અધ્યાય ૧૩: ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ
અર્જુન ઉવાચ ।
પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ ।
એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પ્રકૃતિમ્—માયિક પ્રકૃતિ; પુરુષમ્—ભોક્તા; ચ—અને; એવ—વાસ્તવમાં; ક્ષેત્રમ્—કર્મોનું ક્ષેત્ર; ક્ષેત્ર-જ્ઞમ્—ક્ષેત્રને જાણનાર; એવ—પણ; ચ—પણ; એતત્—આ; વેદિતુમ્—જાણવું; ઇચ્છામિ—હું ઈચ્છું છું; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનો ઉદ્દેશ્ય; ચ—અને; કેશવ—કૃષ્ણ, કેશી નામક દૈત્યના સંહારક.
Translation
BG 13.1: અર્જુને કહ્યું, “હે કેશવ, હું જાણવા ઈચ્છું છું કે પ્રકૃતિ અને પુરુષ તથા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શું છે? હું એ પણ જાણવા ઈચ્છું છું કે વાસ્તવિક જ્ઞાન શું છે અને આ જ્ઞાનનું લક્ષ્ય શું છે?
શ્રીભગવાનુવાચ ।
ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે ।
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૨॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ઈદમ્—આ; શરીરમ્—શરીર; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; ક્ષેત્રમ્—કર્મક્ષેત્ર; ઈતિ—એ પ્રમાણે; અભીધિયતે—કહેવાય છે; એતત્—આ; ય:—જે; વેત્તિ—જાણે છે; તમ્—તે; પ્રાહુ:—કહેવામાં આવે છે; ક્ષેત્ર-જ્ઞ—ક્ષેત્રને જાણનારો; ઈતિ—એ પ્રમાણે; તત્-વિદ:—સત્યને સમજનારા.
Translation
BG 13.2: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ આ બંનેનું વાસ્તવિક સત્ય જાણનારા સંતો દ્વારા આ શરીરને ક્ષેત્ર (કર્મક્ષેત્ર) કહેવામાં આવે છે અને આ શરીરને જાણનારને ક્ષેત્રજ્ઞ (ક્ષેત્રને જાણનાર) કહેવામાં આવે છે.
ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ।
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ ॥ ૩॥
ક્ષેત્રજ્ઞમ્—ક્ષેત્રને જાણનારો; ચ—પણ; અપિ—કેવળ; મામ્—મને; વિદ્ધિ—જાણ; સર્વ—બધા; ક્ષેત્રેષુ—વ્યક્તિગત કર્મક્ષેત્રમાં; ભારત—ભારતવંશી; ક્ષેત્ર—કર્મક્ષેત્ર; ક્ષેત્રજ્ઞયો:—ક્ષેત્રનો જાણનાર; જ્ઞાનમ્—જ્ઞાન; યત્—જે; તત્—તે; જ્ઞાનમ્—જ્ઞાન; મત્તમ્—મત; મમ—મારો.
Translation
BG 13.3: હે ભારતવંશી, હું સર્વ શરીરનાં કર્મક્ષેત્રોનો જ્ઞાતા પણ છું. શરીરની કર્મક્ષેત્ર તરીકેની તથા આત્મા અને ભગવાનની ક્ષેત્રના જ્ઞાતા તરીકેની સમજણ મારા મત પ્રમાણે વાસ્તવિક જ્ઞાન છે.
તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્ ।
સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ ॥ ૪॥
તત્—તે; ક્ષેત્રમ્—કર્મક્ષેત્ર; યત્—જે; ચ—અને; યાદૃક્—તેની પ્રકૃતિ; ચ—અને; યત્-વિકારી—જે પરિવર્તનો તેમાં થાય છે; યત:—જેનાથી; ચ—પણ; યત્—જે; સ:—તે; ચ—પણ; ય:—જે; યત્-પ્રભાવ:—જેનો પ્રભાવ; ચ—અને; તત્—તે; સમાસેન—સંક્ષેપમાં; મે—મારા દ્વારા; શ્રુણુ—સાંભળ.
Translation
BG 13.4: હવે તું મારી પાસેથી આ સર્વ વિષે સંક્ષેપમાં સાંભળ કે ક્ષેત્ર અને તેની પ્રકૃતિ શું છે. તેની અંતર્ગત પરિવર્તનો કેવી રીતે થાય છે, તે શેમાંથી ઉત્પન્ન થાય છે, કર્મક્ષેત્રનો જ્ઞાતા કોણ છે અને તેનો પ્રભાવ શું છે, એ પણ હું સ્પષ્ટ કરીશ.
ઋષિભિર્બહુધા ગીતં છન્દોભિર્વિવિધૈઃ પૃથક્ ।
બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ ॥ ૫॥
ઋષિભિ:—મહાન ઋષિઓ દ્વારા; બહુધા—અનેક પ્રકારે; ગીતમ્—વર્ણવેલ; છંદોભિ:—વૈદિક મંત્રો દ્વારા; વિવિધૈ:—વિવિધ પ્રકારના; પૃથક્—ભિન્ન-ભિન્ન; બ્રહ્મ-સૂત્ર—બ્રહ્મસૂત્ર; પદૈ:—સૂત્રો દ્વારા; ચ—અને; એવ—સવિશેષ; હેતુ-મદ્ભિ:—તર્ક દ્વારા; વિનીશ્ચિતૈ:—સંક્ષિપ્ત પુરાવો.
Translation
BG 13.5: મહાન ઋષિઓએ અનેક પ્રકારે ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતાના સત્યનું વર્ણન કર્યું છે. તે વિવિધ વૈદિક મંત્રોમાં તથા વિશેષત: બ્રહ્મસૂત્રમાં સચોટ તર્ક અને સંક્ષિપ્ત પુરાવાઓ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે.
મહાભૂતાન્યહઙ્કારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ।
ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ॥ ૬॥
મહા-ભૂતાનિ—પાંચ મહાન તત્ત્વો; અહંકાર:—અભિમાન; બુદ્ધિ:—બુદ્ધિ; અવ્યક્તમ્—અપ્રગટ આદિ પદાર્થ; એવ—ખરેખર; ચ—અને; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; દશ-એકમ્—અગિયાર; ચ—અને; પંચ—પાંચ; ચ—અને; ઇન્દ્રિય-ગો-ચર:—ઇન્દ્રિયોના પાંચ વિષયો.
Translation
BG 13.6: કર્મ ક્ષેત્ર પાંચ મહાન તત્ત્વો, અહંકાર, બુદ્ધિ, અપ્રગટ આદિ તત્ત્વ, અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને મન) તથા ઇન્દ્રિયોના પાંચ વિષયોથી નિર્મિત છે.
ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સઙ્ઘાતશ્ચેતના ધૃતિઃ ।
એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્ ॥ ૭॥
ઈચ્છા—ઈચ્છા; દ્વેષ:—દ્વેષ; સુખમ્—સુખ; દુ:ખમ્—દુઃખ; સંઘાત:—સમુચ્ચય; ચેતના—ચેતના; ધૃતિ:—ઈચ્છા શક્તિ; એતત્—આ સર્વ; ક્ષેત્રમ્—કર્મ ક્ષેત્ર; સમાસેન—સમાવિષ્ટ; સ-વિકારમ્—પરિવર્તન સાથે; ઉદાહ્રતમ્—કહેવાતું.
Translation
BG 13.7: ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, શરીર, ચેતના તથા ઈચ્છા શક્તિ—આ સર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તથા તેના વિકારો છે.
અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્ ।
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ ॥ ૮॥
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહઙ્કાર એવ ચ ।
જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ॥ ૯॥
અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ ।
નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ॥ ૧૦॥
મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી ।
વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ ॥ ૧૧॥
અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ ।
એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૨॥
અમાનિત્વમ્—વિનમ્રતા; અદમ્બિત્વમ્—દંભથી મુક્તિ; અહિંસા—અહિંસા; ક્ષાન્તિ:—ક્ષમા; આર્જવમ્—સરળતા; આચાર્ય- ઉપાસનમ્—ગુરુની ઉપાસના; શૌચમ્—મન અને શરીરની સ્વચ્છતા; સ્થૈર્યમ્—દૃઢતા; આત્મ-વિનિગ્રહ:—આત્મસંયમ; ઇન્દ્રિય-અર્થેષુ—ઇન્દ્રિયોની તરફ; વૈરાગ્યમ્—વિરક્તિ; અનહંકાર—અભિમાન રહિત; એવ ચ—તેમજ; જન્મ—જન્મનું; મૃત્યુ—મૃત્યુ; જરા—ઘડપણ; વ્યાધિ—રોગ; દુઃખ—દુઃખ; દોષ—દોષ; અનુદર્શનમ્—પ્રત્યક્ષીકરણ; અસક્તિ:—અનાસક્તિ; અનભિષ્વંગ:—તૃષ્ણાનો અભાવ; પુત્ર—સંતાનો; દાર—જીવનસાથી; ગૃહ-આદિષુ—ઘર વગેરે; નિત્યમ્—નિત્ય; ચ—અને; સમચિત્તત્વમ્—સમદર્શિતા; ઈષ્ટ—ઈચ્છિત; અનિષ્ટ—અનિચ્છિત; ઉપપત્તિષુ—પ્રાપ્ત કરીને; મયિ—મારા પ્રત્યે; ચ—પણ; અનન્ય-યોગેન—અનન્ય ઐક્ય; ભક્તિ:—ભક્તિ; અવ્યભિચારિણી—નિરંતર; વિવિક્ત—એકાંત; દેશ—સ્થાનો; સેવિત્વમ્—પ્રત્યે રુચિ; અરતિ:—દ્વેષ; જન-સંસદિ—સામાન્ય જનો પ્રતિ; અધ્યાત્મ—અધ્યાત્મ; જ્ઞાન—જ્ઞાન; નિત્યત્વમ્—સાતત્ય; તત્ત્વ-જ્ઞાન—આધ્યાત્મિક સિદ્ધાંતોનું જ્ઞાન; અર્થ—માટે; દર્શનમ્—દર્શન શાસ્ત્ર; એતત્—આ સર્વ; જ્ઞાનમ્—જ્ઞાન; ઈતિ—આ પ્રમાણે; પ્રોક્તમ્—કહેવાયું; અજ્ઞાનમ્—અજ્ઞાન; યત્—જે; અત:—આથી; અન્યથા—ને બદલે.
Translation
BG 13.8-12: વિનમ્રતા, દંભથી મુક્તિ, અહિંસા, ક્ષમા, સરળતા, ગુરૂની ઉપાસના, શરીર અને મનની સ્વચ્છતા, દૃઢતા, આત્મસંયમ, ઇન્દ્રિય વિષયો પ્રત્યે વિરક્તિ, અહંકારનો અભાવ, જન્મ, વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ શત્રુઓને ધ્યાનમાં રાખવા; અનાસક્તિ, જીવનસાથી, સંતાનો, ઘર, વગેરે પ્રતિ મમતાનો અભાવ; જીવનની વાંછિત અને અવાંછિત પરિસ્થિતિઓમાં સમદર્શિતા; મારા પ્રત્યે નિરંતર અને અનન્ય ભક્તિ, એકાંત સ્થાનો પ્રત્યે રુચિ અને જન સમુદાય પ્રત્યે વિમુખતા, આધ્યાત્મિક જ્ઞાનમાં સાતત્ય તથા પરમ સત્યની તાત્ત્વિક શોધ—આ સર્વને હું જ્ઞાન ઘોષિત કરું છે અને તેનાથી વિપરીતને હું અજ્ઞાન કહું છું.
જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે ।
અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૩॥
જ્ઞેયમ્—જાણવા યોગ્ય; યત્—જે; તત્—તે; પ્રવક્ષ્યામિ—હું હવે પ્રગટ કરીશ; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; અમૃતમ્—શાશ્વતતા; અશ્નુતે—પ્રાપ્ત કરે છે; અનાદિ—જેનો આરંભ નથી; મત્-પરમ્—મને આધીન; બ્રહ્મ—બ્રહ્મન; ન—નહીં; સત્—અસ્તિત્ત્વ; તત્—તે; ન—નહીં; અસત્—અસ્તિત્ત્વ-રહિત; ઉચ્યતે—કહે છે.
Translation
BG 13.13: હવે હું જે જાણવા યોગ્ય છે અને જે જાણીને મનુષ્યને શાશ્વતતા પ્રાપ્ત થાય છે, તે તારી સમક્ષ પ્રગટ કરીશ. તે અનાદિ બ્રહ્મ છે, જે અસ્તિત્ત્વ અને અસ્તિત્ત્વહીનથી પર છે.
સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ ।
સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ ૧૪॥
સર્વત:—સર્વત્ર; પાણિ—હાથ; પાદમ્—પગ; તત્—તે; સર્વત:—સર્વત્ર; અક્ષિ—નેત્ર; શિર:—માથું; મુખમ્—મુખ; સર્વત:—સર્વત્ર; શ્રુતિ-મત્—કર્ણયુક્ત; લોકે—બ્રહ્માંડમાં; સર્વમ્—સર્વ; આવૃત્ય—વ્યાપ્ત; તિષ્ઠતિ—અવસ્થિત છે.
Translation
BG 13.14: તેમના શ્રીહસ્તો અને ચરણો, નેત્રો, શિરો અને મુખો સર્વત્ર વ્યાપ્ત છે. તેમના કર્ણો પણ સર્વ સ્થાને છે કારણ કે, તેઓ આ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુમાં સર્વત્ર અવસ્થિત છે.
સર્વેન્દ્રિયગુણાભાસં સર્વેન્દ્રિયવિવર્જિતમ્ ।
અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ ॥ ૧૫॥
સર્વ—બધી; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; ગુણ—ઇન્દ્રિય-વિષયો; આભાસમ્—ગોચર; સર્વ—સર્વ; ઈન્દ્રિય—ઇન્દ્રિયો; વિવર્જિતમ્—રહિત; અસક્તમ્—અનાસક્ત; સર્વ-ભૃત્—સર્વનું પાલન કરનાર; ચ—છતાં; એવ—વાસ્તવમાં; નિર્ગુણમ્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પરે; ગુણ-ભોક્ત્રુ—માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા; ચ—હોવા છતાં.
Translation
BG 13.15: યદ્યપિ તેમને સર્વ ઇન્દ્રિય-વિષયોનો બોધ હોવા છતાં તેઓ ઇન્દ્રિયોથી રહિત છે. તેઓ સર્વ પ્રત્યે અનાસક્ત હોવા છતાં સર્વના પાલનકર્તા છે. તેઓ નિર્ગુણ હોવા છતાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના ભોક્તા છે.
બહિરન્તશ્ચ ભૂતાનામચરં ચરમેવ ચ ।
સૂક્ષ્મત્વાત્તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્ ॥ ૧૬॥
બહિ:—બહાર; અન્ત:—અંદર; ચ—અને; ભૂતાનામ્—સર્વ જીવોનાં; અચરમ્—અચળ; ચરમ્—ચલ; એવ—વાસ્તવમાં; ચ—અને; સૂક્ષ્મત્વાત્—સૂક્ષ્મ હોવાથી; તત્—તે; અવિજ્ઞેયમ્—અજ્ઞેય; દૂર-સ્થમ્—અતિ દૂર; ચ—અને; અન્તિકે—અતિ સમીપ; ચ—પણ; તત્—તે.
Translation
BG 13.16: તેઓ ચર અને અચર સર્વ જીવોની અંદર તથા બહાર અસ્તિત્ત્વ ધરાવે છે. તેઓ સૂક્ષ્મ છે અને તેથી અગમ્ય છે. તેઓ અતિ દૂર છે પરંતુ તેઓ અતિ નિકટ પણ છે.
અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ્ ।
ભૂતભર્તૃ ચ તજ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ ॥ ૧૭॥
અવિભક્તમ્—અવિભાજિત; ચ—છતાં; ભૂતેષુ—જીવમાત્રમાં; વિભક્તમ્—વિભાજીત; ઈવ—પ્રત્યક્ષરૂપે; ચ—છતાં; સ્થિતમ્—સ્થિત; ભૂત-ભતૃ—સર્વ જીવોનાં પાલક; ચ—પણ; તત્—તે; જ્ઞેયમ્—જાણવા યોગ્ય; ગ્રસિષ્ણુ—ગ્રાસ કરી જનાર; પ્રભવિષ્ણુ—સર્જનહાર; ચ—અને.
Translation
BG 13.17: તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવમાત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોનાં પાલનકર્તા, સંહારક અને સર્જનહાર જાણ.
જ્યોતિષામપિ તજ્જ્યોતિસ્તમસઃ પરમુચ્યતે ।
જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ્ ॥ ૧૮॥
જ્યોતિષમ્—સર્વ પ્રકાશમય વસ્તુઓમાં; અપિ—અને; તત્—તે; જ્યોતિ:—પ્રકાશનો સ્રોત; તમસ:—અંધકાર; પરમ્—પર; ઉચ્યતે—કહેવાય છે; જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનો વિષય; જ્ઞાન-ગમ્યમ્—જ્ઞાનનું ધ્યેય; હ્રદિ—અંત:કરણમાં; સર્વસ્ય—સર્વ જીવોનાં; વિષ્ઠિતમ્—સ્થિત.
Translation
BG 13.18: તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્રોત છે અને સર્વથા અજ્ઞાનના અંધકારથી પરે છે. તેઓ જ્ઞાન, જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ધ્યેય છે. તેઓ સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છે.
ઇતિ ક્ષેત્રં તથા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ ।
મદ્ભક્ત એતદ્વિજ્ઞાય મદ્ભાવાયોપપદ્યતે ॥ ૧૯॥
ઈતિ—આ રીતે; ક્ષેત્રમ્—ક્ષેત્રની પ્રકૃતિ; તથા—અને; જ્ઞાનમ્—જ્ઞાનનો અર્થ; જ્ઞેયમ્—જ્ઞાનનો વિષય; ચ—અને; ઉક્તમ્—પ્રગટયું; સમાસત:—સંક્ષેપમાં; મત્-ભક્ત:—મારો ભક્ત; એતત્—આ; વિજ્ઞાય—જાણીને; મત્-ભાવાય—મારી દિવ્ય પ્રકૃતિ; ઉપપદ્યતે—પ્રાપ્ત કરે છે.
Translation
BG 13.19: આ પ્રમાણે મેં તારી સમક્ષ ક્ષેત્રની પ્રકૃતિ, જ્ઞાનનું તાત્પર્ય અને જ્ઞાનનો વિષય સંક્ષેપમાં પ્રગટ કર્યો. કેવળ મારા ભક્તો આ વાસ્તવિક રીતે સમજી શકે છે અને એમ કરીને તેઓ મારી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે.
પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ ।
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ॥ ૨૦॥
પ્રકૃતિમ્—માયિક પ્રકૃતિ; પુરુષમ્—જીવાત્મા; ચ—અને; એવ—નિશ્ચિત; વિદ્ધિ—જાણ; અનાદિ—આદિ રહિત; ઉભૌ—બંને; અપિ—અને; વિકારાન્—રૂપાંતરો (શારીરિક); ચ—પણ; ગુણાન્—પ્રકૃતિના ત્રણ ગુણો; ચ—અને; એવ—નિશ્ચિત; વિદ્ધિ—જાણ; પ્રકૃતિ—માયિક શક્તિ; સમ્ભવાન્—દ્વારા ઉત્પન્ન થયેલાં.
Translation
BG 13.20: પ્રકૃતિ (માયા) અને પુરુષ (જીવાત્મા) આ બંને અનાદિ જાણ. એ પણ જાણ કે શરીરના સર્વ રૂપાંતરો અને પ્રકૃતિના ત્રણ ગુણો માયિક શક્તિ દ્વારા ઉત્પન્ન થયાં છે.
કાર્યકારણકર્તૃત્વે હેતુઃ પ્રકૃતિરુચ્યતે ।
પુરુષઃ સુખદુઃખાનાં ભોક્તૃત્વે હેતુરુચ્યતે ॥ ૨૧॥
કાર્ય—કાર્ય; કારણ—કારણ; કર્તૃત્વે—સર્જનના વિષયમાં; હેતુ:—માધ્યમ; પ્રકૃતિ:—ભૌતિક પ્રકૃતિ; ઉચ્યતે—કહેવાય છે; પુરુષ:—જીવાત્મા; સુખ-દુ:ખાનામ્—સુખ-દુઃખના; ભોક્તૃત્વે—ભોગવવામાં; હેતુ:—ઉત્તરદાયી; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 13.21: સર્જનના વિષયમાં કાર્ય અને કારણ માટે ભૌતિક શક્તિ ઉત્તરદાયી છે; સુખ અને દુઃખ અનુભવવામાં જીવાત્માને ઉત્તરદાયી ઘોષિત કરાયો છે.
પુરુષઃ પ્રકૃતિસ્થો હિ ભુઙ્ક્તે પ્રકૃતિજાન્ગુણાન્ ।
કારણં ગુણસઙ્ગોઽસ્ય સદસદ્યોનિજન્મસુ ॥ ૨૨॥
પુરુષ:—જીવાત્મા; પ્રકૃતિ-સ્થ:—પ્રાકૃત શક્તિમાં સ્થિત; હિ—નિશ્ચિત; ભુંક્તે—સુખની કામના; પ્રકૃતિ-જાન્—પ્રાકૃત શક્તિ દ્વારા ઉત્પન્ન; ગુણાન્—પ્રકૃતિના ત્રણ ગુણોને; કારણમ્—કારણ; ગુણ-સંગ:—આસક્તિ (ત્રણ ગુણો); અસ્ય—તેનો; સત્-અસત્-યોનિ—ઉચ્ચતર કે નિમ્નતર યોનિ; જન્મસુ—જન્મમાં.
Translation
BG 13.22: જયારે પ્રકૃતિ (પ્રાકૃત શક્તિ)માં સ્થિત પુરુષ (જીવાત્મા) ત્રણ ગુણોને ભોગવવાની કામના કરે છે, ત્યારે તેમના પ્રત્યેની આસક્તિ તેનાં ઉચ્ચતર અને નિમ્નતર યોનિમાં જન્મનું કારણ બને છે.
ઉપદ્રષ્ટાનુમન્તા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ ।
પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેઽસ્મિન્પુરુષઃ પરઃ ॥ ૨૩॥
ઉપદૃષ્ટ:—સાક્ષી; અનુમન્તા—અનુમોદન આપનાર; ચ—અને; ભર્તા—નિર્વાહક; ભોક્તા—પરમ ભોક્તા; મહા-ઈશ્વર:—પરમ નિયંતા; પરમ-આત્મા—પરમાત્મા; ઈતિ—તે; ચ—અને; અપિ—પણ; ઉક્ત:—કહેવાયો છે; દેહે—શરીરમાં; અસ્મિન્—આ; પુરુષ: પર:—પરમાત્મા.
Translation
BG 13.23: શરીરની અંદર પરમાત્મા પણ નિવાસ કરે છે. તેઓને સાક્ષી, અનુમતિ પ્રદાન કરનાર, સહાયક, પરમ ભોક્તા, પરમ નિયંતા અને પરમાત્મા કહેવામાં આવે છે.
ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ ।
સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે ॥ ૨૪॥
ય:—જે; એવમ્—આ પ્રમાણે; વેત્તિ—જાણે છે; પુરુષમ્—પુરુષ; પ્રકૃતિમ્—ભૌતિક પ્રકૃતિ; ચ—અને; ગુણૈઃ —પ્રકૃતિના ત્રણ ગુણો; સહ—સાથે; સર્વથા—સર્વ પ્રકારે; વર્તમાન:—સ્થિત; અપિ—હોવા છતાં; ન—નહીં; સ:—તેઓ; ભૂય:—પુન:; અભિજાયતે—જન્મ પામે છે.
Translation
BG 13.24: જે લોકો આ પરમાત્મા, જીવાત્મા, માયિક પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણ ગુણોની આંતરક્રિયાનું સત્ય સમજી લે છે, તે પુન: અહીં જન્મ લેતો નથી. તેમની વર્તમાન સ્થિતિ ભલે જે પણ હોય, તેઓ મુક્ત થઈ જાય છે.
ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના ।
અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ॥ ૨૫॥
ધ્યાનેન—ધ્યાન દ્વારા; આત્મનિ—પોતાની અંદર; પશ્યન્તિ—જોવે છે; કેચિત્—કેટલાક લોકો; આત્માનમ્—પરમ આત્મા; આત્મના—મનથી; અન્યે—અન્ય; સાંખ્યેન—જ્ઞાનના સંવર્ધનથી; યોગેન—યોગ પદ્ધતિ દ્વારા; કર્મ-યોગેન—કર્મયોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય; ચ—અને; અપરે—અન્ય.
Translation
BG 13.25: કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા તેમના અંત:કરણમાં જોવાનો પ્રયાસ કરે છે અને કેટલાક મનુષ્યો જ્ઞાનના સંવર્ધનથી તેમ કરવાનો પ્રયાસ કરે છે, જયારે હજુ અન્ય લોકો કર્મયોગ દ્વારા તે અનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે ।
તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ ॥ ૨૬॥
અન્યે—અન્ય; તુ—પરંતુ; એવમ્—એ પ્રમાણે; અજાનન્ત:—જેઓ (આધ્યાત્મિક માર્ગથી) અજાણ છે; શ્રુત્વા—સાંભળીને; અન્યેભ્ય:—બીજાઓથી; ઉપાસતે—ઉપાસનાનો આરંભ; તે—તેઓ; અપિ—પણ; ચ—અને; અતિતરન્તિ—પાર કરે છે; એવ—તો પણ; મૃત્યુમ્—મૃત્યુ; શ્રુતિ-પરાયણા:—શ્રવણભક્તિમાં પરાયણ.
Translation
BG 13.26: હજી અન્ય એવા લોકો પણ છે, જેઓ આ સાધનાના માર્ગોથી અનભિજ્ઞ છે, પરંતુ તેઓ અન્ય પાસેથી શ્રવણ કરીને ભગવાનની ઉપાસનાનો આરંભ કરે છે. આ સંત-વાણીની શ્રવણ-ભક્તિ દ્વારા તેઓ પણ ધીમે-ધીમે જન્મ અને મૃત્યુના સમુદ્રને પાર કરી શકે છે.
યાવત્સઞ્જાયતે કિઞ્ચિત્સત્ત્વં સ્થાવરજઙ્ગમમ્ ।
ક્ષેત્રક્ષેત્રજ્ઞસંયોગાત્તદ્વિદ્ધિ ભરતર્ષભ ॥ ૨૭॥
યાવત્—જે કંઈ; સંજાયતે—ઉત્પન્ન થાય છે; કિંચિત્—કંઈપણ; સત્ત્વમ્—અસ્તિત્વ; સ્થાવર—અચળ; જંગમમ્—ચલ; ક્ષેત્ર—કર્મક્ષેત્ર; ક્ષેત્રજ્ઞ—ક્ષેત્રનો જ્ઞાતા; સંયોગાત્—સંયોગથી; તત્—તે; વિદ્ધિ—જાણ; ભરત-ઋષભ—ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.
Translation
BG 13.27: હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્ત્વમાં તું જે કંઈપણ ચર અને અચર જોવે છે, તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ.
સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્ ।
વિનશ્યત્સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ ॥ ૨૮॥
સમમ્—સમાન; સર્વેષુ—સર્વમાં; ભૂતેષુ—જીવોમાં; તિષ્ઠન્તમ્—નિવાસ કરતા; પરમ-ઈશ્વરમ્—પરમાત્મા; વિનશ્યત્સુ—નાશવંત; અવિનશ્યન્તમ્—અવિનાશી; ય:—જે; પશ્યતિ—જોવું; સ:—તે; પશ્યતિ—બોધ.
Translation
BG 13.28: જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે છે.
સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ ।
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્ ॥ ૨૯॥
સમમ્—સમાન; પશ્યન્—જોવે; હિ—ખરેખર; સર્વત્ર—સર્વત્ર; સમવસ્થિતમ્—સમાન રૂપે સ્થિત; ઈશ્વરમ્—ભગવાનનું પરમાત્મા સ્વરૂપ; ન—નહીં; હિનસ્તિ—અધ:પતન; આત્મના—મન દ્વારા; આત્માનમ્—સ્વ; તત:—ત્યારે; યાતિ—પહોંચે; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય સ્થાન.
Translation
BG 13.29: જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાનરૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધ:પતન થતું નથી. તેથી, તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે.
પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ ।
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ॥ ૩૦॥
પ્રકૃત્યા—માયિક પ્રકૃતિ દ્વારા; એવ—સાચે; ચ—પણ; કર્માણિ—કર્મો; ક્રિયમાણાનિ—કરવામાં આવેલા; સર્વશ:—સર્વ; ય:—જે; પશ્યતિ—જોવે છે; તથા—તેમજ; આત્માનમ્—દેહધારી આત્મા; અકર્તારમ્—અકર્તા; સ:—તે; પશ્યતિ—જોવે છે.
Translation
BG 13.30: કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.
યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ ।
તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સમ્પદ્યતે તદા ॥ ૩૧॥
યદા—જયારે; ભૂત—જીવો; પૃથક્-ભાવમ્—ભાત-ભાતનું વૈવિધ્ય; એક-સ્થમ્—એક સ્થાને સ્થિત; અનુપશ્યતિ—જોવું; તત:—ત્યાર પછી; એવ—ખરેખર; ચ—અને વિસ્તારમ્—વિસ્તારને; બ્રહ્મ—બ્રહ્મન; સંપદ્યતે—(તેઓ) પ્રાપ્ત કરે છે; તદા—ત્યારે.
Translation
BG 13.31: જયારે તેઓ જીવોના જાત-જાતના વૈવિધ્યને એકસમાન માયિક પ્રકૃતિમાં સ્થિત જોવે છે અને જાણે છે કે તે સર્વ તેમાંથી જ જન્મ પામ્યા છે, ત્યારે તેઓ બ્રહ્મની અનુભૂતિ પ્રાપ્ત કરે છે.
અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ ।
શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ॥ ૩૨॥
અનાદિત્વાત્—આદિરહિત; નિર્ગુણત્વાત્—માયિક ગુણોથી રહિત; પરમ—પરમ; આત્મા—આત્મા; અયમ્—આ; અવ્યય:—અવિનાશી; શરીર-સ્થ:—શરીરમાં નિવાસ કરતા; અપિ—યદ્યપિ; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; ન—ન તો; કરોતિ—કરવું; ન—કે ન; લિપ્યતે—લિપ્ત થતો નથી.
Translation
BG 13.32: હે કૌન્તેય, પરમાત્મા અવિનાશી, અનાદિ અને માયિક ગુણોથી રહિત છે. શરીરની અંદર જ સ્થિત હોવા છતાં પણ તે ન તો કોઈ ક્રિયા કરે છે કે ન તો પ્રાકૃત શક્તિથી લિપ્ત થાય છે.
યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે ।
સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે ॥ ૩૩॥
યથા—જેવી રીતે; સર્વ-ગતમ્—સર્વવ્યાપી; સૌક્ષ્મ્યાત્—સૂક્ષ્મતાને કારણે; આકાશમ્—આકાશ; ન—નહીં; ઉપલિપ્યતે—દૂષિત થાય છે; સર્વત્ર—સર્વત્ર; અવસ્થિત:—સ્થિત; દેહે—શરીર; તથા—તેવી રીતે; આત્મા—આત્મા; ન—નહીં; ઉપલિપ્યતે—દૂષિત થાય છે.
Translation
BG 13.33: આકાશ સર્વને પોતાનામાં ધારણ કરે છે, પરંતુ સૂક્ષ્મ હોવાના કારણે તે જેને ધારણ કરે છે, તેના પ્રત્યે લિપ્ત થતું નથી. એ જ પ્રમાણે, આત્માની ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત હોવા છતાં પણ આત્મા શરીરના ગુણોથી પ્રભાવિત થતો નથી.
યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ।
ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત ॥ ૩૪॥
યથા—જેવી રીતે; પ્રકાશયંતિ—પ્રકાશિત કરે છે; એક:—એક; કૃત્સ્નમ્—સંપૂર્ણ; લોકમ્—સૂર્ય મંડળ; ઈમમ્—આ; રવિ:—સૂર્ય; ક્ષેત્રમ્—શરીર; ક્ષેત્રી—આત્મા; તથા—તેવી રીતે; કૃત્સ્નમ્—સંપૂર્ણ; પ્રકાશયંતિ—પ્રકાશિત કરે છે; ભારત—અર્જુન, ભરતપુત્ર.
Translation
BG 13.34: જે પ્રમાણે, એક સૂર્ય સંપૂર્ણ સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે, તે જ પ્રમાણે જીવાત્મા સંપૂર્ણ શરીરને (ચેતનાથી) પ્રકાશિત કરે છે.
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમન્તરં જ્ઞાનચક્ષુષા
ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ્ ॥ ૩૫॥
ક્ષેત્ર—શરીર; ક્ષેત્ર-જ્ઞયો:—શરીરને જાણનાર; એવમ્—આ પ્રમાણે; અન્તરમ્—તફાવત; જ્ઞાન-ચક્ષુષા—જ્ઞાન-ચક્ષુ દ્વારા; ભૂત—જીવ; પ્રકૃતિ-મોક્ષમ્—માયિક પ્રકૃતિથી મુક્ત; ચ—અને; યે—જે; વિદુ:—જાણે છે; યાન્તિ—પામે છે; તે—તેઓ; પરમ્—પરમ.
Translation
BG 13.35: જે મનુષ્યો જ્ઞાન-દૃષ્ટિ દ્વારા શરીર અને શરીરના જ્ઞાતા વચ્ચેના ભેદને તથા માયિક પ્રકૃતિથી મુક્ત થવાની પ્રક્રિયાને જાણે છે, તે પરમ ધામને પ્રાપ્ત કરે છે.
Comments
Post a Comment