૧૫ પંચદશોધ્યાય: પુરુષોત્તમયોગ
શ્રીભગવાનુવાચ .
ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્
છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥ ૧॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ઊર્ધ્વ-મૂલમ્—ઉપરની તરફનાં મૂળ; અધ:—નીચેની તરફ; શાખમ્—ડાળીઓ; અશ્વત્થમ્—વડનું વૃક્ષ; પ્રાહુ:—કહેવાયો છે; અવ્યયમ્—શાશ્વત; છન્દાંસિ—વૈદિક મંત્રો; યસ્ય—જેનાં; પર્ણાનિ—પાંદડાં; ય:—જે; તમ્—તે; વેદ—જાણે છે; સ:—તે; વેદ-વિત્—વેદનો જાણકાર.
Translation
BG 15.1: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: એમ કહેવાય છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેનાં પર્ણો વૈદિક મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે, તે વેદોનો જ્ઞાતા છે.
અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા
ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ .
અધશ્ચ મૂલાન્યનુસન્તતાનિ
કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ॥ ૨॥..
અધ:—નીચેની તરફ; ચ—અને; ઊર્ધ્વમ્—ઉપરની તરફ; પ્રસૃતા:—પ્રસરેલી; તસ્ય—તેનાં; શાખા:—ડાળીઓ; ગુણ—માયિક પ્રકૃતિનાં ગુણો; પ્રવૃદ્ધ:—પોષિત; વિષય—ઇન્દ્રિયોના વિષયો; પ્રવાલા:—કળીઓ; અધ:—નીચે; ચ—અને; મૂલાનિ—મૂળો; અનુસન્તતાનિ—વિસ્તરેલાં; કર્મ—કર્મ; અનુબન્ધીનિ—બંધાયેલો; મનુષ્ય-લોકે—મનુષ્યના વિશ્વમાં.
Translation
BG 15.2: વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે ત્રણ ગુણોથી પોષણ પામે છે. નીચેની તરફ લટકતાં મૂળો મનુષ્ય દેહમાં કર્મનાં પ્રવાહનું કારણ છે અને તેની નીચેની શાખાઓ માનવ-જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે.
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે
નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા .
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં
અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ॥૩॥..
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં
યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ .
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે .
યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ॥ ૪॥..
ન—નહીં; રૂપમ્—રૂપ; અસ્ય—આનું; ઇહ—આ જગતમાં; તથા—જેવું; ઉપલભ્યતે—અનુભૂતિ કરી શકાય છે; ન—ન તો; અન્ત:—અંત; ન—ન તો; ચ—પણ; આદિ:—પ્રારંભ; ન—કદાપિ નહીં; ચ—પણ; સમ્પ્રતિષ્ઠા—પાયો; અશ્વત્થમ્—અશ્વત્થ વૃક્ષ, વડ; એનમ્—આ; સુ-વિરુઢ-મૂલમ્—ઊંડા મૂળવાળો; અસંગ-શસ્ત્રેણ—વિરક્તિના શાસ્ત્ર વડે; દૃઢેન—મજબૂત; છિત્ત્વા—કાપીને; તત:—ત્યાર પછી; પદમ્—સ્થાન; તત્—તે; પરિમાર્ગિતવ્યમ્—વ્યક્તિએ શોધવું જોઈએ; યસ્મિન્—જ્યાં; ગતા:—ગયેલા; ન—નહીં; નિવર્તન્તિ—પાછા આવે છે; ભૂય:—પુન:; તમ્—તેમને; એવ—નિશ્ચિત; ચ—અને; આદ્યમ્—આદિ; પુરુષમ્—ભગવાન; પ્રપદ્યે—શરણમાં જાઉં છું; યત:—જેનાથી; પ્રવૃત્તિ:—પ્રવૃત્તિ; પ્રસૃતા—વિસ્તીર્ણ; પુરાણી—અતિ પુરાતન.
Translation
BG 15.3-4: આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે
નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા .
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં
અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ॥૩॥..
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં
યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ .
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે .
યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ॥ ૪॥..
ન—નહીં; રૂપમ્—રૂપ; અસ્ય—આનું; ઇહ—આ જગતમાં; તથા—જેવું; ઉપલભ્યતે—અનુભૂતિ કરી શકાય છે; ન—ન તો; અન્ત:—અંત; ન—ન તો; ચ—પણ; આદિ:—પ્રારંભ; ન—કદાપિ નહીં; ચ—પણ; સમ્પ્રતિષ્ઠા—પાયો; અશ્વત્થમ્—અશ્વત્થ વૃક્ષ, વડ; એનમ્—આ; સુ-વિરુઢ-મૂલમ્—ઊંડા મૂળવાળો; અસંગ-શસ્ત્રેણ—વિરક્તિના શાસ્ત્ર વડે; દૃઢેન—મજબૂત; છિત્ત્વા—કાપીને; તત:—ત્યાર પછી; પદમ્—સ્થાન; તત્—તે; પરિમાર્ગિતવ્યમ્—વ્યક્તિએ શોધવું જોઈએ; યસ્મિન્—જ્યાં; ગતા:—ગયેલા; ન—નહીં; નિવર્તન્તિ—પાછા આવે છે; ભૂય:—પુન:; તમ્—તેમને; એવ—નિશ્ચિત; ચ—અને; આદ્યમ્—આદિ; પુરુષમ્—ભગવાન; પ્રપદ્યે—શરણમાં જાઉં છું; યત:—જેનાથી; પ્રવૃત્તિ:—પ્રવૃત્તિ; પ્રસૃતા—વિસ્તીર્ણ; પુરાણી—અતિ પુરાતન.
Translation
BG 15.3-4: આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.
નિર્માનમોહા જિતસઙ્ગદોષા
અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ .
દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈ-
ર્ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ॥ ૫॥..
નિ:—થી મુક્ત; માન—મિથ્યાભિમાન; મોહા:—ભ્રમ; જિત—જીતેલા; સંગ—આસક્તિ; દોષા:—દોષો; અધ્યાત્મ-નિત્યા:—નિરંતર સ્વ તથા ભગવાનમાં લીન; વિનિવૃત્ત—થી મુક્ત; કામા:—ઈન્દ્રિયોને ભોગવવાની કામના; દ્વન્દ્વૈ:—દ્વન્દ્વોથી; વિમુક્તા:—વિમુક્ત; સુખ-દુઃખ—સુખ અને દુઃખ; સંગૈ:—ઓળખવામાં આવે છે; ગચ્છન્તિ—પ્રાપ્ત થાય છે; અમૂઢા:—મોહ રહિત; પદમ્—ધામ; અવ્યયમ્—શાશ્વત; તત્—તે.
Translation
BG 15.5: જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વન્દ્વોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે.
ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ ।
યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૬॥
ન—નહીં; તત્—તે; ભાસયતે—પ્રકાશિત કરે છે; સૂર્ય:—સૂર્ય; ન—નહીં; શશાંક:—ચંદ્ર; ન—નહીં; પાવક:—અગ્નિ; યત્—જ્યાં; ગત્વા—જાય છે; ન—કદાપિ નહીં; નિવર્તન્તે—પરત આવે છે; તત્—તે; ધામ—ધામ; પરમમ્—પરમ; મમ્—મારું.
Translation
BG 15.6: ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક વિશ્વમાં પુન: પરત આવતું નથી.
મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ ।
મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ॥ ૭॥
મમ—મારા; એવ—કેવળ; અંશ:—સૂક્ષ્મ અંશ; જીવ-લોકે—માયિક સંસારમાં; જીવ-ભૂત:—દેહધારી આત્માઓ; સનાતન:—શાશ્વત; મન:—મન; ષષ્ઠાનિ—છ; ઈન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; પ્રકૃતિ-સ્થાનિ—માયિક પ્રકૃતિથી બદ્ધ; કર્ષતિ—સંઘર્ષ કરે છે.
Translation
BG 15.7: આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે.
શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ॥ ૮॥
શરીરમ્—શરીર; યત્—જેમ; અવાપ્નોતિ—ધારણ કરે છે; યત્—જેમ; ચ અપિ—તેમજ; ઉત્ક્રામતિ—ત્યાગે છે; ઈશ્વર:—દેહધારી આત્માના માયિક શરીરના સ્વામી; ગૃહીત્વા—ગ્રહણ કરે છે; એતાનિ—આ; સંયાતિ—ચાલ્યો જાય છે; વાયુ:—હવા; ગન્ધાન્—ગંધ; ઈવ—જેમ; આશયાત્—વહન કરે છે.
Translation
BG 15.8: જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તેવી રીતે દેહધારી આત્મા જયારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે.
શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ ।
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ॥ ૯॥
શ્રોત્રમ્—કર્ણ; ચક્ષુ:—નેત્રો; સ્પર્શનમ્—સ્પર્શેન્દ્રિય; ચ—અને; રસનમ્—જીહ્વા; ઘ્રાણમ્—નાક; એવ—પણ; ચ—અને; અધિષ્ઠાય—આસપાસ એકત્રિત; મન:—મન; ચ—પણ; અયમ્—તેઓ; વિષયાન્—ઈન્દ્રિય વિષયો; ઉપસેવતે—ભોગવે છે.
Translation
BG 15.9: કર્ણ, નેત્રો, ત્વચા, જિહ્વા અને નાક—કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે—તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને, આત્મા ઈન્દ્રિય વિષયોનો ભોગ કરે છે.
ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુઞ્જાનં વા ગુણાન્વિતમ્ ।
વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ ॥ ૧૦॥
ઉત્કામન્તમ્—છોડતાં; સ્થિતમ્—રહેતાં; વા અપિ—અથવા; ભુન્જાનમ્—ભોગવતાં; વા—અથવા; ગુણ-અન્વિતમ્—માયિક પ્રકૃતિનાં ગુણોના પ્રભાવ હેઠળ; વિમૂઢા:—મૂર્ખ મનુષ્યો; ન—નહીં; અનુપશ્યન્તિ—જાણી શકે છે; પશ્યન્તિ—જોવે છે; જ્ઞાન-ચક્ષુષ:—જ્ઞાનરૂપી આંખો ધરાવતા.
Translation
BG 15.10: શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિમૂઢ મનુષ્યોને થતો નથી, કે જયારે તે વિદાય લે છે ત્યારે પણ તેનો બોધ થતો નથી. પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે.
યતન્તો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ ।
યતન્તોઽપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ॥ ૧૧॥
યતન્ત:—પ્રયાસ કરતા; યોગિન:—યોગીઓ; ચ—પણ; એનમ્—આ (આત્મા); પશ્યન્તિ—જોઈ શકે છે; આત્મનિ—શરીરમાં; અવસ્થિતમ્—પ્રતિષ્ઠાપિત; યતન્ત:—પ્રયાસ કરતા; અપિ—છતાં પણ; અકૃત-આત્માન:—જેમનું મન શુદ્ધ નથી; ન—નહીં; એનમ્—આ; પશ્યન્તિ—જોવે છે; અચેતસ:—અચેત.
Translation
BG 15.11: ભગવદ્દ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે. પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી, તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી.
યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેઽખિલમ્ ।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ॥ ૧૨॥
યત્—જે; આદિત્ય-ગતમ્—સૂર્યમાં; તેજ:—તેજ; જગત્—સૂર્ય મંડળ; ભાસયતે—પ્રકાશિત કરે છે; અખિલમ્—સમગ્ર; યત્—જે; ચંદ્રમસિ—ચંદ્રમાં; યત્—જે; ચ—પણ; અગ્નૌ—અગ્નિમાં; તત્—તે; તેજ:—તેજ; વિદ્ધિ:—જાણ; મામકમ્—મારું.
Translation
BG 15.12: એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું, જે સમગ્ર સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે, એમ જાણ.
ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા ।
પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ॥ ૧૩॥
ગામ્—પૃથ્વી; આવિશ્ય—વ્યાપીને; ચ—અને; ભૂતાનિ—જીવો; ધારયામિ—ધારણ કરું છું; અહમ્—હું; ઓજસા—શક્તિ; પુષ્ણામિ—પોષણ કરું છું; ચ—અને; ઔષધિ:—વનસ્પતિઓ; સર્વા:—સર્વ; સોમ:—ચંદ્ર; ભૂત્વા—થઈને; રસ-આત્મક:—જીવનનો રસ પ્રદાન કરનાર.
Translation
BG 15.13: પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વ જીવોનું પોષણ કરું છું. ચંદ્ર બનીને, હું સર્વ વનસ્પતિઓનું જીવન-રસથી પોષણ કરું છું.
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥ ૧૪॥
અહમ્—હું; વૈશ્વાનર:—જઠરાગ્નિ; ભૂત્વા—થઈને; પ્રાણિનામ્—સર્વ જીવોનું; દેહમ્—શરીર; આશ્રિત:—સ્થિત; પ્રાણ-અપાન—શ્વાસોચ્છવાસ; સમાયુક્ત:—સંતુલિત રાખીને; પચામિ—હું પચાવું છું; અન્નમ્—અન્ન; ચતુ:-વિધમ્—ચાર પ્રકારનાં.
Translation
BG 15.14: એ હું છું, જે સર્વ જીવોનાં ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ-પ્રશ્વાસના સંયોજનથી ચાર પ્રકારનાં ખોરાક બનાવું છું અને પચાવું છું.
સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો
મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનઞ્ચ ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો
વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ ॥ ૧૫॥
સર્વસ્ય—સર્વ જીવના; ચ—અને; અહમ્—હું; હ્રદિ—હૃદયમાં; સન્નિવિષ્ટ:—સ્થિત; મત્ત:—મારાથી; સ્મૃતિ:—સ્મરણશક્તિ; જ્ઞાનમ્—જ્ઞાન; અપોહનમ્—વિસ્મૃતિ; ચ—તેમજ; વેદૈ:—વેદો દ્વારા; ચ—અને; સર્વૈ:—સર્વ; અહમ્—હું; એવ—એકલો; વેદ્ય:—જાણવા યોગ્ય; વેદાંત-કૃત્—વેદાંતના રચયિતા; વેદ-વિત્—વેદોના અર્થનાં જ્ઞાતા; એવ—એકમાત્ર; ચ—અને; અહમ્—હું.
Translation
BG 15.15: હું સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું, હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું.
દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ।
ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઽક્ષર ઉચ્યતે ॥ ૧૬॥
દ્વૌ—બે; ઈમૌ—આ; પુરુષૌ—જીવ; લોકે—સૃષ્ટિમાં; ક્ષર:—નશ્વર; ચ—અને; અક્ષર:—અવિનાશી; એવ—પણ; ચ—અને; ક્ષર:—નશ્વર; સર્વાંણિ—સર્વ; ભૂતાનિ—જીવો; કૂટ-સ્થ:—મુક્તિ પામેલા; અક્ષર:—અવિનાશી; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 15.16: સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે, ક્ષર તથા અક્ષર. સર્વ નશ્વર જીવો માયિક પ્રદેશમાં હોય છે. અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે.
ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ ।
યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ॥ ૧૭॥
ઉત્તમ:—શ્રેષ્ઠ; પુરુષ:—દિવ્ય વ્યક્તિ; તુ—પરંતુ; અન્ય:—અન્ય; પરમ-આત્મા—પરમાત્મા; ઈતિ—એ રીતે; ઉદાહ્રત:—કહેવાય છે; ય:—જે; લોક ત્રયમ્—ત્રણ લોક; આવિશ્ય—પ્રવેશીને; બિભાર્તિ—પાલન કરે છે; અવ્યય:—અવિનાશી; ઈશ્વર:—ભગવાન.
Translation
BG 15.17: તેનાથી અતિરિક્ત, એક પરમ દિવ્ય વિભૂતિ છે, જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે.
યસ્માત્ક્ષરમતીતોઽહમક્ષરાદપિ ચોત્તમઃ ।
અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ॥ ૧૮॥
યસ્માત્—કારણ કે; ક્ષરમ્—નશ્વર; અતીત:—ગુણાતીત; અહમ્—હું; અક્ષરાત્—અવિનાશીથી; અપિ—પણ; ચ—અને; ઉત્તમ:—શ્રેષ્ઠ; અત:—તેથી; અસ્મિ—હું છું; વેદે—વેદોમાં; ચ—અને; પ્રથિત:—પ્રખ્યાત; પુરુષ-ઉત્તમ:—પરમ દિવ્ય પુરુષ.
Translation
BG 15.18: હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું; તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે.
યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ ।
સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારત ॥ ૧૯॥
ય:—જે; મામ્—મને; એવમ્—એ રીતે; અસમ્મૂઢ:—સંશય રહિત; જાનાતિ—જાણે છે; પુરુષ-ઉત્તમમ્—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર; સ:—તેઓ; સર્વ-વિત્—પૂર્ણ જ્ઞાની; ભજતિ—ભજે છે; મામ્—મને; સર્વ-ભાવેન—સર્વ પ્રકારે; ભારત—અર્જુન, ભારતપુત્ર.
Translation
BG 15.19: જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે છે.
ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ ।
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ॥ ૨૦॥
ઈતિ—આ; ગુહ્ય-તમમ્—અતિ ગુહ્ય; શાસ્ત્રમ્—વૈદિક ગ્રંથો; ઈદમ્—આ; ઉક્તમ્—કહેવાયું; મયા—મારા દ્વારા; અનઘ—અર્જુન, જે નિષ્પાપ છે; એતદ્દ—આ; બુદ્ધવા—સમજ; બુદ્ધિ-માન્—પ્રબુદ્ધ; સ્યાત્—થાય છે; કૃત-કૃત્ય:—પોતાના પ્રયાસોમાં પરમ પૂર્ણ; ચ—અને; ભારત—અર્જુન, ભારતપુત્ર.
Translation
BG 15.20: હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે.”
Comments
Post a Comment