૦૪ ચતુર્થોધ્યાય: જ્ઞાનકર્મસંન્યાસયોગ
શ્રીભગવાનુવાચ ।
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ ।
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેઽબ્રવીત્ ॥ ૧॥
શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ બોલ્યા; ઈમમ્—આ; વિવસ્વતે—સૂર્યદેવને; યોગમ્—યોગનું વિજ્ઞાન; પ્રોક્તવાન્—ઉપદેશ આપ્યો; અહમ્—હું; અવ્યયમ્—અવિનાશી; વિવસ્વાન્—સૂર્યદેવ; મનવે—મનુને, મનુષ્યજાતિના મૂળ પૂર્વજ; પ્રાહ—કહ્યું; મનુ:—મનુ; ઈશ્વાકવે—ઈશ્વાકુને, સૂર્યવંશના પ્રથમ રાજા; અબ્રવીત્—કહ્યું.
Translation
BG 4.1: પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા: મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત્ મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો.
એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ ।
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ॥ ૨॥
એવમ્—આ રીતે; પરંપરા—ગુરૂ-શિષ્ય પરંપરા; પ્રાપ્તમ્—મળેલું; ઈમમ્—આ (વિજ્ઞાન); રાજ-ઋષય:—સાધુચરિત રાજાઓએ; વિદુ:—જાણ્યું; સ:—તે; કાલેન—કાળાંતરે; ઇહ—આ લોકમાં; મહતા—મહાન; યોગ:—યોગનું વિજ્ઞાન; નષ્ટ:—વિલુપ્ત થયું; પરન્તપ—અર્જુન, શત્રુઓનું દમન કરનાર.
Translation
BG 4.2: હે શત્રુઓનું દમન કરનાર! આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરૂ-શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું. પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું.
સ એવાયં મયા તેઽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ।
ભક્તોઽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્ ॥ ૩॥
સ:—તે; એવ—નિશ્ચિત; અયમ્—આ; મયા—મારા વડે; તે—તને; અદ્ય—આજે; યોગ:—યોગનું વિજ્ઞાન; પ્રોક્ત:—પ્રકટ થયું; પુરાતન:—પ્રાચીન; ભક્ત:—ભક્ત; અસિ—તું છે; મે—મારો; સખા—મિત્ર; ચ—પણ; ઈતિ—માટે; રહસ્યમ્—રહસ્ય; હિ—નિશ્ચિત; એતત્—આ; ઉત્તમમ્—ઉત્તમ.
Translation
BG 4.3: તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે.
અર્જુન ઉવાચ ।
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ ।
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ॥ ૪॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; અપરમ્—પાછળથી; ભવત:—આપનો; જન્મ:—જન્મ; પરમ્—પહેલાં; જન્મ—જન્મ; વિવસ્વત:—વિવસ્વાન, સૂર્યદેવનો; કથમ્—કેવી રીતે; એતત્—આ; વિજાનીયામ્—હું જાણું; ત્વમ્—તું; આદૌ—પ્રારંભમાં; પ્રોક્તવાન્—ઉપદેશ આપ્યો; ઈતિ—એ રીતે.
Translation
BG 4.4: અર્જુને કહ્યું: આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત્ જનમ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો?
શ્રીભગવાનુવાચ ।
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ ॥ ૫॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા બોલ્યા; બહૂનિ—અનેક; મે—મારા; વ્યતીતાનિ—પસાર થયા છે; જન્માનિ—જન્મો; તવ—તારા; ચ—અને; અર્જુન—અર્જુન; તાનિ—તેમના; અહમ્—હું; વેદ—જાણું; સર્વાણિ—સર્વ; ન—નહીં; ત્વમ્—તું; વેત્થ—જાણે છે; પરન્તપ—અર્જુન, શત્રુઓનું દમન કરનાર.
Translation
BG 4.5: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન! તારા અને મારા બંનેનાં અનંત જન્મો થઈ ચૂક્યા છે. તું એ ભૂલી ગયો છે, જયારે હે પરંતપ! મને એ સર્વનું સ્મરણ છે.
અજોઽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોઽપિ સન્ ।
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સમ્ભવામ્યાત્મમાયયા ॥ ૬॥
અજ:—અજન્મા; અપિ—જો કે; સન્—હોવા છતાં; અવ્યય-આત્મા—અવિનાશી પ્રકૃતિનો; ભૂતાનામ્—સર્વ પ્રાણીઓના; ઈશ્વર:--પરમેશ્વર; અપિ—જો કે; સન્—હોવાથી; પ્રકૃતિમ્—પ્રકૃતિ; સ્વામ્—મારી; અધિષ્ઠાય—સ્થિત; સમ્ભવામિ—હું અવતરું છે, આત્મ-માયયા—મારી યોગમાયા શક્તિથી.
Translation
BG 4.6: યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ ૭॥
યદા યદા—જયારે જયારે; હિ—નિશ્ચિત; ધર્મસ્ય—ધર્મની; ગ્લાનિ:—હ્રાસ,પતન; ભવતિ—છે; ભારત—અર્જુન,ભરતવંશી; અભ્યુત્થાનમ્—વૃદ્ધિ; અધર્મસ્ય—અધર્મની; તદા—ત્યારે; આત્માનમ્—પોતાને; સૃજામિ—પ્રગટ કરું છું; અહમ્—હું.
Translation
BG 4.7: જયારે જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન! ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું.
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥ ૮॥
પરિત્રાણાય—રક્ષા કરવા; સાધૂનામ્—ભક્તોના; વિનાશાય—નાશ માટે; ચ—અને; દુષ્કૃતામ્—દુષ્ટોના; ધર્મ—સનાતન ધર્મ; સંસ્થાપન-અર્થાય—પુન: સ્થાપન કરવા માટે; સમ્ભવામિ—પ્રગટ થાઉં છું; યુગે યુગે—દરેક યુગમાં.
Translation
BG 4.8: ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મનાં સિદ્ધાંતોની પુન: સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું.
જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥ ૯॥
જન્મ—જન્મ; કર્મ—કર્મ; ચ—અને; મે—મારા; દિવ્યમ્—દિવ્ય; એવમ્—એ રીતે; ય:—જે; વેત્તિ—જાણે છે; તત્ત્વત:—સત્ય; ત્યક્તવા—ત્યજીને; દેહમ્—આ શરીર; પુન:—ફરીથી; જન્મ—જન્મ; ન—કદાપિ નહીં; એતિ—આવે છે; સ:—તે; અર્જુન—અર્જુન.
Translation
BG 4.9: હે અર્જુન! જે મારાં જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમણે આ શરીર ત્યજ્યા પશ્ચાત્ સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે.
વીતરાગભયક્રોધા મન્મયા મામુપાશ્રિતાઃ ।
બહવો જ્ઞાનતપસા પૂતા મદ્ભાવમાગતાઃ ॥ ૧૦॥
વીત—મુક્ત; રાગ—આસક્તિ; ભય—ભય; ક્રોધા:—ક્રોધ; મત્-મયા—મારામાં સંપૂર્ણ રીતે લીન; મામ્—મારામાં; ઉપાશ્રિતા:—આશ્રિત; બહવ:—અનેક; જ્ઞાન—જ્ઞાનની; તપસા—જ્ઞાનની અગ્નિ દ્વારા; પૂતા:—પવિત્ર થયેલાં; મત્-ભાવમ્—મારો દિવ્ય પ્રેમ; આગતા:—પ્રાપ્ત થયેલા.
Translation
BG 4.10: આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે.
યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ ૧૧॥
યે—જે; યથા—જેવી રીતે; મામ્—મને; પ્રપધ્યન્તે—શરણાગત થાય છે; તાન્—તેમને; તથા—તેવી રીતે; એવ—નિશ્ચિત; ભજામિ—ફળ આપું છું; અહમ્—હું; મમ—મારા; વર્ત્મ—માર્ગને; અનુવર્તન્તે—અનુસરે છે; મનુષ્યા:—સર્વ મનુષ્યો; પાર્થ—અર્જુન,પૃથા પુત્ર; સર્વશ:—સર્વથા.
Translation
BG 4.11: જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ! સર્વ મનુષ્યો જાણતાં કે અજાણતાં મારા જ માર્ગનું અનુસરણ કરે છે.
કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ ।
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા ॥ ૧૨॥
કાંક્ષન્ત:—ઈચ્છા કરતા; કર્મણામ્—માયિક પ્રવૃત્તિઓ; સિદ્ધિમ્—સિદ્ધિ; યજન્તે—યજ્ઞો દ્વારા પૂજે છે; ઇહ—આ લોકમાં; દેવતા:—સ્વર્ગીય દેવતાઓ; ક્ષિપ્રમ્—ત્વરિત; હિ—નિશ્ચિત; માનુષે—માનવ સમાજમાં; લોકે—આ લોકમાં; સિદ્ધિ:—સફળતા; ભવતિ—થાય છે; કર્મ-જા—માયિક પ્રવૃત્તિઓથી.
Translation
BG 4.12: આ સંસારમાં, જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે, સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે.
ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશઃ ।
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ॥ ૧૩॥
ચાતુર્વર્ણ્યમ્—માનવ સમાજની ચાર શ્રેણીઓ; મયા—મારા વડે; સૃષ્ટમ્—સર્જન થયું; ગુણ—ગુણ; કર્મ—અને કાર્યો; વિભાગશ:—વિભાજન પ્રમાણે; તસ્ય—તેના; કર્તારમ્—સર્જક; અપિ—જો કે; મામ્—મને; વિદ્ધિ—જાણ; અકર્તારમ્—અકર્તા; અવ્યયમ્—અપરિવર્તનશીલ.
Translation
BG 4.13: મનુષ્યનાં ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમનાં ચાર વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ.
ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા ।
ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥ ૧૪॥
ન—નહીં; મામ્—મને; કર્માણિ—સર્વ પ્રકારના કર્મો; લિમ્પન્તિ—દૂષિત કરે છે; ન—નથી; મે—મારી; કર્મ-ફલે—કર્મના ફળમાં; સ્પૃહા—આકાંક્ષા; ઈતિ—એ રીતે; મામ્—મને; ય:—જે; અભિજાનાતિ—જાણે છે; કર્મભિ:—કર્મફળથી; ન—કદી નહીં; સ:—તે; બધ્યતે—બદ્ધ થાય છે.
Translation
BG 4.14: મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મનાં ફળની આકાંક્ષા છે. જે મારાં આ સ્વરૂપને જાણે છે, તે કદાપિ કર્મફળના બંધનમાં બંધાતો નથી.
એવં જ્ઞાત્વા કૃતં કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ ।
કુરુ કર્મૈવ તસ્માત્ત્વં પૂર્વૈઃ પૂર્વતરં કૃતમ્ ॥ ૧૫॥
એવમ્—એ રીતે; જ્ઞાત્વા—જાણીને; કૃતમ્—કરેલું; કર્મ—કર્મ; પૂર્વે:—પ્રાચીન સમયના; અપિ—વાસ્તવમાં; મુમુક્ષુભિ:—મોક્ષના ઈચ્છુક; કુરુ—કર; કર્મ—સ્વધર્મ; એવ—નિશ્ચિત; તસ્માત્—તેથી; ત્વમ્—તું; પૂર્વે:—પૂર્વે થયેલા; પૂર્વતરમ્—પ્રાચીન સમયમાં; કૃતમ્—કરેલા.
Translation
BG 4.15: આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા. તેથી, તારે પણ તે પ્રાચીન સંતોનાં પગલાંઓને અનુસરીને પોતાનાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧૬॥
કિમ્—શું; કર્મ—કર્મ; કિમ્—શું; અકર્મ—અકર્મ; ઈતિ—એ રીતે; કવય:—જ્ઞાની; અપિ—પણ; અત્ર—આમાં; મોહિતા:—મોહિત થઈ જાય છે; તત્—તે; તે—તને; કર્મ—કર્મ; પ્રવક્ષ્યામિ—હું કહીશ; યત્—જેને; જ્ઞાત્વા—જાણીને; મોક્ષ્યસે—તું મુક્ત થઈશ; અશુભાત્—અશુભમાંથી.
Translation
BG 4.16: કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ.
કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥ ૧૭॥
કર્મણ:—સૂચિત કર્મો; હિ—નિશ્ચિત; અપિ—પણ; બોદ્ધવ્યમ્—જાણવું જોઈએ; બોદ્ધવ્યમ્—સમજવું જોઈએ; ચ—અને; વિકર્મણ:—નિષિદ્ધ કર્મો; અકર્મણ:—અકર્મ; ચ—અને; બોદ્ધવ્યમ્—સમજવું જોઈએ; ગહના—ગહન; કર્મણા:—કર્મની; ગતિ:—ગતિ.
Translation
BG 4.17: તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.
કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥ ૧૮॥
કર્મણિ—કર્મોના; અકર્મ—અકર્મ; ય:—જે; પશ્યેત્—જોવે છે; અકર્મણિ—અકર્મ; ચ—પણ; કર્મ—કર્મ; ય:—જે; સ:—તે; બુદ્ધિમાન્—બુદ્ધિશાળી; મનુષ્યેષુ—મનુષ્યોમાં; સ:—તે; યુક્ત:—યોગીઓ; કૃત્સ્ન-કર્મકૃત્—સર્વ પ્રકારના કર્મો કરનાર.
Translation
BG 4.18: જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારનાં કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમનાં સર્વ કર્મોનાં નિષ્ણાત છે.
યસ્ય સર્વે સમારમ્ભાઃ કામસઙ્કલ્પવર્જિતાઃ ।
જ્ઞાનાગ્નિદગ્ધકર્માણં તમાહુઃ પણ્ડિતં બુધાઃ ॥ ૧૯॥
યસ્ય—જેનાં; સર્વે—સર્વ; સમારમ્ભા:—પ્રયાસ; કામ—માયિક સુખોની ઈચ્છા; સંકલ્પ—નિશ્ચય; વર્જિતા:—થી રહિત છે; જ્ઞાન—દિવ્ય જ્ઞાન; અગ્નિ—અગ્નિમાં; દગ્ધ—ભસ્મ થયેલા; કર્માણમ્—કર્મવાળાને; તમ્—તેને; આહુ:—કહે છે; પંડિતમ્—પંડિત; બુધા: —જ્ઞાની.
Translation
BG 4.19: પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમનાં પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે.
ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં નિત્યતૃપ્તો નિરાશ્રયઃ ।
કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિઞ્ચિત્કરોતિ સઃ ॥ ૨૦॥
ત્યકત્વા—ત્યાગ કરીને; કર્મ-ફલ-આસંઙગમ્—કર્મફળની આસક્તિ; નિત્ય—સદા; તૃપ્ત—તૃપ્ત; નિરાશ્રય—આશ્રયરહિત; કર્મણિ—કર્મમાં; અભિપ્રવૃત્ત:—પૂરેપૂરો પરોવાયેલો; અપિ—હોવા છતાં; ન—નહીં; એવ—નિશ્ચિત; કિંચિત્—કંઈ પણ; કરોતિ—કરે છે; સ:—તે.
Translation
BG 4.20: આવા લોકો, પોતાનાં કર્મનાં ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી.
નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ ।
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૨૧॥
નિરાશી:—અપેક્ષાઓથી મુક્ત: યત—સંયમિત; ચિત્ત-આત્મા—મન તથા બુદ્ધિ; ત્યકત—છોડીને; સર્વ—સર્વ; પરિગ્રહ:—વસ્તુ પરનો સ્વામીત્વનો ભાવ; શારીરમ્—શારીરિક; કેવલમ્—કેવળ; કર્મ—કર્મ; કુર્વન્—સંપાદિત કરવું; ન—કદી નહીં; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; કિલ્બીષમ્—પાપ.
Translation
BG 4.21: તેઓ અપેક્ષાઓ તથા સ્વામીત્વની ભાવનાથી મુક્ત થઈને, મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને, શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી.
યદૃચ્છાલાભસન્તુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સરઃ ।
સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે ॥ ૨૨॥
યદૃચ્છા—સ્વ-પ્રયત્નોથી પ્રાપ્ત; લાભ—લાભ; સંતુષ્ટ:—સંતુષ્ટ; દ્વંદ્વ—દ્વૈતથી; અતીત:—પર; વિમત્સર:—ઈર્ષ્યારહિત; સમ:—સમત્વ; સિદ્ધૌ—સફળતામાં; અસિદ્ધૌ—નિષ્ફળતામાં; ચ—પણ; કૃત્વા—કરીને; અપિ—પણ; ન—કદી નહીં; નિબધ્યતે—બદ્ધ થાય છે.
Translation
BG 4.22: જે મનુષ્ય સ્વત: પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વન્દ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપિ બદ્ધ થતા નથી.
ગતસઙ્ગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ ।
યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ ૨૩॥
ગત-સંગસ્ય—માયિક આસક્તિથી મુક્ત; મુક્તસ્ય—મુક્ત મનુષ્યનાં; જ્ઞાન-અવસ્થિત—દિવ્ય જ્ઞાનમાં સ્થિત; ચેતસ:—જેની બુદ્ધિ; યજ્ઞાય—યજ્ઞ (કૃષ્ણ) માટે; આચરત:—કાર્ય કરતાં; કર્મ—કર્મ; સમગ્રમ્—સંપૂર્ણ રીતે; પ્રવિલીયતે—વિલીન થાય છે.
Translation
BG 4.23: આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે. તેઓ સર્વ કર્મ યજ્ઞની (ભગવાનને સમર્પિત કરવાની) ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે.
બ્રહ્માર્પણં બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્ ।
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં બ્રહ્મકર્મસમાધિના ॥ ૨૪॥
બ્રહ્મ—બ્રહ્મ; અર્પણમ્—અર્પણ; બ્રહ્મ—બ્રહ્મ; હવિ:—આહુતિ; બ્રહ્મ—બ્રહ્મ; અગ્નૌ—હવનરૂપી અગ્નિ; બ્રહ્મણા—આત્મા દ્વારા; હુતમ્—અર્પિત; બ્રહ્મ—બ્રહ્મ; એવ—નિશ્ચિત; તેન—તેના વડે; ગન્તવ્યમ્—જવા યોગ્ય; બ્રહ્મ—બ્રહ્મ; કર્મ—કર્મમાં; સમાધિના—ભગવદ્-ચેતનામાં સંપૂર્ણ લીન.
Translation
BG 4.24: જે મનુષ્ય ભગવદ્-ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે.
દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે ।
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ ॥ ૨૫॥
દૈવમ્—સ્વર્ગીય દેવો; એવ—વાસ્તવમાં; અપરે—અન્ય; યજ્ઞમ્—યજ્ઞ; યોગિન:—આધ્યાત્મિક સાધકો; પર્યુપાસતે—ભજે છે; બ્રહ્મ—પરમ સત્ય; અગ્નૌ—અગ્નિમાં; અપરે—અન્ય; યજ્ઞમ્—યજ્ઞ; યજ્ઞેન—યજ્ઞ દ્વારા; એવ—વાસ્તવમાં; ઉપજુહ્યતિ—અર્પણ.
Translation
BG 4.25: કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય-બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ-આહુતિ અર્પણ કરે છે.
શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ ।
શબ્દાદીન્વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ ॥ ૨૬॥
શ્રોત્ર-આદીનિ—શ્રવણ વગેરે; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; અન્યે—અન્ય; સંયમ—સંયમ; અગ્નિષુ—યજ્ઞની અગ્નિમાં; જુહ્યતિ—અર્પણ કરે છે; શબ્દ-આદીન્—ધ્વનિ કંપનો વગેરે; વિષાયાન્—ઇન્દ્રિય-તૃપ્તિના વિષયો; અન્યે—અન્ય; ઇન્દ્રિય—ઇન્દ્રિયોની; અગ્નિષુ—અગ્નિમાં; જુહ્યતિ—અર્પણ કરે છે.
Translation
BG 4.26: અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે.
સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે ।
આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ॥ ૨૭॥
સર્વાંણિ—સર્વ; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; કર્માણિ—કાર્યો; પ્રાણ-કર્માણિ—પ્રાણવાયુનાં કાર્યો; ચ—અને; અપરે—અન્ય; આત્મ-સંયમ યોગગ્નૌ—મનોનિગ્રહની યોગાગ્નિમાં; જુહ્યતિ—અર્પણ કરે છે; જ્ઞાનદીપિતે—જ્ઞાનથી પ્રદીપ્ત.
Translation
BG 4.27: કેટલાક , જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે.
દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથાપરે ।
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ ॥ ૨૮॥
દ્રવ્ય-યજ્ઞ:—પોતાની સંપત્તિની આહુતિ; તપ:-યજ્ઞ:—તપરૂપી યજ્ઞ; યોગ-યજ્ઞા:—અષ્ટાંગ યોગમય યજ્ઞ; તથા—એવી રીતે; અપરે—અન્ય; સ્વાધ્યાય—વૈદિક શાસ્ત્રોના અધ્યયન દ્વારા જ્ઞાનનો વિકાસ કરવો; જ્ઞાનયજ્ઞ:—દિવ્ય જ્ઞાનની પ્રગતિ માટે યજ્ઞ: ચ—પણ; યતય:—આ સંન્યાસીઓ; સંશિત-વ્રતા:—કઠોર વ્રત ધારણ કરનારા.
Translation
BG 4.28: કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી, કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે.
અપાને જુહ્વતિ પ્રાણં પ્રાણેઽપાનં તથાપરે ।
પ્રાણાપાનગતી રુદ્ધ્વા પ્રાણાયામપરાયણાઃ ॥ ૨૯॥
અપરે નિયતાહારાઃ પ્રાણાન્પ્રાણેષુ જુહ્વતિ ।
સર્વેઽપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાઃ ॥ ૩૦॥
અપાને—અંદર આવતો શ્વાસ; જુહ્વતિ—અર્પિત કરે છે; પ્રાણમ્—બહાર નીકળતો શ્વાસ; પ્રાણે—બહાર જતા શ્વાસમાં; અપાનમ્—અંદર આવતો શ્વાસ; તથા—એમજ; અપરે—અન્ય; પ્રાણ—બહાર જતા શ્વાસની; અપાન—અંદર આવતા શ્વાસની; ગતિ—ગતિ; રુદ્ધ્વા—રોકીને; પ્રાણ-આયામ—શ્વાસનું નિયંત્રણ; પરાયણા:—પૂર્ણપણે સમર્પિત; અપરે—અન્ય; નિયત—સંયમિત કરેલા; આહારા:—આહારવાળા; પ્રાણાન્—પ્રાણવાયુ; પ્રાણેષુ—જીવન શક્તિ; જુહ્વતિ—આહુતિ અર્પે છે; સર્વ—સર્વ; અપિ—પણ; એતે—આ; યજ્ઞવિદ:—યજ્ઞ કરવાના હેતુથી પરિચિત; યજ્ઞ-ક્ષપિત—યજ્ઞ કરવાથી શુદ્ધ થયેલા; કલ્મષા:—પાપ કર્મમાંથી.
Translation
BG 4.29-30: વળી, અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે, જયારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ-ઉચ્છ્વાસને નિયંત્રિત કરીને, જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઇ જાય છે. જયારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞરૂપે જીવન-શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ, આવા યજ્ઞના પરિણામસ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે.
યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ્ ।
નાયં લોકોઽસ્ત્યયજ્ઞસ્ય કુતોઽન્યઃ કુરુસત્તમ ॥ ૩૧॥
યજ્ઞ-શિષ્ટ અમૃતભુજ:—તેઓ યજ્ઞના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે; યાન્તિ—જાય છે; બ્રહ્મ—પરમ સત્ય; સનાતનમ્—નિત્ય; ન—કદી નહીં; અયમ્—આ; લોક:—લોક; અસ્તિ—છે; અયજ્ઞસ્ય—યજ્ઞ નહિ કરનારનો; કુત:—કેવી રીતે: અન્ય:—અન્ય; કુરુ-સત્-તમ—કુરુશ્રેષ્ઠ, અર્જુન.
Translation
BG 4.31: જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે કુરુશ્રેષ્ઠ! જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી.
એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે ।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ॥ ૩૨॥
એવમ્—એ રીતે; બહુવિધા:—વિવિધ પ્રકારના; યજ્ઞા:—યજ્ઞો; વિતતા:—વર્ણવ્યા છે; બ્રહ્મણ:—વેદોના; મુખે—મુખ દ્વારા; કર્મ-જાન્—કર્મથી ઉત્પન્ન; વિદ્ધિ—જાણ; તાન્—તેમને; સર્વાન્—સર્વને; એવમ્—એ પ્રમાણે; જ્ઞાત્વા—જાણીને; વિમોક્ષ્યસે—તું મુક્ત થઇ જઈશ.
Translation
BG 4.32: આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ; આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે.
શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરન્તપ ।
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ ૩૩॥
શ્રેયાન્—શ્રેષ્ઠ; દ્રવ્ય-મયાત્—ભૌતિક સંપતિના; યજ્ઞાત્—યજ્ઞથી; જ્ઞાન-યજ્ઞ:—જ્ઞાનયજ્ઞ; પરન્તપ—શત્રુઓનું દમન કરનાર, અર્જુન; સર્વમ્—સર્વ; કર્મ—કર્મ; અખિલમ્—પૂર્ણપણે; પાર્થ—અર્જુન,પૃથા પુત્ર; જ્ઞાને—જ્ઞાનમાં; પરિસમાપ્યતે—સમાપ્ત થાય છે.
Translation
BG 4.33: હે શત્રુઓનું દમન કરનાર! જ્ઞાનયજ્ઞ કોઈપણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ! અંતત: સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે.
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ ॥ ૩૪॥
તત્—સત્ય; વિદ્ધિ—જાણવાનો પ્રયત્ન કર; પ્રણિપાતેન—સદ્દગુરુના ચરણે જઈને; પરિપ્રશ્નેન—વિનયપૂર્વક પ્રશ્નો પૂછીને; સેવયા—સેવા કરીને; ઉપદેશ્યન્તિ—શિક્ષિત કરશે; તે—તને; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞાનિન:—આત્મ-સાક્ષાત્કાર પામેલા; તત્ત્વ-દર્શિન:—સત્યના દૃષ્ટા.
Translation
BG 4.34: આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.
યજ્જ્ઞાત્વા ન પુનર્મોહમેવં યાસ્યસિ પાણ્ડવ ।
યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ ॥ ૩૫॥
યત્—જે; જ્ઞાત્વા—જાણીને; ન—કદી નહીં; પુન:—ફરીથી; મોહમ્—મોહ; એવમ્—એ રીતે; યાસ્યસિ—પ્રાપ્ત કરીશ; પાંડવ—અર્જુન, પાંડુપુત્ર; યેન—જેનાથી; ભૂતાનિ—જીવો; અશેષાણિ—સમગ્ર; દ્રક્ષ્યસિ—તું જોઈશ; આત્મનિ—મારામાં (શ્રીકૃષ્ણ); અથો—એ કહેવું; મયિ—મારામાં.
Translation
BG 4.35: આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરૂ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહિ. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે.
અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ ।
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સન્તરિષ્યસિ ॥ ૩૬॥
અપિ—પણ; ચેત્—જો; અસિ—તું છે; પાપેભ્ય:—પાપીઓ; સર્વેભ્ય:—સર્વમાં; પાપ-કૃત્-તમ:—સર્વાધિક પાપી; સર્વમ્—સર્વ; જ્ઞાન-પ્લવેન—દિવ્ય જ્ઞાનરૂપી નૌકા દ્વારા; એવ—નિશ્ચિત; વૃજિનમ્—પાપ; સંન્તરિષ્યસિ—તું પૂર્ણપણે પાર કરી જઈશ.
Translation
BG 4.36: જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયિક સંસારનાં ભવસાગરને પાર કરી શકે છે.
યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિર્ભસ્મસાત્કુરુતેઽર્જુન ।
જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતે તથા ॥ ૩૭॥
યથા—જેવી રીતે; એંધાસિ—ઇંધણને; સમિદ્ધ:—પ્રજ્વલિત; અગ્નિ:—અગ્નિ; ભસ્મ-સાત્—ભસ્મ; કુરુતે—કરી દે છે; અર્જુન—અર્જુન; જ્ઞાન-અગ્નિ:—જ્ઞાનરૂપી અગ્નિ; સર્વ-કર્માણિ—ભૌતિક કર્મના સર્વ ફળોને; ભસ્મ-સાત્—ભસ્મ; કુરુતે—કરે છે; તથા—તેવી રીતે.
Translation
BG 4.37: જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન! જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે.
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે ।
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ ॥ ૩૮॥
ન—નહીં; હિ—નિશ્ચિત; જ્ઞાનેન—જ્ઞાનથી; સદૃશમ્—સરખામણી; પવિત્રમ્—પવિત્ર; ઈહ—આ લોકમાં; વિદ્યતે—છે; સ્વયમ્—પોતે જ; યોગ—યોગસાધના; સંસિદ્ધ:—પરિપકવ થયેલો; કાલેન—યથા સમયે; આત્મનિ—અંત:કરણમાં; વિન્દતિ—આસ્વાદન કરે છે.
Translation
BG 4.38: આ સંસારમાં દિવ્યજ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. જે દીર્ઘકાલીન યોગસાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે, તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે.
શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥ ૩૯॥
શ્રદ્ધાવાન્—શ્રદ્ધાળુ; લભતે—પ્રાપ્ત કરે છે; જ્ઞાનમ્—જ્ઞાન; તત્-પર:—તેમાં અનુરક્ત; સંયત—સંયમિત; ઇન્દ્રિય:—ઇન્દ્રિયો; જ્ઞાનમ્—દિવ્ય જ્ઞાન; લબ્ધવા—મેળવીને; પરામ્—પરમ; શાંતિમ્—શાંતિ; અચિરેણ—વિલંબ વિના; અધિગચ્છતિ—પામે છે.
Translation
BG 4.39: તેઓ, જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે.
અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ ।
નાયં લોકોઽસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ॥ ૪૦॥
અજ્ઞ:—અજ્ઞાની; ચ—અને; અશ્રદ્ધાન:—શ્રદ્ધારહિત; ચ—અને; સંશય—સંશયગ્રસ્ત; આત્મા—વ્યક્તિ; વિનશ્યતિ—નીચે પડે છે; ન—કદી નહીં; અયમ્—આમાં; લોક:—લોક; અસ્તિ—છે; ન—નથી; પર:—આવતા; ન—નહીં; સુખમ્—સુખ; સંશય-આત્માન:—સંશયગ્રસ્ત વ્યક્તિ.
Translation
BG 4.40: પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે. કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે.
યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસઞ્છિન્નસંશયમ્ ।
આત્મવન્તં ન કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ॥ ૪૧॥
યોગ-સંન્યસ્ત-કર્માંણમ્—જેમણે કર્મકાંડોનો ત્યાગ કર્યો છે અને પોતાના તન, મન અને આત્મા ભગવાનને સમર્પિત કર્યા છે; જ્ઞાન—જ્ઞાન દ્વારા; સઞ્છિન્ન—દૂર કર્યા છે; સંશયમ્—સંદેહ; આત્મ-વન્તમ્—આત્મજ્ઞાનમાં સ્થિત; ન—નહીં; કર્માણિ—કર્મો; નિબધ્નન્તિ—બાંધે છે; ધનંજય—અર્જુન, સંપત્તિનો વિજેતા.
Translation
BG 4.41: હે અર્જુન! જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતાં નથી.
તસ્માદજ્ઞાનસમ્ભૂતં હૃત્સ્થં જ્ઞાનાસિનાત્મનઃ ।
છિત્ત્વૈનં સંશયં યોગમાતિષ્ઠોત્તિષ્ઠ ભારત ॥ ૪૨॥
તસ્માત્—તેથી; અજ્ઞાન-સમ્ભૂતમ્—અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા; હૃત્-સ્થમ્—હૃદયમાં સ્થિત; જ્ઞાન—જ્ઞાનરૂપી; અસિના—તલવારથી; આત્મન:—પોતાનાં; છિત્વા—કાપીને; એનમ્—આ; સંશયમ્—સંદેહ; યોગમ્—કર્મયોગમાં; આતિષ્ઠ—સ્થિત થા; ઉત્તિષ્ઠ—ઊભો થા; ભારત—અર્જુન, ભરતવંશી.
Translation
BG 4.42: તેથી, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી! પોતાને કર્મયોગમાં સ્થિત કર. ઊઠ, ઊભો થા અને યુદ્ધ કર!
Comments
Post a Comment