૦૯ નવમોધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ
શ્રીભગવાનુવાચ ।
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે ।
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧॥
શ્રી ભગવાન ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ઈદમ્—આ; તુ—પરંતુ; તે—તને; ગુહ્યતમમ્—અત્યંત ગુહ્ય; પ્રવક્ષ્યામિ—પ્રદાન કરું છું; અનસૂયવે—ઈર્ષ્યા ન કરનાર; જ્ઞાનમ્—જ્ઞાન; વિજ્ઞાન—અનુભૂત જ્ઞાન; સહિતમ્—સહિત; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; મોક્ષ્યસે—તું મુક્ત થઈ જઈશ; અશુભાત્—ભૌતિક અસ્તિત્વનાં દુ:ખો.
Translation
BG 9.1: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યાભાવ નથી, હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્ત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ.
રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્ ।
પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્ ॥ ૨॥
રાજ-વિદ્યા—વિદ્યાઓનો રાજા; રાજ-ગુહ્યમ્—અત્યંત ગુહ્ય જ્ઞાન; પવિત્રમ્—પવિત્ર; ઈદમ્—આ; ઉત્તમમ્—ઉત્તમ; પ્રત્યક્ષ—પ્રત્યક્ષ; અવગમમ્—પ્રત્યક્ષ અનુભૂત; ધર્મ્યમ્—સદાચારી; સુ-સુખમ્—સરળ; કર્તુમ્—અભ્યાસ કરવો; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 9.2: આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વાધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત, ધર્મ સંમત, અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે.
અશ્રદ્દધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરન્તપ ।
અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ ॥ ૩॥
અશ્રદ્ધાના:—શ્રદ્ધાવિહિન લોકો; પુરૂષા:—(આવા) મનુષ્યો; ધર્મસ્ય—ધર્મની; અસ્ય—આ; પરન્તપ—અર્જુન, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર; અપ્રાપ્ય—પ્રાપ્ત કાર્ય વિના; મામ્—મને; નિવર્તન્તે—પાછા આવે છે; મૃત્યુ—મૃત્યુ; સંસાર—ભૌતિક અસ્તિત્વ; વર્ત્મનિ—માર્ગ.
Translation
BG 9.3: હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુન: પુન: પાછા આવે છે.
મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના ।
મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥ ૪॥
મયા—મારા દ્વારા; તતમ્—વ્યાપ્ત છે; ઈદમ્—આ; સર્વમ્—સર્વ; જગત્—બ્રહ્માંડીય પ્રાગટ્ય; અવ્યક્ત-મૂર્તિના—અવ્યક્ત રૂપ; મત્- સ્થાનિ—મારામાં; સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; ન—નહીં; ચ—અને; અહમ્—હું; તેષુ—તેમનામાં; અવસ્થિત:—સ્થિત.
Translation
BG 9.4: આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી.
ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્ય મે યોગમૈશ્વરમ્ ।
ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ ॥ ૫॥
ન—કદી નહીં; ચ—અને; મત્-સ્થાનિ—મારામાં સ્થિત; ભૂતાનિ—સર્વ જીવો; પશ્ય—જો; મે—મારું; યોગમ્ ઐશ્વર્યમ્—દિવ્ય શક્તિ; ભૂત-ભૃત્—સર્વ જીવોના પાલક; ન—કદી નહીં; ચ—વળી; ભૂત-સ્થ:—માં રહે છે; મમ—મારાં; આત્મા—સ્વ; ભૂત-ભાવન:—સર્વ સર્જનના સ્ત્રોત.
Translation
BG 9.5: અને છતાં, જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો! યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું તથાપિ હું તેમનાથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી.
યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્રગો મહાન્ ।
તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય ॥ ૬॥
યથા—જેવી રીતે; આકાશ-સ્થિત:—આકાશમાં સ્થિત; નિત્યમ્—સદા; વાયુ:—વાયુ; સર્વત્ર-ગ:—સર્વત્ર પ્રવાહિત; મહાન્—મહાન; તથા—તેવી રીતે; સર્વાંણિ ભૂતાનિ—સર્વ જીવો; મત્-સ્થાનિ—મારામાં સ્થિત; ઈતિ—એમ; ઉપધારય—જાણ.
Translation
BG 9.6: જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ.
સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્ ।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥ ૭॥
પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ।
ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્ ॥ ૮॥
સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રકૃતિમ્—પ્રાકૃત શક્તિનું મૂળ સ્વરૂપ; યાન્તિ—વિલીન થાય છે; મામિકામ્—મારી; કલ્પ-ક્ષયે—કલ્પના અંતે; પુન:—ફરીથી; તાનિ—તેમને; કલ્પ-આદૌ—કલ્પના પ્રારંભમાં; વિસૃજામિ—ઉત્પન્ન કરું છે; અહમ્—હું; પ્રકૃતિમ્—ભૌતિક પ્રકૃતિ; સ્વામ્—મારી અંગત; અવષ્ટભ્ય—પ્રવેશ કરીને; વિસૃજામિ—ઉત્પન્ન કરું છું; પુન: પુન:—ફરી-ફરીથી; ભૂત-ગ્રામમ્—અસંખ્ય રૂપો; ઈમમ્—આ; કૃત્સ્નમ્—સર્વ; અવશમ્—તેમના નિયંત્રણથી પરે; પ્રકૃતે:—પ્રકૃતિની શકિતના; વશાત્—બળ.
Translation
BG 9.7-8: જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે, સર્વ જીવો મારી આદિ પ્રાકૃત શકિતમાં વિલીન થઇ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભકાળે, હે કુંતીપુત્ર, હું તેમને પુન: પ્રગટ કરું છું. પ્રાકૃત શક્તિ પરનાં આધિપત્યથી હું પુન: પુન: આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું.
સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ્ ।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥ ૭॥
પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ।
ભૂતગ્રામમિમં કૃત્સ્નમવશં પ્રકૃતેર્વશાત્ ॥ ૮॥
સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રકૃતિમ્—પ્રાકૃત શક્તિનું મૂળ સ્વરૂપ; યાન્તિ—વિલીન થાય છે; મામિકામ્—મારી; કલ્પ-ક્ષયે—કલ્પના અંતે; પુન:—ફરીથી; તાનિ—તેમને; કલ્પ-આદૌ—કલ્પના પ્રારંભમાં; વિસૃજામિ—ઉત્પન્ન કરું છે; અહમ્—હું; પ્રકૃતિમ્—ભૌતિક પ્રકૃતિ; સ્વામ્—મારી અંગત; અવષ્ટભ્ય—પ્રવેશ કરીને; વિસૃજામિ—ઉત્પન્ન કરું છું; પુન: પુન:—ફરી-ફરીથી; ભૂત-ગ્રામમ્—અસંખ્ય રૂપો; ઈમમ્—આ; કૃત્સ્નમ્—સર્વ; અવશમ્—તેમના નિયંત્રણથી પરે; પ્રકૃતે:—પ્રકૃતિની શકિતના; વશાત્—બળ.
Translation
BG 9.7-8: જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે, સર્વ જીવો મારી આદિ પ્રાકૃત શકિતમાં વિલીન થઇ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભકાળે, હે કુંતીપુત્ર, હું તેમને પુન: પ્રગટ કરું છું. પ્રાકૃત શક્તિ પરનાં આધિપત્યથી હું પુન: પુન: આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું.
ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ।
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ॥ ૯॥
ન—કોઈ નહીં; ચ—એમ; મામ્—મને; તાનિ—તેઓ; કર્માણિ—કર્મો; નિબધ્નન્તિ—બાંધે છે; ધનંજય—અર્જુન, ધનના વિજેતા; ઉદાસીન-વત્—તટસ્થની જેમ; આસીનમ્—સ્થિત; અસક્તમ્—આસક્તિ રહિત; તેષુ—તે; કર્મસુ—કર્મો.
Translation
BG 9.9: હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું.
મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ ।
હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે ॥ ૧૦॥
મયા—મારા દ્વારા; અધ્યક્ષેણ—અધ્યક્ષતા; પ્રકૃતિ:—ભૌતિક શક્તિ; સૂયતે—ચેતનમાં લાવવામાં આવે છે; સ—બંને; ચર-અચરમ્—ચેતન અને અચેતન; હેતુના—કારણ; અનેન—આ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; જગત—ભૌતિક જગત; વિપરિવર્તતે—પરિવર્તનશીલ.
Translation
BG 9.10: હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ, ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી, માયિક જગત (સર્જન, સ્થિતિ અને સંહાર)માં પરિવર્તન થતાં રહે છે.
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥ ૧૧॥
અવજાનન્તિ—ઉપહાસ કરે છે; મામ્—મને; મૂઢા:—મૂર્ખ મનુષ્યો; માનુષીમ્—મનુષ્યો; તનુમ્—સ્વરૂપ; આશ્રિતમ્—ધારણ કરેલ; પરમ્—દિવ્ય; ભાવમ્—સ્વભાવને; અજાનન્ત:—નહીં જાણીને; મમ—મારી; ભૂત—દરેક પ્રાણી; મહા-ઈશ્વરમ્—સર્વોપરી સ્વામી.
Translation
BG 9.11: જયારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી.
મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ ।
રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ ॥ ૧૨॥
મોઘ-આશા:—નિરર્થક આશાઓનું; મોઘ-કર્માણ:—નિષ્ફળ કર્મોનું; મોઘ-જ્ઞાન:—વ્યર્થ જ્ઞાનનું; વિચેતસ:—મોહગ્રસ્ત; રાક્ષસીમ્—આસુરી; આસુરીમ્—નાસ્તિક; ચ—અને; એવ—નિશ્ચિત; પ્રકૃતિમ્—માયિક શક્તિ; મોહિનીમ્—મોહી કરનારી; શ્રિતા:—શરણ લેવું.
Translation
BG 9.12: માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દૃષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં, તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે, તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમનાં જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે.
મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ ।
ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્ ॥ ૧૩॥
મહા-આત્માન:—મહાત્માઓ; તુ—પરંતુ; મામ્—મને; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; દૈવીમ્ પ્રકૃતિમ્—દૈવી પ્રકૃતિ; આશ્રિતા:—આશ્રયે રહેલા; ભજન્તિ—ભક્તિમાં વ્યસ્ત; અનન્ય-મનસ:—અવિચલિત મનથી; જ્ઞાત્વા—જાણીને; ભૂત—સમગ્ર સર્જન; આદિમ્—ઉદ્દગમ; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 9.13: હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ મને શ્રીકૃષ્ણને, સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે.
સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ ।
નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે ॥ ૧૪॥
સતતમ્—નિરંતર; કિર્તયન્ત:—દિવ્ય મહિમાનું કીર્તન; મામ્—મને; યતન્ત:—પ્રયાસ; ચ—અને; દૃઢ-વ્રતા:—દૃઢ નિશ્ચયપૂર્વક; નમસ્યન્ત:—વિનયપૂર્વક નમસ્કાર કરતા; ચ—અને; મામ્—મને; ભક્ત્યા—પ્રેમભક્તિ; નિત્ય-યુકતા:—સતત જોડાયેલા; ઉપાસતે—ભજે છે.
Translation
BG 9.14: મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતાં, દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતાં અને મને વિનયપૂર્વક નમીને, તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે.
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે ।
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્ ॥ ૧૫॥
જ્ઞાન-યજ્ઞેન—જ્ઞાનના સંવર્ધનનો યજ્ઞ; ચ—અને; અપિ—પણ; અન્ય—અન્ય; યજન્ત:—ભજે છે; મામ્—મને; ઉપાસતે—ઉપાસના કરે છે; એકત્વેન—ઐક્યભાવથી; પૃથક્તેવન—દ્વૈત્ભાવથી; બહુધા—વિવિધ; વિશ્વત:-મુખમ્—વિશ્વરૂપે.
Translation
BG 9.15: અન્ય મનુષ્યો, જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાંથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે જે તેમનાથી ભિન્ન નથી, જયારે અન્ય મને તેમનાથી પૃથક્ ગણે છે. વળી, કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે.
અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ ।
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્ ॥ ૧૬॥
પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ ।
વેદ્યં પવિત્રમોઙ્કાર ઋક્સામ યજુરેવ ચ ॥ ૧૭॥
અહમ્—હું; ક્રતુ:—વૈદિક કર્મકાંડ; અહમ્—હું; યજ્ઞ:—યજ્ઞ; સ્વધા—આહુતિ; અહમ્—હું; અહમ્—હું; ઔષધમ્—ઔષધિ; મન્ત્ર:—વૈદિક મંત્ર; અહમ્—હું; અહમ્—હું; એવ—પણ; આજ્યમ્—ઘી; અહમ્—હું; અગ્નિ:—અગ્નિ; અહમ્—હું; હુતમ્—આહુતિ; પિતા—પિતા; અહમ્—હું; અસ્ય—આ; જગત:—વિશ્વ; માતા—માતા; ધાતા—રક્ષક; પિતામહ:—પિતામહ; વેદ્યમ્—જ્ઞાનનું લક્ષ્ય; પવિત્રમ્—પાવન કરનારું; ઓમ-કાર(ॐ)—પવિત્ર ઓમકાર; ઋક—ઋગ્વેદ; સામ—સામવેદ; યજુ:—યજુર્વેદ; એવ—પણ; ચ—અને.
Translation
BG 9.16-17: એ હું જ છું, જે વૈદિક કર્મકાંડ છે, હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું; હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું.
અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ ।
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્ ॥ ૧૬॥
પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ ।
વેદ્યં પવિત્રમોઙ્કાર ઋક્સામ યજુરેવ ચ ॥ ૧૭॥
અહમ્—હું; ક્રતુ:—વૈદિક કર્મકાંડ; અહમ્—હું; યજ્ઞ:—યજ્ઞ; સ્વધા—આહુતિ; અહમ્—હું; અહમ્—હું; ઔષધમ્—ઔષધિ; મન્ત્ર:—વૈદિક મંત્ર; અહમ્—હું; અહમ્—હું; એવ—પણ; આજ્યમ્—ઘી; અહમ્—હું; અગ્નિ:—અગ્નિ; અહમ્—હું; હુતમ્—આહુતિ; પિતા—પિતા; અહમ્—હું; અસ્ય—આ; જગત:—વિશ્વ; માતા—માતા; ધાતા—રક્ષક; પિતામહ:—પિતામહ; વેદ્યમ્—જ્ઞાનનું લક્ષ્ય; પવિત્રમ્—પાવન કરનારું; ઓમ-કાર(ॐ)—પવિત્ર ઓમકાર; ઋક—ઋગ્વેદ; સામ—સામવેદ; યજુ:—યજુર્વેદ; એવ—પણ; ચ—અને.
Translation
BG 9.16-17: એ હું જ છું, જે વૈદિક કર્મકાંડ છે, હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું; હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું.
ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત્ ।
પ્રભવઃ પ્રલયઃ સ્થાનં નિધાનં બીજમવ્યયમ્ ॥ ૧૮॥
ગતિ:—પરમ લક્ષ્ય; ભર્તા—પાલક; પ્રભુ:—ભગવાન; સાક્ષી—સાક્ષી; નિવાસ:—ધામ; શરણમ્—શરણ; સુ-હૃત—મિત્ર; પ્રભવ:—ઉદ્દગમ; પ્રલય:—વિનાશ; સ્થાનમ્—સ્થાન; નિધાનમ્—વિશ્રામ સ્થાન; બીજમ્—બીજ; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 9.18: હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું; હું અવિનાશી બીજ અને ભંડાર છું.
તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ ।
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન ॥ ૧૯॥
તપામિ—ગરમી આપું છે; અહમ્—હું; અહમ્—હું; વર્ષમ્—વર્ષા; નિગૃહણામિ—રોકી રાખું છું; ઉત્સૃજામિ—મોકલું છું; ચ—અને; અમૃતમ્—અમરત્વ; ચ—અને; એવ—પણ; મૃત્યુ:—મૃત્યુ; ચ—અને; સત્—શાશ્વત; અસત્—નશ્વર પદાર્થ; ચ—અને; અહમ્—હું; અર્જુન—અર્જુન.
Translation
BG 9.19: હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છે અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું.
ત્રૈવિદ્યા માં સોમપાઃ પૂતપાપા
યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે ।
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોક-
મશ્નન્તિ દિવ્યાન્દિવિ દેવભોગાન્ ॥ ૨૦॥
ત્રૈવિદ્યા:—કર્મકાંડનું વિજ્ઞાન (વૈદિક કર્મકાંડ); મામ્—મને; સોમ-પા:—સોમરસનું પાન કરનાર; પૂત—પવિત્ર; પાપા:—પાપો; યજ્ઞૈઃ—યજ્ઞો દ્વારા; ઈષ્ટવા—પૂજા; સ્વ:-ગતિમ્—સ્વર્ગના રાજાના ધામના માર્ગે; પ્રાર્થયન્તે—પ્રાર્થના કરે છે; તે—તેઓ; પુણ્યમ્—પુણ્ય; આસાદ્ય—પામીને; સુર-ઇન્દ્ર—ઇન્દ્રના; લોકમ્—લોકને; અશ્નન્તિ—ભોગવે છે; દિવ્યાન્—સ્વર્ગીય; દિવિ—સ્વર્ગમાં; દેવ-ભોગાન્—દેવોના સુખો.
Translation
BG 9.20: જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને, પાપમાંથી શુદ્ધિ મેળવી, તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્યકર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા, ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવાં સુખો ભોગવે છે.
તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં
ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ ।
એવં ત્રયીધર્મમનુપ્રપન્ના
ગતાગતં કામકામા લભન્તે ॥ ૨૧॥
તે—તેઓ; તમ્—તેને; ભુક્ત્વા—ભોગવીને; સ્વર્ગ-લોકમ્—સ્વર્ગ; વિશાલમ્—વિસ્તૃત; ક્ષીણે—સમાપ્ત થતાં; પુણ્યે—પુણ્ય; મર્ત્ય-લોકમ્—પૃથ્વીલોક; વિશન્તિ—પાછા ફરે છે; એવમ્—એ રીતે; ત્રયી ધર્મમ્—ત્રિ વેદોનો કર્મકાંડ વિભાગ; અનુપ્રપન્ના:—પાલન કરનાર; ગત-આગતમ્—પુન: આવન-જાવન; કામ-કામા:—ઇન્દ્રિયસુખનાં વિષયોની ઈચ્છા; લભન્તે—પ્રાપ્ત કરે છે.
Translation
BG 9.21: જયારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમનાં પુણ્યકર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે, જેઓ ઇન્દ્રિયસુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુન: પુન: આવાગમન કરે છે.
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥ ૨૨॥
અનન્યા:—અનન્ય ભાવ; ચિન્તયન્ત:—ચિંતન કરતા; મામ્—મારું; યે—જે; જના:—મનુષ્યો; પર્યુપાસતે—અનન્ય રીતે ભજે છે; તેષામ્—તેમનું; નિત્ય અભિયુક્તાનામ્—જેઓ સદૈવ લીન રહે છે; યોગ—આધ્યાત્મિક સંપદાનું પ્રદાન; ક્ષેમમ્—આધ્યાત્મિક સંપદાનું રક્ષણ; વહામિ—વહન કરું છે; અહમ્—હું.
Translation
BG 9.22: જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છે તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું.
યેઽપ્યન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેઽપિ મામેવ કૌન્તેય યજન્ત્યવિધિપૂર્વકમ્ ॥ ૨૩॥
યે—જે લોકો; અપિ—છતાં પણ; અન્ય—અન્ય; દેવતા—સ્વર્ગીય દેવતા; ભકતા:—ભક્તો; યજન્તે—પૂજે છે; શ્રદ્ધયા અન્વિતા:—શ્રદ્ધાપૂર્વક; તે—તેઓ; અપિ—પણ; મામ્—મને; એવ—કેવળ; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; યજન્તિ—ભજે છે; અવિધિપૂર્વક—અયોગ્ય રીતે.
Translation
BG 9.23: હે કુંતીપુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે. પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે.
અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ।
ન તુ મામભિજાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે ॥ ૨૪॥
અહમ્—હું; હિ—વાસ્તવમાં; સર્વ—સર્વ; યજ્ઞાનામ્—યજ્ઞો; ભોક્તા—ભોક્તા; ચ—અને; પ્રભુ:—પ્રભુ; એવ—કેવળ; ચ—અને; ન—નહીં; તુ—પરંતુ; મામ્—મને; અભિજાનન્તિ—જાણે છે; તત્ત્વેન—દિવ્ય પ્રકૃતિ; અત:—તેથી; ચ્યવન્તિ—પતન પામે છે (સંસારમાં ભટકે છે); તે—તેઓ.
Translation
BG 9.24: હું સર્વ યજ્ઞોનો ભોકતા તથા એકમાત્ર સ્વામી છું. પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે.
યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ ।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્ ॥ ૨૫॥
યાન્તિ—જાય છે; દેવ-વ્રતા:—સ્વર્ગીય દેવોના ઉપાસકો; દેવાન્—સ્વર્ગીય દેવોમાંથી; પિતૃન્—પિતૃઓ; યાન્તિ—જાય છે; પિતૃ-વ્રતા:—પિતૃઓના ઉપાસકો; ભૂતાનિ—ભૂત-પ્રેત; યાન્તિ—જાય છે; ભૂતા-ઈજ્યા:—ભૂત-પ્રેતના ઉપાસકો; યાન્તિ—જાય છે; મત્—મારા; યાજિન:—ભક્તો; અપિ—અને; મામ્—મારી પાસે.
Translation
BG 9.25: સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે, પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે, ભૂત-પ્રેતના ઉપાસકો તેવી પ્રેતયોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે.
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ ॥ ૨૬॥
પત્રમ્—પર્ણ; પુષ્પમ્—ફૂલ; ફલમ્—ફળ; તોયમ્—જળ; ય:—જે; મે—મને; ભક્ત્યા—ભક્તિપૂર્વક; પ્રયચ્છતિ—અર્પિત કરે છે; તત્—તે; અહમ્—હું; ભક્તિ-ઉપહ્રુતમ્—ભક્તિપૂર્વક અર્પણ કરેલ; અશ્નામિ—સ્વીકાર કરું છે; પ્રયત-આત્માન:—શુદ્ધ ભાવના ધરાવનાર.
Translation
BG 9.26: જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું.
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ ૨૭॥
યત્—જે કંઈ; કરોષિ—કરે છે; યત્—જે કંઈ; અશ્નાસિ—ખાય છે; યત્—જે કંઈ; જુહોષિ—યજ્ઞમાં અર્પિત કરે છે; દદાસિ—ઉપહાર સ્વરૂપે પ્રદાન કરવું; યત્—જે કંઈ; તપસ્યસિ—તપ કરે છે; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; તત્—તેમને; કુરુષ્વ—કર; મદ અર્પણમ્—મને અર્પણ તરીકે.
Translation
BG 9.27: હે કુંતીપુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશ્ચર્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર.
શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ ।
સન્ન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ॥ ૨૮॥
શુભ અશુભ ફલૈ:—શુભ અને અશુભ ફળો દ્વારા; એવમ્—એ રીતે; મોક્ષ્યસે—તું મુક્ત થઈ જઈશ; કર્મ—કર્મ; બંધનૈ:—બંધનમાંથી; સંન્યાસ-યોગ—સ્વાર્થનો ત્યાગ; યુક્ત-આત્મા—મનને મારા પ્રત્યે અનુરક્ત કરીને; વિમુખ:—મુક્ત થયેલો; મામ્—મને; ઉપૈસ્યસિ—તું પ્રાપ્ત કરીશ.
Translation
BG 9.28: તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોનાં બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ-યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ
સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ ।
યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્ ॥ ૨૯॥
સમ:—સમભાવથી વ્યવસ્થિત કરવું; અહમ્—હું; સર્વ-ભૂતેષુ—સર્વ જીવો પ્રતિ; ન—કોઈ નથી; મે—મારો; દ્વેષ્ય:—દ્વેષભાવ; અસ્તિ—છે; ન—નહીં; પ્રિય:—પ્રિય; યે—જે; ભજન્તિ—પ્રેમયુક્ત ભક્તિ કરે છે; તુ—પરંતુ; મામ્—મને; ભક્ત્યા—ભક્તિભાવે; મયિ—મારામાં; તે—તે મનુષ્યો; તેષુ—તેમનામાં; ચ—અને; અપિ—પણ; અહમ્—હું.
Translation
BG 9.29: હું સર્વ જીવો પ્રત્યે સમભાવ યુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું.
અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્ ।
સાધુરેવ સ મન્તવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ ॥ ૩૦॥
અપિ—પણ; ચેત્—જો; સુ-દુરાચાર:—અત્યંત ઘૃણિત કર્મ કરનાર; ભજતે—ભજે છે; મામ્—મને; અનન્ય-ભાક્—અનન્ય ભક્તિ; સાધુ:—સાધુ પુરુષ; એવ—નિશ્ચિત; સ:—તે મનુષ્ય; મન્તવ્ય:—ધ્યાનમાં લેવામાં આવે છે; સમ્યક્—ઉચિત રીતે; વ્યવસિત:—કૃતનિશ્ચયી; સ:—તે મનુષ્ય.
Translation
BG 9.30: અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્યભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે.
ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ ।
કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ ॥ ૩૧॥
ક્ષિપ્રમ્—શીઘ્રતાથી; ભવતિ—થાય છે; ધર્મ-આત્મા—ધર્મપરાયણ; શશ્વત-શાંતિમ્—સ્થાયી શાંતિ; નિગચ્છતિ—પ્રાપ્ત કરે છે; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રતિજાનીહિ—ઘોષણા કર; ન—કદી નહીં; મે—મારો; ભક્ત:—ભક્ત; પ્રણશ્યતિ—નષ્ટ થાય છે.
Translation
BG 9.31: તે શીધ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતીપુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈપણ ભક્તનો કદાપિ વિનાશ થતો નથી.
માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઽપિ સ્યુઃ પાપયોનયઃ ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેઽપિ યાન્તિ પરાં ગતિમ્ ॥ ૩૨॥
મામ્—મારામાં; હિ—નિશ્ચિત; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; વ્યપાશ્રિત્ય—શરણ લે છે; યે—જે; અપિ—પણ; સ્યુ:—છે; પાપ યોનય:—હીન કુળમાં જન્મેલા; સ્ત્રિય:—સ્ત્રીઓ; વૈશ્યા:—વણિક વર્ગ; તથા—અને; શુદ્રા:—શ્રમિકો; તે અપિ—તેઓ પણ; યાન્તિ—જાય છે; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય.
Translation
BG 9.32: હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે, તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
કિં પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા ।
અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ॥ ૩૩॥
કિમ્—શું; પુન:—ફરીથી; બ્રાહ્મણા:—સાધુઓ; પુણ્યા:—ધર્માત્મા: ભક્તા:—ભક્તો; રાજ-ઋષય:—સાધુચરિત રાજાઓ; તથા—અને; અનિત્યમ્—અલ્પકાલીન; અસુખમ્—આનંદરહિત; લોકમ્—લોક; ઈમમ્—આ; પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; ભજસ્વ—ભક્તિમાં લીન; મામ્—મને.
Translation
BG 9.33: તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિષે શું કહેવું? તેથી, આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ.
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ ૩૪॥
મત્-મના—સદૈવ મારું ચિંતન કરનાર; ભવ—થા; મત્—મારો; ભક્ત:—ભક્ત; મત્—મારો; યાજી—ઉપાસક; મામ્—મને; નમસ્કુરુ—નમસ્કાર કર; મામ્—મને; એવ—નિશ્ચિત; એષ્યસિ—તું આવીશ; યુક્ત્વા—તલ્લીન થઈને; એવમ્—એ રીતે; આત્માનમ્—તારા મન તેમજ શરીર; મત્-પરાયણ:—મારી ભક્તિમાં અનુરક્ત.
Translation
BG 9.34: સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને, તું મારી પાસે આવીશ.
Comments
Post a Comment