૧૨ દ્વાદશોધ્યાય: ભક્તિયોગ
અર્જુન ઉવાચ ।
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ।
યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ ॥ ૧॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; એવમ્—આ પ્રમાણે; સતત—શ્રદ્ધાથી; યુક્તા:—યુક્ત; યે—જેઓ; ભક્તા:—ભક્તો; ત્વામ્—આપને; પર્યુપાસતે—આરાધના; યે—જેઓ; ચ—અને; અપિ—પણ; અક્ષરમ્—અવિનાશી; અવ્યક્તમ્—નિરાકાર બ્રહ્મ; તેષામ્—તેઓમાં; કે—કોણ; યોગ-વિત્-તમા:—યોગવિદ્યામાં અધિક નિપુણ.
Translation
BG 12.1: અર્જુને પૂછયું: જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો?
શ્રીભગવાનુવાચ ।
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે ।
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ ॥ ૨॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; મયિ—મારામાં; આવેશ્ય—સ્થિત; મન:—મન; યે—જેઓ; મામ્—મને; નિત્ય યુક્તા:—નિત્ય લીન રહીને; ઉપાસતે—ભજે છે; શ્રદ્ધયા—શ્રદ્ધાથી; પરયા—શ્રેષ્ઠ; ઉપેતા:—યુક્ત થયેલા; તે—તેઓ; મે—મારા દ્વારા; યુક્ત-તમા:—યોગમાં પરમ સિદ્ધ; મતા:—હું માનું છું.
Translation
BG 12.2: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: જેઓ તેમનું મન મારામાં સ્થિત કરે છે અને સદા દૃઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે, હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું.
યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યક્તં પર્યુપાસતે ।
સર્વત્રગમચિન્ત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવમ્ ॥ ૩॥
સન્નિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ ॥ ૪॥
યે—જે; તુ—પરંતુ; અક્ષરમ્—અવિનાશી; અનિર્દેશ્યમ્—અભિજ્ઞેય; અવ્યક્તમ્—અપ્રગટ; પર્યુપાસતે—ભજે; સર્વત્ર-ગમ્—સર્વવ્યાપી; અચિન્ત્યમ્—અકલ્પનીય; ચ—અને; કૂટ-સ્થમ્—અપરિવર્તિત; અચલમ્—સ્થિર; ધ્રુવમ્—શાશ્વત; સન્નિયમ્ય—સંયમિત કરીને; ઇન્દ્રિય-ગ્રામમ્—ઇન્દ્રિયો; સર્વત્ર—સર્વત્ર; સમ-બુદ્ધય:—સમદર્શી; તે—તેઓ; પ્રાપ્નુવન્તિ—પ્રાપ્ત કરે છે; મામ્—મને; એવ—જ; સર્વ-ભૂત-હિતે—સર્વ જીવનાં કલ્યાણ અર્થે; રતા:—પરાયણ.
Translation
BG 12.3-4: પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે કે જે અવિનાશી, અનિર્દેશ્ય, અપ્રગટ, સર્વવ્યાપક, અચિંત્ય, અપરિવર્તનીય, શાશ્વત તથા અવિચળ છે, તેવા લોકો પણ અન્ય જીવોનાં કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે.
ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ ।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ॥ ૫॥
કલેશ:—કષ્ટ; અધિકતર:—અત્યધિક; તેષામ્—તેમના; અવ્યક્ત—અપ્રગટ પ્રત્યે; આસક્ત—આસક્ત; ચેતસામ્—જેમના મન; અવ્યકતા—અવ્યક્ત તરફ; હિ—નિશ્ચિત; ગતિ:—માર્ગ; દુ:ખમ્—અત્યંત કઠિન; દેહ-વદ્ભી:—દેહધારીઓ માટે; અવાપ્યતે—પ્રાપ્ત કરાય છે.
Translation
BG 12.5: જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે ભગવદ્ અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે. દેહધારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે.
યે તુ સર્વાણિ કર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરાઃ ।
અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે ॥ ૬॥
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ ।
ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્ ॥ ૭॥
યે—જે; તુ—પરંતુ; સર્વાંણિ—સર્વ; કર્માણિ—કર્મો; મયિ—મારામાં; સંન્યસ્ય—સમર્પિત; મત્-પરા:—મને પરમ લક્ષ્ય માનીને; અનન્યેન—અનન્ય; એવ—નિશ્ચિતપણે; યોગેન—ભક્તિ સાથે; મામ્—મને; ધ્યાયન્ત:—ધ્યાન કરીને; ઉપાસતે—ઉપાસના કરે છે; તેષામ્—તેમનો; અહમ્—હું; સમુદ્ધર્તા—ઉદ્ધારક; મૃત્યુ-સંસાર-સાગરાત્—જન્મ-મૃત્યુના સાગરમાંથી; ભવામિ—થાઉં છું; ન—નહીં; ચિરાત્—લાંબા સમય પછી; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર, મયિ—મારામાં; આવેશિત ચેતસામ્—જેમની ચેતના એક થઇ ગઈ છે.
Translation
BG 12.6-7: પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને, મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઇ જાય છે.
મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય ।
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ ॥ ૮॥
મયિ—મારામાં; એવ—કેવળ; મન:—મન; આધસ્ત્વ—સ્થિર; મયિ—મારામાં; બુદ્ધિમ્—બુદ્ધિ; નિવેશય—સમર્પિત; નિવસિષ્યસી—તું સદા નિવાસ કરીશ; મયિ—મારામાં; એવ—કેવળ; અત: ઊર્ધ્વમ્—આથી પછી; ન—નહીં; સંશય:—શંકા.
Translation
BG 12.8: તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર. પશ્ચાત્, તું સદૈવ મારામાં નિવાસ કરીશ. આ અંગે કોઈ સંશય નથી.
અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ ।
અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનઞ્જય ॥ ૯॥
અથ—જો; ચિત્તમ્—મન; સમાધાતુમ્—સ્થિર કરવા; ન શકનોષિ—અસમર્થ છે; મયિ—મારામાં; સ્થિરમ્—સ્થિર; અભ્યાસ-યોગેન—વારંવાર સાધના દ્વારા ભગવાન સાથે એક થઈને; તત:—ત્યારે; મામ્—મને; ઈચ્છા—ઈચ્છા; આપ્તુમ્—પ્રાપ્ત; ધનંજય—અર્જુન, ધનનો વિજેતા.
Translation
BG 12.9: હે અર્જુન, જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર.
અભ્યાસેઽપ્યસમર્થોઽસિ મત્કર્મપરમો ભવ ।
મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ ॥ ૧૦॥
અભ્યાસે—અભ્યાસમાં; અપિ—જો; અસમર્થ:—અસમર્થ; અસિ—તું હોય; મત્-કર્મ-પરમ:—મારાં કર્મ પ્રતિ પરાયણ; ભવ—થા; મત્-અર્થમ્—મારા માટે; અપિ—પણ; કર્માણિ—કર્મો; કુર્વન્—કરતાં રહી; સિદ્ધિમ્—સિદ્ધિ; અવાપ્સ્યસિ—તું પ્રાપ્ત કરીશ.
Translation
BG 12.10: જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ-સાધના માટે અસમર્થ હોય તો, તું કેવળ મારા માટે કાર્ય કર. એ પ્રમાણે, મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ.
અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ ।
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥
અથ—જો; એતત્—આ; અપિ—પણ; અશક્ત:—અસમર્થ; અસિ—તું છે; કર્તુમ્—કરવા માટે; મદ્દ-યોગમ્—મારી ભક્તિમાં; આશ્રિત:—આશ્રય પામેલો; સર્વ-કર્મ—સર્વ કર્મોનાં; ફલ-ત્યાગમ્—ફળનો ત્યાગ; તત:—ત્યારે; કુરુ—કર; યત-આત્મવાન્—આત્મસ્થિત.
Translation
BG 12.11: જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય, તો તારા સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા.
શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્જ્ઞાનાદ્ધ્યાનં વિશિષ્યતે ।
ધ્યાનાત્કર્મફલત્યાગસ્ત્યાગાચ્છાન્તિરનન્તરમ્ ॥ ૧૨॥
શ્રેય:—શ્રેષ્ઠ; હિ—માટે; જ્ઞાનમ્—જ્ઞાન; અભ્યાસાત્—(યાંત્રિક) અભ્યાસ; જ્ઞાનાત્—જ્ઞાનથી; ધ્યાનમ્—ધ્યાન; વિશિષ્યતે—વિશેષ શ્રેષ્ઠ; ધ્યાનાત્—ધ્યાનથી; કર્મ-ફલ-ત્યાગ:—કર્મફળોનો ત્યાગ; ત્યાગાત્—ત્યાગથી; શાંતિ:—શાંતિ; અનન્તરમ્—શીઘ્ર.
Translation
BG 12.12: યાંત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે; જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગથી મનને શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે.
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ ।
નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી ॥ ૧૩॥
સન્તુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૪॥
અદ્વેષ્ટા—દ્વેષરહિત; સર્વ-ભૂતાનામ્—જીવમાત્ર પ્રતિ; મૈત્ર:—મૈત્રીભાવયુક્ત; કરુણ:—કરુણાવાન; એવ—ખરેખર, ચ—અને; નિર્મમ:—સ્વામિત્વની આસક્તિથી મુક્ત; નિરહંકાર:—મિથ્યાભિમાનથી રહિત; સમ—સમાન; દુ:ખ—દુ:ખ; સુખ—સુખ; ક્ષમી—ક્ષમાવાન; સંતુષ્ટ:—સંતોષી; સતતમ્—સદા; યોગી—ભક્તિ પરાયણ; યત-આત્મા—આત્મસંયમી; દૃઢ-નિશ્ચય:—કૃત નિશ્ચયી; મયિ—મારામાં; અર્પિત—સમર્પિત; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; ય:—જે; મત્-ભક્ત:—મારો ભક્ત; સ:—તે; મે—મારો; પ્રિય:--પ્રિય.
Translation
BG 12.13-14: એ ભક્તો મને અતિ પ્રિય છે, જે દ્વેષ રહિત છે, જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામીત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે. તેઓ સદૈવ-સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં દૃઢ રીતે ઐક્ય સાધે છે, આત્મસંયમી, કૃતનિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે.
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ ।
નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી ॥ ૧૩॥
સન્તુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૪॥
અદ્વેષ્ટા—દ્વેષરહિત; સર્વ-ભૂતાનામ્—જીવમાત્ર પ્રતિ; મૈત્ર:—મૈત્રીભાવયુક્ત; કરુણ:—કરુણાવાન; એવ—ખરેખર, ચ—અને; નિર્મમ:—સ્વામિત્વની આસક્તિથી મુક્ત; નિરહંકાર:—મિથ્યાભિમાનથી રહિત; સમ—સમાન; દુ:ખ—દુ:ખ; સુખ—સુખ; ક્ષમી—ક્ષમાવાન; સંતુષ્ટ:—સંતોષી; સતતમ્—સદા; યોગી—ભક્તિ પરાયણ; યત-આત્મા—આત્મસંયમી; દૃઢ-નિશ્ચય:—કૃત નિશ્ચયી; મયિ—મારામાં; અર્પિત—સમર્પિત; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; ય:—જે; મત્-ભક્ત:—મારો ભક્ત; સ:—તે; મે—મારો; પ્રિય:--પ્રિય.
Translation
BG 12.13-14: એ ભક્તો મને અતિ પ્રિય છે, જે દ્વેષ રહિત છે, જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવયુક્ત છે અને કરુણાવાન છે. તેઓ સ્વામીત્વની આસક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે, સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે. તેઓ સદૈવ-સંતુષ્ટ રહે છે, ભક્તિપૂર્વક મારામાં દૃઢ રીતે ઐક્ય સાધે છે, આત્મસંયમી, કૃતનિશ્ચયી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે.
યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ ।
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ ॥ ૧૫॥
યસ્માત્—જેનાથી; ન—નહીં; ઉદ્વિજતે—ઉદ્વિગ્ન; લોક:—લોકો; લોકાત્—લોકોથી; ન—નહિ; ઉદ્વિજતે—ઉદ્વિગ્ન; ચ—અને; ય:—જે; હર્ષ—સુખ; અમર્ષ—દુઃખ; ભય—ભય; ઉદ્વેગૈ:—ચિંતા; મુક્ત:—મુક્ત; ય:—જે; સ:—તે; ચ—અને; મે—મને; પ્રિય:—પ્રિય.
Translation
BG 12.15: જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદ્વિગ્ન પણ થતા નથી, જે સુખ તથા દુઃખમાં સમભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે, એવા ભક્તો મને અત્યંત પ્રિય છે.
અનપેક્ષઃ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથઃ ।
સર્વારમ્ભપરિત્યાગી યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ ॥ ૧૬॥
અનપેક્ષ:—સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન; શુચિ:—શુદ્ધ; દક્ષ:—કૌશલ્યપૂર્ણ; ઉદાસીન:—ચિંતારહિત; ગત-વ્યથ:—કષ્ટોથી મુક્ત; સર્વ-આરંભ—સર્વ પ્રયત્નોનો; પરિત્યાગી—ત્યાગી; ય:—જે; મત્-ભક્ત:—મારો ભક્ત; સ:—તે; મે—મને;પ્રિય:—અતિ પ્રિય.
Translation
BG 12.16: જેઓ સંસારી પ્રલોભનો પ્રત્યે ઉદાસીન છે, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ, નિપુણ, ચિંતામુક્ત, કષ્ટમુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થરહિત છે, એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે.
યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
શુભાશુભપરિત્યાગી ભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ ॥ ૧૭॥
ય:—જે; ન—નહીં; હ્રષ્યતિ—હર્ષ પામે છે; ન—નહીં; દ્વેષ્ટિ—શોક; ન—નહીં; શોચતિ—શોક; ન—ન તો; કાંક્ષતિ—મેળવવાની ઈચ્છા; શુભ-અશુભ-પરિત્યાગી—શુભ અને અશુભનો ત્યાગ કરનારો; ભક્તિ-માન્—ભક્તિપૂર્ણ; ય:—જે; સ:—તે; મે—મને; પ્રિય: —અતિ પ્રિય.
Translation
BG 12.17: જે ઐહિક સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી, જે હાનિ માટે શોક કરતો નથી કે કંઈ મેળવવા માટે લાલાયિત રહેતો નથી, જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે, એવા મનુષ્યો જે ભક્તિથી પરિપૂર્ણ છે, તેઓ મને અત્યંત પ્રિય છે.
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ ॥ ૧૮॥
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સન્તુષ્ટો યેન કેનચિત્ ।
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ ॥ ૧૯॥
સમ:—સમાન; શત્રૌ—શત્રુ; ચ—અને; મિત્રે—મિત્ર પ્રત્યે; ચ તથા—તેવી રીતે; માન-અપમાનયો:—માન અને અપમાનમાં; શીત-ઉષ્ણ—ઠંડી અને ગરમીમાં; સુખ-દુ:ખેષુ—સુખ અને દુઃખમાં; સમ:—સમભાવ; સંગ-વિવર્જિત:—સર્વ પ્રતિકૂળ સંગથી મુક્ત; તુલ્ય—સમાન; નિન્દા-સ્તુતિ—અપયશ અને યશ; મૌની—મૌન ચિંતન; સંતુષ્ટ:—સંતુષ્ટ; યેન કેનચિત્—જે કોઈ વસ્તુથી; અનિકેત: —નિવાસસ્થાન પ્રત્યેની આસક્તિ રહિત; સ્થિર—દૃઢ રીતે સ્થિર; મતિ:—બુદ્ધિ; ભક્તિ-માન્—ભક્તિપૂર્ણ; મે—મને; પ્રિય:—અતિ પ્રિય; નર:—મનુષ્ય.
Translation
BG 12.18-19: જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સમ્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સમભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે; જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે; જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસસ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દૃઢપણે મારામાં સ્થિર છે, તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે, તેવા મનુષ્યો મને અત્યંત પ્રિય છે.
સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ સમઃ સઙ્ગવિવર્જિતઃ ॥ ૧૮॥
તુલ્યનિન્દાસ્તુતિર્મૌની સન્તુષ્ટો યેન કેનચિત્ ।
અનિકેતઃ સ્થિરમતિર્ભક્તિમાન્મે પ્રિયો નરઃ ॥ ૧૯॥
સમ:—સમાન; શત્રૌ—શત્રુ; ચ—અને; મિત્રે—મિત્ર પ્રત્યે; ચ તથા—તેવી રીતે; માન-અપમાનયો:—માન અને અપમાનમાં; શીત-ઉષ્ણ—ઠંડી અને ગરમીમાં; સુખ-દુ:ખેષુ—સુખ અને દુઃખમાં; સમ:—સમભાવ; સંગ-વિવર્જિત:—સર્વ પ્રતિકૂળ સંગથી મુક્ત; તુલ્ય—સમાન; નિન્દા-સ્તુતિ—અપયશ અને યશ; મૌની—મૌન ચિંતન; સંતુષ્ટ:—સંતુષ્ટ; યેન કેનચિત્—જે કોઈ વસ્તુથી; અનિકેત: —નિવાસસ્થાન પ્રત્યેની આસક્તિ રહિત; સ્થિર—દૃઢ રીતે સ્થિર; મતિ:—બુદ્ધિ; ભક્તિ-માન્—ભક્તિપૂર્ણ; મે—મને; પ્રિય:—અતિ પ્રિય; નર:—મનુષ્ય.
Translation
BG 12.18-19: જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે, સમ્માન તથા અપમાનમાં, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં સમભાવયુક્ત રહે છે તથા કુસંગથી સદા અળગો રહે છે; જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે; જે મૌન ચિંતનમાં લીન રહે છે, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે, નિવાસસ્થાન પ્રત્યે આસક્તિ રહિત છે, જેની મતિ દૃઢપણે મારામાં સ્થિર છે, તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે, તેવા મનુષ્યો મને અત્યંત પ્રિય છે.
યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તં પર્યુપાસતે ।
શ્રદ્દધાના મત્પરમા ભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ ॥ ૨૦॥
યે—જે; તુ—ખરેખર; ધર્મ—જ્ઞાન; અમૃતમ્—અમૃત; ઈદમ્—આ; યથા—જેવી રીતે; ઉક્તમ્—કહેવામાં આવ્યું; પર્યુપાસતે—અનન્ય ભક્તિ; શ્રદ્ધાના:—શ્રદ્ધા પૂર્વક; મત્-પરમ:—મને પરમ ધ્યેય માનનારા; ભક્તા:—ભક્ત; તે—તેઓ, અતીવ—અતિશય; મે—મને; પ્રિય:—પ્રિય.
Translation
BG 12.20: જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સમ્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે.
Comments
Post a Comment