૦૩ તૃતીયોધ્યાય: કર્મયોગ
અર્જુન ઉવાચ ।
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન ।
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ॥ ૧॥
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે ।
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ॥ ૨॥
અર્જુન ઉવાચ—અર્જુને કહ્યું; જ્યાયસી—શ્રેષ્ઠ; ચેત્—જો; કર્મણ:—સકામ કર્મ; તે—તમારા વડે; મતા—માનવામાં આવી છે; બુદ્ધિ:—બુદ્ધિ; જનાર્દન—શ્રી કૃષ્ણ, લોકોનું પાલન કરનારા; તત્—ત્યારે; કિમ્—શા માટે; કર્મણિ—કર્મ; ઘોરે—ભયંકર; મામ્—મને; નિયોજયસિ—તમે વ્યસ્ત કરો; કેશવ—કૃષ્ણ, કેશી અસુરના સંહારક; વ્યામિશ્રેણ ઈવ—સંદિગ્ધ લાગતા; વાક્યેન્—વચનો; બુદ્ધિમ્—બુદ્ધિ; મોહયસિ—હું મોહિત થઇ રહ્યો છું; ઈવ—જાણે; મે—મારી; તત્—માટે; એકમ્—એકમાત્ર; વદ—કૃપા કરીને કહો; નિશ્ચિત્ય—નિશ્ચયાત્મક રીતે; યેન્—જેના વડે; શ્રેય:—ઉચ્ચ કલ્યાણ; અહમ્—હું; આપ્નુયામ્—મેળવી શકું.
Translation
BG 3.1-2: અર્જુને કહ્યું: હે જનાર્દન! જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહ્વળ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય.
શ્રીભગવાનુવાચ ।
લોકેઽસ્મિન્ દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ ।
જ્ઞાનયોગેન સાઙ્ખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ ॥ ૩॥
શ્રીભગવાન્ ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; લોકે—સંસારમાં; અસ્મિન્—આ; દ્વિવિધા—બે પ્રકારની; નિષ્ઠા—શ્રદ્ધા; પુરા—પૂર્વે; પ્રોક્તા—કહેવાયેલી; મયા—મારા (શ્રી કૃષ્ણ)વડે; અનઘ—નિષ્પાપ; જ્ઞાનયોગેન્—જ્ઞાનયોગ દ્વારા; સાંખ્યાનામ્—જ્ઞાનીઓની; કર્મયોગેન—કર્મયોગ દ્વારા; યોગિનામ્—યોગીઓની.
Translation
BG 3.3: પરમ કૃપાળુ ભગવાન બોલ્યા: હે નિષ્પાપ અર્જુન! મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન-પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે: જ્ઞાનયોગ, તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મ યોગ, તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે.
ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોઽશ્નુતે ।
ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ ॥ ૪॥
ન—નહિ; કર્મણા—કર્મના; અનારમ્ભાત્—દૂર રહેવાથી; નૈષ્કર્મમ્યમ્—કર્મફળમાંથી મુક્તિ; પુરુષ:—મનુષ્ય; અશ્નુતે—પ્રાપ્ત કરે છે; ન—નહી; ચ—અને; સંન્યસનાત્—ત્યાગ કરવાથી; એવ—કેવળ; સિદ્ધિમ્—સફળતા; સમધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.
Translation
BG 3.4: મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।
કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ ॥ ૫॥
ન—નહીં; હિ—નક્કી; કશ્ચિત્—કોઈપણ; ક્ષણમ્—ક્ષણ; અપિ—પણ; જાતુ—કોઈપણ વખતે; તિષ્ઠતિ—રહે છે; અકર્મ-કૃત્—કર્મ વિના; કાર્યતે—કરવામાં આવે છે; હિ—નક્કી; અવશ:—વિવશ થઈને; કર્મ—કર્મ; સર્વ:—બધા; પ્રકૃતિ-જૈ:—માયિક પ્રકૃતિથી જન્મેલું; ગુણૈઃ:—ગુણો દ્વારા.
Translation
BG 3.5: કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.
કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥ ૬॥
કર્મ-ઇન્દ્રિયાણિ—કર્મેન્દ્રિયો; સંયમ્ય—વશમાં રાખીને; ય:—જે; આસ્તે—રહે છે; મનસા—મનથી; સ્મરન્—ચિંતન કરતો; ઇન્દ્રિય- અર્થાન્—ઇન્દ્રિયોના વિષયનું; વિમૂઢ-આત્મા—મૂર્ખ જીવ; મિથ્યા-આચાર:—દંભી; સ:—તે; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 3.6: જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિ:સંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે.
યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન ।
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે ॥ ૭॥
ય:—જે; તુ—પરંતુ; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; મનસા—મનથી; નિયમ્ય—નિયંત્રિત કરીને; આરભતે—આરંભ કરે છે; અર્જુન—અર્જુન; કર્મ-ઇન્દ્રિયૈયા—કર્મેન્દ્રિયોથી; કર્મયોગમ્—કર્મયોગ; અસક્ત:—અનાસક્ત; સ:—તે; વિશિષ્યતે—ઘણો સારો છે.
Translation
BG 3.7: પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે, હે અર્જુન! અને કર્મેન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે.
નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥ ૮॥
નિયતમ્—નિયત; કુરુ—કર; કર્મ—વૈદિક કર્મો; ત્વમ્—તું; કર્મ—કર્મ; જ્યાય:—શ્રેષ્ઠ; હિ—નક્કી; અકર્મણ:—કર્મ ના કરવા કરતાં; શરીર—શરીરનું; યાત્રા—પાલન; અપિ—પણ; ચ—અને; તે—તારું; ન પ્રસિદ્ધ્યેત્—સંભવ નથી; અકર્મણ:—કર્મ વિના.
Translation
BG 3.8: આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહિ બને.
યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધનઃ ।
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગઃ સમાચર ॥ ૯॥
યજ્ઞ-અર્થાત્—યજ્ઞ માટે કરેલું; કર્મણ:—કર્મથી; અન્યત્ર—અન્યથા; લોક:—જગત; અયમ્—આ; કર્મ બંધન:—કર્મ દ્વારા બંધન; તત્—તે; અર્થમ્—ને માટે; કર્મ—કર્મ; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; મુક્ત-સંગ:—આસક્તિ રહિત; સમાચર—ઉચિત રીતે કર.
Translation
BG 3.9: કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા, આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી, હે કુંતીપુત્ર! ભગવાનની પ્રસન્નતા અર્થે, ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર.
સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ ।
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ ॥ ૧૦॥
સ:—ની સાથે; યજ્ઞ:—યજ્ઞ; પ્રજા:—સંતાનો; સૃષ્ટ્વા—સર્જન કરીને; પુરા—પ્રાચીન કાળમાં; ઉવાચ—બોલ્યા; પ્રજાપતિ:—બ્રહ્મા; અનેન—આના વડે; પ્રસવિષ્યધ્વમ્—અધિક સમૃદ્ધ થવું; એષ:—આ; વ:—તમારું; અસ્તુ—થાવ; ઇષ્ટ-કામ-ધૂક્—સર્વ ઈચ્છિત વસ્તુઓ આપનાર.
Translation
BG 3.10: સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યોનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું, “આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો, તે પ્રદાન કરશે.”
દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ ।
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ ॥ ૧૧॥
દેવાન્—દેવોને; ભાવયતા—પ્રસન્ન કરીને; અનેન—આ (યજ્ઞો) દ્વારા; તે—તેઓ; દેવા:—દેવો; ભાવયન્તુ—પ્રસન્ન થશે; વ:—તમને; પરસ્પરમ્—અરસપરસ; ભાવયન્ત:—એકબીજાને પ્રસન્ન કરીને; શ્રેય:—સમૃદ્ધ; પરમ્—સર્વોપરી; અવાપ્સ્યથ—પ્રાપ્ત કરશે.
Translation
BG 3.11: તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
ઈષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ ।
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભુઙ્ક્તે સ્તેન એવ સઃ ॥ ૧૨॥
ઈષ્ટાન્—ઈચ્છિત; ભોગાન્—જીવનની જરૂરિયાતો; હિ—નક્કી; વ:—તમને; દેવા:—દેવો; દાસ્યન્તે—આપશે; યજ્ઞ-ભાવિતા:—યજ્ઞો કરવાથી પ્રસન્ન થઈને; તૈ:—તેમના વડે; દત્તાન્—આપેલી વસ્તુઓ; અપ્રદાય—અર્પણ કર્યાં વિના; એભ્ય:—તેમને; ય:—જે; ભુંક્તે—ભોગવે છે; સ્તેન:—ચોર; એવ—નક્કી; સ:—તેઓ.
Translation
BG 3.12: યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે, તેઓ નિ:શંક ચોર છે.
યજ્ઞશિષ્ટાશિનઃ સન્તો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ।
ભુઞ્જતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત્ ॥ ૧૩॥
યજ્ઞ-શિષ્ટ—યજ્ઞ કર્યા પછી ગ્રહણ કરાતું અન્ન; અશિન:—ખાનાર; સંત:—ભક્તો; મુચ્યન્તે—છૂટી જાય છે; સર્વ—બધાં પ્રકારના; કિલ્બિષૈ:—પાપોથી; ભુંજતે—ભોગવે છે; તે—તેઓ; તુ—પરંતુ; અઘમ્—ઘોર પાપ; પાપા:—પાપીજનો; યે—જેઓ; પચન્તિ—ભોજન બનાવે છે; આત્મ-કારણાત્—તેમના પોતાના કલ્યાણ માટે.
Translation
BG 3.13: આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતાં ભક્તો, પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે, તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો, જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ નિ:શંક પાપ જ ખાય છે.
અન્નાદ્ભવન્તિ ભૂતાનિ પર્જન્યાદન્નસમ્ભવઃ ।
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ॥ ૧૪॥
અન્નાત્—અન્નથી; ભવન્તિ—ઉત્પન્ન થાય છે; ભૂતાનિ—જીવંત પ્રાણીઓ; પર્જન્યાત્—વરસાદથી; અન્ન—ધાન્યનું; સંભવ:—ઉત્પાદન; યજ્ઞાત્—યજ્ઞ કરવાથી; ભવતિ—શક્ય થાય છે; પર્જન્ય:—વર્ષા; યજ્ઞ:—યજ્ઞ કાર્ય; કર્મ—નિયત કર્મ; સમુદ્ભવ:—જન્મે છે.
Translation
BG 3.14: સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્ત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે.
કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ્ ।
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ્ ॥ ૧૫॥
કર્મ—કર્મ; બ્રહ્મ—વેદોમાંથી; ઉદ્ભવમ્—પ્રગટ થાય છે; વિદ્ધિ—તારે જાણવું જોઈએ; બ્રહ્મ—વેદો; અક્ષર—અવિનાશી પરબ્રહ્મમાંથી; સમુદ્ભવમ્—સાક્ષાત પ્રગટ થયેલ; તસ્માત્—માટે; સર્વ-ગતમ્—સર્વવ્યાપી; બ્રહ્મ—બ્રહ્મ; નિત્યમ્—શાશ્વત રીતે; યજ્ઞે—યજ્ઞમાં; પ્રતિષ્ઠિતમ્—અવસ્થિત.
Translation
BG 3.15: વેદોમાં મનુષ્યો માટેનાં કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે. તેથી, સર્વ-વ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે.
એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ ।
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ ૧૬॥
એવમ્—એ રીતે; પ્રવર્તિતમ્—કાર્યશીલ થવું; ચક્રમ્—ચક્ર; ન—નથી; અનુવર્તયતિ—અનુસરવું; ઇહ—આ જીવનમાં; ય:—જે; અઘ-આયુ:—પાપમય જીવન; ઇન્દ્રિય-આરામ:—ઇન્દ્રિયઆસક્ત; મોઘમ્—વ્યર્થ; પાર્થ—અર્જુન, પૃથાનો પુત્ર; સ:—તે; જીવતિ—જીવે છે.
Translation
BG 3.16: હે પાર્થ! વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્ત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ-પ્રમાદ માટે જીવે છે; વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે.
યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ॥ ૧૭॥
ય:—જે; તુ—પરંતુ; આત્મરતિ:—આત્મામાં જ આનંદ માણતો; એવ—નિશ્ચિત; સ્યાત્—છે; આત્મતૃપ્ત:—આત્મસંતુષ્ટ; ચ—અને; માનવ:—મનુષ્ય; આત્મનિ—પોતાની અંદર; એવ—નિશ્ચિત; ચ—અને; સંતુષ્ટ:—પૂર્ણપણે સંતુષ્ટ; તસ્ય—તેનું; કાર્યમ્—કર્તવ્ય; ન—નથી; વિદ્યતે—રહેતું.
Translation
BG 3.17: પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મ-પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મ-સંતુષ્ટ હોય છે, તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી.
નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ।
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ ॥ ૧૮॥
ન—નહીં; એવ—નિશ્ચિત; તસ્ય—તેનું; કૃતેન—કર્તવ્ય પાલનથી; અર્થ:—પ્રાપ્તિ; ન—નહીં; અકૃતેન—કર્તવ્ય પાલન ન કરવાથી; ઇહ—અહીં; કશ્ચન—કંઈ પણ; ન—કદાપિ નહીં; ચ—અને; અસ્ય—તે મનુષ્યનું; સર્વ-ભૂતેષુ—સર્વ પ્રાણીઓમાં; કશ્ચિત્—કોઈ પણ; અર્થ—આવશ્યકતા; વ્યપાશ્રય:—નો આશ્રય લેવાનો.
Translation
BG 3.18: આવા આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમનાં કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થપૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે.
તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર ।
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પૂરુષઃ ॥ ૧૯॥
તસ્માત્—તેથી; અસક્ત:—આસક્તિરહિત; સતતમ્—નિરંતર; કાર્યમ્—કર્તવ્ય; કર્મ—કર્મ; સમાચર—કર; અસક્ત:—અનાસક્ત; હિ—નિશ્ચિત; આચરન્—કરતો રહી; કર્મ—કાર્ય; પરમ્—પરમેશ્વર; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે, પુરુષ:—મનુષ્ય.
Translation
BG 3.19: તેથી આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર, કારણકે, ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે.
કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ ।
લોકસઙ્ગ્રહમેવાપિ સમ્પશ્યન્કર્તુમર્હસિ ॥ ૨૦॥
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ ૨૧॥
કર્મણા— નિયત કર્તવ્યોના પાલન દ્વારા; એવ—જ; હિ—નિશ્ચિત; સંસિદ્ધમ્—પૂર્ણતા; આસ્થિતા:—પ્રાપ્ત કરવું; જનક-આદય:—જનક અને અન્ય રાજાઓ; લોક-સંગ્રહમ્—જનસમુદાયના કલ્યાણ માટે; એવ અપિ—કેવળ; સમ્પશ્યન્—વિચાર કરીને; કર્તુમ્—કરવા માટે; અર્હસિ—યોગ્ય છે; યત્ યત્—જે જે; આચરતિ—કરે છે; શ્રેષ્ઠ: —શ્રેષ્ઠ; તત્ તત્—કેવળ તે; એવ—નિશ્ચિત; ઈતર:—સામાન્ય; જન:—લોકો; સ:—તેઓ; યત્—જે કંઈ; પ્રમાણમ્—ધોરણો; કુરુતે—કરે છે; લોક:—વિશ્વ; તત્—તેના; અનુવર્તતે—અનુસરે છે.
Translation
BG 3.20-21: રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમનાં નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વનાં કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે.
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિઞ્ચન ।
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ॥ ૨૨॥
ન—નહીં; મે—મારું; પાર્થ—અર્જુન; અસ્તિ—છે; કર્તવ્યમ્—ઉત્તરદાયિત્વ; ત્રિષુ—ત્રણે; લોકેષુ—લોકમાં; કિંચન—કંઈ પણ; ન—નહીં; અનવાપ્તમ્—પ્રાપ્ત કરવું; અવાપ્તવ્યમ્—પ્રાપ્ત કરવા માટે; વર્તે—હું વ્યસ્ત છું; એવ—છતાં; ચ—પણ; કર્મણિ—નિયત કર્મમાં.
Translation
BG 3.22: હે પાર્થ! ત્રણે લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં, હું નિયત કર્મોમાં વ્યસ્ત છું.
યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતન્દ્રિતઃ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ ૨૩॥
યદિ—જો; હિ—નિશ્ચિત; અહમ્—હું; ન—નહીં; વર્તેયમ્—આ રીતે વ્યસ્ત રહું છું; જાતુ—ક્યારેય; કર્મણિ—નિયત કાર્યો કરવામાં; અતંદ્રિત:—સાવધાન રહીને; મમ—મારો; વર્ત્મ—માર્ગ; અનુવર્તન્તે—અનુસરણ કરશે; મનુષ્યા:—મનુષ્ય; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; સર્વશ:—સર્વ પ્રકારે.
Translation
BG 3.23: જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું, તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે.
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ ।
સઙ્કરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ ॥ ૨૪॥
ઉત્સીદેષુ:—નાશ પામે; ઇમે—આ બધા; લોકા:—લોક; ન—નહીં; કુર્યમ્—હું કરું; કર્મ—નિયત કર્મ; ચેત્—જો; અહમ્—હું; સઙ્કરસ્ય—વર્ણસંકર પ્રજાનો; ચ—અને; કર્તા—જવાબદાર; સ્યામ્—થાઉં; ઉપહન્યામ્—વિનષ્ટ કરીશ; ઈમા:—આ સર્વ; પ્રજા:—જીવોને.
Translation
BG 3.24: જો હું નિયત કર્મ કરવાનું ન કરું, તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતિની શાંતિ નો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ.
સક્તાઃ કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત ।
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ચિકીર્ષુર્લોકસઙ્ગ્રહમ્ ॥ ૨૫॥
સક્તા:—આસક્ત; કર્મણિ—કર્મો; અવિદ્વંસ:—અજ્ઞાની; યથા—જેટલું; કુર્વન્તિ—કરે છે; ભારત—ભરતના વંશજ (અર્જુન); કુર્યાત્—કરવું જોઈએ; વિદ્વાન—વિદ્વાન; તથા—એ રીતે; અસક્ત:—અનાસક્ત; ચિકીર્ષું—ઈચ્છતો; લોક-સંગ્રહમ્—વિશ્વનું કલ્યાણ.
Translation
BG 3.25: જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમનાં કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી! વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવાં જોઈએ.
ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસઙ્ગિનામ્ ।
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન્ ॥ ૨૬॥
ન—નહીં; બુદ્ધિ-ભેદમ્—બુદ્ધિનો વિધ્વંસ; જનયેત્—ઉત્પન્ન કરે છે; અજ્ઞાનામ્—અજ્ઞાનીઓની; કર્મ-સંગિનામ્—સકામ કર્મોમાં આસક્ત; જોષયત્—પાલન કરવા પ્રેરિત કરે; સર્વ—બધાં; કર્માણિ—નિયત કર્મો; વિધ્વાન્—વિદ્વાન; યુક્ત:—પ્રબુદ્ધ; સમાચારન્—અનુસરે છે.
Translation
BG 3.26: વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં. પરંતુ, પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને, તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ.
પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ ।
અહઙ્કારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ ૨૭॥
પ્રકૃતે:—માયિક પ્રકૃતિનાં; ક્રિયમાણાનિ—ક્રિયાન્વિત કરવું; ગુણૈઃ:—ત્રણ ગુણો દ્વારા; કર્માણિ—કર્મો; સર્વશ:—સર્વ પ્રકારના; અહંકાર-વિમૂઢ-આત્મા—મિથ્યા અહંકારથી મોહિત થઈને સ્વયંને શરીર માનવાની ભૂલ કરતો આત્મા; કર્તા—કર્તા; અહમ્—હું; ઇતિ—એમ; મન્યતે—માને છે.
Translation
BG 3.27: સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે. પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનો કર્તા માને છે.
તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયોઃ ।
ગુણા ગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે ॥ ૨૮॥
તત્ત્વ-વિત્—પરમ સત્યને જાણનારો; તુ—પરંતુ; મહા-બાહો—હે વિશાળ ભુજાઓવાળા; ગુણ-કર્મ—ગુણો અને કર્મોથી; વિભાગયો:—ભેદના; ગુણા:—મન-ઇન્દ્રિયોના રૂપમાં માયિક પ્રકૃતિના ગુણો; ગુણેષુ—પ્રત્યક્ષીકરણ વિષયોના રૂપમાં માયિક પ્રકૃતિના ગુણો; વર્તન્તે—વ્યસ્ત રહે છે; ઇતિ—એ રીતે; મત્વા—જાણી; ન—કદી નહીં; સજ્જતે—આસક્ત થાય છે.
Translation
BG 3.28: હે મહાબાહુ અર્જુન! જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે, તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે, કેવળ ગુણો (મન અને ઇન્દ્રિયના રૂપમાં) ગુણો (ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં)ની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી.
પ્રકૃતેર્ગુણસમ્મૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ ।
તાનકૃત્સ્નવિદો મન્દાન્ કૃત્સ્નવિન્ન વિચાલયેત્ ॥ ૨૯॥
પ્રકૃતે:—ભૌતિક પ્રકૃતિનાં; ગુણ—માયિક પ્રકૃતિના ગુણો દ્વારા; સમ્મૂઢા:—ભ્રમિત; સજ્જન્તે—આસક્ત થાય છે; ગુણ-કર્મસુ—કર્મફળોમાં; તાન્—તેઓ; અકૃત્સ્નવિદ:—જ્ઞાન વિનાનો મનુષ્ય; મંદાન્—અજ્ઞાની; કૃત્સ્નવિત્—જ્ઞાની મનુષ્યો; ન વિચાલયેત્—વિચલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.
Translation
BG 3.29: જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે, તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે. પરંતુ, જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં.
મયિ સર્વાણિ કર્માણિ સન્ન્યસ્યાધ્યાત્મચેતસા ।
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ॥ ૩૦॥
મયિ—મારામાં; સર્વાંણિ—સર્વ; કર્માણિ—કર્મો; સન્ન્યસ્ય—સર્વથા પરિત્યાગ કરીને; અધ્યાત્મ-ચેતસા—ભગવાનમાં સ્થિત ભાવનાથી; નિરાશી:—કર્મોના ફળોની લાલસાથી મુક્ત; નિર્મમ:—સ્વામીત્વની ભાવનાથી રહિત; ભૂત્વા—થઈને; યુદ્ધસ્વ—યુદ્ધ કર; વિગત-જવર:—માનસિક તાપ વિના.
Translation
BG 3.30: સર્વ કર્મોને મને સમર્પિત કરીને, નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને, યુદ્ધ કર!
યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ ।
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ ॥ ૩૧॥
યે—જેઓ; મે—મારા; મતમ્—આદેશો; ઈદમ્—આ; નિત્યમ્—નિરંતર; અનુતિષ્ઠન્તિ—અનુપાલન કરવું; માનવા:—મનુષ્યો; શ્રદ્ધાયન્ત:—પ્રગાઢ શ્રદ્ધા સહિત; અનસૂયન્ત:—દ્વેષરહિત થઈને; મુચ્યન્તે—મુક્ત થાય છે; તે—તેઓ; અપિ—પણ; કર્મભિ:—કર્મ બંધનથી.
Translation
BG 3.31: જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે, તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
યે ત્વેતદભ્યસૂયન્તો નાનુતિષ્ઠન્તિ મે મતમ્ ।
સર્વજ્ઞાનવિમૂઢાંસ્તાન્વિદ્ધિ નષ્ટાનચેતસઃ ॥ ૩૨॥
યે—જેઓ; તુ—પરંતુ; એતત્—આ; અભ્યસૂયન્ત:—દ્વેષ; ન—નહીં; અનુતિષ્ઠન્તિ—પાલન; મે—મારા; મતમ્—આદેશ; સર્વજ્ઞાન—સર્વ પ્રકારના જ્ઞાનમાં; વિમૂઢાન્—ભ્રમિત; તાન્—તેમને; વિદ્ધિ—જાણ; નષ્ટાન્—નષ્ટ થયેલા; અચેતસ:—વિવેકહીન.
Translation
BG 3.32: પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે.
સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥ ૩૩॥
સદૃશમ્—નાં પ્રમાણે; ચેષ્ટતે—પ્રયત્ન કરે છે; સ્વસ્યા:—તેમનાં પોતાના દ્વારા; પ્રકૃતે:—પ્રાકૃત ગુણોથી; જ્ઞાનવાન્—વિદ્વાન; અપિ—હોવા છતાં; પ્રકૃતિમ્—પ્રકૃતિ; યાન્તિ—અનુસરે છે; ભૂતાનિ—સર્વ જીવાત્માઓ; નિગ્રહ:—દમન; કિમ્—શું; કરિષ્યતિ—કરે છે.
Translation
BG 3.33: જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે?
ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ ।
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપન્થિનૌ ॥ ૩૪॥
ઇન્દ્રિયસ્ય—ઇન્દ્રિયોના; ઇન્દ્રિયસ્ય-અર્થે—ઇન્દ્રિયોના વિષયોમાં; રાગ—આસક્તિ; દ્વેષૌ—વિરક્તિ; વ્યવસ્થિતૌ—સ્થિત; તયો: —તેમના; ન—કદી નહીં; વશમ્—વશમાં; આગચ્છેત—થવું જોઈએ; તૌ—પેલાં; હિ—નિશ્ચિત; અસ્ય—તેના; પરિપન્થિનૌ—અવરોધકો.
Translation
BG 3.34: ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઈન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે.
શ્રેયાન્ સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥ ૩૫॥
શ્રેયાન્—શ્રેયસ્કર; સ્વ-ધર્મ:—પોતાના નિયત કર્મો; વિગુણ:—દોષયુક્ત; પર-ધર્માત્—અન્ય માટે નિયત કરેલાં કર્તવ્યો; સુ-અનુષ્ઠિતાત્—સારી રીતે કરેલા; સ્વ-ધર્મે—પોતાના નિયત કરેલા કર્તવ્યોમાં; નિધનમ્—મૃત્યુ; શ્રેય:—વધારે સારું; પર-ધર્મ:—અન્ય માટે નિયત કરેલા કર્તવ્યો; ભય-આવહ—ભયથી ભરપૂર.
Translation
BG 3.35: પોતાના નિયત કરેલાં કર્તવ્યોનું પાલન, ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલાં કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે. વાસ્તવમાં, પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ અર્જુન ઉવાચ ।
અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પૂરુષઃ ।
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ ॥ ૩૬॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; અથ—તો પછી; કેન—શાથી; પ્રયુક્ત:—પ્રેરિત; અયમ્—આ; પાપમ્—પાપ; ચરતિ—કરે છે; પૂરુષ:—મનુષ્ય; અનિચ્છન્—અનિચ્છાએ; અપિ—છતાં; વાર્ષ્ણેવ—વૃષ્ણીવંશી, શ્રીકૃષ્ણ; બલાત્—બળજબરીથી; ઈવ—જાણે; નિયોજિત:—વ્યસ્ત.
Translation
BG 3.36: અર્જુને કહ્યું: હે વૃષ્ણી વંશી! શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે, જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય?પામવું એ અન્યના ભયયુકત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે.
શ્રીભગવાનુવાચ ।
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ ।
મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ ॥ ૩૭॥
શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા; કામ:—વાસના; એષ:—આ; ક્રોધ:—ક્રોધ; એષ:—આ; રજ: ગુણ—રજોગુણથી; સમુદ્ભવ:—ઉત્પન્ન; મહા-અશન:—સર્વ ભક્ષક; મહા-પાપ્મા—મહા પાપથી; વિદ્ધિ—જાણ; એનમ્—તેને; ઇહ—આ ભૌતિક જગતમાં; વૈરિણમ્—શત્રુઓ.
Translation
BG 3.37: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: એકમાત્ર કામ જ છે, જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ.
ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ ।
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ॥ ૩૮॥
ધૂમેન—ધુમાડાથી; આવ્રિયતે—ઢંકાઈ જાય છે; વહ્નિ—અગ્નિ; યથા—જેમ; આદર્શ:—દર્પણ; મલેન—ધૂળથી; ચ—અને; યથા—જેમ; ઉલ્બેન—ગર્ભાશય દ્વારા; આવૃત:—ઢંકાયેલો હોય છે; ગર્ભ:—ભ્રુણ; તથા—તેવી રીતે; તેન—તે (કામના) દ્વારા; ઈદમ્—આ; આવૃતમ્—ઢંકાયેલું છે.
Translation
BG 3.38: જેવી રીતે અગ્નિ ધૂમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભૃણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે.
આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા ।
કામરૂપેણ કૌન્તેય દુષ્પૂરેણાનલેન ચ ॥ ૩૯॥
આવૃતમ્—ઢંકાયેલું; જ્ઞાનમ્—જ્ઞાન; એતેન્—આનાથી; જ્ઞાનિન:—જ્ઞાતાનું; નિત્ય-વૈરિણા—નિત્ય શત્રુ દ્વારા; કામરૂપેણ—કામરૂપી; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; દુષ્પૂરેણ—કદાપિ સંતુષ્ટ ન થનાર; અનલેન—અગ્નિ દ્વારા; ચ—અને.
Translation
BG 3.39: હે કુંતીપુત્ર અર્જુન! અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપિ સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે.
ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે ।
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ ॥ ૪૦॥
ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; અસ્ય—આ; અધિષ્ઠાનમ્—નિવાસસ્થાન; ઉચ્યતે—કહેવાય છે; એતૈ:—આ સર્વ દ્વારા; વિમોહયતિ—મોહિત કરે છે; એષ:—આ; જ્ઞાનમ્—જ્ઞાન; આવૃત્ય—ઢાંકીને; દેહિનમ્—દેહધારીને.
Translation
BG 3.40: ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યનાં જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે.
તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ ।
પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ ॥ ૪૧॥
તસ્માત્—માટે; ત્વમ્—તું; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયોને; આદૌ—પ્રારંભથી; નિયમ્ય—નિયમનમાં રાખીને; ભરત-ઋષભ—અર્જુન, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ; પાપ્માનમ્—પાપી; પ્રજહિ—દમન; હિ—નિશ્ચિત; એનમ્—આ; જ્ઞાન—જ્ઞાન; વિજ્ઞાન—શુદ્ધ આત્માનું વાસ્તવિક જ્ઞાન; નાશનમ્—નાશ કરનાર.
Translation
BG 3.41: આથી, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઈન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુનો વધ કરી દે, જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મ-સાક્ષાત્કારનો વિનાશ કરે છે.
ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્યઃ પરં મનઃ ।
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ॥ ૪૨॥
ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયોને; પરાણિ—શ્રેષ્ઠ; આહુ—કહેવાય છે; ઇન્દ્રિયેભ્ય:—ઇન્દ્રિયોથી વધારે; પરમ્—શ્રેષ્ઠ; મન—મન; મનસ:—મનથી વધારે; તુ—પણ; પરા—શ્રેષ્ઠ; બુદ્ધિ:—બુદ્ધિ; ય:—જે; બુદ્ધે:—બુદ્ધિથી વધુ; પરત:—શ્રેષ્ઠ; તુ—પરંતુ; સ:—તે (આત્મા).
Translation
BG 3.42: સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે.
એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥ ૪૩॥
એવમ્—આ રીતે; બુદ્ધે:—બુદ્ધિથી; પરમ્—શ્રેષ્ઠ; બુદ્ધ્વા—જાણીને; સંસ્તભ્ય—સ્થિર કરીને; આત્માનમ્—ઇન્દ્રિય, મન, બુદ્ધિ; આત્મના—આત્મા દ્વારા; જહિ—વધ કરવો; શત્રુમ્—શત્રુને; મહાબાહો—બળવાન ભુજાઓવાળા; કામરૂપમ્—કામરૂપી; દુરાસદમ્—દુર્જય.
Translation
BG 3.43: હે મહાબાહુ અર્જુન! આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વ (ઇન્દ્રિય,મન અને બુદ્ધિ)ને સ્વ (આત્માની શક્તિ) દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જેય શત્રુનો વધ કર.
Comments
Post a Comment