતા પામવાની ઇચ્છા રાખ ! કેમ કે ફળમાં હેતુભૂત થઇને કર્મ કરનારા મનુષ્યો તો કૃપણ-કંગાલ જેવાજ છે. ।।૨- ૪૯।।
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२- ५०॥
બુદ્ધિયોગમાં સ્થિરતા પામેલો પુરૂષ આ લોકમાંજ સુકૃત અને દુષ્કૃત એ બન્નેનો ત્યાગ કરી દે છે, માટે તું પણ યોગને માટે બુદ્ધિયોગમાં સ્થિરતા પામવાને માટે પ્રયત્ન કર ! કારણ કે બુદ્ધિયોગ એજ કર્મ કરવામાં ચતુરાઇ-ડહાપણ છે. ।।૨- ૫૦।।
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥२- ५१॥
સમત્વરૂપ બુદ્ધિયોગ પામેલા મહાજ્ઞાની પુરૂષો કર્મથી થતા ફળનો ત્યાગ કરીને ત્યાગ કરવાથી જન્મ વિગેરે વિકારોથી વિનિર્મુક્ત થઇને સર્વ ઉપદ્રવથી રહિત પરમ પદને-ભગવદ્ધામને પામે છે. ।।૨- ૫૧।।
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥२- ५२॥
જ્યારે તારી બુદ્ધિ આત્મા-અનાત્માના અવિવેકરૂપ મોહથી અજ્ઞાનથી થતી કલુષતાને સર્વથા તરી જશે ત્યારેજ સાંભળવા લાયક અને સાંભળેલાં એ સર્વનો તને વૈરાગ્ય ઉદાસીનતા આવશે. ।।૨- ૫૨।।
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२- ५३॥
વિવિધ અભિપ્રાયનાં શાસ્ત્રવાકયોના શ્રવણથી વિવિધ પ્રકારે ભેદાઇ ગયેલી તારી અસ્થિર બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઇને સમાધિમાં સ્થિરતા પામશે ત્યારેજ તું સમત્વરૂપ બુદ્ધિયોગને પામીશ. ।।૨- ૫૩।।
अर्जुन उवाच
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥२- ५४॥
અર્જુન પૂછે છે =
હે કેશવ ! સમાધિનિષ્ઠ સ્થિતપ્રજ્ઞ પુરૂષની ભાષા- બોલી કેવી હોય છે ? અથવા એને કેવા શબ્દોથી કહેવામાં બોલાવવામાં આવે છે ? સ્થિતપ્રજ્ઞ પુરૂષ શું બોલે છે ? એ કેમ બેસે છે ? અને કેમ હરે-ફરે છે ? એ મને કહો ! ।।૨- ૫૪।।
श्रीभगवानुवाच
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२- ५५॥
શ્રી ભગવાન કહે છે =
હે પાર્થ ! સાધક જ્યારે મનમાં રહેલા સર્વ કામ વિષયેચ્છાઓનો ત્યાગ કરે છે અને પરમેશ્વરમાંજ અથવા આત્મસ્વરૂપમાંજ શુદ્ધ ભાવથી જોડેલા મનથી સન્તુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।।૨- ૫૫।।
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२- ५६॥
દુ:ખોના પ્રસંગોમાં જેનું ચિત્ત ઉદ્વેગ નથી પામતું અને સુખોમાં પણ જેને સ્પૃહા ટળી ગઇ છે. અને તેથીજ રાગ, ભય અને ક્રોધ વિગેરે માનસિક વિકારોથી જે રહિત થયોલો છે. એવો મનનશીલ પુરૂષ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।।૨- ૫૬।।
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५७॥
જે સર્વત્ર સર્વથા નિઃસ્નેહ થયેલો છે. અને તે તે શુભ-અશુભ વસ્તુ પ્રાપ્ત થતાં નથી અભિનંદન કરતો, કે નથી દ્વેષ કરતો, તે પુરૂષની પણ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત સ્થિર થઇ એમ જાણવું. ।।૨- ૫૭।।
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५८॥
આ સાધક યોગી જ્યારે પોતાનાં ઇન્દ્રિયોને કૂર્મ-કાચબો જેમ પોતાના અવયવોને સર્વથા સંકેલી લે છે, એજ પ્રમાણે તે તે ઇન્દ્રિયોના વિષયોથી પાછાં ખેંચીને સ્વવશમાં રાખે છે, ત્યારે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર જાણવી. ।।૨- ૫૮।।
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२- ५९॥
જો કે નિરાહાર મનુષ્યના વિષયો ઘણું કરીને નિવૃત્ત થાય છે, પણ તેમાં રસ-આસક્તિ તો રહે છેજ. અને તે આસક્તિ-વાસના તો પરં-પરમાત્મસ્વરૂપનો અથવા આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયેજ નિવૃત્તિ પામે છે. ।।૨- ૫૯।।
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२- ६०॥
હે કૌન્તેય ! વારંવાર પ્રયત્ન કરતા એવાય પણ વિદ્વાન્વિવેકશીલ પુરૂષના મનને અતિ બળવાન ઇન્દ્રિયો વિષયો તરફ બળાત્કારે ખેંચી જાયછે. ।।૨- ૬૦।।
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६१॥
માટે તે સર્વ ઇન્દ્રિયોને સમ્યક્ પ્રકારે નિયમમાં રાખીને બુદ્ધિયોગયુક્ત થઇને મદેકપર વર્તે છે અને તેમ થવાથી જેનાં ઇન્દ્રિયો સ્વવશમાં રહે છે, તે પુરૂષની પ્રજ્ઞા મારા સ્વરૂપમાં સ્થિરતા પામેલી જાણવી. ।।૨- ૬૧।।
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥२- ६२॥
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२- ६३॥
(હવે- તેમ નહિ કરનારને અનર્થાપત્તિ જણાવે છે) પુરૂષને વિષયોનું ચિન્તવન-સ્મરણ કરતાં તેમાં સંગ-આસક્તિ થઇ આવેછે, આસક્તિમાંથી કામ-આતુરતા થાયછે અને તેમાંથી તે વિષયમાં આડે આવનાર ઉપર ક્રોધ થાયછે. ક્રોધમાંથી સંમોહકાર્યાકાર્ય ના અવિવેકરૂપ ગાઢ અજ્ઞાન પ્રસરેછે. અને સંમોહથી પછી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિભ્રંશથી પછી બુદ્ધિનાશ અને બુદ્ધિનો નાશ થવાથી પુરૂષાર્થથી ભ્રષ્ટ થઇને આખરે મોક્ષમાર્ગથી પણ ભ્રષ્ટ થઇ જાયછે. ।।૨- ૬૨-૬૩।।
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२- ६४॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२- ६५॥
(હવે-બુદ્ધિ સ્થિર કરવાનો ઉપાય કહેછે) વશ વર્તેછે મન જેનું એવો સાધક પુરૂષ પ્રિય-અપ્રિય વસ્તુમાં રાગ-દ્વેષથી રહિત માટેજ સ્વવશમાં વર્તનારાં એવાં ઇન્દ્રિયોથી વિષયોનું સેવન કરતાં મનની પ્રસન્નતા-નિર્મળતા પામેછે. અને મનની પ્રસન્નતા-નિર્મળતા પ્રાપ્ત થતાં સર્વ દુ:ખની હાનિ એને આપો-આપ થઇ જાયછે અને પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તુરતજ પરમાત્મસ્વરૂપમાં સર્વથા સ્થિરતા પામે છે. ।।૨- ૬૪-૬૫।।
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२- ६६॥
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२- ६७॥
એજ વાત વ્યતિરેક-ભાવથી કહી બતાવે છેઅયુક્ત ને-અન્તઃકરણ વશ નહિ કરનારને, બુદ્ધિ-સ્થિર બુદ્ધિ થતી નથી, તેમ અયુક્ત પુરૂષને પરમાત્મસ્વરૂપમાં ભાવના-સ્નેહપૂર્વક મનની સ્થિરતા પણ થતી નથી. માટે ભાવનાશૂન્ય પુરૂષને શાન્તિ પણ મળતી નથી અને એવા અશાન્તને સુખ તો મળેજ કયાંથી ? કેમકે-વિષયોમાં સ્વછન્દથી ફરનારાં ઇન્દ્રિયોની પાછળ જે પોતાના મનને જવા દે છે, તો તે મન એ પુરૂષની બુદ્ધિને વિપરીત વાયુ જળમાં ફરતા વહાણનેજ જેમ, એમ અવળે માર્ગે ખેંચી જાય છે. ।।૨- ૬૬-૬૭।।
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६८॥
માટે હે મહાબાહો ! જેનાં ઇન્દ્રિયો ઇન્દ્રિયોના અર્થરૂપ વિષયો થકી સર્વ પ્રકારે નિગ્રહ કરીને સ્વવશમાં રાખેલાં હોયછે, તે પુરૂષનીજ પ્રજ્ઞા પરમાત્મસ્વરૂપમાં સ્થિરતા પામેલી જાણવી. ।।૨- ૬૮।।
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२- ६९॥
હવે- જ્ઞાની-અજ્ઞાનીનો સ્થિતિભેદ કહી બતાવે છે. સર્વ ભૂત-પ્રાણીમાત્રની જે રાત્રિ અજ્ઞાનરૂપ અન્ધકારમય છે, તેમાં સંયમી-જ્ઞાની પુરૂષ જાગેછે-જાણપણે યુક્ત વર્તે છે. અને જેમાં ભૂત-પ્રણીમાત્ર જાગેછે-સાવધાન વર્તે છે, તે આત્મદર્શી મનનશીલ સંયમી પુરૂષની રાત્રિ છે. ।।૨- ૬૯।।
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥२- ७०॥
ચોતરફથી ઘણું પાણી ભરાવા છતાં પણ અતૂટ મર્યાદાવાળા સમુદ્રમાં અનેક નદી-નાળાંનું જળ જેમ આપો-આપ ભરાયછે, તેજ પ્રમાણે સર્વ કામનાઓ-વિષયો આપો-આપ જેમાં પ્રવેશ કરેછે, તે પુરૂષજ શાન્તિ પામેછે, પણ વિષયોને જે પોતે ઇચ્છે છે તેને તો શાન્તિ મળતીજ નથી. ।।૨- ૭૦।।
विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥२- ७१॥
માટે જે પુરૂષ સર્વ વિષયોને દૂરથીજ ત્યાગ કરીને નિઃસ્પૃહ થકો વિચરેછે અને નિમત્વ થઇને દેહમાંથી પણ જેને અહંભાવ ટળી જાયછે, તેજ પુરૂષ ખરી શાન્તિને અનુભવેછે. ।।૨- ૭૧।।
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२- ७२॥
હે પાર્થ ! આ મેં કહી એ બ્રાહ્મી સ્થિતિ જાણ ! આ સ્થિતિ પામીને- પામ્યા પછી કોઇ મોહમાં ફસાતો નથી. વળી આ સ્થિતિમાં અન્તકાળે પણ રહેવાય તોય બ્રહ્મનિર્વાણ-જન્મમૃત્યુથી રહિત સ્થિતિરૂપ કૈવલ્ય મુક્તિ મળે છે. (એવો આ બ્રાહ્મી સ્થિતિનો મહિમા છે.) ।।૨- ૭૨।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોઅધ્યાયઃ ।।૨।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોઅધ્યાયઃ ।।૨।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૩
ॐ
श्रीपरमात्मने नमः
अथ तृतीयोऽध्यायः
अर्जुन उवाच
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥३- १॥
અર્જુન પૂછે છે =
હે જનાર્દન-પ્રભુ ! જો તમોએ કર્મ કરતાં બુદ્ધિ એજ શ્રેષ્ઠ માની હોય, તો હે કેશવ ! આવા ઘોર યુદ્ધરૂપ કર્મને વિષે મને શા માટે પ્રેરો છો ? ।।૩- ૧।।
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥३- २॥
આવા વ્યામિશ્ર-પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા વાક્યથી આપ મારી બુદ્ધિને મોહિત કરતા હો ને શું ? એમ મને લાગે છે, માટે આપ નિશ્ચય કરીને મને એકજ વાત કહો ! કે જેથી હું મારૂં શ્રેય સાધી શકું. ।।૩- ૨।।
श्रीभगवानुवाच
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३- ३॥
શ્રી ભગવાન કહે છે = હે નિષ્પાપ- અર્જુન ! આ લોકમાં બે પ્રકારનીજ નિષ્ઠાઓ-જ્ઞાનયોગથી સાંખ્યોની-જ્ઞાનીઓની અને કર્મયોગથી યોગીઓની-કર્મયોગીઓની. એમ મેં પ્રથમથીજ કહી છે. ।।૩- ૩।।
न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते ।
न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥३- ४॥
વળી કર્મનો આદરજ ન કરે તેથી કાંઇ પુરૂષ નૈષ્કર્મ્યને-જ્ઞાનયોગની સિદ્ધિને પામતો નથી, તેમ કર્મ સમૂળગાં છોડી દેવાથી પણ સિદ્ધિને-મોક્ષમાર્ગની સિદ્ધિને નથીજ પામતો. ।।૩- ૪।।
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥३- ५॥
કારણ કે કોઇ પણ મનુષ્ય-પ્રાણી ક્યારેય એક ક્ષણ વાર પણ કર્મ કર્યા સિવાયનો રહેતો નથી. પ્રકૃતિના ગુણો સર્વ પ્રાણીઓ પાસે પરવશતામાં રાખીને અવિરતપણે કર્મ કરાવે છેજ. ।।૩- ૫।।
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥३- ६॥
અને જે કર્મેન્દ્રિયોનો ઉપરથી સંયમ કરીને મનથી જો વિષયોનુંજ સ્મરણ કરતો વર્તે છે, તો તે મૂઢ બુદ્ધિવાળો માણસ મિથ્યાચાર-દાંભિકજ કહેવાય છે. ।।૩- ૬।।
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥३- ७॥
પણ જે ઇન્દ્રિયોને મનથી નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મયોગનો આરંભ કરે છે. અને ફળમાં અનાસક્ત રહે છે, તો હે અર્જુન ! તે સર્વથી શ્રેષ્ઠ મનાય છે. ।।૩- ૭।।
नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥३- ८॥
માટે તારૂં જાતિ- ગુણ પ્રમાણે નિયત થયેલું અવશ્ય વિહિત કર્મ કર. કારણ કે કર્મ નહિ કરવા કરતાં કર્મ કરવું એ ઘણે દરજ્જે સારૂં છે. અને એમ જો તું કર્મ છોડી દઇશ, તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ નહિજ થઇ શકે. ।।૩- ૮।।
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥३- ९॥
યજ્ઞને માટે કરાતાં કર્મ સિવાયનાં બાકીનાં કર્મ કરવામાંજ આ સઘળો લોક કર્મથી બન્ધન પામનારો થાય છે. માટે હે કૌન્તેય ! તું ફળમાં આસક્તિ છોડી દઇને કેવળ યજ્ઞને માટેજ કર્મ કરનારો થા. ।।૩- ૯।।
सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥३- १०॥
પૂર્વે સૃષ્ટિ- સમયમાંજ બ્રહ્માએ યજ્ઞોએ સહિત પ્રજાઓને સર્જીને કહ્યું કે આ યજ્ઞ કરવાથી તમે વૃદ્ધિ પામો ! આ યજ્ઞજ તમારા ઇષ્ટ મનોરથો સિદ્ધ કરશે. ।।૩- ૧૦।।
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥३- ११॥
આ યજ્ઞથી તમે દેવોની સંભાવના કરો ! અને તે દેવો તમને સંભાવના કરીને વૃદ્ધિ પમાડે ! એમ પરસ્પર સંભાવના કરતાં તમે સર્વ પ્રજાઓ ઉત્તરોત્તર પરમ શ્રેય પામશો. ।।૩- ૧૧।।
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥३- १२॥
યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. પરંતુ તે દેવોએ આપેલા ભોગોને તેમને આપ્યા સિવાય જે ભોગવે છે તે તો ચોરજ છે. ।।૩- ૧૨।।
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥३- १३॥
યજ્ઞ કરતાં અવશેષ રહેલું અન્ન જમનારા સત્પુરૂષો સર્વ પાપથી મુકાઇ જાય છે. અને જે પાપી જનો કેવળ પોતાનેજ માટે રાંધે છે - રાંધીને ખાય છે, તે તો કેવળ પાપનુંજ ભક્ષણ કરે છે. ।।૩- ૧૩।।
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥३- १४॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥३- १५॥
ભૂત-પ્રાણીમાત્ર અન્નથીજ ઉત્પન્ન થાય છે. અન્નની ઊત્પત્તિ પર્જન્યથી થાય છે. પર્જન્ય-મેઘ યજ્ઞથી થાયછે. અને તે યજ્ઞ ક્રિયાસાધ્ય હોવાથી કર્મથીજ તેનો સર્મુંઈ્ભવ સિદ્ધિ છે. કર્મ બ્રહ્મથી- કર્તાનું શરીર અને પ્રેરક વેદ એ બન્નેથી સિદ્ધ થાય છે. અને તે બ્રહ્મ અક્ષરસ્વરૂપ પરબ્રહ્મથીજ ઉદભવેલું છે. માટે સર્વવ્યાપી પરંબ્રહ્મ નિત્ય નિરન્તર યજ્ઞમાં પ્રતિષ્ઠા પામેલુંજ છે. ।।૩- ૧૪-૧૫।।
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥३- १६॥
આમ અનાદિ કાળથી આ લોકમાં ભગવાને પ્રવર્તાવેલા ચક્રને જે માણસ નથી અનુસરતો તે પુરૂષ પાપરૂપ આયુષ્યવાળો અને ઇન્દ્રિયારામ હોવાથી હે પાર્થ ! આ લોકમાં નિષ્ફળ જીવે છે. ।।૩- ૧૬।।
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३- १७॥
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥३- १८॥
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥३- १९॥
અને જે માણસ તો આત્મસ્વરૂપમાંજ પ્રીતિવાળો હોય અને આત્માનન્દમાંજ સદાય તૃપ્ત હોય અને આત્માનન્દના લાભથીજ સદાય સન્તુષ્ટ રહેતો હોય તે પુરૂષને કાંઇ કરવાનું હોતું નથી. કેમ કે - આ લોકમાં તેને કર્મ કરવાથી કાંઇ અર્થ-પ્રયોજન નથી હોતું, તેમ - ન કરવાથી કાંઇ અનર્થ જેવું પણ નથી હોતું, તેમ તેને તો સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં કોઇ જાતનો અર્થસમ્બન્ધ પણ હોતો નથી. માટે તું પણ ફળાસક્તિથી રહિત થઇને તારે કરવા યોગ્ય કર્મ કર્યા કર ! અને એમ આસક્તિએ રહિત થકો કર્મ કરતાં કરતાં પુરૂષ પોતે પરને-આત્મસ્વરૂપને અથવા-પરમાત્મસ્વરૂપને પામે છે. ।।૩- ૧૭-૧૯।।
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३- २०॥
પૂર્વે થયેલા જનકાદિક જ્ઞાનીઓ પણ કર્મથીજ સમ્પૂર્ણપણે સિદ્ધિને પામી ગયા છે. માટે લોકસંગ્રહને પણ જોતાં-વિચારતાં તારે કર્મ કરવું એજ યોગ્ય-સારૂં છે. ।।૩- ૨૦।।
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥३- २१॥
શ્રેષ્ઠ માણસ જે જે જેવું જેવું આચરણ કરે છે, તે જોઇને બીજા સામાન્ય માણસ પણ તેજ તેવુંજ આચરણ કરે છે. અને તે શ્રેષ્ઠ માણસ જેને પ્રમાણ કરે છે, તેનેજ લોકો પણ અનુસરે છે. ।।૩- ૨૧।।
न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥३- २२॥
હે પૃથાપુત્ર-અર્જુન ! મારે આ સમગ્ર ત્રિલોકીમાં કાંઇ કરવા યોગ્ય કર્મ છેજ નહિ, તેમ કાંઇ નહિ પામેલું પણ નથી, તેમ કાંઇ પામવા જેવું પણ નથી, તો પણ હું કર્મમાં વર્તુ છું જ. ।।૩- ૨૨।।
यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥३- २३॥
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् ।
संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाः प्रजाः ॥३- २४॥
જો કદાચ હું કર્મ કરવામાં સાવધાન થકો ન વર્તું, તો હે પાર્થ ? સર્વ મનુષ્યો મારા માર્ગનેજ અનુસરે. અને જો હું કર્મ ન કરૂં, તો આ સઘળા લોકો કર્મ- માર્ગથી ભ્રષ્ટ થઇ જાય અને વર્ણસંકરનો કર્તા પણ હુંજ થાઉં અને એમ થવાથી આ સર્વ પ્રજાઓને અવળે માર્ગે પ્રવર્તાવીને નાશ કરનારો હું જ થાઉં ।।૩- ૨૩-૨૪।।
सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत ।
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥३- २५॥
માટે હે ભારત ! અજ્ઞાની માણસો જેમ કર્મમાં આસક્ત થઇને કર્મ કરે છે, તેમ વિદ્વાન્ જ્ઞાની જન લોકોને સનમાર્ગે દોરવાને ઇચ્છતો થકો અનાસક્ત રહીને વિહિત કર્મ કર્યા કરે. ।।૩- ૨૫।।
न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥३- २६॥
અને કર્મમાં જોડાયેલા અજ્ઞાની જનોને કર્મથી પડી જાય એવો બુદ્ધિભેદ ન ઉપજાવે, પરન્તુ પોતે સમઝુ હોઇને બુદ્ધિયોગયુક્ત થઇને સર્વ કર્મનું સમ્યક્ રીતે આચરણ કરતો થકો સર્વ લોકોને તે કર્મમાર્ગમાં પ્રીતિ ઉપજાવે. ।।૩- ૨૬।।
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥३- २७॥
तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥३- २८॥
પ્રકૃતિના સત્ત્વાદિક ગુણોને લીધેજ સર્વ કર્મો પ્રવર્તે છે એમ નહિ સમઝનારો અહંકારને લીધેજ વિમૂઢ બુદ્ધિવાળો પુરૂષ એ સર્વ કર્મનો કર્તા હુંજ છું એમ માને છે- માનીને બન્ધાય છે. । અને હે મહાબાહો ! ગુણ-કર્મના વિભાગના તત્ત્વને જાણનારો જ્ઞાની જન તો પ્રકૃતિના ગુણો સત્ત્વાદિક, ગુણોમાં-ગુણનાં પરિણામરૂપ કર્મોમાં પ્રવર્તે છે, એમ માનીને તેમાં અભિમાનથી બન્ધાતો નથી. ।।૩- ૨૭-૨૮।।
प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु ।
तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥३- २९॥
પ્રકૃતિના ગુણોથી સર્વથા મૂઢ બની ગયેલા માણસો ગુણથી પ્રવર્તતાં કર્મોને વિષે આસક્તિપૂર્વક જોડાય છે, તેવા કર્મનું રહસ્ય નહિ સમઝનારા, મન્દ-બુદ્ધિના માણસોને, કર્મના તત્ત્વને યથાર્થ જાણનાર જ્ઞાની જન કર્મથી ચળાયમાન ન કરે. ।।૩- ૨૯।।
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३- ३०॥
માટે તું પણ સર્વ કર્મ સર્વેશ્વર એવા મારે વિષે અર્પણ કરીને આત્મસ્વરૂપમાં સ્થિરતા પામેલા ચિત્ત વડે નિરાશી અને નિર્મમત્વ થઇને, તેમજ શોક- સન્તાપથી પણ રહિત થઇને યુદ્ધ કર ! ।।૩- ૩૦।।
ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३- ३१॥
જે મનુષ્યો આ મારા મતને નિરન્તર અનુસરીને વર્તે છે, તેમજ આ મતમાં જે શ્રદ્ધાવાળા છે અને અસૂયા નથી કરતા, તે પણ શુભ- અશુભ કર્મ-બન્ધનથી મુકાય છે. ।।૩- ૩૧।।
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३- ३२॥
અને જે મનુષ્યો તો અભ્યસૂયા કરતા થકા આ મારા મતને નથી અનુસરતા, તેમને તો સર્વ જ્ઞાનમાં વિમૂઢ ભાવને પામેલા અને વિવેકશૂન્ય હોવાથી મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થયેલા જાણવા. ।।૩- ૩૨।।
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥३- ३३॥
આત્મા-અનાત્માના વિવેકને પામેલો જ્ઞાની જન પણ પોતાની પ્રકૃતિને અનુરૂપજ આચરણ કરે છે, માટે ભૂત-પ્રાણીમાત્ર પોત-પોતાની પ્રકૃતિનેજ અનુસરે છે, માટે શાસ્ત્રકૃત નિગ્રહ શું કરશે ? ।।૩- ૩૩।।
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३- ३४॥
વિષયોમાં રાગ અને દ્વેષ વિભાગપૂર્વક વ્યવસ્થાથી રહેલાજ છે, માટે તે રાગદ્વેષના વશમાં ન સપડાવું, કારણકે - તે રાગ અને દ્વેષ એ બેજ આ પુરૂષના કટ્ટા વિરોધી છે. ।।૩- ૩૪।।
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३- ३५॥
સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં ન્યૂન ગુણવાળોય સ્વધર્મ શ્રેયને આપનારો છે. માટે સ્વધર્મમાં રહીને મરવું એ સારૂં છે, પણ પર ધર્મ તો આખરે ભય ઉપજાવનારોજ થાય છે. ।।૩- ૩૫।।
अर्जुन उवाच
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३- ३६॥
અર્જુન પૂછે છે =
હે વૃષ્ણિકુળનન્દન ! જ્ઞાનયોગમાં પ્રવર્તેલો આ પુરૂષ કોણે પ્રેર્યો થકો ઇચ્છા ન હોય તો પણ જેમ બળત્કારે પ્રેરાયેલો હોય તેમ પાપ-કર્મનું આચરણ કરે છે ? ।।૩- ૩૬।।
श्रीभगवानुवाच
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३- ३७॥
શ્રીભગવાન કહે છે =
રજોગુણમાંથી સમુદ્ભવ જેનો છે એવો એ કામ અને એજ ક્રોધ મહાભૂખાળવો અને મહાપાપરૂપ છે, માટે એનેજ આ મોક્ષમાર્ગમાં મોટો શત્રુ જાણ ! ।।૩- ૩૭।।
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥३- ३८॥
ધૂમાડાથી જેમ અગ્નિ આવરણ પામે છે, દર્પણ જેમ મેલથી મલિનતા પામેછે. અને વળી જેમ ઉલ્બથી ગર્ભ આવરણ પામેલો હોય છે, તેજ પ્રમાણે તે કામથી આ પ્રાણીમાત્ર આવરણ પામેલા છે. ।।૩- ૩૮।।
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३- ३९॥
હે કુન્તીપુત્ર-અર્જુન ! પૂરી ન શકાય એવા અને અગ્નિ જેવા અપારભક્ષી આ કામરૂપી નિરન્તરના શત્રુએ જ્ઞાનયોગમાં પ્રવર્તેલા જ્ઞાનીનું જ્ઞાન આવરી લીધેલું છે. ।।૩- ૩૯।।
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥३- ४०॥
ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, એ આ કામનું અધિષ્ઠાન-આશ્રયસ્થાન છે. અને એ સાધનોથી એ કામ દેહી-જીવાત્માને જ્ઞાન આવરી લઇને મોહ પમાડે છે. ।।૩- ૪૦।।
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥३- ४१॥
માટે હે ભરતર્ષભ ! તું પ્રથમ એ ઇન્દ્રિયોને નિયમમાં-વશમાં કરીને જ્ઞાન-વિજ્ઞાનને નાશ કરનારા એ મહાપાપરૂપ કામને સમૂળગો નાશ કરી નાખ ! ।।૩- ૪૧।।
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥३- ४२॥
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥३- ४३॥
(જ્ઞાનમાં વિરોધીઓમાં પણ એજ પ્રધાન છે એમ કહી બતાવે છે-) શરીરની અપેક્ષાએ ઇન્દ્રિયો પ્રધાન છે, ઇન્દ્રિયો કરતાં મન પ્રધાન છે. અને મન કરતાં તો બુદ્ધિ પ્રધાન છે. અને જે કામ છે તે તો સર્વથી પર જે બુદ્ધિ તે કરતાંય પર-પ્રધાન છે. માટે હે મહાબાહો ! એ પ્રમાણે એ કામને બુદ્ધિથી પણ પરબળવાન જાણીને પોતાના મનને બુદ્ધિરૂપી અંકુશથી દબાવીને એ કામરૂપી દુરાસદ શત્રુને સમૂળગોજ નાશ કરી નાખ ! ।।૪૨-૪૩।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः ॥ ३ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ ।।૩।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોઽધ્યાયઃ ।।૩।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૪
ॐ
श्रीपरमात्मने नमः
अथ चतुर्थोऽध्यायः
श्रीभगवानुवाच
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ॥४-१॥
શ્રી ભગવાન કહે છે =
કયારેય પણ ક્ષય નહિ પામનારો આ અવિનાશી કર્મયોગનો માર્ગ મેં પૂર્વે સૂર્યદેવને કહ્યો હતો, તે પછી સૂર્યદેવે પોતાના પુત્ર મનુને કહ્યો હતો. અને એ મનુએ સ્વપુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો. ।।૪- ૧।।
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।
स कालेनेह महता योगो नष्टः परन्तप ॥४-२॥
આમ પરમ્પરાથી પ્રાપ્ત થતા આ કર્મયોગને પૂર્વેના સઘળા રાજર્ષિઓ જાણતા હતા, પરન્તુ ઘણા લાંબા કાળે કરીને તે કર્મયોગનો માર્ગ હે શત્રુતાપન ? અર્જુન આ લોકમાં નષ્ટપ્રાય થઇ ગયો છે. ।।૪- ૨।।
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥४-३॥
તે જ આ પુરાતન કર્મયોગનો માર્ગ મેં તને આજ હમણાં કહી બતાવ્યો, કારણ કે તું મારો પરમ ભક્ત અને વળી મારો પ્રિય સખા છે, માટે આ અતિ ઉત્તમ રહસ્યરૂપ કર્મયોગ મેં તને કહ્યો છે એમ જાણ ।।૪- ૩।।
अर्जुन उवाच
अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४-४॥
અર્જુન પૂછે છે =
આપનો જન્મ હમણાં વર્તમાન કાળમાં છે અને વિવસ્વાનનો-સૂર્યદેવનો જન્મ તો પૂર્વે થયો હતો. તો એ હું કેમ સમઝી શકું કે આપેજ પૂર્વે એ કર્મયોગ કહ્યો હતો ?. ।।૪- ૪।।
श्रीभगवानुवाच
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥४-५॥
શ્રી ભગવાન કહે છે =
હે અર્જુન ! મારાં અને તારાં ઘણાંક જન્મ વીતી ગયાં છે, તે સઘળાં જન્મને હું જાણું છું, પણ હે પરન્તપ ! તું નથી જાણતો. ।।૪- ૫।।
अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥४-६॥
કમે કે - હું તો કર્માર્ધધીન જન્મથી રહિત, સ્વરૂપ અને સ્વભાવથી પણ વ્યયરહિત- અવિનાશીસ્વરૂપ ભૂત-પ્રાણીમાત્રનો નિયામક હોવા છતાં પણ મારા પરમ વાત્સલ્યાદિક અસાધારણ સ્વભાવને અનુસરીને મારી પોતાની ઇચ્છાથીજ પ્રગટ થાઉં છું. ।।૪- ૬।।
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
અને એ રીતે જ્યારે જ્યારે મેં પ્રવર્તાવેલા એકાન્તિક ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની ચઢતી-પ્રબળતા થાય છે, ત્યારે હું મારા સ્વરૂપને સર્જુ છું--આવિર્ભાવ પામું છું. ।।૪- ૭।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
અને મારા ભક્ત એવા સાધુજનોના પરિત્રાણ-રક્ષણ માટે અને તેમના દ્રોહી દુષ્કર્મી અસુરોના વિનાશ માટે તથા એકાન્તિક ધર્મના સમ્યક્-સ્થાપન માટે હું યુગો યુગ અવતાર લઉં છું. ।।૪- ૮।।
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥४-९॥
આ મારાં જન્મ અને કર્મ તેને દિવ્ય છે એમ જે તાત્ત્વિક ભાવથી જાણેછે. તો તે પણ પોતાના શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ નથી પામતો, પણ હે અર્જુન ! મનેજ પામે છે. ।।૪- ૯।।
वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः ।
बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥४-१०॥
રાગ, ભય અને ક્રોધ વિગેરે વિકારોથી રહિત થયેલા, મારામાં અનન્ય ભાવથી એકચિત્ત થયેલા અને મનેજ આશરેલા એવા ઘણાક પુરૂષો મારા સ્વરૂપના પરમજ્ઞાનરૂપ તપથી પવિત્ર થઇને મારા સ્વરૂપને પામેલા છે. ।।૪- ૧૦।।
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥४-११॥
હે પાર્થ ! જે મનુષ્યો મને જેવા જેવા ભાવથી ભજે છે, તેઓને હું પણ તેમજ ભજું છું--ફળદાનદ્વારા અનુકૂળ થાઉં છું, અને આખરે એ સર્વ મનુષ્યો મારા માર્ગનેજ અનુસરે છે-મુક્તિમાર્ગમાં આવે છે. ।।૪- ૧૧।।
काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥४-१२॥
કરેલાં કર્મની ફળસિદ્ધિને ઇચ્છતા થકા આ લોકમાં જે મનુષ્યો દેવતાઓનું યજન-પૂજન કરે છે, તો તેમને આ માનુષ લોકમાં કર્મથી થનારી ફળસિદ્ધિ વહેલી પ્રાપ્ત થાય છે. ।।૪- ૧૨।।
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥४-१३॥
ગુણ-કર્મના વિભાગ પ્રમાણે બ્રાહ્મણાદિક ચારેય વર્ણો મેં રચ્યા છે. માટે તેનો કર્તા પણ મને જાણ ! અને કર્તા છતાં અકર્તા અવિકારી પણ મનેજ જાણ ! ।।૪- ૧૩।।
न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥४-१४॥
કેમ કે મને કર્મો લેપ-આવરણ કરી શક્તાં નથી, તેમ મને કર્મના ફળમાં સ્પૃહા પણ નથી. વળી-આમ મને જે જાણે છે તે પણ કર્મથી બન્ધાતો નથી. ।।૪- ૧૪।।
एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥४-१५॥
પૂર્વે થયેલા મુમુક્ષુઓએ પણ એમ જાણી-સમઝીને કર્મ કરેલાં છે, માટે તું પણ પૂર્વ કાળના પુરૂષોએ પરા-પૂર્વથી કરેલાં કર્મજ કર્યા કર ! ।।૪- ૧૫।।
किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥४-१६॥
કર્મ શું ? અને અકર્મ શું ? એ બાબતમાં મોટા મોટા કવિ-જ્ઞાનીઓ પણ મોહ પામી જાય છે. તો તે કર્મ હું તને કહી સમઝાવીશ, કે જે જાણ્યા-સમઝયા પછી કર્મના અશુભ બન્ધનથી તું મુકાઇ જઇશ. ।।૪- ૧૬।।
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥४-१७॥
કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. અને વિકર્મની એટલે વેદોક્ત વિવિધ કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. તેમજ અકર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. કેમ કે કર્મની બાબત અતિ ગહન-વિચિત્ર ગુંચવણોથી ભરેલી છે. ।।૪- ૧૭।।
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥४-१८॥
માટે કર્મમાં અકર્મ જે જુએ છે, અને અકર્મમાં કર્મ જે જુએ છે, તો તે જોનારો પુરૂષ સર્વ મનુષ્યોમાં બહુ બુદ્ધિમાન છે. અને તેજ યુક્ત-કર્મયોગયુક્ત છે. અને એજ સમગ્ર સત્કર્મ કરનારો છે. ।।૪- ૧૮।।
यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥४-१९॥
જે પુરૂષના સર્વ સમારંભો કામ-ઇચ્છા અને સંકલ્પે રહિત હોય છે. અને જેણે જ્ઞાનરૂપ અગ્નિથી સર્વ કર્મ ભસ્મસાત્ કરેલાં છે, તેવા જ્ઞાનસિદ્ધિ પામેલા કર્મયોગીને જ્ઞાનીજનો પંડિત એમ કહે છે. ।।૪- ૧૯।।
त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥४-२०॥
વળી કર્મફળમાં આસક્તિ છોડી દઇને સદાય સન્તુષ્ટ રહેનારો. અને સર્વાધાર પ્રભુ સિવાય બીજા કોઇમાં આશ્રય બુદ્ધિ નહિ રાખનારો એવો જ્ઞાની જન કર્મમાં પૂરે પૂરો પ્રવર્તેલો હોય તો પણ તે કાંઇ કરતોજ નથી એમ જાણવું. ।।૪- ૨૦।।
निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४-२१॥
ફળની ઇચ્છા વિનાનો, જેનું ચિત્ત આત્મસ્વરૂપમાંજ નિયત-સ્થિર કરેલું છે, અને સર્વ પરિગ્રહ-સંગ્રહની ઉપાધિ જેણે છોડી દીધી છે, એવો પુરૂષ કેવળ શરીરથીજ થતું કર્મ કરતો સતો પણ કોઇ પ્રકારના દોષને નથી પામતો. ।।૪- ૨૧।।
यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥४-२२॥
દૈવ ઇચ્છાથી પ્રાપ્ત થતા લાભથી સદાય સન્તુષ્ટ રહેનારો, શોક-મોહાદિક દ્વન્દ્વને દબાવીને વર્તનારો, મત્સરે રહિત અને સિદ્ધિઅસિદ્ધિમાં પણ સમ ભાવ રાખનારો, આવો પુરૂષ કર્મ કરીને પણ બન્ધાતો નથી. ।।૪- ૨૨।।
गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥४-२३॥
આસક્તિએ રહિત, ફળેચ્છામાં મુક્ત ભાવે વર્તનારો, જ્ઞાનથી સ્થિરચિત્ત બનેલો અને યજ્ઞને-ભગવદારાધનને માટે કર્મ કરનારો, એવા પુરૂષનું સમગ્ર કર્મ વિલીન ભાવને પામી જાય છે. ।।૪- ૨૩।।
ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥४-२४॥
અર્પણ કરવાનું સાધન તે પણ બ્રહ્મ, હોમવાનું દ્રવ્ય તે પણ બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્માત્મક જ્ઞાનીએ હોમ્યું, એ રીતે સર્વમાં બ્રહ્મદૃષ્ટિ રાખવાથી સર્વ કર્મ બ્રહ્મમાંજ અર્પણ કરનાર પુરૂષે બ્રહ્મ-પરબ્રહ્મજ પામવા યોગ્ય છે. ।।૪- ૨૪।।
दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥४-२५॥
બીજા કેટલાક કર્મયોગીઓ દેવસમ્બન્ધીજ યજ્ઞનું પર્યુપાસન કરે છે. બીજા કેટલાક બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞસ્વરૂપ ભગવાનનું યજ્ઞથીજ હોમાર્ચનરૂપ ઊપાસન કરે છે. ।।૪- ૨૫।।
श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।
शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥४-२६॥
બીજા વળી શ્રોત્રાદિક ઇન્દ્રિયોને સંયમરૂપ અગ્નિમાં હોમે છે, બીજા કેટલાક શબ્દાદિક વિષયોને ઇન્દ્રિયોરૂપ અગ્નિમાં હોમે છે. ।।૪- ૨૬।।
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥४- २७॥
વળી બીજા કેટલાક જ્ઞાનથી સુપ્રકાશિત મનઃસંયમરૂપ યોગાગ્નિમાં સર્વ ઇન્દ્રિયકર્મો અને પ્રાણકર્મો પણ હોમે છે-મનઃસંયમદ્વારા સ્વવશમાં રાખે છે. ।।૪- ૨૭।।
द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे ।
स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥४-२८॥
તીક્ષ્ણ વ્રતધારી સંયમશીલ યતિ-પુરૂષો કોઇક દ્રવ્યયજ્ઞ, કોઇક તપોયજ્ઞ, તથા કોઇક યોગયજ્ઞ, કોઇક સ્વાધ્યાયયજ્ઞ અને કોઇક જ્ઞાનયજ્ઞ કરનારા હોય છે. ।।૪- ૨૮।।
अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥४-२९॥
કેટલાક પ્રાણને અપાનમાં હોમે છે, તથા બીજા કેટલાક અપાનને પ્રાણમાં હોમે છે. અને કેટલાક પ્રાણઅપાનની ગતિ રોકીને પ્રાણાયામપરાયણ વર્તનારા હોય છે. ।।૪- ૨૯।।
अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥४-३०॥
વળી-બીજા કેટલાક નિયત-મિત આહારવાળા હોઇને પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ ઉપર કહ્યા એ સર્વે પણ યજ્ઞસ્વરૂપને જાણનારા સમઝનારા છે. અને યજ્ઞથીજ ક્ષીણ થઇ ગયાં છે પાપ જેમનાં એવા છે. ।।૪- ૩૦।।
यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥४-३१॥
યજ્ઞનું શેષભૂત અમૃત જમનારા સનાતન બ્રહ્મને-સાક્ષાત્ પરબ્રહ્મને પામે છે. અને યજ્ઞ નહિ કરનારાને હે કુરૂસત્તમ ! આ લોકનુંજ સુખ નથી તો પરલોકનું-જન્માન્તરનું સુખ તો હોયજ કયાંથી ? ।।૪- ૩૧।।
एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥४-३२॥
આવા બહુપ્રકારના યજ્ઞો વેદના મુખમાં-વેદદ્વારા વિસ્તાર પામેલા છે. તે સર્વ યજ્ઞો કર્મથીજ સિદ્ધ થાય છે એમ તું જાણ ! અને એમ જાણીને-જાણવાથી તું સંસારના કર્મબન્ધનથી મુકાઇ જઇશ. ।।૪- ૩૨।।
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥४-३३॥
અને હે પરન્તપ ! દ્રવ્યથી સિદ્ધ થતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ અતિ શ્રેષ્ઠ છે. કેમ કે હે પાર્થ ! સઘળું કર્મ સર્વ પ્રકારે જ્ઞામમાંજ પરિસમાપ્ત થઇ જાય છે. ।।૪- ૩૩।।
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥४-३४॥
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।
येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥
તત્ત્વદર્શી જ્ઞાની જનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. અને તે તું પ્રણિપાત કરીને અનુક્રમે યથાસમય પ્રશ્ન પૂછવાથી અને તે મહાપુરૂષોની સેવા-શુશ્રૂષા કરવાથી જાણજે. કે જે જ્ઞાનને જાણી સમઝીને હે પાંડુપુત્ર-અર્જુન ! તું ફરીથી આવો મોહ નહિ પામે. અને વળી-જે જ્ઞાનના પ્રભાવથી સર્વ ભૂતોને સમગ્રપણે આત્મસ્વરૂપમાં જોઇશ અને તે પછી તે બધુંય તું મારામાં જોઇશ. ।।૪- ૩૪-૩૫।।
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥४-३६॥
સર્વ પાપ કરનારાઓ કરતાં પણ જો તું અધિક પાપ કરનારો હોઇશ, તો પણ તે સર્વ પાપરૂપ સમુદ્રને જ્ઞાનરૂપ નૌકાથી તું સુખેથી તરી જઇશ. ।।૪- ૩૬।।
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥४-३७॥
હે અર્જુન ! સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ જેમ કાષ્ટોને બાળીને ભસ્મ રૂપ કરી દેછે, તેજ પ્રમાણે સુદૃઢ થયેલો જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મજાળને બાળીને ભસ્મસાત્ કરી દે છે. ।।૪- ૩૭।।
न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।
तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥४-३८॥
આ લોકમાં જ્ઞાનને તુલ્ય બીજું કોઇ પદાર્થ પવિત્ર છેજ નહિ, અને તે વાત કાળે કરીને યોગથી સંસિદ્ધ થયેલો પુરૂષ આત્મસ્વરૂપમાં પોતાની મેળેજ જાણે છે. ।।૪- ૩૮।।
श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥
સારી પેઠે નિયમમાં રાખ્યાં છે ઇન્દ્રિયો જેણે અને શ્રદ્ધાવાન્ થઇને તત્પર થકો વર્તનારોજ પુરૂષ આ જ્ઞાનને પામે છે. અને એવા જ્ઞાનને પામીને થોડાજ સમયમાં પરમ-સર્વોત્કૃષ્ટ શાન્તિને પામે છે. ।।૪- ૩૯।।
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥
આવા જ્ઞાન સિવાયનો, ગુરૂ અને શાસ્ત્રવાક્યમાં શ્રદ્ધા વિનાનો અને તેથીજ સંશયે યુક્ત મનવાળો પુરૂષ નાશ પામે છે. અને સંશયે યુક્ત મનવાળા પુરૂષને આ લોકેય નથી અને પરલોકેય નથી, તેમ તેને કયાંઇ સુખ પણ નથીજ. ।।૪- ૪૦।।
योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥
યોગથી-કર્મયોગથી પરમેશ્વરમાં જેણે પોતાનાં સઘળાં કર્મ અર્પણ કરેલાં છે અને તત્ત્વજ્ઞાનથી સમૂળ છેદાઇ ગયેલા છે સંશયો જેના એવા આત્મજ્ઞાનીને હે ધનંજ્ય? કર્મ બન્ધન કરતાં નથી. ।।૪- ૪૧।।
तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥
માટે હે ભારત ! અજ્ઞાનથીજ સમુદ્ભવ પામેલા મનમાં રહેલા એ સંશયને જ્ઞાનરૂપ તલવારથી તું તારી પોતાની મેળેજ છેદી નાખીને કર્મયોગનો આશ્રય કર ! અને યુદ્ધ માટે ઉઠ-તૈયાર થઇ જા ! ।।૪- ૪૨।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः ॥ ४ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મસંન્યાસયોગો નામ ચતુર્થોઽધ્યાયઃ ।।૪।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૫
ॐ
श्रीपरमात्मने नमः
अथ पञ्चमोऽध्यायः
अर्जुन उवाच
संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।
यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥५- १॥
અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! એક વાર કર્મનો સમૂળગો ત્યાગ કરવાનું કહો છો, વળી-ફરીથી પાછા કર્મ કરવાંજ એમ કર્મયોગ પણ કહો છો. તો એ બેમાંથી જે શ્રેષ્ઠ માર્ગ હોય તે મને સુનિશ્ચિતપણે કહો ! ।।૫- ૧।।
श्रीभगवानुवाच
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते ॥५- २॥
શ્રી ભગવાન કહે છે =
કર્મસંન્યાસ અને કર્મયોગ એ બન્નેય નિશ્ચિતપણે શ્રેયનેજ કરનારા છે, તો પણ તે બેમાંથી કર્મસંન્યાસ કરતાંય કર્મયોગ વિશેષપણે ચઢીયાતો છે. ।।૫- ૨।।
ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥५- ३॥
જે કશાયનો દ્વેષ નથી કરતો તેમ કશાયની ઇચ્છા પણ નથી કરતો, તે પુરૂષજ નિત્યસંન્યાસી છે એમ તેને જાણવો. અને હે મહાબાહો ! અર્જુન ! શોક-મોહદિક દ્વન્દ્વોથી રહિત થયેલોજ આ સંસારના બન્ધનથી સુખેથી-સહેલાઇથી મુકાઇ જાય છે. ।।૫- ૩।।
सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥५- ४॥
વળી સાંખ્ય-માર્ગ અને યોગ-માર્ગ એ બન્ને જૂદા છે એમ તો મૂર્ખાઓજ કહે છે, પણ કાંઇ પંડિતો એમ કહેતા નથી, કેમ કે – એ બેમાંથી એકને પણ સારી રીતે આશરેલો માણસ બન્નેના ફળને પામે છે. ।।૫- ૪।।
यत्सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते ।
एकं सांख्यं च योगं च यः पश्यति स: पश्यति ॥५- ५॥
જે સ્થાન સાંખ્ય - માર્ગીઓ સાંખ્યથી પામે છે, તેજ સ્થાન કર્મયોગીઓ યોગથી પણ પામે છે. માટે એ રીતે સાખ્ય અને યોગ એ બન્નેને જે એકરૂપેજ જુએ છે તેણેજ ખરૂં તત્ત્વ જોયું એમ કહેવાય. અર્થાત્ તેનુંજ સમઝવું ખરૂં છે. ।।૫- ૫।।
संन्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥५- ६॥
હે મહાબાહો ! સંન્યાસ તો કર્મયોગ સિવાય ઘણા કલેશથી પણ પામવો અશક્ય છે. અને કર્મયોગ કરનારો મનનશીલ ઉપાસક પુરૂષ બ્રહ્મને બહુજ ઝડપથી અલ્પ સમયમાં પામે છે-પહોંચી જાય છે. ।।૫- ૬।।
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥५- ७॥
જે કર્મયોગમાં જોડાયેલો છે, પોતાનું મન અને ઇન્દ્રિયો પણ જેણે સર્વથા જીતેલાં છે અને સર્વ ભૂત-પ્રાણીમાત્રના આત્મા-અન્તર્યામી પરમાત્મા તેજ પોતાના આત્મા-અન્તર્યામી છે એમ જે અનુભવે છે. તે પુરૂષ કર્મ કરવા છતાં પણ લેપાતો-બન્ધાતો નથી. ।।૫- ૭।।
नैव किंचित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्श्रृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन् ॥५- ८॥
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि ।
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥५- ९॥
કર્મયોગી તત્ત્વવેત્તા પુરૂષે ‘હું કાંઇ કરતોજ નથી,’ એમ માનવુંસમ ઝવું. અને પોતે જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂંઘતાં, ખાતાં, ચાલતાં, ઉંધતાં, શ્વાસ લેતાં અને મુકતાં, બોલતાં, મળમૂત્રાદિકનો ઉત્સર્ગ કરતાં, ગ્રહણ કરતાં, નેત્ર ઉઘાડતાં અને મીંચતાં પણ, ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોમાં આપો-આપજ પ્રવર્તે છે એમ ધારીને સદાય અસંગપણે રહેવું. ।।૫- ૮-૯।।
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥५- १०॥
જે પુરૂષ સર્વ કર્મો બ્રહ્મમાં અર્પણ કરીને ફળાસક્તિ છોડી દઇને કર્યા કરે છે, તો તે પુરૂષ જેમ જળથી કમળપત્ર અલગ રહે છે, તેમ પાપ-પુણ્યરૂપ કર્મથી પોતે લેપાતો નથી. ।।૫- ૧૦।।
कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि ।
योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ॥५- ११॥
માટેજ કર્મયોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અને એકલી ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિને માટે ફળાસક્તિ તથા અભિમાન છોડી દઇને કર્મ કર્યા કરે છે. ।।૫- ૧૧।।
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥५- १२॥
કર્મયોગી જ્ઞાની પુરૂષ કર્મફળને છોડી દઇને નૈષ્ઠિકી-શાશ્વત શાન્તિને પામે છે. અને અયુક્ત-અણસમઝુ છે તે તો વાસનાયોગે કરીને પ્રેરાયો થકો ફળમાં આસક્ત થઇને બંધાઇ જાય છે. ।।૫- ૧૨।।
सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी ।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥५- १३॥
વશેન્દ્રિય પુરૂષ સર્વ કર્મનો મનથી સંન્યાસ-ત્યાગ કરીને નાકકાન વિગેરે નવ દ્વારવાળા આ કાયાનગરમાં કાંઇ પણ નહિ કરતો, કે નહિ કાંઇ કરાવતો-પ્રેરતો થકો આનન્દથી વર્તે છે. ।।૫- ૧૩।।
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥५- १४॥
જીતેન્દ્રિય સમર્થ યોગી પુરૂષ લોકનું દેવમનુષ્યાદિકરૂપે ઉત્પન્ન થનારા જીવલોકનું કર્તૃત્વ અને કર્મ તેને નથી સર્જતો, તેમજ કર્મફળના સંયોગને પણ નથી સર્જતો, પણ સ્વભાવ-જે પ્રકૃતિ તેનાથીજ આ બધું પ્રવર્તે છે. ।।૫- ૧૪।।
नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः ।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥५- १५॥
અને આત્મા તો વિભુ છે, માટે દેવ-મનુષ્યાદિક કોઇ પણ શરીરકૃત પાપ કે પુણ્યને ગ્રહણ કરતોજ નથી. અને પરમાત્મ-સ્વરૂપને નહિ જાણવું એ રૂપ અજ્ઞાનથી આત્માનું ધર્મભૂત જ્ઞાન આવરઇ ગયેલું હોવાથીજ પ્રાણીઓ આ સંસૃતિમાં મોહથી ફસાયા કરે છે. ।।૫- ૧૫।।
ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥५- १६॥
જ્યારે એ પરમાત્મસ્વરૂપના જ્ઞાને કરીને જેમનું તે અનાદિ અજ્ઞાન નાશ કરી નાખ્યું છે, તેમનેજ તે આત્મસ્વરૂપનું જ્ઞાન અને પરમાત્મસ્વરૂપનું પરમ જ્ઞાન સૂર્યની માફક પ્રકાશે છે. ।।૫- ૧૬।।
तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥५- १७॥
તે પરમાત્મસ્વરૂપમાં જેમની બુદ્ધિ અને મન સ્થિર થયેલાં છે, તેમાંજ જે દૃઢ નિષ્ઠાવાળા છે અને તત્પરાયણ-તદેકપર વર્તનારા છે. તો તેવા ઉપાસનરૂપ જ્ઞાનથી જેમનાં કલ્મષ સમૂળ નાશ પામી ગયાં છે તે પુરૂષોજ પુનરાવૃત્તિવર્જીત પરમ ધામને પામે છે. ।।૫- ૧૭।।
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ॥५- १८॥
અને તેવા પંડિતો-જ્ઞાની ભકતો વિદ્યા અને વિનયાદિકથી સમ્પન્ન, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વપાક જાતિના માણસમાં પણ સમદૃષ્ટિવાળાજ હોય છે. ।।૫- ૧૮।।
इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः ।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥५- १९॥
જેમનું મન આવા સમ-ભાવમાં સ્થિર થયેલું છે તેઓએ તો આ જન્મમાંજ માયાનો સર્ગ જીતી લાધો છે. કારણ કે બ્રહ્મ-પરબ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તે સમદૃષ્ટિવાળા બ્રહ્મમાંજ સ્થિત વર્તે છે. ।।૫- ૧૯।।
न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् ।
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥५- २०॥
મનગમતી પ્રિય વસ્તુ પામીને નથી હર્ષ પામતો, કે અપ્રિયઅણગમતી વસ્તુ પામીને નથી ઉદ્વેગ પામતો, આવો સ્થિર બુદ્ધિવાળો અસમ્મૂઢ બ્રહ્મવિદ પુરૂષ પરબ્રહ્મમાં સ્થિર છે. એમ જાણવું. ।।૫- ૨૦।।
बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम् ।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ॥५- २१॥
બાહ્ય વિષયોના સ્પર્શમાં-સુખાસ્વાદમાં આસક્તિએ રહિત મનવાળો જે પુરૂષ આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મસ્વરૂપના સુખનો અનુભવ કરે છે, તે પુરૂષજ બ્રહ્મસ્વરૂપમાં યોગયુક્ત-સ્થિર મન કરવાથી અક્ષય સુખને પામે છે. ।।૫- ૨૧।।
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते ।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ॥५- २२॥
વિષયોના સંસર્ગજન્ય જે ભોગવિલાસ છે, તે ખરેખર દુ:ખનાજ કારણભૂત છે. અને તે પણ આદિ-અન્તવાળા હોવાથી હે કૌન્તેય ! ડાહ્યા-બુદ્ધિમાન મનુષ્યો તેમાં રમતા નથી. ।।૫- ૨૨।।
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः ॥५- २३॥
જે પુરૂષ આ જન્મમાંજ શરીર છૂટતા પહેલાં કામ-ક્રોધાદિકના વેગને સહન કરવા શક્તિમાન થાય છે, તે પુરૂષજ મોક્ષને લાયક છે. અને એજ પરમ સુખી છે. ।।૫- ૨૩।।
योऽन्तःसुखोऽन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥५- २४॥
જે અન્તરાત્મામાંજ સુખી છે, અન્તરાત્મામાંજ આરામ કરનારો છે તથા જેને અન્તરમાં સ્વ-પરસ્વરૂપનો પ્રકાશ થયેલો છે, તે બ્રહ્મરૂપ થયેલો યોગી બ્રહ્મનિર્વાણને પામે છે. ।।૫- ૨૪।।
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥५- २५॥
જેઓનાં પાપ સર્વથા ક્ષીણ-નષ્ટપ્રાય થઇ ગયાં છે. શોક-મોહાદિક તથા સ્વ-પરનો ભેદભાવ જેમને છેદાઇ ગયો છે, જેમનું મન સર્વથા નિયમમાં રહેલું છે. અને જેઓ સર્વ ભૂત-પ્રાણીમાત્રના હિતમાંજ તત્પર થઇને જોડાયેલા છે, તેવા આત્મદર્શી પુરૂષોજ બ્રહ્મનિર્વાણબ્રહ્મસાક્ષાત્કારજન્ય પરમ શાન્તિને પામે છે. ।।૫- ૨૫।।
कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् ।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् ॥५- २६॥
તેમજ કામ ક્રોધાદિકથી રહિત થયેલા, જેમનું ચિત્ત પણ સુસંયત છે અને આત્મતત્ત્વ પણ જેમણે જાણી લીધું છે. એવા પ્રયત્નશીલ પુરૂષોનેજ બ્રહ્મનિર્વાણ સર્વ પ્રકારે સદાય સમીપમાંજ વર્તે છે. ।।૫- ૨૬।।
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवोः ।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ ॥५- २७॥
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः ।
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥५- २८॥
બહારના વિષયોને બહાર-દૂર કરીને, દૃષ્ટિ ભ્રકુટિના મધ્ય-ભાગમાંજ રાખીને, નાસિકામાર્ગે ગમન કરતા પ્રાણ-અપાન વાયુને સમાન ગતિવાળા કરીને, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયમમાં રાખીને જે ઇચ્છા, ભય અને ક્રોધાદિક વિકારથી રહિત થઇને મોક્ષપરાયણ વર્તનારો મુનિ છે, તે સદાય દેહદશામાં પણ મુક્તજ-મુક્તપ્રાયજ છે. ।।૫- ૨૭-૨૮।।
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् ।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥५- २९॥
યજ્ઞ અને તપ વિગેરેનાં ફળને ભોગવનાર, સર્વ લોકનો મહેશ્વર-પરમ નિયામક અને સર્વભૂત-પ્રાણીમાત્રનો પરમ સુહ્રદ એવો જે હું તે મને જાણીને ઉપાસીને પરમ શાશ્વત શાન્તિને પામે છે. ।।૫- ૨૯।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे कर्मसंन्यासयोगो नाम पञ्चमोऽध्यायः ॥ ५ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સંન્યાસયોગો નામ પંચમોઽધ્યાયઃ ।।૫।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૬
ॐ
श्रीपरमात्मने नमः
अथ षष्ठोऽध्यायः
श्रीभगवानुवाच
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥६- १॥
શ્રી ભગવાન કહે છે =
કર્મફળનો આશ્રય-ઉદેશ નહિ રાખતાં શાસ્ત્રવિહિત કરવા યોગ્ય કર્મને જે કર્યા કરે છે, તેજ ખરો સંન્યાસી અને તેજ ખરો યોગી છે. પણ અગ્નિહોત્રાદિક કર્મ છોડી દેનાર, અગર ક્રિયામાત્ર છોડી દેનાર, સંન્યાસી કે યોગી કહેવાતોજ નથી ।।૬- ૧।।
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव ।
न ह्यसंन्यस्तसंकल्पो योगी भवति कश्चन ॥६- २॥
હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે, તેને જ યોગ એમ જાણ ! અને સંકલ્પમાત્રનો સમૂળગો ત્યાગ કર્યા સિવાય કોઇ પણ યોગી એટલે કર્મયોગી થઇ શકતો નથી. ।।૬- ૨।।
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥६- ३॥
યોગમાર્ગમાં વધવાને માટે ઇચ્છતા મુનિને કર્મયોગ એજ કારણ છે. અને યોગારૂઢ-યોગસિદ્ધ થયેલા તેજ યોગીને તેમાં શમ એ કારણ છે. ।।૬- ૩।।
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते ।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥६- ४॥
જ્યારે ઇન્દ્રિયોના અર્થોમાં-વિષયોમાં તેમજ તે વિષયોનાં સાધનભૂત કર્મોમાં, નથી જોડાતો, અને સર્વ સંકલ્પોનો સમૂળગો ત્યાગ કરી દેછે. ત્યારે તે યોગારૂઢ એમ કહેવાય છે. ।।૬- ૪।।
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥६- ५॥
મનુષ્ય વિવેકે યુક્ત જીતેલા મનથી આત્માનો ઉદ્ધાર કરે, પણ આત્માનો અધઃપાત ન થવા દે. કારણ કે જીતેલું મન જ આત્માનો બન્ધુ-હિતકારક છે, અને નહિ વશ કરેલું મન જ આત્માનો-પોતાનો શત્રુ છે. ।।૬- ૫।।
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६- ६॥
જેણે પોતાની વિવેકવાળી બુદ્ધિથી પોતાનું મન જીત્યું છે તે આત્માનો બન્ધુ તે જીતેલું મન જ છે. અને જેને પોતાનું મન વશમાં નથી તેને તો તે મન જ અધઃપાત કરનારૂં શત્રુની માફક વર્તે છે. ।।૬- ૬।।
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६- ७॥
જેણે પોતાનું મન જીત્યું છે અને જે સર્વથા શાન્ત થયેલો છે. તે પુરૂષને શીત-ઉષ્ણ, સુખ દુ:ખ, તથા માન-અપમાન, એ સર્વ સમયમાં પોતાનો શ્રેષ્ઠ-શુદ્ધ આત્મા સમાધાન પામેલો સ્થિરભાવે વર્તે છે. ।।૬- ૭।।
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६- ८॥
જ્ઞાન-વિજ્ઞાનથી સદાય તૃપ્ત-સંતુષ્ટ આત્મા જેનો છે. અને તેથીજ કૂટસ્થ-નિર્વિકાર અને સર્વથા જીત્યાં છે ઇન્દ્રિયો જેણે અને તેથીજ કચરો, પાષાણ અને કનકમાં પણ જેને સમભાવ વર્તે છે, તેજ ખરો યોગ્યતાવાળો યોગી કહેવાય છે.।।૬- ૮।।
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६- ९॥
સુહ્રદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ કરવા યોગ્ય જનોમાં, બન્ધુ જનોમાં, અને સાધુ જનોમાં, તેમજ પાપી જનોમાં પણ, સમાન બુદ્ધિ રાખનારોજ વિશેષ-શ્રેષ્ઠ મનાય છે. ।।૬- ૯।।
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६- १०॥
યોગ સાધનાર યોગીજન એકાન્ત સ્થાનમાં એકલા રહીને, ચિત્ત અને આત્મા-અન્તઃકરણને નિયમમાં રાખીને, સઘળી ઇચ્છાઓ છોડી દઇને અપરિગ્રહ રહીને આત્માને પરમાત્મસ્વરૂપમાં અખંડ જોડે-સંલગ્ન કરે. ।।૬- ૧૦।।
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६- ११॥
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥६- १२॥
બહુ ઉંચું નહિ તેમ બહુ નીચું પણ નહિ એવું દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર, તે એક બીજાની ઉપર રાખીને, તેવું પોતાનું સ્થિર આસન પવિત્ર જગ્યામાં સ્થાપન કરીને. તે આસન ઉપર બેસીને મનને પરમાત્મસ્વરૂપમાં એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારને કાબુમાં કરીને આત્મસ્વરૂપની વિશુદ્ધિ માટે યોગાભ્યાસ કરે. ।।૬- ૧૧-૧૨।।
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥६- १३॥
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥६- १४॥
શરીરનો મધ્ય ભાગ, મસ્તક અને ગ્રીવા એ અંગોને સીધાં, સરખાં અને નિશ્ચળ રાખીને, પોતે સ્થિર થઇને, આસ-પાસ દિશાઓ પણ નહિ જોતાં પોતાની નાસિકાના અગ્ર-સામુંજ જોઇ રહીને. ।
અને પોતાના મનને સર્વથા શાન્ત રાખીને, ટળી ગયો છે ભય જેને, બ્રહ્મચારી ધર્મમાં દૃઢ રહીને, મનનો સંયમ કરીને, મારામાંજ ચિત્ત રાખીને, મત્પરાયણ થઇને, સાવધાન થકો યોગાભ્યાસ કરવા બેસે-વર્તે. ।।૬- ૧૩-૧૪।।
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥६- १५॥
આ પ્રમાણે પોતાનો યોગાભ્યાસ સદાય કર્યા કરનારો યોગી પોતાના મનને વશમાં કરીને નિર્વાણપ્રધાન એવી મારા સ્વરૂપમાં રહેલી પરમ શાન્તિ પામે છે. ।।૬- ૧૫।।
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥६- १६॥
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥६- १७॥
આ યોગ બહુ ખાનારને સિદ્ધ થતો નથી, તેમજ મુદૃલ નહિ ખાનારને પણ નથી થતો. હે અર્જુન અતિ ઉંઘવાના સ્વભાવાળાને પણ નહિ, તેમ સર્વથા જાગનારને પણ નહિજ. ।
પણ આહાર-વિહાર યોગ્ય-પ્રમાણસર કરનારને, તથા ક્રિયાઓ પણ યોગ્ય પ્રમાણમાંજ કરનારને, તેમજ ઉંઘવું અને જાગવું તે પણ જેનું યોગ્ય નિયમસરજ છે, તેવા નિયમિત સંયમી પુરૂષનેજ આ દુ:ખને હણનારો યોગ સિદ્ધ થાય છે. ।।૬- ૧૬-૧૭।।
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ॥६- १८॥
વિશેષપણે નિયમમાં કરેલું મન જ્યારે આત્મસ્વરૂપમાંજ સ્થિર થઇને રહે છે. અને સર્વ કામનાઓથી રહિત થઇ જાય છે, ત્યારેજ તે યોગી પરમાત્મોપાસનમાં યુક્ત-યોગ્યતાવાળો કહેવાય છે. ।।૬- ૧૮।।
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता ।
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ॥६- १९॥
વાયુ વિનાના પ્રદેશમાં રહેલો દીપક જેમ નહિ કંપતા- સ્થિર રહેછે, તે દીપની ઉપમા, ચિત્તને નિયમમાં કરીને યોગાભ્યાસ કરનાર યોગીના મનને કહેલી છે. ।।૬- ૧૯।।
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया ।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ॥६- २०॥
सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ॥६- २१॥
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः ।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ॥६- २२॥
तं विद्याद्दुःखसंयोगवियोगं योगसंज्ञितम् ।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ॥६- २३॥
યોગાભ્યાસથી રોકાયેલું ચિત્ત જે યોગાભ્યાસમાં રમમાણ રહે છે. અને વળી જે યોગમાં વશ કરેલા શુદ્ધ મનથી આત્મસ્વરૂપમાંજ પરમાત્સ્વરૂપને જોતાં સન્તુષ્ટ વર્તે છે. ।
અને જ્યાં કેવળ બુદ્ધિગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગોચર એવું જે આત્યન્તિક સુખ તેને જાણે છે-અનુભવે છે. અને જેમાં સ્થિર થયેલો યોગી તત્ત્વ-પરમાત્મસ્વરૂપથી ચળાયમાન થતો નથી. ।
અને જે પરમાત્મલાભને પામીને તે સિવાયના બીજા લાભને તેથી અધિક નથી માનતો. અને જેમાં સ્થિત થઇને ગમે તેવા મોટા દુ:ખથી પણ તેને ચળાયમાન કરી શકતો નથી. ।
તેને સાંસારિક કલેશમાત્રના સંયોગને દૂર કરનાર યોગ નામે જાણે. અને તે યોગને કંટાળા સિવાયના સતત ઉત્સાહી ચિત્તથી અભ્યાસ કરવો જોઇએ. ।।૬- ૨૦-૨૩।।
संकल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः ।
मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ॥६- २४॥
शनैः शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥६- २५॥
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥६- २६॥
સંકલ્પથી ઉપજતા સર્વ કામ-વાસનાઓનો સર્વ પ્રકારે ત્યાગ કરીને અને ઇન્દ્રિયોના સમૂહને મનથી ચોતરફથી વિશેષપણે નિયમમાં કરીને. ।
અને ધૈર્યથી સ્થિર કરેલી બુદ્ધિથી ધીરે ધીરે વિષયોથી ઉપરામ પામે. અને મનને આત્મસ્વરૂપમાં સમ્યક્ પ્રકારે સ્થિર કરીને તે સિવાય બીજું કાંઇ પણ ન સંભારે. ।
આમ કરવા છતાં પણ અસ્થિર અને અતિ ચંચળ મન જે જે ઇન્દ્રિયદ્વારા બહાર પ્રસરે, ત્યાંથી ત્યાંથી તેને નિયમમાં કરીને આત્મસ્વરૂપમાં અથવા પરમાત્મસ્વરૂપમાં વશ-સ્થિર કરે. ।।૬- ૨૪-૨૬।।
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥६- २७॥
આવા પ્રશાન્ત મનવાળા, મલીન ભાવથી રહિત થયેલા, કામાદિક વિકારરૂપ કલ્મષથી રહિત અને બ્રહ્મરૂપ થયેલા એ યોગીને સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ।।૬- ૨૭।।
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६- २८॥
આ પ્રમાણે સદાય પરમાત્મસ્વરૂપમાં જોડનાર યોગી સઘળાં કલ્મષથી રહિત શુદ્ધ બનીને પરમાત્મસાક્ષાત્કારથી પ્રાપ્ત થતા આત્યન્તિક-નિરવધિક સુખનો અનુભવ સુખેથી-અનાયાસે કરે છે. ।।૬- ૨૮।।
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥६- २९॥
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥६- ३०॥
યોગયુક્ત આત્મા જેનો થયેલો છે એવો સિદ્ધ યોગી સર્વત્ર સમદર્શનવાળો થઇને સર્વ ભૂત પ્રાણીમાત્રમાં સમ ભાવે રહેલા પોતાના આત્માને જુએ છે અને સર્વ ભૂતોને પોતાના આત્મામાં સમ ભાવે જુએ છે. ।
અને જે મને સર્વમાં જુએ છે. અને સર્વ મારામાં છે એમ જુએ છે. તો તેવા સમ્યક્ દર્શનવાળા પરમ જ્ઞાની ભક્તને હું કયારેય અગોચર રહેતો નથી. અને તે જ્ઞાની ભક્ત કયારેય મને અગોચર રહેતો નથી. ।।૬- ૨૯-૩૦।।
सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः ।
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥६- ३१॥
અને આવું એકત્વ-સમદર્શન પામેલો જે જ્ઞાની ભક્ત સર્વ ભૂતમાં વાસ કરી રહેલા મને સર્વ પ્રકારે ભજે છે, તો તે યોગી આ લોકમાં વર્તતો હોવા છતાં સદાય મારામાંજ વર્તે છે. ।।૬- ૩૧।।
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥६- ३२॥
માટે હે અર્જુન ! સર્વ પ્રણીમાત્રમાં જે પોતાની ઉપમાથીજ સુખ અથવા તો દુ:ખને સમાનપણે જુએ છે-માને છે. તો તેજ પરમ- સર્વોત્કૃષ્ટ યોગી માનેલો છે. ।।૬- ૩૨।।
अर्जुन उवाच
योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन ।
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ॥६- ३३॥
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥६- ३४॥
અર્જુન પૂછે છે =
હે મધુસૂદન ? જે આ સમ ભાવથી રાખવાનો સામ્ય યોગ તમે મને કહ્યો, એ સામ્ય યોગની સ્થિર સ્થિતિ હું મનની ચંચળતાને લીધે જોઇ શકતો નથી. ।
કારણ કે હે કૃષ્ણ ! મન ખરેખર ચંચળ, તોફાની, અતિ બળવાન અને અતિ દૃઢ છે, માટે તે મનનો નિગ્રહ કરવો તેતો સર્વતોગામી વાયુનો નિગ્રહ કરવા જેવું અતિ દુષ્કર કાર્ય છે એમ હું માનું છું. ।।૬- ૩૩-૩૪।।
श्रीभगवानुवाच
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥६- ३५॥
શ્રી ભગવાન કહે છે =
હે મહાબાહો ! અર્જુન ! મનનો નિગ્રહ કરવો તે અતિ દુષ્કર છે. અને તે અતિ ચંચળ છે. એ વાત નિઃસંશય એમ જ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરી શકાય છે. ।।૬- ૩૫।।
असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥६- ३६॥
જેનું મન વશમાં નથી એવા પુરૂષે તો એ પરમાત્મયોગ દુષ્પ્રાપ છે, એમ મારો મત-નિશ્ચય છે. પણ વશ્ય મનવાળાએ તો અભ્યાસ અને વૈરાગ્યરૂપ ઉપાયથી પ્રયત્ન કરતાં પામવાને શક્યજ છે. ।।૬- ૩૬।।
अर्जुन उवाच
अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः ।
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ॥६- ३७॥
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति ।
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ॥६- ३८॥
एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥६- ३९॥
અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! શ્રદ્ધાએ યુક્ત થકો યોગમાં પ્રવર્તે, પણ પ્રયત્ન નહિ કરતાં અધવચ યોગથી મન ચળી જાય, તો તે યોગની પૂર્ણ સિદ્ધિને નહિ પામતાં શી ગતિને પામે છે ? ।
હે મહાબાહો ! શ્રી કૃષ્ણ ! યોગમાં પ્રતિષ્ઠા નહિ પામેલો અને બ્રહ્મપ્રાપ્તિના માર્ગમાં વિમૂઢ બનીને પડેલો એમ બન્ને તરફથી ભ્રષ્ટ થયેલો તે સાધક શું છૂટા પડેલા વાદળના ટુકડાની પેઠે નાશ પામી જાય છે ? ।
હે કૃષ્ણ ! આ મારો સંશય તમે સમગ્રપણે છેદવાને યોગ્ય છો. કારણ કે તમારા સિવાય બીજો કોઇ આ મારા સંશયનો છેદનાર મને જણાતો નથી. ।।૬- ૩૭-૩૯।।
श्रीभगवानुवाच
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते ।
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति ॥६- ४०॥
શ્રી ભગવાન કહે છે -
તેનો આ લોકમાં અને પરલોકમાં પણ વિનાશ-માર્ગથી ભ્રષ્ટ થતોજ નથી. કારણકે હે તાત ! કલ્યાણના સાધનમાં પ્રવર્તેલો કોઇ દુર્ગતિને પામતોજ નથી. ।।૬- ૪૦।।
प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः ।
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ॥६- ४१॥
अथवा योगिनामेव कुले भवति धीमताम् ।
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥६- ४२॥
પણ તે તો પુણ્યશાળીના લોકોને પામીને ત્યાં ઘણા કાળ વસીને અને પછી એ યોગભ્રષ્ટ પુરૂષ શ્રીમન્તને ઘરે અવતરે છે. ।
અથવા તો મહાબુદ્ધિમન્ત યોગીજનોના કુળમાંજ પ્રગટ થાય છે. અને આવું જે જન્મ મળવું તે આ લોકમાં અતિ દુર્લભમાં દુર્લભ મનાય છે. ।।૬- ૪૧-૪૨।।
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् ।
यतते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन ॥६- ४३॥
અને તે પ્રાપ્ત થયેલા જન્મમાં પૂર્વ દેહના સંસ્કારસિદ્ધ તે બુદ્ધિસંયોગને પામે છે. હે કુરૂનન્દન ! આવો જન્મ પામીને પછી યોગસિદ્ધિ મેળવવા માટે ફરીથી પ્રયત્ન કરે છે. ।।૬- ૪૩।।
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः ।
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६- ४४॥
અને પૂર્વ જન્મના અભ્યાસબળથીજ તેને ઇચ્છા ન હોય તો પણ પરવશપણેજ તે તરફ આકર્ષણ થાય છે. આમ પરમાત્મયોગનો જીજ્ઞાસુ જન પણ શબ્દ બ્રહ્મને અતિક્રમણ કરી જાય છે. (એવો યોગનો મહિમા છે.) ।।૬- ૪૪।।
प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः ।
अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ॥६- ४५॥
આ રીતે પ્રયત્નપૂર્વક નિરંતર મંડ્યો રહેનાર યોગી પાપથી સર્વથા શુદ્ધ થઇને અનેક જન્મે સંસિદ્ધ થઇને આખરે પરમ ગતિનેજ પામે છે. ।।૬- ૪૫।।
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः ।
कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥६- ४६॥
માટે તપસ્વીઓ કરતાંય યોગી અધિક છે, જ્ઞાનીઓ કરતાં પણ અધિક જ માનેલો છે. તો પછી કેવળ કર્મ કરનારાઓ કરતાં તો અધિક છેજ. માટે હે અર્જુન ! તું પણ કર્મયોગી-પરમાત્મોપાસકજ થા. ।।૬- ૪૬।।
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥६- ४७॥
કારણ કે- બધા પ્રકારના યોગીઓના મધ્યે જે મારામાં અન્તઃકરણ પરોવીને શ્રદ્ધાવાન્ થઇને મનેજ ભજે છે, તેજ યુક્તતમ-સર્વશ્રેષ્ઠ યોગી મેં માનેલો છે. ।।૬- ૪૭।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः ॥ ६ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અભ્યાસયોગોનામ ષષ્ઠોઽધ્યાયઃ ।।૬।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૭
ॐ
श्रीपरमात्मने नमः
अथ सप्तमोऽध्यायः
श्रीभगवानुवाच
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥७- १॥
શ્રી ભગવાન કહે છે =
હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરૂં મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણે તેમ હું કહું છું તે સાંભળ ! ।।૭- ૧।।
ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥७- २॥
હું તને વિજ્ઞાને સહિત આ જ્ઞાન બાકી ન રહે એમ સમ્પૂર્ણ ખૂલાસાવાર કહેવાનો છું. કે જે જાણ્યા-સમઝયા પછી ફરીથી આ લોકમાં બીજું કાંઇ જાણવા જેવું બાકી રહેતું જ નથી. ।।૭- ૨।।
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥७- ३॥
હજારો-હજાર મનુષ્યોમાં સિદ્ધિને માટે કોઇકજ પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરનારા સિદ્ધોમાંથી પણ મને ખરી રીતે તો કોઇકજ જાણે છે. ।।૭- ૩।।
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥७- ४॥
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥७- ५॥
ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, એમ આઠ પ્રકારે વહેંચાયેલી આ મારી પ્રકૃતિ-માયા છે. આ મારી અપરા-બીજા વર્ગની પ્રકૃતિ છે અને આનાથી ચઢીયાતી શ્રેષ્ઠ જીવરૂપ મારી બીજી પ્રકૃતિ છે તેને તું જાણ ! કે જેનાથી આ જગત્ ધારણ કરાય છે. ।।૭- ૪-૫।।
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥७- ६॥
સર્વ ભૂત-પ્રાણીમાત્ર આ બેમાંથી જ ઉત્પન્ન થાય છે એમ તું ધ્યાનમાં રાખ ! અને તે બન્ને પ્રકૃતિ મારી હોવાથી હું જ સમગ્ર જગત્નો કારણ છું અને પ્રલય-નાશ કરનાર પણ હુંજ છું. ।।૭- ૬।।
मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय ।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥७- ७॥
હે ધનંજય ! મારાથી પર તત્ત્વ બીજું કોઇ છેજ નહિ. અને આ સઘળું વિશ્વ મારામાં દોરામાં મણિકાઓની પેઠે પરોવેલું છે. (પણ મારાથી પૃથક્ નથી.) ।।૭- ૭।।
रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७- ८॥
હે કૌન્તેય ! જળમાં રસ તે હું છું. ચંદ્રમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું આકાશમાં શબ્દ હું છું. અને પુરૂષોમાં પુરૂષાર્થ તે હું છું. ।।૭- ૮।।
पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥७- ९॥
પૃથ્વીમાં પવિત્ર ગન્ધ તે હું છું. અને અગ્નિમાં તેજ-પ્રભા તે હું છું. સર્વ ભૂતોમાં જીવન-શક્તિ તે હું છું. અને તપસ્વીઓમાં તપ તે હું છું. ।।૭- ૯।।
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७- १०॥
હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ-કારણ તે હું છું, એમ તું સમઝ ! બુદ્ધિમાન પુરૂષની બુદ્ધિ તે હું છું. અને તેજસ્વીઓનું તેજ- પરાક્રમ તે હું છું. ।।૭- ૧૦।।
बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥७- ११॥
બળવાન મનુષ્યોનું કામ અને રાગ વર્જીત એવું શુદ્ધ બળ તે હું છું. અને હે ભરતર્ષભ ! ભૂત-પ્રાણીમાત્રમાં ધર્મથી અવિરૂદ્ધ એવો જે કામ તે હું છું. ।।૭- ૧૧।।
ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥७- १२॥
અને વળી જે કોઇ સાત્ત્વિક ભાવ-પદાર્થો છે. તેમજ રાજસ અને તામસ પદાર્થો છે, તે સઘળા મારામાંથીજ ઉપજેલા છે, એમ જાણ ! પરન્તુ તે સઘળા ભાવોમાં હું નથી, પણ તેઓ મારામાં-મારે આધારે છે. (એમ સમઝ !) ।।૭- ૧૨।।
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥७- १३॥
આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશીસ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૭- ૧૩।।
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥७- १४॥
કારણ કે દેવ-સર્વસૃષ્ટા એવો જે હું તે મારી આ ગુણમયી માયા તે દુરત્યય છે. માટે જેઓ મને જ અનન્ય ભાવથી આશરે છે. તે જ એ માયાને તરી શકે છે. ।।૭- ૧૪।।
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥७- १५॥
માયાના બળથી જેઓનું જ્ઞાન હરાઇ ગયેલું છે અને તેથીજ અસુર ભાવને આશરેલા દુષ્કર્મી મૂઢ નરાધમો મારો આશ્રય-શરણ લઇ શકતા જ નથી. ।।૭- ૧૫।।
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥७- १६॥
ભરતવંશમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન ! મને આર્ત, જીજ્ઞાસુ, અર્થની ઇચ્છાવાળો અને ચોથો જ્ઞાની, એમ ચાર પ્રકારના સુકૃતશાલી જનો ભજે છે. ।।૭- ૧૬।।
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥७- १७॥
તે ચારમાંથી જ્ઞાની ભક્ત નિરંતર મારામાં જ જોડાઇ રહેનારો અને એક મારામાંજ અનન્ય ભક્તિમાન હોવાથી સર્વથી શ્રેષ્ઠ છે. અને જ્ઞાની ભક્તને હું અત્યન્ત વ્હાલો છું. અને તે મને અત્યન્ત વ્હાલો છે. ।।૭- ૧૭।।
उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥७- १८॥
એ બધા મારા ભક્તો ઉદાર છે, પણ તેમાં જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એમ મારૂં માનવું છે. કારણ કે તે મારામાં મન રાખીને સર્વોત્તમ અત્યન્તિક ગતિપ્રાપ્યસ્વરૂપ એવા મનેજ અનન્ય ભાવથી આશરેલો છે. ।।૭- ૧૮।।
बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥७- १९॥
બહુ જન્મને અન્તે પણ ‘‘મારે સર્વ વાસુદેવ જ છે.’’ એવા જ્ઞાનવાળો થઇને અનન્ય ભાવથી મને જ આશરે છે. તેવો મહાત્મા આ લોકમાં અતિ દુર્લભ છે. ।।૭- ૧૯।।
कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥७- २०॥
અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઇ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોતે પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઇને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઇન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૭- ૨૦।।
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥७- २१॥
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।
लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥७- २२॥
જે જે ભક્ત મારી તનુને (બધુંજ તેનું શરીર હોવાથી.) શ્રદ્ધાવિશ્વાસથી પૂજવાને આરાધવાને ઇચ્છે છે તે તે ભક્તને તેમાં તેમાં તે તે અચળ શ્રદ્ધા હું જ કરી આપું છું. અને તે ભક્ત તે અચળ શ્રદ્ધાએ યુક્ત થઇને તે તે દેવોનું આરાધન કરે છે. અને તે પછી (ફળપ્રદાતા હું હોવાથી જ) મેં જ રચી આપેલાં સ્વર્ગાદિક કામ-ફળને પામે છે. ।।૭- ૨૧-૨૨।।
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥७- २३॥
પણ તે અલ્પબુદ્ધિના માણસોએ મેળવેલું તે તે આરાધનરૂપ કર્મનું ફળ નાશવંત હોય છે. કેમકે દેવતાઓને ભજનાર દેવોને પામે છે. અને મારા ભક્તો તો મનેજ પામે છે. ।।૭- ૨૩।।
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥७- २४॥
મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલોકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૭- ૨૪।।
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥७- २५॥
કેમ કે મારી યોગમાયાથી સમાવૃત થયેલો હું સર્વને નથી ઓળખાતો, માટે જ અજન્મા અને અવિનાશી એવા મને આ મૂઢઅજ્ઞાની લોક નથી જાણી-ઓળખી શક્તા. ।।૭- ૨૫।।
वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥७- २६॥
હે અર્જુન ! ભૂતકાળમાં થઇ ગયેલાં, વર્તમાનસમયમાં રહેલાં અને ભવિષ્યકાળમાં થનારાં, એ સર્વ ભૂત-પ્રાણીમાત્રને હું જાણું છું. પણ મને તો કોઇ જાણતો જ નથી. ।।૭- ૨૬।।
इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।
सर्वभूतानि संमोहं सर्गे यान्ति परन्तप ॥७- २७॥
કારણ કે હે ભારત ! આ સૃષ્ટિમાં રહેલાં સર્વભૂત-પ્રાણીમાત્ર ઇચ્છાઓ અને દ્વેષથી ઉદ્ભવતાં શોક-મોહાદિક દ્વન્દ્વમાં ફસાવાથી હે પરન્તપ ! અત્યન્ત મોહ-સંભ્રમ પામે છે. (તેથીજ મને નથી જાણી શકતાં.) ।।૭- ૨૭।।
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ।
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥७- २८॥
પરન્તુ- જે પુણ્યશાળી જનોનાં તો પાપ લગભગ નષ્ટપ્રાય થઇ ગયાં છે, તે પુરૂષોજ દૃઢવ્રત થઇને સુખ દુ:ખાદિક દ્વન્દ્વભાવ રૂપ મોહમાં નહિ ફસાતાં મનેજ ભજેછે ।।૭ -૨૮।।
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥७- २९॥
આ પ્રમાણે જરા-મરણાદિક સંસૃતિના કલેશોથી મુકાવાને માટે મને આશરીને જેઓ પ્રયત્ન કરે છે, તેઓ જ તે બ્રહ્મને જાણે છે. અને સમગ્ર અધ્યાત્મ તત્ત્વને તેમજ કર્મના સઘળા તત્ત્વને પણ જાણે છે. ।।૭- ૨૯।।
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥७- ३०॥
અને આ રીતે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞે સહિત મને જેઓ જાણે છે. તો તેઓ મારામાં ચિત્ત જોડાયલું હોવાથી, પ્રયાણ કાળમાં પણ મનેજ જાણે છે-મને જાણીને મનેજ પામે છે. ।।૭- ૩૦।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॥ ७ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ ।।૭।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૮
ॐ
श्रीपरमात्मने नमः
अथाष्टमोऽध्यायः
अर्जुन उवाच
किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥८- १॥
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥
અર્જુન પૂછે છે =
હે પુરૂષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? અધ્યાત્મ શું ? અને કર્મ શું ? અધિભૂત શું કહેવાય ? અને અધિદૈવ શું કહેવાય છે ? હે મધુસૂદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ ? અને તે કેવો જાણવો ? અને મનને જીતનારાઓએ અન્તકાળે તમને કેવી રીતે જાણવા ? એ બધુંય મને કહી સમઝાવો ! ।।૮- ૧-૨।।
श्रीभगवानुवाच
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥
શ્રી ભગવાન કહે છે =
પરમ-સર્વોત્કૃષ્ટ એવું જે અક્ષર એજ બ્રહ્મ છે. અને ક્ષેત્રજ્ઞોનો સ્વભાવ એ અધ્યાત્મ કહેવાય છે. ભૂત પ્રાણીમાત્રના દેવમનુષ્યાદિક જુદા જુદા ભાવ અને તેની ઉત્પત્તિ કરનારો વિસર્ગ એ કર્મ નામે કહેવાય છે. ।।૮- ૩।।
अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् ।
अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर ॥८- ४॥
પ્રાણિઓનો ક્ષર ભાવ એ અધિભૂત છે. અને પુરૂષ એ અધિદૈવત છે. અને દેહધારીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન ! આ દેહમાં-મારા શરીરભૂત બ્રહ્માદિક દેવોમાં, અધિયજ્ઞ-યજ્ઞોમાં અગ્રપૂજ્ય તો હું જ-સર્વાત્મા છું. ।।૮- ૪।।
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥८- ५॥
અને અન્તકાળે સર્વાત્મા વાસુદેવ એવા મને જ સંભારતાં સંભારતાં શરીરનો ત્યાગ કરીને જાયછે. તે મારાજ સ્વરૂપને પામે છે આમાં કાંઇ સંશય નથી જ. ।।૮- ૫।।
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः ॥८- ६॥
વધારે શું ? અન્તકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે, તો તે માણસ હે કૌન્તેય ! સદાય તે ભાવથીવાસનાથી વાસિત થયેલો હોવાથી તે તે ભાવનેજ પામે છે. ।।૮- ૬।।
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च ।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥८- ७॥
માટે તું પણ સર્વ કાળમાં મારૂંજ સ્મરણ કરતો રહે અને સ્વધર્મરૂપ યુદ્ધ પણ કર ! અને મારામાં જ મન અને બુદ્ધિને સર્વથા અર્પણ કરવાથી મને જ પામીશ. આમાં કાંઇ સંશય નથી. ।।૮- ૭।।
अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना ।
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥८- ८॥
હે પાર્થ ! અભ્યાસ-યોગયુક્ત અને અનન્યગામિ એવા ચિત્તથી દિવ્યાકાર પરમ પુરૂષનું ચિન્તવન કરતાં કરતાં તેને જ પામે છે. ।।૮- ૮।।
कविं पुराणमनुशासितार-
मणोरणीयांसमनुस्मरेद्यः ।
सर्वस्य धातारमचिन्त्यरूप
मादित्यवर्णं तमसः परस्तात् ॥८- ९॥
प्रयाणकाले मनसाचलेन
भक्त्या युक्तो योगबलेन चैव ।
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्
स तं परं पुरुषमुपैति दिव्यम् ॥८- १०॥
यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ॥८- ११॥
તે પરમ પુરૂષ, કવિ-ત્રિકાળદર્શી, પુરાતન, સર્વનું નિયમન કરનારા, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, સર્વને રચનારા, મન-વાણીને પણ અગોચર એવું અચિન્ત્ય-અલૌકિક રૂપ-આકૃતિ જેની છે, આદિત્યના જેવો સમુજ્જવળ વર્ણજેનો છે. અને માયાના તમથી પર રહેલા, એવા પરમ પુરૂષને જે સતત સંભાર્યા કરે છે. અને મરણ સમયમાં પણ નિશ્ચળ મન રાખીને, ભક્તિયુક્ત થઇને, અને યોગસામર્થ્યથી પ્રાણને ભૃકુટિના મધ્યમાં બરોબર સ્થિર રાખીને જે સ્મરણ કરે, તે પુરૂષજ તે દિવ્યાકાર પરમ પુરૂષને પામે છે.। જેને વેદવિત્ પુરૂષો અક્ષર એમ કહે છે, દુનીયાંના રાગ સિવાયના વશેન્દ્રિય ઉપાસક પુરૂષો જેમાં પ્રવેશ કરે છે. જેને ઇચ્છાનારા બ્રહ્મચર્ય વ્રત પાળે છે. તે પદ હું તને સંક્ષેપથી કહીશ કહેવાનો છું. ।।૮- ૯-૧૧।।
सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च ।
मूर्ध्न्याधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥८- १२॥
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥८- १३॥
સર્વ ઇન્દ્રિયદ્વારને સ્વવશમાં કરીને, મનને હ્રદયમાં એકાગ્ર કરીને, પોતાના પ્રાણને મસ્તકમાં સ્થિર કરીને, યોગથી પરમાત્મસ્વરૂપમાં ધારણા પામેલો. ।
અને પરબ્રહ્મના વાચક ઓંકારરૂપ એકાક્ષરને જપતો અને મને અખંડ સંભારતો થકો દેહનો ત્યાગ કરીને જે જાયછે, તે પુરૂષ પરમ ગતિ પામે છે. ।।૮- ૧૨-૧૩।।
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः ।
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥८- १४॥
હે પાર્થ ! અખંડ અનન્યચિત્ત થઇને જે મને નિરન્તર અવિચ્છિન્ન સંભારે છે, તો તેવા અખંડ મારામાં જોડાયેલા યોગીને હું સર્વથા સુલભજ છું. ।।૮- ૧૪।।
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥८- १५॥
મારી પ્રાપ્તિરૂપ પરમ સમ્યક્ સિદ્ધિને પામેલા મહાત્માઓ મારા ધામમાં મને પામીને ફરીને દુ:ખની પરમ્પરાથી ભરેલું અશાશ્વત જન્મ (વિગેરે વિકારોને) નથી પામતા. ।।૮- ૧૫।।
आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥८- १६॥
હે અર્જુન ! બ્રહ્માના ભુવન સુધીના લોકો બધાય પુનરાવૃત્તિવાળા છે, પણ હે કૌન્તેય ! મને પામ્યા પછી તો ફરીને જન્મ પામવાનું રહેતુંજ નથી. ।।૮- ૧૬।।
सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥८- १७॥
(હવે-પ્રસંગાત્ બ્રહ્માના આયુષ્યનું પ્રમાણ કહે છે-) ચાર યુગ મળીને એક મહાયુગ કહેવાય છે, અને એવા એક હજાર મહાયુગ સુધીના મહાકાળને બ્રહ્માનો એક દિવસ અને એક હજાર મહાયુગની એક રાત્રિ, એમ બ્રહ્માના અહોરાત્રને જાણનારા કહેછે. ।।૮- ૧૭।।
अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे ।
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥८- १८॥
બ્રહ્માના દિવસની શરૂઆત થતાં અવ્યકતમાંથી સર્વ વ્યક્તિઓ ઉત્પન્ન થઇ આવે છે. અને પાછી રાત્રિ આવતાં તેજ અવ્યકતમાં સર્વથા લીન થઇ જાય છે. ।।૮- ૧૮।।
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥८- १९॥
તેજ આ પ્રાણીમાત્રનો સમૂહ પરવશ થકો વારંવાર ઉત્પન્ન થઇને હે પાર્થ ! રાત્રિ આવતાં લય પામે છે. અને પાછો દિવસ આવતાં ઉત્પન્ન થઇ આવે છે. ।।૮- ૧૯।।
परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।
यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥८- २०॥
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥८- २१॥
પણ આ અવ્યક્ત થકી પર બીજો સનાતન અવ્યક્ત ભાવ-પદાર્થ છે. કે જે સર્વ ભૂતો નાશ પામતાં પણ એ પોતે નાશ નથી પામતો. જે અવ્યક્ત ભાવને અક્ષર એમ કહે છે. અને તેને પરમ ગતિ-પ્રાપ્ય સ્થાન કહે છે. કે જેને પામીને પાછા નથી ફરતા તે મારૂં પરમ સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૮- ૨૦-૨૧।।
पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।
यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥८- २२॥
હે પાર્થ ! જેની અન્દર આ ભૂત-પ્રાણીમાત્ર રહેલાં છે. અને જેણે આ સઘળું વિશ્વ સંકલ્પ માત્રથી વિસ્તાર્યું છે. અથવા જેનાથી વ્યાપ્ત છે. તે પર પુરૂષ પરમાત્મા અનન્ય ભક્તિથીજ મળે છે. (બીજો માર્ગજ નથી.) ।।૮- ૨૨।।
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥८- २३॥
હવે કર્મયોગીઓ જે કાળમાં મરણ પામતાં અનાવૃત્તિ અને આવૃત્તિ પામે છે, તે કાળને હે ભરતવર્ષભ ! હું તને કહું છું ।।૮- ૨૩।।
अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥८- २४॥
અગ્નિ, જ્યોતિ; દિવસ, શુકલ પક્ષ, ઉત્તરાયનના છ માસ, આ કાળમાં જનારા બ્રહ્મવિત્ પુરૂષો બ્રહ્મને પામે છે. ।।૮- ૨૪।।
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥८- २५॥
ધૂમ, રાત્રિ, તથા કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના છ માસ, તે કાળમાં જનારો યોગી ચંદ્રના લોકને પામીને પુણ્ય ખૂટતાં પાછો ફરે છે. ।।૮- ૨૫।।
शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥८- २६॥
આ શુક્લ અને કૃષ્ણ એ બન્ને માર્ગો જગતના અનાદિ જ માનેલા છે. તેમાંથી એકથી જનાર અનાવૃત્તિ-મુક્તિ પામે છે. અને બીજાથી જનાર પાછો આવે છે. ।।૮- ૨૬।।
नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥८- २७॥
હે પાર્થ ! આ બન્ને માર્ગ સમઝનારો કોઇ પણ યોગી કયારેય મોહ પામતો નથી. માટે હે અર્જુન ! તું સર્વ કાળમાં યોગયુક્ત થા ! ।।૮- ૨૭।।
वेदेषु यज्ञेषु तपःसु चैव
दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् ।
अत्येति तत्सर्वमिदं विदित्वा
योगी परं स्थानमुपैति चाद्यम् ॥८- २८॥
વેદોમાં, યજ્ઞોમાં, તપમાં અને સર્વ દાનોમાં જે પુણ્યફળ કહેલું છે. તે સર્વ ફળ ઉલ્લંધી જઇને બન્ને માર્ગના તત્ત્વને જાણનારો યોગી આદ્ય સનાતન પરમ સ્થાનને પામે છે. ।।૮- ૨૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नामाष्टमोऽध्यायः ॥८॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અક્ષર પર-બ્રહ્મયોગો નામ અષ્ટમોઽધ્યાયઃ।।૮।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૯
ॐ
श्रीपरमात्मने नमः
अथ नवमोऽध्यायः
श्रीभगवानुवाच
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥९- १॥
શ્રી ભગવાન કહે છે =
તું અસૂયા દોષથી રહિત છે માટે અતિ રહસ્યરૂપ એવું આ વિજ્ઞાને સહિત જ્ઞાન તે હું તને કહીશ. કે જે જ્ઞાન સમઝવાથી મોક્ષમાં વિરોધી અશુભ-પાપમાત્રથી તું મુક્ત થઇ જઇશ. ।।૯- ૧।।
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥९- २॥
આ જ્ઞાન સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. સર્વ રહસ્યોમાં પરમ રહસ્યરૂપ છે. પવિત્ર, ઉત્તમ, પ્રત્યક્ષપણે સમઝાય એવું, સુખેથી સાધી શકાય, નાશ ન પામે એવું અને ધર્મે યુક્ત છે. ।।૯- ૨।।
अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥९- ३॥
હે પરન્તપ ! આ જ્ઞાનરૂપ ધર્મમાં શ્રદ્ધા નહિ રાખનારા પુરૂષો, મને નહિ પામતાં મૃત્યુની પરંપરાથી ભરેલા સંસાર-માર્ગમાં પાછા ફરે છે. ।।૯- ૩।।
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥९- ४॥
અવ્યક્ત-ઇન્દ્રિયોને અગોચર દિવ્યમૂર્તિ એવા મેં જ આ સઘળું જગત્ વિસ્તારેલું છે, અથવા વ્યાપેલું છે. માટેજ સર્વ ભૂતો મારામાં-મારે આધારે રહેલાં છે. પણ હું તેમાં-તેમને આધારે રહેલો નથી. ।।૯- ૪।।
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥९- ५॥
વળી એ સર્વ ભૂતો મારામાં નથી રહેલાં એવું પણ મારૂં ઇશ્વર ભાવને સૂચવનારૂં યોગ-સામર્થ્ય છે, તેને તું જો-સમઝ અને સર્વ ભૂતની વૃદ્ધિ-પોષણ કરનારો મારો આત્મા-સ્વરૂપ સર્વ ભૂતનું ભરણ-પોષણ કરે છે, તો પણ તે તેમાં રહેલો નથી. ન્યારો જ છે. ।।૯- ૫।।
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥९- ६॥
સર્વત્ર અસ્ખલિત ગતિ કરનારો મહાન્ વાયુ જેમ નિરન્તર આકાશમાં જ રહેલો છે. છતાં ન્યારો છે. તે જ પ્રમાણે સર્વ ભૂતો મારામાં રહેલાં છે. એમ સમઝ ! ।।૯- ૬।।
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥९- ७॥
હૈ કૌન્તેય ! કલ્પને અન્તે સર્વ ભૂત-પ્રાણીમાત્ર મારી માયા પ્રત્યે પ્રવેશી જાય છે. તેજ સર્વ ભૂતોને કલ્પના આરંભમાં પાછો હું જ સર્જું છું. ।।૯- ૭।।
प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥९- ८॥
પ્રકૃતિ-માયાના વશપણાથી પરવશ-કર્માધીન વર્તતા આ સમગ્ર ભૂતસમૂહને હું મારી માયા-શક્તિને અવલંબીને વખતો-વખત વારંવાર સર્જું છું. ।।૯- ૮।।
न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय ।
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥९- ९॥
પણ હે ધનંજય !તે સૃષ્ટિ આદિક કર્મમાં ઉદાસીનની પેઠે વર્તનારા અને આસક્તિ વિનાના મને, તે સૃષ્ટિ આદિક કર્મ બન્ધન કરી શકતાં નથી. ।।૯- ૯।।
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ॥९- १०॥
અને હું અધ્યક્ષ-તટસ્થ રહીનેજ પ્રકૃતિદ્વારા આ ચરાચર વિશ્વને સર્જાવું છું. અને હે કૌન્તેય ! આ કારણથીજ આ સઘળું જગત્ સંસૃતિમાં વિવિધ ભાવે પરિવર્તન પામ્યા જ કરે છે. ।।૯- ૧૦।।
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ।
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥९- ११॥
સર્વ ભૂત-પ્રાણીમાત્રનો હું સર્વોપરિ નિયન્તા છું. એ મારૂં મોટું ઐશ્વર્ય નહિ જાણનારા મૂઢાત્માઓ મનુષ્ય શરીરને આશરીને પ્રત્યક્ષ વર્તતા મારી અવજ્ઞા કરે છે. ।।૯- ૧૧।।
मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥९- १२॥
આવા મનુષ્યો નિષ્ફળ આશાઓ સેવનારા, નિષ્ફળ કર્મ કરનારા, મિથ્યા જ્ઞાન સમઝનારા, ભ્રષ્ટ ચિત્તવાળા અને તેઓ રાક્ષસી અને આસુરી માયાને આશરેલા હોય છે. ।।૯- ૧૨।।
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥९- १३॥
અને હે પાર્થ ! દૈવી પ્રકૃતિને આશરેલા મહાત્માઓ-મારા જ્ઞાની ભક્તો તો, મને સર્વ ભૂતનો આદિ-કારણ અને અવિનાશી સ્વરૂપ જાણી-સમઝીને અનન્ય મનવાળા થઇને મને જ ભજે છે. ।।૯- ૧૩।।
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥९- १४॥
મારૂં જ સતત-અખંડકીર્તન કરતા, અને દૃઢસંકલ્પ થઇને મને પ્રસન્ન કરવાજ દરેક પ્રયત્ન કરતા, નિરન્તર મનેજ નમસ્કાર કરતા અને મારામાં અખંડ યુક્ત થઇને પ્રેમપૂર્વક મારીજ ઉપાસના કરે છે. ।।૯- ૧૪।।
ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥९- १५॥
બીજા જ્ઞાનયોગી ભક્તો, મારી કથા-કીર્તનાદિક કરવારૂપ જ્ઞાનયજ્ઞથી મારૂં પૂજન કરતા થકા મારી ઉપાસના કરે છે. વળી બીજાઓ પણ અનેકરૂપે રહેલા મારી ઉપાસના એકત્વથી તેમજ પૃથગ્ભાવથી પોતપોતાની રૂચિ પ્રમાણે બહુ પ્રકારે કરે છે. ।।૯- ૧૫।।
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।
मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥९- १६॥
पिताहमस्य जगतो माता धाता पितामहः ।
वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च ॥९- १७॥
ક્રતુ-શ્રૌત યજ્ઞ હું છું. યજ્ઞ-સ્માર્ત યજ્ઞ હું છું. સ્વધા- આહુતિ આપવાનો મંત્ર હું છું. ઔષધિ હું છું મંત્ર હું છું. ઘી પણ હું જ છું. હોમવાનું દ્વાર અગ્નિ હું છું. અને હોમેલું દ્રવ્ય પણ હું જ છું. આ સઘળા જગત નો પિતા-જનક, માતા-જનની, ધાતા-પોષક, પિતામહ-દાદો, જાણવા જેવું તત્ત્વ, પવિત્ર વસ્તુ, ૐકાર, ઋગવેદ, સામવેદ અને અથર્વવેદ પણ, આ સઘળારૂપે હુંજ છું. ।।૯- ૧૬-૧૭।।
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥९- १८॥
પામવા યોગ્ય પરમ પ્રાપ્તિસ્થાન, ભરણ પોષણ કરનારો, સર્વનો સ્વામી, સર્વના કર્મનો સાક્ષી, સર્વનો નિવાસ-આધાર, શરણ-રક્ષણ કરનાર, સુહૃત્-અપ્રેરિત હિત કરનાર, પ્રભવ-ઉત્પત્તિનું કારણ, પ્રલય-લયનું કારણ, સર્વની સ્થિતિ રાખનાર, નિધાન, અને અવિનાશી બીજ-કારણ હું જ છું ।।૯- ૧૮।।
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च ।
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥९- १९॥
સૂર્યરૂપે હું જ તપું છું. વરસાદને રોકી પણ હું જ રાખું છું. અને વખત આવ્યે હું જ વરસાવું છું. અમૃત-મુક્તિ અથવા જીવન, અને મૃત્યુ તે પણ હું જ છું. અને હે અર્જુન ! સત્-કાર્યરૂપ આ જગત્, અને અસત્ કાર્યથી ભિન્ન કારણરૂપ તત્ત્વ તે પણ હું જ છું ।।૯- ૧૯।।
त्रैविद्या मां सोमपाः पूतपापा
यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक-
मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥९- २०॥
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।
एवं त्रयीधर्ममनुप्रपन्ना
गतागतं कामकामा लभन्ते ॥९- २१॥
વેદત્રયીમાં કહેલાં કર્મ કરનારા, સોમ-રસનું પાન કરનારા અને તેથી જ પાપ રહિત થયેલા પુરૂષો વેદ વિહિત યજ્ઞોથી મારૂં પૂજન કરીને સ્વર્ગ લોકની પ્રાપ્તિની માગણી કરે છે. તેઓ પુણ્યપ્રાપ્ય સુરેન્દ્રલોકને પામીને સ્વર્ગમાં રહેલા દેવભોગોને ભોગવે છે. તે લોકો તે વિશાળ-વૈભવશાળી સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય થઇ રહે છે ત્યારે પાછા મર્ત્ય લોકમાં આવે છે. આ પ્રમાણે વેદત્રયીમાં કહેલા ધર્મને અનુસરનારા વિષયોપભોગની અભિલાષા રાખનારા મનુષ્યો આવાગમને પામ્યા કરે છે. ।।૯- ૨૦-૨૧।।
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥९- २२॥
અને જે જનો અનન્ય ભાવથી ભાવિત થઇને મારૂંજ ચિન્તવન કરતાં મારી ઉપાસના કરે છે. એવા તે મારામાં અખંડ જોડાયેલા પુરૂષનું યોગ અને ક્ષેમ તેને હુંજ ઉપાડી લઉં છું. ।।૯- ૨૨।।
येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥९- २३॥
અને જેઓ પણ બીજા દેવતાઓમાં ભક્તિ રાખે છે. અને શ્રદ્ધાયુક્ત થઇને પૂજન કરે છે, તે પણ હે કૌન્તેય ! જો કે-પૂજા તો મારીજ કરે છે. પણ અવિધિપૂર્વક-મને સર્વાત્મા નહિ જાણીને પરોક્ષ રીતે પૂજે છે. ।।૯- ૨૩।।
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥९- २४॥
કારણ કે સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ-ફળપ્રદાતા તો હું જ છું. પણ એ રીતે મને તેઓ ખરી રીતે યથાર્થ જાણતા નથી. તેથી તેઓ અવિનાશી મહાફળથી પડી જાય છે. અર્થાત્-અતિ અલ્પ ફળને મેળવે છે. ।।૯- ૨૪।।
यान्ति देवव्रता देवान्पितॄन्यान्ति पितृव्रताः ।
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥९- २५॥
દેવોમાં શ્રદ્ધા રાખીને વ્રતકરનારા દેવોને પામે છે. પિતૃઓમાં શ્રદ્ધા રાખીને વ્રત કરનારા પિતૃઓને પામેછે. ભૂત ભૈરવાદિકને પૂજનારા ભૂત ભૈરવાદિકને પામે છે. અને એતો ખુલ્લુંજ છે કે મારૂં યજન-પૂજન કરનારા તો મને જ પામે છે. ।।૯- ૨૫।।
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥९- २६॥
(હું કેટલો સરલ અને સુલભ છું તે તો જો !) પત્ર, પુષ્પ, ફળ કે જળ, જે મને પ્રેમથી અર્પણ કરે છે. તે હું પવિત્ર-એકાગ્ર મનવાળા મારા ભક્તનું ભક્તિથી આપેલુ ગ્રહણ કરૂં છું. ।।૯- ૨૬।।
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥९- २७॥
માટે તું પણ જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, અને જે તપ કરે છે. તે સઘળું હે કૌન્તેય ? મને અર્પણ બુદ્ધિથી જ કર ! ।।૯- ૨૭।।
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥९- २८॥
અને આમ મને અર્પણ કરવાથી સારાં-નરસાં ફળ આપનારાં શુભ-અશુભ સર્વ કર્મબંધનોથી તું મુકાઇ જઇશ. અને આ ફળત્યાગરૂપ સંન્યાસયોગથી યુક્ત મનવાળો તું સર્વ કર્મથી મુક્ત થઇને મનેજ પામીશ. ।।૯- ૨૮।।
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥९- २९॥
સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવથી હું રહેલો છું, માટે મારે આ દ્વેષ કરવા યોગ્ય, કે આ પ્રેમ કરવા યોગ્ય એવો વિભાગ નથી. પણ જે કોઇ મને પરમ પ્રેમથી ભજે છે. તો તેઓ મારામાં છે. અને તેઓમાં હું પણ છું. (અર્થાત્- ભજે તેના ભગવાન છે.) ।।૯- ૨૯।।
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥९- ३०॥
અને વળી મર કોઇ ગમે તેવો અતિ દુરાચારી હોય, તો પણ મને અનન્ય ભાવથી જો ભજે છે, તો તે ખરો સાધુજ છે એમ માનવો, કારણ કે હવે તે ઘણા સારા નિશ્ચય ઉપર આવી ગયેલો છે માટે. ।।૯- ૩૦।।
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रति जानीहि न मे भक्तः प्रणश्यति ॥९- ३१॥
આવો માણસ ટુંકી મુદતમાંજ ધર્માત્મા થઇ જાય છે. અને અખંડ શાન્તિને પણ પામે છે. હે કૌન્તેય ! તું પ્રતિજ્ઞા કરીને કહે જે કે મારો ભક્ત કયારેય મોક્ષમાર્ગથી પડશે નહિ. ।।૯- ૩૧।।
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥९- ३२॥
હે પાર્થ ! મારો મહિમા તો જો ! મારો આશ્રય કરીને તો, જે કોઇ પાપ યોનિમાં જન્મેલા હોય, તેમજ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શૂદ્રો, તે સઘળાય પણ પરમ સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મારા ધામને પામે છે. ।।૯- ૩૨।।
किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥९- ३३॥
તો પછી પુણ્યવાન બ્રાહ્મણો તથા રાજર્ષિ-ક્ષત્રિયો, તે મારા ભક્તો હોય તો તે પરમગતિ પામેજ. એમાં વળી કહેવાનું જ શું હોય ? માટે તું આ અનિત્ય અને વાસ્તવિક સુખ વિનાના માનવ લોકને જન્મને પામીને મારૂંજ ભજન કરી લે ! ।।૯- ૩૩।।
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥९- ३४॥
તું મારામાં જ મન રાખનારો થા ! મારામાં જ સ્નેહ રાખ ! મારૂં જ પૂજન કર ! અને મને જ નમસ્કાર કર ! આ પ્રમાણે તું મત્પરાયણ થઇને મારામાં જ મન જોડીશ, તો નક્કી તું મને જ પામીશ. ।।૯- ૩૪।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्ययोगो नाम नवमोऽध्यायः ॥९॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે રાજવિદ્યા-રાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ ।।૯।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૦
ॐ
श्रीपरमात्मने नमः
अथ दशमोऽध्यायः
श्रीभगवानुवाच
भूय एव महाबाहो शृणु मे परमं वचः ।
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१०- १॥
શ્રી ભગવાન કહે છે =
હે મહાબાહો ! મારૂં વચન સાંભળીને પ્રસન્ન થતા તને તારૂં હિત કરવાની ઇચ્છાથી પ્રેરાઇને જે હું બીજું ઉત્તમ વચન કહુંછું તે તું ધ્યાન દઇને સાંભળ ! ।।૧૦- ૧।।
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥१०- २॥
મારો ઉત્પત્તિ પ્રકાર સર્વ દેવગણો તેમજ મહર્ષિઓ પણ જાણતા નથી. કારણ કે એ દેવોનો અને મહર્ષિઓનો પણ સર્વ પ્રકારે હું જ આદિ કારણ છું. ।।૧૦- ૨।।
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।
असंमूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥१०- ३॥
જે મને અજન્મા-જન્માદિક વિકારે રહિત, અને અનાદિ સર્વ લોકનો મહેશ્વર સર્વ-નિયન્તા એમ જાણે છે, તે મનુષ્યોમાં ઉત્તમ જ્ઞાની સર્વ પાપથી સર્વથા મુકાઇ જાયછે. ।।૧૦- ૩।।
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥१०- ४॥
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।
भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥१०- ५॥
બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ-સાવધાનતા,ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુ:ખ, ભવ-ઉત્પત્તિ, અભાવ-નાશ, ભય અને અભય પણ. અહિંસા, સમતા-સમદૃષ્ટિ, તુષ્ટિ-સંતોષ, તપ, દાન, યશ, અપયશ, આ સઘળા જુદા-જુદા પ્રકારના ભૂતમાત્રના ભાવો-ગુણો, મારા થકીજ પ્રવર્તે છે. ।।૧૦- ૪-૫।।
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥१०- ६॥
સાત મહર્ષિઓ, તે પહેલાંના ચાર-સનકાદિકો, તથા ચૌદમનુઓ, આ સઘળા, કે જેમનાથી લોકમાં આ સઘળી પ્રજાઓ થઇ છે, તે બધા બ્રહ્માના મનથી થયેલા મારા ભાવો છે. ।।૧૦-૬।।
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥१०- ७॥
મારી આ વિભૂતિ અને મારૂં આ સામર્થ્ય તેને જે તત્ત્વથી જાણે છે, તો તે પુરૂષ અવિચળ ભક્તિયોગથી જોડાય છે-નિષ્પન્ન થાય છે, એમાં કાંઇ સંશય નથી. ।।૧૦- ૭।।
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥१०- ८॥
હું જ સર્વ જગત્નો આદિ કારણભૂત છું. અને મારાથીજ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમઝીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઇને મનેજ ભજે છે. ।।૧૦- ૮।।
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥१०- ९॥
મારા ભક્તો મારામાંજ ચિત્ત રાખીને, મારામાંજ પ્રાણવૃત્તિ જોડીને, પરસ્પર એકબીજાને મારો મહિમા સમજાવતાં, અને નિરન્તર મારીજ કથા-વાર્તાઓ કરતાં સન્તુષ્ટ વર્તે છે. અને આનન્દાનુભવ માણે છે. ।।૧૦- ૯।।
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥१०- १०॥
આ પ્રમાણે મારામાં અખંડ જોડાઇ રહેલા અને મને જ પ્રીતિપૂર્વક ભજનારા તે મારા ભક્તોને હું તેવો બુદ્ધિયોગ આપું છું કે જેનાથી તેઓ મને સાક્ષાત્ પામે છે-ઠેઠ મારા ધામમાં જ જાય છે. ।।૧૦- ૧૦।।
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥१०- ११॥
અને તેઓના ઉપર અનુગ્રહ કરવા માટેજ, તેમના હ્રદયારવિંદમાં અખંડ વિરાજમાન રહેલો હું પ્રકાશિત જ્ઞાનદીપથી તેમના અજ્ઞાનથી પ્રસરતા અંધકારને-આવરણને નાશ કરૂં છું. ।।૧૦- ૧૧।।
अर्जुन उवाच
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१०- १२॥
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥१०- १३॥
અર્જુન પૂછે છે =
આપજ પરંબ્રહ્મ છો, પરમ ધામ-પ્રાપ્ય સ્થાન, પરમ પવિત્ર-પતિતપાવન છો. અને આપનેજ શાશ્વત પુરૂષ, દિવ્યમૂર્તિ, આદિદેવ, અજન્મા અને વિભુ સર્વવ્યાપક છો. એમ બધા મહર્ષિઓ કહે છે. તેમજ દેવર્ષિ નારદમુનિ. અસિત, દેવળ અને વ્યાસમુનિ, એ સર્વે તથા આપ પોતે પણ મને એમજ કહી સમઝાવો છો. ।।૧૦- ૧૨-૧૩।।
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१०- १४॥
હે કેશવ ! આપ મને જે કહો છો, તે સઘળું હું સત્યજ માનું છું. ખરેખર હે ભગવાન્ ! આપના વ્યક્તિ ભાવને તો નથી દેવો જાણતા, કે નથી દૈત્યો જાણતા. ।।૧૦- ૧૪।।
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥१०- १५॥
હે ભૂતભાવન !-ભૂત-પ્રાણીમાત્રને વૃદ્ધિ પમાડનારા ! હે ભૂતેશ ! ભૂતમાત્રના નિયંતા, હે દેવદેવ ! જગત્પતે ! અને હે પુરૂષોત્તમ ! તમેજ એક તમારા સ્વરૂપને તથા મહિમા સામર્થ્યને તમારી મેળેજ સ્વયં પોતેજ જાણો છો. ।।૧૦- ૧૫।।
वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः ।
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥१०- १६॥
માટે આપની દિવ્ય-સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ મને સમગ્રપણે કહેવાને યોગ્ય છો. કે જે વિભૂતિઓથી આ સર્વ લોકમાં આપ વ્યાપીને રહેલા છો. ।।૧૦- ૧૬।।
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥१०- १७॥
હે યોગેશ્વર ! તમારૂં સદાય પરિચિન્તવન કરતાં તમને હું કેવી રીતે જાણી શકું ? હે ભગવન્ ! કયા કયા પદાર્થોમાં મારે આપનું ચિન્તવન કરવું ? ।।૧૦- ૧૭।।
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥१०- १८॥
હે જનાર્દન ! આપનો મહિમા અને આપની વિભૂતિઓ ફરીથી વિસ્તારપૂર્વક મને કહો ? આપનો મહિમા સમજાવનારૂં અમૃત તુલ્ય આપનું ભાષણ સાંભળતાં મને તૃપ્તિ જ થતી નથી. ।।૧૦- ૧૮।।
श्रीभगवानुवाच
हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः ।
प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥१०- १९॥
શ્રી ભગવાન કહે છે =
ભલે ત્યારે હે કુરૂશ્રેષ્ઠ ! તને મારી દિવ્ય વિભૂતિઓમાંથી મુખ્યપણે રહેલી કેટલીક વિભૂતિઓ કહીશ. કારણ કે - મારી વિભૂતિઓના વિસ્તારનો અન્ત તો નથી જ. ।।૧૦- ૧૯।।
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥१०- २०॥
હે ગુડાકેશ ! સર્વ ભૂત-પ્રાણીમાત્રના હ્રદયમાં રહેલો આત્મા-જીવાત્મા તે હું છું-મારી વિભૂતિ છે. અને સર્વ ભૂતોનો આદિ કારણ, મધ્ય-સ્થિતિ-રક્ષણ કરનારો, અને અન્ત-સંહાર કરનારો પણ હું જ છું. ।।૧૦- ૨૦।।
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥१०- २१॥
બાર આદિત્યોમાં વિષ્ણુનામે આદિત્ય હું છું. પ્રકાશવાળા પદાર્થોમાં અંશુમાન્-સૂર્યદેવ હું છું. ઓગણપચાશ વાયુઓમાં મરીચિનામે વાયુ હું છું. અને નક્ષત્રોમાં ચન્દ્રમા તે હું છું. ।।૧૦- ૨૧।।
वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥१०- २२॥
વેદોમાં સામ વેદ હું છું દેવોમાં ઇન્દ્ર દેવ હું છું. ઇન્દ્રિયોમાં મન હું છું. અને ભૂતોમાં ચેતના-બુદ્ધિતત્ત્વ હું છું. ।।૧૦- ૨૨।।
रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥१०- २३॥
पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।
सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥१०- २४॥
અગીયાર રૂદ્રોમાં શંકર હું છું. યક્ષોમાં અને રાક્ષસોમાં કુબેર હું છું. આઠ વસુઓમાં પાવક નામે વસુ હું છું. શિખરોવાળા પર્વતોમાં મેરૂ નામે પર્વત હું છું. હે પાર્થ ! પુરોહિતોમાં મુખ્ય જે દેવગુરુ બૃહસ્પતિ તે મને જાણ ! સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું. અને જળાશયોમાં સાગર હું છું. ।।૧૦- ૨૩-૨૪।।
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥१०- २५॥
મહર્ષિઓમાં ભૃગુઋષિ હું છું. સર્વ વાણીમાં એકાક્ષર - ૐ કાર હું છું. યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. અને સ્થાવર એટલે સ્થિર પદાર્થોમાં હિમાચળ હું છું. ।।૧૦- ૨૫।।
अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।
गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥१०- २६॥
સર્વ વૃક્ષોમાં અશ્વત્થ-પીપળો હું છું. દેવર્ષિઓમાં નારદ મુનિ હું છું. સર્વ ગંધર્વોમાં ચિત્રરથ હું છું. અને સર્વ સિદ્ધપુરૂષોમાં કપીલમુનિ હું છું. ।।૧૦- ૨૬।।
उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।
ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥१०- २७॥
ઘોડાઓમાં અમૃતની સાથે સમુદ્રમાંથી નીકળેલો ઉચ્ચૈઃશ્રવા નામે ઘોડો મને જાણ ! ગજેન્દ્રોમાં ઐરાવત મને જાણ ! અને મનુષ્યોમાં રાજા મને જાણ ! ।।૧૦- ૨૭।।
आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।
प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥१०- २८॥
આયુધોમાં વજ્ર આયુધ હું છું. ધેનુઓમાં કામદુઘા ધેનું હું છું. પ્રજા પેદા કરનારા કંદર્પ-કામ તે પણ હું છું. અને સર્પોમાં વાસુકી સર્પ હું છું. ।।૧૦- ૨૮।।
अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।
पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥१०- २९॥
નાગોમાં અનંત નામે નાગ હું છું. જળવાસીઓમાં વરૂણદેવ હું છું. પિત્રુઓમાં અર્યમા હું છું. અને નિયમન કરનારાઓમાં જમરાજા હું છું. ।।૧૦- ૨૯।।
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥१०- ३०॥
દૈત્યોમાં ભક્તરાજ પ્રહ્લાદ હું છું. પરિણામ પમાડનારાઓમાં અથવા ગણના કરનારાઓમાં સમર્થ કાળ હું છું. પશુઓમાં મૃગરાજ-સિંહ હું છું. અને પક્ષીઓમાં પક્ષીરાજ ગરૂડ હું જ છું. ।।૧૦- ૩૦।।
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥१०- ३१॥
વહેતા વેગવાળા પદાર્થોમાં પવન હું છું. શસ્ત્રધારીઓમાં દશરથ પુત્ર શ્રીરામ હું છું. માછલાઓમાં મઘર હું છું. અને વહેતા પ્રવાહ-નદીઓમાં જહ્નુકન્યા ગંગા હું છું. ।।૧૦- ૩૧।।
सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।
अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥१०- ३२॥
હે અર્જુન ! દરેક સર્ગોનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. અને વાદ કરનારાઓના વાદનો વિષય હું છું. ।।૧૦- ૩૨।।
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।
अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥१०- ३३॥
અક્ષરોમાં અ અક્ષર હું છું. સમાસોમાં ઉભયપદ પ્રદાન દ્વન્દ્વ સમાસ હું છું. સર્વકાળના વિભાગોમાં અક્ષયકાળ હું છું. અને ચોતરફ મુખવાળો બ્રહ્મા તે પણ હું જ છું. ।।૧૦- ૩૩।।
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥१०- ३४॥
સર્વને હરનારો મૃત્યુ-કાળ હું છું. અને ઉત્પન્ન થનારાઓનો ઉદભવ-ઉત્પત્તિનું સ્થાન હું છું. અને સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા એ સર્વ હું જ છું. ।।૧૦- ૩૪।।
बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥१०- ३५॥
તેમજ સામવેદના મંત્રોમાં બૃહત્સામ તે હું છું. અને સર્વ છંદોમાં ગાયત્રીછંદ તે હું છું. બાર મહિનાઓમાં માર્ગશીર્ષ (માગસર) માસ તે હું છું. અને છ ઋતુઓમાં વસંત હું છું. ।।૧૦- ૩૫।।
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥१०- ३६॥
છેતનારાઓનું દ્યૂત-છળસામર્થ્ય હું છું. તેજસ્વીઓનું તેજ-પ્રભાવ હું છું. વિજય અને વ્યવસાય તે પણ હું છું. અને સાત્વિક-સમર્થ પુરૂષોનું સામર્થ્ય હું છું. ।।૧૦- ૩૬।।
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥१०- ३७॥
સર્વ યાદવોમાં વાસુદેવ તે હું છું. અને પાંડવોમાં ધનંજય-અર્જુન તે હું છું. મુનિઓના મધ્યે પણ વ્યાસ મુનિ તે હું છું. અને કવિઓમાં-જ્ઞાનીજનોમાં ઉશના-શુક્રાચાર્ય કવિ હું છું. ।।૧૦- ૩૭।।
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥१०- ३८॥
નિયમન કરનારાઓનો દંડ હું છું. અને જયની અભિલાષા સેવનારાઓની નીતિ-ગુહ્યવિચારણા હું છું. રહસ્યોમાં મૌન અને જ્ઞાનવાળાઓનું પરમ જ્ઞાન તે પણ હું જ છું. ।।૧૦- ૩૮।।
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥१०- ३९॥
અને વળી હે અર્જુન ! સર્વ ભૂત-પ્રાણી માત્રનું જે સનાતન બીજકારણ તે પણ હું જ છું. કારણ કે એવું એક પણ ચરાચર-ભૂતપ્રાણી નથી, કે જે મારા સિવાય થયું હોય કે રહેતું હોય. ।।૧૦- ૩૯।।
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥१०- ४०॥
હે પરન્તપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પાર જ નથી. અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગદર્શન જેવો કહ્યો છે. ।।૧૦- ૪૦।।
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ॥१०- ४१॥
આ જગતમાં જે જે વિભૂતિવાળું પ્રાણી-શોભાયમાન કે પ્રભાવશાળી હોય તે તે બધુંય મારા તેજ-સામર્થ્યના એક અંશમાંથી જ થયેલું છે, એમ તું જાણ ! ।।૧૦- ૪૧।।
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥१०- ४२॥
અથવા તો હે અર્જુન ! તારે આ બધુ જાણવાથી શો વિશેષ છે ? આ સઘડા જગતને હું મારા ઐશ્વર્યના એક અંશથી ઐશ્વર્ય લેશથી ધારી રહ્યો છું. ।।૧૦- ૪૨।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो नाम दशमोऽध्यायः ॥ १० ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિભૂતિયોગો નામ દશમોઽધ્યાયઃ ।।૧૦।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૧
ॐ
श्रीपरमात्मने नमः
अथैकादशोऽध्यायः
अर्जुन उवाच
मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।
यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥११- १॥
અર્જુન કહે છે =
મારા ઉપર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ રહસ્યરૂપ અધ્યાત્મ-જ્ઞાન સંબંધી વચન કહ્યું, તેનાથી મારો આ મોહ ટળી ગયો. ।।૧૧- ૧।।
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥११- २॥
કેમ કે - હે કમળનયન પ્રભો ! મેં આપના થકી ભૂત-પ્રાણીમાત્રની ઉત્ત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે, તથા આપનો અખંડ અવિનાશી મહિમા પણ સાંભળ્યો છે. ।।૧૧- ૨।।
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।
द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥११- ३॥
હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો, એ બરોબર એમ જ છે. પરંતુ હે પુરૂષોત્તમ ! આપનું એ સકળ ઐશ્વર્ય સંપન્ન ઐશ્વર્યરૂપ હું સાક્ષાત્ નેત્રોથી જોવા ઇચ્છુ છું. ।।૧૧- ૩।।
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।
योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥११- ४॥
હે પ્રભો ! જો મારાથી તે આપનું રૂપ દેખવાને શક્ય છે, એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર ! મને આપ આપના એ અવિનાશી સ્વરૂપનાં દર્શન કરાવો. ।।૧૧- ૪।।
श्रीभगवानुवाच
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥११- ५॥
શ્રી ભગવાન કહે છે =
હે પાર્થ ! મારાં સોએ સો અને હજારો હજાર નાના પ્રકારનાં અનેક વર્ણનવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિકરૂપોને તું જો ! ।।૧૧- ૫।।
पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥११- ६॥
હે ભરતકુળોત્પન્ન- અર્જુન ! મારામાં રહેલા બાર આદિત્યો, આઠ વસુઓ, અગીયાર રૂદ્રો, બે અશ્વિનીકુમારો, તથા ઓગણપચાસ મરૂતોને જો ! તેમ જ પૂર્વે કદી નહિ જોએલાં એવાં ઘણાંક આશ્ચર્યકારી રૂપોને પણ જો ! ।।૧૧- ૬।।
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥११- ७॥
હે ગુડાકેશ ! હમણાં આ મારાં શરીરમાં એકભાગમાં રહેલું સચરાચર સઘળું વિશ્વ જો ! તેમજ-તું જે કાંઇ બીજું જોવા ઇચ્છતો હોય તે પણ જો ! ।।૧૧- ૭।।
न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११- ८॥
પણ મને તું આ તારા પ્રાકૃત-માયિક ચક્ષુથી તો જોવા સમર્થ નહિ જ થાય. માટે હું તને દિવ્ય ચક્ષુ આપુછું. એનાંથી તું મારૂં ઇશ્વરભાવને જણાવનારૂં યોગ સામર્થ્ય જો ! ।।૧૧- ૮।।
संजय उवाच
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥११- ९॥
સંજય કહે છે =
હે રાજન્ ! મહાયોગેશ્વર અને સ્મરણ માત્રથી પાપને હણનારા ભગવાન શ્રીહરિએ આપ્રમાણે કહીને તુરતજ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૧૧- ૯।।
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥११- १०॥
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।
सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११- ११॥
અનેક મુખ અને અનેક નેત્રોએ યુક્ત, અનેક અદ્ભુત- આશ્ચર્યકારી દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોએ યુક્ત, અને અનેક ઉગામેલાં દિવ્ય આયુધો ધારી રહેલું. દિવ્ય પુષ્પમાળાઓ અને વસ્ત્રો ધારણ કરી રહેલું, દિવ્ય ગંધનું બધે શરીરે જેને લેપન કરેલું છે. સર્વ આશ્ચર્યોથી પૂર્ણ, ચોતરફ સીમાએ રહિત, સર્વ બાજુએ મુખવાળું એવું વિરાટરૂપ ભગવાને અર્જુનને બતાવ્યું. ।।૧૧- ૧૦-૧૧।।
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥११- १२॥
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।
अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥११- १३॥
આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઉદય પામ્યા હોય અને તેનો જેવો પ્રકાશ થાય, તે પ્રકાશ પણ મહાત્મા-વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશને તુલ્ય કદાચિત્ થાય કે ન પણ થાય. પાંડુપુત્ર અર્જુનને તે સમયમાં અનેક પ્રકારે ભિન્નભિન્ન રહેલું સઘળું જગત્ દેવોના પણ દેવ ભગવાન શ્રીકૃષ્ણના એ શરીરમાં એકભાગમાં રહેલું દીઠું. ।।૧૧- ૧૨-૧૩।।
ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।
प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥११- १४॥
અને તે પછી આવાં ઐશ્વર્યથી ચકીત અને રોમાંચ શરીરવાળો અર્જુન પ્રકાશમય વિશ્વરૂપ શ્રીકૃષ્ણ પરમાત્માને શ્રધ્ધા-ભક્તિ પૂર્વક મસ્તકથી નમસ્કાર કરી હાથ જોડીને કહેવા લાગ્યો. ।।૧૧- ૧૪।।
अर्जुन उवाच
पश्यामि देवांस्तव देव देहे
सर्वांस्तथा भूतविशेषसंघान् ।
ब्रह्माणमीशं कमलासनस्थ-
मृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥११- १५॥
અર્જુન કહે છે =
હે પ્રકાશ મૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને, તથા અનેક ભૂતોના સમુદાયોને, તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને, તથા શંકરને, તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું દેખું છું. ।।૧૧- ૧૫।।
अनेकबाहूदरवक्त्रनेत्रं
पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।
नान्तं न मध्यं न पुनस्तवादिं
पश्यामि विश्वेश्वर विश्वरूप ॥११- १६॥
હે વિશ્વના સ્વામી સમર્થદેવ ! હું આપને અનેક ભુજા, ઉદર, મુખ અને નેત્રોવાળા તથા સર્વબાજુએ અનંતરૂપે દેખાતા જોઉં છું. હે વિશ્વરૂપ ! હું આપનો નથી અંત છેડો દેખતો, કે નથી મધ્ય દેખતો, તેમજ આપનો આદિ ભાગ પણ હું નથી દેખતો. ।।૧૧- ૧૬।।
किरीटिनं गदिनं चक्रिणं च
तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ता-
द्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥११- १७॥
હું આપને મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા તથા સર્વથા તેજના સમૂહરૂપ અને સર્વ બાજુએથી મહા કાન્તિમાન, તથા બળતો અગ્નિ અને સૂર્યને સમાન પ્રકાશમય અને સર્વ બાજુએથી અમાપ સ્વરૂપ અને સામું પણ ન જોઇ શકાય એવા દુર્નિરીક્ષ્યરૂપ આપને દેખું છું. ।।૧૧- ૧૭।।
त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ॥११- १८॥
આપજ જાણવા યોગ્ય- જ્ઞેયસ્વરૂપ પરમ અક્ષર છો. આપજ આ સકળ વિશ્વના પરમ નિધાન-આશ્રય છો. શાશ્વત-સનાતન ધર્મના રક્ષક આપ જ છો. તથા અવ્યય સ્વરૂપ સનાતન પુરૂષ-પરમાત્મા આપ જ છો. એમ મારો મત-અભિપ્રાય છે. ।।૧૧- ૧૮।।
अनादिमध्यान्तमनन्तवीर्य-
मनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।
पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं
स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥११- १९॥
આપને આદિ, મધ્ય અને અન્તે વર્જીત, અનન્ત વીર્ય-પરાક્રમવાળા, અનન્ત ભુજાઓવાળા, ચન્દ્ર-સૂર્યરૂપ નેત્રોવાળા, પ્રજવલિત જવાળાઓવાળો અગ્નિ જેના મુખમાં રહેલો છે. અને પોતાના તેજથી આ સઘળા વિશ્વને તપાવતા એવા હું જોઉં છું. ।।૧૧- ૧૯।।
द्यावापृथिव्योरिदमन्तरं हि
व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।
दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं
लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥११- २०॥
હે મહાત્મન્ ! સ્વર્ગ લોક અને આ પૃથ્વી લોક એ બેનો વચલો લઘળો આકાશનો ભાગ તથા સર્વ દિશાઓ તમો એકલાથી જ વ્યાપ્ત-પૂર્ણ છે. અને આ આપનું આશ્ચર્યકારી અને ઉગ્ર-ભયંકર રૂપ જોઇને સઘળી ત્રિલોકી અતિશય વ્યથા પામી ગઇ છે. ।।૧૧- ૨૦।।
अमी हि त्वां सुरसंघा विशन्ति
केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः
स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥११- २१॥
આ સઘળા દેવતાઓના સમૂહો આપના પ્રત્યે જ પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક ભયભીત થઇને હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. તેમજ મહર્ષિઓ અને સિદ્ધોના સમૂહો ‘‘કલ્યાણ હો’’ એમ કહીને ઘણાં ઉત્તમ સ્તુતિવચનરૂપ સ્તોત્રોથી આપની સ્તુતિ કરે છે. ।।૧૧- ૨૧।।
रुद्रादित्या वसवो ये च साध्या
विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिद्धसंघा
वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥११- २२॥
અગીયાર રૂદ્રો, બાર આદિત્યો, આઠ વસુઓ, સાધ્ય દેવો, વિશ્વ દેવો, અશ્વિની કુમારો, મરૂત્-વાયુગણો તથા પિતૃગણો, તેમજ ગન્ધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોના સમૂહો, આ સર્વે વિસ્મિત-ચકિત થઇને ભયપૂર્વક આપને જોઇ રહ્યા છે. ।।૧૧- ૨૨।।
रूपं महत्ते बहुवक्त्रनेत्रं
महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं
दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥११- २३॥
હે મહાબાહો ! આપનું બહુ મુખ અને બહુ નેત્રોવાળું,ઘણાક બાહુઓ, સાથળો અને પગોવાળું, બહુ ઉદરવાળું, બહુ દાઢોથી ભયંકર લાગતું, એવું આ મોટું રૂપ- આકૃતિ જોઇને સઘળા લોકો વ્યાકુળ થઇ ગયા છે. અને હું પણ વ્યાકુળ થઇ ગયો છું. ।।૧૧- ૨૩।।
नभःस्पृशं दीप्तमनेकवर्णं
व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा
धृतिं न विन्दामि शमं च विष्णो ॥११- २४॥
કારણ કે-હે વિષ્ણો ! આકાશને અડી રહેલા, દેદીપ્યમાન-પ્રકાશમય, અનેક વર્ણ-રંગવાળા, ફાટું મુખ અને પ્રજ્વલિત વિશાળ નેત્રોવાળા એવા આપને જોઇને અતિ વ્યથા પામેલો ભયભીત અન્તઃકરણવાળો હું ધીરજ નથી પામતો, તેમ મને શાન્તિ પણ નથી થતી. ।।૧૧- ૨૪।।
दंष्ट्राकरालानि च ते मुखानि
दृष्ट्वैव कालानलसन्निभानि ।
दिशो न जाने न लभे च शर्म
प्रसीद देवेश जगन्निवास ॥११- २५॥
આપનાં દાઢોને લીધે ભયંકર લાગતાં અને પ્રલય કાળના અગ્નિ સમાન પ્રજવલિત મુખો જોઇને હું દિશાઓ પણ જાણતો નથી, તેમ મને સુખ પણ થતું નથી. માટે હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૧૧- ૨૫।।
अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपालसंघैः ।
भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ
सहास्मदीयैरपि योधमुख्यैः ॥११- २६॥
वक्त्राणि ते त्वरमाणा विशन्ति
दंष्ट्राकरालानि भयानकानि ।
केचिद्विलग्ना दशनान्तरेषु
संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥११- २७॥
આ સઘળા ધૃતરાષ્ટ્રના છોકરાઓ સર્વ અવનિપાળોએ સહિત આપનામાં પ્રવેશ કરી રહ્યા છે, આ ભીષ્મ-પિતામહ, દ્રોણાચાર્ય, અને આ સૂતપુત્ર-કર્ણ, તથા અમારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓએ સહિત બહુ કોઇ અતિ ત્વરાપૂર્વક વિકરાળ દાઢોને લીધે અતિ ભયાનક આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક તો ભાંગી ગયેલાં મસ્તકોએ સહિત આપના દાંતોના અન્તરાળ ભાગમાં વળગી રહેલા દેખાય છે. ।।૧૧- ૨૬-૨૭।।
यथा नदीनां बहवोऽम्बुवेगाः
समुद्रमेवाभिमुखा द्रवन्ति ।
तथा तवामी नरलोकवीरा
विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥११- २८॥
જેમ નદીઓના ઘણાક જળના પ્રવાહો સ્વાભાવિકપણે સમુદ્ર તરફજ વેગપૂર્વક દોડે છે. એટલે કે સમુદ્રમાંજ જેમ પ્રવેશ કરે છે. તેમ જ આ સઘળા નર લોકના વીરો પણ આપનાં અતિ પ્રજવલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. ।।૧૧- ૨૮।।
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा
विशन्ति नाशाय समृद्धवेगाः ।
तथैव नाशाय विशन्ति लोका-
स्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥११- २९॥
જેમ બળતા અગ્નિ પ્રત્યે પતંગીઆઓ આંધળા થઇને પોતાના નાશ માટે અતિ વેગથી દોડતા થકા પ્રવેશ કરે છે. તે જ પ્રમાણે આ સઘળા લોક પણ પોતાના નાશને માટેજ આપના મુખોમાં અતિ વેગપૂર્વક દોડતા પ્રવેશ કરી રહ્યા છે. ।।૧૧- ૨૯।।
लेलिह्यसे ग्रसमानः समन्ता-
ल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।
तेजोभिरापूर्य जगत्समग्रं
भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥११- ३०॥
આપ આ સઘળા લોકોને પ્રજ્વલિત મુખોથી ગળી લેતા થકા ચોતરફથી ચાટી રહ્યા છો. હે વિષ્ણો ! આપની ઉગ્રકાન્તિઓ સમગ્ર જગત્ને પોતાના તેજથી ભરી કાઢીને અતિ તપાયમાન જણાય છે - તપી રહે છે. ।।૧૧- ૩૦।।
आख्याहि मे को भवानुग्ररूपो
नमोऽस्तु ते देववर प्रसीद ।
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं
न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥११- ३१॥
મને કહો ! કે આવા ઉગ્ર-ભયાનક રૂપવાળા આપ કોણ છો ? હે દેવવર ! આપને નમસ્કાર છે. આપ પ્રસન્ન થાઓ ! આદિપુરુષ આપને હું વિશેષપણે જાણવા ઇચ્છું છું. કેમ કે-આપની આ પ્રવૃતિ મારા સમઝાવામાં નથી આવતી. ।।૧૧- ૩૧।।
श्रीभगवानुवाच
कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो
लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥११- ३२॥
શ્રી ભગવાન કહે છે-
હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું. અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે સામા પક્ષની સેનાઓમાં રહેલા યોદ્ધાઓ છે. તે સઘળાય પણ એક તારા સિવાય નહી રહે. અર્થાત્ તું યુદ્ધ નહિ કરે તોય તે સર્વે જીવવાના નથી. મરવાના જ છે.।।૧૧- ૩૨।।
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व
जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।
मयैवैते निहताः पूर्वमेव
निमित्तमात्रं भव सव्यसाचिन् ॥११- ३३॥
માટે તું ઉઠ ! યશ પ્રાપ્તિ કરી લે ! અને શત્રુઓને જીતીને ધન ધાન્યાદિક સમૃદ્ધિથી સમૃદ્ધ રાજ્ય ભોગવ ! આ સર્વ શૂરવીર યોદ્ધાઓને મેં પ્રથમથીજ મારી દૃષ્ટિમાત્રથી મારી મૂકેલા છે. અને હે સવ્યસાચિન્ ! તું તો આ યુદ્ધમાં જય પામવામાં નિમિત્તમાત્રજ થા ! ।।૧૧- ૩૩।।
द्रोणं च भीष्मं च जयद्रथं च
कर्णं तथान्यानपि योधवीरान् ।
मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा
युध्यस्व जेतासि रणे सपत्नान् ॥११- ३४॥
દ્રોણાચાર્ય અને ભિષ્મપિતામહ, તથા જયદ્રથ અને કર્ણ, તથા બીજા પણ ઘણાક મારા દ્વારા હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું માર ! તું વ્યથા ન પામીશ, નિઃસંદેહ તું યુદ્ધ કર ! રથ સંગ્રામમાં શત્રુઓને તું જ જીતનારો છે. ।।૧૧- ૩૪।।
संजय उवाच
एतच्छ्रुत्वा वचनं केशवस्य
कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं
सगद्गदं भीतभीतः प्रणम्य ॥११- ३५॥
સંજય કહે છે-
કેશવ ભગવાનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઇ જઇને પ્રણામ કરીને ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યે ગદગદ વાણીથી કહેવા લાગ્યો ।।૧૧- ૩૫।।
अर्जुन उवाच
स्थाने हृषीकेश तव प्रकीर्त्या
जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति
सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥११- ३६॥
અર્જુન કહે છે =
હે અન્તર્યામિન્ ! આપનાં નામ અને ગુણ તથા પ્રભાવનું કીર્તન કરવાથી સઘણું જગત્ અતિ હર્ષિત થઇ રહ્યું છે. અને આપનામાં અતિ સ્નેહાતુર બની જાય છે. તેમજ ભયભીત થયેલા રાક્ષસગણો ચોતરફ દિશાઓમાં દોડી જાય છે. અને સર્વ સિદ્ધગણો નમસ્કાર કરી રહ્યા છે. ।।૧૧- ૩૬।।
कस्माच्च ते न नमेरन्महात्मन्
गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।
अनन्त देवेश जगन्निवास
त्वमक्षरं सदसत्तत्परं यत् ॥११- ३७॥
હે મહાત્મન્ સર્વથી મહાન્ અને બ્રહ્માના પણ આદિકર્તા એવા આપને કેમ તેઓ નમસ્કાર ન કરે ? કેમકે હે અનન્ત ! હે દેવેશ ! હે જગન્નિવાસ ! સત્-કાર્ય અને અસત્-કારણ એ બન્નેરૂપ આ સઘળું વિશ્વ અને તે સર્વથી પણ પર એવું જે અક્ષર તે પણ આપ જ છો. ।।૧૧- ૩૭।।
त्वमादिदेवः पुरुषः पुराण-
स्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्तासि वेद्यं च परं च धाम
त्वया ततं विश्वमनन्तरूप ॥११- ३८॥
આપ આદિદેવ અને પુરાણ-સનાતન પુરૂષ-પરમાત્મા છો. આપ જ આ વિશ્વના પરમ આધાર છો. જાણનારા છો. અને જાણવા યોગ્ય પરમધામ પણ આપ જ છો. હે અન્નતરૂપ ! આપે જ આ સઘળું વિશ્વ વ્યાપેલું છે. અર્થાત્ આપજ સર્વત્ર પરિપૂર્ણ છો. ।।૧૧- ૩૮।।
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः
प्रजापतिस्त्वं प्रपितामहश्च ।
नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥११- ३९॥
આપજ વાયુ, યમ, અગ્નિ, વરૂણ, ચન્દ્રમા, પ્રજાઓના સ્વામી બ્રહ્મા અને તેના પણ પિતા વૈરાજ છો. આપને હજારો વાર નમસ્કાર છે. નમસ્કાર છે. વળી આપને ફરીથી પણ વારંવાર નમસ્કાર કરૂં છું, નમસ્કાર કરૂં છું ।।૧૧- ૩૯।।
नमः पुरस्तादथ पृष्ठतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥११- ४०॥
હે અનન્ત-અપાર સામર્થ્યવાળા પ્રભો ! આપને આગળથી પણ નમસ્કાર છે. અને પાછળથી પણ નમસ્કાર છે. હે સર્વાત્મન્ ! આપને સર્વ બાજુઓથી નમસ્કાર છે. કારણ કે આપ તો અનન્ત-અમાપ પરાક્રમવાળા છો. અને સર્વમાં વ્યાપીને રહેલા છો. માટે આપ જ સર્વરૂપ છો. ।।૧૧- ૪૦।।
सखेति मत्वा प्रसभं यदुक्तं
हे कृष्ण हे यादव हे सखेति ।
अजानता महिमानं तवेदं
मया प्रमादात्प्रणयेन वापि ॥११- ४१॥
यच्चावहासार्थमसत्कृतोऽसि
विहारशय्यासनभोजनेषु ।
एकोऽथवाप्यच्युत तत्समक्षं
तत्क्षामये त्वामहमप्रमेयम् ॥११- ४२॥
આવો તમારો મહિમા નહિ જાણતાં મેં આપ મારા સખા છો એમ માનીને પ્રેમથી અથવા તો કયારેક પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખે ! એવા શબ્દો કહ્યા હોય, તેમજ હે અચ્યુત ! આપને મેં હાસ્ય-વિનોદ પ્રસંગે વિહાર, શય્યા, આસન અને ભોજન વિગેરેના પ્રસંગે, આપ એકલા હો ત્યારે અથવા આપના સખા વિગેરેના સમક્ષમાં પણ અપમાનિત કર્યા હોય, તે સઘળા અપરાધની અપાર મહિમાવાળા અપ્રમેયસ્વરૂપ આપની પાસે હું ક્ષમા માગું છું।। ૧૧- ૪૧-૪૨।।
पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो
लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥११- ४३॥
तस्मात्प्रणम्य प्रणिधाय कायं
प्रसादये त्वामहमीशमीड्यम् ।
पितेव पुत्रस्य सखेव सख्युः
प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥११- ४४॥
આપ આ સ્થાવર-જંગમાત્મક સકળ લોકના પિતા અને આસર્વ વિશ્વના પૂજ્ય ગુરૂ અને સર્વ તુલ્ય બીજો કોઇ નથી, તો પછી આપનાથી અધિક તો હોઇ જ કેમ શકે ? ।। તેથી હે પ્રભો ! આપના ચરણોમાં આ શરીરને અર્પણ કરીને પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય સકળ વિશ્વના સ્વામી આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરૂં છું - હે દેવ ! પિતા જેમ પુત્રનો, સખા જેમ સખાનો અને પ્રિય-પતિ જેમ પ્રિયા-પત્નીનો અપરાધ સહન કરે છે. એજ પ્રમાણે આપ મારો અપરાધ સહન કરવા યોગ્ય છો. ।।૧૧- ૪૩-૪૪।।
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा
भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रूपं
प्रसीद देवेश जगन्निवास ॥११- ४५॥
મેં પહેલાં નહિ દેખેલું આપનું આવું આશ્ચર્યમય રૂપ જોઇને હર્ષિત થયો છું. તેમજ વળી મારૂં મન ભયથી પણ વ્યાકુળ બની ગયું છે, માટે હે દેવ ! મને જે પ્રથમ હતું તે જ રૂપ બતાવો ! અને હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ ! ।।૧૧- ૪૫।।
किरीटिनं गदिनं चक्रहस्त-
मिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण चतुर्भुजेन
सहस्रबाहो भव विश्वमूर्ते ॥११- ४६॥
હું આપને મુકુટધારી, ગદાધારી અને ચક્ર હસ્તમાં જેમને છે, એવા દેખવા ઇચ્છું છું, માટે હે વિશ્વસ્વરૂપ ! હે સહસ્રબાહો ! આપ તે પ્રમાણેજ-તે ચર્તુભુજરૂપે જ થાઓ ! દર્શન આપો ! ।।૧૧- ૪૬।।
श्रीभगवानुवाच
मया प्रसन्नेन तवार्जुनेदं
रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥११- ४७॥
શ્રીભગવાન કહે =
છે હે અર્જુન અનુગ્રહપૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારૂં પરમ તેજોમય સર્વનું આદિભૂત અને સીમાએ રહિત વિરાટરૂપ તને બતાવ્યું છે. કે જે તારા સિવાય બીજા કોઇએ આથી પૂર્વે દેખ્યું નહોતું. ।।૧૧- ૪૭।।
न वेदयज्ञाध्ययनैर्न दानै-
र्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।
एवंरूपः शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥११- ४८॥
કુરૂકુળમાં શ્રેષ્ઠ હે અર્જુન ! મનુષ્ય લોકમાં આવા પ્રકારે વિશ્વરૂપે હું નહિ તો વેદોથી, કે નહિ યજ્ઞોથી, કે નહિ અધ્યયનો કરવાથી, તેમજ નહિ દાનોથી, કે નહિ ક્રિયાઓથી, અગર તો નહિ ઉગ્ર તપોથી પણ, તારા સિવાય બીજા કોઇએ દેખવામાં આવી શક્તો હોઉં. ।।૧૧- ૪૮।।
मा ते व्यथा मा च विमूढभावो
दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।
व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमिदं प्रपश्य ॥११- ४९॥
મારૂં આ આવું ઘોર-ભયાનક રૂપ જોઇને તને વ્યથા મા થાઓ ! અને વિમૂઢ ભાવ પણ મા થાઓ ! તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઇને ફરીથી મારૂં શંખ, ચક્ર, ગદા અને પદમ. તેણે યુક્ત ચતુર્ભુજ રૂપ સારી રીતે જો ! ।।૧૧- ૪૯।।
संजय उवाच
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रूपं दर्शयामास भूयः ।
आश्वासयामास च भीतमेनं
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥११- ५०॥
સંજય કહે છે =
વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે કહીને ફરીથી પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું. અને ફરીથી મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સૌમ્ય-અક્રોધ સુન્દરમૂર્તિ થઇને ભય પામેલા અર્જુનને આશ્વાસન કરીને ધીરજ આપી. ।।૧૧- ૫૦।।
अर्जुन उवाच
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥११- ५१॥
અર્જુન કહે છે-
હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાન્તિકર માનુષ રૂપ જોઇને હમણાં હું સ્થિરચિત્ત થયોછું. અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૧૧- ૫૧।।
श्रीभगवानुवाच
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥११- ५२॥
શ્રી ભગવાન કહે છે =
આ મારૂં જે વિશ્વ-વિરાટ્ રૂપ તેં દીઠું, તે રૂપનું દર્શન તો અતિશય દુર્લભ છે. બ્રહ્માદિક દેવો પણ આ રૂપનાં દર્શન નિરન્તર ઇચ્છયાજ કરે છે. ।।૧૧- ૫૨।।
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥११- ५३॥
જેવા પ્રકારથી તેં મને દેખ્યો. તેવી રીતે તો હું વેદોથી પણ નથી દેખવામાં આવતો. કે નથી તપથી દેખાતો, કે નથી દાનથી, કે નથી યજ્ઞથી પણ દેખવામાં શક્ય થતો. ।।૧૧- ૫૩।।
भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥११- ५४॥
પરન્તુ હે પરન્તપ અર્જુન ! મારામાં અનન્ય ભક્તિથી તો આવા પ્રકારે જાણવાને, દેખવાને સાક્ષાત્ કરવાને અને તત્ત્વે કરીને પ્વેશ કરવા મારી સાથે પરમ સામ્ય પામવા માટે પણ હું શક્ય થાઉં છું ।।૧૧- ૫૪।।
मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।
निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥११- ५५॥ હે પાંડવ ! જે પુરૂષ કેવળ મારે માટે જ સઘળાં કર્મ કરનારો
થાય છે. મારા પરાયણ વર્તે છે. મારામાં ભક્તિવાળો હોય છે. સંગ- આસક્તિ વિનાનો હોય છે. અને સર્વભૂત-પ્રાણીમાં વૈર ભાવે રહિત હોય છે. તે પુરૂષ મને પામે છે. ।।૧૧- ૫૫।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नामैकादशोऽध्यायः ॥ ११ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે વિશ્વરૂપદર્શનયોગો નામૈકાદશોઽધ્યાયઃ ।।૧૧।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૨
ॐ
श्रीपरमात्मने नमः
अथ द्वादशोऽध्यायः
अर्जुन उवाच
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१२- १॥
અર્જુન કહે છે =
જે અનન્ય ભક્તજન આ પૂર્વે કહ્યું એ પ્રકારે નિરન્તર આપના ભજન- નમાં સંલગ્ન રહીને આપની ઉપાસના કરે છે. અને જે બીજાઓ અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે. આ બે પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે ? ।।૧૨- ૧।।
श्रीभगवानुवाच
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥१२- २॥
શ્રીભગવાન કહે છે =
મારામાંજ મનને એકાગ્ર કરીને જે ભક્તજનો મારામાં જ નિત્યયુક્ત થઇને મારી ઉપાસના કરે છે. અને મારામાંજ જેઓ પરમ દૃઢ શ્રદ્ધાએ યુક્ત છે. તે જ મારા ભક્તોમાં અતિ યુક્ત-યોગ્યતાવાળા શ્રેષ્ઠ માનેલા છે. ।।૧૨- ૨।।
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।
सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥१२- ३॥
संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥१२- ४॥
અને જે જનો તો ઇન્દ્રિયોના સમૂહને રૂડે પ્રકારે વશમાં કરીને, નિર્દેશ ન કરી શકાય એવું અને તેથીજ અવ્યક્ત, એવા કૂટસ્થ, અચળ, અવિનાશી, અક્ષર-બ્રહ્મને ઉપાસે છે. અને સર્વત્ર સમ બુદ્ધિ રાખનારા છે. અને ભૂત-પ્રાણીમાત્રનું હિત કરવામાંજ રાચનારા છે. તો તેઓ પણ મનેજ પામે છે. ।।૧૨- ૩-૪।।
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥१२- ५॥
પરન્તુ-અવ્યક્ત અક્ષર-બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે અક્ષરના ઉપાસકોને અતિ અધિક કલેશ સહેવો પડે છે. અને દેહધારીઓએ આખરે દુ:ખપૂર્વકજ તે અવ્યક્ત ગતિ પ્રાપ્ત કરાય છે. ।।૧૨- ૫।।
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥१२- ६॥
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥१२- ७॥
પણ જે જનો તો મત્પરાયણ થઇને સર્વ કર્મ મારામાં જ સમર્પણ કરીને અનન્ય-એકાન્તિક ભક્તિયોગથી મારૂં જ ધ્યાન કરતાં મારી જ ઉપાસના કરે છે. તો હે પાર્થ ! એ મારામાંજ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોનો હું થોડાજ સમયમાં મૃત્યુરૂપ સંસાર-સાગરથી ઉદ્ધાર કરનારો થાઉં છું. ।।૧૨- ૬-૭।।
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥१२- ८॥
માટે તું મારામાંજ મન લગાવી દે ! મારામાં જ બુદ્ધિ પરોવી દે ! હવે પછી તું મારામાં જ નિવાસ પામીશ. આ વાતમાં કાંઇ સંશય ન કરીશ. ।।૧૨- ૮।।
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥१२- ९॥
અને જો તું મારામાં સ્થિર ચિત્ત રાખીને ઘણો સમય ધ્યાન કરવા સમર્થ ન થતો હોય, તો હે ધનંજય ! અભ્યાસ-યોગથી તું મને પામવાની ઇચ્છા રાખ ! ।।૧૨- ૯।।
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥१२- १०॥
એવો અભ્યાસ કરવામાં પણ તું અસમર્થ હોય તો કેવળ મારે માટેજ કર્મ કરવામાં પરાયણ થઇ જા ! મારે માટેજ કર્મ કરતાં કરતાં પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને પામીશ. ।।૧૨- ૧૦।।
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥१२- ११॥
હવે- મારી પ્રાપ્તિ માટે એ પણ કરવા તું અસમર્થ હોય તો મારા ભક્તિ-યોગને આશરીને મન-બુદ્ધિને કાબુમાં રાખીને પછી સર્વ કર્મના ફળનો ત્યાગ કર ! ।।૧૨- ૧૧।।
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२- १२॥
અભ્યાસ કરતાં જ્ઞાન ઘણું સારૂં છે. જ્ઞાન કરતાં ધ્યાન વિશેષ સારૂં છે. ધ્યાન કરતાંય કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કેમકે ત્યાગથી તુરતજ પછી શાન્તિ પ્રાપ્ત થાય છે. ।।૧૨- ૧૨।।
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१२- १३॥
संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१२- १४॥
સર્વ ભૂત-પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરૂણા રાખનારો, મમતાએ સહિત અને અહંકારે પણ રહિત, સુખ દુ:ખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય આપવારૂપ ક્ષમા રાખનારો, અને જે ભક્ત-યોગી સદાય સન્તોષી રહેતો હોય, મન ઇન્દ્રિયોને કાબુમા રાખનારો અને મારા સ્વરૂપના દૃઢ નિશ્ચયવાળો હોય, મારામાં મન આદિક ઇન્દ્રિયો અને બુદ્ધિને અર્પણ કરીને મારીજ ભક્તિ કરનારો જે મારો ભક્ત તેજ મને પ્રિય છે. ।।૧૨- ૧૩-૧૪।।
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः ।
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥१२- १५॥
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१२- १६॥
જેનાથી કોઇ પણ પ્રાણી ઉદ્વેગ ન પામે અને જે પોતે કોઇ પણ પ્રાણીથી ઉદ્વેગ ન પામે અને જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગાદિક વિકારોથી રહિત થઇને વર્તે તે ભક્ત મને પ્રિય છે. જે કોઇની અપેક્ષા નથી રાખતો, અંદર-બહાર શુદ્ધ રહે છે. ચતુર, પક્ષપાતે રહિત વર્તનારો અને દુ:ખાદિકની વ્યથા નહિ પામનારો, તેમજ સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે મારો ભક્ત તે જ મને પ્રિય-વ્હાલો છે. ।।૧૨- ૧૫-૧૬।।
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥१२- १७॥
જે કયારેય હર્ખાઇ જતો નથી અને કોઇનો દ્વેષ પણ કરતો નથી, જે કયારેય શોક નથી કરતો તેમ કશાની આકાંક્ષા નથી રાખતો, અને સારા-નરસાનો સર્વનો પરિત્યાગ કરીને મારામાં ભક્તિવાળો જે ભક્તજન તે મને બહુજ પ્રિય-વ્હાલો છે. ।।૧૨- ૧૭।।
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥१२- १८॥
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥१२- १९॥
જે શત્રુમાં અને મિત્રમાં તથા માન-અપમાનમાં પણ સમ વર્તે છે. શીત-ઉષ્ણાદિક તથા સુખ દુ:ખમાં પણ જે સમ વર્તે છે. તેમજ સર્વમાં સંગ-આસક્તિએ રહિત છે. જે નિંદા અને સ્તુતિને સમાન સમઝે છે. મનન કરવાના સ્વભાવવાળો છે, શરીરના નિર્વાહમાં જે કોઇ પદાર્થ મળી આવે તેનાથી જે સદાય સન્તોષી રહેનાર છે. એક જ સ્થાનમાં નિયત વાસ નહિ રાખનારો અને મારામાં સદાય સ્થિર બુદ્ધિ રાખનારો મારામાં ભક્તિમાન પુરૂષ મને બહુજ વ્હાલો છે. ।।૧૨- ૧૮-૧૯।।
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥१२- २०॥
હે અર્જુન ! જે પુરૂષો આ મારા ભક્તિ-યોગરૂપ ધર્મમય અમૃતનું મારા કહેવા પ્રમાણે વર્તીને પર્યુપાસન કરે છે. અને તેમાં શ્રદ્ધાયુક્ત થઇને મત્પરાયણજ વર્તે છે. તે મારા ભક્તો મને અતિશયજ પ્રિયવ્હાલામાં વ્હાલા છે. ।।૧૨- ૨૦।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ॥ १२ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામદ્વાદશોઽધ્યાયઃ ।।૧૨।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૩
ॐ
श्रीपरमात्मने नमः
अथ त्रयोदशोऽध्यायः
श्रीभगवानुवाच
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥१३- १॥
શ્રી ભગવાન કહે છે =
હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે. અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાની જનો કહે છે. ।।૧૩- ૧।।
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥१३- २॥
હે ભારત ! સર્વક્ષેત્ર-શરીરોમાં રહેલા ક્ષેત્રજ્ઞ-જીવાત્માને પણ ક્ષેત્રની પેઠેજ મને જ જાણ ! અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, એ બન્નેના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તેજ જ્ઞાન છે. એમ મેં માનેલું છે. ।।૧૩- ૨।।
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥१३- ३॥
તે ક્ષેત્ર-શરીર, જે છે. જેવું છે. જેવા વિકારવાળું છે. તથા જેના થકી જે થયેલું છે. તથા ક્ષેત્રજ્ઞ-જીવાત્મા જે છે. અને જેવા પ્રભાવવાળો છે. તે સઘળું સંક્ષેપથી મારા થકી સાંભળ ! ।।૧૩- ૩।।
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥१३- ४॥
આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ સ્વભાવ વિગેરે ઋષિઓએ બહુ પ્રકારે નાના પ્રકારના વેદમંત્રોથી જુદુ જુદુ કહેવામાં આવ્યું છે. તેમજહેતુવાદ પૂર્વકનાં નિશ્ચિત અર્થવાળાં બ્રહ્મસૂત્રોનાં વાક્યોથી પણ કહેવામાં આવ્યું છે. ।।૧૩- ૪।।
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥१३- ५॥
इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः ।
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥१३- ६॥
પંચ મહાભૂત, અહંકાર, અને અવ્યક્ત-પ્રકૃતિ, મહત્તત્ત્વ, તથા દશ ઇન્દ્રિયો, એક મન અને શબ્દાદિક પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો. તેમજ ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પંચભૂતના સમૂહરૂપ સ્થૂળ પિંડ, ચેતન જીવાત્માને ધારણ કરવું, અથવા ચેતના-બુદ્ધિ અને ધારણ અથવા ધૈર્ય, આ સંક્ષેપથી વિકારોએ યુક્ત ક્ષેત્રનું સ્વરૂપ કહેલું છે. ।।૧૩- ૫-૬।।
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥१३- ७॥
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च ।
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥१३- ८॥
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥१३- ९॥
હવે-પાંચ શ્લોકથી જ્ઞાનનું લક્ષણ કહે છે - નિર્માન ભાવે વર્તવું, દંભે રહિત વર્તન રાખવું, અહિંસા, ક્ષમા રાખવી, મન અને વાણીથી સરલ વર્તવું, શ્રદ્ધા પૂર્વક ગુરૂની સેવા કરવી, અંદર અને બહારની શુદ્ધિ રાખવી, સ્વધર્માદિક આચરવામાં મનની સ્થિરતા રાખવી, અને મન-ઇન્દ્રિયોનો વિશેષપણે નિગ્રહ કરવો. ।।
ઇન્દ્રિયોથી ભોગવાતા શબ્દાદિક વિષયોમાં રાગે રહિત વર્તવું, કોઇ પ્રકારનો અહંકાર ન રાખવો, આ સંસારમાં અનુભવાતા જન્મ, મૃત્યું, જરા, વ્યાધિ, વિગેરે વિકારોમાં રહેલાં દુ:ખ અને દોષોનું વારંવાર આલોચન રાખવું. ।।
પુત્ર, દારા અને દેહ-ગેહાદિક વસ્તુઓમાં આસક્તિ ન રાખવી, તેમજ તેમાં અતિ મમતાથી બંધાઇ જવું નહિ, સારા-નરસા સંજોગો પ્રાપ્ત થાય ત્યારે તેમાં સદાય સમચિત્તપણું રાખવું ।।૧૩- ૭-૯।।
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥१३- १०॥
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥१३- ११॥
મારામાં અનન્ય યોગથી આવ્યભિચારિણી નિશ્ચળ ભક્તિ રાખવી. તથા એકાન્ત અને શુદ્ધ શાન્ત પ્રદેશમાં રહેવાની રૂચિ અનેવિષયી જનસમુદાયમાં પ્રીતિ ન રાખવી. ।।
આત્મસ્વરૂપના અનુસન્ધાનપૂર્વક પરમાત્મસ્વરૂપમાં નિત્યિ નરન્તર સ્થિતિ રાખવી અને તત્ત્વજ્ઞાનરૂપ અર્થનું દર્શન-સાક્ષાત્કાર કરવો. આ સઘળું જ્ઞાન એમ કહેલું છે. અને આનાથી જે વિપરીત તે અજ્ઞાન જાણવું. ।।૧૩- ૧૦-૧૧।।
ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।
अनादि मत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥१३- १२॥
જે જાણવા યોગ્ય છે. અને જેને જાણીને અમૃતરૂપ-મુક્તિને પામે છે. તે હું તને સારી રીતે કહું છું. તે અનાદિ-આદિરહિત છે. હુંજ જેને પર-પ્રધાન છું એવું બ્રહ્મ છે. અને તે બ્રહ્મ સત્ એમ પણ નથી કહેવાતું, તેમ અસત્ એમ પણ નથી કહેવાતું. ।।૧૩- ૧૨।।
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१३- १३॥
તે બ્રહ્મ સર્વ બાજુએ હાથ-પગવાળું છે. સર્વ બાજુએ નેત્ર, મસ્તક અને મુખવાળું છે. સર્વ બાજુએ કાનવાળું છે. કેમકે લોકમાં સર્વને આવરીને-વ્યાપીને રહેછે. ।।૧૩- ૧૩।।
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥१३- १४॥
સર્વની ઇન્દ્રિયોના વિષયોનો પ્રકાશ કરનારૂં છે. અને પોતે સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. પોતે અસક્ત-નિર્લેપ છે. અને સર્વનું ધારણ- પોષણ કરનારૂં છે. પોતે માયિક ગુણોથી રહિત માટે નિર્ગુણ છે. અને નિયન્તાપણે ગુણનું ભોગવનારૂં પણ છે. ।।૧૩- ૧૪।।
बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥१३- १५॥
ભૂત-પ્રાણીમાત્રની બહાર અને અંદર પણ પૂર્ણરૂપે છે. ચરઅચરરૂપે પણ એજ છે. અતિ સૂક્ષ્મ હોવાથી તે દુર્વિજ્ઞેય છે. અને દૂર રહેલું પણ એ છે. અને સમીપમાં પણ એજ છે. ।।૧૩- ૧૫।।
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥१३- १६॥
સ્વયં અવિભક્ત-વિભાગશૂન્ય હોવા છતાં પણ સર્વ ભૂતોમાં વિભક્ત જેવું જ રહેલું છે. પ્રાણીઓનું ભરણ-પોષણ કરનારૂં, ઉત્પન્ન કરીને વૃદ્ધિ પમાડનારૂં અને વળી પ્રલય વખતે સર્વને ગળી લેનારૂં છે. અર્થાત્ સંહાર કરનારૂં છે. એવું તે જાણવું. ।।૧૩- ૧૬।।
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥१३- १७॥
સર્વ પ્રકાશ કરનારાં તેજોને પણ તે પ્રકાશ આપનારૂં છે. માયાના તમ-અંધકારથી પર કહેલું છે. જ્ઞાનરૂપ છે. જાણવા યોગ્ય છે. જ્ઞાનથીજ ગમ્ય-પ્રાપ્ય છે. અને સર્વના હ્રદયમાં વસી રહ્યું છે. ।।૧૩- ૧૭।।
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥१३- १८॥
આ પ્રમાણે ક્ષેત્ર, તથા જ્ઞાન શુદ્ધ આત્મતત્ત્વરૂપ સંક્ષેપથી કહી બતાવ્યું, મારો બક્ત આ બરોબર સમઝીને મારા ભાવને-સાધર્મ્યરૂપ પરમ પદને પામે છે. ।।૧૩- ૧૮।।
प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥१३- १९॥
પ્રકૃતિ-માયા અને પુરૂષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમઝ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૩- ૧૯।।
कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥१३- २०॥
કાર્ય અને કારણના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ કહેવાય છે. અને સુખ દુ:ખના ભોક્તા પણામાં હેતુ પુરૂષ-જીવાત્મા કહેવાય છે. ।।૧૩- ૨૦।।
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥१३- २१॥
પુરૂષ-જીવાત્મા પ્રકૃતિમાં રહીનેજ પ્રકૃતિના ગુણો-વિષયોને ભોગવે છે. અને આ જીવાત્માને સારી-નરસી યોનિઓમાં જન્મ પ્રાપ્ત થવામાં પ્રકૃતિના ગુણનો સંગ જ કારણ છે. ।।૧૩- ૨૧।।
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥१३- २२॥
વળી - આ દેહમાં એક બીજો પુરૂષ પણ રહેલો છે. અને તે ઉપદ્રષ્ટા-સાક્ષીરૂપે છે. અનુમન્તા-અનુમતિ આપનારો-બુદ્ધિનો પ્રેરક સર્વજ્ઞ છે. ભર્તા-ભરણ પોષણ કરનારો છે. ભોક્તા-શરીરભૂત જીવદ્વારા એ પણ ભોક્તા છે. અને મહેશ્વર-સૌનો મોટો ઉપરિનિયામક છે. અને એને પરમાત્મા એમ પણ કહેવામાં આવે છે. ।।૧૩- ૨૨।।
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥१३- २३॥
આ પ્રમાણે પુરૂષને-પરમાત્માને અથવા જીવાત્માને તથા પ્રકૃતિ જે માયા તેને તેના ગુણોએ સહિત જે મનુષ્ય યથાર્થ જાણે છે. તે સર્વથા-હરકોઇ પ્રકારે વર્તતો હોય કે રહેતો હોય તો પણ તે ફરી જન્મ નથી પામતો. ।।૧૩- ૨૩।।
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे ॥१३- २४॥
કેટલાક ઉપાસકો એ પરમાત્માને શુદ્ધ મનથી સ્વસ્વરૂપમાંજ ધ્યાનદ્વારા દેખે છે. સાક્ષાત્ અનુભવે છે. બીજા સાંખ્ય યોગથી અને કેટલાક તો કર્મયોગથી પણ એને દેખે છે. ।।૧૩- ૨૪।।
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥१३- २५॥
બીજા કેટલાક આમ પૂરૂં નહિ સમજનારા તે તો બીજાઓ- તત્ત્વવેત્તા સત્પુરૂષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણપરાયણ વર્તનારા જનો પણ મૃત્યુપરમ્પરાથી ભરેલા આ સંસાર-સાગરને સર્વથા તરી જ જાય છે. ।।૧૩- ૨૫।।
यावत्संजायते किंचित्सत्त्वं स्थावरजङ्गमम् ।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥१३- २६॥
હે ભરતર્ષભ ! જેટલાં સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે. એ સઘળાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલાં તું જાણ ! ।।૧૩- ૨૬।।
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥१३- २७॥
સર્વ ભૂતોમાં-પ્રાણીમાત્રમાં અન્તર્યામીભાવે સમાનપણે રહેલા પરમેશ્વરને જે જુએ છે. તેમજ-નાશ પામવાના સ્વભાવવાળાં આ શરીરોમાં રહેલા અવિનાશી આત્માને, જેમજ મને જે જુએ છે. તે જ ખરૂં જુએ છે. ।।૧૩- ૨૭।।
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥१३- २८॥
અને સર્વત્ર સમપણે વસી રહેલા પરમેશ્વરને જોતો જે પુરૂષ કોઇ પણ આત્માને પોતે પોતાદ્વારા નાશ નથી કરતો તો તેવા વર્તનથી તે પરમ ગતિને પામે છે. ।।૧૩- ૨૮।।
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥१३- २९॥
અને વળી જે પુરૂષ સઘળાં કર્મ પ્રકૃતિથીજ-પ્રકૃતિદ્વારાજ કરાય છે એમ જુએ છે. અને તેથી આત્માને સાક્ષાત્ અકર્તા જે જુએ છે તે પુરૂષ બરોબર જુએ છે-સમઝે છે. ।।૧૩- ૨૯।।
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥१३- ३०॥
જ્યારે આ ભૂતોનો પૃથગ્ભાવ એકજ પરમાત્માને આધારે એ પરમાત્મામાંજ જુએ છે. અને તે પરમાત્મા થકી જ એ ભૂતોનો વિસ્તાર-સર્ગાદિક થતા જુએ છે. અથવા પ્રકૃતિમાંજ પૃથગ્ભાગ અને પ્રકૃતિથીજ સર્ગાદિક જુએ છે. ત્યારે એ બ્રહ્મ-આત્મસ્વરૂપને અથવા પરબ્રહ્મને પામે છે. ।।૧૩- ૩૦।।
अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥१३- ३१॥
હે કૌન્તેય ! આ અન્તર્યામી પરમાત્મા અનાદિ અને માયિક ગુણોથી રહિત-નિર્ગુણ હોવાથી અવિનાશી અને અક્ષર સ્વરૂપ છે. માટે શરીરમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે કરતાય નથી અને લેપાતાય નથી. ।।૧૩- ૩૧।।
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥१३- ३२॥
જેમ આકાશ સૂક્ષ્મતાને લીધે સર્વત્ર રહેવા છતાં લેપાતો નથી. તે જ પ્રમાણે પરમાત્મા સર્વત્ર દેહમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે તે આત્માઓનાં કર્મથી લેપાતા નથી. ।।૧૩- ૩૨।।
यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥१३- ३३॥
હે ભારત ! જેમ એકજ સૂર્ય આ સઘળા લોકને પ્રકાશિત કરે છે. તેજ પ્રમાણે ક્ષેત્રી-ક્ષેત્રજ્ઞ પરમાત્મા આ સઘળા ક્ષેત્રભૂત આત્મવર્ગને પ્રકાશિત કરે છે. ।।૧૩- ૩૩।।
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥१३- ३४॥
આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બન્નેના વાસ્તવિક ભેદને જ્ઞાનરૂપ નેત્રોથી જુએ છે. તેમજ ભૂત-પ્રાણીમાત્રનો પ્રકૃતિ થકી જ્ઞાનદ્વારા થતો મોક્ષ-મોક્ષનો ઉપાય તેને જે જાણે છે. તે પરમજ્ઞાની ભક્તજન પર-પરમાત્માને અથવા પરમ ધામને પામે છે. ।।૧૩- ૩૪।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः ॥ १३ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગો નામ ત્રયોદશોઽધ્યાયઃ।।૧૩।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૪
ॐ
श्रीपरमात्मने नमः
अथ चतुर्दशोऽध्यायः
श्रीभगवानुवाच
परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।
यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१४- १॥
શ્રી ભગવાન કહે છે =
સઘળાં જ્ઞાનોના મધ્યે અતિ ઉત્તમ મારૂં પરમ જ્ઞાન હું તને ફરીથી કહું છું. જે જ્ઞાનને જાણીને-સમઝીને સર્વ મુનિઓ આ સંસારમાંથી મુક્ત ભાવને પામીને પરમ સિદ્ધિ પામી ગયા છે. ।।૧૪- ૧।।
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥१४- २॥
આ જ્ઞાનને આશરીને મારા સાધર્મ્યરૂપ પરમ મુક્તિને પામેલા મુકતાત્માઓ સર્ગના આરંભમાં ઉત્પન્નેય થતા નથી અને પ્રલય વખતે કોઇ વ્યથા-વિકારને પણ પામતા નથી. ।।૧૪- ૨।।
मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
संभवः सर्वभूतानां ततो भवति भारत ॥१४- ३॥
सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥१४- ४॥
હે ભારત ! જગત્ના કારણભૂત મારી મહત્-બ્રહ્મરૂપ માયા તેમાં હું ચેતનસમુદાયરૂપ ગર્ભ ધારણ કરૂં છું-સ્થાપન કરૂં છું. અને તેમાંથી સર્વ ભૂત-પ્રાણીમાત્રની ઉત્પત્તિ થાય છે. હે કૌન્તેય ! નાના પ્રકારની સઘળી યોનિઓમાં જે જે શરીરધારી પ્રાણીઓની આકૃતિઓ ઉત્પન્ન થાય છે. તે સર્વની ગર્ભ ધારણ કરનારી માતાને સ્થાને મહત્ બ્રહ્મ માયા છે. અને તેમાં બીજ સ્થાપનારો પિતા હું છું. ।।૧૪- ૪।।
सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥१४- ५॥
હે મહાબાહો ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણ પ્રકૃતિ- માયામાંથી ઉત્પન્ન થયેલા છે. તે અવ્યય-વિકારશૂન્ય અક્ષરઅવિ નાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. ।।૧૪- ૫।।
तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥१४- ६॥
હે નિર્દોષ અર્જુન ! તે ત્રણ ગુણોમાં સત્ત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને નિર્વિકાર છે. તે આ જીવાત્માને સુખાસક્તિથી અને જ્ઞાનસક્તિથી બંધનમાં નાખે છે. ।।૧૪- ૬।।
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥१४- ७॥
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥१४- ८॥
હે કૌન્તેય ! રજોગુણ રાગરૂપ છે. અને તે તૃષ્ણા અને આસક્તિનું ઉત્પત્તિસ્થાન છે. એમ જાણ ! માટે તે દેહધારી જીવાત્માને કર્મમાં અને તેના ફળમાં આસક્તિથી દેહમાં બાંધે છે. સર્વ દેહધારીઓને મોહ ઉપજાવનારો તમોગુણ અજ્ઞાનથી થયેલો જાણ ! અને હે ભારત ! તેથી તે તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ્ય અને નિદ્રા-ખૂબ ઉંઘવું, એવા એવા દુર્ગુણોથી દેહમાં બાંધે છે. ।।૧૪- ૭-૮।।
सत्त्वं सुखे संजयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत ॥१४- ९॥
હે ભારત ! સત્ત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે. અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઇને પ્રમાદમાં પૂરેપૂરો નાખી દે છે. ।।૧૪- ૯।।
रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१४- १०॥
હે ભારત ! કયારેક રજોગુણ અને તમોગુણને દબાવીને સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે. તેમજ કયારેક સત્ત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધી જાય છે. અને કયારેક સત્ત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધી જાય છે. ।।૧૪- ૧૦।।
सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥१४- ११॥
જ્યારે આ દેહમાં ઇન્દ્રિયોરૂપ સર્વ દ્વારમાં અને અન્તઃકરણમાં પ્રકાશ-ચેતનતા અને જ્ઞાન ઉત્પન્ન થયેલું હોય ત્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો છે એમ જાણવું જોઇએ. ।।૧૪- ૧૧।।
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥१४- १२॥
હે ભરતર્ષભ ! જ્યારે રજોગુણ વૃદ્ધિ પામે છે. ત્યારે લોભ, પ્રવૃત્તિ અને કર્મોનો સકામ ભાવે આરંભ કરવો, અશાન્તિ અને વિષયભોગની લાલસા એ સઘળાં વધે છે. ।।૧૪- ૧૨।।
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥१४- १३॥
હે કુરૂનન્દન ! તમોગુણ જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે અન્તઃકરણમાં અને ઇન્દ્રિયોમાં અપ્રકાશ, કરવા યોગ્ય કર્મોમાં પણ અપ્રવૃત્તિ, તેમજ પ્રમાદ-અસાવધાનતા અને મોહ-નિદ્રા વિગેરે મોહિની વૃત્તિઓ, આ સઘળું ઉત્પન્ન થઇ આવે છે. ।।૧૪- ૧૩।।
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।
तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४- १४॥
જ્યારે સત્ત્વગુણ વૃદ્ધિ પામેલો હોય અને જો તે સમયમાં દેહધારી પ્રાણી પ્રલય-મૃત્યુ પામે છે. ત્યારે તો ઉત્તમ કર્મ કરનારા પુણ્યશાળી લોકોને પ્રાપ્યભૂત એવા નિર્મળ સ્વર્ગાદિક લોકોને પામે છે. ।।૧૪- ૧૪।।
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥१४- १५॥
રજોગુણ વૃદ્ધિ પામેલા સમયમાં મરણ પામીને મનુષ્ય કર્મમાં આસક્તિવાળા મનુષ્યોમાં જન્મ પામે છે. અને તમોગુણ વધેલા વખતમાં મરણ પામીને પશુપક્ષી આદિક મૂઢ યોનિમાં જન્મે છે. ।।૧૪- ૧૫।।
कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१४- १६॥
સુકૃત- સાત્ત્વિક કર્મનું ફળ તો જ્ઞાન-સુખ આદિક સાત્ત્વિકજ નિર્મળ ફળ કહેલું છે. રાજસ કર્મનું ફળ દુ:ખ દુ:ખમય છે. અને તામસ કર્મનું ફળ અજ્ઞાન-મોહ વિગેરે છે. ।।૧૪- ૧૬।।
सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१४- १७॥
સત્ત્વગુણ થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને રજોગુણ થકી તો નિશ્ચે લોભજ ઉત્પન્ન થાય છે. અને તમોગુણ થકી પ્રમાદ અને મોહ ઉપજે છે. તેમજ અજ્ઞાન પણ ઉપજે છે જ. ।।૧૪- ૧૭।।
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१४- १८॥
સત્ત્વગુણમાં રહેનારા પુરૂષો સ્વર્ગાદિક ઊંચા લોકોમાં જાય છે. રજોગુણમાં રહેનારા રાજસ પુરૂષો મધ્ય-માનવ લોકમાં રહે છે. અને તમોગુણના કાર્યરૂપ નિદ્રા પ્રમાદ અને આલસ્યાદિક હલકા દોષોમાં રહેનારા તામસ પુરૂષો પશુ આદિક નીચ યોનિઓમાં જાય છે. ।।૧૪- ૧૮।।
नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१४- १९॥
જ્યારે દ્રષ્ટા-જીવાત્મા ત્રણ ગુણો સિવાય બીજા કોઇને કર્તા નથી દેખતો-સમઝતો. અને ત્રણેય દુણોથી પર રહેલા પોતાના સ્વરૂપને તેમજ પરમાત્મસ્વરૂપને યથાર્થ સમઝે છે. ત્યારે તે પુરૂષ મારા સ્વરૂપને પામે છે. ।।૧૪- ૧૯।।
गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।
जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥१४- २०॥
દેહી-જીવાત્મા દેહના કારણભૂત એ ત્રણેય ગુણોને ઉલ્લંઘન કરીને ગુણાતીત થઇને જન્મ, મૃત્યું, જરા એ આદિક દુ:ખોથી વિમુક્ત થઇને અમૃતને-મોક્ષને પામે છે. ।।૧૪- ૨૦।।
अर्जुन उवाच
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥१४- २१॥
અર્જુન પૂછે છે =
આ ત્રણ ગુણોને અતિક્રમણ કરીને રહેલો પુરૂષ કયાં કયાં લક્ષણોથી ઓળખાય છે ? અને તે કેવા આચારવાળો હોય છે ? તેમજ હે પ્રભો ! એ ત્રણ ગુણોને એ કેવી રીતે અતિક્રમણ કરીને વર્તે છે ? ।।૧૪- ૨૧।।
श्रीभगवानुवाच
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥१४- २२॥
શ્રી ભગવાન કહે છે =
હે પાંડવ ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ એ સઘળાં ત્રણ ગુણનાં કર્મો પ્રવર્તેલાંને નથી દ્વેષ કરતો, કે નિવૃત્તિ પામેલાંને નથી આકાંક્ષા કરતો. ।।૧૪- ૨૨।।
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते ॥१४- २३॥
જે ઉદાસીનની માફક વર્તતો રહીને ગુણો જેને ચળાયમાન કરી શકતા નથી અને સઘળું ગુણો જ કરી રહ્યા છે એમ માનીને જે સ્વસ્વરૂપાનુસન્ધાન રાખીને પરમાત્મસ્વરૂપમાં સ્થિર વર્તે છે. તો તે પોતાની બ્રહ્મસ્થિતિ થકી કયારેય ચળાયમાન થતો નથી. ।।૧૪- ૨૩।।
समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥१४- २४॥
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।
सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥१४- २५॥
જે સુખ દુ:ખમાં સમ વર્તે છે. અખંડ સ્વસ્વરૂપમાં જ રહે છે. કચરો, પત્થર અને કાંચન એ સઘળું જેને સરખું જ છે. પ્રિયઅિપ્રયનો સંયોગ પણ જેને તુલ્ય જ ભાસે છે. સદાય ધીરજ રાખનારો છે. અને પોતાની નિંદા અને શ્લાઘા પણ જેને સરખીજ લાગે છે. જે માન-અપમાનમાં પણ સમાન રહે છે. મિત્રપક્ષમાં અને શત્રુપક્ષમાં પણ જે સમાન વર્તે છે અને સર્વ આરંભમાત્રનો પરિત્યાગ કરનારો જે છે. તે પુરૂષ ગુણાતીત એવા નામે કહેવાય છે. ।।૧૪- ૨૪-૨૫।।
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥१४- २६॥
હવે-ગુણાતીત થવાનો ઉપાય-પ્રકાર કહે છે વળી-જે મને અવ્યભિચારી-નિશ્ચળ ભક્તિયોગથી નિરન્તર સેવે છે-ભજે છે. તે પુરૂષ આ ત્રણેય ગુણોને ઉલ્લંઘન કરીને બ્રહ્મરૂપ થવાને માટે યોગ્ય બને છે. ।।૧૪- ૨૬।।
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥१४- २७॥
કારણ કે- અવિકારી અને અવિનાશી અમૃતસ્વરૂપ બ્રહ્મની પ્રતિષ્ઠા આશ્રય-આધાર હુંજ છું. તેમજ શાશ્વત-સનાતન એકાન્તિક ધર્મનો અને એકાન્તિક-આત્યન્તિક સુખ-આનન્દનો આશ્રય પણ હું જ છું. ।।૧૪- ૨૭।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ॥१४॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ગુણત્રયવિભાગયોગો નામ ચતુર્દશોઽધ્યાયઃ ।।૧૪।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૫
ॐ
श्रीपरमात्मने नमः
अथ पञ्चदशोऽध्यायः
श्रीभगवानुवाच
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥
શ્રી ભગવાન કહે છે =
આદિ-પુરૂષ પરમાત્મારૂપ ઉંચે મૂળ જેનું છે. નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે. એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવ્યય-અવિનાશી-નિત્ય કહેછે. અને વેદો જેનાં પાંદડાં છે. આવા સમૂળ સંસાર વૃક્ષને જે યથાર્થ સમઝે છે. તેજ વેદના તાત્પર્યને જાણનારો છે. ।।૧૫- ૧।।
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥
સત્ત્વાદિક ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપ સુન્દર પલ્લવ-કુંપળોવાળી એવી તે વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાઇ રહેલી છે. અને વળી મનુષ્ય લોકમાં કર્માનુસારે બન્ધાયેલાં અનેક વાસનાઓરૂપ મૂળો નીચે-ઉપર બધેય ફેલાઇ રહેલાં છે. ।।૧૫- ૨।।
न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥
ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥
આ સંસાર-વૃક્ષનું વર્ણન કર્યું તેવું રૂપ આ લોકમાં તો ઉપલબ્ધ થતુંજ નથી. તેમજ આનો અન્ત અને આદિ પણ ઉપલબ્ધ થતો નથી અને એની સમ્પ્રતિષ્ઠા-ખરે ખરી રીતે એ શેમાં રહ્યો છે. એ પણ સમઝાતું નથી. આવા અતિ જામી ગયેલાં ઊંડાં મૂળવાળા આ સંસારવૃક્ષને અનાસક્તિરૂપ દૃઢ શસ્ત્રથી છેદી નાખીને. તે પછી કે પદ-અવિચળ સ્થાન ખોળી કાઢવું જોઇએ. કે જે સ્થાનમાં ગયેલા મુક્તાત્માઓ ફરીથી સંસાર-મંડળમાં પાછા ફરતા નથી અને તે સર્વના આદિ પુરૂષ પરમાત્માનેજ હું શરણ પામું છું. કે જે પુરૂષ-પરમાત્મા થકી આ પુરાતન સંસારપ્રવૃત્તિ ચાલેલી છે. ।।૧૫- ૩-૪।।
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५- ५॥
તે અવિચળ પદ પામનારાઓનાં લક્ષણ કહે છે જેમ ના માન-મોહાદિક નષ્ટ થઇ ગયા હોય છે. જેમણે આસક્તિરૂપ દોષને સર્વથા જીતી લીધેલો હોય છે. આત્મજ્ઞાનમાં જે નિરન્તર દઢ સ્થિતિ પામેલા હોય છે. જેમની કામનાઓ સર્વાંશે નિવૃત્ત થયેલી હોય છે. અને સુખ દુ:ખાદિક નામનાં દ્વન્દ્વો થકી સર્વથા રહિત થયેલા હોય છે. આવા અમૂઢ-જ્ઞાની જનોજ તે અવ્યય-અક્ષર પદને પામે છે. ।।૧૫- ૫।।
न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५- ६॥
તે ધામને સૂર્ય પ્રકાશ કરી શકતો નથી, તેમજ ચન્દ્રમા કે અગ્નિ પણ પ્રકાશ કરી શક્તો નથી. અને જે સ્વયંપ્રકાશ ધામને પામીને પામનારા મુક્તાત્માઓ પાછા ફરતા નથી તે મારૂં પરમ-સર્વોત્કૃષ્ટ ધામ છે. ।।૧૫- ૬।।
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५- ७॥
આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલાં અને મન જેમાં છઠ્ઠું છે. એવાં પાંચેય ઇન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે-વશમાં રાખે છે. ।।૧૫- ૭।।
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५- ८॥
આ દેહનો સ્વામી-જીવાત્મા જે શરીરમાંથી નીકળે છે. તેમાંથી વાયુ પુષ્પાદિક સ્થાનમાંથી ગન્ધનેજ જેમ એમ આ મને સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને જે શરીરને પામે છે તેમાં તે મન-ઇન્દ્રિયોએ સહિત જાય છે. ।।૧૫- ૮।।
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५- ९॥
અને તે શરીરમાં આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ અને ત્વચા તથા રસના અને ઘ્રાણ, તેમજ મન, આટલાંનો આશ્રય લઇને શબ્દાદિક વિષયોનું સેવન-ઉપભોગ કરે છે. ।।૧૫- ૯।।
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५- १०॥
આ પ્રમાણે શરીરમાંથી નીકળતો, શરીરમાં રહેતો, વિષયોને ભોગવતો અને સત્ત્વાદિક ગુણોએ યુક્ત જણાતો આ જીવાત્મા તેને સર્વથા મૂઢ-અજ્ઞાની જનો નથી દેખતા, પણ જ્ઞાનરૂપ ચક્ષુ જેમનાં ખૂલી ગયેલાં છે તેવા જ્ઞાની જનો તો દેખે છે- અનુભવે છે. ।।૧૫- ૧૦।।
यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५- ११॥
યત્ન કરનારા યોગીજનો જ આ શરીરમાં રહેલા આત્માને જોઇ શકેછે, પણ જેમનાં અન્તઃકરણ અશુદ્ધ-મલીન છે તેવા અજ્ઞાની જનો તો યત્ન કરવા છતાં પણ એ આત્માને નથી દેખતા. ।।૧૫- ૧૧।।
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५- १२॥
સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે. તેમજ જે ચન્દ્રમંડળમાં તેજ છે, તથા અગ્નિમાં જે તેજ છે. તે તેજ મારૂં જ-મેં જ આપેલું છે એમ જાણ ! ।।૧૫- ૧૨।।
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५- १३॥
અને હુંજ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારા સામર્થ્યથી સર્વભૂતોને ધારણ કરૂ છું. તથા રસમય સ્વરૂપવાળા ચન્દ્રમારૂપે થઇને સર્વ ઔષધિઓનું હું જ પોષણ કરૂં છું અર્થાત્ પૃથ્વીમાં ધારણ શક્તિ અને ચન્દ્રમાં પોષક શક્તિ એ મારીજ છે. એમ તું સમઝ ! ।।૧૫- ૧૩।।
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५- १४॥
હું જ વૈશ્વાનર આગ્નિરૂપે થઇને પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણઅપાન વાયુએ યુક્ત થકો ભક્ષ્ય-ભોજ્યાદિક ચારેય પ્રકારના અન્નને પચવું છું. ।।૧૫- ૧૪।।
सर्वस्य चाहं हृदि संनिविष्टो
मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५- १५॥
હું જ સર્વ પ્રાણીઓના હ્રદયમાં અન્તર્યામી-અંદર રહીને નિયમન કરનારારૂપે રહેલો છું. સર્વ પ્રાણી-માત્રને સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મરણ, એ બધુંય કર્મફળપ્રદાતા એવા મારા થકીજ પ્રવર્તે છે. સર્વ વેદાદિક સચ્છાસ્ત્રોથી જાણવા-સમઝવા યોગ્ય હુંજ છું. અને વેદાન્તનો કરનારો અને વેદના રહસ્યને જાણનારો પણ હું જ છું. ।।૧૫- ૧૫।।
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१५- १६॥
(માટેજ વેદના રહસ્થાર્થ રૂપ તત્ત્વત્રયને નિરૂપણ કરતાં પોતેજ કહે છે-) આ લોકમાં બે પુરૂષ છે. એક ક્ષર અને બીજો અક્ષર. સર્વ ભૂત-પ્રાણીમાત્ર ક્ષર-બદ્ધ પુરૂષ જીવાત્મા છે. અને બીજો કૂટસ્થ શુદ્ધ નિર્વિકાર અક્ષર-મુક્ત પુરૂષ છે. એમ કહેવાય છે. ।।૧૫- ૧૬।।
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५- १७॥
અને ઉત્તમ પુરૂષ ભગવાન તો એ બન્નેથી જુદાજ છે. અને પરમાત્મા એવા નામે કહેલા છે. કે જે-ત્રણેય લોકમાં અન્તર્યામિભાવે પ્રવેશ કરીને તેને ધારણ કરે છે. અને સ્વરૂપથી જે નિર્વિકાર છે. અને તે સર્વના ઇશ્વર-સ્વામી એવા શ્રીનારાયણ છે. ।।૧૫- ૧૭।।
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५- १८॥
હે અર્જુન ! જે કારણથી હું ક્ષરથી-સર્વ પ્રાણીવર્ગથી સ્વભાવથી અતીત-ન્યારો છું અને શુદ્ધ બ્રહ્મ અક્ષર-મુક્ત કરતાંય હું સ્વરૂપ- સ્વભાવથી પણ અતિશય ઉત્તમ-સર્વોપરિ છું. માટે સકળ લોકમાં અને વેદોમાં પણ હું પુરૂષોત્તમ એવા મારા અસાધારણ નામથી પ્રસિદ્ધ છું. ।।૧૫- ૧૮।।
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५- १९॥
હે ભારત ! જે જ્ઞાની ભક્ત મને આ પ્રમાણે ચોખ્ખી રીતે સાક્ષાત્ પુરૂષોત્તમ જાણે છે. તે સર્વ વાતને તત્ત્વથી સમઝનારો છે. અને તે સર્વભાવથી-પ્રકારથી મનેજ ભજે છે-મારીજ ઉપાસના કરે છે. ।।૧૫- ૧૯।।
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५- २०॥
હે નિર્દોષ અર્જુન ! આ પ્રમાણે આ રહસ્ય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે. આ શાસ્ત્રને આ કહ્યું એમ સમઝીને માણસ બુદ્ધિમાન્-તત્ત્વવેત્તા થાય છે. અને કૃતાર્થ થઇ જાય છે. ।।૧૫- ૨૦।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५ ॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે પુરૂષોત્તમયોગો નામ પંચદશોઽધ્યાયઃ ।।૧૫।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૬
ॐ
श्रीपरमात्मने नमः
अथ षोडशोऽध्यायः
श्रीभगवानुवाच
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१६- १॥
શ્રી ભગવાન કહે છે =
સર્વથા નિર્ભય વર્તવું, અન્તઃકરણની સમ્પૂર્ણ વિશુદ્ધિ, જ્ઞાનપૂર્વક ભક્તિ-યોગમાં દૃઢ સ્થિતિ, સાત્ત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, યજ્ઞ, સ્વાધ્યાય પઠન-પાઠન, તથા ભગવન્નામ-કીર્તન વિગેરેનો અભ્યાસ, નિર્મળ તપ અને ઇન્દ્રિયો તથા અન્તઃકરણની સરલતા રાખવી. ।।૧૬- ૧।।
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥१६- २॥
મન, વાણી અને શરીરથી હિંસાએ રહિત વર્તવું, યથાર્થ પણ પ્રિય બોલવું, ક્રોધના નિમિત્તમાં પણ ક્રોધ ન કરવો, કર્મના ફળનો અને કર્તાપણાના અભિમાનનો ત્યાગ, શાન્તિ, ચાડીયાપણું ન કરવું, ભૂત-પ્રાણીમાત્ર ઉપર અકારણ દયા રાખવી, વિષયોમાં લોલુપતા ન રાખવી, કોમળતા રાખવી, નિન્દિત કામ કરવામાં લજ્જા રાખવી અને વ્યર્થ-નિષ્ફળ ચેષ્ટા ન કરવી. ।।૧૬- ૨।।
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥१६- ३॥
તેજ, ક્ષમા-પરાપરાધ સહન કરવાની શક્તિ, ધૈર્ય, શૌચ-પવિત્રતા, કોઇનો પણ દ્રોહ ન કરવાની વૃત્તિ, પોતાને વિષે પૂજ્યપણાના અભાવરૂપ નિરભિમાનિતા, હે ભારત ! આ સઘળા ગુણો દૈવી સમ્પદ્વાળાને હોય છે. ।।૧૬- ૩।।
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम् ॥१६- ४॥
હવે-આસુરી સંમ્પદ કહે છે-હે પાર્થ ! દંભ, મિથ્યા આડમ્બર, અભિમાન, તેમજ ક્રોધ અને કઠોરતા અને અજ્ઞાન પણ, આ બધા દુર્ગુણો આસુરી સમ્પદ્વાળા મનુષ્યોમાં હોય છે. ।।૧૬- ૪।।
दैवी संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः संपदं दैवीमभिजातोऽसि पाण्डव ॥१६- ५॥
દૈવી સંમ્પદ મુક્તિને માટે અને આસુરી સંમ્પદ બન્ધનને માટે માનેલી છે. માટે હે પાંડવ ! તું શોક ન કર ! કેમકે તું તો દૈવી સંમ્પદાએ યુક્ત ઉત્પન્ન થયેલો છે. ।।૧૬- ૫।।
द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥१६- ६॥
હે પાર્થ ! આ લોકમાં દૈવી-સમ્પદ્વાળો અને આસુરી-સમ્પદ્વાળો એવો બે પ્રકારનો ભૂતસર્ગ જોવામાં આવે છે. તેમાં દૈવી સર્ગ વિસ્તારપૂર્વક કહ્યો અને હવે આસુરી સર્ગ મારા થકી તું સાંભળ ! ।।૧૬- ૬।।
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥१६- ७॥
આસુર-સ્વભાવવાળા માણસો પ્રવૃત્તિ શું ? અને નિવૃત્તિ શું ? એ બન્નેને કાંઇ સમઝતાજ નથી. અને તેમનામાં શૌચ-પવિત્રતા નથી હોતી, તેમજ આચાર-ધર્મ પણ હોતો નથી. અને સત્ય પણ હોતું નથી. ।।૧૬- ૭।।
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥१६- ८॥
તે આસુર જનો તો આ જગત્ને પણ અસત્ય, આશ્રયરહિત અને અનીશ્વર નિયન્તા વિનાનું ન ધણીયતુ કહે છે. અને કેવળ ભોગ-વિલાસને માટેજ છે. અને પરસ્પર સ્ત્રી-પુરૂષના સંસર્ગથી ઉત્પન્ન થયા સિવાયનું બીજું શું છે ? એમ કહે છે. ।।૧૬- ૮।।
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥१६- ९॥
આવી નાસ્તિક તુચ્છ દૃષ્ટિને અવલંબીને નષ્ટપ્રાય આત્મા-મન અથવા સ્વભાવવાળા અને અતિ અલ્પ તુચ્છ બુદ્ધિવાળા, આવા સઘળા જગત્નું અહિત કરનારા ક્રૂરકર્મ મનુષ્યો જગતના વિનાશને માટે ઉગ્ર-ભયંકર કર્મ કરનારા થાય છે. ।।૧૬- ૯।।
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१६- १०॥ દંભ, અભિમાન અને મદે યુક્ત તે મનુષ્યો દુષ્પૂર કામનો આશ્રય કરીને અજ્ઞાનથી ખોટા દુરાગ્રહોને પકડીને અપવિત્ર આચરણ કરતા થકા સંસારમાં પ્રવર્તે છે. ।।૧૬- ૧૦।।
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः ।
कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥१६- ११॥
ઠેઠ મરણ સુધીની અતિ અપાર ચિન્તામાં ગરકાવ થયેલા અને કામ-વિષયોપભોગ કરવો એજ પ્રધાન જેમને છે. અને આટલુંજ એ ખરૂં છે એમ દૃઢ ઠરાવ કરી બેઠેલા હોય છે. ।।૧૬- ૧૧।।
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥१६- १२॥
સો એ સો આશાપાશોથી બન્ધાયેલા એ મનુષ્યો કામ ક્રોધ પરાયણ વર્તનારા હોવાથી વિષય-સુખ સંમ્પાદન કરવા માટે જ અન્યાયથી પણ દ્રવ્યનો સંચય કરવા માટે ઉદ્યમ કરે છે. ।।૧૬- ૧૨।।
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥१६- १३॥
આ આટલું આજ મેં મેળવ્યું. આટલો મનોરથ પૂરો થઇ જશે. આટલું દ્રવ્યાદિક સાધન તો છે. અને આટલું પણ ફરીથી પ્રાપ્ત થઇ જશે. ।।૧૬- ૧૩।।
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥१६- १४॥
આ શત્રુ મેં મારી નાખ્યો અને હવે બીજા શત્રુઓને પણ મારી નાખીશ. હું સમર્થ છું. હું ભોગ-વિલાસ ભોગવવાવાળો છું. સઘળી સિદ્ધિઓ મારા આધીનમાં છે. તેથી હું બળવાન અને સઘળી રીતે સુખી છું. ।।૧૬- ૧૪।।
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥१६- १५॥
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६- १६॥
મારે ધનસમ્પત્તિ પણ ખૂબ છે. અને ઘણા મોટા કુટુમ્બવાળો હું છું. મારા જેવો બીજો કોણ છે. ? હું યજ્ઞ કરીશ. દાન કરીશ. અને ખૂબ આનન્દ-મઝા કરીશ. આવા અજ્ઞાનથી મોહ પામી ગયેલા. ચિત્તમાં રહેલી અનેક ભ્રમણાઓથી ભ્રમિત થઇ ગયેલા. મોહજાળથી સમાવૃત-પૂર્ણ બન્ધન પામી ગયેલા. અને વિષય-ભોગમાં અત્યન્ત આસક્ત એવા આસુર જનો અતિ અપવિત્ર નરકમાં પડે છે. ।।૧૬- ૧૫-૧૬।।
आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१६- १७॥
તે પોતે પોતાનેજ શ્રેષ્ઠ માનનારા ઘમંડી લોક ધન, મન અને મદથી યુક્ત થઇને કેવળ નામ-માત્રના યજ્ઞોથી પાખંડ કરીને શાસ્ત્રવિધિ વિનાનું યજન-પૂજન કરે છે. ।।૧૬- ૧૭।।
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१६- १८॥
તે મનુષ્યો અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધાદિક વિકારોને વશ થઇને બીજાઓની નિંદા કરનારા અને પોતાના અને બીજાઓના દેહમાં રહેલા અન્તર્યામી મને-મારોજ દ્વેષ કરનારા થાય છે. ।।૧૬- ૧૮।।
तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ॥१६- १९॥
આ પ્રમાણે દ્વેષ કરનારા પાપી નઠારા નિર્દય નરાધમોને આ સંસારમાં આસુરી યોનિઓમાંજ વારંવાર હું નાખું છું. ।।૧૬- ૧૯।।
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥१६- २०॥
હે કૌન્તેય ! જન્મો-જન્મ આસુરી યોનિને પામેલા તે મૂઢ માણસો મને નહિ પામીનેજ પછી અધમ-અતિ નીચ ગતિને પામે છે. અર્થાત્ ઘોર નરકમાંજ પડે છે. ।।૧૬- ૨૦।।
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥१६- २१॥
કામ, ક્રોધ અને લોભ, એ આત્માનો વિનાશ-અધોગતિ કરનારા ત્રણ પ્રકારના નરકના દ્વારભૂત છે. માટેજ એ ત્રણેયનો ત્યાગ કરવો જોઇએ. ।।૧૬- ૨૧।।
एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥१६- २२॥
હે કૌન્તેય ! નરકના દ્વારરૂપ એ કામાદિક ત્રણેય વિકારોથી રહિત થયેલો પુરૂષ પોતાના કલ્યાણનો ઉપાય કરે છે. અને તે પછી પરમ-સર્વોત્કૃષ્ટ ગતિરૂપ મનેજ પામે છે. ।।૧૬- ૨૨।।
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः ।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥१६- २३॥
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥१६- २४॥
જે મનુષ્ય શાસ્ત્રપ્રતિપાદિત વિધિનો ત્યાગ કરીને પોતાની ઇચ્છા મુજબ આચરણ કરે છે તે નથી સિદ્ધિને પામી શકતો, કે નથી સુખને પામતો કે નથી જ પર ગતિને પણ પામતો. તે માટે તારે કાર્ય-અકાર્યની વ્યવસ્થાના નિર્ણયમાં શાસ્ત્રજ પ્રમાણ રૂપ છે. એમ જાણી-સમજીને આ લોકમાં શાસ્ત્રવિધાનથી કહેલું કર્મજ કરવાને તું યોગ્ય છે. ।।૧૬- ૨૩-૨૪।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसंपद्विभागयोगो नाम षोडशोऽध्यायः ॥१६॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ ।।૧૬।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૭
ॐ
श्रीपरमात्मने नमः
अथ सप्तदशोऽध्यायः
अर्जुन उवाच
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१७- १॥
અર્જુન પૂછે છે =
હે કૃષ્ણ ! જે શ્રદ્ધાયુક્ત મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને યજન-પૂજન કરે છે. તેમની નિષ્ઠા-સ્થિતિ, તે કેવા પ્રકારની છે ? સાત્ત્વિકી છે ? કે રાજસી છે ? કિંવા તામસી છે ? ।।૧૭- ૧।।
श्रीभगवानुवाच
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥१७- २॥
શ્રીભગવાન કહે છે-
દેહધારીઓને સાત્ત્વિકી, રાજસી અને તામસી એવી ત્રણ પ્રકારની શ્રદ્ધા સ્વાભાવિકીજ હોય છે. તે ત્રણ પ્રકારની શ્રદ્ધાને તું મારા થકી સાંભળ ! ।।૧૭- ૨।।
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥१७- ३॥
હે ભારત ! સર્વ મનુષ્યોને પોત-પોતાના અન્તઃકરણને અનુરૂપજ શ્રદ્ધા હોય છે. અને આ પુરૂષ-જીવાત્મા શ્રદ્ધામય-શ્રદ્ધાપ્રધાન છે. માટે જે પુરૂષ જેમાં-જેવી શ્રદ્ધાવાળો હોય છે. તો તે પોતે પણ તે રૂપજ છે. ।।૧૭- ૩।।
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥१७- ४॥
સાત્ત્વિક મનુષ્યો ઇન્દ્રાદિક દેવોને પૂજે છે. રાજસ મનુષ્યો યક્ષ અને રાક્ષસોને પૂજે છે. અને બીજા તામસી જનો તો પ્રેત અને ભૂતગણોને પૂજે છે. ।।૧૭- ૪।।
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः ॥१७- ५॥
कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥१७- ६॥
જે મનુષ્ય શાસ્ત્રવિધિએ રહિત એવું મનઃકલ્પિત ઘોર તપ તપે છે. અને દંભ તથા અહંકારે યુક્ત તેમજ કામનાઓ, રાગ-આસક્તિ અને શારીર બળના પણ અભિમાનવાળા હોઇને. શરીરમાં-શરીરરૂપે રહેલા ભૂમિ આદિક ભૂતસમુદાયને કૃશ કરતા દમન કરતા. અને મારા શરીરભૂત જીવાત્મામાં અન્તર્યામીરૂપે રહેલા એવા મને પણ દુભવતા થકા વર્તે છે. તેવા અજ્ઞાનીઓને તું આસુર નિશ્ચયવાળા જાણ ! ।।૧૭- ૫-૬।।
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः ।
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ॥१७- ७॥
આહાર પણ સર્વને પોત-પોતાની રૂચિ પ્રમાણે ત્રણ પ્રકારનો પ્રિય હોયછે. તેમજ યજ્ઞ, તપ અને દાન, તેના પણ ત્રણ-ત્રણ પ્રકાર છે. તેના ભેદ તું મારા થકી સાંભળ ! ।।૧૭- ૭।।
आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥१७- ८॥
આયુષ્ય, બુદ્ધિ, બળ,આરોગ્ય, સુખ અને પ્રીતિ, એ સર્વને વધારનારા, રસવાળા, ઘી વગેરે ચીકાશવાળા, બગડે નહિ એવા અને ખાંતાં પણ પ્રિય લાગે એવા આહાર-ભોજનના પદાર્થો સાત્ત્વિક પુરૂષોને પ્રિય છે. ।।૧૭- ૮।।
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः ।
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥१७- ९॥
કડવા, ખાટા, ખરા, બહુજ ગરમા-ગરમ, તીખા, લૂખા, દાહ કરનારા તેમજ દુ:ખ, શોક અને રોગને ઉત્પન્ન કરનારા આવા આહાર- ખાવાના પદાર્થો રાજસ માણસોને પ્રિય હોય છે. ।।૧૭- ૯।।
यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥१७- १०॥
રાંધ્યા પછી જેના ઉપર ઘણો વખત વીતી ગયો હોય. રસ વિનાનું, દુર્ગન્ધવાળું, વાસી અને ઉચ્છિષ્ટ તથા અપવિત્ર એવું જે ભોજન તે તામસ જનોને પ્રિય હોય છે. ।।૧૭- ૧૦।।
अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥१७- ११॥
શાસ્ત્રવિધિ પ્રમાણે કરવામાં આવતો અને કરવો જ જોઇએ એ આપણી ફરજ કર્તવ્ય છે, એમ મનમાં સમાધાન-નિશ્ચય કરીને ફળાનુસન્ધાન નહિ રાખનારા નિષ્કામ માણસોએ કરેલા યજ્ઞ તે સાત્ત્વિક યજ્ઞ છે. ।।૧૭- ૧૧।।
अभिसंधाय तु फलं दम्भार्थमपि चैव यत् ।
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ॥१७- १२॥
હે ભરતશ્રેષ્ઠ ! ફળનું અનુસન્ધાન રાખીને તો, તેમજ દંભને ખાલી મોટાઇને પોષવાને માટેજ જે યજ્ઞ કરવામાં આવે છે. તેને તું રાજસ યજ્ઞ જાણ ! ।।૧૭- ૧૨।।
विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥१७- १३॥
શાસ્ત્રવિધિ સિવાયનો, અન્નનું પણ દાન જેમાં ન હોય, મન્ત્રનું ઉચ્ચારણ કર્યા સિવાયનો, દક્ષિણાઓ પણ જેમાં ન અપાય અને જેમાં શ્રદ્ધા પણ ન હોય એવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. ।।૧૭- ૧૩।।
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१७- १४॥
દેવતા, બ્રાહ્મણ, ગુરૂ અને પ્રાજ્ઞ-સાધુજનો વિગેરેનું પૂજન કરવું, પવિત્રતા રાખવી, સરલતા, બ્રહ્મચર્ય અને અહિંસા, આ શરીરસંબંધી-શરીરસાધ્ય તપ કહેવાય છે. ।।૧૭- ૧૪।।
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१७- १५॥
કોઇને પણ ઉદ્વેગ નહિ કરનારૂં, સાંભળતાં પ્રિય લાગે અને હિત કરે, એવું જે સત્ય-યથાર્થ ભાષણ, સચ્છાસ્ત્રનું પઠન-પાઠન, તેમજ ભગવન્નામ-મંત્રાદિકના જપનો અભ્યાસ કરવો, એ વાંગ્મય-વાણીથી સિદ્ધ થતું તપ કહેવાય છે. ।।૧૭- ૧૫।।
मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१७- १६॥
મનની પ્રસન્નતા, સૌમ્યતા-શાન્તસ્વભાવતા, મૌન-ભગવત્સ્વરૂપમાં એકાગ્રતા, મનનો સર્વથા નિગ્રહ અને અન્તઃકરણની સમ્યક્શુદ્ધિ, આ સઘળું માનસ-મનઃસાધ્ય તપ કહેવામાં આવે છે. ।।૧૭- ૧૬।।
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः ।
अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ॥१७- १७॥
ફળની આકાંક્ષા નહિ રાખનારા અને ભગવત્સ્વરૂપમાં જોડાયેલા મનુષ્યોએ પરમ શ્રદ્ધાથી કરવામાં આવતું ઉપર બતાવેલું એ ત્રણેય પ્રકારનું તપ સાત્ત્વિક તપ કહેવાય છે. ।।૧૭ -૧૭।।
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् ।
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥१७- १८॥
સત્કાર માટે, મન-મરતબા માટે અને લોકમાં પૂજા થાય તે માટે અને તે પણ દંભથી જ કરવામાં આવતું આવું જે તપ આ લોકમાં કરવામાં આવે છે તે રાજસ તપ કહેવાય છે. અને તે ચળ-ક્ષણિક અને અસ્થિર બહુ લાંબો સમય ન નભે એવું હોય છે. ।।૧૭- ૧૮।।
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥१७- १९॥
મૂઢપણે દુરાગ્રહથી અને શરીરને તેમજ મનને પણ કલેશ પડે તેવું જે તપ કરાય છે તથા પરનો વિનાશ-ભુંડું કરવા માટે કરવામાં આવતું તપ તે તામસ તપ કહેવાય છે. ।।૧૭- ૧૯।।
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥१७- २०॥
દાન આપવું જ જોઇએ એમ ધારીને જે દાન દેશ, કાળ અને પાત્ર-સુપાત્ર જોઇને તેમાં જેના તરફથી ઉપકારૂપ બદલાની આશા પણ ન હોય એવાને આપવામાં આવતું જે દાન તે સાત્ત્વિક દાન કહેવાય છે. ।।૧૭- ૨૦।।
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥१७- २१॥
જે દાન તો પ્રત્યુપકાર થવાને માટે અથવા ફળનો ઉદેશ કલ્પીને કલેશપૂર્વક આપવામાં આવે છે. તે રાજસ દાન કહેવાય છે. ।।૧૭- ૨૧।।
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥१७- २२॥
સારા-નરસા દેશ કાળનો વિચાર કર્યા વિનાજ, અપાત્રોને, સત્કાર સિવાય, અથવા તિરસ્કાર કરીને જે દાન આપવામાં આવે છે. તે તામસ દાન કહેવાય છે. ।।૧૭- ૨૨।।
ॐतत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॥१७- २३॥
ॐ, तत् અને त् એમ ત્રણ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કહેલો છે. અને તેનાથીજ પૂર્વે-સૃષ્ટિના આરંભમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો રચેલા છે. ।।૧૭- ૨૩।।
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥१७- २४॥
માટે જ બ્રહ્મવાદી સત્પુરૂષોની વેદના વિધાનથી કહેલી યજ્ઞ, દાન અને તપ વિગેરે ક્રિયાઓ ‘‘ॐ’’ એવા ઉચ્ચારણ પૂર્વક જ પ્રવર્તે છે. ।।૧૭- ૨૪।।
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः ।
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥१७- २५॥
‘‘तत्’’ તે પરમેશ્વરજ આ સઘળું છે. એમ ધારીને ફળનું અનુસન્ધાન નહિ રાખતાં મોક્ષાર્થી જનોએ યજ્ઞ અને તપ વિગેરે ક્રિયાઓ તથા વિવિધ પ્રકારની દાન-ક્રિયાઓ કરવામાં આવે છે. ।।૧૭- ૨૫।।
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥१७- २६॥
‘‘सत्’’ એ શબ્દનો સારા સત્યભાવમાં તેમજ સાધુ-શ્રેષ્ઠભાવમાં પ્રયોગ કરાય છે. તેમજ હે પાર્થ ! પ્રશસ્ત-શ્રેષ્ઠ કર્મમાં પણ ‘‘सत्’’ શબ્દનો પ્રયોગ કરાય છે. ।।૧૭- ૨૬।।
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ॥१७- २७॥
તથા યજ્ઞમાં, તપમાં અને દાનમાં જે સ્થિતિ-સ્થિરતાપૂર્વક વર્તવું તે ‘‘सत्’’ એવા શબ્દથી કહેવાય છે. તેમજ તે યજ્ઞાદિક માટે કરવામાં આવતું કર્મ તે પણ ‘‘सत्’’ એવા શબ્દથીજ કહેવાય છે. ।।૧૭- ૨૭।।
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् ।
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥१७- २८॥
હે પાર્થ !શ્રદ્ધા વિનાનું હોમેલું, દાન આપેલું, તપ તપેલું અને બાકીનું પણ જે કાંઇ કરેલું કર્મ તે અસત્ એમ કહેવાય છે. અને તે કર્મનું ફળ મર્યા પછી તેમજ મર્યા પહેલાં આ લોકમાં પણ નથીજ મળતું. ।।૧૭- ૨૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः ॥१७॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે શ્રદ્ધાત્રય-વિભાગયોગો નામ સપ્તદશોઽધ્યાયઃ ।।૧૭।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાય - ૧૮
ॐ
श्रीपरमात्मने नमः
अथाष्टादशोऽध्यायः
अर्जुन उवाच
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥१८- १॥
અર્જુન પૂછે છે =
હે મહાબાહો ! હું સંન્યાસનું તત્ત્વ-યથાર્થ સ્વરૂપ જાણવા ઇચ્છું છું. અને હે હૃષીકેશ ! હે કેશિનિસૂદન ! ત્યાગનું તત્ત્વપણ સંન્યાસથી ભિન્નપણે જાણવા ઇચ્છું છું. ।।૧૮- ૧।।
श्रीभगवानुवाच
काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥१८- २॥
શ્રીભગવાન કહે છે =
કેટલાક કવિ-પંડિતો કામ્ય કર્મના ત્યાગનેજ સંન્યાસ જાણેછે. અને કેટલાક વિચક્ષણ જ્ઞાનીજનો સર્વ કર્મના ફળત્યાગને ત્યાગ એ પ્રમાણે કહે છે. ।।૧૮- ૨।।
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥१८- ३॥
કેટલાક સૂક્ષ્મ બુદ્ધિવાળા ડાહ્યા માણસો દોષવાળાં કર્મ ત્યાગ કરવાં એમ કહે છે. ત્યારે બીજાઓ કેટલાક એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપ એવાં એવાં કર્મ તો ન જ તજવાં. ।।૧૮- ૩।।
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः ॥१८- ४॥
હે ભરતસત્તમ ! તે ત્યાગના સમ્બન્ધમાં મારો નિશ્ચય સાંભળ હે પુરૂષવ્યાઘ્ર ! તે ત્યાગ તો ત્રણ પ્રકારનો વિગતવાર કહેલો છે. ।।૧૮- ૪।।
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥१८- ५॥
યજ્ઞ, દાન અને તપ, એવાં કર્મ તો તજવા લાયક નથી, માટે એ તો કરવાંજ. કેમકે યજ્ઞ, દાન અને તપ, એ તો બધાં સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યોને પણ પાવન કરનારાં જ છે. ।।૧૮- ૫।।
एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥१८- ६॥
અને આ સઘળાંય કર્મ પણ હે પાર્થ ! સંગ-આસક્તિ અને ફળની આશા પણ છોડી દઇને જ કરવાં. એમ મારો ઉત્તમ નિશ્ચિત મત-અભિપ્રાય છે.।।૧૮- ૬।।
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥१८- ७॥
નિયત -અવશ્ય પ્રાપ્ત કર્મનો તો ત્યાગ કરવો ઘટતો જ નથી. અને જો મોહથી-વિપરીત સમઝણથી તેનો પરિત્યાગ કરે છે. તો તે તામસ-અધોગતિ આપનારો ત્યાગ કહેલો છે. ।।૧૮- ૭।।
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥१८- ८॥
કર્મ તો દુ:ખરૂપ જ છે. એમ જાણીને શરીરકલેશના ભયથી જે કર્મનો ત્યાગ કરે છે. તે પુરૂષ એવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને નથી પામતો. એ ત્યાગનો કાંઇ અર્થ જ નથી. ।।૧૮- ૮।।
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥१८- ९॥
કર્મ કરવુંજ જોઇએ એમ સમઝીને હે અર્જુન ! જે નિયત કર્મ કર્યા કરે છે. અને તેમાં સંગ-આસક્તિ અને ફળ પણ છોડી દઇને કરે છે. તો તે સાત્ત્વિક ત્યાગ માનેલો છે. ।।૧૮- ૯।।
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१८- १०॥
સત્ત્વગુણે સમ્પન્ન, યથાર્થ સમઝણવાળો અને સંદેહ વિનાનો - નિઃસંશય, કર્મફળ ત્યાગ કરનારો પુરૂષ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો તેમ કુશળ કર્મમાં આસક્ત પણ થતો નથી. ।।૧૮- ૧૦।।
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥१८- ११॥
કારણ કે દેહધારીઓએ સર્વથા તો કર્મ છોડી શકાતાં જ નથી. માટે જે કર્મના ફળનો ત્યાગ કરે છે. એ જ ખરો ત્યાગી એમ કહેવાય છે. ।।૧૮- ૧૧।।
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥१८- १२॥
કર્મફળનો ત્યાગ નહિ કરનારાઓને અપ્રિય, પ્રિય, અને પ્રિયઅિપ્રય-મિશ્ર, એવાં ત્રણ પ્રકારનાં ફળ મરીને ભોગવવાં પડે છે. પરન્તું જે કર્મફળનો ત્યાગ કરનારા છે. તેમને તો કયારેય એવું ફળ ભોગવવાનું હોતું જ નથી. ।।૧૮- ૧૨।।
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१८- १३॥
હે મહાબાહો ! હવે સધળા કર્મની સિદ્ધિને માટે આ પાંચ કારણો કર્મનો અન્ત લાવવાની યુક્તિ શીખવનારા સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે, તેને મારા થકી તું સમઝ. ।।૧૮- ૧૩।।
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१८- १४॥
અધિષ્ઠાન-શરીરરૂપ સ્થાન, કર્તા-જીવાત્મા, જુદા જુદા પ્રકારનાં કરણ-મન અને ઇન્દ્રિયો, અનેક પ્રકારની ચેષ્ટા-વ્યાપાર અને એમાં પાંચમુ દૈવ-ફળદાતા ભગવાન. ।।૧૮- ૧૪।।
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥१८- १५॥
માણસ શરીર, વાણી અને મનથી જે કંઇ સારૂં કે ખોટું કર્મ આરંભે છે. તેમાં આ અધિષ્ઠાનાદિક પાંચ હેતુઓ-કારણો છે. ।।૧૮- ૧૫।।
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥१८- १६॥
તેમાં આમ સ્પષ્ટ હોવા છતાં જે અશિક્ષિત બુદ્ધિવાળો હોવાથી દુર્મતિ માણસ કેવળ એકલા જીવાત્માનેજ કર્તા જુએ છે-માને છે. તો તે ખરૂં જોતો-જાણતો નથી. ।।૧૮- ૧૬।।
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥१८- १७॥ જે પુરૂષને અહંકૃત ભાવ નથી અને જેની બુદ્ધિ સારા-નરસાથી લેપાતી નથી. તે પુરૂષ આ સઘળા લોકને મારીને-મારેછે. તો પણ તે મારતોય નથી અને બંધાતોય નથી. ।।૧૮- ૧૭।।
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।
करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः ॥१८- १८॥
જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા-જાણનારો, એમ ત્રણ પ્રકારે કર્મની નોદના-વિધિ છે. અને કરણ-સાધન, કર્મ અને કર્તા, એમ ત્રણ પ્રકારનો કર્મનો સંગ્રહ-નિરૂપણ છે. ।।૧૮- ૧૮।।
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि ॥१८- १९॥
હવે સત્ત્વાદિક ગુણભેદને લીધે જ્ઞાન, કર્મ અને કર્તા તે પણ ત્રણ-ત્રણ પ્રકારનાં છે. એમ ગુણકાર્યના ભેદને નિરૂપણ કરનાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેને પણ મારા થકીજ તું યથાર્થપણે સાંભળ ! ।।૧૮- ૧૯।।
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥१८- २०॥
બ્રાહ્મણાદિક વિભાગથી રહેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં અવિભક્ત-બ્રાહ્મણાદિક વિભાગવ્યવસ્થા જેમાં નથી. એવા એક અવિષમ અવ્યય-અવિનાશી આત્માને જે જ્ઞાને કરીને જુએ છે જાણે છે. તે જ્ઞાનને સાત્ત્વિક જ્ઞાન જાણ ! ।।૧૮- ૨૦।।
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥१८- २१॥
બ્રાહ્મણાદિક સર્વ ભૂતોમાં ભિન્ન ભિન્ન પ્રકારના જુદા જુદા ભાવોને પૃથક્ પૃથક્ પણે જે જ્ઞાનથી જાણે છે. તે જ્ઞાનને રાજસ જ્ઞાન જાણ ! ।।૧૮- ૨૧।।
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥१८- २२॥
અને જે જ્ઞાન તો એકજ કાર્યમાં સમગ્ર ફળવાળામાંજ જેમ, એમ આસક્ત થાય, ઇચ્છિત ફળનું અનુસન્ધાન પણ જેમાં ન હોય, તત્ત્વાર્થ સિવાયનું અને જે તુચ્છ ફળ પમાડનારૂં હોય, તે તામસ જ્ઞાન કહેલું છે. ।।૧૮- ૨૨।।
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥१८- २३॥
નિયત-અવશ્ય પ્રાપ્ત, સંગ-આસક્તિએ રહિત અને ફળની ઇચ્છા નહિ રાખનારા નિષ્કામ પુરૂષે રાગ-દ્વેષ સિવાય કરેલું જે કર્મ તે સાત્ત્વિક કર્મ કહેવાય છે. ।।૧૮- ૨૩।।
यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥१८- २४॥ જે કર્મ તો ફળની ઇચ્છાથી પ્રેરાઇને કરેલું હોય અને અહંકારઅિભનિવેશ પણ જેમાં પૂરો હોય, તેમ બહુ પ્રયાસવાળું જે કર્મ હોય, આવું કર્મ તે રાજસ કર્મ કહેલું છે. ।।૧૮- ૨૪।।
अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥१८- २५॥
પરિણામે થનારૂં ફળ, અર્થાદિકનો થતો વિનાશ, પ્રાણીઓની થતી હિંસા, તેમજ પોતાનું સામર્થ્ય, આ સઘળાનો વિચાર-વિવેક કર્યા સિવાયજ કેવળ મોહ-મમતાથી જે કર્મ આરંભાય છે. તે તામસ કર્મ કહેવાય છે. ।।૧૮- ૨૫।।
मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥१८- २६॥
ફળમાં આસક્તિ જેણે છોડી દીધી છે, અહંકાર ભર્યું વચન પણ નહિ બોલનારો, ધૈર્ય અને સતત ઉત્સાહ રાખનારો, કાર્યની સિદ્ધિઅસિદ્ધિમાં પણ શોક-મોહાદિક વિકાર નહિ પામનારો, આવો કર્તા સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે. ।।૧૮- ૨૬।।
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।
हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥१८- २७॥
આસક્તિવાળો, કર્મના ફળને ઇચ્છનારો, ઉચિત દ્રવ્ય પણ નહિ ખર્ચનારો, હિંસામાં રૂચિવાળો, અપવિત્રપણે વર્તનારો અને વારંવાર હર્ષ-શોક પામનારો, આવો કર્તા રાજસ કર્તા કહેલો છે. ।।૧૮- ૨૭।।
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥१८- २८॥
શાસ્ત્રીય કર્મ આચરવામાં ગાફલ વર્તનારો, પ્રાકૃત-વિવેકશૂન્ય પામર, ગુરૂદેવાદિકની આગળ પણ અનમ્ર વર્તનારો, શઠ, ઠગારો, આળસ્ય રાખનારો પ્રમાદી, સદાય અસંતુષ્ટ રહીને ખેદ પામનારો અને દીર્ઘ સૂત્રી, આવો કર્તા તામસ કર્તા કહેવાય છે. ।।૧૮- ૨૮।।
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय ॥१८- २९॥
હવે-બુદ્ધિના અને ધૃતિના પણ ગુણે કરીને થતા ત્રણ પ્રકારના ભેદ હે ધનંજય ! હું જુદા-જુદા વિક્તિપૂર્વક કહીશ તેને સમગ્રપણે તું સાવધાન થઇને સાંભળ ! ।।૧૮- ૨૯।।
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥१८- ३०॥
હે પાર્થ ! જે બુદ્ધિથી મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિને જાણે છે. તેમજ કાર્ય-અકાર્યને, ભય-અભયને, તથા બંધ-મોક્ષને પણ જાણે છે. તે સાત્ત્વિકી ઉત્તમ બુદ્ધિ છે. ।।૧૮- ૩૦।।
यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।
अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥१८- ३१॥
હે પાર્થ ! જે બુદ્ધિથી ધર્મ-અધર્મને, તથા કાર્ય-અકાર્યને પણ અયથાર્થ પણે જાણે છે. અર્થાત્-ખરી રીતે વાસ્તવિક પણે નથી સમઝતો તે રાજસી મધ્યમ બુદ્ધિ છે. ।।૧૮- ૩૧।।
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।
सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥१८- ३२॥
અને હે પાર્થ ! તમોગુણથી આવરણ પામેલી જે બુદ્ધિથી અધર્મને ધર્મ એમ માને છે. તેમજ સઘળા અર્થોને-શાસ્ત્રમાં કહેલા સદર્થોને પણ વિપરીતજ માને છે. તે બુદ્ધિ તો તામસી અધમ બુદ્ધિ જાણવી. ।।૧૮- ૩૨।।
धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।
योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥१८- ३३॥
બીજા વિષયોમાં વ્યભિચાર નહિ પામનારી એવી જે ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ભક્તિયોગની સિદ્ધિ માટે વશ કરાય છે. હે પાર્થ ! તે સાત્ત્વિકી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૩।।
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।
प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥१८- ३४॥
હે અર્જુન ! જે ધૃતિથી તો ફળની આકાંક્ષાવાળો પુરૂષ ધર્મ, અર્થ અને કામ, તેને અતિ આસક્તિપૂર્વક ધારે છે- મુકી શક્તો નથી, હે પાર્થ ! તે રાજસી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૪।।
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।
न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥१८- ३५॥
કુબુદ્ધિવાળો મનુષ્ય જે ધૃતિથી સ્વપ્ન-નિદ્રા, ભય, શોક, વિષાદ-ખેદ અને મદ-ગર્વ, આ સર્વને છોડી શક્તો નથી, હે પાર્થ ! તે તામસી ધૃતિ જાણવી. ।।૧૮- ૩૫।।
सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥१८- ३६॥
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥१८- ३७॥
હે ભરતર્ષભ ! હવે-હમણાં મારા થકી ત્રણ પ્રકારનું સુખ તું સાંભળ ! જે સુખમાં સહજ અભ્યાસથી જ રમે છે-સ્થિતિ પામે છે, અને સાંસારિક કલેશના અન્તને પણ પામે છે. વળી જે અભ્યાસ વખતે વિષ સમાન લાગે છે. અને પરિણામે અમૃતને તુલ્ય નીવડે છે. આવું પોતાની આત્મનિશ્ચયક બુદ્ધિની પ્રસન્નતાથી થયેલું સુખ તે સાત્ત્વિક સુખ કહેલું છે. ।।૧૮- ૩૬-૩૭।।
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥१८- ३८॥
વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે અનુભવ વખતે અમૃતને તુલ્ય મીઠું લાગે છે. પણ પરિણામે વિષની માફક દુ:ખદાયી નીવડે છે. તે રાજસ સુખ કહેલું છે. ।।૧૮- ૩૮।।
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥१८- ३९॥
જે સુખ ભોગવતી વખતે અને પરિણામે પણ જીવાત્માને કેવળ મોહને જ કરનારૂં થાય છે. તેમજ નિદ્રા, આલસ્ય અને પ્રમાદ, તેનાથી પ્રાપ્ત થતું સુખ તે તામસ સુખ કહેલું છે. ।।૧૮- ૩૯।।
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥१८- ४०॥
હે અર્જુન ! પૃથ્વી ઉપર મનુષ્યોમાં અથવા તો સ્વર્ગમાં દેવતાઓમાં એવું કોઇ પ્રાણી નથી કે જે આ પ્રકૃતિથી ઉપજેલા ત્રણ ગુણોથી રહિત હોય. ।।૪૦।।
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥१८- ४१॥
હે પરન્તપ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોનાં તેમજ શૂદ્રોનાં પણ કર્મ સ્વભાવથી થયેલા ગુણોને લીધે-ગુણો પ્રમાણેજ જુદાં જુદાં વિભાગથી કહેલાં છે. ।।૧૮- ૪૧।।
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥१८- ४२॥
શમ, દમ, તપ, બે પ્રાકારનું શૌચ, ક્ષમા, આર્જવ, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકતા, આ સઘળાં બ્રાહ્મણને સ્વભાવપ્રાપ્ત કર્મ કહેલાં છે. ।।૧૮- ૪૨।।
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥१८- ४३॥
શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પણ પલાયન ન કરી જવું, દાન અને ઇશ્વરભાવ, આ બધાં ક્ષત્રિયોને સ્વભાવથીજ પ્રાપ્ત થયેલાં સહજ કર્મ છે. ।।૧૮- ૪૩।।
कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥१८- ४४॥
ખેડ કરવી, ગાયો વિગેરે પશુઓનું રક્ષણ કરવું અને વાણિજ્યવેપાર કરવો. આ વૈશ્યોનાં સ્વભાવપ્રાપ્ત કર્મ છે. અને ત્રણ વર્ણની પરિચર્યા કરવી એ રૂપ શૂદ્રોનું પમ સ્વભાવપ્રાપ્ત કર્મ છે. ।।૧૮- ૪૪।।
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८- ४५॥
સર્વ મનુષ્યો પોત-પોતાના કર્મમાંજ આભરત-રચ્યા-પચ્યા રહીને સંસિદ્ધિને પામે છે. હવે તે પોતાનાજ કર્મમાંનિરત રહીને જેમ સિદ્ધિને પામે છે. તે તું સાંભળ ! ।।૧૮- ૪૫।।
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥१८- ४६॥
જેના થકી આ ભૂત-પ્રાણીમાત્રની પ્રવૃત્તિ-આરંભ થાય છે, અને જેણે આ સઘળું જગત્ વ્યાપેલું છે. તે પરમાત્માને પોતાના કર્મથી પૂજીને-પ્રસન્ન કરીને માણસો સિદ્ધિને પામે છે. ।।૧૮- ૪૬।।
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥१८- ४७॥
સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતાં પમ ન્યૂન ગુણવાળો હોય તોય પોતાનો ધર્મ સારો-શ્રેય આપનારો છે, કેમકે સ્વભાવથીજ નિયત કરેલું કર્મ કરતાં માણસ કયારેય કિલ્વિષ દુ:ખ અગર તો પાપ નથી પામતો. ।।૧૮- ૪૭।।
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥१८- ४८॥
હે કૌન્તેય ! દોશવાળું-ન્યૂન ગુણવાળું હોય તોય પોતાનું સહજ કર્મ માણસોએ તજવું જોઇએ નહિ, કેમકે-સર્વ કર્મના આરંભોજ ધૂમાડાથી અગ્નિ જ જેમ એમ દોષથીજ આવરેલા ભરેલા છે. ।।૧૮- ૪૮।।
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥१८- ४९॥
સર્વત્ર વસ્તુમાત્રમાં આસક્તિએ રહિત બુદ્ધિવાળો, મનને જીતનારો અને સ્વર્ગાદિકના સુખમાં પણ સ્પૃહા વિનાનો પુરૂષ કર્મફળના સંન્યાસથીજ સર્વોત્કૃષ્ટ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે. ।।૧૮- ૪૯।।
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥१८- ५०॥
નૈષ્કર્મ્યસિદ્ધિના ફળરૂપ ધ્યાનયોગને પામેલો પુરૂષ જેવી રીતે બ્રહ્મને-પરબ્રહ્મને પામે છે, તે સંક્ષેપથી કહેલો પ્રકાર મારા થકી તું જાણ !-સમઝ ! કે જે પરમાત્મપ્રાપ્તિરૂપ જ્ઞાનની પરા કાષ્ઠા-ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. ।।૧૮- ૫૦।।
बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८- ५१॥
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥१८- ५२॥
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥१८- ५३॥
સર્વથા વિશુદ્ધ બુદ્ધિએ યુક્ત થઇને, ધૈર્યથી મનને નિયમમાં રાખીને, શબ્દાદિક વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષનો પણ સર્વથા પરિત્યાગ કરીને, એકાન્ત સેવન કરવાના સ્વભાવવાળો થઇને, લઘુ આહાર કરીને, વાણી, શરીર અને મનને નિયમમાં રાખીને, પરમ વૈરાગ્યને સર્વથા આશર્યો થકો નિરન્તર ધ્યાનયોગપરાયણ વર્તતો. તેમજ અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહનો પરિત્યાગ કરીને નિર્મમત્વ થઇને શાન્ત થયેલો પુરૂષ બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે. ।।૧૮- ૫૧-૫૩।।
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥१८- ५४॥
આવો બ્રહ્મભૂત થયેલો, પ્રસન્ન ચિત્તવાળો પુરૂષ પ્રિય વસ્તુના નાશથી નથી શોક કરતો, કે નથી પ્રિય વસ્તુની આકાંક્ષા કરતો, સર્વ ભૂત-પ્રાણીમાત્રમાં સમ ભાવ પામેલો પુરૂષ મારી પરા-પ્રેમલક્ષણા ભક્તિને પામે છે. ।।૧૮- ૫૪।।
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥१८- ५५॥
હું જેવડો છું અને જે છું તેવો તો મને તત્ત્વથી ભક્તિથીજ જાણે છે. અને એમ તત્ત્વથી મને જાણી-સમઝીને તે પછી મારા પ્રત્યે પ્રવેશ કરે છે-મનેજ પામે છે. ।।૧૮- ૫૫।।
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥१८- ५६॥
વર્ણાશ્રમને સમુચિત પોત-પોતાના કર્મ સદાય કરતો અને મારો દૃઢ આશ્રય રાખનારો પુરૂષ મારી પ્રસન્નતા મેળવીને તે દ્વારા અવિનાશી શાશ્વત પદને- બ્રહ્મધામને પામે છે. ।।૧૮- ૫૬।।
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥१८- ५७॥
જ્ઞાને કરીને સર્વ કર્મો મારામાં સમપર્ણ કરીને મત્પરાયણ થઇને બુદ્ધિયોગનો સમાશ્રય કરીને અખંડ મારામાંજ ચિત્તવૃત્તિ રાખનારો થઇ જા ! ।।૧૮- ૫૭।।
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥१८- ५८॥
મારામાં ચિત્ત રાખવાથી સર્વ દુસ્તર દુ:ખોને પણ મારી પ્રસન્નતાથી તરી જઇશ. અને જો તું અહંકાર રાખીને મારૂં વચન નહિ સાંભળે તો તું વિનાશને માર્ગે જઇને ભ્રષ્ટ થઇ જઇશ. ।।૧૮- ૫૮।।
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥१८- ५९॥
અહંકારને આશરીને ‘‘હું યુદ્ધ નહિ કરૂં’’ એમ જો તું માનતો હોય તો તે તારો મનનો ઠરાવ મિથ્યા-નકામો છે. તારી પ્રકૃતિજ-સ્વભાવજ તને યુદ્ધ કરવામાં પ્રેરશે. ।।૧૮- ૫૯।।
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥१८- ६०॥
હે કૌન્તેય ! પૂર્વ સંસ્કારરૂપ સ્વભાવથીજ પ્રાપ્ત સ્વકર્મથી બંધાયેલો તું મોહને વશ થઇને જે કાર્ય કરવા નથી ઇચ્છતો તેજ કાર્ય તું પરવશ થકો પણ જરૂર કરીશ. ।।૧૮- ૬૦।।
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥१८- ६१॥
હે અર્જુન ! સર્વના સ્વામી ભગવાન સર્વ ભૂતોના હ્રદય-પ્રદેશમાં પોતાની માયા-શક્તિથી સંસૃતિ-ચક્રરૂપ યંત્ર ઉપર આરૂઢ થયેલાં સર્વ ભૂત-પ્રાણીમાત્રને તેના તેના કર્મ પ્રમાણે સંસારમાં ભમાવતા થકા રહે છે. ।।૧૮- ૬૧।।
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥१८- ६२॥
હે ભારત ! તેથી તું સમગ્ર ભાવથી-પ્રકારથી તે પરમેશ્વરનેજ શરણે જા-રહે, તે પરમાત્માની પ્રસન્નતાથીજ તું પરમ શાન્તિને અને અવિચળ પદને પામીશ. ।।૧૮- ૬૨।।
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥१८- ६३॥
આ પ્રમાણે મેં તને ગુહ્યમાં અતિ ગુહ્ય પરમ રહસ્યરૂ જ્ઞાન કહી બતાવિયું. માટે એ સગળું સમગ્રપણે વિચારીને જેમ તારી ઇચ્છા હોય તેમ કર ! ।।૧૮- ૬૩।।
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥१८- ६४॥
વળી-ફરીથી પણ સર્વ રહસ્યમાં પણ પરમ રહસ્યરૂપ મારૂં સર્વોત્કૃષ્ટ હિત કરનારૂં વચન સાંબળ ! તું મને અત્યંત વ્હોલો છું અને અતિ દૃઢ મતિવાળો છું માટે તારા હિતનું વચન હું તને કહીશ કહું છું. ।।૧૮- ૬૪।।
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥१८- ६५॥
મારામાં જ મન રાખમનારો થા ! મારોજ ભક્ત થા ! મારૂં જ પૂજન કરનારો થા ! અને મનેજ નમસ્કાર કર ! આમ કરવાથી તું મનેજ પામીશ. તું મને અતિ પ્રિય છું. માટે તારી આગળ હું સ્તય પ્રતિજ્ઞા-વચન કહું છું ।।૧૮- ૬૫।।
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥१८- ६६॥
તું સર્વ ધર્મને-ધર્મના બળને છોડી દઇને મને એકનેજ શરણ પામ હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઇ શોક કરીશ માં. ।।૧૮- ૬૬।।
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥१८- ६७॥
આ મેં તને કહેલું જ્ઞાન જે તપ કરવામાં રૂચિવાળો ન હોય, તેમજ જે મારો ભક્ત ન હોય તેને ક્યારેય કહેવું નહિ, તેમજ જે આ જ્ઞાન સાંભળવા ન ઇચ્છતો હોય, અગર સેવાવૃત્તિ સિવાયનો હોય તેને પણ ન કહેવું. અને જે મારા તરફ અભ્યસૂયા કરતો હોય તેને કયારેય નજ કહેવું. ।।૧૮- ૬૭।।
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥१८- ६८॥
જે પુરૂષ આ પરમ રહસ્યરૂપ જ્ઞાન મારા ભક્તોમાં કહીને પ્રવર્તાવશે તો તે મારે વિષે પરા-પ્રેમલક્ષણા ભક્તિ કરીને મનેજ પામશે. એમાં લવ-લેશ શંકાજ નથી. ।।૧૮- ૬૮।।
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥१८- ६९॥
એવા મારૂં જ્ઞાન ફેલાવનારા ભક્ત પુરૂષ કરતાં મારૂં અત્યન્ત પ્રિય કરનાર મનુષ્યોમાં બીજો કોઇ છેજ નહિ. અને આ પૃથ્વી ઉપર તેના કરતાં બીજો કોઇ મને અતિશય વ્હાલો પણ થનાર નથીજ. ।।૧૮- ૬૯।।
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥१८- ७०॥
આપણા બેના આ મોક્ષ આપનારા ધર્મ સંબંધી સંવાદનો જે પાઠ કરશે, તો તે પુરૂષે હું સર્વોત્કૃષ્ટ જ્ઞાનયજ્ઞથી પૂજેલો થઇશ એમ મારો નિશ્ચય છે. ।।૧૮- ૭૦।।
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।
सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥१८- ७१॥
આ જ્ઞાન-શાસ્ત્રમાં જે શ્રદ્ધાવાન્ થઇને સાંભળે, અને વળી જે આમાં અભ્યસૂયા ન કરે, તો તે પુરૂષ પણ પુણ્ય કર્મ કરનારા પવિત્ર ભક્ત પ્રૃષોના લોકને પામે છે. ।।૧૮- ૭૧।।
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनंजय ॥१८- ७२॥
હે પાર્થ ! આ મેં કહ્યું તે તેં એકાગ્ર-સાવધાન ચિત્તથી સાંભળ્યું ? અને હે ધનંજ્ય ! તારો અજ્ઞાનથી થયેલો મોહ સર્વથા નષ્ટ થયો ? ॥૧૮- ૭૨॥
अर्जुन उवाच
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥१८- ७३॥
અર્જુન કહે છે =
હે અચ્યુત ! તમારી પ્રસન્નતાથી મારો મોહ નષ્ટ થઇ ગયો છે. અને હું પૂરે-પૂરી સ્મૃતિમાં-સાવધાનીમાં આવ્યો છું. હું સંદેહ વિનાનો થઇને ઉભો છું અને તમારૂં વચન પાળીશ. ।।૧૮- ૭૩।।
संजय उवाच
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥१८- ७४॥
સંજય કહે છે =
આ પ્રમાણે મહાત્મા વાસુદેવ અને પાર્થ એ બન્નેનો રોમાંચ કરે એવો આ અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. ।।૧૮- ૭૪।।
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥१८- ७५॥
સકળ યોગના સ્વામી સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતેજ અર્જુનને કહેતા હતા તેમના થકી આ પરમરહસ્યરૂપ સંવાદ મેં વ્યાસમુનિની પ્રસન્નતાને લીધે સાંભળ્યો. ।।૧૮- ૭૫।।
राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥१८- ७६॥
હે રાજન્ ! કેશવ ભગવાન અને અર્જુનના આ અતિ પવિત્ર અદ્ભુત સંવાદને સંભારીને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૧૮- ૭૬।।
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥१८- ७७॥
હે રાજન્ ! શ્રીહરિ-કૃષ્ણનું તે અતિ અદ્ભુત રૂપ સંભારીને મને બહુજ મોટો વિસ્મય થાય છે. અને હું વારંવાર અતિ હર્ષ પામું છું. ।।૧૮- ૭૭।।
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥१८- ७८॥
હે રાજન્ ! જ્યાં-જે પક્ષમાં સાક્ષાત્ યોગેશ્વર કૃષ્ણ છે. અને ધનુધારી પૃથાપુત્ર અર્જુન છે. ત્યાંજ શ્રી-લક્ષ્મી, વિજય અને ભૂતિ ઐશ્વર્ય છે. અને અચળ નીતિ પણ ત્યાંજ છે. એમ મારી મતિ-નિશ્ચય છે. ।।૧૮- ૭૮।।
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशोऽध्यायः ॥१८॥
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સંન્યાસયોગો નામાષ્ટાદશોઽધ્યાયઃ ।।૧૮।।
Comments
Post a Comment