૧૭ સપ્તદશોધ્યાય: શ્રદ્ધાત્રયવિભાગયોગ

 અર્જુન ઉવાચ ।

યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્ત્વમાહો રજસ્તમઃ ॥ ૧॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; યે—જે; શાસ્ત્ર-વિધિમ્—શાસ્ત્રોના વિધાન; ઉત્સૃજ્ય—છોડી દઈને; યજન્તે—પૂજે છે; શ્રદ્ધયા-અન્વિતા:—પૂર્ણ શ્રદ્ધા સાથે; તેષામ્—તેમની; નિષ્ઠા—શ્રદ્ધા; તુ—વાસ્તવમાં; કા—કઈ; કૃષ્ણ—શ્રીકૃષ્ણ; સત્ત્વમ્—સત્ત્વગુણ; આહો—અથવા; રજ:—રજોગુણ; તમ:—તમોગુણ.

Translation

BG 17.1: અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ, જે લોકો શાસ્ત્રોક્ત વિધાનોની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધા સાથે આરાધના કરે છે, તેમની શું સ્થિતિ હોય છે? શું તેમની શ્રદ્ધા સાત્ત્વિક, રાજસિક કે તામસિક હોય છે? 

શ્રીભગવાનુવાચ ।
ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા ।
સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ ॥ ૨॥

શ્રી-ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ત્રિ-વિધા—ત્રણ પ્રકારના; ભવતિ—હોય છે; શ્રદ્ધા—શ્રદ્ધા; દેહિનામ્—દેહધારી પ્રાણીઓ; સા—જે; સ્વ-ભાવ-જા—જન્મજાત સ્વભાવ; સાત્ત્વિકી—સત્ત્વગુણી; રાજસી—રજોગુણી; ચ—અને; એવ—નિશ્ચિત; તામસી—તમોગુણી; ચ—અને; ઈતિ—આમ; તામ્—આ વિષે; શ્રુણુ—સાંભળ.

Translation

BG 17.2: પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન બોલ્યા: પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે, જેના ત્રણ પ્રકાર હોઈ શકે છે—સાત્ત્વિક, રાજસિક અથવા તામસિક. હવે આ અંગે મારી પાસેથી સાંભળ.  

સત્ત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત ।
શ્રદ્ધામયોઽયં પુરુષો યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ ॥ ૩॥

સત્ત્વ-અનુરૂપા—વ્યક્તિના મનની પ્રકૃતિ અનુસાર; સર્વસ્ય—સર્વ; શ્રદ્ધા—શ્રદ્ધા; ભવતિ—થાય છે; ભારત—ભરતવંશી, અર્જુન. શ્રદ્ધામય:—શ્રદ્ધાયુક્ત; અયમ્—આ; પુરુષ:—મનુષ્ય; ય:—જે; યત્-શ્રદ્ધા—તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય તે; સ:—તેમની; એવ—નિશ્ચિત; સ:—તેઓ.

Translation

BG 17.3: સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના મનની પ્રકૃતિને અનુરૂપ હોય છે. સર્વ લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય છે, વાસ્તવમાં તેઓ તે જ હોય છે.  

યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ ।
પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ ॥ ૪॥

યજન્તે—પૂજે છે; સાત્ત્વિકા:—સત્ત્વગુણી લોકો; દેવાન્—સ્વર્ગીય દેવો; યક્ષ—આંશિક સ્વર્ગીય દેવો જે શક્તિ અને સંપત્તિથી સંપન્ન છે; રક્ષાંસિ—શક્તિશાળી જીવો જે ઇન્દ્રિયજન્ય સુખ, પ્રતિશોધ અને ક્રોધનું મૂર્ત સ્વરૂપ છે; રાજસા:—રજોગુણી; પ્રેતાન્-ભૂત-ગણાન્—ભૂત અને પ્રેતો; ચ—અને; અન્યે—અન્ય; યજન્તે—પૂજે છે; તામસા:—તમોગુણી; જના:—લોકો.

Translation

BG 17.4: સત્ત્વગુણી લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે; રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે; તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે.  

અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ ।
દમ્ભાહઙ્કારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ॥ ૫॥
કર્ષયન્તઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ ।
માં ચૈવાન્તઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્ ॥ ૬॥

અશાસ્ત્ર-વિહિતમ્—શાસ્ત્રોમાં જે નિર્દેશિત નથી; ઘોરમ્—કઠોર; તપ્યન્તે—તપ કરે છે; યે—જે; તપ:—તપશ્ચર્યા; જના:—લોકો; દમ્ભ—દંભ; અહંકાર—અભિમાન; સંયુકતા:—સંપન્ન; કામ—કામના; રાગ—આસક્તિ; બલ—બળ; અન્વિતા:—પ્રેરિત થયેલા; કર્ષયન્ત:—યાતના; શરીર-સ્થમ્—શરીરની અંદર; ભૂત-ગ્રામમ્—શરીરના તત્ત્વો; અચેતસ:—બુદ્ધિહીન; મામ્—મને; ચ—અને; એવ—પણ; અન્ત:—અંદર; શરીર-સ્થમ્—શરીરમાં સ્થિત; તાન્—તેમને; વિદ્ધિ—જાણ; અસુર-નિશ્ચયાન્—આસુરી સંકલ્પવાળા.

Translation

BG 17.5-6: કેટલાક લોકો કઠોર તપશ્ચર્યા કરે છે જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી, પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે. કામના અને આસક્તિથી પ્રેરિત થઈને તેઓ કેવળ તેમના શરીરના તત્ત્વોને જ નહીં, પરંતુ મને, તેમાં નિવાસ કરતા પરમાત્માને પણ યાતના આપે છે. આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા જાણ. 

અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ ।
દમ્ભાહઙ્કારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ॥ ૫॥
કર્ષયન્તઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ ।
માં ચૈવાન્તઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્ ॥ ૬॥

અશાસ્ત્ર-વિહિતમ્—શાસ્ત્રોમાં જે નિર્દેશિત નથી; ઘોરમ્—કઠોર; તપ્યન્તે—તપ કરે છે; યે—જે; તપ:—તપશ્ચર્યા; જના:—લોકો; દમ્ભ—દંભ; અહંકાર—અભિમાન; સંયુકતા:—સંપન્ન; કામ—કામના; રાગ—આસક્તિ; બલ—બળ; અન્વિતા:—પ્રેરિત થયેલા; કર્ષયન્ત:—યાતના; શરીર-સ્થમ્—શરીરની અંદર; ભૂત-ગ્રામમ્—શરીરના તત્ત્વો; અચેતસ:—બુદ્ધિહીન; મામ્—મને; ચ—અને; એવ—પણ; અન્ત:—અંદર; શરીર-સ્થમ્—શરીરમાં સ્થિત; તાન્—તેમને; વિદ્ધિ—જાણ; અસુર-નિશ્ચયાન્—આસુરી સંકલ્પવાળા.

Translation

BG 17.5-6: કેટલાક લોકો કઠોર તપશ્ચર્યા કરે છે જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી, પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે. કામના અને આસક્તિથી પ્રેરિત થઈને તેઓ કેવળ તેમના શરીરના તત્ત્વોને જ નહીં, પરંતુ મને, તેમાં નિવાસ કરતા પરમાત્માને પણ યાતના આપે છે. આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા જાણ 

આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ ।
યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શૃણુ ॥ ૭॥

આહાર:—ભોજન; તુ—વાસ્તવમાં; અપિ—પણ; સર્વસ્ય—સર્વનું; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારો; ભવતિ—હોય છે; પ્રિય:—પ્રિય; યજ્ઞ:—યજ્ઞ; તપ:—તપશ્ચર્યા; તથા—અને; દાનમ્—દાન; તેષામ્—તેમનો; ભેદમ્—તફાવત; ઈમમ્—આ; શ્રુણુ—સાંભળ.

Translation

BG 17.7: લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે. આ જ સત્ય તેમની યજ્ઞ, તપશ્ચર્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે. હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ.

આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ ।
રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ ॥ ૮॥

આયુ: સત્ત્વ—જે આયુની વૃદ્ધિ કરે; બલ—શક્તિ; આરોગ્ય—તંદુરસ્તી; સુખ—સુખ; પ્રીતિ—સંતોષ; વિવર્ધના:—વૃદ્ધિ; રસ્યા:—રસયુક્ત; સ્નિગ્ધા:—ચીકણું; સ્થિરા:—પૌષ્ટિક; હૃદ્યા:—હૃદયને ભાવે તેવું; આહારા:—ભોજન; સાત્ત્વિક-પ્રિયા:—સત્ત્વગુણીને પ્રિય.

Translation

BG 17.8: સત્ત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદ્દગુણ, શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, સ્નિગ્ધ, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે. 

કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ ।
આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ ॥ ૯॥

કટુ—કડવું; અમ્લ—ખાટું; લવણ—ખારું; અતિ-ઉષ્મ—અતિ ગરમ; તીક્ષ્ણ—તીવ્ર; રુક્ષ—લૂખું; વિદાહિન—બળતરા કરનારું; આહાર:—ભોજન; રાજસસ્ય—રજોગુણી મનુષ્યને; ઇષ્ટા:—રુચિકર; દુઃખ—દુઃખ; શોક—શોક; આમય—રોગ; પ્રદા—ઉત્પન્ન કરનારા.

Translation

BG 17.9: જે આહાર અતિ કડવો, અતિ ખાટો, ખારો, અતિ ગરમ, તીવ્ર, શુષ્ક અને તીખો હોય છે, તે રજોગુણી લોકોને અતિ પ્રિય હોય છે. આવો આહાર કષ્ટ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે. 

યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્ ।
ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્ ॥ ૧૦॥

યાત-યામમ્—વાસી ભોજન; ગત-રસમ્—સ્વાદવિહીન; પૂતિ—સડેલું; પર્યુષિતમ્—પ્રદૂષિત; ચ—અને; યત્—જે; ઉચ્છિષ્ટમ્—બીજાનું એંઠું; અપિ—પણ; ચ—અને; અમેધ્યમ્—અસ્પૃશ્ય; ભોજનમ્—ભોજન; તામસ—તમોગુણીને; પ્રિયમ્—પ્રિય.

Translation

BG 17.10: અતિ રાંધેલું, ફીકું, વાસી, સડેલું, પ્રદૂષિત અને અશુદ્ધ આહાર તમોગુણી લોકોને પ્રિય હોય છે. 

અફલાકાઙ્ક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇજ્યતે ।
યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્ત્વિકઃ ॥ ૧૧॥

અફલ-આકાંક્ષાભિ:—ફલાકાંક્ષા રહિત; યજ્ઞ:—યજ્ઞ; વિધિ-દૃષ્ટ:—શાસ્ત્રોક્ત વિધિ અનુસાર; ય:—જે; ઈજ્યતે—કરાય છે; યષ્ટવ્યયમ્-એવ-ઈતિ—એ રીતે જ કરવો જોઈએ; મન:—મન; સમાધાય—દૃઢ નિશ્ચય સાથે; સ:—તે; સાત્ત્વિક:—સાત્ત્વિક.

Translation

BG 17.11: જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ફળની અપેક્ષા વિના, મનના દૃઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્ત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે. 

અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્ ।
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્ ॥ ૧૨॥

અભિસન્ધાય—ના દ્વારા પ્રેરિત; તુ—પરંતુ; ફલમ્—પરિણામ; દમ્ભ—ઘમંડ; અર્થમ્—ને માટે; અપિ—પણ; ચ—અને; એવ—નિશ્ચિતરૂપે; યત્—જે; ઈજ્યતે—કરવામાં આવે; ભરત-શ્રેષ્ઠ; અર્જુન, ભરતવંશમાં શ્રેષ્ઠ; તમ્—તે; યજ્ઞમ્—યજ્ઞ; વિદ્ધિ—જાણ; રાજસમ્—રજોગુણી.

Translation

BG 17.12: હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ. 

વિધિહીનમસૃષ્ટાન્નં મન્ત્રહીનમદક્ષિણમ્ ।
શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે ॥ ૧૩॥

વિધિહીનમ્—શાસ્ત્રાદેશ રહિત; અસૃષ્ટ-અન્નમ્—પ્રસાદ વિતરણ કર્યા વિના; મન્ત્રહીનમ્—વેદમંત્રો રહિત; અદક્ષિણમ્—પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના; શ્રદ્ધા—શ્રદ્ધા; વિરહિતમ્—વિહીન; યજ્ઞમ્—યજ્ઞ; તામસમ્—તમોગુણી; પરિચક્ષતે—ગણાય છે.

Translation

BG 17.13: જે યજ્ઞ શ્રદ્ધા રહિત હોય અને શાસ્ત્રોક્ત આજ્ઞાઓથી વિપરીત હોય, જેમાં પ્રસાદનું વિતરણ ન થયું હોય, વૈદિક મંત્રોનો નાદઘોષ ન થયો હોય તથા દાન-દક્ષિણા અર્પણ ન થયા હોય તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે. 

દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્ ।
બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે ॥ ૧૪॥

દેવ—પરમેશ્વર; દ્વિજ—બ્રાહ્મણો; ગુરુ—આધ્યાત્મિક ગુરુ; પ્રાજ્ઞ—પૂજ્ય વ્યક્તિઓ; પૂજનમ્—પૂજા; શૌચમ્—સ્વચ્છતા; આર્જવમ્—સાદાઈ; બ્રહ્મચર્યમ્—બ્રહ્મચર્ય; અહિંસા—અહિંસા; ચ—અને; શરીરમ્—શરીરના; તપ:—તપશ્ચર્યા; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 17.14: પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, વિદ્વાન અને વડીલોની પૂજા—જયારે શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે—ત્યારે તેને શારીરિક તપશ્ચર્યા કહેવામાં આવે છે. 

અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્ ।
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે ॥ ૧૫॥

અનુદ્વેગ-કરમ્—ઉદ્વેગનું કારણ ન બને; વાક્યમ્—શબ્દો; સત્યમ્—સત્ય; પ્રિય-હિતમ્—હિતકારી; ચ—અને; યત્—જે; સ્વાધ્યાય-અભ્યસનમ્—વેદાધ્યયનનો અભ્યાસ; ચ એવ—તેમજ; વાક્-મયમ્—વાણીનું; તપ:—તપ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 17.15: જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી, સત્ય, નિરુપદ્રવી તથા હિતકારી છે તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે—તેને વાણીની તપશ્ચર્યા કહેવામાં આવે છે.  

મનઃ પ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ ।
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે ॥ ૧૬॥

મન:-પ્રસાદ:—વિચારોની નિર્મળતા; સૌમ્યત્વમ્—સૌમ્યતા; મૌનમ્—મૌન; આત્મ-વિનિગ્રહ—આત્મ-સંયમ; ભાવ-સંશુદ્ધિ:—ઉદ્દેશ્યની શુદ્ધિ; ઈતિ—એ પ્રમાણે; એતત્—આ; તપ:—તપશ્ચર્યા; માનસમ્—મનનું; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 17.16: વિચારોની નિર્મળતા, સૌમ્યતા, મૌન, આત્મ-સંયમ તથા ઉદ્દેશ્યની પવિત્રતા—આ સર્વને મનની તપશ્ચર્યા કહેવામાં આવે છે.

શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્ત્રિવિધં નરૈઃ ।
અફલાકાઙ્ક્ષિભિર્યુક્તૈઃ સાત્ત્વિકં પરિચક્ષતે ॥ ૧૭॥

શ્રદ્ધયા—શ્રદ્ધાથી; પરયા—દિવ્ય; તપ્તમ્—કરેલું; તપ:—તપશ્ચર્યા; તત્—તે; ત્રિ-વિધમ્—ત્રણ પ્રકારનું; નરૈ:—મનુષ્યો દ્વારા; અફલ-આકાંક્ષાભિ:—માયિક ફળની ઈચ્છા વિના; યુક્તૈ:—અડગ; સાત્ત્વિકમ્—સત્ત્વગુણી; પરિચક્ષતે—કહેવાય છે.

Translation

BG 17.17: જયારે પવિત્ર મનુષ્યો પ્રગાઢ શ્રદ્ધા સાથે, કોઈપણ માયિક ફળની અપેક્ષા વિના આ ત્રણ પ્રકારની તપશ્ચર્યાઓ કરે છે, ત્યારે તેમને સત્ત્વગુણી તપના રૂપે પદાંકિત કરવામાં આવે છે. 

સત્કારમાનપૂજાર્થં તપો દમ્ભેન ચૈવ યત્ ।
ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્ ॥ ૧૮॥

સત-કાર—આદર; માન—સન્માન; પૂજા—પ્રશંસા; અર્થમ્—માટે; તપ:—તપ; દમ્ભેન્—આડંબર સાથે; ચ—પણ; એવ—નિશ્ચિત; યત્—જે; ક્રિયતે—કરાય છે; તત્—તે; ઈહા—આ જગતમાં; પ્રોક્તમ્—કહેવાય છે; રાજસમ્—રાજસિક; ચલમ્—ચંચળ; અધ્રુવમ્—અશાશ્વત.

Translation

BG 17.18: જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય તે રાજસી કહેવાય છે. તેનાં લાભ અસ્થિર ને અશાશ્વત હોય છે. 

મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપઃ ।
પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહૃતમ્ ॥ ૧૯॥

મૂઢ—ભ્રમિત ભાવનાથી યુક્ત; ગ્રાહેણ—પ્રયાસોથી; આત્માન:—પોતાની જાતને જ; યત્—જે; પીડયા—યાતના આપીને; ક્રિયતે—કરાય છે; પરસ્ય—બીજાઓનો; ઉત્સાદન-અર્થમ્—વિનાશ કરવા  માટે; વા—અથવા; તત્—તે; તામસમ્—તમોગુણી; ઉદાહ્રતમ્—વર્ણવાય છે.

Translation

BG 17.19: જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય અને જેમાં આત્મપીડન તથા અન્યનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવે છે. 

દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે ।
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્ ॥ ૨૦॥

દાતવ્યમ્—દાન કરવા યોગ્ય; ઈતિ—એ પ્રમાણે; યત્—જે; દાનમ્—દાન; દીયતે—દેવાય છે; અનુપકારિણે—પ્રત્યુપકારની ભાવના વિના; દેશે—ઉચિત સ્થાને; કાલે—ઉચિત સમયે; ચ—અને; પાત્રે—સુપાત્ર વ્યક્તિને; ચ—અને; તત્—તે; દાનમ્—દાન; સાત્ત્વિકમ્—સત્ત્વગુણી; સ્મૃતમ્—મનાય છે.

Translation

BG 17.20: જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને, કોઈપણ પ્રતિફળની અપેક્ષા વિના, ઉચિત સમયે, ઉચિત સ્થાને આપવામાં આવે છે, તેને સાત્ત્વિક દાન માનવામાં આવે છે. 

યત્તુ પ્રત્યુપકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુનઃ ।
દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્ ॥ ૨૧॥

યત્—જે; તુ—પરંતુ; પ્રતિ-ઉપકાર-અર્થમ્—બદલામાં કશુક મેળવવા માટે; ફલમ્—ફળ; ઉદ્દેશ્ય—અપેક્ષા; વા—અથવા; પુન:—ફરીથી; દીયતે—અપાય છે; ચ—અને; પરિક્લિષ્ટમ્—અનિચ્છાએ; તત્—તે; દાનમ્—દાન; રાજસમ્—રજોગુણી; સ્મૃતમ્—મનાય છે.

Translation

BG 17.21: પરંતુ અનિચ્છાએ, પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે. 

અદેશકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે ।
અસત્કૃતમવજ્ઞાતં તત્તામસમુદાહૃતમ્ ॥ ૨૨॥

અદેશ—અપવિત્ર સ્થાને; કાલે—અપવિત્ર સમયે; યત્—જે; દાનમ્—દાન; અપાત્રેભ્ય:—કુપાત્ર મનુષ્યોને; ચ—અને; દીયતે—અપાય છે; અસત્-કૃતમ્—આદર વિના; અવજ્ઞાતમ્—તિરસ્કાર સાથે; તત્—તે; તામસમ્—તામસિક; ઉદાહ્રતમ્—કહેવાય છે.

Translation

BG 17.22: અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમયે કુપાત્ર મનુષ્યોને, આદરભાવ રહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે, તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે. 

ૐતત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતઃ ।
બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા ॥ ૨૩॥

ઓમ તત્ સત્—ગુણાતીતતાના પાસાઓનું પ્રતિનિધિત્ત્વ કરતાં ઉચ્ચારણો; ઈતિ—આ પ્રમાણે; નિર્દેશ:—પ્રતિકાત્મક પ્રતિનિધિઓ; બ્રહ્મણ:—પરમ પૂર્ણ સત્ય; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારે; સ્મૃત:—ગણાય છે; બ્રાહ્મણા:—બ્રાહ્મણો; તેન—તેનાથી; વેદા:—શાસ્ત્રો; ચ—અને; યજ્ઞા:—યજ્ઞ; ચ—અને; વિહિતા:—પ્રયુક્ત; પુરા—સૃષ્ટિના આરંભથી.

Translation

BG 17.23: સૃષ્ટિના પ્રારંભથી “ઓમ તત્ સત્”ને પરમ પૂર્ણ સત્યના પ્રતીકાત્મક પ્રતિનિધિઓ ગણવામાં આવ્યા છે. તેમાંથી બ્રાહ્મણો, શાસ્ત્રો અને યજ્ઞો ઉત્પન્ન થયા છે. 

તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપઃક્રિયાઃ ।
પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદિનામ્ ॥ ૨૪॥

તસ્માત્—તેથી; ઓમ—ઓમ, પવિત્ર અક્ષર; ઈતિ—આ પ્રમાણે; ઉદાહ્રત્ય—ઉચ્ચારણ કરીને; યજ્ઞ—યજ્ઞ; દાન—દાન; તપ:—તપ; ક્રિયા:—ક્રિયા; પ્રવર્તન્તે—આરંભ; વિધાન-ઉકતા:—વૈદિક આજ્ઞાઓ અનુસાર; સતતમ્—નિરંતર; બ્રહ્મ-વાદિનામ્—વેદોના પ્રવક્તા.

Translation

BG 17.24: તેથી, વૈદિક આજ્ઞાઓ અનુસાર વેદોના પ્રવક્તાઓ યજ્ઞક્રિયાઓ, દાન પ્રદાન અથવા તો તપશ્ચર્યાનો શુભારંભ “ઓમ” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે. 

તદિત્યનભિસન્ધાય ફલં યજ્ઞતપઃક્રિયાઃ ।
દાનક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાઙ્ક્ષિભિઃ ॥ ૨૫॥

તત્—પવિત્ર અક્ષર તત્; ઈતિ—આ પ્રમાણે; અનભિસન્ધાય—ઈચ્છા રાખ્યા વિના; ફલમ્—ફળ; યજ્ઞ—યજ્ઞ; તપ:—તપ; ક્રિયા:—ક્રિયા; દાન—દાન; ક્રિયા:—ક્રિયા; ચ—અને; વિવિધા:—વિવિધ; ક્રિયન્તે—કરાય છે; મોક્ષ-કાંક્ષિભિ:—માયિક ગૂંચોમાંથી મુક્તિ ઈચ્છનારાઓ દ્વારા.

Translation

BG 17.25: જે મનુષ્યો કર્મફળની ઈચ્છા ધરાવતા નથી પરંતુ માયિક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; તેઓ તપ, યજ્ઞ અને દાનની ક્રિયાઓ “તત્” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે. 

સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રયુજ્યતે ।
પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે ॥ ૨૬॥
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે ।
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે ॥ ૨૭॥

સદ્દ-ભાવે—શાશ્વત અસ્તિત્ત્વ અને સતોગુણની ભાવના સાથે; સાધુ-ભાવે—માંગલિક ભાવના સાથે; ચ—પણ; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—એ પ્રમાણે; એતત્—આ; પ્રયુજ્યતે—પ્રયોજાય છે; પ્રશસ્તે—માંગલિક; કર્મણિ—કર્મો; તથા—અને; સત્-શબ્દ:— ‘સત્’ શબ્દ; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; યુજ્યતે—ઉપયોગમાં લેવાય છે; યજ્ઞે—યજ્ઞમાં; તપસિ—તપમાં; દાને—દાનમાં; ચ—અને; સ્થિતિ:—દૃઢતામાં પ્રસ્થાપિત; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—આ પ્રમાણે; ચ—અને; ઉચ્યતે—ઉચ્ચારાય છે; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—આ પ્રમાણે; એવ—નિશ્ચિત; અભિધીયતે—કહેવાય છે.

Translation

BG 17.26-27: ‘સત્’ શબ્દનો અર્થ છે, શાશ્વત અસ્તિત્ત્વ અને સત્ત્વગુણ. હે અર્જુન, તેનો ઉપયોગ માંગલિક કાર્યોનું વર્ણન કરવા માટે પણ થાય છે.  યજ્ઞ, તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ ‘સત્’ શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે. અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈપણ કાર્યને ‘સત્’ નામ આપવામાં આવે છે. 

સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રયુજ્યતે ।
પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે ॥ ૨૬॥
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે ।
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે ॥ ૨૭॥

સદ્દ-ભાવે—શાશ્વત અસ્તિત્ત્વ અને સતોગુણની ભાવના સાથે; સાધુ-ભાવે—માંગલિક ભાવના સાથે; ચ—પણ; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—એ પ્રમાણે; એતત્—આ; પ્રયુજ્યતે—પ્રયોજાય છે; પ્રશસ્તે—માંગલિક; કર્મણિ—કર્મો; તથા—અને; સત્-શબ્દ:— ‘સત્’ શબ્દ; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; યુજ્યતે—ઉપયોગમાં લેવાય છે; યજ્ઞે—યજ્ઞમાં; તપસિ—તપમાં; દાને—દાનમાં; ચ—અને; સ્થિતિ:—દૃઢતામાં પ્રસ્થાપિત; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—આ પ્રમાણે; ચ—અને; ઉચ્યતે—ઉચ્ચારાય છે; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—આ પ્રમાણે; એવ—નિશ્ચિત; અભિધીયતે—કહેવાય છે.

Translation

BG 17.26-27: ‘સત્’ શબ્દનો અર્થ છે, શાશ્વત અસ્તિત્ત્વ અને સત્ત્વગુણ. હે અર્જુન, તેનો ઉપયોગ માંગલિક કાર્યોનું વર્ણન કરવા માટે પણ થાય છે.  યજ્ઞ, તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ ‘સત્’ શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે. અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈપણ કાર્યને ‘સત્’ નામ આપવામાં આવે છે. 

અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્ ।
અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ ॥ ૨૮॥

અશ્રદ્ધયા—શ્રદ્ધા વિના; હુતમ્—યજ્ઞ; દત્તમ્—દાન; તપ:—તપ; તપ્તમ્—સંપન્ન; કૃતમ્—કરેલું; ચ—અને; યત્—જે; અસત્—નશ્વર; ઈતિ—આ પ્રમાણે; ઉચ્યતે—કહેવાય છે; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ન—નહીં; ચ—અને; તત્—તે; પ્રેત્ય—અન્ય લોકમાં; ન ઉ—ન તો; ઈહ—આ જગતમાં.

Translation

BG 17.28: હે પૃથાપુત્ર, યજ્ઞ કે તપના કોઈપણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને ‘અસત્’ કહેવામાં આવે છે. તેઓ આ લોક તથા પરલોક બંને માટે બિનઉપયોગી છે. 





Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો