૧૬ ષોડશોધ્યાય: દૈવાસુરસંપદ્વિભાગયોગ
શ્રીભગવાનુવાચ ।
અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ ।
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ॥ ૧॥
અહિંસા સત્યમક્રોધસ્ત્યાગઃ શાન્તિરપૈશુનમ્ ।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્ ॥ ૨॥
તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા ।
ભવન્તિ સમ્પદં દૈવીમભિજાતસ્ય ભારત ॥ ૩॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; અભયમ્—નિર્ભયતા; સત્ત્વ-સંશુદ્ધિ:—મનની શુદ્ધિ; જ્ઞાન—જ્ઞાન; યોગ—આધ્યાત્મિક; વ્યવસ્થિતિ:—દૃઢતા; દાનમ્—દાન; દમ:—ઈન્દ્રિયોનું નિયંત્રણ; ચ—અને; યજ્ઞ:—યજ્ઞ; ચ—અને; સ્વાધ્યાય:—પવિત્ર ગ્રંથોનું અધ્યયન; તપ—તપશ્ચર્યા; આર્જવમ્—સાદાઈ; અહિંસા—અહિંસા; સત્યમ્—સત્યતા; અક્રોધ:—ક્રોધની અનુપસ્થિતિ; ત્યાગ:—ત્યાગ; શાન્તિ:—શાંતિ; અપૈશુનમ્—દોષ-દર્શનમાં અરુચિ; દયા—દયા; ભૂતેષુ—સર્વ પ્રાણીઓ પ્રતિ; અલોલુપ્તમ્—લોલુપતાનો અભાવ; માર્દવમ્—સૌમ્યતા; હ્રી:—નમ્રતા; અચાપલમ્—નિશ્ચય; તેજ:—પ્રતાપ; ક્ષમા—ક્ષમા; ધૃતિ:—મનોબળ; શૌચમ્—પવિત્રતા; અદ્રોહ:—ઈર્ષ્યાથી મુક્તિ; ન—નહીં; અતિ-માનિતા—મિથ્યાભિમાનની અનુપસ્થિતિ; ભવન્તિ—છે; સમ્પદમ્—ગુણ; દૈવીમ્—દૈવી; અભિજાતસ્ય—સંપન્ન લોકો; ભારત—ભરતપુત્ર.
Translation
BG 16.1-3: પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; હે ભરતપુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દૃઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા તથા સાદાઈ; અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ-દર્શન પ્રત્યે અરુચિ, જીવમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા; તેજ, ક્ષમા, દૃઢતા, આડંબર-રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન-રહિતતા, આ સર્વ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્દગુણો છે.
શ્રીભગવાનુવાચ ।
અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ ।
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ॥ ૧॥
અહિંસા સત્યમક્રોધસ્ત્યાગઃ શાન્તિરપૈશુનમ્ ।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્ ॥ ૨॥
તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા ।
ભવન્તિ સમ્પદં દૈવીમભિજાતસ્ય ભારત ॥ ૩॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; અભયમ્—નિર્ભયતા; સત્ત્વ-સંશુદ્ધિ:—મનની શુદ્ધિ; જ્ઞાન—જ્ઞાન; યોગ—આધ્યાત્મિક; વ્યવસ્થિતિ:—દૃઢતા; દાનમ્—દાન; દમ:—ઈન્દ્રિયોનું નિયંત્રણ; ચ—અને; યજ્ઞ:—યજ્ઞ; ચ—અને; સ્વાધ્યાય:—પવિત્ર ગ્રંથોનું અધ્યયન; તપ—તપશ્ચર્યા; આર્જવમ્—સાદાઈ; અહિંસા—અહિંસા; સત્યમ્—સત્યતા; અક્રોધ:—ક્રોધની અનુપસ્થિતિ; ત્યાગ:—ત્યાગ; શાન્તિ:—શાંતિ; અપૈશુનમ્—દોષ-દર્શનમાં અરુચિ; દયા—દયા; ભૂતેષુ—સર્વ પ્રાણીઓ પ્રતિ; અલોલુપ્તમ્—લોલુપતાનો અભાવ; માર્દવમ્—સૌમ્યતા; હ્રી:—નમ્રતા; અચાપલમ્—નિશ્ચય; તેજ:—પ્રતાપ; ક્ષમા—ક્ષમા; ધૃતિ:—મનોબળ; શૌચમ્—પવિત્રતા; અદ્રોહ:—ઈર્ષ્યાથી મુક્તિ; ન—નહીં; અતિ-માનિતા—મિથ્યાભિમાનની અનુપસ્થિતિ; ભવન્તિ—છે; સમ્પદમ્—ગુણ; દૈવીમ્—દૈવી; અભિજાતસ્ય—સંપન્ન લોકો; ભારત—ભરતપુત્ર.
Translation
BG 16.1-3: પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; હે ભરતપુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દૃઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા તથા સાદાઈ; અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ-દર્શન પ્રત્યે અરુચિ, જીવમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા; તેજ, ક્ષમા, દૃઢતા, આડંબર-રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન-રહિતતા, આ સર્વ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્દગુણો છે.
દમ્ભો દર્પોઽભિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ ।
અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સમ્પદમાસુરીમ્ ॥ ૪॥
દમ્ભ:—પાખંડ; દર્પ:—અહંકાર; અભિમાન:—ઘમંડ; ચ—અને; ક્રોધ:—ક્રોધ; પારુષ્યમ્—કઠોરતા; એવ—નિશ્ચિત; ચ—અને; અજ્ઞાનમ્—અજ્ઞાન; ચ—અને; અભિજાતસ્ય—જે ધારણ કરે છે; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; સમ્પદમ્—ગુણો, આસુરીમ્—આસુરી.
Translation
BG 16.4: હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન—આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોનાં લક્ષણો છે.
દૈવી સમ્પદ્વિમોક્ષાય નિબન્ધાયાસુરી મતા ।
મા શુચઃ સમ્પદં દૈવીમભિજાતોઽસિ પાણ્ડવ ॥ ૫॥
દૈવી—દિવ્ય; સમ્પત્—ગુણો; વિમોક્ષાય—મોક્ષ તરફ; નિબન્ધાય—બંધન માટે; આસુરી—આસુરી ગુણો; મતા—મનાય છે; મા—નહીં; શુચ:—શોક; સમ્પદમ્—ગુણો; દૈવીમ્—સંતત્ત્વ; અભિજાત:—જન્મ; અસિ—તું છે; પાણ્ડવ—અર્જુન, પાંડુપુત્ર.
Translation
BG 16.5: દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જયારે આસુરી સંપત્તિ બંધનનાં નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે.
દ્વૌ ભૂતસર્ગૌ લોકેઽસ્મિન્દૈવ આસુર એવ ચ ।
દૈવો વિસ્તરશઃ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ ॥ ૬॥
દ્વૌ—બે; ભૂત-સર્ગૌ—જીવોના સર્જનો; લોકે—જગતમાં; અસ્મિન્—આ; દૈવ:—દિવ્ય; આસુર:—આસુરી; એવ—નિશ્ચિત; ચ—અને; દૈવ:—દિવ્ય; વિસ્તરશ:—વિસ્તારથી; પ્રોક્ત:—કહેવાયો; આસુરમ્—આસુરી; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; મે—મારાથી; શ્રુણુ—સાંભળ.
Translation
BG 16.6: આ જગતમાં બે પ્રકારના જીવો છે—એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે. હે અર્જુન, મેં દૈવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે. હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર.
પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જના ન વિદુરાસુરાઃ ।
ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે ॥ ૭॥
પ્રવૃત્તિમ્—ઉચિત કર્મો; ચ—અને; નિવૃત્તિમ્—અનુચિત કર્મો; ચ—અને; જના:—લોકો; ન—નહીં; વિદુ:—સમજતા; આસુરા:—આસુરી પ્રકૃતિ ધરાવતા લોકો; ન—નહીં; શૌચમ્—પવિત્રતા; ન—નહીં; અપિ—પણ; ચ—અને; આચાર:—આચરણ; ન—નહીં; સત્યમ્—સત્યતા; તેષુ—તેઓમાં; વિદ્યતે—વિદ્યમાન.
Translation
BG 16.7: જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે, તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી, તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ્દઆચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે.
અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્ ।
અપરસ્પરસમ્ભૂતં કિમન્યત્કામહૈતુકમ્ ॥ ૮॥
અસત્યમ્—પૂર્ણ સત્ય વિના; અપ્રતિષ્ઠમ્—આધાર રહિત; તે—તેઓ; જગત્—દુનિયા; આહુ:—કહે છે; અનીશ્વરમ્—ભગવાન વિના; અપરસ્પર—કારણ વિના; સમ્ભૂતમ્—ઉત્પન્ન થયેલું; કિમ્—શું; અન્યત્—અન્ય; કામ-હૈતુકમ્—કેવળ કામ વાસના માટે.
Translation
BG 16.8: તેઓ કહે છે કે, “જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત (નૈતિક વ્યવસ્થા માટે), ભગવાન રહિત (જેમણે સર્જન કર્યું હોય કે નિયંત્રણ કરતા હોય) છે. તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી.”
એતાં દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોઽલ્પબુદ્ધયઃ ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતોઽહિતાઃ ॥ ૯॥
એતામ્—એવા; દૃષ્ટિમ્—દૃષ્ટિને; અવષ્ટભ્ય—સ્વીકારીને; નષ્ટ—દિશાભ્રષ્ટ; આત્માન:—આત્માઓ; અલ્પ-બુદ્ધય:—અલ્પ બુદ્ધિ; પ્રભવન્તિ—ઉદય; ઉગ્ર—ક્રૂર; કર્માણ:—ક્રિયાઓ; ક્ષયાય—વિનાશ; જગત:—જગતના; અહિતા:—શત્રુઓ.
Translation
BG 16.9: આવા મંતવ્યોને દૃઢતાથી વળગી રહેનારા, આ દિશાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીરૂપ શત્રુ તરીકે ઉદય પામે છે.
કામમાશ્રિત્ય દુષ્પૂરં દમ્ભમાનમદાન્વિતાઃ ।
મોહાદ્ગૃહીત્વાસદ્ગ્રાહાન્પ્રવર્તન્તેઽશુચિવ્રતાઃ ॥ ૧૦॥
કામમ્—કામ; આશ્રિત્ય—આશ્રય લઈને; દુષ્પુરમ્—અતૃપ્ત; દમ્ભ—દંભ; માન—અભિમાન; મદ-અન્વિતા:—મદમાં ડૂબેલા; મોહાત્—મોહિત; ગૃહીત્વા—પ્રત્યે આકર્ષિત થઈને; અસત્—ક્ષણભંગુર; ગ્રાહાન્—વસ્તુઓને; પ્રવર્તન્તે—તેઓ ખીલે છે; અશુચિ-વ્રતા:—અશુદ્ધ સંકલ્પ સાથે.
Translation
BG 16.10: અસંતૃપ્ત કામ-વાસનાને આશ્રય આપીને દંભ,અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે. એ પ્રમાણે, ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે.
ચિન્તામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ ।
કામોપભોગપરમા એતાવદિતિ નિશ્ચિતાઃ ॥ ૧૧॥
ચિન્તામ્—ચિંતાઓ; અપરિમેયામ્—અમાપ; ચ—અને; પ્રલય-અન્તમ્—મૃત્યુ સુધી; ઉપાશ્રિતા:—આશ્રય લઈને; કામ-ઉપભોગ—કામનાઓની તૃપ્તિ; પરમા:—પરમ; એતાવત્—હજી; ઈતિ—આ રીતે; નિશ્ચિતા:—પૂર્ણ નિશ્ચિતતા સાથે.
Translation
BG 16.11: તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં, તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે.
આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ।
ઈહન્તે કામભોગાર્થમન્યાયેનાર્થસઞ્ચયાન્ ॥ ૧૨॥
આશા-પાશ—કામનાઓનું બંધન; શતૈ:—સેંકડો; બદ્ધા:—બંધાયેલું; કામ—કામ; ક્રોધ—ક્રોધ; પરાયણા:—પરાયણ; ઈહન્તે—પ્રયાસ; કામ—કામ; ભોગ—ઇન્દ્રિયભોગ; અર્થમ્—માટે; અન્યાયેન—ગેરકાયદેસર; અર્થ—સંપત્તિ; સંચયાન્—સંચય.
Translation
BG 16.12: સેંકડો કામનાઓના બંધનથી જકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્યાયિક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે.
ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ ।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ॥ ૧૩॥
અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥ ૧૪॥
આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોઽસ્તિ સદૃશો મયા ।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ॥ ૧૫॥
ઈદમ્—આ; અદ્ય—આજે; મયા—મારા દ્વારા; લબ્ધમ્—પ્રાપ્ય; ઈમમ્—આ; પ્રાપ્સ્યે—પ્રાપ્ત કરીશ; મન:-રથમ્—મનોરથ; ઈદમ્—આ; અસ્તિ—છે; ઈદમ્—આ; અપિ—પણ; મે—મારું; ભવિષ્યતિ—ભવિષ્યમાં; પુન:—ફરીથી; ધનમ્—ધન; અસૌ—તે; મયા—મારા દ્વારા; હત:—નાશ થયો; શત્રુ:—શત્રુ; હનિષ્યે—હું હણીશ; ચ—અને; અપરાન્—અન્યનું; અપિ—પણ; ઈશ્વર:—ભગવાન; અહમ્—હું; અહમ્—હું; ભોગી—ભોક્તા; સિદ્ધ:—સિદ્ધ; અહમ્—હું; બલ-વાન્—શક્તિશાળી; સુખી—સુખી; આઢય:—ધનાઢય; અભિજન-વાન્—ઉચ્ચ પદે બિરાજેલા સંબંધીઓ ધરાવતા; અસ્મિ—હું છું; ક:—કોણ; અન્ય:—અન્ય; અસ્તિ—છે; સદૃશ:—સમાન; મયા—મારાથી; યક્ષ્યે—હું યજ્ઞ કરીશ; દાસ્યામિ—હું દાન આપીશ; મોદિષ્યે—મોજ કરીશ; ઈતિ—આ રીતે; અજ્ઞાન—અજ્ઞાન; વિમોહિતા:—મોહગ્રસ્ત.
Translation
BG 16.13-15: આસુરી વ્યક્તિ વિચારે છે: “મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતી કાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ! હું સ્વયં ભગવાન સમાન છું, હું ભોક્તા છું, હું બળવાન છું, અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો (સ્વર્ગીય દેવતાઓ માટે) કરીશ; હું દાન આપીશ; હું મોજ માણીશ.” આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે.
ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ ।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ॥ ૧૩॥
અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥ ૧૪॥
આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોઽસ્તિ સદૃશો મયા ।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ॥ ૧૫॥
ઈદમ્—આ; અદ્ય—આજે; મયા—મારા દ્વારા; લબ્ધમ્—પ્રાપ્ય; ઈમમ્—આ; પ્રાપ્સ્યે—પ્રાપ્ત કરીશ; મન:-રથમ્—મનોરથ; ઈદમ્—આ; અસ્તિ—છે; ઈદમ્—આ; અપિ—પણ; મે—મારું; ભવિષ્યતિ—ભવિષ્યમાં; પુન:—ફરીથી; ધનમ્—ધન; અસૌ—તે; મયા—મારા દ્વારા; હત:—નાશ થયો; શત્રુ:—શત્રુ; હનિષ્યે—હું હણીશ; ચ—અને; અપરાન્—અન્યનું; અપિ—પણ; ઈશ્વર:—ભગવાન; અહમ્—હું; અહમ્—હું; ભોગી—ભોક્તા; સિદ્ધ:—સિદ્ધ; અહમ્—હું; બલ-વાન્—શક્તિશાળી; સુખી—સુખી; આઢય:—ધનાઢય; અભિજન-વાન્—ઉચ્ચ પદે બિરાજેલા સંબંધીઓ ધરાવતા; અસ્મિ—હું છું; ક:—કોણ; અન્ય:—અન્ય; અસ્તિ—છે; સદૃશ:—સમાન; મયા—મારાથી; યક્ષ્યે—હું યજ્ઞ કરીશ; દાસ્યામિ—હું દાન આપીશ; મોદિષ્યે—મોજ કરીશ; ઈતિ—આ રીતે; અજ્ઞાન—અજ્ઞાન; વિમોહિતા:—મોહગ્રસ્ત.
Translation
BG 16.13-15: આસુરી વ્યક્તિ વિચારે છે: “મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતી કાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ! હું સ્વયં ભગવાન સમાન છું, હું ભોક્તા છું, હું બળવાન છું, અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો (સ્વર્ગીય દેવતાઓ માટે) કરીશ; હું દાન આપીશ; હું મોજ માણીશ.” આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે.
ઇદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ્ ।
ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ્ ॥ ૧૩॥
અસૌ મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપિ ।
ઈશ્વરોઽહમહં ભોગી સિદ્ધોઽહં બલવાન્સુખી ॥ ૧૪॥
આઢ્યોઽભિજનવાનસ્મિ કોઽન્યોઽસ્તિ સદૃશો મયા ।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ ॥ ૧૫॥
ઈદમ્—આ; અદ્ય—આજે; મયા—મારા દ્વારા; લબ્ધમ્—પ્રાપ્ય; ઈમમ્—આ; પ્રાપ્સ્યે—પ્રાપ્ત કરીશ; મન:-રથમ્—મનોરથ; ઈદમ્—આ; અસ્તિ—છે; ઈદમ્—આ; અપિ—પણ; મે—મારું; ભવિષ્યતિ—ભવિષ્યમાં; પુન:—ફરીથી; ધનમ્—ધન; અસૌ—તે; મયા—મારા દ્વારા; હત:—નાશ થયો; શત્રુ:—શત્રુ; હનિષ્યે—હું હણીશ; ચ—અને; અપરાન્—અન્યનું; અપિ—પણ; ઈશ્વર:—ભગવાન; અહમ્—હું; અહમ્—હું; ભોગી—ભોક્તા; સિદ્ધ:—સિદ્ધ; અહમ્—હું; બલ-વાન્—શક્તિશાળી; સુખી—સુખી; આઢય:—ધનાઢય; અભિજન-વાન્—ઉચ્ચ પદે બિરાજેલા સંબંધીઓ ધરાવતા; અસ્મિ—હું છું; ક:—કોણ; અન્ય:—અન્ય; અસ્તિ—છે; સદૃશ:—સમાન; મયા—મારાથી; યક્ષ્યે—હું યજ્ઞ કરીશ; દાસ્યામિ—હું દાન આપીશ; મોદિષ્યે—મોજ કરીશ; ઈતિ—આ રીતે; અજ્ઞાન—અજ્ઞાન; વિમોહિતા:—મોહગ્રસ્ત.
Translation
BG 16.13-15: આસુરી વ્યક્તિ વિચારે છે: “મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતી કાલે મારી પાસે આનાથી પણ અધિક હશે. તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ! હું સ્વયં ભગવાન સમાન છું, હું ભોક્તા છું, હું બળવાન છું, અને હું સુખી છું. હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો (સ્વર્ગીય દેવતાઓ માટે) કરીશ; હું દાન આપીશ; હું મોજ માણીશ.” આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે.
અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ ।
પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેઽશુચૌ ॥ ૧૬॥
અનેક—અનેક; ચિત્ત—કલ્પનાઓ; વિભ્રાન્તા:—કુમાર્ગે દોરાયેલા; મોહ—મોહ; જાલ—જાળ; સમાકૃતા:—ઘેરાયેલા; પ્રશકતા:—વ્યસની; કામ-ભોગેષુ—ઈન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિ; પતન્તિ—પતન; નરકે—નરક; અશુચૌ—ઘોર અંધકારથી ભરેલું.
Translation
BG 16.16: આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા, મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે.
આત્મસમ્ભાવિતાઃ સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ ।
યજન્તે નામયજ્ઞૈસ્તે દમ્ભેનાવિધિપૂર્વકમ્ ॥ ૧૭॥
આત્મ-સમ્ભાવિતા:—પોતાને શ્રેષ્ઠ માનનાર; સ્તબ્ધ:—હઠીલું; ધન—ધન; માન—અભિમાન; મદ—ઘમંડ; અન્વિતા:—પૂર્ણપણે; યજન્તે—યજ્ઞ કરે છે; નામ—નામ માત્ર માટે; યજ્ઞૈ:—યજ્ઞો; તે—તેઓ; દમ્ભેન—આડંબરથી; અવિધિ-પૂર્વકમ્—શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે આદર રહિત.
Translation
BG 16.17: આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે કોઈપણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે.
અહઙ્કારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ ।
મામાત્મપરદેહેષુ પ્રદ્વિષન્તોઽભ્યસૂયકાઃ ॥ ૧૮॥
અહંકારમ્—અહંકાર; બલમ્—બળ; દર્પમ્—ઘમંડ; કામમ્—કામના; ક્રોધમ્—ક્રોધ; ચ—અને; સંશ્રિતા:—દ્વારા; મામ્—મને; આત્મ-પર-દેહેષુ—પોતાના તથા અન્યના શરીરમાં; પ્રદ્વિષન્ત:—નિંદા; અભ્યસૂયકા:—આસુરી.
Translation
BG 16.18: અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે.
તાનહં દ્વિષતઃ ક્રૂરાન્સંસારેષુ નરાધમાન્ ।
ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ ॥ ૧૯॥
આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્ ॥ ૨૦॥
તાન્—આ; અહમ્—હું; દ્વિષત:—દ્વેષપૂર્ણ; ક્રૂરાન્—ક્રૂર; સંસારેષુ—માયિક જગતમાં; નર-અધમાન્—અધમ અને દુષ્ટ માનવો; ક્ષિપામિ—હું ફેંકુ છું; અજસ્રમ્—પુન:પુન:; અશુભાન્—અમાંગલિક; આસુરીષુ—આસુરી; એવ—ખરેખર; યોનિષુ—યોનીઓમાં; આસુરીમ્—આસુરી; યોનિમ્—યોનિ; આપન્ના:—પ્રાપ્ત કરેલા; મૂઢા:—અજ્ઞાની; જન્મનિ જન્મનિ—જન્મજન્માંતર; મામ્—મને; અપ્રાપ્ય—પામ્યા વિના; એવ—પણ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; તત:—પશ્ચાત્; યાન્તિ—જાય છે; અધમાન્—અધમ; ગતિમ્—ગતિ.
Translation
BG 16.19-20: આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને, હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુન: પુન: આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો, ધીમે ધીમે અસ્તિત્ત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે.
તાનહં દ્વિષતઃ ક્રૂરાન્સંસારેષુ નરાધમાન્ ।
ક્ષિપામ્યજસ્રમશુભાનાસુરીષ્વેવ યોનિષુ ॥ ૧૯॥
આસુરીં યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ્ ॥ ૨૦॥
તાન્—આ; અહમ્—હું; દ્વિષત:—દ્વેષપૂર્ણ; ક્રૂરાન્—ક્રૂર; સંસારેષુ—માયિક જગતમાં; નર-અધમાન્—અધમ અને દુષ્ટ માનવો; ક્ષિપામિ—હું ફેંકુ છું; અજસ્રમ્—પુન:પુન:; અશુભાન્—અમાંગલિક; આસુરીષુ—આસુરી; એવ—ખરેખર; યોનિષુ—યોનીઓમાં; આસુરીમ્—આસુરી; યોનિમ્—યોનિ; આપન્ના:—પ્રાપ્ત કરેલા; મૂઢા:—અજ્ઞાની; જન્મનિ જન્મનિ—જન્મજન્માંતર; મામ્—મને; અપ્રાપ્ય—પામ્યા વિના; એવ—પણ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; તત:—પશ્ચાત્; યાન્તિ—જાય છે; અધમાન્—અધમ; ગતિમ્—ગતિ.
Translation
BG 16.19-20: આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને, હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું. આ અજ્ઞાની જીવાત્માઓ પુન: પુન: આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો, ધીમે ધીમે અસ્તિત્ત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે.
ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ ।
કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ॥ ૨૧॥
ત્રિવિધમ્—ત્રણ પ્રકારનું; નરકસ્ય—નરકનું; ઈદમ્—આ; દ્વારમ્—દ્વાર; નાશનમ્—વિનાશકારી; આત્માન:—આત્માનું; કામ:—વાસના; ક્રોધ:—ક્રોધ; તથા—અને; લોભ:—લોભ; તસ્માત્—તેથી; એતત્—આ; ત્રયમ્—ત્રણ; ત્યજેત્—ત્યજવા જોઈએ.
Translation
BG 16.21: કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મ-વિનાશ રૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા ત્રણ દ્વારો છે. તેથી, આ ત્રણેયનો મનુષ્યે ત્યાગ કરવો જોઈએ.
એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ ।
આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥ ૨૨॥
એતૈ:—એમનાથી; વિમુક્ત:—મુક્ત થયેલ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; તમ:-દ્વારૈ:—અજ્ઞાનનાં દ્વારો; ત્રિભિ:—ત્રણ; નર:—મનુષ્ય; આચરતિ—આચરણ; આત્મન:—આત્મા; શ્રેય:—કલ્યાણ; તત:—ત્યાર પછી; યાતિ—પ્રાપ્ત કરે છે; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય.
Translation
BG 16.22: જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત્ પરમ ગતિ પામે છે.
યઃ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્ ॥ ૨૩॥
ય:—જે; શાસ્ત્ર-વિધિમ્—શાસ્ત્રોક્ત આજ્ઞા; ઉત્સૃજ્ય—ઉત્સર્જન; વર્તતે—ક્રિયા; કામ-કારત:—કામનાઓના આવેશમાં; ન—નહીં; સ:—તેઓ; સિદ્ધિમ્—સિદ્ધિ; અવાપ્નોતિ—પામે છે; ન—નહીં; સુખમ્—સુખ; ન—નહીં; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય.
Translation
BG 16.23: જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે.
તસ્માચ્છાસ્ત્રં પ્રમાણં તે કાર્યાકાર્યવ્યવસ્થિતૌ ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં કર્મ કર્તુમિહાર્હસિ ॥ ૨૪॥
તસ્માત્—તેથી; શાસ્ત્રમ્—શાસ્ત્રો; પ્રમાણમ્—પ્રમાણ; તે—તારું; કાર્ય—ઉત્તરદાયિત્ત્વ; અકાર્ય—પ્રતિબંધિત કાર્યો; વ્યવસ્થિતૌ—નિર્ણય કરવામાં; જ્ઞાત્વા—જાણીને; શાસ્ત્ર—શાસ્ત્રો; વિધાન—આદેશ; ઉક્તમ્—પ્રગટ કરેલાં; કર્મ—કર્મ; કર્તુમ્—કર; ઈહ—આ વિશ્વમાં; અર્હસિ—તારે કરવું જોઈએ.
Translation
BG 16.24: તેથી, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો. શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત્ તદ્દનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો.
Comments
Post a Comment