7અધ્યાય ૭ : જ્ઞાન વિજ્ઞાન યોગ

 શ્રીભગવાનુવાચ ।

મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ ।
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ॥૧॥

શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા; મયિ—મારામાં; આસક્ત-મના:—આસક્ત મનવાળો; પાર્થ—પૃથાપુત્ર; યોગમ્—ભક્તિ યોગ; યુઞ્જન—અભ્યાસ કરતા; મત-આશ્રય:—મને સમર્પિત; અસંશયમ્—નિ:સંદેહ; સમગ્રમ્—સંપૂર્ણપણે; મામ્—મને; યથા—જે રીતે; જ્ઞાસ્યસિ—તું જાણી શકીશ; તત્—તે; શ્રુણુ—સાંભળ.

Translation

BG 7.1: પૂર્ણ પરમેશ્વર ભગવાન બોલ્યા: હે અર્જુન! હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિ:સંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ.  

જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ । યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે ॥ ૨॥

જ્ઞાનમ્—જ્ઞાન; તે—તને; અહમ્—હું; સ—સહિત; વિજ્ઞાનમ્—વિવેક; ઈદમ્—આ; વક્ષ્યામિ—કહીશ; અશેષત:—પૂર્ણપણે; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; ન—નહીં; ઇહ—આ જગતમાં; ભૂય:—આગળ; અન્યત્—અન્ય કશું; જ્ઞાતવ્યમ્—જાણવા યોગ્ય; અવશિષ્યતે—બાકી રહે છે.

Translation

BG 7.2: હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રકટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી.  

મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે ।
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ ॥ ૩॥

મનુષ્યાણામ્—મનુષ્યોમાંથી; સહસ્ત્રેષુ—હજારોમાંથી; કશ્ચિત્—કોઈ એક; યતતિ—પ્રયાસ કરે છે; સિદ્ધયે—સિદ્ધિ માટે; યતતામ્—એવી રીતે પ્રયાસો કરનારાઓમાંથી; અપિ—પણ; સિદ્ધાનામ્—સિદ્ધ મનુષ્યોમાંથી; કશ્ચિત્—કોઈ એક; મામ્—મને; વેત્તિ—જાણે છે; તત્ત્વત:—વાસ્તવિક રીતે.

Translation

BG 7.3: સહસ્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે.

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ ।
અહઙ્કાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥ ૪॥

ભૂમિ:—પૃથ્વી; આપ:—જળ; અનલ:—અગ્નિ; વાયુ:—વાયુ; ખમ્—આકાશ; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; એવ—નિશ્ચિત; ચ—અને; અહંકાર:—અહંકાર; ઇતિ—એમ; ઈયમ્—આ સર્વ; મે—મારી; ભિન્ના—પૃથક; પ્રકૃતિ:—માયિક શક્તિઓ; અષ્ટધા—આઠ પ્રકારની.

Translation

BG 7.4: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર—આ સર્વ મારી પ્રાકૃત શક્તિના આઠ તત્ત્વો છે. 

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ॥ ૫॥

અપરા—નિકૃષ્ટ; ઈયમ્—આ; ઈત: —આ ઉપરાંત; તુ—પરંતુ; અન્યામ્—અન્ય; પ્રકૃતિમ્—શક્તિ; વિદ્ધિ—જાણ; મે—મારી; પરામ્—ઉત્કૃષ્ટ; જીવ-ભૂતામ્—જીવો; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; યયા—જેના દ્વારા; ઈદમ્—આ; ધાર્યતે—આધાર; જગત—ભૌતિક જગત.

Translation

BG 7.5: આવી ગૌણ મારી અપરા શક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી, હે મહાભુજાઓવાળા અર્જુન, મારી પરા શક્તિ છે. આ જીવશક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે. 

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય ।
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ॥ ૬॥

એતત્ યોનીનિ—આ બન્ને શક્તિઓ જેનો સ્ત્રોત છે; ભૂતાનિ—જીવંત પ્રાણીઓ; સર્વાંણિ—સર્વ; ઈતિ—તે; ઉપધારય—જાણ; અહમ્—હું; કૃત્સ્નસ્ય—સમગ્ર; જગત:—સૃષ્ટિ; પ્રભવ:—સ્ત્રોત; પ્રલય:—વિનાશ; તથા—અને.

Translation

BG 7.6: સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે, તે જાણ. હું સમગ્ર સૃષ્ટિનો સ્રોત છું અને મારામાં જ તે પુન: વિલીન થઈ જાય છે.

મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય ।
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ ॥ ૭॥

મત્ત:—મારાથી પર; પર-તરમ્—શ્રેષ્ઠ; ન—નથી; અન્યત્ કિંઞ્ચિત્—અન્ય કશું; અસ્તિ—છે; ધનંજય—અર્જુન, સંપત્તિનો વિજેતા; મયિ—મારામાં; સર્વમ્—સર્વ; ઈદમ્—જે આપણે જોઈએ છીએ; પ્રોતમ્—ગૂંથેલું; સૂત્રે—દોરામાં; મણિ-ગણા:—મોતીના દાણા; એવ—જેમ.

Translation

BG 7.7: હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલાં રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. 

રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ ૮॥

રસ:—સ્વાદ; અહમ્—હું; અપ્સુ—જળમાં; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રભા—પ્રકાશ; અસ્મિ—હું છું; શશી-સૂર્યયો:—ચંદ્ર અને સૂર્યના; પ્રણવ:—પવિત્ર ઉચ્ચારણ ॐ (ઓમ); સર્વ—સર્વમાં; વેદેષુ—વેદો; શબ્દ:-—ધ્વનિ; ખે—આકાશમાં; પૌરુષમ્—સામર્થ્ય; નૃષુ—મનુષ્યોમાં.

Translation

BG 7.8: હે કુંતીપુત્ર! હું જળમાં સ્વાદ છું અને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ॐ (ઓમ) છું; હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. 

પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ ।
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ ૯॥

પુણ્ય:—શુદ્ધ; ગન્ધ:—સુગંધ; પૃથિવ્યામ્—પૃથ્વીમાં; ચ—અને; તેજ:—પ્રકાશ; ચ—અને; અસ્મિ—હું છું; વિભાવસૌ—અગ્નિમાં; જીવનમ્—જીવનબળ; સર્વ—સર્વ; ભૂતેષુ—પ્રાણીઓ; તપ:—તપ; ચ—અને; અસ્મિ—હું છું; તપસ્વીષુ—તપ કરનારામાં.

Translation

BG 7.9: હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવનબળ છું અને તપસ્વીઓનું તપ છું.

બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્ ।
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ॥ ૧૦॥

બીજમ્—બીજ; મામ્—મને; સર્વ-ભૂતાનામ્—સર્વ જીવોનું; વિદ્ધિ—જાણ; પાર્થ—અર્જુન, પૃથા પુત્ર; સનાતનમ્—સનાતન; બુદ્ધિ:—બુદ્ધિ; બુદ્ધિ-મતામ્—બુદ્ધિશાળીઓની; અસ્મિ—(હું) છું; તેજ:—શોભા; તેજસ્વિનામ્—તેજસ્વીઓનું; અહમ્—હું.

Translation

BG 7.10: હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. 

બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ ।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ॥ ૧૧॥

બલમ્—બળ; બલ-વતામ્—બળવાનોનું; ચ—અને; અહમ્—હું; કામ—ઈચ્છા; રાગ—આસક્તિ; વિવર્જિતમ્—રહિત; ધર્મ-અવિરુદ્ધ:—જે ધર્મની વિરુદ્ધ નથી; ભૂતેષુ—સર્વ પ્રાણીઓમાં; કામ:—જાતીય ક્રિયાઓ; અસ્મિ—(હું) છું; ભરત-ઋષભ —અર્જુન, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.

Translation

BG 7.11: હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. 

યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે ।
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥ ૧૨॥

યે—જે કંઈ; ચ—અને; એવ—નિશ્ચિત; સાત્ત્વિકા:—સત્ત્વગુણી; ભાવા:—ભૌતિક અસ્તિત્વની અવસ્થા; રાજસા:—રજોગુણી; તામસા:—તમોગુણી; ચ—અને; યે—જે કંઈ; મત્ત:—મારાથી; એવ—નિશ્ચિત; ઇતિ—આ રીતે; તાન્—તેઓ; વિદ્ધિ—જાણ; ન—નહીં; તુ—પરંતુ; અહમ્—હું; તેષુ—તેમનામાં; તે—તેઓ; મયિ—મારામાં.

Translation

BG 7.12: માયિક અસ્તિત્ત્વની ત્રણ અવસ્થાઓ—સાત્ત્વિક, રાજસી અને તામસી—મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનાથી પરે છું.  

ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્ ।
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્ ॥ ૧૩॥

ત્રિભિ:—ત્રણ દ્વારા; ગુણ મયૈ:—માયિક પ્રકૃતિના ગુણોથી નિર્મિત; ભાવૈ:—અવસ્થાઓ; એભિ:—આ સર્વ; સર્વમ્—સંપૂર્ણ; ઈદમ્—આ; જગત—જગત; મોહિતમ્—મોહિત; ન—નહિ; અભિજાનાતિ—જાણ; મામ્—મને; એભ્ય:—આ; પરમ—પરમ; અવ્યયમ્—અવિનાશી.

Translation

BG 7.13: માયાના ત્રણ ગુણોથી મોહિત, આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી.  

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ ૧૪॥

દૈવી—દિવ્ય; હિ—ખરેખર; એષા—આ; ગુણ-મયી—પ્રકૃતિના ત્રણ ગુણોવાળી; મમ—મારી; માયા—ભગવાનની એક શક્તિ, જે ભગવાનના વાસ્તવિક સ્વરૂપને એ જીવાત્માઓથી છુપાવેલું રાખે છે, જેમણે હજી ભગવદ્-પ્રાપ્તિની પાત્રતા મેળવી નથી; દુરત્યયા—પાર કરવી અત્યંત કઠિન; મામ્—મને; એવ—નિશ્ચિત; એ—જે; પ્રપધ્યન્તે—શરણાગત; માયામ્ એતામ્—આ માયા; તરન્તિ—પાર કરે છે; તે—તેઓ.

Translation

BG 7.14: મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિનાં ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે.” 

ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ ।
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥ ૧૫॥

ન—નહી; મામ્—મને; દુષ્કૃતિન:—દુષ્ટ; મૂઢા:—મૂર્ખ; પ્રપધ્યન્તે—શરણાગત; નર-અધમા:—જે તેમની નિકૃષ્ટ પ્રકૃતિને પ્રમાદી રીતે અનુસરે છે; માયયા—ભગવાનની માયિક શક્તિ દ્વારા; અપહૃત જ્ઞાના:—ભ્રમિત બુદ્ધિવાળા; આસુરમ્—આસુરી; ભાવમ્—પ્રકૃતિ; આશ્રિતા:—આશ્રિત.

Translation

BG 7.15: ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી—તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે, તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે. 

ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥

ચતુ:-વિધા:—ચાર પ્રકારના; ભજન્તે—ભજે છે; મામ્—મને; જના:—લોકો; સુ-કૃતિન:—તેઓ જે પવિત્ર છે; અર્જુન—અર્જુન; આર્ત:—સંતપ્ત; જિજ્ઞાસુ:—જ્ઞાન મેળવવા ઉત્સુક; અર્થ-અર્થી—માયિક લાભ મેળવવા ઉત્સુક; જ્ઞાની—તેઓ જે જ્ઞાનમાં સ્થિત છે; ચ—અને; ભરત-ઋષભ—ભરતશ્રેષ્ઠ.

Translation

BG 7.16: હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે—સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પિપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે.

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥ ૧૭॥

તેષામ્—તેઓમાંના; જ્ઞાની—તેઓ જે જ્ઞાનમાં સ્થિત છે; નિત્ય-યુક્ત:-—સદા દૃઢ; એક—અનન્ય; ભક્તિ:—ભક્તિ; વિશિષ્યતે—શ્રેષ્ઠત્તમ; પ્રિય:—બહુ પ્રિય; હિ—નિશ્ચિત; જ્ઞાનિન:—જ્ઞાની મનુષ્યનો; અત્યર્થમ્—અત્યાધિક; અહમ્—હું; સ:—તે; ચ—અને; મમ—મને; પ્રિય:—પ્રિય.

Translation

BG 7.17: આમાંથી, હું તેમને શ્રેષ્ઠત્તમ માનું છે, જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દૃઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે. 

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥ ૧૮॥

ઉદારા:—ઉદાર; સર્વે—સર્વ; એવ—નક્કી; એતે—આ; જ્ઞાની—જ્ઞાની; તુ—પરંતુ; આત્મા એવ—મારા જેવો જ; મે—મારો; મતમ્—અભિપ્રાય; આસ્થિત:—સ્થિત; સ:—તે; હિ—નિશ્ચિત; યુક્ત-આત્મા—જે જોડાયેલો છે; મામ્—મને; એવ—નિશ્ચિત; અનુત્તમામ્—સર્વોચ્ચ; ગતિમ્—ધ્યેય.

Translation

BG 7.18: વાસ્તવમાં, એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિ:સંદેહ ઉદાર મનવાળા છે.પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છે. 

બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે ।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥ ૧૯॥

બહુનામ્—અનેક; જન્મનામ્—જન્મ; અન્તે—પછી; જ્ઞાનવાન્—પૂર્ણજ્ઞાની; મામ્—મને; પ્રપધ્યન્તે—શરણાગત થાય છે; વાસુદેવ:—શ્રીકૃષ્ણ, વાસુદેવના પુત્ર; સર્વમ્—સર્વ; ઈતિ—એમ; સ: —તે; મહા-આત્મા—મહાત્મા; સુ-દુર્લભમ્—અત્યંત દુર્લભ.

Translation

BG 7.19: અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત્ જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વેસર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે.  

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ ।
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥ ૨૦॥

કામૈ:—માયિક કામનાઓ દ્વારા; તૈ: તૈ:—વિવિધ; હ્રત-જ્ઞાના:—જેમનું જ્ઞાન હરાઈ ગયું છે; પ્રપધ્યન્તે—શરણાગત; અન્ય—અન્ય; દેવતા: —દેવતાઓ; તમ્ તમ્—વિવિધ; નિયમમ્—નિયમો અને વિધાનો; આસ્થાય—અનુસરીને; પ્રકૃત્યા—પ્રકૃતિ દ્વારા; નિયત: —નિયંત્રિત; સ્વયા—તેમના પોતાના દ્વારા.

Translation

BG 7.20: જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. 

યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ૨૧॥

ય: ય:—જે જે; યામ્ યામ્—જેની જેની; તનુમ્—સ્વરૂપ; ભક્ત:—ભક્ત; શ્રદ્ધયા—શ્રદ્ધાપૂર્વક; અર્ચિતુમ્—પૂજા કરવા; ઈચ્છતિ—ઈચ્છે છે; તસ્ય તસ્ય—તેની તેની; અચલામ્—સ્થિર; શ્રદ્ધામ્—શ્રદ્ધા; તામ્—તેમાં; એવ—નિશ્ચિત; વિદધામિ—આપું છું; અહમ્—હું.

Translation

BG 7.21: દેવતાના જે કોઈપણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક  આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દૃઢ કરું છું.   

સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ૨૨॥

સ:—તે; તયા—તે સાથે; શ્રદ્ધયા—શ્રદ્ધાથી; યુક્ત:—યુક્ત; તસ્ય—તેમની; આરાધનમ્—આરાધના; ઇહતે—વ્યસ્ત થવા પ્રયાસ કરે છે; લભતે—પ્રાપ્ત કરે છે; ચ—અને; તત:—તેનાથી; કામાન્—ઈચ્છાઓ; મયા—મારા દ્વારા; એવ—એકલા; વિહિતાન્—પ્રદાન; હિ—નિશ્ચિત; તાન્—તે.

Translation

BG 7.22: શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે. પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છે.  

અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ ।
દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ॥ ૨૩॥

અન્ત-વત્—નાશવંત; તુ—પરંતુ; ફલમ્—ફળ; તેષામ્—તેમના દ્વારા; તત્—તે; ભવતિ—થાય છે; અલ્પ-મેધસામ્—અલ્પજ્ઞાની; દેવાન્—દેવોને; દેવ-યજ:—દેવોને પૂજનારા; યાન્તિ—જાય છે; મત્—મારા; ભક્તા:—ભક્તો; યાન્તિ—જાય છે; મામ્—મને; અપિ—પણ.

Translation

BG 7.23: પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જયારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે.

અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ ।
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ॥ ૨૪॥

અવ્યક્તમ્—નિરાકાર; વ્યક્તિમ્—સાકાર સ્વરૂપ; આપન્નમ્—પ્રાપ્ત થયેલા; મન્યન્તે—માને છે; મામ્—મને; અબુદ્ધય: —અલ્પજ્ઞાની; પરમ્—પરમ; ભાવમ્—પ્રકૃતિ; અજાનન્ત:—જાણ્યા વિના; મમ—મારા; અવ્યયમ્—અવિનાશી; અનુત્તમમ્—સર્વોત્તમ.

Translation

BG 7.24: અલ્પજ્ઞાનીઓ માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. 

નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ ।
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ॥ ૨૫॥

ન—નથી; અહમ્—હું; પ્રકાશ:—પ્રગટ; સર્વસ્ય—બધા માટે; યોગમાયા—ભગવાનની સર્વોચ્ચ દિવ્ય શક્તિ; સમાવૃત:—ઢંકાયેલો; મૂઢ:—મોહિત; અયમ્—આ; ન—નહીં; અભિજાનાતિ—જાણ; લોક:—મનુષ્યો; મામ્—મને; અજમ્—અજન્મા; અવ્યયમ્—અવિનાશી.

Translation

BG 7.25: મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી, મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે, તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું.

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥ ૨૬॥

વેદ—જાણ; અહમ્—હું; સમતીતાનિ—ભૂતકાળ; વર્તમાનાનિ—વર્તમાન; ચ—અને; અર્જુન—અર્જુન; ભવિષ્યાણિ—ભવિષ્ય; ચ—પણ; ભૂતાનિ—સર્વ જીવોને; મામ્—મને; તુ—પરંતુ; વેદ—જાણ; ન કશ્ચન—કોઈ પણ નહીં.

Translation

BG 7.26: હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છે અને હું સર્વ જીવોને જાણું છું; પરંતુ મને કોઈ જાણતું નથી. 

ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત ।
સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરન્તપ ॥ ૨૭॥

ઈચ્છા—ઈચ્છા; દ્વેષ—દ્વેષ; સમુત્થેન—માંથી ઉદ્દભવેલા; દ્વન્દ્વ—દ્વૈત; મોહેન—મોહથી; ભારત—અર્જુન, ભરતવંશી; સર્વ—સર્વ; ભૂતાનિ—જીવો; સમ્મોહમ્—મોહમાં; સર્ગે—જન્મથી; યાન્તિ—પ્રવેશે છે; પરન્તપ—અર્જુન, શત્રુઓના વિજેતા.

Translation

BG 7.27: હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનો દ્વન્દ્વ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા  સંમોહિત થાય છે. 

યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ ।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ॥ ૨૮॥

યેષામ્—જેમનું; તુ—પરંતુ; અન્ત-ગતમ્—સંપૂર્ણપણે નષ્ટ થયેલું; પાપમ્—પાપ; જનાનામ્—મનુષ્યોનું; પુણ્ય—પવિત્ર; કર્મણામ્—પ્રવૃત્તિઓ; તે—તેઓ; દ્વન્દ્વ—દ્વૈતના; મોહ—મોહ; નિર્મુક્તા:—થી મુક્ત; ભજન્તે—ભજે છે; મામ્—મને; દૃઢ-વ્રતા:—દૃઢ નિશ્ચયપૂર્વક.

Translation

BG 7.28: પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે, તેઓ આ દ્વૈતના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે. 

જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે ।
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ॥ ૨૯॥

જરા—વૃદ્ધાવસ્થા; મરણ— તથા મૃત્યુ; મોક્ષાય—મુક્તિ માટે; મામ્—મને; આશ્રિત્ય—આશ્રયે આવીને; યતન્તિ—પ્રયત્ન કરે છે; યે—જેઓ;  તે—તેઓ; બ્રહ્મ—બ્રહ્મ; તત્—તે; વિદુ:-—જાણ; કૃત્સ્નમ્—બધું; અધ્યાત્મમ્—જીવાત્મા; કર્મ—કર્મ; ચ—અને; અખિલમ્—સમગ્રતયા.

Translation

BG 7.29: જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. 

સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ ।
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ॥ ૩૦॥

સ-અધિભૂત—ભૌતિક જગતનું સંચાલન કરનારા સિદ્ધાંત; અધિદૈવમ્—સ્વર્ગીય દેવોનું નિયમન કરતા સિદ્ધાંતો; મામ્—મને; સ-અધિયજ્ઞમ્—સર્વ યજ્ઞોનું નિયમન કરનારા સિદ્ધાંતો; ચ—અને; યે—જેઓ; વિદુ:—જાણ; પ્રયાણ—મૃત્યુ; કાલે—સમયે; અપિ—પણ; ચ—અને; મામ્—મને; તે—તેઓ; વિદુ:—જાણ; યુક્ત-ચેતસ:—મારી ચેતનાથી સંપૂર્ણ યુક્ત.

Translation

BG 7.30: જેઓ મને અધિભૂત (માયાનું ક્ષેત્ર) અને અધિદૈવ (સ્વર્ગીય દેવો) તેમજ અધિયજ્ઞ (સર્વ યજ્ઞ-કાર્યના સ્વામી)નાં સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે.


Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો