૦૫ પંચમોધ્યાય: કર્મસંન્યાસયોગ

અર્જુન ઉવાચ ।
સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ ।
યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્ ॥૧॥

અર્જુન ઉવાચ—અર્જુને કહ્યું; સંન્યાસમ્—સંન્યાસ; કર્મણામ્—સર્વ કર્મોના; કૃષ્ણ—હે શ્રીકૃષ્ણ; પુન:—ફરી; યોગમ્—કર્મયોગ; ચ—પણ; શંસસિ—પ્રશંસા કરો છો; યત્—જે; શ્રેય:—અધિક કલ્યાણકારી; એતયો:—આ બંનેમાં; એકમ્—એક; તત્—તે; મે—મારે માટે; બ્રૂહિ—કૃપા કરી કહો; સુ-નિશ્ચિતમ્—નિશ્ચિતપણે.

Translation

BG 5.1: અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તમે કર્મ સંન્યાસ (કર્મ ત્યાગનો માર્ગ)ની પ્રશંસા કરી અને તમે કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ)નો પણ ઉપદેશ આપ્યો. કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયકર કયો માર્ગ છે? 

શ્રીભગવાનુવાચ ।
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ ।
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ॥૨॥

શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; સંન્યાસ—ત્યાગ; કર્મયોગ:—ભક્તિયુક્ત કર્મ; ચ—તથા; નિ:શ્રેયસ-કરૌ—પરમ લક્ષ્ય તરફ દોરી જનાર; ઉભૌ—બંને; તયો:—તે બંનેમાં; તુ—પરંતુ; કર્મ-સંન્યાસાત્—કર્મોનો ત્યાગ; કર્મ-યોગ:—ભક્તિયુક્ત કર્મ; વિશિષ્યતે—શ્રેષ્ઠ છે.

Translation

BG 5.2: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: કર્મ સંન્યાસ (કર્મોનો પરિત્યાગ) તેમજ કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ) આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે. પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે. 

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાઙ્ક્ષતિ ।
નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ॥૩॥

જ્ઞેય:—સમજવું જોઈએ; સ:—તે; નિત્ય—નિત્ય; સંન્યાસી—સંન્યાસી; ય:—જે; ન—કદી નહીં; દ્વેષ્ટિ—ઘૃણા; ન—નહી; કાંક્ષતિ—ઈચ્છા કરે છે; નિર્દ્વન્દ્વ:—સર્વ દ્વન્દ્વથી રહિત; હિ—નિશ્ચિત; મહાબાહો—હે બળવાન ભુજાઓવાળા; સુખમ્—સરળતાથી; બન્ધાત્—બંધનમાંથી; પ્રમુચ્યતે—મુક્ત થાય છે.

Translation

BG 5.3: તે કર્મયોગી, જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે, તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ. સર્વ દ્વન્દ્વથી રહિત, તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે. 

સાઙ્ખ્યયોગૌ પૃથગ્બાલાઃ પ્રવદન્તિ ન પણ્ડિતાઃ ।
એકમપ્યાસ્થિતઃ સમ્યગુભયોર્વિન્દતે ફલમ્ ॥૪॥

સાંખ્ય—કર્મોનો ત્યાગ; યોગૌ—કર્મયોગ; પૃથક્—ભિન્ન; બાલા:—અજ્ઞાની; પ્રવદન્તિ—કહે છે; ન—કદી નહીં; પણ્ડિતાઃ —વિદ્વાન; એકમ્—એકમાં; અપિ—પણ; આસ્થિત:—સ્થિત; સમ્યક્—પૂર્ણપણે; ઉભયો:—બંનેનું; વિન્દતે—ભોગવે છે; ફલમ્—ફળ.

Translation

BG 5.4: કેવળ અજ્ઞાની જ સાંખ્ય (કર્મોનો ત્યાગ અથવા કર્મ સંન્યાસ) તથા કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ)ને ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે, આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. 

યત્સાઙ્ખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે ।
એકં સાઙ્ખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ ॥૫॥

યત્—જે; સાંખ્યૈ:—કર્મયોગના અભ્યાસ દ્વારા; પ્રાપ્યતે—પ્રાપ્ત કરાય છે; સ્થાનમ્—સ્થાન; તત્—તે; યોગૈ:—ભક્તિયુક્ત કર્મ દ્વારા; અપિ—પણ; ગમ્યતે—પ્રાપ્ત થાય છે; એકમ્—એક; સાંખ્યમ્—કર્મોનો પરિત્યાગ; ચ—અને; યોગમ્—કર્મયોગ; ચ—અને; ય:—જેને; પશ્યન્તિ—જોવે છે; સ:—તે; પશ્યતિ—વાસ્તવમાં જોવે છે.

Translation

BG 5.5: જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે, તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. તેથી, જેઓ કર્મ સંન્યાસ અને કર્મયોગને એકસમાન જોવે છે, તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત્ રૂપે જોવે છે. 

સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ ।
યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ ॥૬॥

સંન્યાસ:—વૈરાગ્ય; તુ—પરંતુ; મહાબાહો—બળવાન ભુજાઓવાળા; દુ:ખમ્—દુઃખ; આપ્તુમ્—પ્રાપ્ત કરે છે; અયોગત:—કર્મયોગ વિના; યોગ-યુક્ત:—કર્મયોગમાં પરોવાયેલો; મુનિ:—મુનિ; બ્રહ્મ—બ્રાહ્મણ; ન ચિરેણ—વિલંબ વિના; અધિગચ્છતિ—જાય છે.

Translation

BG 5.6: ભક્તિયુક્ત કર્મ (કર્મયોગ) વિના સંપૂર્ણ વૈરાગ્ય (કર્મ સંન્યાસ) કઠિન છે, હે મહાભુજાઓવાળા અર્જુન! પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે, તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. 

યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ ।
સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે ॥૭॥

યોગ-યુક્ત:—ભગવદ્-ચેતનાથી યુક્ત; વિશુદ્ધ-આત્મા—શુદ્ધ બુદ્ધિ યુક્ત; વિજિત-આત્મા—જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે; જિત-ઇન્દ્રિય:—ઇન્દ્રિયોને જીતનારો; સર્વભૂત-આત્મ-ભૂત-આત્મા—જે આત્માઓનાં આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે; કુર્વન્—પાલન; અપિ—છતાં; ન—કદી નહીં; લિપ્યતે—લિપ્ત થાય છે.

Translation

BG 5.7: જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, એવા કર્મયોગીઓ સર્વ આત્માઓનાં આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે. એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપિ લિપ્ત થતો નથી. 

નૈવ કિઞ્ચિત્કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્ ।
પશ્યઞ્શૃણ્વન્સ્પૃશઞ્જિઘ્રન્નશ્નન્ગચ્છન્સ્વપઞ્શ્વસન્ ॥૮॥
પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન્ ॥૯॥

ન—કદી નહીં; એવ—નિશ્ચત; કિઞ્ચિત્—કંઈ પણ; કરોમિ—કરું છું; ઇતિ—એમ; યુક્ત:—કર્મયોગમાં સ્થિર; મન્યેત—માને છે; તત્ત્વ-વિત્—સત્યને જાણનાર; પશ્યન્—જોતા; શ્રુણ્વન્—સાંભળતાં; સ્પૃશન્—સ્પર્શ કરતા; જિઘ્રન્—સૂંઘતાં; અશ્નન્—ખાતા; ગચ્છન્—જતાં; સ્વપન્—સ્વપ્ન જોતાં; શ્વસન્—શ્વાસ લેતાં; પ્રલપન્—બોલતાં; વિસૃજન્—ત્યાગ  કરતાં; ગૃહ્નન્—ગ્રહણ કરતાં; ઉન્મિષન્—(આંખો) ખોલતાં; નિમિષન્—(આંખો) બંધ  કરતાં; અપિ—છતાં; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; ઇન્દ્રિય-અર્થેષુ—ઇન્દ્રિયના વિષયમાં; વર્તન્તે—ક્રિયાશીલ; ઇતિ—એ રીતે; ધારયન્—માનતાં.

Translation

BG 5.8-9: જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂંઘતાં, ભ્રમણ કરતાં, સૂતાં, શ્વાસ લેતાં, બોલતાં, વિસર્જન કરતાં, ગ્રહણ કરતાં તથા નેત્રોને બંધ કરતાં અને ખોલતાં સદા માને છે કે, “હું કર્તા નથી”. દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે, જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે. 

બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ ।
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ॥૧૦॥

બ્રહ્મણિ—ભગવાનને; આધાય—સમર્પિત કરીને; કર્માણિ—સર્વ કર્મ; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યાગીને; કરોતિ—કરે છે; ય:—જે; લિપ્યતે—પ્રભાવિત થાય છે; ન—કદી નહીં; સ:—તે; પાપેન—પાપથી; પદ્મ-પત્રમ્—કમળપત્ર; ઈવ—જેમ; અમ્ભસા—પાણી દ્વારા.

Translation

BG 5.10: જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળ પત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે. 

કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ ।
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ॥૧૧॥

કાયેન—શરીરથી; મનસા—મનથી; બુદ્ધયા—બુદ્ધિથી; કેવલૈ:—કેવળ; ઇન્દ્રિયૈ:—ઇન્દ્રિયોથી; અપિ—પણ; યોગિન:—યોગીઓ; કુર્વન્તિ—કરે છે; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; આત્મ—આત્માની; શુદ્ધયે—શુદ્ધિ માટે.

Translation

BG 5.11: યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. 

યુક્તઃ કર્મફલં ત્યક્ત્વા શાન્તિમાપ્નોતિ નૈષ્ઠિકીમ્ ।
અયુક્તઃ કામકારેણ ફલે સક્તો નિબધ્યતે ॥૧૨॥

યુક્ત:—જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો છે; કર્મ-ફલમ્—સર્વ કર્મનાં ફળ; ત્યકત્વા—ત્યાગ કરીને; શાન્તિમ્—શાંતિ; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; નૈષ્ઠિકીમ્ —અનંતકાળ સુધી; અયુક્ત:—જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી; કામ-કારેણ—કામનાઓથી પ્રેરિત થઈને; ફલે—ફળમાં; સકત:—આસક્ત; નિબધ્યતે—બદ્ધ થાય છે.

Translation

BG 5.12: કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. જયારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થનાં ઉદ્દેશ્યથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે. 

સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી ।
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ ॥૧૩॥

સર્વ—સર્વ; કર્માણિ—કર્મોને; મનસા—મનથી; સંન્યસ્ય—ત્યાગીને; આસ્તે—રહે છે; સુખમ્—સુખમાં; વશી—સ્વ-નિયંત્રણ; નવ-દ્વારે—નવ દ્વારવાળા; પુરે—નગરમાં; દેહી—શરીરધારી આત્મા; ન—નહીં; એવ—નિશ્ચિત; કુર્વન્—કંઈપણ કરતો; ન—નહીં; કારવન્—કરાવતો.

Translation

BG 5.13: જે દેહધારી જીવાત્માઓ આત્મ-સંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે.

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥૧૪॥

ન—નહીં; કર્તૃત્વમ્—કર્તૃત્વાભિમાન; ન—નહીં; કર્માણિ—કર્મો; લોકસ્ય—લોકોના; સૃજતિ—સર્જે છે; પ્રભુ:—ભગવાન; ન—નહીં; કર્મ-ફલ—કર્મોના ફળ; સંયોગમ્—સંબંધ; સ્વભાવ:—પ્રકૃતિ; તુ—પરંતુ; પ્રવર્તતે—કાર્ય કરે છે.

Translation

BG 5.14: ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે; ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે.

નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ ।
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ ॥૧૫॥

ન—કદી નહીં; આદત્તે—સ્વીકાર કરે છે; કસ્યચિત્—કોઈનું; પાપમ્—પાપ; ન—નહીં; ચ—અને; એવ—નિશ્ચિત; સુ-કૃતમ્—પુણ્ય; વિભુ:—સર્વવ્યાપક ભગવાન; અજ્ઞાનેન—અજ્ઞાન દ્વારા; આવૃતમ્—ઢંકાયેલું; જ્ઞાનમ્—જ્ઞાન; તેન—તેના વડે; મુહ્યન્તિ—મોહગ્રસ્ત થાય છે; જન્તવ:—જીવો.

Translation

BG 5.15: સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સમ્મિલિત કરતા નથી. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત્ત હોય છે. 

જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ ।
તેષામાદિત્યવજ્જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્ ॥૧૬॥

જ્ઞાનેન્—દિવ્ય જ્ઞાન દ્વારા; તુ—પરંતુ; તત્—તે; અજ્ઞાનમ્—અજ્ઞાન; યેષામ્—જેમના; નાશિતમ્—નષ્ટ કરાય છે; આત્માન:—આત્માની; તેષામ્—તેમના; આદિત્ય-વત્—સૂર્ય સમાન; જ્ઞાનમ્—જ્ઞાન; પ્રકાશયતિ—પ્રગટ કરે છે; તત્—તે; પરમ્—પરમાત્મા.

Translation

BG 5.16: પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્ત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે. 

તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥

તત્-બુદ્ધય:—ભગવદ્-પરાયણ બુદ્ધિવાળા; તત્-આત્માન:—જેમનું હૃદય (મન ને બુદ્ધિ) સંપૂર્ણ રીતે ભગવદ્ મય હોય છે તેઓ; તત્-નિષ્ઠા:—જેમની શ્રદ્ધા ભગવાનમાં દૃઢ થયેલી હોય છે; તત્-પરાયણા:—જેઓ ભગવાનને પરમ લક્ષ્ય અને કેવળ આશ્રય તરીકે પામવા પ્રયાસ કરે છે; ગચ્છન્તિ—જાય છે; અપુન:-આવૃત્તિમ્—પાછો ફરતો નથી; જ્ઞાન—જ્ઞાન દ્વારા; નિર્ધૂત—નિવારણ થવું; કલ્મષા:—દોષ.

Translation

BG 5.17: તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દૃઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદ્-મય થઈ જાય છે, તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુન: પાછા ફરવું પડતું નથી. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે. 

વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ ।
શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ॥૧૮॥

વિદ્યા—દિવ્ય જ્ઞાન; વિનય—વિનમ્રતા; સંપન્ને—સંપન્ન; બ્રાહ્મણે—બ્રાહ્મણ; ગવિ—ગાય; હસ્તિનિ—હાથી; શુનિ—કૂતરો; ચ—અને; એવ—નિશ્ચિત; શ્વ-પાકે—શ્વાનભક્ષી; ચ—અને; પણ્ડિતાઃ —પંડિતો; સમ-દર્શિન:—સમાન દૃષ્ટિથી જોનારા.

Translation

BG 5.18: વાસ્તવિક જ્ઞાની, દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાનભક્ષી (ચંડાળ)ને સમાન દૃષ્ટિથી જુએ છે. 

ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ । નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ ॥૧૯॥

ઇહ એવ—આ જન્મમાં જ; તૈ:—તેમના દ્વારા; જિત:—જિતાયો; સર્ગ:—સૃષ્ટિ; યેષામ્—જેમના; સામ્યે—સમતામાં; સ્થિતમ્—સ્થિત; મન:—મન; નિર્દોષમ્—દોષરહિત; હિ—નિશ્ચિત; સમમ્—સમતામાં; બ્રહ્મ—ભગવાન; તસ્માત્—તેથી; બ્રહ્મણિ—પરમ સત્યમાં; તે—તેઓ; સ્થિતા:—સ્થિત છે.

Translation

BG 5.19: જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે, તેઓ આ જ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રનાં બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે. તેઓ ભગવાનના દોષરહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે. 

ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ ।
સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ ॥૨૦॥

ન—કદી નહીં; પ્રહ્રષ્યતે—હર્ષ પામે છે; પ્રિયમ્—મનગમતું; પ્રાપ્ય—પામીને; ન—નહીં; ઉદ્વિજેત્—ઉદ્વેગ પામે છે; પ્રાપ્ય—પામીને; ચ—પણ; અપ્રિયમ્—અપ્રિય; સ્થિર-બુદ્ધિ:—સ્થિર બુદ્ધિ; અસંમૂઢ:—દૃઢતાથી સ્થિત; બ્રહ્મ-વિત્—દિવ્ય જ્ઞાનની દૃઢ સમજ; બ્રહ્મણિ—ભગવાનમાં; સ્થિત:—સ્થિત.

Translation

BG 5.20: ભગવાનમાં સ્થિત, દિવ્ય જ્ઞાનની દૃઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના, તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુ:ખદ અનુભવનો શોક કરે છે. 

બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્ ।
સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે ॥૨૧॥

બાહ્ય-સ્પર્શેષુ—બાહ્ય ઇન્દ્રિય સુખ; અસક્ત-આત્મા—અનાસક્ત આત્મા; વિન્દતિ—પામે છે; આત્મનિ—આત્મામાં; યત્—જે; સુખમ્—સુખ; સ:—તે; બ્રહ્મ-યોગ યુક્ત-આત્મા—યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય પામેલા; સુખમ્—સુખ; અક્ષયમ્—અક્ષય; અશ્નુતે—અનુભવે છે.

Translation

BG 5.21: જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી, તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે. 

યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે ।
આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ ॥૨૨॥

યે—જે; હિ—ખરેખર; સંસ્પર્શ-જા:—ઇન્દ્રિયજન્ય પદાર્થના સ્પર્શથી; ભોગા:—સુખો; દુઃખ—દુ:ખ; યોનય:—સ્ત્રોત; એવ—ખરેખર; તે—તેઓ છે; આદ્ય-અન્તવન્ત:—પ્રારંભ અને અંતને અધીન; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; ન—કદી નહીં; તેષુ—તેઓમાં; રમતે—આનંદ લે છે; બુધ:—બુદ્ધિશાળી મનુષ્ય.

Translation

BG 5.22: ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ, સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનું ઉદ્ભવસ્થાન છે. હે કુંતીપુત્ર! આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી. 

શક્નોતીહૈવ યઃ સોઢું પ્રાક્શરીરવિમોક્ષણાત્ ।
કામક્રોધોદ્ભવં વેગં સ યુક્તઃ સ સુખી નરઃ ॥૨૩॥

શક્નોતિ—સમર્થ છે; ઇહ એવ—વર્તમાન શરીરમાં; ય:—જે; સોઢુમ્—સહન કરવું; પ્રાક્—પૂર્વ; શરીર—શરીર; વિમોક્ષણાત્—ત્યાગ કરતા; કામ—કામના; ક્રોધ—ક્રોધ; ઉદ્ભવમ્—થી ઉત્પન્ન; વેગમ્—આવેગો; સ:—તે; યુક્ત:—યોગી; સ:—તે ; સુખી—સુખી; નર:—મનુષ્ય.

Translation

BG 5.23: તે મનુષ્ય યોગી છે, જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે, અને કેવળ તે સુખી છે. 

યોઽન્તઃસુખોઽન્તરારામસ્તથાન્તર્જ્યોતિરેવ યઃ ।
સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોઽધિગચ્છતિ ॥૨૪॥

ય:—જે; અન્ત:-સુખ:—અંદરથી સુખી; અન્ત:-આરામ:—અંદર રમણ કરનારો; તથા—અને; અન્ત:-જ્યોતિ:—અંદરના પ્રકાશથી પ્રકાશિત; એવ—નિશ્ચિત; ય:—જે; સ:—તે; યોગી—યોગી; બ્રહ્મ-નિર્વાણમ્—ભૌતિક જીવનથી મુક્તિ; બ્રહ્મ-ભૂત:—ભગવાન સાથે એક થઈને; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 5.24: જે લોકો તેમના અંતરમાં સુખી છે, ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે; અને અંતરજ્યોતિથી પ્રકાશિત છે, તેવા યોગીઓ ભગવાન સાથે ઐક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. 

લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ ।
છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ ॥૨૫॥

લભન્તે—પ્રાપ્ત કરે છે; બ્રહ્મ-નિર્વાણમ્—માયિક જીવનથી મુક્તિ; ઋષય:—પવિત્ર ઋષિઓ; ક્ષીણ-કલ્મષા:—જેમનાં પાપ ધોવાઈ ગયા છે; છિન્ન—ઉચ્છેદિત; દ્વૈધા:—દ્વિધાઓ; યત્-આત્મન:—જેમનું મન અનુશાસિત છે; સર્વ-ભૂત—સર્વ જીવંત પ્રાણીઓ માટે; હિતે—કલ્યાણમાં; રતા:—આનંદ પામે છે.

Translation

BG 5.25: તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. 

કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્ ।
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્ ॥૨૬॥

કામ—કામના; ક્રોધ-ક્રોધ; વિમુક્તાનામ્—મુક્ત મનુષ્યો; યતીનામ્—સંતજનોની; યત-ચેતસામ્—આત્મ-અનુભૂત મનુષ્યો જેણે મનને સંપૂર્ણ સંયમમાં રાખ્યું છે; અભિત:—સર્વ બાજુએથી; બ્રહ્મ—આધ્યાત્મિક; નિર્વાણમ્—માયિક જીવનથી મુક્તિ; વર્તતે—હોય છે; વિદિત-આત્મનામ્—આત્મજ્ઞાનીઓની.

Translation

BG 5.26: જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમનાં મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે.  

સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ ।
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ ॥૨૭॥
યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ ।
વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ ॥૨૮॥

સ્પર્શાન્—સંપર્ક (ઇન્દ્રિયો દ્વારા); કૃત્વા—કરીને; બહિ:—બાહ્ય; બાહ્યાન્—બાહ્ય; ચક્ષુ:—આંખો; ચ—અને; એવ—નિશ્ચિત; અંતરે—વચ્ચે; ભ્રુવો:—ભ્રમરોની; પ્રાણ-અપાનૌ—શ્વાસ અને ઉચ્છવાસ; સમૌ—સમ; કૃત્વા—કરીને; નાસ-અભ્યન્તર—નાસિકાની અંદર; ચારિણોઉં—વિચરણ કરતા; યત—સંયમિત; ઇન્દ્રિય—ઇન્દ્રિય; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; મુનિ:—મુનિ; મોક્ષ—મોક્ષ; પરાયણ:—સમર્પિત; વિગત—મુક્ત; ઈચ્છા—ઈચ્છાઓ; ભય—ભય; ક્રોધ:—ક્રોધ; ય:—જે; સદા—સદા; મુક્ત:—મુક્ત થયેલો; એવ—નિશ્ચિત; સ:—તે.

Translation

BG 5.27-28: બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને, દૃષ્ટિને બે ભ્રમરોની મધ્યે કેન્દ્રિત કરીને, નાસિકામાં શ્વાસ અને ઉચ્છવાસના પ્રવાહને સમ કરીને, અને એ રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે.

ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ ।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ ॥૨૯॥

ભોક્તારામ્—ભોક્તા; યજ્ઞ—યજ્ઞ; તપસામ્—તપના; સર્વ-લોક—સર્વ લોકના; મહા-ઈશ્વરમ્—પરમ ઈશ્વર; સુ-હ્રદમ્—નિષ્કામ મિત્ર; સર્વ—સર્વ; ભૂતાનામ્—પ્રાણીઓ; જ્ઞાત્વા—એ રીતે જાણીને; મામ્—મને (ભગવાન કૃષ્ણ); શાન્તિમ્—શાંતિ; ઋચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 5.29: મને સર્વ યજ્ઞોનાં અને તપશ્ચર્યાઓના ભોક્તા, સર્વ લોકના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.

Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો