૦૬ ષષ્ઠોધ્યાય: આત્મસંયમયોગ

 શ્રીભગવાનુવાચ ।

અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ ॥૧॥

શ્રી ભગવાન ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; અનાશ્રિત:—અનિચ્છા; કર્મ-ફલમ્—કર્મફળ; કાર્યમ્—કર્તવ્ય; કર્મ—કર્મ; કરોતિ—કરે છે; ય:—જે; સ:—તે; સંન્યાસી—સંન્યાસી; ચ—અને; યોગી—યોગી; ચ—અને; ન—નહીં; નિ:—રહિત; અગ્નિ:—અગ્નિ; ન—નહીં; ચ—પણ; અક્રિય:—કર્તવ્યવિહીન

Translation

BG 6.1: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે, તેઓ વાસ્તવિક સંન્યાસી (વૈરાગી) અને યોગી છે; નહિ કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે. 

યં સંન્યાસમિતિ પ્રાહુર્યોગં તં વિદ્ધિ પાણ્ડવ ।
ન હ્યસંન્યસ્તસઙ્કલ્પો યોગી ભવતિ કશ્ચન ॥૨॥

યમ્—જે; સંન્યાસમ્—સંન્યાસ; ઇતિ—એમ; પ્રાહુ:—તેઓ કહે છે; યોગમ્—યોગ; તમ્—તેને; વિદ્ધિ:—જાણ; પાણ્ડવ —અર્જુન, પાંડુપુત્ર, ન—કદી નહીં; હિ—નિશ્ચિત; અસંન્યસ્ત—પરિત્યાગ કર્યા વિના; સંકલ્પ:—ઈચ્છા; યોગી—યોગી; ભવતિ—થાય છે કશ્ચન—કોઈ પણ.

Translation

BG 6.2: જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાઓના પરિત્યાગ વિના કોઈપણ યોગી બની શકતું નથી. 

આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે ।
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે ॥૩॥

આરુરુક્ષો:—નવશિક્ષિત; મુને:—મુનિનો; યોગમ્—યોગ; કર્મ—આસક્તિ વિના કાર્ય કરવું; કારણમ્—કારણ; ઉચ્યતે—કહેવાય છે; યોગ આરૂઢસ્ય—યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ; તસ્ય—તેનો; એવ—નિશ્ચિત; શમ:—ધ્યાન; કારણમ્—કારણ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 6.3: યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે; જયારે મુનિ કે જે સિદ્ધ યોગી છે, તેના માટે ધ્યાનમાં પરમશાંતિ એ જ સાધન કહેવાય છે. 

યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે ।
સર્વસઙ્કલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ॥૪॥

યદા—જયારે; હિ—નિશ્ચિત; ન—નહીં; ઇન્દ્રિય-અર્થેષુ—ઇન્દ્રિય વિષયો માટે; ન—નહીં; કર્મસુ—કર્મમાં; અનુષજ્જતે—આસક્તિ થવી; સર્વ-સંકલ્પ—કર્મફળો અંગેની સર્વ કામનાઓ; સંન્યાસી—ત્યાગી; યોગ-આરૂઢ:—યોગમાં ઉન્નત; તદા—ત્યારે; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 6.4: જયારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વ કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે, તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ કહેવાય છે. 

ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥૫॥

ઉદ્ધરેત્—ઉદ્ધાર; આત્મના—મનથી; આત્માનમ્—જીવ; ન—નહીં; આત્માનમ્—જીવ; અવસાદયેત્—પતન; આત્મા—મન; એવ—જ; હિ—ખરેખર; આત્માન:—જીવનું; બન્ધુ:—મિત્ર; એવ—જ; રિપુ:—શત્રુ; આત્મન:—જીવનો.

Translation

BG 6.5: મનુષ્યે મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં. કારણ કે, મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. 

બન્ધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ ।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ॥૬॥

બન્ધુ:—મિત્ર; આત્મા—મન; આત્માન:—જીવનો; તસ્ય—તેનો; યેન—જેના વડે; આત્મા—મન; એવ—નિશ્ચિત; આત્મના—જીવાત્મા; જિત:—જીત્યો; અનાત્મના:—જે મનને સંયમિત ન કરી શક્યો તેના; તુ—પરંતુ; શત્રુત્વે—શત્રુતાના કારણે; વર્તેત—રહે છે; આત્મા—મન; એવ—જેમ; શત્રુ-વત્—શત્રુની જેમ.

Translation

BG 6.6: જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેમના માટે મન એ મિત્ર છે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે, તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે. 

જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ॥૭॥

જિત-આત્મન:—જેણે મનને જીતી લીધું છે; પ્રશાન્તસ્ય—શાંતિ પ્રાપ્ત કરનાર; પરમ-આત્મા—ભગવાન; સમાહિત:—અડગ; શીત—ઠંડીમાં; ઉષ્ણ—ગરમી; સુખ—સુખ; દુ:ખેષુ—દુઃખમાં; તથા—તેમજ; માન—માન; અપમાનયો:—તથા અપમાનમાં.

Translation

BG 6.7: યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે. 

જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ ।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ॥૮॥

જ્ઞાન—જ્ઞાન; વિજ્ઞાન—અનુભૂત જ્ઞાન, આંતરિક જ્ઞાન; તૃપ્ત આત્મા—સંતુષ્ટ જીવાત્મા; કૂટ-સ્થ:—અક્ષુબ્ધ; વિજિત-ઇન્દ્રિય:—ઇન્દ્રિયોને જીતી લેનાર; યુક્ત:—જે પરમાત્મા સાથે નિરંતર સંસર્ગમાં રહે છે; ઇતિ—એ રીતે; ઉચ્યતે—કહેવાય છે; યોગી—યોગી; સમ—સમદર્શી; લોષ્ટા—કાંકરા; અશ્મ—પથરા; કાઞ્ચનઃ:—સોનુ.

Translation

BG 6.8: યોગી કે જે જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તૃપ્ત થયેલા છે; અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે. તેઓ સર્વ પદાર્થો — ધૂળ, પથરા, અને સુવર્ણને એકસમાન જોવે છે.

સુહૃન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થદ્વેષ્યબન્ધુષુ ।
સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે ॥૯॥

સુહ્રત—શુભેચ્છકો; મિત્ર—મિત્ર; અરિ—શત્રુ; ઉદાસીન—તટસ્થ મનુષ્ય; મધ્ય-સ્થ—મધ્યસ્થી કરનાર; દ્વેષ્ય—ઈર્ષાળુ; બન્ધુષુ—સંબંધીઓ; સાધુષુ—પવિત્ર; અપિ—જેમ; ચ—અને; પાપેષુ—પાપીઓ; સમ-બુદ્ધિ:—નિષ્પક્ષ બુદ્ધિ; વિશિષ્યતે—વિશિષ્ટ.

Translation

BG 6.9: યોગીઓ સર્વને—શુભેચ્છકો, મિત્રો, શત્રુઓ, પવિત્ર લોકો અને પાપીઓને—નિષ્પક્ષ બુદ્ધિથી જોવે છે. તે યોગી કે જે મિત્ર, સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે, તેને મનુષ્યોમાં વિશિષ્ટ ગણવામાં આવે છે.

યોગી યુઞ્જીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ ।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ ॥૧૦॥

યોગી—યોગી; યુઞ્જીત —ધ્યાનમાં સ્થિત રહેવું જોઈએ; સતતમ્—સતત; આત્માનમ્—સ્વ; રહસિ—એકાંત સ્થાનમાં; સ્થિત:—રહે છે; એકાકી—એકલો; યત-ચિત્ત-આત્મા—નિયંત્રિત મન અને શરીર સહિત; નિરાશી:—આશાઓથી મુક્ત; અપરિગ્રહ:—ભોગ પ્રત્યેના સ્વામિત્વની ઈચ્છાથી મુક્ત.

Translation

BG 6.10: જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે, તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ, નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ, ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ. 

 શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ ।

નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્ ॥૧૧॥

શુચૌ—પવિત્ર; દેશે—સ્થાન; પ્રતિષ્ઠાપ્ય—સ્થાપિત કરીને; સ્થિરમ્—સ્થિર; આસનમ્—આસન; આત્માન:—તેનું પોતાનું; ન—નહીં; અતિ—અતિ; ઉચ્છ્રુતમ્—ઊંચું; ન—નહીં; અતિ—અત્યંત; નીચમ્—નીચું; ચૈલ—વસ્ત્ર; અજિન—મૃગચર્મ; કુશ—કુશ ઘાસ; ઉત્તરમ્—આવરણવાળું.

Translation

BG 6.11: યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ. 

તત્રૈકાગ્રં મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયક્રિયઃ ।
ઉપવિશ્યાસને યુઞ્જ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે ॥૧૨॥
સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ ।
સમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્ ॥૧૩॥

તત્ર—ત્યાં; એક-અગ્રમ્—એકાગ્ર; મન:—મન; કૃત્વા—કરીને; યત ચિત્ત—મનને વશમાં કરી; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; ક્રિય:—કાર્યો; ઉપવિશ્ય—બેસીને; આસને—આસન ઉપર; યુઞ્જ્યાત્ યોગમ્—યોગ સાધનાનો અભ્યાસ  કરવો; આત્મ વિશુદ્ધયે—મનના  શુદ્ધિકરણ માટે; સમમ્—સીધું; કાય—શરીર; શિર:—માથું; ગ્રીવમ્—ગરદન; ધારયન્—ધરીને; અચલમ્—અચળ; સ્થિર:—સ્થિર; સમ્પ્રેક્ષ્ય—તાકીને; નાસિક-અગ્રમ્—નાકના અગ્રભાગને; સ્વમ્—પોતાના; દિશ:—દિશાઓ; ચ—અને; અનવલોકયન્—ન જોઇને.

Translation

BG 6.12-13: તેના પર દૃઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને, મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખનાં હલન ચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ. 

પ્રશાન્તાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ ।
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ ॥૧૪॥

પ્રશાન્ત—શાંત; આત્મા—મન; વિગત-ભી:—ભયરહિત; બ્રહ્મચારી-વ્રતે—બ્રહ્મચર્ય વ્રતમાં; સ્થિત:—સ્થિત; મન:—મન; સંયમ્ય—સંયમિત કરીને; મત્-ચિત્ત:—મારું (શ્રીકૃષ્ણનું) ધ્યાન કર; યુક્ત:—યુક્ત; આસીત—બેસવું જોઈએ; મત્-પર:—મને પરમ ધ્યેય માનીને.

Translation

BG 6.14: આ પ્રમાણે, પ્રશાંત, ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ.

યુઞ્જન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ ।
શાન્તિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ ॥૧૫॥

યુઞ્જન—મનને ભગવાનમાં તલ્લીન કરીને; એવમ્—આ રીતે; સદા—નિરંતર; આત્માનમ્—મન; યોગી—યોગી; નિયત-માનસ:—સંયમિત મન ધરાવતો; શાન્તિમ્—શાંતિ; નિર્વાણ—માયિક બંધનોથી મોક્ષ; પરમામ્—પરમ; મત્-સંસ્થામ્—મારામાં સ્થિત થવું; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 6.15: આ પ્રમાણે, સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે. 

નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાન્તમનશ્નતઃ ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન ॥૧૬॥

ન—નહીં; અતિ—અતિશય; અશ્નત:—ખાવાવાળાનો; તુ—પરંતુ; યોગ:—યોગ; અસ્તિ—થાય છે; ન—નહીં; ચ—અને; એકાન્તમ્—બિલકુલ; અનશ્નત:—ખાવાનો ત્યાગ કરનારને; ન—નહીં; ચ—અને; અતિ—અતિશય; સ્વપ્ન-શીલસ્ય—ઉંઘનારને; જાગ્રત:—જે પર્યાપ્ત નિંદ્રા નથી કરતો; ન—નહીં; એવ—નિશ્ચિત; ચ—અને; અર્જુન—અર્જુન.

Translation

BG 6.16: હે અર્જુન! જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે, અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે, તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી. 

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥૧૭॥

યુક્ત—સાધારણ; આહાર—ભોજન; વિહારસ્ય—મનોરંજન; યુક્ત ચેતસ્ય કર્મસુ—કાર્યમાં સંતુલન; યુક્ત—સંયમિત; સ્વપ્ન અવબોધસ્ય—નિંદ્રા તથા જાગરણ; યોગ:—યોગ; ભવતિ—થાય છે; દુઃખા:—દુઃખ નષ્ટ કરનાર.

Translation

BG 6.17: પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદપ્રમોદ કરવામાં સંયમિત રહે છે, કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે, તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે. 

યદા વિનિયતં ચિત્તમાત્મન્યેવાવતિષ્ઠતે ।
નિઃસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા ॥૧૮॥

યદા—જયારે; વિનિયતમ્—પૂર્ણ સંયમિત; ચિત્તમ્—મન; આત્મનિ—આત્માનો; એવ—નિશ્ચિત; અવતિષ્ઠતે—સ્થિત થાય છે; નિસ્પૃહ:—સ્પૃહા રહિત; સર્વ—સર્વ; કામેભ્ય:—ઇન્દ્રિયોની વાસના માટે; યુક્ત:—પૂર્ણ યોગમાં સ્થિત; ઇતિ—એ રીતે; ઉચ્યતે—કહેવાય છે; તદા—ત્યારે.

Translation

BG 6.18: પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના સર્વોત્કૃષ્ટ કલ્યાણમાં તલ્લીન કરી દે છે. આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વ વાસનાઓથી મુક્ત હોય છે. 

યથા દીપો નિવાતસ્થો નેઙ્ગતે સોપમા સ્મૃતા ।
યોગિનો યતચિત્તસ્ય યુઞ્જતો યોગમાત્મનઃ ॥૧૯॥

યથા—જેમ; દીપ—દીવો; નિવાત-સ્થ:—વાયુરહિત સ્થાન; ન—નહીં; ઈંગતે—અસ્થિર થાય છે; સા—આ; ઉપમા—સમાનતા; સ્મૃતા—માનવામાં આવે છે; યોગિન:—યોગીની; યત-ચિત્તસ્ય—જેનું મન અનુશાસિત છે; યુગ્જંત:—સતત સાધના યુક્ત; યોગમ્—ધ્યાનમાં; આત્માન:—પરમાત્મામાં.

Translation

BG 6.19: જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે. 

યત્રોપરમતે ચિત્તં નિરુદ્ધં યોગસેવયા ।
યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ ॥૨૦॥

યત્ર—જયારે; ઉપરમતે—આંતરિક સુખની અનુભૂતિ; ચિત્તમ્—મન; નિરુદ્ધમ્—અંકુશિત; યોગ-સેવયા—યોગના અભ્યાસ દ્વારા; યત્ર—જયારે; ચ—અને; એવ—નિશ્ચિત; આત્મના—વિશુદ્ધ મનથી; આત્માનામ્—આત્મા; પશ્યમ્—જોવું; આત્મનિ—પોતાની અંદર; તુષ્યતિ—તુષ્ટ થાય છે.

Translation

BG 6.20: જયારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે, ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે. 

સુખમાત્યન્તિકં યત્તદ્ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ્ ।
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ ॥૨૧॥

સુખમ્—સુખ; આત્યન્તિકમ્—અસીમ; યત્—જે; તત્—તે; બુદ્ધિ—બુદ્ધિ દ્વારા; ગ્રાહ્યમ્—ગ્રહણ કરવા યોગ્ય; અતિન્દ્રિયમ્—ઇન્દ્રિયાતીત; વેત્તિ—જાણે છે; યત્ર—જેમાં; ન—કદી નહીં; ચ—અને; એવ—નિશ્ચિત; અયમ્—આ; સ્થિત:—સ્થિત; ચલતિ—વિચલિત થાય છે; તત્ત્વત:—સનાતન સત્યથી. 


યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥૨૨॥

યમ્—જેને; લબ્ધવા—પ્રાપ્ત કરીને; ચ—અને; અપરમ્—અન્ય; લાભમ્—લાભ; મન્યતે—માને છે; ન—કદી નહીં; અધિકમ્—અધિક; તત:—તેના કરતાં; યસ્મિન્—જેમાં; સ્થિત:—સ્થિત થયેલ; ન—કદી નહીં; દુ:ખેન—દુઃખોથી; ગુરુણા—મહાન; અપિ—છતાં; વિચાલ્યતે—વિચલિત થાય છે. 

તં વિદ્યાદ્ દુઃખસંયોગવિયોગં યોગસઞ્જ્ઞિતમ્ ।
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોઽનિર્વિણ્ણચેતસા ॥૨૩॥

તમ્—તેને; વિદ્યાત્—તારે જાણવું જોઈએ; દુઃખ-સંયોગ-વિયોગ—દુઃખના સંસર્ગથી થતું નિર્મૂલન; યોગ-સઞ્જ્ઞિતમ્—યોગ તરીકે ઓળખાય છે; સ:—તે; નિશ્ચયેન્—દૃઢ નિશ્ચયપૂર્વક; યોક્તવ્ય:—અભ્યાસ કરવો જોઈએ; યોગ:—યોગ; અનિર્વિણ્ણ- ચેતસા—અવિચલિત મન સાથે.

Translation

BG 6.23: દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે. આ યોગની દૃઢતાપૂર્વક કૃતનિશ્ચયી બની, નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ. 

તં વિદ્યાદ્ દુઃખસંયોગવિયોગં યોગસઞ્જ્ઞિતમ્ ।
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોઽનિર્વિણ્ણચેતસા ॥૨૩॥

તમ્—તેને; વિદ્યાત્—તારે જાણવું જોઈએ; દુઃખ-સંયોગ-વિયોગ—દુઃખના સંસર્ગથી થતું નિર્મૂલન; યોગ-સઞ્જ્ઞિતમ્—યોગ તરીકે ઓળખાય છે; સ:—તે; નિશ્ચયેન્—દૃઢ નિશ્ચયપૂર્વક; યોક્તવ્ય:—અભ્યાસ કરવો જોઈએ; યોગ:—યોગ; અનિર્વિણ્ણ- ચેતસા—અવિચલિત મન સાથે. 

સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ ।
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ ॥૨૪॥
શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા ।
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્ ॥૨૫॥

સંકલ્પ—દૃઢ નિર્ધાર; પ્રભવાન્—ઉત્પન્ન; કામાન્—ઈચ્છાઓ; ત્યકત્વા—ત્યજીને; સર્વાન્—સર્વ; અશેષત:—પૂરેપૂરી; મનસા—મનથી; એવ—નિશ્ચિત; ઇન્દ્રિય-ગ્રામમ્—ઇન્દ્રિયોના સમૂહને; વિનિયમ્ય—નિયમન કરીને; સમન્તત:—બધી બાજુથી; શનૈ:—ધીરે; શનૈ:—ધીરે; ઉપરમેત્—શાંતિ પ્રાપ્તિ; બુદ્ધયા—બુદ્ધિ વડે; ધૃતિ-ગૃહીતયા—શાસ્ત્રો અનુસાર દૃઢ સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરવું; આત્મ-સંસ્થમ્—ભગવાનમાં સ્થિત; મન:—મન; કૃત્વા—કરીને; ન—નહી; કિઞ્ચિત્—કંઈપણ; ચિન્તયેત્—વિચારવું જોઈએ.

Translation

BG 6.24-25: સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક, બુદ્ધિપૂર્વક દૃઢ પ્રતીતિ સાથે, મન કેવળ ભગવાનમાં સ્થિર થઇ જશે અને અન્ય કંઈપણ ચિંતન કરશે નહીં. 

યતો યતો નિશ્ચરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્ ।
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્ ॥૨૬॥

યત: યત:—જ્યાં જ્યાં; નિશ્ચલતિ—વિચલિત થાય છે; મન:—મન; ચંચલમ્—ચંચળ; અસ્થિરમ્—અસ્થિર; તત:તત:—ત્યાં ત્યાં; નિયમ્ય—નિયમન કરીને; એતત્—આ; આત્મનિ—ભગવાન ઉપર; એવ—જ; વશમ્—વશ; નયેત્—લાવવું જોઈએ.

Translation

BG 6.26: ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જયારે જયારે ભટકતું હોય, ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ.

Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો